________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૭ શુદ્ધ દેખે છે અને સર્વજ્ઞની જેમ સૌ પોતાને નિજ સત્તાએ શુદ્ધ દેખે તો તેને તેવો જણાય. આ થોડા અક્ષરમાં ભગવાન આત્માનું આખું સ્વરૂપ આવી જાય છે. અહીં કહે છે કે આવો ભગવાન આત્મા સૌને સદાકાળ જણાય છે છતાં જણાતો કેમ નથી? જ્ઞાનની પર્યાયમાં એવી તાકાત છે કે આખા ભગવાન આત્માને જાણે. જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માને જાણે છે છતાં કેમ જણાતો નથી? –કે અંદર મહાપ્રભુ બિરાજે છે તે જ્ઞાનમાં જણાવા છતાં પોતે રાગને વશ થઈને રાગને જ જોવે છે તેથી પોતે જણાતો નથી. ૭૭.
* ભગવાન સર્વજ્ઞના કેવળજ્ઞાનમાં ત્રણ કાળ ત્રણલોકના પર્યાયો પ્રત્યક્ષ જણાય છે. જેમ કેવળજ્ઞાનમાં ત્રણકાળના પર્યાયો જણાય છે તેમ જ પદાર્થોમાં ક્રમબદ્ધપર્યાયો થાય છે, કેવળજ્ઞાને જાણું માટે નહિ પણ પદાર્થોના પર્યાયો પોતાથી સ્વકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વજ્ઞ જાણે છે. આહાહા ! પરદ્રવ્યને કરવાની તો વાત નથી પણ પોતાના અશુદ્ધ ને શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થાય એટલે પોતામાં પણ પર્યાયને આડી-અવળી કરવાનું જ રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થ દ્રવ્ય ઉપર દષ્ટિ જતાં થાય છે. આહાહા! આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. ૭૮.
* પરમાણુમાં રંગગુણ ત્રિકાળી છે. તેની પર્યાય પહેલાં સમયે કાળી હોય તે બદલીને બીજા સમયે લાલ, સફેદ, પીળી થઈ જાય તેનું કારણ કોણ? જો રંગગુણ કારણ હોય તો રંગગુણ તો કાયમ છે છતાં પરિણમનમાં આમ વિચિત્રતા કેમ? ખરેખર તો તે સમયની પર્યાય પોતાના પકારકથી સ્વતંત્ર પરિણમી છે. તેમ દરેક દ્રવ્યની પર્યાય તે તે કાળે સ્વતંત્ર પરિણમે છે. આહાહા ! સ્વતંત્રતાની વાતો બહુ સૂક્ષ્મ છે. ૭૯.
* જેમ માળામાં મણકા જે સ્થાને છે તે સ્થાને જ છે, આગળ-પાછળ થઈ જાય તો માળા એકરૂપ અખંડ નથી રહેતી, તેમ જે સમયે જે જન્મક્ષણે જે ક્રમબદ્ધપર્યાય થવાની તે જ થવાની, બીજા સમયની પર્યાય પહેલાં થાય તે પહેલાં સમયની પર્યાય પછી થાય એમ છે જ નહીં. જે સમયે જે પયાર્ય થવાની છે તેને કાળલબ્ધિ કહેવામાં આવે છે. પ્રવચનસારમાં તેને જન્મક્ષણ કહે છે તથા પ્રવચનસારની ૯૯મી ગાથામાં પોતપોતાના અવસરે પર્યાય થાય છે એમ પાઠ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com