________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXVIII જે પરિણામ મારો આશ્રય લ્ય છે... તેનો આશ્રય હું શા માટે લઉં? ચક્રવર્તીનો આશ્રય ચપરાશી (પટ્ટાવાળો ) લ્ય, પરંતુ ચપરાશીનો (પટ્ટાવાળાનો) આશ્રય ચક્રવર્તી ભે! ? વાહ રે વાહ! અધર્મના પરિણામો પરદ્રવ્ય છે પરંતુ ધર્મના પરિણામ પરદ્રવ્ય છે. કારણ કે તે અનિત્ય છે. તેનામાં અનંતગુણ વ્યાપતા નથી. વળી પરિણામને જાણતાં શુદ્ધિની વૃદ્ધિ થતી નથી અને શુદ્ધિની પૂર્ણતા પણ થતી નથી માટે પરદ્રવ્ય છે.
૧) એક સમયની પર્યાયમાં પરમ પરિણામિકભાવ વ્યાપતો નથી માટે તે પરદ્રવ્ય છે. ૨) એક સમયની પર્યાયમાં અનંતગુણોનો અભાવ હોવાથી તે પરદ્રવ્ય છે. ૩) પર્યાય પોતે નાશવાન છે, બીજા સમયે બીજી પ્રગટે છે તેથી તેમાં “હું પણું' કેવી
રીતે થાય? પર્યાયના ‘પણા માટે સ્થિરતત્ત્વ જોઈએ. માટે પર્યાય પરદ્રવ્ય છે. ૪) પર્યાયનાં લક્ષ આનંદ પ્રગટ થતો નથી માટે પર્યાય પરદ્રવ્ય છે. ૫) પરિણામના લક્ષે નિયમથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે માટે પરિણામ પરદ્રવ્ય છે. ૬) પરિણામ પ્રગટ થાય છે માટે પરદ્રવ્ય છે અને જે પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે. ૭) સાતેય તત્ત્વો કર્મોપાધિજનિત હોવાથી તે પરદ્રવ્ય છે. સાતેય તત્ત્વમાંથી કોઈ - તત્ત્વને આત્મજનિત ન કહ્યું. ૮) પર્યાય પરદ્રવ્ય છે તેનો અર્થ જ એટલો છે કે તે આશ્રય કરવા લાયક નથી.
૯) પરિણામને જાણવાથી સમ્યગ્દર્શન થતું નથી માટે પર્યાય પરદ્રવ્ય છે. ૧૦) સંતો કહે છે-પરદ્રવ્યને જાણવા રોકાણો ત્યાં સુધી સમ્યગ્દર્શન નહીં થાય. કેમકે
પરદ્રવ્યને જાણતાં સ્વદ્રવ્યનું લક્ષ છૂટી જાય છે. જ્યારે પરદ્રવ્યને જાણવાનું બંધ
કરે છે ત્યારે સ્વદ્રવ્ય જણાય, જણાયને જણાય. ૧૧) જેમ પરદ્રવ્યમાંથી પર્યાય આવતી નથી તેમ પર્યાય પોતે એક સમયના
જીવનવાળી હોવાથી તેના આશ્રયે આનંદની દશા ઉત્પન્ન થતી નથી માટે તે પદ્રવ્ય છે. પર્યાય જાણવા યોગ્ય હો તો હો પણ તે આશ્રય કરવા યોગ્ય નથી.
જ્યાં પર્યાયને પરદ્રવ્ય કહ્યું હોય ત્યાં સામાન્યથી વિશેષ સર્વથા ભિન્ન છે તેમ સમજવું. જ્યાં સર્વથા ભિન્નતા હોય ત્યાં જ પર્યાય માટે પરદ્રવ્ય શબ્દ લાગુ પડે છે. જ્યાં કથંચિત્ ભિન્ન કહ્યું હોય ત્યાં પર્યાય માટે પરદ્રવ્ય વિશેષણ લાગુ પડતું નથી. કેમકે ત્યાં શ્રદ્ધા પૂર્વક જ્ઞાનનું પડખું બતાવવું છે. પરિણામ તે પરદ્રવ્ય છે તેમ જાણવાથી શું ફાયદો !!તે બતાવનાર પૂ. ભાઈશ્રી:૧) પરિણામને પરદ્રવ્ય કહ્યું ત્યાં તો પરિણામની કર્તબુદ્ધિ છૂટી ગઈ અને પરદ્રવ્યની
(પરિણામની) જ્ઞાતાબુદ્ધિ પણ છૂટી ગઈ. પરદ્રવ્ય પ્રત્યેની મમતા જ છૂટી
ગઈ. સ્વદ્રવ્યને જાણવા કટીબદ્ધ થયો. ૨) પરદ્રવ્ય ( પરિણામ) મારા કર્યા વિના સ્વયં થયા કરે છે. જે સ્વયં થાય તેને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk