________________ અને અનેક દો કહેતા સહિત અને હકારા સાથ મીઠાને કાયદો ૦-પ-૦ (159) આ શબ્દો સાંભળતાંજ કુમાર ચિંતવવા લાગ્યો. નિચે આ કઈ ભૂત જાતિના દેવે આપસમાં વાત કરી રહ્યા છે. તેઓનું કહેવું સત્ય છે. બનતાં સુધી તેઓ અસત્ય બોલતા નથી. - અરે ! પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલે હું તે હજી અહીં વિલાસ કરું છું અને ત્યાં દુખાર્સ મારા કુટુંબને ક્ષય થાય છે. - એટલામાં ફરી પાછે તેઓને આલાપ સંભળા... ચાલે, આપણે અત્યારે ત્યાં જઈએ. કૈતુક જોઈશું, અને રક્તાદિને આસ્વાદ પણ લઈશું, આ શબ્દો કહેતાંની સાથે જ સવે એ હુંકાર કર્યો અને હુંકારા સાથે જ તે વડ, કુમાર, અને મલયાસુંદરી સહિત આકાશમાગે ઉડશે, કારણ કે તેઓ તે વડની . પોલાણમાં ઉભા હતાં. - ઘણી ઝડપથી આકાશમાં ઉડતે તે વડ, થે ડાજ વખતમાં એક પહાડની મેખલાઉપર આવી સ્થિર થઈ રહ્યો. વડથી નીચા ઉતરી તે દે, ગોળા નદીના કિનારા પર આવેલા ધનંજય નામના યક્ષના મંદિર તરફ ગયા. મહાબળ પણ તે પ્રદેશને જેઈ ઓળખી, મલયાસુંદરીને કહેવા લાગ્યા. પ્રિયા ! હજી આપણાં પુણ્ય જાગૃત છે. આ વડ મારા પૃથ્વીરસ્થાન શહેર પાસે આવ્યું છે, હવે આપણે શીધ્રપણે આ વડના આશ્રયનો ત્યાગ કરવો જોઈએ. દેવના આદેશથી કદાચ આ વડ ફરી પાછે પિતાને ઠેકાણે કે અન્ય સ્થળે ચાલ્યો જો તે પાછા કઈ વિષમ સ્થાનમાં આપણે જઈ પડીશું. આ પ્રમાણેકહી તરતજ તે વડના પોલાણમાંથી મહાબળ, મલયાસુંદરીને લઈ બહાર નીકળી આવ્યું. અને નજીકમાં રહેલા કદળી વનમાં જઈ સ્વસ્થપણે વિશ્રામ લીધું. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust