________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર થાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો પર્યાય પર્યાયની લાયકાતના કારણે થાય છે. ૧૩૬.
* પરમાત્મદશા એ પણ દ્રવ્યમાં નથી, એનાથી રહિત છે. આહાહા ! દ્રવ્ય ઉપર લક્ષ ગયા વિના એને પ્રતીતિમાં જોર આવી શકતું નથી, જોર આવતું જ નથી. પર્યાયનું લક્ષ છોડીને હું તો આ જ વર્તમાનમાં છું-એમ દ્રવ્યમાં ભળી જાય છે ત્યારે જ પ્રતીતિમાં જોર આવી શકે છે. ૧૩૭.
* જ્ઞાયકસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે, જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વશની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે, એવા સ્વછંદી જીવની અહીં વાત નથી. જે જીવ ક્રમબદ્ધપર્યાયને યથાર્થરૂપથી સમજે છે તેને સ્વચ્છંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તુત્વ ઊછાળ શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. ૧૩૮.
* ક્રમબદ્ધપર્યાયથી ખરેખર જેને અકર્તાપણું ખ્યાલમાં આવ્યું હોય તે એટલે કે જે કરવાપણાના દુઃખથી થાકેલો છે તેને ક્રમબદ્ધ ખ્યાલમાં આવતાં પરના કરવાપણાથી ખસીને આત્મા તરફ આવે છે. જે સમયે જે પર્યાય થવાની તે જ થાય છે, તીર્થકરને પણ જે પર્યાય થવાની તે જ થાય છે, તેને આઘીપાછી કરી શકે નહિ એમ ક્રમબદ્ધ ખ્યાલમાં આવતાં જે કર્તાપણાની બુદ્ધિથી થાકેલો છે એ પરના કર્તાપણાના અભિમાનથી થાકીને આત્મા તરફ વળે છે તેને સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર થાકેલાને જ સમ્યગ્દર્શન થાય છે. એને એમ થાય છે કે મારે કાંઈ જોઈતું નથી એટલે હું કાંઈક કરું અને એનાથી મને બીજું કાંઈક મળે એવી સ્પૃહા નથી. ક્રમબદ્ધની દષ્ટિવાળાને દરેક દ્રવ્યની પર્યાય સ્વયં ક્રમબદ્ધ થાય છે એમ એને બેસી ગયું છે. ૧૩૯.
* દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે એટલે પરદ્રવ્યની પર્યાયને ફેરવવાનું તો રહ્યું નહિ, પરદ્રવ્યની પર્યાયને તો ફેરવી શકતો જ નથી પણ પોતાની પર્યાય જે ક્રમસર થવાની તે જ થાય છે તેથી તેને પણ ફેરવવાનું રહ્યું નહિ. જે પર્યાય ક્રમસર થાય તેનો જાણનાર જ છે. આહાહા ! આ વીતરાગતા છે. ભગવાન સર્વજ્ઞ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com