________________
દશ શ્રાવકે
૨૬૩
પાણીનો ત્યાગ કર્યો તે ધર્મધ્યાનમાં જોડાયા. આ વખતે તેમના પવિત્ર જીવનથી તેમને અવધિજ્ઞાન થયું. અવધિજ્ઞાન એટલે ?
અવધિજ્ઞાન એટલે અહી બેઠા દૂર દેશના અમુક હદ [અવધિ] સુધીના પદ્યાર્થી જોઈ શકાય તે જ્ઞાન.
લોકેા બધા આનંદના આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા. એવામાં પ્રભુ મહાવીર પધાર્યા. ગણધર શ્રી ગાતમ તથા બીન્ન સાધુએ સાથે.
આનંદની હકીકત જાણી એટલે તેમની ધ શ્રદ્ધા વખાણી. તેમનું મનોબળ ખુબ વખાણ્યું ને બીજાને તેમના દાખલા લેવા કહ્યું. ત્યાર પછી તે વિહાર કરી ગયા. કુલ એક માસનું અણુશણુ કરીને આનંદ શ્રાવક દેવલાક સીધ:વ્યા. ત્રીજા ભવે તે મેાક્ષ જશે.
જેએ પ્રભુના ત્યાગ માગે ન જઈ શકે તેઓએ ઘેર રહીને પણ કેવુ' જીવન ગુજારવુ' જોઇએ તેના આ ઉત્તમ દાખલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com