Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
..[૧૩]. આ વ્યવસ્થા મોડી છે. તેથી આચાર્ય મલયગિરિએ અહીં પ્રસ્તુત પ્રજ્ઞાપનાના વિષયને જે રીતે સાતમાં વહેંચવા પ્રયત્ન કર્યો છે તે પ્રકારની વહેંચણી સ્વયં આર્ય શ્યામાચાર્યને અભિપ્રેત હતી તેમ માની શકાય નહિ, પણ પોતાના કાળમાં જે પરંપરા સ્થિર થઈ હતી તેની સાથે પ્રજ્ઞાપનાના નિરૂપણનો મેળ બેસાડવાનો પ્રયત્ન આચાર્ય મલયગિરિનો છે, તેમ માનવું જોઈએ. સ્વયં પ્રજ્ઞાપનામાં સરાગ દર્શનાર્યના નિરૂપણમાં નિસર્ગરુચિ જીવના લક્ષણમાં જે ગાથા (૧૨૦) આપી છે, તેમાં પણ સાત તત્વનો ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં લેવા જેવી વાત છે.
પદ વિભાગ અને નિરૂપણનો ક્રમ સૂત્રકાલીન સાહિત્યની એ વિશેષતા છે કે ગ્રંથના પ્રારંભમાં જ પ્રતિપાદ્ય વિષયોની સૂચિ આપી દેવામાં આવે છે, જેનું પારિભાષિક નામ ઉદ્દેશ છે. ન્યાયસૂત્ર આદિ ગ્રંથોમાં આ પદ્ધતિનું અનુસરણ જોવામાં આવે છે. પ્રજ્ઞાપનામાં પણ પ્રારંભમાં તેનો વિષયવિભાગ (સૂત્ર ૨) પ્રજ્ઞાપના આદિ ૩૬ પદોમાં ઉદ્દેશરૂપે નિર્દિષ્ટ છે. અને પછી તે ક્રમે ૩૬ પદ ગત એકેક વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. - સામાન્ય નિયમ એવો છે કે ઉદેશમાં જે ક્રમ નિર્દિષ્ટ હોય તેનું જ અનુસરણ નિરૂપણમાં કરવામાં આવે છે. આ ગ્રંથમાં ૩૬ પદોનું નિરૂપણ નિર્દિષ્ટ ક્રમે જ કરવામાં આવ્યું છે. પરંતુ વિષયનિરૂપણપ્રસંગે આ ગ્રંથ લક્ષણપ્રધાન નથી, પણ વિભાગપ્રધાન છે. એટલે કે વિષયનું નિરૂપણ પ્રથમ લક્ષણ કરીને કરવામાં આવ્યું નથી પણ વિભાગ બતાવવામાં આવ્યા છે અને પાછા તે તે વિભાગોના ઉપવિભાગો અને તેના પણ ઉપવિભાગો એમ માત્ર ભેદ-પ્રભેદોનું જ નિરૂપણ છે. ભેદોનો જે ક્રમે નિર્દેશ હોય છે, તે જ ક્રમે ઉપભેદોનું નિરૂપણ સામાન્ય રીતે થાય, પણ ગ્રંથકાર જયાં જે ઉપભેદનું નિરૂપણ સંક્ષિપ્ત હોય છે ત્યાં તે ઉપભેદનું નિરૂપણ પ્રથમ કરીને પછી વિસ્તૃત ભેટવાળા ઉપભેદનું નિરૂપણ કરે છે, જેમ કે સૂત્ર ૩ માં પ્રથમ આવપ્રજ્ઞાપના નિર્દિષ્ટ છે અને પછી અજીવપ્રજ્ઞાપના. પણ ચોથા સૂત્રમાં પ્રથમ અજીવ પ્રજ્ઞાપના કરીને પછી ચૌદમા સૂત્રથી જીવપ્રજ્ઞાપનાના પ્રભેદો નિર્દિષ્ટ છે. વળી, તે જ ન્યાયે કથા સૂત્રમાં રૂપીઅજીવપ્રજ્ઞાપના પછી અરૂપીઅજવપ્રજ્ઞાપના નિર્દિષ્ટ છે, છતાં પણ પાંચમા સૂત્રમાં પ્રથમ અરૂપીઅજીવપ્રજ્ઞાપનાનું વર્ણન કરીને પછી છઠ્ઠા સૂત્રમાં રૂપીઅછવપ્રજ્ઞાપના કરવામાં આવી છે. એ જ ન્યાયે જીવપ્રજ્ઞાપનાના સૂત્ર ૧૪ માં સંસારી અને અસંસારી એવા બે ભેદ કરી પ્રથમ સંક્ષેપને કારણે ૧૫ મા સૂત્રમાં અસંસારીનું વર્ણન કરી પછી સંસારી જીવોનું નિરૂપણ ૧૮ મા સૂત્રથી છે. આવા ક્રમભંગનું કારણ, આચાર્ય મલયગિરિએ જણાવ્યા પ્રમાણે, અલ્પવવ્ય વિષયનું નિરૂપણ પ્રથમ કરીને પછી બહુવક્તવ્ય વિષયને હાથમાં લેવામાં આવ્યો છે તે છે અને તે ઉચિત જણાય છે.
પરિભાષામાં કહેવું હોય તો કહી શકાય કે આ ગ્રંથમાં ઉદ્દેશ, નિર્દેશ અને વિભાગ છે પણ પરીક્ષા નથી. ન્યાયસૂત્ર જેવા દાર્શનિક ગ્રન્થોમાં ઉદ્દેશ, નિર્દેશ, વિભાગ ઉપરાંત પરીક્ષા હોય છે, પરંતુ આમાં પરીક્ષાનો અભાવ છે તે ધ્યાનમાં રાખવું જોઈએ.
ભગવતી અને પ્રજ્ઞાપના ભગવતી પાંચમું અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે છતાં વ્યવહારમાં તે ભગવતીને નામે વિશેષ પ્રચલિત છે.
- માણ્વી અપવવતવ્યત્વા યમર્નવાવનાં પ્રતિવિષયg: | વળી. જો પત્ર
૧૪. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૭
૮ અ પત્ર ૧૮ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org