________________
૨૨૫
સેવામતિ નદિપેણ
નદીષેણે આ પ્રમાણે જીવનભર સેવાવ્રત ચાલુ રાખ્યું.
હવે છેવટને વખત આવે એટલે તેમણે બધા
ની ક્ષમા માગી. આ વખતે તેમને એક વિચાર આવી ગયેઃ મારાં જપતપનું ફળ હોય તે હું આવતા ભવે સ્ત્રીઓને ખૂબ પ્રિય થાઉં. તપનું ફળ ઘણું જ હોય છે. પણ તેનું ફળ માગી લેવાથી તે ઘટી જાય છે. એટલે તપ કરનારે તેનું ફળ માગવું ન જોઈએ. પણ નંદીષેણે તે માગ્યું અને ખરેખર બીજા ભવમાં તે વસુદેવજી થયા. તેમની પાછળ સ્ત્રીઓ ભૂલી ભમતી.
શ્રી કૃષ્ણ મહારાજના એ પિતાજી. એમની વાત તે રસની રેલમછેલ કરે તેવી છે પણ કઈ બીજા વખતે વાત!
ધન્ય છે સાચાભાવે સેવા કરનારને! ધન્ય છે સેવામૂર્તિ નંદીષેણને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com