Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 176
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૧૫૬ ] * ભેદને અસત્યાર્થ જ કહેવો જોઈએ, શી રીતે? -કે અભેદની દૃષ્ટિમાં ભેદ દેખાય નહીં તેથી અસત્યાર્થ કહેવો જોઈએ. પરંતુ તેથી પર્યાય છે જ નહીં તેમ નથી. મોક્ષ અને મોક્ષમાર્ગ તો પર્યાય છે. નિત્ય એકરૂપ દ્રવ્યની દષ્ટિ કરતાં દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે દૃષ્ટિમાં ભેદ અવિધમાન હોવાથી જૂઠો છે. પરંતુ ભેદ નથી એમ ન સમજવું. ત્રિકાળીને અભેદ દષ્ટિથી દેખતાં તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે ભેદ ને પર્યાય જૂઠા છે. પરંતુ પર્યાય ને ભેદ છે જ નહીં એમ ન સમજવું. કેમ કે ત્રિકાળી તો ફૂટસ્થ છે, કાર્ય પર્યાયમાં છે, નિર્ણય કરનારી તો વર્તમાન પર્યાય છે. ૬૭૩. * આ આત્મા કેવો છે? -કે પરમાત્મસ્વરૂપ ભગવાન છે કે જે સમસ્ત જગતનો–સ્વ ને ૫૨નો પ્રકાશક છે, જાણનારો છે, જાણવાનો પુંજ છે. વસ્તુ એવી ચીજ જ છે કે જે ત્રણકાળ, ત્રણલોક, અનંત આત્મા ને અનંત પરમાણુઓ, અનંત સિદ્ધ ને અનંત નિગોદના જીવને જાણનારો છે, પ્રકાશક છે. અંદરમાં જે રાગ આવે છે-થાય છે તેનો પ્રકાશક છે. સમસ્ત વિશ્વનો પ્રકાશક છે. તેથી આત્મા વિશ્વસમય છે. બધા પદાર્થને-વિશ્વને પ્રકાશનારો વિશ્વસમય ભગવાન આત્મા છે. ૬૭૪ * જ્ઞેય તે હું છું એમ જ્ઞેય-જ્ઞાયકનો સંકર-ખીચડો બનાવ્યો છે. જ્ઞેય ને જ્ઞાયકની એકતાપણાની બુદ્ધિ, સંયોગબુદ્ધિ, સંકરબુદ્ધિ એ મિથ્યાત્વ છે. ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપ છે ને એ સિવાય દ્રવ્ય-ઇન્દ્રિય ભાવ-ઇન્દ્રિય અને ભગવાન ને ભગવાનની વાણી આદિ ઇન્દ્રિયવિષયો પરશેય છે. પોતાના જ્ઞાયક અણ-ઇન્દ્રિય સ્વભાવ સિવાયના ૫૨ને ઇન્દ્રિય કહેવામાં આવ્યા છે. બીજી રીતે ભગવાન આત્મા સિવાય પર સર્વે અજીવ છે. આ જ્ઞાયક જીવની અપેક્ષાએ તે અજીવ છે. આ જીવ નથી એ અપેક્ષાએ અજીવ છે. એ બેની એકતાના દોષનું નિરાકરણ કરીને ભગવાન આત્માની સન્મુખ થઈને તેમાં એકાગ્રતા કરવી એ તીર્થંકર કેવળીની નિશ્ચયસ્તુતિ છે. તીર્થંકર કેવળીની અર્થાત્ આત્માની નિશ્ચયસ્તુતિ છે. ૬૭૫. * શ્રોતાઃ- સમ્યગ્દર્શન માટે ખાસ પ્રકારની પાત્રતાનું લક્ષણ શું? પૂજ્ય ગુરુદેવઃ- એને પોતાના આત્માનું હિત કરવા માટે અંદરથી ખરી ધગશ હોય, આત્માને પામવાની તાલાવેલી હોય, દરકાર હોય, ખરેખરી દરકાર હોય તે કય ાંય અટકયા વિના પોતાનું કામ કરે જ. ૬૭૬. * ગ્રાહ્ય-ગ્રાહક સંબંધની નિકટતાને લીધે અજ્ઞાનીને પરજ્ઞેય સાથે એકતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267