________________ ( 330 ) ધર્મબીંદુ ગુજરાતી ટીકા સાથે. રૂ. 1-8-0 સંબંધી વિવેચનથી સમજાઈ ગયું છે, કે હું પરમસ્વરૂપ આત્મા છું. એજ મારો પરમધર્મ છે. અને એજ મારું લક્ષબીંદુ કે કર્તવ્ય છે. હવે તે રસ્તામાં મદદગાર, કેવા પ્રમાણિક યાને ગ્ય છે, તે વિચારવાની જરૂર છે. કેટલીક વખત રસ્તામાં ચોકી કરવા માટે, યા રસ્તે બતાવવા માટે સાથે લીધેલ મનુષ્ય તે રસ્તાને અજાણ હોય કે, અપ્રમાણિક ( ચેર પ્રમુખ ) હોય તો પથિકને હેરાન થવું પડે છે. અને ઇચ્છિત સ્થળે નહિ પહોચતાં વચમાંજ રખડવું પડે છે. આવી જ રીતે પરમશાંતિના માર્ગમાં, સાથે રસ્તો બતાવવા અને રક્ષણ કરવા લીઘેલ ભોમીયા તરીકે દેવ. અને ગુર, તે પ્રમાણિક અને રસ્તાના જાણકાર હોવા જોઈએ. ખરેખર વિચાર કરતાં તમને જણાશે કે, મનુષ્યને દેવ, ગુરની શામાટે અને કેટલી જરૂર છે ? દેવ, વીતરાગ, અહીંનું કે પરમેશ્વર ગમે તે નામથી બોલાવે તેમાં વાંધો નથી, પણ તેમણે પરમશાંતિનો માર્ગ જાણેલો અને અનુભવેલ હોવો જોઈએ. તેજ તે આપણને સત્ય રસ્તા બતાવી શકશે, અજાણ વટેમાર્ગને રસ્તા બતાવનારની જેટલી અગત્ય છે, તેથી પરમશાંતિને માર્ગ બતાવનાર, તેવા અહંતોની આપણને હજારગણી જરૂર છે. પરમશાંતિને રસ્તો નહિ જાણનારા દેવનામધારક, બીચારા આ શ્રિતોને મધ અટવીમાં રખડાવે છે. તેઓ પોતે પણ પરમશાંતિને માર્ગ જાણતા ન હોવાથી તેના આશ્રિતોને તે રસ્તે કેવી રીતે ચડાવી શકે ? માટે સત્યમાર્ગ જાણનારની મદદની મનુષ્યોને ઘણી અગત્ય છે. આવા નિયામકની કે સત્ય સાર્થવાહોની ઉપર, આશ્રિતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust