________________
સવાધ્યાય
૨૮૧
હે નાથ! મારી ઇંદ્રિ પર કાબુ મેળવવાનું બળ આવે.
જેથી ગમે તેવા ટાઢતાપકે ખડબચડા સ્પર્શ સહન કરી શકું. મનગમતા સ્પર્શમાં લેભાઈ ન જાઉં; લુપુ સુકું ને રસવિનાનું ભોજન પણ પ્રસન્ન મનથી ખાઈ શકું. સ્વાદિષ્ટ ભોજન જોઇ લલચાઈ ન જાઉં, ગમે તેવી દુર્ગધ પણ સહન કરી શકું; સુગંધમાં લેભાઇન જાઉં; ગમે તેવા અપ્રિય દેખાવો પણ જોઈ શકું મનગમતાં રૂપમાં લેભાઈ ન જાઉં.
હે નાથ ! મને એવી સદબુદ્ધિ આવે જેથી હું જ્ઞાન ને
જ્ઞાનીની નિરંતર ભક્તિ કરી શકું. જ્ઞાન મેળવવા માટે ગમે તેવા કષ્ટ સહન કરી શકું જ્ઞાન આપનારને કદી ભૂલી ન જાઉં. શુદ્ધ ભાષા ને શુદ્ધ અર્થ શીખી શકું.
હે નાથ ! મને એવી સદ્દબુદ્ધિ મળે જેથી અહિંસા ને તપ
માં દઢ શ્રદ્ધા થાય; હિંસા ને ભોગવિલાસની ભાવના ન થાય, સારા કામનું ફળ મળ્યા વિના રહેતું નથી એવો વિશ્વાસ આવે, કોઈ પણ જાતની લાલચેથી મારૂં મન સત્ય ને ન્યાયના માર્ગથી ડગી ન જાય; તેમજ ધર્મીવર્ગની પ્રશંસા કરવાનું મન થાય, ધર્મમાર્ગથી પડતા હોય તેને અટકાવવાનું મન થાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com