Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૨]...
જીવવિભાજન દિશાઓમાં વિચારાયું છે અને પુન: સૂત્ર ૨૨૫ થી ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, લેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત્ત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંની, ભવ, અસ્તિકાય, ચરિમ, જીવ, ક્ષેત્ર, અંધ—આ બધી દૃષ્ટિથી પણ જીવના જે નાના પ્રકારે ભેદ પડે છે તેને લઈ ને અપબહુત્વનો વિચાર છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ત્રીજા પદ પછીનાં પદોમાં, અમુક અપવાદ સિવાય સર્વાંત્ર, નારકથી માંડી ૨૪ દંડકમાંર વિભાજિત જીવોને લઈ ને જ વિચારણા છે. અર્થાત્ ઉક્ત ગતિ આદિ અનેકને પ્રધાન માની વિવિધ પ્રકારે જીવને જે અનેક રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, તે વર્ગીકરણોનો સ્વીકાર કરીને વિચારણા નથી; તેવી વિચારણા તો બખંડાગમમાં છે. સારાંશ કે માત્ર ૨૪ દંડકને ક્રમે જીવોનું જે વિભાજન છે તે એક જ વિભાજનને સ્વીકારીને વિચારણા છે. તેથી ઉલટું, ષટ્ખંડાગમમાં તો જીવના ગતિને લઈ ને, ઇન્દ્રિયને લઈ ને, કાયને લઈ તે તે જ રીતે અન્ય યોગાદિને લઈ ને જે ખાર વિભાજનપ્રકારો છે, તે સૌ વિભાજનપ્રકારોમાં વિચારણા છે. એટલે નાના પ્રકારે તાળો મેળવવાનો પ્રયાસ છે. આમ આ વિચારણા પ્રજ્ઞાપનાથી સૂક્ષ્મ છે.
વિષયવિભાગ (a) સાત તત્ત્વમાં
આચાર્ય મલયગિરિ ગાથા ૨ની વ્યાખ્યા પ્રસંગે પ્રજ્ઞાપનાગત વિષયવિભાગનો સંબંધ જીવાજીવાદિ સાત તત્ત્વોના નિરૂપણુ સાથે નીચે પ્રમાણે જોડી આપે છે——
૧-૨ જીવ-અવ
૫૬ ૧, ૩, ૫,૧૦ અને ૧૩ = ૫ પદો ૫૬ ૧૬ અને ૨૨
૩ આસન
૪ અન્ય
૫૬ ૨૩
૫–૭ સંવર, નિર્જરા અને મોક્ષ
૫૪ ૩૬
= ૧ ,,
અને બાકીનાં પદોમાં કોઈક વાર કોઈ તત્ત્વનું નિરૂપણ થયેલ છે—રોલેવુ તુ સ્થાનાવિદેપુ कचित्कस्यचिदिति - प्रज्ञापनाटीका, पत्र ५ अ.
(b) દ્રાદિ ચાર્માં વિભાગ
જૈન સંમત બધાં તત્ત્વોનો સમાવેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આ ચારમાં પણ થાય છે, તેથી તે ચાર વિષયોનું નિરૂપણ પ્રજ્ઞાપનામાં ક્યાં થયું છે તે પણ આચાર્ય મલયગિરિએ જણાવ્યું છે—
દ્રવ્યનું
ક્ષેત્રનું
કાલનું
ભાવનું
Jain Education International
પ્રથમ પદમાં
ખીજા ૫૬માં
ચોથા પદમાં
શેષ પદોમાં
આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ—આમ ચાર ભેદમાં જણાય છે. ભગવતીમાં અનેક વિષયોમાં તે જોવામાં આવે
=૨ 33
= ૧ પદ
—પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૫ મ વિષ્યનિરૂપણ કરવાની પદ્ધતિ જૂની છે.? પરંતુ તત્ત્વ સાત પ્રકારનું છે,
૧૧. આ અપવાદ માટે જુઓ પદ ૧૩, ૧૮ અને ૨૧.
૧૨. વોનૅ ૨૪ દંડકમાં વિભક્ત કરવાનું મૂળ પણ ખરી રીતે તા ગતિનો જ વિસ્તાર છે, પણ તેમાં ગતિને ભૌગોલિક દ્રષ્ટિએ નીચેથી ઉપર એમ ગોઠવી છે,
૧૩. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ૦ ૫૦-૫૧,
For Private & Personal Use Only
www.jainelibrary.org