________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
XXV
શુદ્ધ અંત:તત્ત્વ સત્યાર્થ હોય પરંતુ અહીંયા આશ્રયની મુખ્યતા હોવાથી તેને ઊડાડયું છે. જો એક પડખું હેય છે તો નિયમથી બીજું પડખું ઉપાદેય છે. હૈય ઉપાદેયમાં જ સાધ્યની સિદ્ધિ થાય છે. સાધ્યની સિદ્ધિ થતાં જ સમ્યજ્ઞાન પ્રગટ થાય છે તેમાં મુખ્ય-ગૌણ થાય છે.
માટે સિદ્ધ થાય છે કે–કોઈ પણ કાળે, કોઈ પણ જીવને, કોઈ પણ સ્થિતિમાં પ્રમાણજ્ઞાનનો વિષય જે દ્રવ્યપર્યાય સ્વરૂપ પરિણામી દ્રવ્ય તે ઉપાદેય નથી. સર્વ જીવોને, સર્વ કાળે શુદ્ધનયના વિષયભૂત પરિણામમાત્રથી સર્વથા ભિન્ન ધ્યેય પરમાત્મા જ ઉપાદેય છે, તે જ અહમ્ કરવા લાયક છે, તે જ શ્રદ્ધામાં શ્રદ્ધેય બનાવવા યોગ્ય છે. ♦ હેય તત્ત્વનું સ્પષ્ટીકરણ કરનાર પૂ. ભાઈશ્રી:
એવો પ્રશ્ન થાય કે તમે પરિણામનું અસ્તિત્વ તો રાખો છો અને વળી હેય પણ કહો છો ? પર્યાય હૈય શા માટે છે? હેય શબ્દનું યથાર્થ વાચ્ય શું છે? પર્યાયનું આલંબન શા માટે ન લેવું ? પર્યાય વસ્તુનો જ અંશ છે તો પછી તેની ઉપેક્ષા શા માટે કરવી ? પર્યાયનું લક્ષ શા માટે છોડાવો છો ? આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે.
સૌ પ્રથમ તો હેયની પરિભાષા. “ ન ઉપાદેયમ્ ઇતિ હેયમ્. ” હેય અર્થાત્ ત્યાજ્ય. પરિણામ તૈય છે, હૈય છે તેમ હેય શબ્દને દ્વેષ વાચક ન સમજવો. કેમકે વીતરાગ માર્ગમાં રાગ-દ્વેષ કરવાનો ઉપદેશ કયાંથી હોય ? માટે હૈય શબ્દને ઉપેક્ષા વાચક સમજવો.
જેમ નિશ્ચય વ્યવહારનો જન્મ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. તેમ હેય-ઉપાદેયનો જન્મ પણ નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં જ થાય છે. માટે આત્માનુભવ થવાનો અને હૈય ઉપાદેય થવાનો સમય એક જ છે. સવિકલ્પ દશામાં હૈય-ઉપાદેય ન થાય. જ્યારે આનંદમૂર્તિ ‘હું પણે ’ પ્રત્યક્ષ શ્રદ્વાય છે ત્યારે પર્યાય છે તે હેય છે. આમ અનુભૂતિના બળે જ હૈય-ઉપાદેય થાય છે.
૧) એક સમયવર્તી પરિણામ દૃષ્ટિનો વિષય બનતો નથી માટે હેય છે.
૨) પરિણામમાં આત્મબુદ્ધિ ન થવી તેનું નામ પરિણામ હૈય છે.
૩) આત્મજ્ઞાનના પરિણામમાં મમત્વ ન થવું તેનું નામ પરિણામ હૈય છે. ૪) પરિણામ આશ્રયભૂત તત્ત્વ નથી માટે હૈય છે.
૫) પરિણામ લક્ષ કરવા યોગ્ય નથી માટે હૈય છે.
૬) સ્વનું અવલંબન લેતાં પરિણામનું અવલંબન છૂટી ગયું તેને પરિણામ હૈય થયા તેમ કહેવામાં આવે છે.
૭) પરિણામ પ્રત્યે પરમ ઉપેક્ષાવૃત્તિ-ઉદાસીનતા તેનું નામ પરિણામ તૈય છે. ૮) પરિણામ તૈય તો છે ને! તેમ હેયપણે પણ ન જોવું તેનું નામ પરિણામની હેયતા છે.
૯) પરિણામ વ્યવહારનયનો વિષય છે માટે પરિણામ હેય છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk