________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXIII
શુદ્ધ અંત:તત્ત્વ ભાવોથી હું શૂન્ય છું. ચૌદ ગુણસ્થાનોનો મારામાં અભાવ છે. શ્રદ્ધાની શરૂઆત સર્વથાથી જ થાય છે. શ્રદ્ધાના સ્વરૂપમાં કથંચિત્નો અર્થાત્ સ્વાદ્વાદનો અભાવ છે. પ્રમાણમાં મુખ્ય-ગૌણ છે અને મુખ્ય-ગૌણ છે તે જાણવાના પડખાંની સિદ્ધિ કરે છે. જ્યારે હેયઉપાદેયમાં સાધ્યની અર્થાત્ પ્રયોજનની સિદ્ધિ થાય છે. આ રીતે શ્રદ્ધા પ્રયોજનની સિદ્ધિ કરાવે છે.
સત્પુરુષ કહો કે ચિપુરુષો કહો કે જ્ઞાનસ્વરૂપ કહો.. તે પોતાની અકૃત્રિમ પ્રભુતાને નિરંતર ભજે છે. પ્રત્યેક જીવ પોતાની ધ્રુવ પરિધિમાં જ બિરાજે છે. નિજ શાશ્વત પ્રભુ છે તે પોતાના અખંડ ચૈતન્ય પ્રદેશોમાંથી ઊઠીને કદી બહાર ગયો જ નથી. આવા સ્વભાવનું નામ સત્યમ્-શિવમ્-સુંદરમ્ છે.
તેથી મારા શાશ્વત ભવન ઉપર ન કોઈનો અધિકાર છે ન કોઈનો પ્રતિબંધ છે. તે શુદ્ધાત્મ ભવનમાં નિવાસ કરવા માટે ન કોઈની મને અનુમતિ જોઈએ છીએ. હું આત્મન્ ! તું જ્યાં જવા માગે છે, તું જ્યાં રહેવા માગે છે.... તું અત્યારે ત્યાં જ રહેલો છે. તું જો ! તું અત્યારે તને જો તો એમ જ જણાશે કે હું જ્યાં રહેવા માગું છું ત્યાં જ રહેલો છું. તું જ્યારે જોઈશ ત્યારે તારી પ્રભુતામાં તું સ્વયંથી પ્રતિષ્ઠિત જ જણાઈશ.
તેથી સંતો કહે છે-હવે સ્થાપ્ના બદલાવ! તારા અને અમારા આત્મામાં સિદ્ધની સ્થાપ્ના કરીએ છીએ. આ કાળ તો સ્થાપ્ના બદલાવવાનો છે. “હું ઉપાસ્યમાન તત્ત્વ છું” તે જ ઉપાસના છે. હું આરાધ્ય તત્ત્વ છે તે જ અભેદ આરાધના છે. આત્મદર્શન કહો કેજૈનદર્શન કહો તે બેરિહાજ વિથદર્શન છે. વસ્તુના સ્વરૂપને વસ્તુની સીમામાં સિમિત કરનારું વાસ્તવિક અને નિર્ભય દર્શન છે. શ્રીમજી અપૂર્વ અવસરમાં કહે છે કે
“ જે પદ શ્રી સર્વ શે દીઠું જ્ઞાનમાં; કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેવું સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” ૩૮+૫૦ ગાથાની સંધિ કરાવનાર પૂ. ભાઈશ્રી:
સૌ પ્રથમતો શુદ્ધભાવ અધિકાર જ અલૌકિક છે અને તેમાં ૩૮+૫૦ તે ગાથાઓ પણ અલૌકિક છે. તેથી અલૌકિક અધિકારની અલૌકિક ગાથાઓ છે. આ બન્ને ગાથા ભેદવિજ્ઞાનની પરાકાષ્ટારૂપ છે. આ બન્ને ગાથા શુદ્ધભાવ અધિકારનો પ્રાણ છે. ખરેખરતો આ બે ગાથામાં સમસ્ત દ્રવ્યાનુયોગના સારને ગર્ભિત કરી દીધો છે.
શ્રી સમયસારમાં જીવ અધિકારનો સાર તેની છેલ્લી ૩૮ ગાથામાં મૂકી દીધો. જ્યારે નિયમસારમાં શુદ્ધભાવ અધિકારનો સાર તેની પહેલી ૩૮ ગાથામાં મૂકી દીધો. ૩૮ ગાથામાં કુંદકુંદદેવે આત્માની વ્યાખ્યા નાસ્તિથી કહી. “કર્મોપાધિ ગુણ પર્યાયોથી
Please inform us of any errors on [email protected]