________________
પ્રસ્તાવના
ભાતવાદીઓનો મત અને તેનું ખંડન :
ભક્તિ એટલે શું? ભક્તિ શબ્દથી આલંકારિકોની લક્ષણા અને મીમાંસકોની ગૌણી નામની બે પ્રકારની શબ્દશક્તિ (વૃત્તિ, વ્યાપાર) સમજાય છે. અલંકારશાસ્ત્રના આચાર્યોએ લક્ષણાની ત્રણ શરતો રજુ કરી છે. (i) મુખ્યાર્થબાધ (વાચ્યાર્થ બંધબેસતો ન હોય) (ii) તદ્યોગ (સંબંધ) (i) રૂઢિ અથવા પ્રયોજન.' ભક્તિ શબ્દને, ચાર રીતે વ્યુત્પત્તિ કરી સમજાવવામાં આવ્યો છે. ગણી તથા લક્ષણાની ત્રણ શરતો એમ ચારેયનો અર્થ ભક્તિથી મળે છે. (i) મુહયાર્થ મ મ | મુખ્યાર્થબાધ. (i) મતે સેવ્યને પાર્વેન તિ સામીપ્યાતિધર્મ મ|િ લક્ષણાની બીજી શરત છે
તદ્યોગ, સામીપ્ય વગેરે સંબંધને આ નિર્વચન દ્વારા સમજવાનો છે. (iii) प्रतिपाद्ये शैत्यपावनत्वादौ श्रद्धातिशयो भक्तिः ।
આ સમજુતી કે જેમાં અતિશય શ્રદ્ધા' એવો અર્થ નિષ્પન્ન થાય છે તે દ્વારા લક્ષણાની ત્રીજી શરત ‘પ્રયોજન’નો અર્થ સૂચવાયો છે.
આ ત્રણ શરતો જો પૂરી થાય તો લક્ષણા વ્યાપાર (શક્તિ) જણાય છે અને તે દ્વારા આવતો અર્થ લક્ષ્યાર્થ કે ‘ભાક્ત” કહેવાય છે.
વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે જો સાદશ્ય સંબંધ હોય તો ગૌણી લક્ષણા કહેવાય છે. જેમકે ર્વાહિલ | જો મયYI જો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદશ્ય સિવાયનો (સાદયેતર) સંબંધ હોય (સામીપ્ય, સંયોગ, કારણ-કાર્ય વગેરે) તો તેને શુદ્ધ લક્ષણા કહેવાય છે. જેમકે જયા| ઘોષ, ગાયુષ્કૃતમ્ વગેરે.
મીમાંસકોએ લક્ષણાથી જુદો એક ગણી વ્યાપારને માન્યો છે, તેને લક્ષણાનો એક પ્રકાર કહ્યો નથી. ભક્તિ શબ્દથી તેમની ‘ગૌણી વૃત્તિ પણ સમજાય છે. ભક્તિ શબ્દની ચોથી વ્યુત્પત્તિ આમ અપાઈ છે. •
(iv) Tળામુદ્રાવૃત્તેિ શબ્દ અર્થમાર્તણ્યાદ્રિઃ (શૌર્યૌર્યાદ્રિ) પત્તિ | અને તેનાથી આવતો અર્થ ભાત છે. જેમકે સિદો માણવઃ | શૂરવીરતા, ક્રૂરતા વગેરે ગુણવાળા અમુક પ્રાણીના વાચક ગુણ સમુદાયવૃત્તિ સિંહ શબ્દથી તેના અર્થભાગ શૌર્યકર્યાદિનું ગ્રહણ ભક્તિ છે..
ભાતવાદીઓની માન્યતા-પૂર્વપક્ષ -તેઓ માને છે કે ધ્વનિ (વ્યંગ્યાર્થ), લક્ષ્યાર્થથી જુદો નથી. તે લક્ષણા વ્યાપાર દ્વારા લક્ષિત થઈ શકે છે. લોચનકાર સમજાવે છે તે મુજબ ધ્વનિનું લક્ષણાથી સ્વતંત્ર સ્થાન નકારતા વિરોધીઓ આ ત્રણ દલીલો કરી શકે. -- - - - ૧. મમ્માચાર્ય-કાવ્યપ્રકાશ-૨/૪ मुख्यार्थबाधे तद्योमे रूढितोऽथ प्रयोजनात्। अन्योऽर्थो लक्ष्यते यत्सा लक्षणारोपिता क्रिया ।