Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001996/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લોગરસસૂત્ર રવાધ્યાય XIXIXIXIXIXIXIXIXIS XIXIXIXIXIXIXIXIX જાતકમ : પ્રકાશક : કૂતરત્નાકર '૧૦૪, સારપ બિલ્ડીંગ, નવજીવન પ્રેસ સામે, આશ્રમરોડ, અમદાવાદ-૧૪. Page #2 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય લોગસ્સસૂત્ર અંગે પ્રાપ્ત થતા પ્રાચીન ગ્રંથો તથા વૃત્તિઓને અનુસરતું સર્વતોમુખી વિવરણ (પ્રશ્નોત્તરો, પ્રકીર્ણ વિચારો, ઉપધાન અંગે આવશ્યક માહિતી, સ્તોત્રો, યન્ત્રો, પરિશિષ્ટો, કલ્પ, ફલાફલવિષયક પ્રશ્નપત્ર (કુનાવલિ) આદિ સહિત) ♦ સંશોધક : આચાર્ય શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મુનિવર્ય શ્રી તત્ત્વાનંદવિજયજી મ. લેખક છે શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી બી.એ. • પ્રસ્તુત સંસ્કરણના પ્રેરક ૦ પૂ.પં.શ્રી વજ્રસેનવિજયજી મ.સા. પ્રકાશક હ શ્રુતરત્નાકર ૧૦૪, સારપ બિલ્ડીંગ, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૧૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય પ્રકાશક : શ્રુતરત્નાકર ૧૦૪, સાર૫, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૧૪. પ્રથમ આવૃત્તિ, ૧૯૮૩ સંવર્ધિત આવૃત્તિ-૨૦૦૭ પ્રત : ૫૦૦ કિંમત રૂ. ૧૨૫/ ગ્રંથ આયોજન શારદાબેન ચીમનભાઈ એજયુકેશનલ રિસર્ચ સેન્ટર Page #4 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. આ. શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મ.ની સ્મૃતિમાં આર્થિક સહયોગ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ નાનીબજા૨, મહાલક્ષ્મી મંદિર પાસે, ધ્રાંગધ્રા Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય બીજી-આવૃત્તિનું લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ગ્રંથ પ્રકાશિત કરતા અમે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથ સને ૧૯૬૫માં જૈનસાહિત્યવિકાસમંડળ મુંબઈથી પ્રકાશિત થયો હતો, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ ઉપયોગી ગ્રંથ અપ્રાપ્ય હતો. અનેક જિજ્ઞાસુઓ અવારનવાર આ ગ્રંથની પૃચ્છા કરતા હતા. આ ગ્રંથમાં જૈનધર્મના અત્યંત મહત્ત્વપૂર્ણ એવા લોગસ્સસૂત્રની ગંભીરતા પૂર્વક સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આગમગ્રંથોમાં અંગપ્રવિષ્ટ પછી અંગબાહ્યસૂત્ર ગ્રંથોમાં આવસ્મયનો ક્રમ મૂળસૂત્રમાં પ્રથમ ક્રમે આવે છે. આ લોગસ્સસૂત્ર આવસ્મયના (આવશ્યકના) બીજા ક્રમે આવતા ચોવીસસ્થય તરીકે સુપ્રસિદ્ધ છે. આ અર્થગંભીર સૂત્ર ઉપર સમયે સમયે અનેક શાસ્ત્રકારોએ ચિંતન કર્યું છે તે તમામનો યથાસંભવ સંગ્રહ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ લોગસ્સસૂત્રમાં વર્તમાન ચોવીશીના ઋષભઆદિ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનો નામોલ્લેખ અને તેમને વંદન કરવામાં આવેલ છે. ઉપરાંત અન્ય તીર્થકરોના ગુણગાન અને આત્મકલ્યાણ માટે યાચના કરવામાં આવી છે. આ સૂત્રના પ્રસ્તુત વ્યાખ્યાગ્રંથને તૈયાર કરવા ૩૮ જેટલા મહત્ત્વપૂર્ણ ગ્રંથોનો આધાર લઈ મૂળપાઠ, સંસ્કૃતછાયા, વિવરણ, પ્રશ્નોત્તર, અર્થસંકલના, ટિપ્પણ, પ્રકીર્ણક, તપ-ઉપધાન, લોગસ્સસૂરાની દેહરચના, પંચષયિંત્રગર્ભિત ચતુર્વિશતિ જિન સ્તોત્રો, યંત્રો, પરિશિષ્ટો તથા ચિત્રોથી સભર આ ગ્રંથ પ્રત્યેક જિજ્ઞાસુને અત્યંત ઉપયોગી થાય તેવો ગ્રંથ છે. કોઈ પણ સાધકને સાધના કરવામાં માર્ગદર્શક થઈ શકે તેવો આ ગ્રંથ છે. જૈનસાહિત્યવિકાસમંડળના તત્કાલીન પ્રમુખ સુશ્રાવક શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીએ બે વર્ષના અવિરત અભ્યાસ અને સઘન પ્રયાસથી આ ગ્રંથ તૈયાર કર્યો હતો તથા પૂ. આચાર્ય શ્રીવિક્રમસૂરિજી મ.સા., પૂ. પંન્યાસજી શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્ય, મુનિવર શ્રીતત્ત્વાનંદવિજયજી મ.સા. તથા પૂ. આ. શ્રીરામચંદ્રસૂરિજી મ.સા. આદિ સુવિહિત ગીતાર્થ Page #7 -------------------------------------------------------------------------- ________________ આચાર્યભગવંતો આદિ પૂજય મુનિવરોથી સંશુદ્ધ થયેલો આ ગ્રંથ અત્યંત ઉપાદેય બન્યો છે. આ ગ્રંથનો ઉપોદ્ધાત પં. શ્રીહીરાલાલ રસિકદાસ કાપડિયાએ ખૂબ જ અભ્યાસ કરીને લખ્યો છે. તેમજ ઘણી જ ઉપયોગી અને અલ્પજ્ઞાત માહિતી આપી લોગસ્સસૂત્રના રહસ્યને સ્પષ્ટ ક્ય છે તથા પ્રસ્તુત ગ્રંથની વિશિષ્ટતા રજૂ કરી છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે આ ગ્રંથ છેલ્લા કેટલાંય વર્ષોથી અપ્રાપ્ય હતો તેથી તેનું પ્રકાશન કરવા માટેની વિચારણા થઈ રહી હતી ત્યારે સૌજન્યમૂર્તિ શ્રી ચંદ્રકાન્તભાઈ દોશીએ અમારી સંસ્થાને આ ગ્રંથ પ્રકાશિત કરવાની સંમતિ આપી હતી. પૂ. પં. શ્રીવજસેનવિજયજી મ.સા. એ આ ગ્રંથ સુંદર રીતે અને યથાશીધ્ર પ્રકાશિત થાય તે માટે અમને શુભ આશીર્વાદ આપ્યા અને આર્થિક સહાયતા માટે પ્રાંગધ્રાના શ્રીજૈનસંઘને પ્રેરણા આપી જેથી આ ગ્રંથ આજે પ્રકાશિત થઈ રહ્યો છે. આ માટે અમે પૂ. પંન્યાસ શ્રીવજસેનવિજયજી મ.સા.ના અત્યંત ઋણી છીએ. ગ્રંથમાં ભૂલો ન રહી જાય તથા પૂર્વપ્રકાશિત ગ્રંથમાં રહેલી ભૂલો પણ દૂર થાય તે માટે યથાયોગ્ય કાળજી લેવામાં આવી છે. પ્રસંશોધન કાર્યમાં સાધ્વી મહોદયા શ્રીચંદનબાલાશ્રીજીનો અમને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. અશક્ત અને નાદુરસ્ત તબીયત હોવા છતાં શ્રુતભક્તિના પ્રસ્તુત કાર્યમાં અપ્રમત્તભાવે આપેલી સેવા ચિરસ્મરણીય બની રહેશે. તેમણે પણ આવા ઉત્તમગ્રંથના કાર્યમાં શ્રુતભક્તિનો લાભ મળ્યો તે બદલ ધન્યતા અનુભવેલ છે. ગ્રંથના પ્રકાશન કાર્યમાં સંસ્થાના શ્રીઅખિલેશ મિશ્રાજી, મનીષાબેન, રિદ્ધીશભાઈ, ગૌતમભાઈ, આનંદભાઈનું યોગદાન પ્રાપ્ત થયેલ છે તેમનો અમે આભાર માનીએ છીએ. જિતેન્દ્ર બી. શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ-આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન ઉભય સમય કરવામાં આવતા પડાવશ્યક પૈકી બીજું આવશ્યક શ્રીચતુર્વિશતિસ્તવ જૈન સમાજમાં ‘લોગસ્સસૂત્ર'ના નામથી પ્રસિદ્ધ છે. પ્રસ્તુત લોગસ્સસૂત્રનો પડાવશ્યકની ક્રિયામાં (પ્રતિક્રમણમાં) તો ઉપયોગ થાય જ છે, પરંતુ તે ઉપરાંત દેવવંદન, પૌષધ, સામાયિક, કાયોત્સર્ગ વગેરે અનેક ક્રિયાઓમાં પણ તેનો ઉપયોગ આવશ્યક મનાયો છે. લોગસ્સસૂત્ર એ કોઈ સામાન્ય સૂત્ર નથી પણ અતિ અર્થગંભીર સૂત્ર છે. તેને જો શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાનથી સુજ્ઞાત કરવામાં આવે તો તે સમ્યક્તની વિશુદ્ધિ કરવામાં મહત્ત્વનું કારણ જરૂર બને. તેથી જ કહ્યું છે કે :– "चउवीसत्थएणं भंते जीवे किं जणयइ ? चउवीसत्थएणं दंसणविसोहि जणयई" હે ભગવંત ! ચતુર્વિશતિ સ્તવથી જીવ શું પ્રાપ્ત કરે ? ઉત્તરમાં ભગવંત જણાવે છે કે હે શિષ્ય ! ચતુર્વિશતિ સ્તવથી જીવ દર્શનવિશુદ્ધિના લાભને પ્રાપ્ત કરે છે. અહીં દર્શન શબ્દથી સમ્યક્ત ગ્રહણ કરવાનું છે. આવું મહત્ત્વનું લોગસ્સસૂત્ર ગૂઢ રહસ્યોથી ભરપૂર છે. પૂર્વાચાર્યોએ તથા પ્રાચીન મુનિવરોએ આની અર્થગંભીરતાને લક્ષ્યમાં લઈ તેનું વિશદ વિવેચન પોતાના ગ્રંથોમાં કરેલ છે. આજથી લગભગ બે વર્ષો પૂર્વેની કોઈ સુભગ પળે જૈનસાહિત્યવિકાસમંડળના પ્રમુખ શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીના મનમાં એવો વિચાર ઉદ્ભવ્યો કે લોગસ્સસૂત્ર અંગે જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ થાય તેનો સંચય કરી વિધવિધ પાસાઓથી તેનું અધ્યયન થઈ શકે તેવી રીતે એક સંગ્રહાત્મક ગ્રંથ તૈયાર કરવો. તેથી આ વિષયના અભ્યાસક્કુક ભવ્યાત્માઓને તે ઘણો જ ઉપકારક નીવડે. તેઓશ્રીની આ ઇચ્છાને ફળીભૂત કરવા માટે પ્રસ્તુત ગ્રંથનું લેખન શરૂ કરવાનું વિચારાયું અને તે માટે નીચે જણાવેલ પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય થયો. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧. મૂળપાઠ : આ અંગે પ્રાપ્ત થતા સઘળા પાઠાંતરો પાદનોંધમાં ટાંકી પ્રચલિત પાઠને મુખ્યતા આપવી. ૨. સંત છાયા : પ્રાચીન ટીકાકારોએ જે રીતે મૂળ સૂત્રની સંસ્કૃત છાયા કરી છે તે સંત છાયા અહીં આપવી. ૩. વિવરણ : લોગસ્સસૂત્રના એકેક પદનો પ્રાચીન ગ્રંથકારોએ જે અર્થ કર્યો છે તે તે અર્થ ટાંકી સવિસ્તર વિવરણ કરવું અને પાદનોંધમાં તે તે અર્થોને જણાવતા પાઠો તથા તેના આધારસ્થાની વિગત સાથે મૂકવા. ૪. પ્રશ્નોત્તર : લોગસ્સસૂત્ર અંગે ઊઠતા પ્રશ્નો અને તેના શાસ્ત્રીય ઉત્તરોનો પ્રમાણભૂત પાઠો સાથેનો “પ્રશ્નોત્તર' નામનો એક વિભાગ કરવો. ૫. અર્થસંકલના : લોગસ્સસૂત્રની એકેક ગાથાનો નિર્ણત થયેલ સમુદાયાર્થ દર્શાવતો “અર્થસંકલના નામનો વિભાગ કરવો. ૬. ટિપ્પણ : લોગસ્સસૂત્રના તે તે પદોના અર્થના સ્પષ્ટીકરણમાં ઉપયોગી માહિતીઓ જયાંથી પ્રાપ્ત થાય ત્યાંથી લઈ ‘ટિપ્પણ' વિભાગમાં ઉદ્ધત કરવી. ૭. પ્રકીર્ણ : લોગસ્સસૂત્રનાં પર્યાયવાચક પ્રાકૃત-સંસ્કૃત નામો, લોગસ્સસૂત્રનું આવશ્યક આદિ ક્રિયામાં સ્મરણ કરવાના સ્થળો, આવશ્યક ક્રિયામાં લોગસ્સસૂત્રના સ્મરણાદિનું નિયતપણું, લોગસ્સસૂત્રનાં પદો સંપદા તથા અક્ષરો, અન્ય તુલનાત્મક દ્રષ્ટિકોણથી તેની વિચારણા, લોગસ્સસૂત્રનો નામોલ્લેખ કયા કયા આગમો તેમજ પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે–વગેરે સમસ્ત ઝીણવટભરી વિગતોને આવરી લેતો “પ્રકીર્ણક' નામનો એક વિભાગ રાખવો. ૮. તપ-ઉપધાન : લોગસ્સસૂત્રના અધ્યયનની અનુજ્ઞા માટે વિનયોપધાનની વિધિનું વિશદતાપૂર્વક આગમ પાઠ સાથે વિવેચન આમાં ટાંકવું. ૯. લોગસ્સસૂત્રની દેહરચનાઃ લોગસ્સસૂત્રમાં ગૂંથવામાં આવેલા વિવિધ છંદો, માત્રામેળ તથા અક્ષર મેળની વ્યવસ્થા, ગાથા બોલવાનો પ્રકાર, લોગસ્સની પ્રત્યેક ગાથાના અંશો, ચતુષ્કલો, ગણ વગેરે સર્વ વિગતને આવરી લેતી ઉત્થાપનિકા આદિ સર્વ હકીકત આ વિભાગમાં નોંધવી. ૧૦. પંચષદ્ધિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા યંત્રો : અત્યાર સુધી બે કે ત્રણ જ પંચષષ્ઠિ યંત્રો કે સ્તોત્રો ઉપલબ્ધ થતાં હતાં તેને સ્થાને જેટલાં પંચષષ્ઠિ સ્તોત્રો તથા યંત્રો જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાંથી મેળવી આ વિભાગમાં મૂકવાં, પંચષષ્ઠિ યંત્રનો મહાસર્વતોભદ્ર પ્રકાર દર્શાવવો, મહાસર્વતોભદ્ર પ્રકારાનુસાર પંચષષ્ઠિ યંત્રની ૭૨ પ્રકારે થતી રચના ચિત્રો દ્વારા દર્શાવવી તથા પંચષષ્ઠિ યંત્રના પૂજનની પ્રાચીન મુનિવરોએ દર્શાવેલ વિધિ વગેરે સર્વ હકીકત આ વિભાગમાં મૂકવી. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧. પરિશિષ્ટ : લોગસ્સસૂત્ર સાથે સંબંધ ધરાવતી અવશિષ્ટ સર્વ વિગતો આમાં મૂકવી. જેવી કે - ચોવીસ તીર્થંકર ભગવંતોના માતા-પિતા, જન્મસ્થળ, લાંછન, શરીર પ્રમાણે, વર્ણ, આયુષ્ય વગેરે દર્શાવવું, શ્વેતાંબર મૂર્તિપૂજક સિવાયના જૈનસંપ્રદાયો લોગસ્સસૂત્રનો કેવા સ્વરૂપમાં સ્વીકાર કરે છે તે, લોગસ્સસૂત્રનો મંત્રદૃષ્ટિએ વિગતપૂર્ણ વિચાર કરવામાં ઉપયોગી લોગસ્સકલ્પ ટાંકવો, તથા ચોવીસ શ્રીતીર્થકરભગવંતોના નામ સાથે સંબંધ ધરાવતી શકુનાવલિ વગેરે નાની મોટી સર્વ બાબતોનો આ વિભાગમાં સમાવેશ કરવો. આ રીતે ૧૧ વિભાગમાં લોગસ્સના લખાણને વહેંચી નાખવું. આ તો થઈ લખાણની વાત. આ સિવાય પ્રકાશનને ચિત્રોથી અલંકૃત કરવું, જેથી વાચકોને માટે તે આકર્ષક અને બોધદાયક થાય. આ બધા નિર્ણયો કર્યા બાદ જરૂરી ગ્રન્થોનું અધ્યયન કરવામાં આવ્યું અને ત્યાર બાદ ગ્રંથનું નિર્મીત પદ્ધતિ અનુસાર લેખન કાર્ય શરૂ થયું. પૂરાં બે વર્ષ આ કાર્ય પાછળ વ્યતીત થયાં. બાદ તે સમગ્ર લખાણને કંઈ પણ શાસ્ત્રવિરુદ્ધ તેમાં ન આવી જાય તે માટે સર્વ પ્રથમ પરમપૂજ્ય મુનિરાજ શ્રીવિક્રમવિજયજી મહારાજ (હાલ આચાર્ય શ્રીવિજયવિક્રમસૂરીશ્વરજી) સમક્ષ મૂકવામાં આવ્યું. તેમણે પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી આ લખાણને સાદ્યન્ત તપાસ્યું અને જ્યાં જયાં ક્ષતિઓ હતી તે તરફ અંગુલિનિર્દેશ કરતાં અમે તેને અમારા લખાણમાંથી દૂર કરી. ત્યાર બાદ પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર (આચાર્યદેવ શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન) તથા પરમપૂજય મુનિરાજ શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ સમક્ષ આ લખાણ સાદ્યત્ત રજૂ કર્યું. તેઓશ્રીએ પણ સમગ્ર ગ્રંથનું વાંચન અને અધ્યયન કર્યું અને ગ્રંથને અતી સુગમ તથા તર્કશુદ્ધ ભાષામય કરી દીધો. તેમણે પણ કેટલાંક જરૂરી પરિવર્તનો કરાવ્યાં તથા પસીયંત અને હિંદુ પદની વ્યાખ્યા સવિસ્તર અને વિશદ સ્વરૂપે દર્શાવી. બાદ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સમક્ષ આ ગ્રંથ મૂકવામાં આવતા તેઓશ્રીએ પણ પોતાના બહુમૂલ્ય સમયનો ભોગ આપી આ ગ્રંથનાં કેટલાંક પ્રકરણો વાંચ્યા અને આવશ્યક સૂચનો કર્યા. આમ સુવિહિતગીતાર્થ આચાર્યભગવંત આદિ પૂજય મુનિવરોથી સંશુદ્ધ થયેલો આ ગ્રંથ મુદ્રણાલયમાં જવા યોગ્ય બન્યો. આ ગ્રંથ મુદ્રણાલયમાં ગયા પછી પણ શ્રેસિ વહુવિખાઈન એ ન્યાયે અનેક વિઘ્નો આવતાં જ ગયાં, પરંતુ ઇષ્ટદેવની કૃપાથી એ સઘળાં વિઘ્નો વટાવીને આ ગ્રંથ આજે વાચકોના કરકમલમાં મૂકવા અમે ભાગ્યશાળી બન્યા છીએ. આ ગ્રંથને સર્વાગ શુદ્ધ બનાવવામાં સક્રિય પ્રયત્ન કરનાર પરમોપકારી પરમપૂજ્ય ઉપર્યુક્ત આચાર્યદેવ આદિ સર્વે પૂજ્ય મુનિવરોના અમે અત્યંત ઉપકૃત છીએ. તેઓશ્રીનો આ રીતનો સક્રિય સહકાર ન હોત તો આ ગ્રંથ આટલો સર્વાગ શુદ્ધ તથા આદરણીય બન્યો ન હોત. આ ગ્રંથના મુદ્રણને શક્ય તેટલું શુદ્ધ બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપનાર તથા યોગ્ય સૂચનો કરનાર શ્રીયુત નવીનચન્દ્ર અંબાલાલ શાહ એમ. એ.નો હું હૃદયપૂર્વક આભાર માનું છું. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તદુપરાંત પ્રસ્તુત પુસ્તકના મુદ્રણ કાર્યને શીઘ્રતાથી પૂરું કરનાર શ્રી ધૈર્યકુમાર સી. શાહનો હું આભારી છું. આ ગ્રંથના લેખન તથા પ્રકાશનમાં મતિવિપર્યાસથી તથા અન્ય કોઈ કારણથી શાસ્ત્ર વિરુદ્ધ લખાણ થવા પામ્યું હોય તેની હું ક્ષમા માગું છું અને જે કંઈ મુદ્રણની અશુદ્ધિઓ રહી ગઈ હોય તેને સુધારીને વાંચવા વિનંતી કરું છું. કાર્તિક સુદ ૫ શુક્રવાર, વિ. સં. ૨૦૨૨ લિ. તા. ૨૯-૧૦-૬૫ સુબોધચન્દ્ર નાનાલાલ શાહ ઈરલા, વીલેપારલે, મુંબઈ-પદ (A.s.) મંત્રી, જૈનસાહિત્યવિકાસમંડળ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત ૧. જ્ઞાનનાં વર્ગીકરણો : જૈનદર્શન પ્રમાણે ‘જ્ઞાન' એ આત્માના અનેક મૌલિક અને સ્થાયી ગુણો પૈકી એક છે, એને લઈને તો સૂક્ષ્મ નિગોદના જીવો પણ જ્ઞાનથી સર્વથા રહિત નથી તેઓમાં નહિ જેવું પણ જ્ઞાન છે જ. સંસારી મટીને સિદ્ધ થયેલી વ્યક્તિ આત્માની ઉચ્ચતમ દશામાં સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. જ્ઞાનના વિવિધ દૃષ્ટિબિંદુ અનુસાર જાતજાતના પ્રકારો પડાય છે. જેમ કે સકલ યાને સંપૂર્ણ અને વિકલ યાને અપૂર્ણ. કેવળજ્ઞાન કિંવા સર્વજ્ઞતા એ ‘સકલ’ જ્ઞાન છે જ્યારે છદ્મસ્થનું જ્ઞાન ‘વિકલ’ છે. વિકલ જ્ઞાનના તરતમતાની અપેક્ષાએ અગણિત ઉપપ્રકારો છે. સકલજ્ઞાન તો એક જ પ્રકારનું છે. જ્ઞાનના યથાર્થ અને અયથાર્થ એમ પણ બે પ્રકારો પડે છે. સમ્યગ્દર્શનપૂર્વકનું જ્ઞાન તે ‘યથાર્થ’ છે સમ્યજ્ઞાન છે, જ્યારે સમ્યક્ત્વ વિનાનું-મિથ્યાત્વથી લિપ્તજ્ઞાન તે અયથાર્થ છે - મિથ્યાજ્ઞાન છે અજ્ઞાન છે. આ વર્ગીકરણ અધ્યાત્મશાસ્ત્રની અપેક્ષાએ સમજવાનું છે. - – જ્ઞાનનાં સાધનો વિચારતાં એના બે પ્રકાર સૂચવાય છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. આત્માનું ઇન્દ્રિયો અને મનની મદદ વિનાનું જ્ઞાન તે ‘પ્રત્યક્ષ' છે. એમાં આત્મા જ આત્માનું સાધન છે, જ્યારે એ સિવાયનું જ્ઞાન કે જેની પ્રાપ્તિમાં ઇન્દ્રિયો અને મનની સહાય લેવાય છે તે ‘પરોક્ષ’ છે પ્રત્યક્ષજ્ઞાનના અધિ, મનઃપર્યાય કિંવા મન:પર્યવ અને કેવલ એમ ત્રણ ભેદ છે, જ્યારે પરોક્ષ જ્ઞાનના મતિ અને શ્રુત એમ બે ભેદ છે. ૨. શ્રુતજ્ઞાનના ભેદો અને ઉપભેદો : શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે, એના વિષયો મતિજ્ઞાનની જેમ કેવળ વર્તમાન નથી, એ તો અતીત અને અનાગત વિષયોમાં પણ પ્રવૃત્ત થાય છે, એમાં શબ્દોલ્લેખ છે, જ્યારે મતિજ્ઞાનમાં એ નથી. શ્રુતજ્ઞાન એટલું બધું પરિપક્વ હોય છે ૧. શબ્દોલ્લેખ એટલે વ્યવહાર કાળમાં શબ્દની શક્તિના ગ્રહણથી ઉત્પન્ન થવું તે. શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે જેવી રીતે નિમ્નલિખિત બે બાબતની અપેક્ષા રહેલી છે તેવી મતિજ્ઞાન માટે નથી. સંકેતનું સ્મરણ અને શ્રુતગ્રંથનું અનુસરણ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કે એ ભાષામાં ઉતારી શકાય છે, જ્યારે મતિજ્ઞાનમાં એવું પરિપક્વ નહિ હોવાથી એને ભાષામાં ઉતારાય તેમ નથી. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાન રૂપ દૂધની બનેલી ખીર છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી કેવળજ્ઞાન સિવાયનાં ચાર જ્ઞાન ઉદ્ભવે છે, જ્યારે આ કર્મના આત્મત્તિક ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટે છે. ૩. આવરસયના છ વિભાગો ઃ આવસય નામના મૂલસુત્ત (મૂલસૂત્રોના છ વિભાગો ગણાવાય છે. (૧) સામાડય (સામાયિક), (૨) ચઉવીસત્યય (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદણય (વંદનક), (૪) પડિક્કમણ (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) અને (૬) પચ્ચખાણ (પ્રત્યાખ્યાન). આ સમગ્ર નિરૂપણ નીચે મુજબ દર્શાવી શકાય – જ્ઞાન મતિ શ્રુત (સુય) અવધિ મન:પર્યવ કેવલ અંગપવિક્ર (અંગપ્રવિષ્ટ) અંગપવિટ્ટ અનંગપવિઠ્ઠ (અનંગપ્રવિષ્ટ) અનંગપવિટ્ટ આવસ્મય (આવશ્યક) આવસ્યયવઈરિત્ત (આવશ્યકવ્યતિરિક્ત) સામાડય ચઉવીસત્યય વંદણય પડિક્કમણ કાઉસ્સગ પચ્ચખાણ આ ઉપરથી જોઈ શકાશે કે “ચકવીસત્યય' એ અંગ બાહ્યના એક પ્રકારરૂપ અવસ્મયનો એક પ્રકાર છે. ૪. આવસય તરીકે એ છના સમુદાયનો નિર્દેશ: અહીં એ ઉમેરીશ કે આવસ્મયના છ વિભાગ તરીકે એ વિભાગોનાં પાઈય (પ્રાકૃત) નામો અણુઓગદાર (સુત્ત પ૯)માં જોવાય છે.' અહીં આ પ્રત્યેક વિભાગને “અઝયણ' (અધ્યયન) કહેલ છે. ૨ ૧. નંદી (સુર ૪૪)માં પણ આ હકીકત છે. ૨. બાવીરૂં છો, fઉલ્યો afો સમારેvi | एत्तो एक्केकं पुण अज्झयणं कित्तइस्सामि ॥" –સુત્ત ૫૯ ગત ગાથા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૫. આવસયના છ વિભાગોનો એકેક સ્વતંત્ર ગ્રંથ તરીકે ઉલ્લેખ : ઉપર્યુક્ત છ વિભાગોનાં સંસ્કૃત નામો વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ રચેલા તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ. ૧, સૂ. ૨૦)ના સ્વોપન્ન ભાષ્ય (પૃ. ૯૦)માં અંગબાહ્યના અનેક પ્રકારો સૂચવતી વેળા દર્શાવ્યાં છે. અહીં વંદનક ને બદલે વંદનનો ઉલ્લેખ છે. આ સંસ્કૃત નામોની રજૂઆત એવી રીતે કરાઈ છે કે જાણે છ વિભાગો ભિન્ન ભિન્ન સ્વતંત્ર ગ્રંથો હોય. અહીં એ છના સમુદાય તરીકે આવશ્યકનો ઉલ્લેખ નથી. સિદ્ધસેનગણિએ તત્ત્વાર્થસૂત્રની ભાષ્યાનુસારિણી ટીકા (પૃ. ૯૦)માં સામાયિકથી માંડીને પ્રત્યાખ્યાનનો એક અધ્યયન તરીકે નિર્દેશ કર્યો છે. એમણે પણ આ છને આવશ્યકના વિભાગો હોવાનું કહ્યું નથી. આવસયની નિજ્જુત્તિ (ગા. ૮૪)માં આવસયનો ઉલ્લેખ છે, તેમ જ એ નિજ્જુત્તિમાં ઉપર્યુક્ત સામાઇય વગેરે છ યે વિભાગોની નિજ્જુત્તિ છે. આ વિચારતાં યેના સમુદાયને ‘આવસય' (આવશ્યક) નામ આ નિજ્જુત્તિના રચના સમયે તો અપાઈ જ ગયું હતું. ૬. આગમોમાં આવસયનું દ્વવિધ સ્થાન : જૈન આગમોને (૧) અંગ, (૨) ઉપાંગ, (૩) છેદ, (૪) મૂલ, (૫) પ્રકીર્ણક અને (૬) ચૂલિકા એમ છ વર્ગમાં વિભક્ત કરાય છે. મૂલ એ મૂલસૂત્રનું સંક્ષિપ્તરૂપ છે. મંદિરમાર્ગી શ્વેતાંબરો મૂલસૂત્રો બે રીતે નીચે મુજબ ગણાવે છે :(અ) (૧) આવય (આવશ્યક), (૨) ઉત્તરજઝયણ (ઉત્તરાધ્યયન), (૩) દસવૈયાલિય (દશવૈકાલિક) અને (૪) પિંડનિ′ત્તિ (પિડનિર્યુક્તિ) (આ) (૧) આવસય, (૨) ઉત્તરયણ, (૩) દસવેયાલિય અને (૪) ઓહનિજ્જુત્તિ (ઓધનિયુક્તિ) આ બન્ને ગણનામાં આવસ્સયને તો સ્થાન છે જ. એ મૂલ સૂત્રો પૈકી એક છે. એની રચના સૌથી પ્રથમ કરાયેલી છે એમ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનો સપ્રતિક્રમણ ધર્મ’ વિચારતાં ભાસે છે. ઉત્તરજ્કયણ એના પછી રચાયું છે. ત્યાર બાદ શય્યભવસૂરિએ વીર સંવત્ ૭૨માં દસવેયાલિય રચ્યું છે. વીર સંવત્ ૧૭૦માં સ્વર્ગે સંચરેલા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ પિંડનિજ્જુત્તિ અને ઓહનિત્તિ રચ્યાનું મનાય છે. આમ ચઉવીસત્થય એ ‘મૂલસૂત્ર’ તરીકે આદ્યસ્થાન ભોગવનારા આવસયનો એક અંશ છે. અંગપ્રવિષ્ટ શ્રુતથી આયાર (આચાર)થી માંડીને દિઢિવાય (દૃષ્ટિવાદ) સુધીનાં બાર અંગો અભિપ્રેત છે. આવસય એ ‘અંગબાહ્ય' શ્રુત છે. આવસ્ટયનું અને એથી એના એક અંશરૂપ ચઉવીસત્થયનું પણ જૈનસમાજમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે. ૭. ચઉવીસત્થયની પાંચ દંડકમાં ગણના : ચેઇયવંદણભાસ (ગા. ૪૧)માં દેવેન્દ્રસૂરિએ પાંચ દંડ(ક) ગણાવેલ છે : ૧. સક્કત્થય (શક્રસ્તવ), ૨. ચેઇયત્થય (ચૈત્યસ્તવ), ૩. નામત્થય (નામસ્તવ), ૪. સુયત્થય (શ્રુતસ્તવ) અને ૫. સિદ્ધત્થય (સિદ્ધસ્તવ). નામત્થય એ ચઉવીસત્થયનું એક અપર નામ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૮. નામો અને એનો કાલક્રમ : ચઉવીસત્થયમાં એના પ્રણેતાએ આકૃતિનું નામ દર્શાવ્યું નથી. એથી કાલાંતરે એનાં નામો પ્રાકૃત અને સંસ્કૃતમાં યોજાયાં છે. પ્રાકૃત તેમજ સંસ્કૃત નામોની કાલક્રમાનુસા૨ સૂચિ પ્રસ્તુત પુસ્તક (પૃષ્ઠ ૬૩)માં ‘લોગસ્સસૂત્રનાં પર્યાયવાચક નામો' એ શીર્ષક દ્વારા તેનાં આધારસ્થાનો પૂર્વક આપવામાં આવી છે. તદુપરાંત પ્રસ્તુત કૃતિનો પ્રારંભ ‘લોગસ્સ’ પદથી થતો હોવાથી એનું ‘લોગસ્સ' નામ પણ યોજાયું છે. આ નામ અણુઓગદાર (સુત્ત ૧૩૧)માં જે આયાણપય (આદાનપદ)નાં વિવિધ ઉદાહરણો અપાયાં છે તેનું સ્મરણ કરાવે છે. ૯. નામોની અન્વર્થતા : સામાન્ય રીતે નામ એના વિષયને અનુરૂપ હોવું જોઈએ. એ દૃષ્ટિએ લોગસ્સના પર્યાયવાચક નામો પૈકી ક્યાં ક્યાં કેટલે અંશે ગુણનિષ્પન્ન છે તે આપણે વિચારીશું. ‘લોગસ્સ’ સિવાયનાં નામ ગુણનિષ્પન્ન છે. ચઉવીસત્યય, ચઉવીસત્થવ, ચવીસઈન્થય, ચતુર્વિંશતિસ્તવ એ નામનો અર્થ એક જ છે અને તે ચોવીસનો સ્તવ યાને એમનું ગુણોત્કીર્તન છે. આ નામો પ્રસ્તુત કૃતિના વિષયનું અંશતઃ ઘોતન કરે છે, કેમ કે ચોવીસથી શું સમજવું તે જાણવું બાકી રહે છે, એ દૃષ્ટિએ ‘ચ ુવીસજિણત્થય’ અને ‘ચતુર્વિંશતિજિનસ્તવ' એ નામો વિશેષતઃ ગ્રાહ્ય ગણાય, કેમ કે ‘ચોવીસ’થી ચોવીસ જિન સમજવાની વાત સ્પષ્ટપણે આ નામમાં દર્શાવાઈ છે. તેમ છતાં અહીં પણ ‘જિન’થી શો અર્થ અભિપ્રેત છે એ પ્રશ્ન તો ઉપસ્થિત થાય જ છે, કેમ કે ‘જિન’ના નીચે મુજબ વિવિધ અર્થો કરાય છે. વિષ્ણુ, બુદ્ધ, ચતુર્દશપૂર્વધર યાને શ્રુતકેવલી, જિનકલ્પીમુનિ, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, છદ્મસ્થવીતરાગ, સર્વજ્ઞ અને તીર્થંકર, વિષ્ણુના ચોવીસ અવતારો મનાય છે. એ વિષ્ણુ અત્રે અભિપ્રેત નથી. બુદ્ધ ચોવીસ થયા હોય એમ જણાતું નથી એટલે એ અર્થ પણ અત્ર પ્રસ્તુત નથી. પ્રસ્તુત કૃતિનું આદ્ય પદ્ય વિચારતાં મુખ્યતયા ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરો, એવો જિનનો અર્થ અહીં સુસંગત છે. ‘ઉજ્જોઅ’ એટલે ઉદ્યોત. ‘ઉજ્જોઅગર' એટલે ઉદ્યોત કરનાર. ‘નામથય’ અને ‘નામસ્તવ' એ બે નામો ‘નામજિણત્થય’ જેટલા પરિપૂર્ણ નથી. નામજિણત્થયનો અર્થ નામ-જિનોની સ્તવના છે. જિનના ‘નામ-જિન’, ‘સ્થાપના-જિન', ‘દ્રવ્ય-જિન’ અને ‘ભાવ-જિન’ એમ ચાર પ્રકારો છે. એ પૈકી ‘નામ-જિન' એક પ્રકાર છે. સમભાવભાવી હરિભદ્રસૂરિએ આવસ્ટયની શિષ્યહિતા નામની ટીકા (પત્ર ૪૯૧ અ)માં ‘ચઉવીસઇન્થય’ નામ દર્શાવ્યું છે. ૧૦. ભાષા : પ્રાકૃતના નીચે મુજબ છ પ્રકારો ગણાવાય છે : ૧. મરઠ્ઠી, (માહારાષ્ટ્રી) ૨. સો૨સેણી (શૌરસેની), ૩. માગહી (માગધી), Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૪. પેસાઈ (પશાચી), ૫. ચૂલિયા પેસાઈ (ચૂલિકા પૈશાચી), ૬. અવભંસ (અપભ્રંશ)" અદ્ધમાગણી (અર્ધમાગધી) એ પણ એક પ્રકારની પ્રાકૃતભાષા છે એને “આર્ષ પ્રાકૃત કહે છે. આયારનો પ્રથમ સુયખંધ (શ્રુતસ્કંધ), સૂયગડ અને ઉત્તરઝયણ જેવા પ્રાચીન આગમોની ભાષા અદ્ધમાગણી છે. ચઉવીસત્યય પણ ઘણી પ્રાચીન કૃતિ છે, એટલે એની ભાષા પણ અદ્ધમાગધી ગણાય. જો કે આજે જે સ્વરૂપમાં આ કૃતિ મળે છે તેની ભાષા તો મરહટ્ટી અને સોરસણીથી પ્રભાવિત થયેલી છે. જે ૧૧. વ્યાકરણવિચાર : આ કૃતિની કેટલીક બાબતો વ્યાકરણ દષ્ટિએ વિચારીશું. વિશિષ્ટ પ્રયોગો –ત્તિરૂરૂં, ઉ, સીયત, સિક્વંસ, વંસુ અને બીફન્વેસુ પ્રયોગો નોંધપાત્ર છે. “સિં ' એવું શિત્ત નું ભવિષ્યકાળના પ્રથમ પુરુષના એકવચનનું રૂપ ખાસ પ્રચલિત નથી. સામાન્ય રીતે તો સિં રૂપ થાય એટલે પ્રસ્તુત રૂપ આર્ષ પ્રયોગને આભારી છે. “fr' નો અત્ર વિશિષ્ટ અર્થ સૂચવવા પ્રયોગ કરાયો છે. સીયલ્સ અને સિન્કંસ એ દ્વિતીયા વિભક્તિમાં વપરાય છે તેમ છતાં એ વિભક્તિના પ્રત્યયથી રહિત છે. જો સયત-fસળંસવાસુપુન્ન સમાસ હોય તો એકવચનમાં પ્રયોગ કેમ ? એ પ્રશ્ન વિચારાવો જોઈએ. વંસુ અને સાફલ્વેસું એ બન્ને સાતમી વિભક્તિનાં બહુવચનાં રૂપો છે. એ પંચમીના અર્થમાં વપરાયાં છે. સંધિ—તો+ ૩જ્ઞોમરે તો સુન્નોમ (પાઠાંતર) વંમ + રિટ્ટનેમિં=વંદ્વામિ ટ્ટિf, 3 + પ = નેણ. સમાસો—આ કૃતિમાં નિમ્નલિખિત સમાસો છે. धम्मतित्थयरे, नमिजिणं, विहुयरयमला, पहीणजरमरणा, जिणवरा, कित्तियवंदियमहिया, आरुग्गबोहिलाभं, समाहिवरं सागरवरगंभीरा અધિકતાવાચક પ્રત્યય— નિમ્પત્નયા માં “ચર’ એ વિશેષણને લગાડાતો અધિકતાવાચક પ્રત્યય છે. આત્મપદ– સામાન્ય રીતે પ્રાકૃત ધાતુઓને પરસ્મપદી ગણી તેનાં રૂપો અપાય છે. અહીં વંદું એવું વન્દ્રનું આત્મપદ અંગેનું રૂપ બીજા પદ્યમાં બે વાર અને ચોથા પદ્યમાં એક વાર જોવા મળે છે. સાથે સાથે ચોથા પદ્યમાં વંfમ રૂપ પણ વપરાયું છે. એવી રીતે એક જ અર્થમાં મમ અને ૧. પાલિભાષા એ પણ એક પ્રકારની “પ્રાકૃત ભાષા છે. એ બીજી બધી પ્રાકૃત ભાષાઓ કરતા સંસ્કૃતની વધારે નિકટ છે. ૨. દેસિય (સં. દેશ્ય) તરીકે નિર્દેશાતો એક પણ શબ્દ પ્રસ્તુત કૃતિમાં નથી. ૩. આ અંગેની વિશિષ્ટ વિગત માટે જુઓ પ્રસ્તુત પુસ્તકનું પૃષ્ઠ ૯-૧૦. Page #17 -------------------------------------------------------------------------- ________________ છે એમ બે રૂપો વપરાયાં છે. ૧૨. જૈનો દ્વારા સ્વીકાર : મહાવીરસ્વામીના નિર્વાણ બાદ જૈનો ત્રણ વર્ગમાં વહેંચાઈ ગયા. (૧) શ્વેતાંબર, (૨) યાપનીય અને (૩) દિગંબર (બોટિક). “યાપનીય' તરીકે ઓળખાવાતો વર્ગ આજે વિદ્યમાન નથી. તેમ જ એ વર્ગ રચેલું સમગ્ર સાહિત્ય ઉપલબ્ધ નથી. આથી તો અહીં તો શ્વેતાંબર અને દિગંબર એ બેનો જ વિચાર કરવાનો રહે છે. શ્વેતાંબરોમાં મૂર્તિપૂજક યાને મંદિરમાર્ગી, સ્થાનકવાસી અને તેરાપંથી' એમ ત્રણ સંપ્રદાયો છે. દિગંબરોમાં પણ મૂર્તિપૂજક ઇત્યાદિ સંપ્રદાયો છે. આ બધા જ સંપ્રદાયો અર્થાતુ સમસ્ત જૈનોને “ચઉવીસન્થય” સુત્ત (સૂત્ર) અર્થદષ્ટિએ જ નહિ પરંતુ મોટે ભાગે શબ્દરૂપે પણ માન્ય છે આદરણીય છે. ૧૩. પાઠભેદ : કોઈ કોઈ સ્થળે પ્રાકૃતના એકને બદલે અન્ય પ્રકારનું સ્થાન અપાયું છે, એ પૂરતા ભાષાભેદ ઉપરાંત કેટલાક વિશિષ્ટ પાઠભેદો શ્વેતાંબરો અને દિગંબરોની ઉપલબ્ધ કૃતિઓમાં જોવાય છે. એ નીચે મુજબ છે :છે. પદ્યાંક શ્વેતાંબરીય પાઠ દિગંબરીય પાઠ દિ. પદ્યાંક लोगस्सउज्जोअगरे • लोयस्सुज्जोययरे धम्मतित्थयरे जिणे धम्मं तित्थंकरे जिणे वंदे कित्तइस्सं कित्तिस्से पि केवली चेव केवलिणो पुप्फदंतं पुप्फयंतं सिज्जंस सेयंस अरं च मलि....नमिजिणं च च जिणवरिंदं अरं च मल्लिं च सुव्वयं च णमि रिटुनेमि अद्धिनेमि पासं तह वद्धमाणं च तह पासं वड्डमाणं ૦ ૦ ૦ ૦ જ દ દ ૧-૨. શ્વેતાંબરોના મતે દિગંબર સંપ્રદાય ઈ. સ. ૮૩માં ઉદ્ભવ્યો, જ્યારે દિગંબરોના મતે શ્વેતાંબરોની ઉત્પત્તિ ઈ. સ. ૮૦માં થઈ. દેવસેને દંસણસારમાં કહ્યું છે કે વિ. સં. ૨૦૫માં “પાપનીય' સંપ્રદાય ઉત્પન્ન થયો. ૩-૪. ઈ. સ. ૧૬પ૩માં “સ્થાનકવાસી સંપ્રદાય અને ઈ. સં. ૧૭૬૦માં “તેરાપંથી' સંપ્રદાય ઉત્પન્ન થયા. ૫. બીસપંથી, તેરાપંથી, સામાઈયપંથી, ગુમાનપંથી અને તોતાપંથી. garù EPITOME OF JAINISM CPP 653-654. ૬. શ્વેતાંબરોના બધા જ સંપ્રદાયોમાં પાઠ પરત્વે કશો મતભેદ જાણવામાં નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ एव अभिथुआ अभित्थुया जे ए लोगस्स उत्तमा एदे लोगोत्तमा जिणा आरुग्ग बोहिलाभं आरोग्गणाण लाहं समाहिवरमुत्तमं दितु दिन्तु समाहिं च मे बोहिं चंदेसु निम्मलयरा चंदेहिं णिम्मलयरा ७ आइच्चेसु...पयासयरा आइच्चेहि अहिय पहाता सागरवर सायरमिव ૧૪. છંદ : ચઉવીસત્યય એ પદ્યાત્મક રચના છે. પદ્યનો છંદ સામાન્ય રીતે અક્ષરમેળ કે માત્રામેળ હોય. આ કૃતિનું પ્રથમ પદ્ય અક્ષરમેળ છંદમાં-સિલોગમાં છે જ્યારે બાકીનાં છ યે પઘો માત્રામેળમાં-ગાહામાં છે. ગાહાના વિવિધ પ્રકારો પૈકી, પાંચ પ્રકારો પદ્ય રથી ૭માં જોવાય છે. કેમ કે ત્રીજા અને છઠ્ઠા પદ્યો એક જ પ્રકારના છંદમાં રચાયેલાં છે. એ છ પદ્યના છંદોનાં નામ અનુક્રમે નીચે મુજબ છે : હંસી, લક્ષ્મી, માધવી, જાહ્નવી, લક્ષ્મી અને વિદ્યુત ચઉવીસન્થય નાનકડી કૃતિ હોવા છતાં એમાં જે ગાહા છંદના પ્રકારોનું વૈવિધ્ય પ્રાપ્ત થાય છે એ એની વિશિષ્ટતા-મહત્તા સૂચવે છે. ૧૫. વિષય : ચઉવીસત્યયના વિષય તરીકે નિમ્નલિખિત પાંચ બાબતોને એમાં સ્થાન અપાયું છે (૧) આ કૃતિના પ્રણેતાની પ્રતિજ્ઞા (૨) ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોનો નામોલ્લેખ (૩) એમને કરાયેલું વંદન (૪) તીર્થકરોનાં ગુણગાન (૫) યાચના આ પૈકી હું બીજી અને ચોથી એ બે બાબતો વિષે થોડુંક કહીશ. ૧૬. નામોલ્લેખ : ચઉવીસન્થયની રચના પ્રાકૃતમાં હોવાથી એમાં ચોવીસે તીર્થકરોનાં નામ એ જ ભાષામાં હોય તે સ્વાભાવિક છે. આ નામો વિવાહપણત્તિ (સ. ૨૦, ઉં. ૮, સુત્ત ૬૭૬) સાથે મોટે ભાગે સમાનતા ધરાવે છે, કેમ કે એમાં નીચે મુજબનાં નામોનો ઉલ્લેખ છે : ૧. આને અંગેની વિશેષ માહિતી માટે જુઓ પ્રસ્તુત પુસ્તક (પૃ. ૭૩-૮૪). Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ उसभ, अजिय, संभव, अभिणंदण, सुमति, सुप्पभ, सुपास, ससि, पुष्पदंत, सीयल, सेज्जंस, વાસુપૂન, વિમત્ત, અખંત, ધમ્મ, સંતિ, કુંથુ, મર, મણિ, મુનિસુવ્યય, તfમ, નેમિ, પાસ અને વર્તમાન. જે ફેરફાર છે તે નીચે પ્રમાણે છે. सुमइ - सुमति સુવિદિ-૯ (નથી) पउमप्पइ - सुप्पभ सिज्जंस - सेज्जंस चंदप्पह - ससि अट्टिनेमि - नेमि સમવાય (સુત્ત ૨૪) અને નંદી (સુર-૩)માં તેમ જ પંચષઠિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રોમાં તીર્થકરોનાં નામો છે તે પણ ફેરફાર જાણવા માટે વિચારવા ઘટે. પરંતુ સ્થળસંકોચને લઈને એ વાત હું જતી કરું છું. પ્રસ્તુત કૃતિમાં ચોવીસ નામો ત્રણ પદ્યમાં પરંતુ ચાર વર્ગમાં વિભક્ત કરાયેલાં છે, પહેલા ત્રણે વર્ગમાં સાત સાત નામો છે અને એ દરેક વર્ગને અંતે “જિણ' છે. આ શું આકસ્મિક ઘટના છે કે સકારણ છે. તે વિચારવું ઘટે. નવમા તીર્થંકરનાં સુવરહ અને પુત્ર એવાં બે નામ અપાયાં છે, જયારે બાકીના તીર્થકરોનું એકેક જ નામ અપાયું છે જે નોંધપાત્ર છે. પુર્વત એ નામાંતર છે એનું તો વિવાહપષ્ણત્તિ વગેરે ગ્રંથો સમર્થન કરે છે. વિહિ અને પુષ્પદંત એ બેમાંથી ગમે તે એકને વિશેષણ અને બીજાને વિશેષ્ય માનીને અર્થ કરી શકાય છે ખરો પણ તેથી બે નામો શા માટે રજૂ થયાં તેનો પૂરેપૂરો સંતોષકારક ખુલાસો થતો નથી. ચોવીસ તીર્થકરોનાં કોઈપણ નામની આગળ સરી (સં. શ્રી.) કે અંતમાં નાદ કે ટેવ જેવો શબ્દ ચઉવીસયમાં વપરાયો નથી. આવું એક સંપૂર્ણ ઉદાહરણ બૃહચ્છાન્તિસ્તવ પૂરું પાડે છે જ્યારે આંશિક ઉદાહરણો જિનપંજરસ્તોત્ર તેમજ પંચષષ્ઠિ યંત્રગર્ભિત ગતિવિંશતિજિનસ્તોત્ર રજૂ કરે છે. ૧૭. આગમોમાં સ્તુતિઓ: મુમુક્ષુ માટે અસંખ્ય યોગ છે. એમાં કર્મયોગ અને જ્ઞાનયોગ કરતાં ભક્તિયોગ સામાન્ય કક્ષાના મુમુક્ષુઓ માટે તો રાજમાર્ગ છે. આમ હોઈ ભક્તિ-સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં યોજાયું છે. એમાં પોતાના ઇષ્ટદેવ-પરમાત્માનું, વિશિષ્ટ મહાનુભાવોનું કે તીર્થકરો માટે પણ આદરણીય સંઘનું ગુણોત્કીર્તન જોવાય છે. જૈન આગમોમાં આ બાબત નીચે મુજબ જોવાય છે. સ્તુતિ-સ્તોત્ર આગમ વીરથઈ સૂયગડ (સુય-૧ અ ૬) ચઉવીસત્યય આવસ્મય થેરાવલી થેરાવલી (આવસ્મય, નંદી અને પક્ઝોસણ કમ્પની) Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નમુ ન્યૂ ર્ણ ઓવવાઈય ઇત્યાદિ સંઘથઈ નંદી ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોની ગુણોત્કીર્તનપૂર્વકસ્તુતિરૂપ ચઉવીસન્થય ઉપરાંત આ પ્રકારની અન્ય કોઈ કૃતિ આગમોમાં હોય એમ જણાતું નથી. જો એમ જ હોય તો આ કૃતિ અદ્વિતીય ગણાય. ૧૮. વિવરણો : ચઉવીસન્થયને અંગેનાં વિવરણોમાં પ્રાકૃત અને સંસ્કૃત વિવરણો પ્રાચીનતાદિની દષ્ટિએ આદ્યસ્થાન ભોગવે છે. પ્રાકૃત વિવરણો નિમ્નલિખિત ગ્રંથોમાં નજરે પડે મહાનિસીહ, આવસ્મયની નિષુત્તિ (ગા. ૧૦૫૭-૧૧૦૨), એનું ભાસ (ગા. ૧૯૬૨૦૩) તથા એની ચુર્ણિ (ભા-૨ પત્ર ૩-૧૪) અને ચેઈયવંદણમહાભાસ (ગા. ૫૦૭-૬૩૮). સંસ્કૃત વિવરણોને લગતા ગ્રંથો નીચે મુજબ છે : આવસની હારિભદ્રીય બે ટીકાઓ, લલિતવિસ્તરા (પૃ. ૪૨-૪૮), યોગશાસ્ત્રનું સ્વોપજ્ઞવિવરણ (પત્ર ૨૨૪ આ-૨૨૮ અ), આચારદિનકર (ભા. ૨ પત્ર ૨૬૭ અ-૨૬૮ અ.), વંદારુવૃત્તિ (પત્ર ૨૩ આ-૨૬ અ.), દેવવંદનભાષ્યની વૃત્તિ (પૃ. ૩૨૦-૩૨૬) અને ધર્મસંગ્રહની સ્વોપજ્ઞટીકા (પત્ર ૧૫૫ અ-૧૫૮ અ.) પ્રસ્તુત પુસ્તક ઉપર્યુક્ત ગ્રંથોને લક્ષ્યમાં રાખી લખાયું છે. એથી એની મહત્તામાં વૃદ્ધિ થાય છે. ૧૯. વિશિષ્ટતાઓ : વિવરણકાર સમર્થ હોય તો એના વિવરણમાં કોઈ નહિ ને કોઈ વિશિષ્ટતા હોય જ. આ દૃષ્ટિએ ચકવીસસ્થયનાં વિવરણો વિચારવા જોઈએ. પરંતુ બધાં માટે તો અત્યારે તેમ બને તેમ નથી એટલે હું અહીં ત્રણ જ વિષે ઉલ્લેખ કરું છું. આવસ્મયની નિજુત્તિ તીર્થકરોના નામોના અર્થઘટનની, હારિભદ્રીય ટીકા પ્રથમ પદ્યગત વિશેષણોના સાફલ્યની તથા પાઠાંતરોની અને યોગશાસ્ત્રનું સ્વોપજ્ઞ વિવરણ પ્રથમ પદ્યને લગતા ચાર અતિશયોની વિશિષ્ટતા પૂરી પાડે છે. કોઈ પણ વિવરણમાં અનુબંધચતુષ્ટયનું નિરુપણ હોય તો તેની નોંધ લેવાવી જોઈએ. ચાર અનુબંધો પૈકી વિષયનો નિર્દેશ તો પ્રથમ પદ્યમાં છે જ. ૨૦. અનુવાદો : ચઉવીસન્થયના ગુજરાતી, હિંદી, મરાઠી, જર્મન તેમ જ અંગ્રેજી ભાષામાં અનુવાદો થયા છે. ૨ બે તેમ જ પાંચ પ્રતિક્રમણ સૂત્રને લગતાં પુસ્તકોમાં કેટલીકવાર અનુવાદ ઉપરાંત સ્પષ્ટીકરણ પણ અપાયાં છે. લલિતવિસ્તરાના અને ધર્મસંગ્રહના ગુજરાતી અનુવાદ પણ આ જાતનું સાહિત્ય પૂરું પાડે છે. ૧. હારિભદ્રીય એક મહાકાય ટીકા અદ્યાપિ મળી આવી નથી. ઉપલબ્ધટીકા (ઉત્તરાર્ધ ભા. ૧ પત્ર ૪૯૩ અ. ૫૧૦ આ) જોવી. ૨. જુઓ પ્રસ્તુત પુસ્તક (પૃ. ૭૦). અંગ્રેજીમાં આનો અનુવાદ ઈ. સ. ૧૯૧૮માં થયેલ છે. ૩. આનાં અનુવાદ અને વિસ્તૃત વિવેચન માટે જુઓ “શ્રીહરિભદ્રસૂરિ' (પૃ. ૨૦૨ અને ૩૭૩) Page #21 -------------------------------------------------------------------------- ________________ ચઉવીસન્થયના અર્થ માટેની વિવિધ' સામગ્રી પ્રસ્તુત પુસ્તકમાં છે. ૨૧. બોહી (સં. બોધિ) : “બોહિ’ શબ્દ “નમુ ન્યુ સં” યાને શકસ્તવમાં વપરાયો છે. આ સૂત્રનો પાઠ ઓવવાઇય (સુત્ત ૧૨), રાયપૂસણઈજ્જ (સુત્ત ૧૩) અને પોસવણાકપ્પ (સુત્ત ૧૫)માં જોવાય છે. એ ઉપરાંત અન્ય આગમોમાં એનું સ્મરણ કરાવનાર પાઠો છે. બોહિ’ શબ્દ ઉત્તરાયણ (અ ૩૬ ગા. ૨૫૮)માં, સમવાય, (પત્ર ૧૧૯) વંદિg સુત્ત (ગા. ૪૭), સંબોહપયરણ (પત્ર ૧૪), ચેઈયવંદણમહાભાસ (ગા. ૩૩૨) અને ઉવએસપય (ગા. ૪૮૧)ની ટીકામાં જોવાય છે. ચઉવીસત્યયને લગતાં સંસ્કૃત વિવરણોમાં બોહિ” માટેનો સંસ્કૃત શબ્દ “બોધિ વપરાયો છે. - આ ઉપરથી બોહિ (સં. બોધિ) શબ્દની વ્યાપકતા જોઈ શકાશે. બોધિસત્વ એ બૌદ્ધ સાહિત્યમાં વપરાયેલા શબ્દમાં “બોધિ' છે. ૨૨. ઉપયોગ : જૈન અનુષ્ઠાનો પૈકી શેમાં શેમાં અને કઈ કઈ રીતે ચઉવીસન્થયનો ઉપયોગ કરાય છે એ બાબતનું આ પુસ્તક (પૃ. ૬૪)માં સવિસ્તર નિરુપણ છે. વિશેષમાં મેં પણ આ વિષે આ પૂર્વે “કાઉસ્સગ (કાયોત્સર્ગ) એક અધ્યયન' નામના મારા લેખમાં માહિતી આપી છે. ૨૩. કલ્પ : જૈનસાહિત્યમાં ‘નમુ ન્યુ ણ' વગેરેને અંગે કલ્પો રચાયા છે આ પુસ્તક (પૃ. ૧૧૩)માં ચઉવીસન્થયનો જે કલ્પ અપાયો છે તેની મીમાંસા કરવાનું હાલ મોકૂફ રાખી એટલું જ કહીશ કે આ કલ્પ આ પૂર્વે બે વાર પ્રકાશિત થયેલો છે. ૨૪. પંચયિત્રગર્ભિત ચતુર્વિશતિ જિન સ્તોત્રો : ચઉવીસત્યય એ ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોના નામોલ્લેખપૂર્વક ગુણોત્કીર્તનરૂપ છે એટલે આ ચોવીસ તીર્થકરો અંગેની કેટલી વિશિષ્ટ કૃતિઓને આ પુસ્તકમાં સ્થાન અપાયું છે, તેમાં ચતુર્વિશતિ જિનસ્તોત્રો જે ‘પંચષષ્ઠિયંત્રથી ગર્ભિત છે તેનો આપણે અહીં વિચાર કરીશું. “કા નેગન' થી શરૂ થતું આ સ્તોત્ર જયતિલકસૂરિના કોઈ શિષ્ય (?) શિવનિધાને (?) સંસ્કૃતમાં આઠ પઘોમાં રચેલું સ્તોત્ર છે. પહેલાં પાંચ પઘોમાં ચોવીસ તીર્થકરોનાં નામ અને ત્રીજામાં “૨૫' અંક માટે મલ્લિનાથની કાયાનું ૨૫ ધનુષ્યનું માપ એમ ૨૫ ખાનાં ૧. ડસમ વગેરે નામોના વ્યુત્પત્તિજન્ય અર્થ તેમ જ એના વિશેષ અર્થ આવસ્મયની નિજુત્તિ (ગાથા ૧૦૭૯-૮૧)માં અપાયા છે તે નોંધપાત્ર હોઈ મેં મારા એક પુસ્તકમાં તેનો ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત પુસ્તક પૃ. ૫૪-૫૮માં પણ એને સ્થાન અપાયું છે. ૨. જુઓ પ્રસ્તુત પુસ્તક (પૃષ્ઠ ૨૯). ૩. આ કલ્પનો પ્રભાવ ધર્મશેખરસૂરિએ કર્ણાટકની રાજસભામાં દર્શાવ્યો હતો. એમ જૈન પરંપરાનો ઇતિહાસ' (ભા. ૧, પૃ. ૪૫૪)માં ઉલ્લેખ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ માટેની સામગ્રી અપાઈ છે. છઠ્ઠ અને સાતમું પદ્ય આ યંત્રનો પ્રભાવ દર્શાવે છે. આઠમું પદ્ય કર્તાના ગુરુનું નામ પૂરું પાડે છે. “મારી નેમિન" થી શરૂ કરાયેલ અને વિજયલક્ષ્મીસૂરિએ રચેલ અગિયાર પદ્યોની કૃતિ ખંડિત ઉપલબ્ધ છે. આના અંતમાં “વતુર્યત્ર મતપઝૂષકિસ્તોત્ર" એવો ઉલ્લેખ છે તે યથાર્થ છે, કેમ કે એના આદ્ય બે પદ્યો, પદ્યો ૩-૪, પદ્યો પ-૬ અને પદ્યો ૭-૮ એકેક પંચષષ્ઠિ યંત્ર પૂરું પાડે છે. એના અન્ય ત્રણ પદ્યો યત્રનો મહિમા વગેરે દર્શાવે છે. સ્થાનકવાસી ધર્મસિહ ગુજરાતીમાં સાત પદ્યોમાં પાંસઠિયો છંદ રચ્યો છે એ ઉપર નોંધાયેલી પ્રથમ કૃતિના આધારે યોજાયો હોય એમ લાગે છે. આ કૃતિથી કેટલાય મંદિરમાર્ગે જૈનો અપરિચિત જણાય છે. વત્વે ધર્મનિ' થી પ્રારંભ કરાયેલ અને “હૂર્તવિડિત' છંદમાં રચાયેલાં ચાર પડ્યો વાળા આ સ્તોત્રમાં “૨૫'ના અંક માટે દ્વિતીય પદ્યમાં સંઘનો ઉલ્લેખ છે. અંતિમ બે પદ્યો યત્રનો મહિમા દર્શાવે છે. આ ને(જે ?)ત્રસિંહની રચના છે. પૃ. ૧૦૦માં એક પદ્યનું પ્રાકૃત સ્તોત્ર છપાવાયું છે તે કોઇક ચિન્તામણિના પ્રણેતા શીલસિંહે રચ્યાનું મનાય છે. એમણે એક કૃતિ સંસ્કૃતમાં રચી છે અને એક સંસ્કૃત કૃતિનો નિર્દેશ કર્યો છે. આમ જે અહીં જયતિલકસૂરિ, વિજયલક્ષ્મી સૂરિ, ને(જે ?)ત્રસિંહ અને શીલસિંહનો ઉલ્લેખ છે તેમાંથી પહેલા ત્રણ પૈકી કોઈનો પણ પરિચય આ પુસ્તકમાં અપાયો નથી. એમ છતાં અત્યારે તો આ સંબંધમાં પહેલા ત્રણને અંગે તો કશો પ્રકાશ પાડી શકાય તેમ નથી. શલસિંહ, આગમગચ્છના જયાનંદસૂરિના પટ્ટધર દેવરત્નસૂરિના શિષ્ય થાય છે. એમણે કોઢગચિંતામણિ ઉપર સં.માં વૃત્તિ રચી છે. આ બંનેની એકેક હાથપોથી ભા.રા.સં.મં.માં છે. આ કૃતિઓમાં પાંચ સંસ્કૃતમાં, એક પ્રાકૃતમાં અને એક ગુજરાતીમાં છે. આ કૃતિઓમાં જે “યત્ર’ શબ્દ વપરાયો છે તે સમચોરસમાં અપાયેલા અને ભિન્ન ભિન્ન રીતે ગણતાં તદ્દગત અંકોનો સરવાળો સમાન આવે એવી યોજનાનો દ્યોતક છે.” ૧. આનું કારણ એ હશે કે કેટલાક સંઘનો પચીસમા તીર્થકર તરીકે નિર્દેશ કરે છે. ૨. આને અંગ્રેજીમાં “MAGIC SQUARE કહે છે. મેં એ માટે “માયાવી ચોરસ” નામ યોર્યું છે. આ સંબંધમાં મેં બે લેખ લખ્યા છે અને એ છપાયા છે : "A NOTE ON JAINA HYMNS AND MAGIC SQUARES”-"INDIAN HISTORICAL QUARTERLY" (VOLX. No. 1) “ “માયાવી ચોરસો અને જૈનસ્તોત્રો” જૈન” (તા. ૧-૧-૩૩ અને ૮-૧-૩૩) માયાવી ચોરસોને અંગે અંગ્રેજીમાં કેટલાંક વિશિષ્ટ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આ કૃતિઓ યત્રના મહાસર્વતોભદ્ર અને સર્વતોભદ્ર એ બે પ્રકારનો બોધ કરાવે છે. સાત વસ્ત્રો પૈકી ચોથા યત્રનું નામ સર્વતોભદ્ર છે. જયતિલક સૂરિના શિષ્ય, ધર્મસિહે અને વિજયલક્ષ્મી સૂરિએ રચેલી ૧૧ પદ્યની કૃતિમાંના પદ્ય ૭-૮ એક જાતનો-મહાસર્વતોભદ્ર નામનો-પાંસડિયો યત્ર રજૂ કરે છે. એવી રીતે નેત્રસિંહની કૃતિ તેમ જ વિજયલક્ષ્મી સૂરિની કૃતિનો ત્રીજા અને ચોથા પદ્યરૂપ એક એક અંશ પણ સમાન યત્ર પૂરું પાડે છે. આમ હોઈ આપણને આ પુસ્તકમાં સાત ભિન્નભિન્ન યન્ત્રો જોવા મળે છે. એ પૈકી છઠ્ઠા અને સાતમા યત્રનું નામ જાણવું બાકી રહે છે. ૨૫. શુનાવલિ કિંવા ફલાફલ : ફલાફલ વિષયક પ્રશ્નપત્રની ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજય ગણિએ જાતે લખેલી એક હાથપોથી મળે છે. આ કૃતિનો પરિચય મેં મારા બે પુસ્તકમાં આપ્યો છે. આ ગૌતમ શકુનાવલિ વગેરેનું સ્મરણ કરાવે છે. ૨૬. વિશેષતાઓ : પ્રસ્તુત પુસ્તકની કેટલીક વિશિષ્ટતાઓ છે - જેમ કે ૧. ચઉવીસન્થયનાં પઘો (૨-૩ છંદો)નાં નામ, તેની સમજૂતિ તથા ઉત્થાપનિકા' ૨. પંચષષ્ઠિય–ગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્રોનો કરાયેલો સંગ્રહ. ૩. સર્વતોભદ્રયન્ટને અંગે પાંસઠના ૭ર પ્રકારે સરવાળાનો સ્પષ્ટ નિર્દેશ. ૪. ફલાફલવિષયક પ્રશ્નપત્રનું યોગ્યસ્વરૂપમાં પુનર્મુદ્રણ.' ૨૭. આવકારપાત્ર પ્રકાશન : ચઉવીસન્થયના અભ્યાસ અને આદરને અંગેની વિવિધ વાનગી પીરસી એને આ બાબતમાં સર્વાગીણ બનાવવા માટેની મારી સૂચનાઓને સક્રિય સ્વરૂપ આપવા પ્રસ્તુત પુસ્તકમાં સબળ પરિશ્રમ કરાયો છે. એટલે આશા છે કે “જૈનસાહિત્યવિકાસમંડળ' તરફથી અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા અન્ય ગ્રંથોની જેમ આ પ્રકાશનને પણ સારો આવકાર મળી રહેશે. ૨૮. વિજ્ઞતિઃ આ ઉપોદ્ધાતમાં જો કોઈ ક્ષતિ કે ત્રુટિ જણાય તો એ સપ્રમાણ દર્શાવવા મારી સહૃદય સાક્ષરોને સાદર પરંતુ સાગ્રહ વિજ્ઞપ્તિ છે. ગોપીપરું, સુરત હીરાલાલ ૨. કાપડિયા તા. ૨૫-૧૦-૬૫ ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૧, પૃ. ૨૨ ૧) તેમ જ યશોદોહન (પૃ. ૩૩) ૨. આનું અપરનામ “બીજ કૌસ્તુભ' છે. ૩. આથી હૈમ તેમ જ અજ્ઞાત કáક એવી એકેક શકુનાવલિ સમજવાની છે. ૪. જુઓ પૃ. ૭૪. ૫. જુઓ પૃ. ૧૧૪-૧૨૨. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઉપોદઘાતમાં ઉપયોગમાં લેવાયેલ ગ્રન્થોના આધારસ્થાનો ૧. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧. ચારિત્રસ્મારકગ્રન્થમાળા, અમદાવાદ. ૨. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૧ મુક્તિકમલ જૈનમોહનમાલા, વડોદરા ૩. નંદિસુત્ત આગમોદય સમિતિ, સુરત. ૪. યશોદોહન ત્રિપુટી મહારાજ વિ. સં. ૨૦૦૯ હીરાલાલ ૨. કાપડિયા વિ. સં. ૨૦૧૩ દેવવાચક ક્ષમાશ્રમણ વિ.સં. ૧૯૮૦ 4. Epitome of Jainism by Puranachand Nahar. Pub—H. Duby. Gulabkumari Library Calcutta. A. D. 1917 Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રાફિકથન સ્વાધ્યાય શ્રેણિમાં “નમસ્કારસ્વાધ્યાય' ના બે દળદાર ગ્રંથોના પ્રકાશન પછી તે જ શ્રેણિમાં લોગસ્સસૂત્ર સ્વાધ્યાય'નું પ્રકાશન કરતાં અમને હર્ષ થાય છે. પહેલા બે ગ્રંથોની સરખામણીમાં આ ગ્રંથ કદમાં નાનો છે. તે લોગસ્સસૂત્ર–પ્રસ્તુત સૂત્રનો પ્રારંભ “લોગસ્સ' શબ્દથી થતો હોવાથી ગુજરાતી નામકરણમાં તે આદાનપદ સાથે સૂત્ર’ શબ્દનો પ્રયોગ થયો છે. આ સૂત્ર આવશ્યકસૂત્રનો ભાગ હોવાથી તેનું સૂત્રત્વ સિદ્ધ છે અને તેથી ‘લોગસ્સસૂત્રની સંજ્ઞા યોગ્ય છે. સ્તવ–લોગસ્સસૂત્ર એ ચોવીસ જિનોનું સ્તવ અથવા સ્તુતિ છે. “ઉત્તમ ગુણોનું કથન અને રૂપનું સ્મરણ” એ બે પ્રકારે સ્તુતિ થાય છે. નામ અને રૂપના જોડકામાં નામનું પ્રાથમ્ય હોવાથી પ્રસ્તુત સૂત્રમાં નામનું સ્મરણ અથવા કીર્તન અને ગુણોનું કથન'—એ પ્રકારે વ્યવસ્થા છે. ચતુર્વિશતિ જિનોને વંદન કરતી વખતે તેમના ગુણોને લક્ષ્યમાં લાવવામાં આવે તો જ તે વંદન સાર્થક ગણાય. ગુણો–શ્રી અરિહંત દેવના જે બાર ગુણો જણાવવામાં આવે છે તેમાં આઠ પ્રાતિહાર્યરૂપ ૧. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે–વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. પ્રથમ અનુજ્ઞા અને વિધિપૂર્વક સૂત્રપાઠને તથા અર્થને ગ્રહણ કરવા, પછી તેના પર તર્ક કરીને અને પ્રશ્નો પૂછીને વિશેષ જ્ઞાન મેળવવું અને એ રીતે મેળવેલા જ્ઞાનનું પુનઃ પુનઃ રટન કરીને તેને જાળવી રાખવું, વળી એ રીતે સ્થિર થયેલા જ્ઞાન પર ગહન ચિંતન કરવું અને તેનાં રહસ્યો સમજાય ત્યારે બીજાને તેનું યોગ્ય રીતે દાન કરવું. વાચના, પૃચ્છના અને પરાવર્તના દ્રવ્યશ્રુત કહેવાય છે. તત્ત્વના સ્વરૂપને અનુલક્ષીને ઉપયોગપૂર્વક જે શ્રુતજ્ઞાન પર ગહન ચિંતન કરાય તે અનુપ્રેક્ષા છે અને તે ભાવકૃત ગણાય છે. પાંચમો પ્રકાર જે ધર્મકથા છે તે ગીતાર્થ સાધુઓને જ હોય છે. ઉપર્યુક્ત પહેલા ચાર પ્રકારના અધ્યયનનો માર્ગ સરળ કરી દેવો તે જ સ્વાધ્યાય શ્રેણિનો હેતુ છે. ૨. સિદ્ધચક્રપાણિક વર્ષ ૩,૪, ૫ ની ફાઈલો. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગુણો છે અને ચાર મૂલાતિશયોરૂપ છે. આઠ પ્રાતિહાર્યદ્વારા થતી ભગવાનની પૂજા તે ભગવાનના ગુણ અથવા લક્ષણરૂપ નથી. લક્ષણ બે પ્રકારના હોય છે. એક આત્મભૂત લક્ષણ અને બીજું - અનાત્મભૂત લક્ષણ. આઠ પ્રતિહાર્યોને ભગવાનના આત્મા સાથે કશો સંબંધ નથી. (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) વચનાતિશય અને (૪) પૂજાતિશય. એ ચાર અતિશયોથી જ તીર્થંકર દેવો મહાન છે. તે આત્મલક્ષણરૂપે અનુક્રમે નીચે પ્રમાણે પણ દર્શાવાય છે. (૧) મોહનો સર્વથા નાશ (નિને શબ્દથી નિર્દિષ્ટ છે) (૨) કેવળજ્ઞાન ઉત્પન્ન થવું. (વતી શબ્દથી નિર્દિષ્ટ છે). (૩) સર્વ ભાષામાં પરિણામ પામનારી એવી વાણી હોવી. (ધÍતિસ્થય પદથી નિર્દિષ્ટ છે) (૪) બહુધા સમવસરણમાં બિરાજમાન થઈને દેશના આપવી. (તસ્સ સજ્જો રે પદથી નિર્દિષ્ટ છે.) આ ચાર અતિશયો બીજા કોઈમાં પણ સંભવી શકતા નથી, ભાવઅરિહંતપણાનું કારણ પણ આ ચાર અતિશયો જ છે. ગુણાનુરાગ–જેમાં સ્વત્વ અને સ્વસંબંધિત્વનો પ્રવેશ ન હોય, તેવી રીતે ગુણોની જે પ્રશંસા અને તેવા ગુણો ઉપર જે રાગ તે જ ખરેખર ગુણપ્રશંસા અને ગુણાનુરાગ હોઈ રાગ સ્વરૂપ છતાં ભક્તિરાગ જ ગણાય છે, તે સ્નેહરાગ કહેવાતો નથી, તેથી તેનો સંબંધ નિર્જરા સાથે છે.. નિક્ષેપ–શબ્દની અર્થવ્યવસ્થા અથવા નિક્ષેપ ચાર પ્રકારે થઈ શકે છે. તે નામનિક્ષેપ, સ્થાપના અથવા આકૃતિનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ છે. “અરિહંત' શબ્દના નિક્ષેપની આ ચાર પ્રકારે વિચારણા કરીશું. નામનિક્ષેપ-અતીત, અનાગત કે વર્તમાનની, પાંચ ભરત અને પાંચ ઐરાવતની ત્રીસ ચોવીસીમાં કે મહાવિદેહના અતીત, અનાગત કે વર્તમાન જિનોમાં કોઈ પણ “અરિહંત' નામના તીર્થંકર થયા નથી કે જેઓશ્રીને ઉદ્દેશીને અરિહંત-નામની આરાધના થાય. વસ્તુતઃ તે અરિહંત પદની આરાધના છે અને તે કોઈ પણ વ્યક્તિને અંગે નહીં પણ સમગ્ર ક્ષેત્ર અને સમગ્ર કાલના સમગ્ર તીર્થકરોના અહંતપણાના ગુણને અનુસરીને આરાધ્યતા ગણવામાં આવી છે, તેથી જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી ચોવીસતીર્થકરોની સ્તુતિ કરતાં પહેલાં સકલ અરિહંતોની પ્રતિષ્ઠાના આધારભૂત, મોક્ષલક્ષ્મીના અધિષ્ઠાનસ્વરૂપ અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાલ લોકમાં અદ્વિતીય સામર્થ્યવાળું અહતપણું ગણીને તેના જ ધ્યાનમાં લીન થવાનું કહે છે અને સાથે તે જ અહંતોના નામ, (ઋષભ, અજિત વગેરે) આકૃતિ, દ્રવ્ય તથા ભાવે કરીને ત્રણે જગતના જીવોને પાવન કરનાર અહંતપદને ધારણ કરનાર સર્વ ક્ષેત્ર અને સર્વકાલના તીર્થકરોની સેવનાને કર્તવ્ય તરીકે ગણાવતાં પોતે સેવા કરે છે - કરવાનું કહે છે. આ પ્રકારની અરિહંતપદની Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ સમષ્ટિવાદની પ્રધાનતાવાળી આરાધના બીજે ક્યાંય જોવા મળતી નથી. જિનાદિ શબ્દો જ્યારે અર્થથી જળવાઈ રહે છે ત્યારે અરિહંત શબ્દ ખુદ શબ્દદ્વારાએ પણ જળવાઈ રહે છે, એ જ એનો અદ્વિતીય મહિમા છે. અરિહંતની સમષ્ટિમય આરાધના કરવાને તૈયાર થયેલા જીવોએ વ્યક્તિ તરીકે રહેલા ઋષભદેવાદિ તીર્થકરોની ઉપેક્ષા ન કરવી જોઈએ. જેવી રીતે સમષ્ટિમય આરાધના આત્મકલ્યાણ માટે ઉપયુક્ત છે, તેવી રીતે શ્રી ઋષભદેવ આદિ વ્યક્તિની આરાધના પણ સંપૂર્ણ ઉપયોગી છે." અરિહંતદેવના નામોમાં “૩૫' વગેરેની વર્ણવ્યવસ્થા ૩ પછી સ અને પછી જ આ પ્રમાણે વર્ષોના નિર્મીત અનુક્રમવાળી તથા અર્થવાળી છે, તેથી તે નામો વાચક છે પણ વાચ્ય નથી. એવા અનુક્રમે ગોઠવાયેલા, અર્થવાળા અક્ષરસમૂહને “નામ' કહેવામાં આવે છે. , નામ યાદચ્છિક હોય અથવા ગુણનિષ્પન્ન પણ હોય. જિનેશ્વર ભગવંતના નામો ગુણ નિષ્પન્ન હોય છે. આ પ્રકારે ચોવીસ અરિહંત ભગવંતના ચોવીસ પુણ્યકારી નામો સ્વાભાવિક શક્તિ અને સંત વડે વાર્થનો બોધ કરાવનારા છે. નામ અને રૂપનો ગાઢ સંબંધ હોય છે તે આપણે સ્થાપના (આકૃતિ) નિક્ષેપમાં વિચારીશું. અહીં એ પ્રશ્ન થાય કે નામ તો માત્ર શબ્દપુદ્ગલોના સમૂહાત્મક હોવાથી તેનું સ્મરણ આત્માને કેવી રીતે ઉપકારી થાય ? તેનું સમાધાન એ છે કે નામ નામના ગુણોને યાદ કરાવનાર છે, તેમના ગુણો પ્રત્યે બહુમાન કરાવનાર છે, તેથી તેનું સ્મરણ ફળદાયક નીવડે છે. શ્રી “રાયપાસેeઇયસુત્ત'ના દશમા સૂત્રમાં જણાવ્યું છે કે “દેવાનુપ્રિય, તેવા પ્રકારના (જ્ઞાન-દર્શનને ધરનારા, જિન, કેવલી) અર્હત્ ભગવંતોના નામ ગોત્રનું શ્રવણ પણ મહાફલદાયિ છે. શ્રીતીર્થંકરભગવંતોનાં નામ પરમપવિત્ર તથા મંગલમય છે, તેનો યથાવિધિ જાપ કરવામાં આવે તો સર્વદુઃખ, સર્વપાપક, સર્વપ્રકારની અશાન્તિ કે સર્વપ્રકારના અત્તરાયોને તે દૂર ૧. નામના નિનામા, ........... ......................II દેવવંદન ભાષ્ય પૃ. ૩૭૫ ૨. અન્વર્થ નામને નામગોત્ર કહેવામાં આવે છે. ૩. તે મહાનં રહેતુ તેવા[પ્રિયા તારૂવાપાં અરહંતાપાં નામોયસ્ત વિ સંવા ..... રાયપણઈય સુત્ત પૃ. ૩૯ ४. त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्ध પા ક્ષાત્ ક્ષયમુનિ શરીરમાનામ્.................Iણા ભક્તામરસ્તોત્ર Page #28 -------------------------------------------------------------------------- ________________ કરનાર છે. તે શુભને પ્રવર્તાવ છે. તાત્પર્ય કે તેમના નામસ્મરણથી સઘળાં દુઃખો દૂર થઈને સર્વ સુખનાં સાધનો આપોઆપ મળી આવે છે, તેટલું જ નહીં પણ જો શ્રી તીર્થંકરભગવંતના નામના એક જ પદને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તો આત્મા સ્વયં તીર્થકર થાય છે. નામસ્મરણથી સમ્યગ્દષ્ટિ આત્માની અસ્વસ્થતા દૂર થાય છે. કદાચ તીવ્ર નિકાચિત કર્મના ઉદયથી તે દૂર ન થાય તો પણ દુઃખમાં ધૃતિ-ધીરજ રાખવાની વૃત્તિ પ્રગટે છે અને પ્રજ્ઞાને પરમ પ્રકાશ સાંપડે છે. નામસ્મરણ આટલું ગુણસંપન્ન અને કલ્યાણકારી છે એટલે જ તેને ભક્તિનું એક પ્રધાન અંગ ગણેલ છે અને જણાવેલ છે કે “ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાઓનું બીજ છે.” નામસ્મરણ સઘળી શ્રેણિના સાધકો માટે પરમ ઉપયોગી તથા આત્મદર્શન કરાવનાર છે. લોગસ્સસૂત્ર દ્વારા નામસ્મરણની પ્રાથમિક અવસ્થામાં ગુરુની અનુજ્ઞાની અને બાહ્યતાના સાધનની આવશ્યક્તા રહે છે, પરંતુ એક વખત આરાધકના હૃદયમાં અરિહંત ભગવંતના નામ પ્રત્યે અનન્ય શ્રદ્ધા પ્રકટે, અન્તરંગ પ્રતીતિ જાગી ઊઠે, ત્યારે તેની બોધિની વિશુદ્ધિમાં તે નામસ્મરણ પરમ નિમિત્ત બને છે.' નામસ્મરણનો ઉપર્યુક્ત પ્રભાવ ત્યારે જ અનુભવાય છે કે જયારે નામસ્મરણ અર્થના ઉપયોગપૂર્વકનું અને ગુણાનુરાગવાળું હોય. ઉપયોગ અને ભાવનગરના નામસ્મરણને શાસ્ત્રોએ રાજાની વેઠની ઉપમા આપી છે. તેવું નામસ્મરણ સાધારણ ફળ જરૂર આપે છે પણ અભીષ્ઠ ફળ આપવા સમર્થ બની શકતું નથી. અહીં નીચે પ્રમાણે બે શંકા થવા સંભવ છે : ૧. ચોવીસ તીર્થંકરો કોઈ ક્ષેત્રમાં કોઈ કાલે એકઠા થયા નથી તો આરાધકના હૃદય ક્ષેત્રમાં એક જ સમયે નામગ્રહણથી તેમને એકત્ર કરવાથી ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? ૨. (૧) એક તીર્થકર ભગવાનમાં જે શ્રેષ્ઠ અને ઉત્તમોત્તમ ગુણોનો સમૂહ હોય તે ૧. નનન ! સુણવત્તા, તવ પુરસુત્તમ ! તાત્તિi I..........III અજિત-શાંતિ સ્તવ २. आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते નામપિ પતિ ભવતો ભવતો નન્તિ.................Iળા કલ્યાણ મંદિર સ્તોત્ર 3. एतेषामेकमप्यर्हन्नाम्नामुच्चारचन्नधैः । | મુખ્યત્વે કિં પુન: સર્વા-ળ્યજ્ઞg fનના તે I૬૪રા જિનસહસ્રનામ ४. सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । પ#િાવતી વીનં, પરમાનન્દસમામ્ IIQરા ધાત્રિશદ્ દ્વાત્રિશિકા (ચતુર્થ ધાત્રિશિકા) પત્ર ૨૫ અ ५. दंसणयार-विसोही चउवीसायथएण किच्चइ य । --કિત્તાત્કવે નિવરિદ્વા રા ચઉસરણ-પર્ણય ગાથા ૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ ચોવીસેય તીર્થકરોમાં હોય. (૨) યાકિનીમહત્તરાસૂનુ આચાર્યભગવંત શ્રીહરિભદ્રસૂરિએ જણાવ્યું છે કે એક તીર્થકર ભગવંતની પૂજા કરવાથી સર્વ તીર્થકર ભગવંતોની પૂજા થઈ જાય છે." (૩) વળી ‘સકલાઉત સ્તોત્ર'ના પ્રથમ શ્લોકમાં પણ અહીં આગળ દર્શાવ્યા પ્રમાણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચન્દ્રસૂરિ આઈજ્ય-ગુણના ધ્યાનમાં લીન થવાનું કહે છે. ઉપરના ત્રણ કારણોથી સ્પષ્ટ થાય છે કે એક તીર્થકર ભગવંતના નામગ્રહણથી જેટલો લાભ થાય છે તેટલો જ લાભ ચોવીસ તીર્થકરોના નામ ગ્રહણથી થાય છે, તો ચોવીસ જિનના નામોચ્ચારણપૂર્વકની સ્તવના શા માટે ? ઉપર્યુક્ત બંને શંકાઓનું નિરાકરણ એ છે કે પૃથફ પૃથફ ચોવીસેય તીર્થંકરભગવંતો ગુણોથી સમાન છે, સઘળા એકસરખા સ્તુતિને પાત્ર છે, છતાં પણ તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન છે, તેથી તે પ્રત્યેકના નામગ્રહણથી જે ઉલ્લાસ, જે ભાવના થાય છે અને તે દ્વારા ગાઢ કર્મોની જે નિર્જરા થાય છે તે અપૂર્વ હોય છે. આ વસ્તુ અનુભવ અને શાસ્ત્રોથી સિદ્ધ છે. નામનિક્ષેપની ધારણાથી જ આ પરિણામ શક્ય છે. જો એમ ન મનાય તો સાક્ષાત્ શ્રી ઋષભદેવ આદિ અરિહંતભગવંતને નમસ્કાર કરવાથી જે ફળ મળે તે ફળ ‘રૂસમ મન વ વં’ બોલવાથી મળે જ નહીં. એટલું જ નહીં પણ નામનો અને નામીનો સંબંધ ન માનવામાં આવે તો ‘સમનિમં ૨ વંટુ’ કહેવાથી કેવળ ભાષાના પુદ્ગલો કે જે અચેતન છે તેનો નિરર્થક પ્રયોગ જ થાય. સ્થાપના (આકૃતિ) નિક્ષેપ-કોઈ પણ નામ ગ્રહણ કરતાં તે નામથી વાચ્ય થતી વ્યક્તિ અથવા તેનું સ્વરૂપ પ્રતિમા- માનસપટ ઉપર અવશ્ય પ્રકટ થાય છે, તેથી નામ અને નામીના અભેદ સંબંધનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે. શ્રીજિનેશ્વરદેવનું નામ હૃદયમાં સ્થિર થતાં-વાણીની મધ્યમા અવસ્થામાં તે પ્રવેશતાં १. एगम्मि पूइयम्मि, सव्वे ते पूइया हुंति ॥' ૨. .......... વનિVI M firદ્રડિમાનો | ......... .//૪ો દેવવંદનભાષ્ય, પૃષ્ઠ ૩૭૫ ૩. “વૈખરી' વાણીનું ઉપાદાન સ્થૂલ પ્રાણવૃત્તિ છે, પણ મધ્યમાવાણીનું ઉપાદાન બુદ્ધિ છે. મધ્યમાં વાણીમાં ક્રમ હોય છે, કારણ કે તે પ્રાણમાં રહે છે. તાત્પર્ય કે મધ્યમાવાણીનો આધાર પ્રાણ છે, પણ ઉપાદાન બુદ્ધિ છે. એવું હોવા છતાં પણ મધ્યમાવાણીની ઉત્પત્તિમાં હેતુ ભલે સ્થૂલ પ્રાણવૃત્તિ નથી, ૫ પ્રાણવૃત્તિ તો છે જ. જેમ એ વાણી સૂક્ષ્મ પ્રાણવૃત્તિમાં રહે છે, તેમ મનમાં પણ રહે છે. વૈખરી અને પશ્યન્તીની મધ્યે એનું સ્થાન હોવાથી એ મધ્યમા કહેવાય છે.” ‘તાત્પર્ય કે મધ્યમા વાણી અંતઃસંકષ્પમાન, ક્રમવાળી અને જેના વર્ષોના રૂપની અભિવ્યક્તિ શ્રોત્રથી ગ્રાહ્ય નથી તેવી હોય છે.” વ્યક્તિરૂપ ભાવવાણી વૈકલ્પિક મતિરૂપ છે અને શ્રોત્રગ્રાહ્ય વાણીનું કારણ છે. તેને મધ્યમાં કહે છે.” “મધ્યમા વાણી શ્રુતજ્ઞાનોપયોગરૂપ છે.” સ્યાદ્વાદરત્નાકર, પરિચ્છેદ-૧, સૂત્ર ૭, પેજ ૮૯-૯૦. Page #30 -------------------------------------------------------------------------- ________________ તે પરમાત્મા આરાધકને જાણે ચક્ષુ વડે પોતાની સામે દેખાતા હોય, હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, સર્વ અંગોમાં અનુભવાતા હોય અને તન્મયભાવને પામી જતા હોય તેવો અનુભવ થાય છે. આવી જાતના અનુભવોથી સકલ કલ્યાણ સિદ્ધ થાય છે.”૧ આ શબ્દો નામ તથા નામીનો ગાઢ સંબંધ દર્શાવે છે. નામ અને રૂપનો આવો વિશિષ્ટ સંબંધ તથા મહિમા છે, તેથી જ એક અપેક્ષાએ નામ નિત્ય અથવા અવિનાશી મનાય છે અને રૂપ પરિવર્તનશીલ મનાય છે. નામ અને રૂપમાં આજ કારણે નામનું પ્રાથમ્ય તથા માહાત્મ્ય સ્પષ્ટ છે. ૨૯ નામના ઉચ્ચારણ સાથે નામીની ઉપસ્થિતિનો અનુભવ થવો તે નામાભ્યાસની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ અને અસંદિગ્ધ લક્ષણ છે. નામના ઉચ્ચારણથી નમસ્કાર ક૨વાના પરિણામરૂપ પ્રકાશ આત્મામાં પ્રકટે છે. અગ્નિના ઉષ્ણગુણને જાણનારો અગ્નિ શબ્દના ઉચ્ચારણ સાથે જેમ ઉષ્ણગુણને સ્મરણ કરનારો થાય છે અથવા અગ્નિના આકારને ચિંતવતો થાય છે તેવી જ રીતે શ્રીઅરિહંતભગવંતના પ્રશમરસનિમગ્નાદિ આકારને જાણવાવાળો આરાધક તેમના નામના ઉચ્ચારણ સાથે પ્રશમરસનિમગ્નાદિ અથવા સમવસરણ સ્થિતાદિ આકૃતિને ચિંતવ્યા વિના રહેતો નથી. નામ શબ્દ છે અને આકૃતિ અર્થ છે-અર્થની જાણકારી વગરના સૂત્રને શાસ્ત્રકારો સુતેલું જ (સુત્ત-સુપ્ત) ગણે છે. અર્થ જાણ્યા વિનાનું સૂત્રાધ્યયન પણ મંત્રાક્ષરોની માફક ફળ દેવાવાળું તે છે જ પણ આત્માના અધ્યવસાયો જેમ જેમ શુભ થાય તેમ તેમ નિર્જરા વધારે થાય. અધ્યવસાયોનું શુભ થવું તે શુભ વિચારને આધીન છે. શુભ વિચારોની ઉત્પત્તિ એકલા સૂત્રાધ્યયનથી થાય તેના કરતાં અર્થના વિચાર સાથે સૂત્રાધ્યયનથી ઘણી જ વધારે થાય તે સ્વાભાવિક છે, તેથી સૂત્રના ઉચ્ચારણ સાથે અર્થની અને તેના ઉપયોગની અતિ આવશ્યકતા રહે છે. દ્રવ્યનિક્ષેપ—દ્રવ્ય અરિહંતપણું કેવલ તેઓની અતીત અને અનાગત દશાને લઈને જ ગણવામાં આવે છે. આ જ કારણથી જિન શબ્દના નિક્ષેપમાં ‘નિા નળનીવા'' એટલે ભાવતીર્થંકરપણાની અવસ્થાને પામેલા અથવા પામવાવાળા જીવોને જ અતીત અને અનાગતકાલની અપેક્ષાએ દ્રવ્યજિન તરીકે ગણવામાં આવેલા છે. ભગવાન શ્રીઋષભદેવથી આરંભી શ્રીવર્ધમાનસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરો પૈકી કોઈ પણ હાલ ભવસ્થ નથી એટલે કે શરીરધારી નથી, તે પૈકી કોઈ પણ વર્તમાનમાં અરિહંત નામકર્મને ભોગવનાર પણ નથી, તે ચોવીસેય તીર્થંકરો સર્વથા કર્મથી રહિત બનીને સિદ્ધિપદને પામેલા છે. ૧. . हृदयस्थितेसति भगवान् पुर इव परिस्फुरति પ્રતિમાશતક પૃ. ૪. Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 વસ્તુતઃ સર્વથા કર્મથી રહિત એવા સિદ્ધપરમાત્મા, નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતા અરિહંતપણામાં વર્તતા હોય તેવો વિકલ્પ તેમના માટે જો સેવવામાં આવે તો તે દ્રવ્યનિક્ષેપની ધારણા કર્યા સિવાય સંભવિત નથી. જેમ નામ અને સ્થાપના (આકૃતિ) નિક્ષેપ આરાધ્ય છે તેમ દ્રવ્યનિક્ષેપ પણ આરાધ્ય છે એ વસ્તુ તો લોગસ્સસૂત્ર અંગે દર્શાવેલ નીચેની યુક્તિથી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. “શ્રીઆદિનાથ ભગવાનની વિદ્યમાન અવસ્થામાં જ્યારે સાધુઓ આવશ્યક ક્રિયાપ્રતિક્રમણ કરે ત્યારે પડાવશ્યક પૈકી બીજા આવશ્યક ચતુર્વિશતિજિનસ્તવની આરાધના કરતી વેળાએ તેવીસ તીર્થંકરો તો તે વખતે થયા ન હોય અને ભવિષ્યમાં થનારા હોય તેથી તેમને તે તેવીસ તીર્થકરો દ્રવ્ય જિનરૂપે છે. તેમની તે કાલે તે પ્રમાણે આરાધના કરવામાં આવતી હતી. જો દ્રવ્યનિક્ષેપ માનવામાં ન આવે તો આ આરાધના ઘટિત થઈ શકે જ નહીં. શ્રી આદિનાથ ભગવંતના સમયમાં ચતુર્વિશતિજિનસ્તવને બદલે એકજિનસ્તવ હોવું જોઈએ. એમ જો કહેવામાં આવે તો શ્રી અજિતનાથ ભગવંતના સમયમાં દ્વિજિનસ્તવ હોવું જોઈએ. તો તે પ્રમાણે યુક્તિ ઘટતી નથી, કારણ કે શાશ્વત અધ્યયનોના પાઠોમાં લેશ પણ પરાવર્તનની શક્યતાને જૈનદર્શન સ્વીકારતું નથી, તેથી દ્રવ્યનિક્ષેપને આરાધ્ય માનવો જોઈએ.'' ભાવનિક્ષેપ–ભાવ જિનની વ્યાખ્યા- ભાવના સમવસરસ્થા-એ પ્રમાણે છે. સમવસરણમાં બિરાજમાન થઈ સાતિશય વાણી વડે દેશના દેતા જિનેશ્વરદેવ તે ભાવજિન છે. તેમનું સાલંબન ધ્યાન નીચે પ્રમાણે કરવું - “સર્વ પ્રાણીઓને હિતકર, જેના શરીરાદિ સૌંદર્યને કોઈ ઉપમા નથી એવા અનુપમ, અનેક અતિશયોથી સંપન્ન, આમાઁષધિ વગેરે નાના પ્રકારની લબ્ધિઓથી સહિત, સમવસરણમાં સાતિશય દેશના આપતા, દેવનિર્મિત સિંહાસન ઉપર બિરાજમાન, છત્રત્રય અને અશોકવૃક્ષ નીચે રહેલા, દેશના દ્વારા સર્વસત્ત્વોના પરમ અર્થ-મોક્ષ માટે પ્રવૃત્ત, અત્યન્ત મનોહર, શારીરિક અને ૧. પ્રતિમાશતક, પૃ. ૯ २. सर्वजगद्धितमनुपम-मतिशयसंदोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं, सदसि गदत्तत्परं चैव ॥१॥ सिंहासनोपविष्ट, छत्रत्रयकल्पपादपस्याधः । सत्त्वार्थसम्प्रवृत्तं, देशनया कान्तमत्यन्तम् ॥२॥ आधीनां परमौषध-मव्याहतमखिलसम्पदां बीजम् । चकादिलक्षणयुतं, सर्वोत्तमपुण्यनिर्माणम् ॥३|| निर्वाणसाधनं भुवि, भव्यानामप्यमतुलमाहात्म्यम् । सुरसिद्धयोगिवन्द्यं, वरेण्यशब्दाभिधेयं च ॥४॥ ષોડશકપ્રકરણ, (પંચદશષોડશક) પત્ર ૮૨ આ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ માનસિક પીડાઓનું પરમ ઔષધ, સર્વ સંપત્તિઓનું અનુપહત-અવસ્થ્ય-બીજ, ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યના પરમાણુઓથી બનેલા, પૃથ્વી પર ભવ્યોને માટે નિર્વાણનું પરમ સાધન, અસાધારણ માહાત્મ્યવાળા, દેવો અને સિદ્ધયોગીઓ (વિદ્યામંત્રાદિ સિદ્ધો) ને પણ વંદનીય અને ‘વરેણ્ય’ શબ્દ વડે વાચ્ય એવા શ્રી જિનેન્દ્રરૂપનું ધ્યાન કરવું.' (એ સાલંબન યોગ છે.) જિનેશ્વરો નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવસ્વરૂપ હોવાથી તેમની સ્થાપના માનસ પ્રત્યક્ષ થવાથી કે તેનું દર્શન કરવાથી તેમની ભાવ દશાનું સ્મરણ થાય છે અને તે દ્વારા આત્માને તેમના ગુણોનું સ્મરણ થાય છે. ભગવંતના નામ, સ્થાપના તથા દ્રવ્ય-આ ત્રણેય નિક્ષેપા ભાવઅર્હત્ સાથે અભેદબુદ્ધિ કરવામાં કારણ છે અને આ પ્રકાર શુદ્ધહૃદયવાળા મહાત્માઓને શાસ્ત્રથી ઇષ્ટ છે અને અનુભવથી ષ્ટ છે. ઉપર પ્રમાણે શુદ્ધ પ્રણિધાન ધરીને અરિહંતોનું કીર્તન અને વંદન જે આરાધક કરે તે પરમ આનંદ પામે અને તેની સ્તવના સફળ થાય.૧ અર્થાધિકાર—લોગસ્સસૂત્રનો અર્થાધિકાર સદ્ભૂતગુણોત્કીર્તન છે. આ વિષયને જરા વિશદતાથી વિચારીએ. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં રહેલો જીવ પોતાની ભવિતવ્યતાનો પરિપાક થવાના યોગે સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે છે ત્યારે તેમાં કર્મનો ક્ષયોપશમ કે એવાં કોઈ કારણો કાંઈ ભાગ ભજવતા નથી, માત્ર ભવિતવ્યતા જ ભાગ ભજવે છે. ત્યાંથી બહાર નીકળ્યા પછી યથાપ્રવૃત્તિકરણના યોગે કર્મોનો જે ક્ષયોપશમ તે કરે છે તેના કરતાં ગુણપ્રાપ્તિ દ્વારાએ થતો કર્મોનો ક્ષયોપશમ અધિક અને વૈશિષ્ટયપૂર્ણ હોય છે. ગુણાનુરાગ વિના ગુણપ્રાપ્તિ સંભવતી નથી, એટલે ગુણપ્રાપ્તિનું મુખ્ય કારણ ગુણાનુરાગ છે. ગુણાનુરાગ એ આત્માની ઉન્નતિનું સોપાન છે. ગુણાનુરાગ હોય ત્યાં ગુણપ્રશંસા સ્વયમેવ આવે છે. આવી ગુણપ્રશંસાને-સદ્ભૂત ગુણોની પ્રશંસાને દર્શાવતું સૂત્ર તે ‘લોગસ્સસૂત્ર’ છે અને તેથી જ તેનો અર્થાધિકાર સદ્ભૂતગુણોત્કીર્તન છે. એમ જણાવાયું છે. જે કોઈ સર્વ ગુણોથી અધિક હોય તેનું જ ગુણોત્કીર્તન થાય અને તેવા કોઈ પણ આત્માઓ આ વિશ્વમાં હોય તો તે શ્રીતીર્થંકરભગવંતો જ છે. તેનાં કારણોનો નિર્દેશ કરતાં દર્શાવ્યું છે કે— ૧. પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી—અરિહંત ભગવંતો ર્મક્ષત્તુતાશન રૂપે ૧. શાંતિસ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે....શાંતિજિન (આનંદઘનજીકૃત સ્તવન) ૨. આવસ્સાસ ં મે અત્યાદિનારા મવંતિ । તું ના-સાવપ્ન-ગોળ-વિરૂં, લ્લિતળ મુળવો ઞ પવિત્તૌ ।—અણુઓગદાર સુત્ત (સૂત્ર ૫૮) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્તવાયા છે. ‘તેમને ભાવપૂર્વક કરાયેલો નમસ્કાર જીવને સંસાર સાગરથી તારે છે.” એમ શાસ્ત્રોમાં અનેક સ્થળે કહેવામાં આવ્યું છે. ૨. પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી—બોધિ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એ જ મોક્ષમાર્ગનું મૂળ છે. સમ્યગ્દર્શનથી જ મોક્ષની પ્રાપ્તિના આંતરાનો નિયમ થઈ શકે છે અને તેથી જ સમ્યગ્દર્શનને ધર્મના મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ તરીકે ઓળખાવવામાં આવે છે. સમ્યગ્દર્શનવાળાને જ મોક્ષમાર્ગની અપેક્ષાએ દેખનાર તરીકે ગણવામાં આવે છે. જો સમ્યગ્દર્શન ન હોય તો આરાધકપણાની દૃષ્ટિએ તેને આંધળો ગણવામાં આવે છે પણ તે સમ્યગ્દર્શન જીવાદિ તત્ત્વોના હેય, જ્ઞેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ હોય છે. નામસ્મરણની ઉપાદેય ભક્તિથી આરાધકની બોધિ સમય જતાં ઉત્તરોત્તર વિશુદ્ધતા પામે છે. ૩. ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી—ભવાંતરમાં પણ બોધિની વિશુદ્ધિની ક્રમિક ઉન્નતિ ચાલ્યા કરે છે તે ઉન્નતિ પરમ દશાએ પહોચે તો જ મોક્ષ સિદ્ધ થાય. ૪. સાવઘ યોગોની વિરતિના ઉપદેશકપણાને લીધે ઉપકારી હોવાથી—જગતના તમામ જીવોનું હિત ઇચ્છી તેમને આત્મકલ્યાણનો સાચો રસ્તો બતાવવો એ કાર્ય તો કોઈ વિરલ વિભૂતિઓ વડે જ-જગદ્ગુરુઓ વડે જ કરી શકાય છે, તેવા જગદ્ગુરુઓ શ્રીઅરિહંત પરમાત્માઓ જ-ચોવીસ તીર્થંકર ભગવંતો જ છે, માટે જ લોગસ્સસૂત્રમાં અરિહંતભગવંતોનું જ ગુણોત્કીર્તન કરવામાં આવ્યું છે. ગુણોત્કીર્તન એ ગુણાનુરાગ હોવાથી ગુણની પ્રાપ્તિનું કારણ બને છે. જૈનેતર ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે વન્દે તા તયે—“ભગવંતના ગુણો મને પ્રાપ્ત થાય તે માટે વંદન કરું છું.' ગુણનો અનુરાગ ગુણી દ્વારા જ દર્શાવી શકાય છે. ગુણીનું પ્રત્યક્ષદર્શન એટલું બધું ઉપયોગી નીવડે છે કે સ્વતંત્ર રીતે તેનું ગ્રહણ, તેને વંદન, તેને નમસ્કાર, તેની પર્યુપાસના એ બધું તેના પ્રત્યક્ષપણાને લીધે જ થઈ શકે છે. સમ્યગ્દર્શનાદિ ધર્મ અરિહંતભગવંતમાં સંપૂર્ણપણે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર-એ ત્રણ આત્માના સ્વભાવિક ગુણો છે, તેથી તે ત્રણે ગુણો ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિકચારિત્ર વીતરાગપણે સર્વ કર્મનો ક્ષય કરી તેઓ સિદ્ધ દશા મેળવે તો ત્યાં પણ રહે છે. લોગસ્સસૂત્રનું બંધારણ—આ સ્તવ સાત ગાથાનું છે. તેના ત્રણ ખંડ છે. પહેલી ગાથાનો પહેલો ખંડ જે ‘સિલોગ' છંદમાં છે, તે પ્રતિજ્ઞાનો નિર્દેશ કરે છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથાનો બીજો ખંડ જે ‘ગાહા' છંદમાં છે તેમાં ચતુર્વિંશતિજિનનામસ્મરણ તથા વંદના છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથાનો ત્રીજો ખંડ જે પણ ‘ગાહા' છંદમાં છે તેને શ્રી સુબોધાસામાચારીમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રણિધાન-ગાથા-ત્રિક કહેવામાં આવેલ છે. પહેલી ગાથા–અરિહંત ભગવંતનાં ચાર વિશેષણો મૂકવાથી ઇતર અરિહંતો ગ્રહણ થતા નથી. વિત્તરૂલ્સ થી નામસ્મરણની પ્રતિજ્ઞાનો નિર્દેશ પણ અહીં મળે છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથા–વર્તમાન ચોવીસીનાં નામો અહીં આપવામાં આવ્યાં છે અને તેમને વંદના-ભાવવંદના કરવામાં આવી છે. તે ભાવવંદનાના પ્રકારની વિચારણા કરશું. ભાવવંદના–તેનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે : (૧) ક્રિયામાં (સ્મરણમાં) સતત ઉપયોગ, લક્ષ્ય કે સાવધાની. (૨) સ્તવ કે સૂત્રનો ઉચ્ચાર કરતાં તેના અર્થની વિચારણા. (૩) આરાધ્ય અરિહંતદેવ પ્રત્યે બહુમાન. (૪) વંદનની ક્રિયા કરવાની તક મળવા બદલ હૃદયમાં આનંદની લાગણી. (૫) ભવભ્રમણનો ભય કે નિર્વેદ તાત્પર્ય એ છે કે લોગસ્સસૂત્રનું સ્મરણ જ્યારે ચાલતું હોય ત્યારે તે સિવાયના અન્ય કોઈ વિચારમાં મનને જવા ન દેતાં તેની ભસ્મરણ) ક્રિયા, તેના વર્ણો (શબ્દો), તેની અર્થવિચારણા અને તેનો મુખ્ય વિષય જે અરિહંતદેવ તેના પર જ મનને એકાગ્ર કરવું. ઉપર દર્શાવેલા લક્ષણોથી વિપરીત હોય તે દ્રવ્યવંદના કહેવાય. ક્ષાયોપથમિકભાવ વડે પરમ આદરથી કરવામાં આવેલું વંદન શુભભાવની વૃદ્ધિ કરનારું છે. વંદના તે અનાદિ ભવથી થતી આવે છે, માટે સુજ્ઞ પુરુષોએ હવે એવી વંદના કરવી કે જે મોક્ષને મેળવવામાં અનન્યકારણભૂત હોય. શુદ્ધ ભાવવંદનાના યોગે જીવને અર્ધપુદ્ગલ પરાવર્તથી અધિક સંસારભ્રમણ રહેતું નથી. १. नामारिहंतत्थए आईए अट्टमं तओ पढमसिलोगस्स पढणा वायणा दिज्जइ तओ पंचवीस आयंबिलाणि बारसहिं गएहि गाहातिगस्स बीया वायणा दिज्जइ, पुणोऽवि तेरसहिं गएहिं पणिहाणगाहातिगस्स तइया दिज्जइ वायणा ५ पंचमस्स विही. સુબોધા સામાચારી, પત્ર ૫ આ. 2. See 'The Jain Prayer' By Dr. Harisatya Bhattacharya. See 'The Concept Of Arhat' By Padmanabha Jaini. જુઓ “વૈદિકપદાનુક્રમકોષ'માં શબ્દ “અહ”, “અહ” વિ. 3. लिंगा ण तिए भावो, ण तयत्थालोयणं ण गुणरागो । णो विम्हओ ण भवभय-मिय वच्चासो य दोण्हं पि ॥९॥ પંચાશકપ્રકરણ (તૃતીયપંચાશક) ગાથા ૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સભાન માત્રથી મોક્ષ પ્રાપ્ત થતો નથી, પરંતુ તે પ્રમાણે ભાવશુદ્ધિને માટે પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધ ભાવ અને શુદ્ધ વર્ષોચ્ચારપૂર્વક અર્થચિન્તનાદિ વડે કરાતી વંદના યથોદિત ગુણવાળી હોઈને નિશ્ચયે મોક્ષફળને આપે છે જ. પાંચમી, છઠ્ઠી, સાતમી ગાથા–આ ગાથાઓને પ્રણિધાન-ગાથાત્રિકરૂપે દર્શાવવામાં આવી છે. મનની વિશિષ્ટ એકાગ્રતા, પ્રશસ્ત અવધાન કે દઢ અધ્યવસાયોને પ્રણિધાન કહેવામાં આવે છે. પ્રણિધાન, અધ્યવસાય કે મનની સ્થિરતા-એક અર્થવાળા શબ્દો છે. જે વિશુદ્ધ ભાવનાથી પ્રધાન છે, જેમાં મન તેના (વીતરાગના) અર્થમાં (વિષયમાં) અર્પિત થયેલ છે તથા શક્તિ મુજબ ક્રિયાચિહ્નથી જે યુક્ત છે તે પ્રણિધાન કહેવાય છે. હૃદયગત પ્રશસ્તભાવનાઓ આ ત્રણ ગાથામાં ભક્તિપૂર્વક પ્રદર્શિત કરવામાં આવી છે, તેથી આ ગાથાઓને પ્રણિધાન-ગાથા-ત્રિક કહેવામાં આવે છે. હૃદયગત ભાવોને પ્રકટ કરવા માટે મથના શબ્દ દ્વારા જિનવરોનું (‘અભિમુખ ભાવથી ખવાયેલા' એવો અર્થ કરીને) સંનિધાન કરવામાં આવ્યું છે, અર્થાત્ ચતુર્વિશતિ જિનવરોને બુદ્ધિની સમીપ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાંચમી ગાથામાં પરમાત્માઓ પ્રસન્ન થાઓ એવી સ્તુતિ છે. છઠ્ઠી ગાથામાં આરોગ્યાદિની યાચના છે. વસ્તુતઃ વિજ્ઞપરંપરાનો જય કરવાનું સામર્થ્ય પ્રગટે તેવી અભિલાષા તેમાં રહેલી છે. કેવળજ્ઞાનના પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી ઉદ્યોત કરવાના સ્વભાવવાળા-એ પ્રકારે જેમને શરૂઆતમાં સ્તવ્યા હતા તેમના વિષે મનની વિશિષ્ટ એકાગ્રતાપૂર્વક અનુચિંતન કરતાં તેઓ તેજના મહાઅંબારસ્વરૂપ અવભાસમાન થાય છે. પહેલાં, અનેક ચન્દ્રો કરતાં વધારે નિર્મલ જયોતસ્વરૂપ, પછી અનેક સૂર્યો કરતાં વધારે તેજોમય અને જાજવલ્યમાનસ્વરૂપ અને ત્યાર પછી અકથ્ય આનંદના મહાસાગરસ્વરૂપ જેથી તેઓ સ્વયંભૂરમણસમુદ્રથી પણ વધારે ગંભીર જણાય છે. આ પ્રમાણે પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિધ્વજય થતાં ઇષ્ટફળની સિદ્ધિ થાય છે અને તે થતાં ૧. માત્મણૂં મૈત્નોથ-પ્રાશ... २. ज्योतिः परं परस्तात्, तमसो ૩ આત્યિમમ«, ४. स्तिभिततरङ्गोदधिसमम् - ષોડશકપ્રકરણ, (પંચદશષોડશક) ગાથા ૧૧થી ૧૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વિનિયોગ સુલભ બને છે. પ્રસ્તુતમાં સાતમી ગાથામાં “સિદ્ધ સિદ્ધિ મમ વિલંતુ' શબ્દોથી ઇષ્ટફળની સિદ્ધિ માટેની મનઃકામના વ્યક્ત કરવામાં આવી છે. શ્રીચતુર્વિશતિસ્તવનું રહસ્ય અગાધ છે. તે વૈખરી વાણીથી પૂર્ણ રીતે સમજાવી શકાય તેમ નથી. છતાં મુમુક્ષુ આત્માઓ છ આવશ્યક પૈકી આ બીજા આવશ્યકનું રહસ્ય સમજવા માટે પ્રયત્નશીલ થાય તે ઉદ્દેશથી આટલી વિચારણા સૂચનરૂપે અહીં કરી છે. તે પરથી વિશષજ્ઞો તેમાં વિશેષ રીતે પ્રવૃત્ત થાય અને સામાન્ય મનુષ્યો તેની વાસ્તવિક ગંભીરતાને પિછાણી તેમાં વર્ષોલ્લાસ પ્રગટાવે એ જ અભ્યર્થના. વિ. સં. ૨૦૨૨, કાર્તિક શુક્લ પંચમી અમૃતલાલ કાલિદાસ દોશી શુક્રવાર, તા. ૨૯-૧૦-૬૫ પ્રમુખ, જૈ. સા.વિ. મંડળ ૧. પ્રffધ-પ્રવૃત્તિ-વિઝય-fસદ્ધિ-વિનિયોrખેત: 4: I धर्म -राख्यातः, शुभाशयः पञ्चधाऽत्र विधौ ॥६|| ષોડશકપ્રકરણ, (તૃતીયષોડશક) Page #37 -------------------------------------------------------------------------- ________________ પરિચય લોગસ્સસૂત્રનું પ્રામાણ્ય ઃ——— લોગસ્સસૂત્રનું બીજું નામ ચતુર્વિશતિસ્તવસૂત્ર છે, ચતુર્વિશતિસ્તવસૂત્ર એ મૂલ આવશ્યકસૂત્રનું બીજું અધ્યયન છે. વિદ્યમાન ૪૫ આગમોમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયત્ના, ૬ છેદ, ૪ મૂલ તથા શ્રી નંદી અને અનુયોગદ્વાર સૂત્ર ગણાય છે. ચાર મૂળ સૂત્રનાં નામ શ્રીદશવૈકાલિક સૂત્ર, શ્રીઆવશ્યક સૂત્ર, શ્રીઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રીઓઘનિર્યુક્તિ છે. આવશ્યક એ મૂલ ચાર સૂત્રમાં પ્રથમ સૂત્ર છે. આવશ્યકસૂત્રનાં છ અધ્યયનો છે, તેમાં ચતુર્વિંશતિસ્તવ એ બીજા અધ્યયનનું નામ છે. પહેલું સામાયિક, બીજું ચતુર્વિંશતિસ્તવ, ત્રીજું વંદન, ચોથું પ્રતિક્રમણ, પાંચમું કાયોત્સર્ગ અને છઠ્ઠું પ્રત્યાખ્યાન એમ શ્રીઆવશ્યકસૂત્રનાં છ અધ્યયનો છે. સામાયિકનો અધિકાર સાવદ્યયોઞની વિરતિ, ચતુર્વિશતિસ્તવનો અર્થાધિકાર સદ્ભુતગુણોનું કીર્તન, વંદનનો અર્થાધિકા૨ ગુણવાન એવા ગુરુનો વિનય, પ્રતિક્રમણનો અર્થાધિકાર સ્ખલિતની નિંદા, કાયોત્સર્ગનો અર્થાધિકાર ભાવવ્રણની ચિકિત્સા અને પ્રત્યાખ્યાનનો અર્થાધિકા૨ સંયમગુણની ધારણા છે. શ્રીજિનપ્રવચન છ આવશ્યકમય અને પંચ આચારમય છે. છ આવશ્યકોમાં સામાયિક મુખ્ય છે. તીર્થંકરો સામાયિક ધર્મનો ઉપદેશ આપે છે, માટે તેમની સ્તુતિ એ બીજું આવશ્યક છે. સામાયિક ધર્મનું પાલન કરનારા ગુરુઓનું વંદન એ ત્રીજું આવશ્યક છે. સામાયિક ધર્મના પાલનમાં આવેલી સ્ખલનાની શુદ્ધિ લાગેલા દોષરૂપી વ્રણની ચિકિત્સા અને ફરી સામાયિક ગુણનું શુદ્ધધારણ એ અનુક્રમે ચોથું, પાંચમું અને છઠ્ઠું આવશ્યક છે. શ્રીજિનાગમમાં સામાયિક ચાર પ્રકારનાં વર્ણવેલાં છે. સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક. એ ચારે પ્રકારનાં સામાયિક પાંચ આચારમય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારો છે અને તે આચારોની શુદ્ધિ છ આવશ્યકો વડે થાય છે, તેથી શ્રીજિનપ્રવચનને છ આવશ્યકમય અને પાંચ આચારમય ક્યું છે તે યથાર્થ છે. સામાયિક આવશ્યક વડે ચારિત્રાચારની શુદ્ધિ થાય છે, ચતુર્વિંશતિસ્તવ વડે દર્શનાચારની શુદ્ધિ થાય છે, ગુરુવંદન વડે જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે તથા Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચક્ખાણ આવશ્યક વડે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચારે આચારોની શુદ્ધિ થાય છે તથા સર્વ આવશ્યકો વડે વીર્યાચારની શુદ્ધિ થાય છે. એ રીતે પંચાચારની શુદ્ધિ કરનાર ષડાવશ્યકમય જિનપ્રવચનની આરાધના એ મુખ્યતઃ સામાયિક ધર્મની આરાધના છે. કહ્યું છે કે સર્વ ભાવોનો આધાર જેમ આકાશ છે, તેમ સર્વ ગુણોનો આધાર સામાયિક છે, તેથી શારીરિક અને માનસિકાદિ અનેક દુઃખોનો નાશ કરનાર એવા સામાયિકધર્મનો ઉપદેશ સર્વ તીર્થંકરોએ આપ્યો છે. સામાયિકધર્મ ઃ— શ્રીતીર્થંકરદેવના આગમોમાં પદે પદે ધર્મની જ એક પ્રશંસા છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, ધર્મ સ્વર્ગ-અપવર્ગ આદિ ઉત્તમ પદોને આપે છે, સંસારરૂપી ઘોર અરણ્યનું ઉલ્લંઘન કરવા માટે ધર્મ એ માર્ગદર્શક છે, ધર્મ માતાની જેમ પોષણ આપનાર, પિતાની જેમ પાલન કરનાર, મિત્રની જેમ સ્નેહ કરનાર, બંધુની જેમ પ્રેમ કરનાર, ગુરુની જેમ ઉત્તમ ગુણોને આપનાર અને સ્વામીની જેમ પ૨મ સહાય કરનાર છે. આવી અનેક ઉપમાઓથી ધર્મની સ્તુતિ શાસ્ત્રોમાં કરાયેલી છે. ધર્મથી જીવ રાજા થાય છે, ધર્મથી બળદેવ, વાસુદેવ અને ચક્રવર્તીપણું મળે છે, ધર્મથી જ દેવ, ધર્મથી ઇંદ્ર અને ધર્મથી જ અમિન્દ્રનાં પદો મળે છે અને અરિહંતપણું અર્થાત્ સર્વોત્તમ તીર્થંકર પદ પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે, એ રીતે ધર્મનો મહિમા ગવાયેલો છે. એ ધર્મ બીજો કોઈ નહિ પણ સામાયિક ધર્મ જ છે. ધર્મના દાન, શીલ, તપ અને ભાવ તથા અહિંસા, સંયમ અને તપ વગેરે જેટલા પ્રકારો છે, તે બધા સામાયિકધર્મની જ પુષ્ટિ કરનારા છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મ પણ સામાયિક ધર્મના જ ભેદ છે. શ્રુતધર્મ સામાયિક ધર્મનું માહાત્મ્ય વર્ણવે છે અને ચારિત્રધર્મ તેનું પાલન બતાવે છે. લોગસ્સસૂત્રમાં ચોવીસ તીર્થંકરો અને ઉપલક્ષણથી અનંત તીર્થંકરોની સ્તુતિ છે, તે સામાયિક ધર્મના ઉપદેશ અને પાલનને અંગે જ છે. સામાયિક ધર્મના આદ્યપ્રકાશક તીર્થંકરભગવંતો છે, તેથી શક્રસ્તવમાં તેમની સ્તુતિ ધર્મના દાતાર, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથિ અને ચાર પ્રકારના ધર્મ વડે ચાર ગતિનો અંત કરનાર ધર્મવરચાતુરંતચક્રવર્તી આદિ વિશેષણોથી થયેલી છે. 39 = સામાયિકનું સ્વરૂપ ઃ— સામાયિક ધર્મનું બહિરંગસ્વરૂપ સર્વ સાવદ્ય વ્યાપારોનો ત્યાગ છે અને અંતરંગસ્વરૂપ સર્વજીવો પ્રત્યે આત્મતુલ્ય સમતાભાવ છે. સામાયિકને વાસીચંદનકલ્પમધ્યસ્થભાવ પણ કહ્યો છે. રાગદ્વેષનો વિજય, સમસુખદુઃખવૃત્તિ, સર્વત્ર કલ્યાણૈકશીલતા વગેરે તેનાં જ પર્યાયો છે. નિશ્ચય ૧. સામાયિ મુળાના-માધા: ઘુમિવ સર્વમાવાનાં । न हि सामायिकहीना-श्चरणादिगुणान्विता येन ॥ १ ॥ तस्माज्जगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसानेक- दुःखनाशस्य मोक्षस्य ||२|| શ્રી અનુયોગદ્વારસૂત્ર ટીકા, પત્ર ૪૪ આ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ , નયની દૃષ્ટિએ આત્મા એ જ સામાયિક છે અને વ્યવહારનયની દષ્ટિએ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપનારાં સઘળાં સાધનો એ સામાયિક છે. જે જે સાધનોથી આત્માભિમુખ વૃત્તિ સધાય તે સઘળાં સાધનો એ સામાયિકની જ સિદ્ધિ કરાવનારાં છે. મોક્ષમાર્ગમાં જોડનારો સઘળો ધર્મવ્યાપાર, સમતત્વને સાધનાર સકળ કુશળ અનુષ્ઠાન, સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપી રત્નત્રયની સઘળી સામગ્રી, એ સામાયિક ધર્મનાં જ અંગો છે. સામાયિક ધર્મનું લક્ષ્ય આત્મા અને તેના ગુણો છે. જે ધર્મ વ્યાપારોથી આત્મગુણો પ્રગટ થાય અને આત્મસ્થિતિ સધાય તે ધર્મવ્યાપારોને સામાયિકધર્મ તરીકે તીર્થકરોએ ઉપદેશ્યા છે. ચતુર્વિશતિસ્તવ : સામાયિક ધર્મનું લક્ષ્ય આત્મા અને તેના ગુણો છે, એ જાણ્યા પછી એની સિદ્ધિ માટેનાં સાધનોમાં પ્રધાન સાધન સામાયિક ધર્મને ઉપદેશનારા તીર્થકરોની સ્તુતિ છે, તેથી તેને બીજું આવશ્યક કહ્યું છે. આધ્યાત્મિક સાધનામાં સામાયિક એ પ્રથમ આવશ્યક છે અને ચતુર્વિશતિસ્તવ એ બીજું આવશ્યક છે. મોક્ષમાર્ગની સાધનામાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રને વિકસાવનાર ક્રિયાઓ અતિ અગત્યનું સ્થાન ધરાવે છે. શ્રદ્ધાથી સત્યની નજીક જવાય છે, જ્ઞાનથી સત્યની પકડ થાય છે, ચારિત્રથી સત્યનું આચરણ થાય છે અને ક્રિયા (Rituals) થી સત્યની સાથે એકતા અનુભવાય છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેમ તે વસ્તુના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિચારવા પડે છે, તેમ મોક્ષમાર્ગમાં પોતાનો આદર્શ અને ધ્યેય જે આત્મસ્વરૂપની સિદ્ધિ અને આત્મગુણોની પૂર્ણતા છે, તે માટે ધ્યેયની સાથે અને આદર્શની સાથે એકતા સિદ્ધ કરવાની હોય છે, તે એકતા સિદ્ધ કરવા માટે ધ્યેયની પણ ચારે બાજુઓનો વિચાર કરવાનો હોય છે. ધ્યેય પ્રત્યે ભક્તિ અને પ્રેમ જગાડવા માટે ધ્યેયનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેને આદરથી જોવાના અને પૂજવાના હોય છે. ધ્યેયનું આદરપૂર્વક દર્શન-પૂજન એ ધ્યેયની સાથે એકતા સિદ્ધ કરવાનો અનન્ય ઉપાય છે.' નામાદિ નિક્ષેપ – શાસ્ત્રોમાં કહ્યું છે કે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપા ભાવ અરિહંતની સાથે તદ્રુપતાની અભેદબુદ્ધિ સાધવામાં પરમ કારણ છે. અનુભવ પણ એમ જ કહે છે : નામાદિ ત્રણનો 4. All of the Jain rituals circle round one and the only one central ideal, the perfect soul, full of knowledge, purity, power and bliss. The object and goal of ritual is to become one with the ideal, namely, the perfection. It is the way in which we manifast our love and reverence for our ideal. As knowledge of every object is derived by considering its four aspects, name (નામ), status (સ્થાપના), substance (દ્રવ્ય) and nature (1419), so also the worship of the ideal. For example, Lord Mahavir is the ideal soul for every Jain, therefore the namce of Mahavir invokes the ideal before the eyes in all its glore (glory). Outlines of Jainism By J. L. Jaini Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આશ્રય લીધા વિના ભાવનિક્ષેપને ચિત્તની અંદર સ્થાપન કરવાની ક્રિયા એ આંખ વિના જ પોતાનું મુખ દર્પણમાં જોવાની ક્રિયા જેવી છે. નામાદિ નિક્ષેપોનો અનાદર કરવાથી ભાવોલ્લાસ સાધી શકાતો નથી. જેમ શાસ્ત્રને આગળ કરવાથી શાસ્ત્રને કહેનારા પુરુષોને જ આગળ કરવામાં આવે છે, તેમ નામાદિ ત્રણ નિક્ષેપનો આદર કરવાથી તેની સાથે સંબંધ ધારણ કરનારા ભગવાનનો જ આદર થાય છે. અહીં એમ કહેવામાં આવે કે નામાદિ ત્રણનો આશ્રય લેનાર પ્રત્યેક વ્યક્તિમાં ભાવની ઉત્પત્તિ થાય જ એવો નિયમ નથી, તો એ વાત ભાવનિક્ષેપને પણ તેટલી જ લાગુ પડે છે. સાક્ષાત્ ભગવાનને જોઈને પણ બધાને ભાવોલ્લાસ થાય તેવો નિયમ નથી. અભવ્ય કે દુર્ભવ્ય આત્માઓ સાક્ષાત ભગવાનને જોઈને પણ ભાવોલ્લાસવાળા બનતા નથી. એટલે એ દૃષ્ટિએ ચારે નિક્ષેપોની તુલ્યતા છે. જ્યાં ભાવનિક્ષેપની જ એક પ્રધાનતા બતાવી છે, ત્યાં નિશ્ચયનયનું અવલંબન લીધું છે. વ્યવહારનયના મતે ભાવોલ્લાસમાં કારણભૂત નામાદિ નિક્ષેપોનું મહત્ત્વ પણ તેટલું જ છે. ભગવાનનો ધર્મ સર્વનયને માન્ય રાખવામાં છે, તેથી અપ્રશસ્તભાવવાળાના સર્વ નિક્ષેપોને જેમ અપ્રશસ્ત માન્યા છે, તેમ પ્રશસ્તભાવવાળાની સાથે સંબંધ રાખનારા સર્વ નિક્ષેપોને પ્રશસ્ત કહ્યા છે. શાસ્ત્રને જેમ હૃદયસ્થ બનાવવાથી ભગવાન હૃદયસ્થ બને છે, તેમ ભગવાનનાં નામાદિ ત્રણને પણ હૃદયસ્થ બનાવવાથી ભગવાન હૃદયસ્થ થાય છે, એટલું જ નહીં પણ ભગવાનની સાથે સર્વાગીણભાવનો અને તન્મયીભાવનો અનુભવ થાય છે અને તેથી સર્વકલ્યાણની સિદ્ધિ થાય છે. ૨ નામનો મહિમા – જૈનો ઈશ્વરને માને છે પરંતુ પૃથ્વી, પાણી, પર્વત, નદી, હવા, પ્રકાશ, સૂર્ય કે ચંદ્ર આદિ ભૌતિક પદાર્થોની સિદ્ધિ માટે નહીં, કિંતુ આત્મિક ઉન્નતિના સાધનભૂત અહિંસા, સંયમ અને તપસ્વરૂપ સદ્ધર્મની પ્રેરણા અને સિદ્ધિ માટે માને છે. સ્વર્ગ અને મોક્ષ આદિ પદાર્થો સ્વયં સિદ્ધ છે. જીવોને તેની પ્રાપ્ત કરાવનારા કોઈ પણ હોય તો તે અહિંસા, સંયમ અને તપસ્વરૂપ નિર્મળ સામાયિક ધર્મનું પાલન જ છે. જૈનો એ સદ્ધર્મના આદ્ય પ્રર્વતકો અને આદ્ય ઉપદેશકો તરીકે તીર્થકરોને પૂજે છે. જગતના જીવો અનાદિકાળથી અજ્ઞાનસમુદ્રમાં ડૂબેલા છે અને એ અજ્ઞાનના પ્રતાપે પોતાના હિતાહિતને સમજી શકતા નથી. તેવા અજ્ઞાન જીવોને તેમનું હિતાહિત સમજાવનાર તથા અહિતનો માર્ગ છોડાવી હિતના માર્ગે ચડાવનાર પરમગુરુ તરીકેનું સ્થાન જૈનોના તીર્થકરોને ઘટે છે. તેમને ધર્મતીર્થકર, જિન, આદ્ય ગુરુ કે જગદ્ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સદ્ધર્મની દેશના દ્વારા તેઓ જગતને ઉપકાર કરનારા થાય છે, એટલું જ १. येन हि यस्य नामाऽपि ध्यातं तेन स नितरां ध्यात इति यथोक्तमेव साधु । द्वयाश्रयमहाकाव्य, अभयतिलकगणिकृतव्याख्या, श्लोक-१ (નમસ્કારસ્વાધ્યાય, (સં. વિ.) પૃ. ૪૦) ૨. જુઓ, ‘પ્રતિમાશતક' શ્લોક ૨ ની સ્વોપજ્ઞટીકા કર્તા – ઉપાધ્યાય શ્રીયશોવિજયજી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નહીં પણ તેઓના નામમાત્રની ઉપાસના કરનારનું પણ તેઓ લ્યાણ કરનારા થાય છે. તેમના નામમાત્રનું આલંબન લેનારને પણ તેઓ સ્વરૂપનો લાભ કરાવનાર થાય છે. સ્વરૂપના લાભને મોક્ષ તરીકે ઓળખાવવામાં આવે છે. સ્વરૂપના લાભારૂપી મોક્ષની પ્રાપ્તિમાં તીર્થકરોનું નામ પણ ઉપકારક થાય છે. તેથી ચતુર્વિશતિસ્તવમાં તીર્થકરોની તેમનાં નામ દ્વારાએ સ્તુતિ કરવાનું વિધાન છે અને તેને છ પ્રકારના આવશ્યકમાં બીજા આવશ્કનું સ્થાન આપવામાં આવ્યું છે. લોગસ્સસૂત્રમાં “નામની સ્તુતિ : તીર્થંકરભગવંતો લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શનના બળે વિશ્વની વસ્તુસ્થિતિને પ્રકાશિત કરનારા સસિદ્ધાંતોનું નિરૂપણ કરે છે, તેમાંથી સસ્પ્રંથો રચાય છે, સગ્રંથોમાં સુયુક્તિઓ ગૂંથાય છે અને સુયુક્તિઓના બળે સુવિકલ્પો ાય છે, તેમાંથી ભક્ષ્યાભઢ્ય, પયારેય, કાર્યાકાર્ય આદિની હિતકર નીતિઓ પ્રચલિત થાય છે, આત્મા, સર્વજ્ઞ, મોક્ષમાર્ગ આદિ પ્રમાણસિદ્ધ પદાર્થોનું સ્થાપન થાય છે તથા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યાદિ ધર્મો પ્રતિષ્ઠિત થાય છે. વળી તેથી સન્માર્ગની પ્રશંસા અને ઉન્માર્ગની ઉપેક્ષા થાય છે, વંદનીયની વંદના અને પૂજનીયની પૂજાઓ પ્રચલિત થાય છે તથા પાપકર્મો અટકે છે અને પુણ્યકર્મો વધે છે. એ બધું સવિકલ્પો અને વિચારોનું ફળ છે. સવિચારોની પ્રેરક સુયુક્તિઓ છે, સુયુક્તિઓના સંપાદક સગ્રંથો છે અને સગ્રંથોના પ્રણેતા તીર્થકર-ગણધરો છે, તે કારણે તીર્થકરો ધર્મતીર્થના પ્રણેતા કહેવાય છે. જેનાથી હિત, સુખ, ગુણ, અભય, કીર્તિ, યશ, નિવૃત્તિ, સમાધિ આદિ થાય તે તીર્થ કહેવાય છે, તે તીર્થ દ્વાદશાંગી સ્વરૂપ છે, તેને અર્થથી કહેનારા તીર્થંકરભગવંતો છે અને સૂત્રથી ગૂંથનારા ગણધરભગવંતો છે અને તેને ધારણ કરનાર ચતુર્વિધ શ્રમણ સંઘ છે, તેથી દ્વાદશાંગી, પ્રથમ ગણધર અને ચતુર્વિધ શ્રમણસંઘને પણ તીર્થ કહેવાય છે, દ્રવ્યતીર્થનાં જળનાં સેવનથી જેમ દાહનો ઉપશમ, તૃષાનો ઉચ્છેદ અને મળનું ક્ષાલન થાય છે, તેમ તીર્થંકર પ્રણીત દ્વાદશાંગીરૂપ ભાવતીર્થનાં સેવનથી ભાવદાહનો ઉપશમ, ભાવતૃષાનો ઉચ્છેદ અને ભાવમળનું ક્ષાલન થાય છે. ક્રોધષાય એ ભાવદાહ છે, વિષયતૃષ્ણા એ ભાવતૃષા છે અને ભવભવ સંચિત કર્મજ એ ભાવમળ છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનના સતત અભ્યાસથી અને તેમાં કહેલા અર્થોના વારંવાર અનુષ્ઠાનથી ક્રોધરૂપી દાહનો ઉપશમ થાય છે, લોભરૂપી તૃષાનો ઉચ્છેદ થાય છે, અને કર્મરજરૂપી મળનું પ્રક્ષાલન થાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રને પણ તીર્થ કહેવાય છે. દર્શન એટલે જીવાજીવાદિ પદાર્થો ઉપર શ્રદ્ધા. તેથી ક્રોધ-દ્વેષ આદિ વૃત્તિઓનો નિગ્રહ થાય છે. જીવાજીવાદિક પદાર્થોના જ્ઞાનથી લોભ-તૃષ્ણાદિ વૃત્તિઓનો નાશ થાય છે અને અત્યંત અનવદ્ય ચરણકરણાત્મક ક્રિયાકલાપનાં પાલનસ્વરૂપ ચારિત્રથી જ્ઞાનાવરણીયાદિ કર્મ અને મોહનીયાદિ પાપની અશુભ પ્રકૃતિઓનો ક્ષય થાય છે, એ કારણે દ્વાદશાંગરૂપ અને રત્નત્રયસ્વરૂપ તીર્થ અચિત્ત્વશક્તિયુક્ત મનાય છે અને ત્રણે ૧. તન્ના મદમાત્રા-૩નહિસંસારસંભવં દુઃઉં ! भव्यात्मनामशेषं परीक्षयं याति सहसैव ।। યોગશાસ્ત્ર, પ્રકાશ-૧૧ શ્લો. ૨૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ લોકમાં રહેલા ઉજ્જવળધર્મસંપત્તિયુક્ત મહાપુરુષો તેનો આશ્રય લે છે. એ તીર્થને અર્થથી પ્રરૂપનાર તીર્થંકર છે, તેથી તીર્થકરો જગતને હિત કરનારા, સુખ કરનારા અને ગુણ કરનારા ઇત્યાદિ તરીકે પ્રસિદ્ધ છે. | તીર્થકરોનું તીર્થ અવિસંવાદિ હોવાથી જો અચિજ્યપ્રભાવ અને શક્તિથી યુક્ત હોય, તો પછી તેવા અવિસંવાદિ તીર્થની સ્થાપના કરનારા, સ્વયં પ્રરૂપનારા, સૌથી પ્રથમ અર્થથી કહેનારા તીર્થકરોનો પ્રભાવ અને સામર્થ્ય અચિજ્ય હોય એમાં શંકા જ શી ? અચિન્ત્રપ્રભાવયુક્ત તીર્થના આસેવનથી જેમ ભાવદાહોપશમાદિ કાર્યો સિદ્ધ થાય છે, તેમ અચિન્તપ્રભાવસંપન્ન તીર્થંકરોના આસેવનથી પણ તે કાર્યો સિદ્ધ થાય જ. તીર્થકરોનું આસેવન એટલે તેમના નામનો મંગળ જાપ, તેમના રૂપનું પવિત્ર દર્શન, તેમના ચારિત્રનું ઉત્તમ શ્રવણ અને તેમના ઉપદેશનું સક્રિય પાલન. એ સિવાયની બીજી જે કોઈ રીતો છે, તે આ ચારમાં એક યા બીજા પ્રકારે સમાવેશ પામી જાય છે. જેટલો પ્રભાવ તીર્થકરોનો તેટલો જ પ્રભાવ તેમના નામનો, તેમના રૂપનો, તેમના ચારિત્રનો અને તેમના ઉપદેશ આદિનો માનવો જોઈએ. તીર્થકરો લોકમાં મંગળ છે, તો તેમનું નામ પણ લોકમાં મંગળ છે. તીર્થકરો લોકમાં ઉત્તમ છે, તો તેમનું નામ પણ લોકમાં ઉત્તમ છે. તીર્થકરો લોકમાં શરણભૂત છે, તો તેમનું નામ પણ લોકમાં શરણભૂત છે. તીર્થકરોનાં નામના મંગળજાપ દ્વારા તીર્થકરોના ગુણોનું ઉત્કીર્તન થાય છે. નામની પવિત્રતા અને મંગળમયતા : તીર્થકરો, ભરત, ઐરાવત ક્ષેત્રોના દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચોવીશ-ચોવીશ થાય છે તથા ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ વિચરતા હોય છે, તેમને વિહરમાન જિન” કહેવાય છે. લોગસ્સસૂત્રમાં મુખ્યત્વે આ ભરતક્ષેત્રની આ અવસર્પિણીના ત્રીજા ચોથા આરામાં થયેલા ચોવીશ તીર્થકરોના નામનું સાક્ષાત્ ઉત્કીર્તન કરવામાં આવ્યું છે. મહાપુરુષો ફરમાવે છે કે તીર્થકરોનાં નામનું કીર્તન કરવાથી કરોડો વર્ષનાં તપનું ફળ મળે છે, કષ્ટો અને વિહ્નો ટળે છે, મંગળ અને કલ્યાણની પરંપરા આવી મળે છે, દુર્જનોનું ચિંતવેલું નિષ્ફળ જાય છે, દુર્ગતિનાં કારોનું રોકાણ અને સદ્ગતિનાં દ્વારોનું ઉદ્ઘાટન થાય છે, મહિમા-મોટાઈ વધે છે, સર્વકામનાઓ સિદ્ધ થાય છે અને આત્મોદ્ધારનું કાર્ય સુલભ બને છે. એ કારણે તીર્થકરોનું નામ એ પરમ નિધાન છે અને અમૃતનો કુંભ છે. મયૂરને મન જેમ મેઘ, ચકોરને મન જેમ ચંદ્ર, ભ્રમરને મન જેમ કમળ અને કોકિલને મન જેમ આમ્રવૃક્ષની મંજરી, તેમ ગુણરસિક ભવ્ય જીવોનાં મનને તીર્થંકરનું નામ આનંદ આપનારું છે. તીર્થકરોનું નામ લેનારને નવ નિધાન ઘરમાં, કલ્પવેલડી આંગણે અને આઠ મહાસિદ્ધિ ઘટમાં પ્રગટે છે. તીર્થકરોના પવિત્ર નામનું ગ્રહણ કરવાથી કોઈ પણ જાતના કાયકષ્ટ વિના જ ભવજલધિથી પાર પમાય છે, તેથી મહાપુરુષો નામ ગ્રહણમાં સદા તત્પર રહે છે. વળી મહાપુરુષો ફરમાવે છે કે, સીતાને મન જેમ રામ, રવિને મન જેમ કામ, વેપારીને મન જેમ દામ અને પંથીને મન જેમ ધામ તેમ મુમુક્ષુમાત્રને મન પ્રભુનું નામ અતિપ્રિય હોય છે. તીર્થકરોનાં નામકર્તનરૂપી લોકોત્તર અમૃતપાનથી મિથ્યામતિરૂપી વિષ તત્કાળ નાશ પામે છે અને અજરામરપદની પ્રાપ્તિ સુલભ અને સુકર બની જાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ લોગસસૂત્રનું સ્વરૂપ : લોગસ્સસૂત્ર સાત ગાથા પ્રમાણ છે. તેની પહેલી ગાથામાં ચાર અતિશયના વર્ણનપૂર્વક તીર્થકરોની સ્તુતિ કરવાની પ્રતિજ્ઞા છે. બીજી ત્રણ ગાથામાં ચોવીશ તીર્થકરોના (પ્રત્યેક ગાથામાં આઠ આઠની સંખ્યામાં) નામનું વર્ણન છે. આ ત્રણ ગાથા તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ અતિમહત્ત્વ ધરાવે છે. પહેલી ગાથામાં બાર બિંદુ, બીજી ગાથામાં બાર બિંદુ અને ત્રીજી ગાથામાં અગિયાર બિંદુ એમ કુલ ત્રણ ગાથામાં ૩પ બિંદુઓ રહેલાં છે. મંત્રશાસ્ત્રમાં બિંદુ અગત્યનું સ્થાન ધરાવે છે. નાદ અને કલા તે બિંદુની જ સૂક્ષ્મ અવસ્થાઓ છે. “પરમાત્માના નામનું ઉચ્ચારણ જ્યારે બિંદુ સહિત કરવામાં આવે છે, ત્યારે તે સર્વકામનાઓની પૂર્તિ કરે છે અને મોક્ષ આપનાર પણ થાય છે,' એવું તંત્રશાસ્ત્રોનું પ્રસિદ્ધ નિરુપણ છે. લોગસ્સસૂત્ર એ શ્રુતકેવલી ચૌદપૂર્વધર ગણધર ભગવંતોની રચના હોવાથી તેમાં મંત્ર, તંત્ર, વિદ્યા અને સિદ્ધિઓ રહેલી હોય એ સમજી શકાય છે. ‘ધબ્બો મનમુટું એ ગાથાથી શરૂ થતા શ્રીદશવૈકાલિક ગ્રન્થના પ્રારંભ મંગલમાં પણ મંત્રમયતા રહેલી છે અને તેનાં વિધિપૂર્વક ઉચ્ચારણાદિથી રસસિદ્ધિ, સુવર્ણસિદ્ધિ વગેરે સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે, એમ આમ્નાયવિદો જાણે છે. લોગસ્સસૂત્રની આ ત્રણ ગાથાઓ પણ તેની મંત્રમયતાના કારણે પ્રસિદ્ધ છે. છેલ્લી ત્રણ ગાથાઓ કે જે લોગસ્સસૂત્રની ચૂલિકારૂપ ગણાય છે, એમાં વિવિધ રીતે તીર્થંકરભગવંતોની સ્તુતિ કરવામાં આવી છે. છેલ્લી આ ત્રણ ગાથાઓ પ્રણિધાનસ્વરૂપ છે અને ચિત્તની વિશુદ્ધિ માટે પ્રણિધાન એ મહત્ત્વની વસ્તુ છે. પ્રણિધાનપૂર્વક થયેલી ક્રિયા તીવ્ર વિપાક-ઉત્કટફળને આપનારી મનાય છે અને અનુષ્ઠાનને સાનુબંધ બનાવે છે. "ચોવીશ તીર્થકરોની અને ઉપલક્ષણથી સર્વ તીર્થકરોની સ્તુતિ કર્યા બાદ “તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ, મને આરોગ્ય બોધિલાભ અને ઉત્કૃષ્ટ સમાધિને આપો તથા પરમપદરૂપી મોક્ષને આપનારા પણ થાઓ.” એ રીતે જુદા જુદા પ્રકારે સ્તુતિ કરવામાં આવી છે, એની પાછળ ગંભીર રહસ્ય રહેલું છે. લોગસ્સસૂત્ર ઉપર વિશદ ટીકાને રચનારા શ્રીહરિભદ્રસૂરિમહારાજે ‘લલિતવિસ્તરા” નામના ટીકાગ્રંથમાં તે રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે. તીર્થકરોની પ્રસન્નતા : તીર્થંકરભગવાન કે જેમના રાગાદિ દોષો સંપૂર્ણ નાશ પામી ચૂક્યા છે, તેઓ કોઈના ઉપર પણ પ્રસન્ન કે નારાજ થતા નથી. તો પછી આ પ્રાર્થના કરવાનો શો અર્થ ? એ પ્રશ્ન કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. એનો ઉત્તર એ છે કે અહીં કાર્યસિદ્ધિ માટે પ્રાર્થનીયની પ્રસન્નતાઅપ્રસન્નતા એ ગૌણ વસ્તુ છે અને એમનું સામર્થ્ય એ મુખ્ય વસ્તુ છે. એ માટે દષ્ટાંત આપીને સમર્થન કરવામાં આવ્યું છે કે અચેતન એવા શબ્દાત્મક મંત્ર પણ પોતાના જાપ દ્વારા એ ફળ આપે છે અને એકેન્દ્રિય એવા ચિંતામણિરત્ન આદિ પણ ઉપાસના દ્વારા ઇષ્ટ સિદ્ધિને કરનાર થાય છે. १. प्रणिधानकृतं कर्म, मतं तीव्रविपाकवत् । सानुबन्धत्वनियमात्, शुभांशाच्चैतदेव तत् ॥१॥ –શ્રીહરિભદ્રસૂરિ ! (પંથસૂત્રટીકાયામ્) Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તેમાં તે તે વસ્તુનું સામર્થ્ય જ કારણ છે. તીર્થકરો વીતરાગ હોવાથી પ્રસન્ન અગર નારાજ નથી થતા એટલા માત્રથી તેમનામાં તેમની સ્તુતિ કરનારનાં ઇષ્ટને સિદ્ધ કરવાનું સામર્થ્ય નથી, એવો અર્થ કાઢવો તે યોગ્ય નથી. વસ્તુસ્વભાવના નિયમ મુજબ પ્રત્યેક વસ્તુ પોતાનું કાર્ય કરે જ છે, તો પછી તીર્થંકર પરમાત્મા સર્વોચ્ચ પરમવસ્તુ સ્વરૂપ હોવાથી પોતાનું કાર્ય કરે, એમાં શી નવાઈ ? તીર્થકરોનું કાર્ય ભવ્ય આત્માઓને રાગાદિ ક્લેશનું નિવારણ કરાવીને ભવસમુદ્રનો પાર પમાડવાનું છે. તે કાર્ય તીર્થકરોની સ્તુતિ યા ભક્તિ દ્વારા થાય જ છે. અહીં એ પ્રશ્ન ઊભો થશે કે ભવ્ય આત્માઓના ઇષ્ટની સિદ્ધિ તીર્થકરોની ઉપાસનાથી થઈ, તેમાં તીર્થકરોએ શું કર્યું? તેનું સમાધાન એ છે કે સ્તુતિ કરનાર ભલે સ્તુતિ કરે પણ સ્તુતિનો વિષય તીર્થકરોને છોડીને બીજા હોય તો તેથી ઈષ્ટસિદ્ધિ થાય ખરી ? જો ન થાય તો કાર્યની સિદ્ધિ માત્ર સ્તુતિથી નહિ પણ સ્તોતવ્યના પ્રભાવથી થઈ એમ સ્વીકારવું જોઈએ. સ્તુતિ તો માત્ર દ્વાર બને છે. સ્તુતિરૂપી દ્વારા વડે તીર્થકરોરૂપી લારીની અન્યથાસિદ્ધિ થઈ શકતી નથી. મંત્રાદિની ઉપાસનાથી જે ફળ થાય છે, તે ફળ મંત્રાદિથી થયું એમ મનાય છે. મંત્રાદિનો જ એવો કોઈ પ્રભાવ છે કે તેની ઉપાસના દ્વારા તે ઇષ્ટોત્પાદક થાય છે. તે જ રીતે અહીં તીર્થકર ભગવંતોનો પોતાનો જ કોઈ એવો અચિંત્ય પ્રભાવ છે કે જેથી સ્તુતિ કરવાવાળાઓને ઈષ્ટની સિદ્ધિ થાય છે અર્થાત ઈષ્ટની પ્રાપ્તિમાં સ્તુતિક્રિયાની અપેક્ષાએ સ્તુતિના વિષયભૂત તીર્થકર ભગવંતોનું જ વિશેષ માહાભ્ય છે. આરોગ્ય બોધિલાભ અને ઉત્કૃષ્ટ સમાધિ – લોગસ્સસૂત્રની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે “મેં નામ લારાએ ભગવાનનું કીર્તન કર્યું, મનવચન-કાયાના યોગ દ્વારા ભગવાનનું વંદન કર્યું તેના ફળસ્વરૂપ મને દ્રવ્ય-ભાવ આરોગ્ય, જિન ધર્મની પ્રાપ્તિરૂપી બોધિ અને ઉત્કૃષ્ટ એવી ભાવસમાધિને આપનારા થાઓ.” આ પણ એક પ્રાર્થનારૂપી પ્રણિધાન જ છે. કોઈ પણ પ્રવૃતિની સફળતાનો આધાર તેની પાછળ રહેલા સંકલ્પના બળ ઉપર છે. કહ્યું છે કે, સંકલ્પાહીન કર્મ ફળતું નથી. અહીં પણ ભગવાનની સ્તુતિ દ્વારા સ્તુતિ કરનાર પોતે જે ફળને ઇચ્છે છે તેનો સંકલ્પ કરવામાં આવ્યો છે. એ સંકલ્પની પૂર્તિ “ભગવાનના સામર્થ્યથી મને થાઓ' એવી ભાવના પ્રકટ કરવામાં આવી છે. મોક્ષમાર્ગની સાધનામાં અતીવ ઉપયોગી એવી ત્રણે વસ્તુ આ એક જ ગાથામાં સંગ્રહી લેવામાં આવી છે. સંપૂર્ણ ભાવ આરોગ્ય મોક્ષમાં છે, તેનો હેતુ ભાવસમાધિ છે અને ભાવસમાધિનો હેતુ બોધિલાભ અર્થાત્ રત્નત્રયાત્મક જિનધર્મની પ્રાપ્તિ છે એ ત્રણેની સિદ્ધિ તીર્થકર ભગવંતોના અનુગ્રહથી થાય છે. શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે આઠે કર્મથી મુક્ત થયેલા ત્રિદશપૂજિત તીર્થકરોનું નામ પણ જેઓ શીલ-સંયમથી યુક્ત બનીને ત્રિકરણ યોગે ગ્રહણ કરે છે, તેઓ અલ્પકાળમાં જ સિદ્ધિ ગતિને પામે છે. અહીં ૧. VITH સ મૂઠ્ઠું-મતવાનંદં વિષ્પમુક્વાઇi | तियसिंदच्चियचलणाण, जिणवरिंदाण जो सरइ ॥१॥ तिविहकरणोवउत्तो, खणे खणे सीलसंजमुज्जुत्तो । । अविराहियवयनियमो, सो वि हु अइरेण सिज्झेज्जा ॥२॥ श्रीमहानिशीथसूत्र-प्रथमाध्ययने Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સિદ્ધિગતિને પામે છે' એ વાક્યથી ઉપલક્ષિત થાય છે કે સિદ્ધિગતિ ન મળે ત્યાં સુધી પ્રત્યેક જન્મની અંદર સિદ્ધિના સાધનભૂત દ્રવ્ય-ભાવ આરોગ્ય, બોધિલાભ અને સમાધિની સામગ્રીઓ પણ પ્રાપ્ત થાય છે. ભગવાનની પ્રાર્થનાથી આ વસ્તુઓની સિદ્ધિ થતી હોવાથી ભગવાન જ તેને આપનારા છે, એવો વાણીનો પ્રયોગ સાર્થક છે, તેને શાસ્ત્રોમાં ચતુર્થ ભાષા કહી છે, જે સત્ય નથી, તેમ અસત્ય પણ નથી. સત્ય એટલા માટે નથી કે રાગ દ્વેષ રહિત એવા તીર્થંકરભગવંતો પ્રાર્થના કરવામાં આવે તો પણ નિશ્ચય દૃષ્ટિએ ફળ આપનારા થતા નથી. અસત્ય એટલા માટે નથી કે તેમને ઉદ્દેશીને પ્રાર્થના કરનારને અવશ્ય તેનું ફળ મળે છે, તેથી વ્યવહાર દૃષ્ટિએ તેઓ આપનારા છે. જે સત્ય પણ ન હોય, અસત્ય પણ ન હોય અને સત્ય-અસત્યરૂપ મિશ્ર પણ ન હોય તેને ચતુર્થ (વ્યવહાર-ભાષા) કહેવામાં આવે છે. અહીં વ્યવહારનો અર્થ માત્ર બોલવા માટે છે એમ નહીં પણ કાર્ય કરવા માટે સમર્થ છે, એમ બતાવવા માટે છે. વ્યવહારભાષા કાર્યકરી (Not theoretical but practical) છે. સત્ય-અસત્યાદિ ભાષાઓ એ વસ્તુની યથાર્થતાઅયથાર્થતા આદિને બતાવનારી છે, જયારે આ ચોથી વ્યવહાર ભાષા વસ્તુનું વર્ણન કરવા માટે નથી પણ વસ્તુથી થતાં કાર્યને જણાવવા માટે છે. લોગસ્સસત્રની છેલ્લી ગાથા – લોગસ્સસૂત્રની છેલ્લી ગાથા પોતાનું આખું મહત્ત્વ ધરાવે છે. તેમાં ચંદ્ર, સૂર્ય અને સાગર જેવા મહત્ત્વના શબ્દો વપરાયા છે. આગમિક દૃષ્ટિએ જેમ તેનું મહત્ત્વ છે તેમ તાત્રિક દષ્ટિએ પણ તેનું ઘણું મહત્ત્વ છે. પ્રકાશક પદાર્થોમાં ચંદ્ર અને સૂર્યની સવિશેષ ગણના છે, તેમ ગંભીરતા, વિશાળતા અને અથાગતાની દષ્ટિએ સમુદ્ર અને તેમાં પણ સ્વયંભૂરમણસમુદ્રનું એથી પણ વિશેષ મહત્ત્વ છે. લોગસ્સસૂત્રમાં તીર્થકરોની જે નામગ્રહણપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે, તે તીર્થકરોનું ચરિત્ર ચંદ્રો કરતાં પણ વધારે નિર્મળ છે, તેમનું જ્ઞાન સૂર્યોના પ્રકાશ કરતાં પણ વધારે પ્રકાશવંતું છે અને તેમનું ગાંભીર્ય અને ઉંડાણ સાગરોમાં સર્વશ્રેષ્ઠ એવો જે સ્વયંભૂરમણ સમુદ્ર તેના કરતાં પણ અધિક છે, આથી વિશેષ ઉપમા સાહિત્યશાસ્ત્રમાં મળવી દુર્લભ છે, એવી ઉત્તમ ઉપમાઓથી શોભતા, સિદ્ધિગતિને પામેલા અને અષ્ટકર્મથી નિર્મુક્ત થયેલા તીર્થકરોની સ્તુતિ આ ગાથામાં કરી છે અને તેના ફળસ્વરૂપ સ્તુતિ કરનારને પણ સિદ્ધિગતિની પ્રાપ્તિ થાય એવી આશંસા વ્યક્ત કરવામાં આવી છે. અહીં આશંસા માત્ર ઇચ્છારૂપ છે એમ નહીં પણ પ્રબળ આશારૂપે વ્યક્ત કરવામાં આવી છે. સિદ્ધિગતિ પામેલા તીર્થકરોમાં સ્તુતિ કરનારને સિદ્ધિપદ આપવાનું અવંધ્ય સામર્થ્ય છે, તેનો સ્વીકાર કરીને આ પ્રાર્થના થયેલી છે, તેથી માત્ર ઇચ્છા કે આશંસા જ નહિ પણ સ્તુતિ કરનારના હૃદયમાં સિદ્ધિગતિની પ્રાપ્તિની પ્રબળ પ્રતીતિ પણ કરાવે છે. જેઓને જે ગુણની સિદ્ધિ થયેલી હોય, તેઓમાં તે ગુણ બીજાને પમાડવાની શક્તિ હોય જ છે, એ નિયમનું અહીં પ્રતિપાદન થયેલું છે. મોક્ષમાર્ગમાં તીર્થકરોનું આલંબન એ પરમપ્રકૃષ્ટ આલંબન ગણાય છે, તેમાં પણ આ જ કારણ છે. જેને જે ગુણ સિદ્ધ થયો હોય તેને તે ગુણની પ્રાપ્તિ માટે અવલંબન બનાવવામાં આવે તો તે અવલંબન પુષ્ટાવલંબન બને છે. લોગસ્સસૂત્ર આ રીતે મુક્તિમાર્ગમાં પ્રસ્થિત થયેલા ભવ્ય જીવોને અવશ્ય કર્તવ્ય તરીકે આવશ્યક સૂત્રમાં દાખલ કરવામાં આવ્યું છે, તેની ચરિતાર્થતા આથી સિદ્ધ થાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઉપસંહાર :– લોગસ્સસૂત્રની પ્રથમ ગાથામાં તીર્થકરોની સ્તુતિ છે, પછીની ત્રણ ગાથામાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકરોને નામગ્રહણપૂર્વક ત્રિકરણ યોગે વંદન છે અને છેલ્લી ત્રણ ગાથામાં ચિત્તની શુદ્ધિ માટે અને આશયની ઉદાત્તતા માટે તીર્થકરોની પ્રાર્થના છે. આ પ્રાર્થના આરાધના સ્વરૂપ છે. યદ્યપિ તીર્થકરો રાગાદિરહિત હોવાથી પ્રસન્ન થતા નથી, બોધિ, સમાધિ કે સિદ્ધિને સાક્ષાત્ આપતા નથી, તો પણ અચિંત્યચિન્તામણિકલ્પ એવા તેમને ઉદ્દેશીને અંત:કરણની શુદ્ધિપૂર્વક કરેલી પ્રાર્થના સ્તુતિ કરનારને ઇષ્ટફળ આપનારી થાય છે. આપણે જોયું કે તીર્થકરો વીતરાગ હોવાથી બોધિ, સમાધિ કે આરોગ્યને આપે છે, તે વાત સત્ય નથી, તેમ અસત્ય પણ નથી, કારણ કે તેમનાં ધ્યાનથી આરોગ્યાદિ મળે જ છે. બોધિ, સમાધિ કે સિદ્ધિ જો તેમનાં ધ્યાનથી જ મળતી હોય અને અન્ય રીતે પ્રાપ્ત થવી અશક્ય હોય, તો પછી તે પદાર્થોની યાચના તીર્થકરો પાસે ન કરવી એમાં આરાધના તો નથી જ કિન્તુ ઉપકારીના ઉપકારનું વિસ્મરણ થવારૂપ વિરાધના અવશ્ય છે. જે વસ્તુ જેઓનાં ધ્યાનથી મળે તે વસ્તુને તેઓ જ આપનારા છે, એમ મનાવું યુક્તિપુરસ્સર છે. રાજાના શસ્ત્રથી યુદ્ધને જીતનારા સુભટો રાજાના પ્રભાવે જ જીત્યા એમ ગણાય છે, તેથી “સુભટે યુદ્ધ જીત્યું” એમ કહેવાને બદલે “રાજાએ યુદ્ધ જીત્યું એમ કહેવાય છે. તેમ તીર્થકરોનાં ધ્યાનથી બોધિ, સમાધિ, સિદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત કરનારાઓએ તીર્થકરોના પ્રભાવે જ તે પ્રાપ્ત કર્યું છે, એમ માનવું જોઈએ. એમ માનવામાં પ્રવચનની આરાધના, સન્માર્ગની દઢતા, કર્તવ્યતાનો નિશ્ચય, શુભાશયની વૃદ્ધિ તથા સાનુબંધ શુભાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આરાધના એટલે ઉપકારીના ઉપકારની અખંડ સ્મૃતિ, સન્માર્ગની દઢતા એટલે મોક્ષસાધક અનુષ્ઠાનોમાં ઉત્સાહ, કર્તવ્યતાનો નિશ્ચય એટલે તીર્થકરોની ભક્તિ એ જ મારું કર્તવ્ય છે, એવો નિર્ણય, શુભાશયની વૃદ્ધિ એટલે અંત:કરણની પ્રશસ્તતા તથા તેના પરિણામે મુક્તિ ન મળે ત્યાં સુધી સદ્અનુષ્ઠાનની પુનઃ પુનઃ પ્રાપ્તિ. આ પાંચે પદાર્થો ઉત્તરોત્તર અધિક અધિક પ્રશસ્તભાવને પેદા કરી કર્મની નિર્જરા કરાવનારા થાય છે અને વિરાધનાના ભાવથી બચાવી લે છે. તીર્થકરોના પ્રભાવે પ્રાપ્ત થતી વસ્તુઓને માત્ર પોતાના પ્રયત્નથી જ પ્રાપ્ત થાય છે, એમ જો એકાંતે માની લેવામાં આવે તો તે તીવ્રકર્મબંધના હેતુરૂપ બને છે. તીર્થકરોની પ્રાર્થનામાં જેમ સમ્યક્ત આદિની આરાધના છે, તેમ તેમનું વિસ્મરણ કરવામાં અને તેમને કારણભૂત ન માનવામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગ એ કર્મબંધના પાંચે હેતુઓનું ઓછાવત્તા અંશે સેવન થાય છે. કર્મબંધના હેતુઓથી બચવા માટે અને કર્મક્ષયના સમ્યગદર્શનાદિ હેતુઓનું સેવન કરવા માટે મુમુક્ષુ આત્માઓને તીર્થકરોની સ્તુતિ અને પ્રાર્થના વારંવાર કરવા યોગ્ય છે–આવશ્યક કર્તવ્ય છે, એથી મિથ્યાભિમાનનો નાશ થાય છે અને ત્રિલોકના નાથ જગદ્ગુરુ શ્રી તીર્થંકરદેવોના લોકોત્તર વિનયગુણનું પાલન થાય છે. લોગસ્સસૂત્રની પ્રવૃત્તિ – આપણે પહેલાં જોઈ ગયા કે લોગસ્સસૂત્રની રચના કરનારા શ્રુતકેવળી ભગવંતો છે, તેઓ સકલવિદ્યા, મંત્ર, તંત્ર આદિના પણ જાણનારા હોવાથી તેમની કૃતિમાં અનેક ગંભીર Page #47 -------------------------------------------------------------------------- ________________ રહસ્યો ગુંથાયેલાં હોય છે. એક બાજુ તીર્થકરોની સ્તુતિ થતી હોય છે અને બીજી બાજુ અનેક વિદ્યાઓની સિદ્ધિ થતી હોય છે, તે વસ્તુ લોગસ્સ ઉપર રચાયેલા વિવિધ કલ્પોથી આપણે જાણી શકીએ છીએ. મંત્ર બીજો સહિત ‘વિત્તિય વંતિય મહિયા' એ એક જ ગાથાનું નિરંતર સ્મરણ કરનાર સમાધિમરણને પામી શકે છે. એ વાત જૈનજગતમાં પ્રસિદ્ધ છે. કાયોત્સર્ગ વખતે પચીસ, સત્તાવીશ, ત્રણસો, પાંચસો અને એક હજાર આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાયોત્સર્ગ કરવાનું વિધાન જૈનશાસ્ત્રોમાં મળે છે અને દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક આદિ પ્રતિક્રમણોમાં લોગસ્સસૂત્રદ્વારા તેનો ઉપયોગ થાય છે, તે લોગસ્સસૂત્રની મહત્તા જાણવા માટે પૂરતું પ્રમાણે છે. ‘પાયમ ૩સીસા' એમ કહીને પૂર્વાચાર્યોએ લોગસ્સસૂત્રના એક એક પાદમાં શ્વાસોજ્વાસની ગતિને નિયમિત કરવાનું સામર્થ્ય રહેલું છે, એમ સ્વીકાર્યું છે. મંત્રની સિદ્ધિ માટે નપ: પ્રાણસમ: વાર્થ:' મંત્રના જાપને પ્રાણ સાથે ગૂંથી લેવો જોઈએ અને તેમ કરવાથી મંત્રસિદ્ધિ સરળ બને છે, એવું તંત્રશાસ્ત્રનું પ્રતિપાદન છે. કાયોત્સર્ગમાં લોગસ્સસૂત્રનું રટણ કરવાથી સ્ત્રના અક્ષરો પ્રાણ સાથે એકમેક થઈ જાય છે અને શ્વાસોચ્છવાસની ગતિ નિયમબદ્ધ થવા લાગે છે, એ સર્વ કોઈ સાધકોનો અનુભવે છે. તેથી મંત્રશાસ્ત્રમાં જેને ‘લયયોગ' કહેવામાં આવે છે અને જે ધ્યાનયોગ' કરતાં કોટિગુણો અધિક ફળદાયી છે, તે “લયયોગ'ની સિદ્ધિ લોગસ્સસૂત્રનો આશ્રય લેવાથી સાધકને સહજ બને છે, એવા જ કોઈ કારણે સંઘનાં કાર્ય માટે, તીર્થો ઉપર આવેલા ઉપદ્રવોના નિવારણ માટે કે એવા જ બીજા કોઈ વિશિષ્ટ પ્રયોજન માટે સંઘે એકત્ર મળીને શાસનદેવતાનું આરાધન કરવાનું કહ્યું છે અને આ આરાધન કાયોત્સર્ગ દ્વારા કરવાનું ફરમાવ્યું છે. તે કાયોત્સર્ગમાં પણ મુખ્યત્વે આ લોગસ્સસૂત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે. સાધુ અને શ્રાવકને કર્મક્ષય માટે પ્રતિદિન દશ યા વીશ લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનું પણ શાસ્ત્રીય વિધાન છે. ઉપધાનતપના આરાધકોને જ્યાં સુધી ઉપધાનતપની આરાધના ચાલે, ત્યાં સુધી પ્રતિદિન ૧૦૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. એ જ રીતે પંચમી, એકાદશી આદિ તપના આરાધકોને તથા નવપદ અને વિશતિસ્થાનક આદિ વિશિષ્ટ અનુષ્ઠાનોના આરાધકોને તે તે પદને અને તેના ગુણોને ઉદ્દેશીને તેટલી તેટલી સંખ્યામાં લોગસ્સસૂત્રનું અવલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું ફરમાવ્યું છે. આ ઉપરથી જૈન આરાધનામાં નમસ્કારમહામંત્રની જેમ લોગસ્સસૂત્રનું આરાધન પણ વ્યાપક રીતે ગુંથાયેલું છે. અંતિમ અભિલાષા :– જૈનસાહિત્યવિકાસમંડળ તરફથી પંચમંગલમહાશ્રુતસ્કંધ' યાને “નમસ્કાર મહામંત્ર'નું માહાસ્ય દર્શાવનાર સાહિત્ય એકત્ર કરીને “નમસ્કારસ્વાધ્યાય પ્રાકૃત તથા સંસ્કૃત એમ બે વિભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આરાધકવર્ગમાં તે અતિપ્રિય થઈ પડવાથી અને સંઘમાં તેનો સારો આદર થવાથી “લોગસ્સસૂત્ર' ને પણ તે જ રીતિએ બહાર પાડવા માટે તેના કાર્યવાહકો ઉત્સાહિત થયા છે. તેના પરિણામે શ્રી સંઘ સમક્ષ આ કૃતિ રજૂ થાય છે. તેમાં લોગસ્સસૂત્ર ઉપરની વર્તમાનમાં મળી આવતી લગભગ બધી ટીકાઓ સંગ્રહી લેવામાં આવી છે, તેથી વાચકોને એક જ સ્થળે લોગસ્સસૂત્રના વિવિધ રીતે થયેલા પ્રમાણભૂત અર્થોનું અવગાહન Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કરવાની તક મળે છે. મૂળ સૂત્ર, તેની ટીકા, ગુર્જર ભાષામાં તેનો અર્થ અને વિવેચન તથા વિવિધ પરિશિષ્ટો આપીને આ ગ્રંથને વિશદ કરવામાં આવ્યો છે. નમસ્કારસ્વાધ્યાયના બન્ને વિભાગોની જેમ આ કૃતિ પણ આરાધકોમાં સારી રીતે આદર પામશે એવી અમને શ્રદ્ધા છે. વર્તમાનકાળમાં નમસ્કારમહામંત્રની જેમ લોગસ્સસૂત્રનું આરાધન પણ સારી રીતે વૃદ્ધિ પામે અને જે કાંઈ આરાધન થઈ રહ્યું છે તે અર્થજ્ઞાન અને ભાવોલ્લાસ સહિત થાય અને તે દ્વારા સકળસંધનો અભ્યુદય થાય એમ અમે ઇચ્છીએ છીએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, અજ્ઞાત વસ્તુ કરતાં જ્ઞાત વસ્તુ ઉપ૨ અનંતગુણી શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. રત્ન સ્વભાવથી જ સુંદર છે, છતાં તેનાં મૂલ્યનું વાસ્તવિક જ્ઞાન થયા પછી તેના ઉપર જે શ્રદ્ધા અને આદર થાય છે, તે પૂર્વ કરતાં અતિદૃઢ અને અનેકગુણ અધિક હોય છે. શ્રુતકેવળી શ્રીગણધરભગવંતો રચિત સૂત્રો સાચા રત્નોની જેમ સ્વભાવથી જ સુંદર છે, તો પણ તેના ઉપર અંતરંગ શ્રદ્ધા થવા માટે તેના અર્થ અને રહસ્યોનું જ્ઞાન, તેના પ્રભાવ અને માહાત્મ્યનો પરિચય અતિ આવશ્યક છે. તે આવશ્યક કાર્ય આ કૃતિ દ્વારા સિદ્ધ થાઓ, એવી ભાવનાપૂર્વક વિરમીએ છીએ. સં. ૨૦૨૧, વિજ્યાદશમી ‘શિવમ્’ १. ज्ञाते वस्तुनि अज्ञाताद्वस्तुसकाशादनन्तगुणिता श्रद्धा प्रवर्धते । उपदेशरहस्य गा० ११० Page #49 -------------------------------------------------------------------------- ________________ આધારભૂત ગ્રંથોની યાદી (પ્રથમ ગ્રંથનું નામ આપેલ છે, તેની સામે કર્તાનું નામ છે, પછી તે ગ્રંથને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ તથા પ્રકાશન વર્ષ વિ. સં. (વિક્રમ સંવત્) વીર સં. (વીર સંવત્) કે ઈ. સ. (ઈસ્વીસન)માં દર્શાવેલ છે.) ૧. અણુઓગદારસુત્ત વૃત્તિ ૨. અરિહાણાઇ થુત્ત, (નમસ્કારસ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ) અંતર્ગત) જૈન સાહિત્ય વિકાસ મંડળ, વીલેપારલે, મુંબઈ. ૩. આવસ્સયનિજ્જુત્તિ ૫. ૪. આવસય હારિભદ્રીય ટીકા આગમોદય સમિતિ, સુરત. ૬. દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા, સુરત. ૭. ૮. આગમોદય સમિતિ, સુરત. આચારદિનકર ભાગ. ૨ ખરતરગચ્છ ગ્રંથમાલા આચારપ્રદીપ દેવચંદ લાલભાઈ જૈન પુ. સંસ્થા, સુરત. ઉત્તરયણ સુત્ત દેવચંદ લાલભાઈ જૈન પુ. સંસ્થા, સુરત. કોઇકચિંતામણિ (ફોટોસ્ટેટિક કોપી) જૈન સાહિત્ય વિકાસ મંડળ, વીલેપારલે, મુંબઈ. ૯. ગુર્જરસાહિત્યસંગ્રહ ભા. ૨ બાવચંદ ગોપાલજી, મુંબઈ. ૧૦. ચઉસરણપઇણય આગમોદય સમિતિ, સુરત. શ્રીમલધારી હેમચંદ્રસૂરિ વિ. સં. ૧૯૭૨ વિ. સં. ૨૦૧૭ શ્રીભદ્રબાહુસ્વામી વિ. સં. ૧૯૭૨-૭૩ શ્રીહરિભદ્રસૂરિ વિ. સં. ૧૯૭૨-૭૩ શ્રીવર્ધમાનસૂરિ વિ. સં. ૧૯૭૯ શ્રીરત્નશેખરસૂરિ વિ. સં. ૧૯૮૩ શ્રીસુધર્માસ્વામી (ટીકા શ્રીશાંત્યાચાર્ય) શ્રીશીલસિંહવાચનાચાર્ય શ્રીયશોવિજયજી ઉપાધ્યાય વિ. સં. ૧૯૯૪ શ્રીશ્રુતસ્થવિર વિ. સં. ૧૯૮૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૧૧. ચેઇયવંદણ મહાભાસ શ્રી શાંતિસૂરિ શ્રી આત્માનંદ જૈનસભા, ભાવનગર વિ. સં. ૧૯૭૭ ૧૨. ચતુર્વિશતિસંધાન જગન્નાથકવિ ગાંધી નાથારંગજી, સોલાપુર, વિ. સં. ૧૯૮૫ ૧૩. જિનસહસ્રનામ પંડિત આશાધર (ટીકા કૃતસાગરસૂરિ) ભારતીયજ્ઞાનપીઠ, કાશી વિ. સં. ૨૦૧૦ ૧૪. ઠાણાંગ સુત્ત શ્રીસુધર્માસ્વામી આગમોદયસમિતિ, સુરત. વિ. સં. ૧૯૭૫ ૧૫. દેવવંદન ભાષ્ય શ્રીદેવેન્દ્રસૂરિ (સંઘાચારવૃત્તિ) ઋષભદેવજી કેસરીમલજી થે. સંસ્થા, રતલામ. વિ. સં. ૧૯૯૪ ૧૬. દ્વત્રિશદ્ દ્વાર્નિશકા શ્રીયશોવિજયજી ઉપાધ્યાય જૈનધર્મપ્રસારકસભા, ભાવનગર. વિ. સં. ૧૯૬૬ ૧૭. ધર્મસંગ્રહણી વૃત્તિ ઉત્તરાર્ધ શ્રીહરિભદ્રસૂરિ દેવચંદ લાલભાઈ જૈ. પુ. સંસ્થા, સુરત. ઈ. સ. ૧૯૧૪ ૧૮, ધર્મસંગ્રહ ભા. ૧ શ્રીમાનવિજયજી ઉપાધ્યાય દેવચંદ લાલભાઈ જૈ. પુ. સંસ્થા, સુરત. વિ. સં. ૧૯૭૧ ૧૯. નમસ્કાર મહામંત્ર શ્રીભદ્રંકરવિજયજી મ. કેશરબાઈ જૈનજ્ઞાનમંદિર, પાટણ. વિ. સં. ૨૦૦૩ ૨૦. પાકિસૂત્ર વૃત્તિ શ્રીયશોદેવસૂરિ દેવચંદ લાલભાઈ જૈ. પુ. સંસ્થા, સુરત. વિ. સં. ૧૯૬૭ ૨૧. પ્રતિમાશતક શ્રીયશોવિજયજી ઉપાધ્યાય મુક્તિકમલજૈનમોહનમાલા, વડોદરા. વી. સં. ૨૪૪૬ ૨૨. પ્રાતઈંગલ ટીકા-વિશ્વનાથ પંચાનન (સં. ચન્દ્રમોહન ઘોષ) The Asiatic Society of Bengal, Calcutta. 1902 ૨૩. બૃહશાંતિ શ્રી શાંતિસૂરિ (પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકાન્તર્ગત) જૈનસાહિત્યવિકાસમંડળ, વિલેપારલે, મુંબઈ. વિ. સં. ૨૦૦૯ ૨૪. બૃહત્ સામાયિક પાઠ ઔર બૃહતું પ્રતિક્રમણ દિગંબર જૈનપુસ્તકાલય, સુરત વિ. સં. ર૪૭૩ ૨૫. મહાનિસીહ સુત્ત (નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગ અંતર્ગત) શ્રી સુધર્માસ્વામી જૈનસાહિત્યવિકાસમંડળ, વિલેપારલે, મુંબઈ. વિ. સં. ૨૦૧૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ૨૬. મૂલાચાર વઢેરકાચાર્ય માણિકચંદ્ર દિગંબર જૈનગ્રંથમાલા, મુંબઈ. વિ. સં. ૧૯૭૭ ૨૭. યોગબિંદુ સટીક શ્રીહરિભદ્રસૂરિ જૈનધર્મપ્રસારક સભા, ભાવનગર. વિ. સં. ૧૯૬૭ ૨૮. યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ શ્રી હેમચંદ્રસૂરિ જૈનધર્મપ્રસારકસભા, ભાવનગર. વિ. સં. ૧૯૮૨ ૨૯. લલિતવિસ્તરા શ્રીહરિભદ્રસૂરિ | ઋષભદેવજી કેસરીમલજી જે. સંસ્થા, રતલામ. વિ. સં. ૧૯૯૦ ૩૦. વીતરાગસ્તોત્ર શ્રી હેમચંદ્રસૂરિ કમલસૂરીશ્વર જૈનગ્રંથમાલા, પાટણ. વિ. સં. ૧૯૯૮ ૩૧. વંદારવૃત્તિ શ્રીદેવેન્દ્રસૂરિ ઋષભદેવજી કેસરીમલજી જે. સંસ્થા, રતલામ. વિ. સં. ૧૯૮૫ ૩૨. શાસ્ત્રવાર્તાસમુચ્ચય - શ્રીહરિભદ્રસૂરિ (ટીકા શ્રીયશોવિજયજી ઉપાધ્યાય) દેવચંદ લાલભાઈ જે. પુ. સંસ્થા, સુરત. વિ. સં. ૧૯૭૦ ૩૩. સમવાયાંગ સુત્ત શ્રીસુધર્માસ્વામી આગમોદયસમિતિ, સુરત. વિ. સં. ૧૯૭૪ ૩૪. હીરવિજયસૂરિ રાસ (આનંદકાવ્યમહોદધિ, મૌક્તિક, ૫ અંતર્ગત) શ્રી ઋષભદાસકવિ દેવચંદ લાલભાઈ જૈ. પુ. સંસ્થા, સુરત. • વિ. સં. ૧૯૭૨ શબ્દ-કોષો ૩૫. આર્ટ ડીક્ષનેરી વી. એસ. આપે પ્રસાદપ્રકાશન, પૂના. ઈ. સ. ૧૯૫૭ ૩૬. શબ્દરત્ન પ્રદીપ સંપા-હરિપ્રસાદ શાસ્ત્રી રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર, જયપુર. વિ. સં. ૨૦૧૩ રૈમાસિકો–પાક્ષિકો ૩૭. જૈનસાહિત્યસંશોધક ખંડ ૩, અંક ૨ જો (ત્રમાસિક) ૩૮. શ્રીસિદ્ધચક્ર વર્ષ ૧, અંક ૯ (પાક્ષિક) Page #52 -------------------------------------------------------------------------- ________________ Page #53 -------------------------------------------------------------------------- ________________ Page #54 -------------------------------------------------------------------------- ________________ સંકેત–સૂચિ આ. હા, ટી. આડ દિઠ આવસ્મય સુત્તની હારિભદ્રીય ટીકા આચારદિનકર આપે ડીક્ષનેરી આવસ્મયનિષુત્તિ આઇ ડી છે કે આ. નિ. ગo ગાથા ચેવં. મભા. ચેઈયવંદણ મહાભાસ ટીકા દેવવંદન ભાષ્ય ધર્મસંગ્રહ ૫૦ પત્ર યો. શા. સ્વો વિ. પૃષ્ઠ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ લલિતવિસ્તરા વંદારવૃત્તિ વોલ્યુમ do ala Page #55 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૪૫ જે 9 ૬૫ ૬૫ મૂલપાઠ લોગસસૂત્રની સંસ્કૃત-છાયા વિવરણ પ્રશ્નોત્તરી અર્થસંકલના ટિપ્પણ પ્રકીર્ણક લોગસ્સસૂત્રનાં પર્યાયવાચક નામો શ્રમણ તથા શ્રમણોપાસકની આવશ્યક આદિ ક્રિયામાં લોગસ્સસૂત્રનું સ્મરણ કયારે કયારે થાય છે ? આવશ્યક ક્રિયામાં લોગસ્સસૂત્રના સ્મરણ તથા પ્રકટ ઉચ્ચારણનું નિયતપણું દર્શાવતું કોઇક ૪. ચૈત્યવંદનમાં તેમ જ દેવવંદનના અધિકારોમાં લોગસ્સસૂત્રની વ્યવસ્થા ૫. પાંચ દંડક સૂત્રોમાં લોગસ્સસૂત્રનું સ્થાન ૬. લોગસ્સસૂત્રનાં પદો, સંપદા તથા અક્ષરો ૭. ચતુર્વિશતિજિનસ્તવ-ભાવમંગલ ૮. કાયોત્સર્ગ આદિના સમયમાં (લોગસ્સસૂત્રનું) સ્મરણ ૯. પરિમાણ ૧૦. તુલનાત્મક વિચારણા ૧૧. અનુવાદ ૧૨. લોગસ્સસૂત્ર અંગે સાહિત્ય ૧૩. પ્રતિક્રમણની પીઠ અને તેનું ઢીકરણ તપ ઉપધાન શ્રીલોગસ્સસૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા માટે વિનયોપધાનની વિધિ લોગસ્સસૂત્રની દેહરચના પંચષઠિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો પરિશિષ્ટ ૧. ચોવીસ તીર્થંકરોનાં નામ તથા માતા-પિતાદિનો કોઠો ૨. દિગંબરાદિ સંપ્રદાયાનુસાર લોગસ્સસૂત્રનો મૂળપાઠ ૩. લોગસ્સ-કલ્પ ૪. ફલાફલવિષયક પ્રશ્નપત્ર ૭૦ ૭૩ ૮૫. ૧૦૨ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीशङ् खेश्वरपार्श्वनाथाय नमः ॥ चउवीसत्थय-सुत्तं [ चतुर्विंशति - जिन - स्तवः ] લોગસ્સ-સૂત્ર [7] મૂલપાઠ [ सिलोगो ] लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली ॥१॥ [ गाहा ] उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमई च । पउमपहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहिं च पुप्फदंतं, सीअल - सिज्जंस - वासुपुज्जं च । विमलमणतं च जिणं, धम्मं संति च वंदामि ॥३॥ कुंथुं अरं च मल्लि, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमिं पासं तह वद्धमाणं च ॥४॥ 1 एवं मए अभिथुआ, विहुय-रय- मला पहीण - जर मरणा । चवीस पि जिणवरा, तित्थयरा मे पसीयं ॥५॥ पाठांतरी : १. लोगस्सुज्जोयगरे— सा. हा. टी., ५. ४९४ २. ये पं. भ. ल., पृ. ८१. પક્ષિકસૂત્ર વૃત્તિ, ૫. ૭૬ અ. Page #57 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય कित्तिय-वंदिय-महिया', जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग-बोहि-लाभं, समाहिवरमुत्तमं किंतु ॥६॥ चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धि मम दिसंतु ॥७॥ . २. महिआ-... टी., ५. ५०७ मा. यो. . स्व. वि., ५. २२७ ३. चंदेहि-20. Sl. टी., ५. ५८० मी. ५. वि., पृ. ४८. यो. रा. स्वो. वि., ५. २२८ मा Page #58 -------------------------------------------------------------------------- ________________ [२] લોગરસ–સૂત્રની સંક્ત-છાયા लोकस्य उद्द्योतकरान्, धर्मतीर्थकरान् जिनान् । अर्हतः कीर्तयिष्यामि, चतुर्विंशतिमपि केवलिनः ॥१॥ ऋषभमजितं च वन्दे, सम्भवमभिनन्दनं च सुमतिं च । पद्मप्रभं सुपावं, जिनं च चन्द्रप्रभं वन्दे ॥२॥ सुविधिं च पुष्पदन्तं, शीतल-श्रेयांस-वासुपूज्याञ्च । विमलमनन्तं च जिनं, धर्म शान्ति च वन्दे ॥३॥ कुन्थुमरं च मल्लिं, वन्दे मुनिसुव्रतं नमिजिनं च । .. वन्दे अरिष्टनेमि, पाश्र्वं तथा वर्धमानं च ॥४॥ एवं मया अभिष्ठताः, विधूतरजोमला: प्रक्षीणजरामरणाः । चतुर्विंशतिरपि जिनवराः, तीर्थकरा: मे प्रसीदन्तु ॥५॥ कीर्तितवन्दितमहिताः, ये एते लोकस्य उत्तमाः सिद्धाः । आरोग्यबोधिलाभं, समाधिवरमुत्तमं ददतु ॥६॥ चन्द्रेभ्यो निर्मलतराः, आदित्येभ्योऽधिकं प्रकाशकराः । सागरवरगम्भीराः, सिद्धाः सिद्धि मम (मह्यं) दिशन्तु ॥७॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-[ લોભ્ય ]-લોકના— પ્રમાણથી જે જોવાય તે ‘લોક’ છે. ‘લોક’ શબ્દથી અહીં ‘પંચાસ્તિકાયાત્મક લોક' ગ્રહણ કરવો, એમ ‘આવસ્સયસુત્ત'ની હારિભદ્રીય ટીકામાં સૂચવાયું છે. તદુપરાંત લલિતવિસ્તરા, ચેઈયવંદણમહાભાસ, યોગશાસ્ત્રસ્વોપજ્ઞવિવરણ, દેવવંદન ભાષ્ય, વંદારૂવૃત્તિ તથા ધર્મસંગ્રહ-આ ગ્રંથોમાં પણ ઉપર્યુક્ત અર્થને જ માન્ય રાખવામાં આવ્યો છે. માત્ર આચારદિનકરમાં ‘લોક' શબ્દથી ‘ચૌદ રાજલોક' અર્થને સ્વીકારવામાં આવ્યો છે. ૩ખ્ખોગો[ ઉદ્યોતરાન્]-પ્રકાશ કરનારાઓને ઃ [૩] વિવરણ ‘ઉદ્યોત’ બે પ્રકારનો છે અને તેની વ્યુત્પત્તિ ‘ઉદ્યોત્યતે પ્રાશ્યતેઽનેન કૃતિ દ્યોત:' એ પ્રમાણે થાય છે, એટલે જેના વડે પ્રકાશ કરાય તે ‘ઉદ્યોત.’ ઉદ્યોતના (૧) ‘દ્રવ્યોદ્યોત’ અને (૨) ‘ભાવોદ્યોત' એ બે પ્રકાર છે. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણિ વગેરે ‘દ્રવ્ય ઉદ્યોત’ છે.” કારણ કે તે ઘટ આદિ વસ્તુઓનો ઉદ્યોત કરવા છતાં પણ તેમાં રહેલા સર્વ ધર્મોનો ઉદ્યોત કરી શકતા નથી. ૧. ૨. 3. ૪. ૫. જ્ઞાન તે ‘ભાવ ઉદ્યોત' છે, એમ આવસ્સયનિજ્જુત્તિ જણાવે છે. लोकयते प्रमाणेन दृश्यते इति भावः । अयं चेह तावत् पञ्चास्तिकायात्मको गृह्यते । लोकस्य चतुर्दशद्वारात्मकस्य । दुविहो खलु उज्जोओ । नायव्वो दव्वभावं संजुत्तो । अग्गीदव्वुज्जोओ, चंदो सूरो मणी विज्जू । नाणं भावज्जोओ । —આ. હા. ટી., ૫. ૪૯૪ અ. આ. દિ., ૫. ૨૬૭ ૨. —આ. નિ., ગા. ૧૦૫૯ —આ. નિ., ગા. ૧૦૫૯ આ. નિ., ગા. ૧૦૬૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવરણ જેના વડે યથાવસ્થિત રીતે વસ્તુ જણાય તે જ્ઞાન છે. તે જ્ઞાન એ જ “ભાવઉદ્યોત' છે." ચે. વ. મ. ભા. જણાવે છે કે કેવળજ્ઞાનથી ઉત્પન્ન થનારો ઉદ્યોત તે “ભાવઉદ્યોત' છે. ૭ 'उद्द्योतं कुर्वन्ति इत्येवं शीलं येषां ते उद्द्योतकराः' પ્રકાશ કરવો એવો છે સ્વભાવ જેમનો તે “ઉદ્યોતકર' કહેવાય. ઉદ્યોતના બે ભેદો (દ્રવ્યોદ્યોત અને ભાવોદ્યોત) પૈકી દ્રવ્યોદ્યોતથી જિનેશ્વરો લોકનો ઉદ્યોત કરનારા નથી હોતા પરંતુ તીર્થંકર નામકર્મના ઉદયથી અતુલ સત્ત્વાર્થપરોપકાર-કરવા દ્વારા ભાવોદ્યોત કરનારા હોય છે. ઉદ્યોતકર’ પણ બે પ્રકારે હોય છે. (૧) “સ્વઉદ્યોતકર' (૨) “પરઉદ્યોતકર.” શ્રીતીર્થકરભગવંતો બન્ને પ્રકારે ‘ઉદ્યોતકર છે. પોતાના આત્માને ઉદ્દદ્યોતિત કરવા દ્વારા તેઓ “સ્વઉદ્યોતકર છે અને લોકમાં પ્રકાશ ફ્લાવનાર વચનરૂપી દીપકની અપેક્ષાએ તેઓ બાકીના ભવ્ય વિશેષો માટે ઉદ્યોત કરનારા હોવાથી “પરઉદ્યોતકર' છે. ઉદ્દદ્યોતના પૂર્વોક્ત બે ભેદોમાં “ભાવોદ્યોત'નું સ્થાન અતિ મહત્ત્વનું છે, કારણ કે દ્રવ્યોદ્યોતનો ઉદ્યોત પુદ્ગલસ્વરૂપ હોવાથી તેમ જ તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી પરિમિત ક્ષેત્રમાં પ્રકાશ કરે છે, જયારે ભાવોદ્યોતનો ઉદ્યોત લોક અને અલોકને પ્રકાશિત કરે છે. ૧૦ આ વિષયમાં યો. શા. સ્વ. વિ.માં કહેવાયું છે કે – કેવલજ્ઞાનના પ્રકાશરૂપી દીપકથી શ્રીતીર્થંકરભગવંતો સર્વલોકમાં પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે માટે તે ઉદ્યોતકર છે. ૧૧ દે. ભા.૧૨ તેમજ વં. વૃ.૧૩ જણાવે છે કે કેવલજ્ઞાનના પ્રકાશથી અથવા તો તે પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી શ્રીજિનેશ્વરભગવંતો ઉદ્દદ્યોત કરવાના સ્વભાવવાળા છે. ડું ૬. જ્ઞાતેિને યથાવસ્થિત વસ્તુ તિ જ્ઞાન તન્નાને માવો : ! –આ. હા. ટી., પ. ૪૯૭ અ. ૭. વતનાબુદમો માવો ! –ચે. વ. મ. ભા., ગા. ૫૧૩, પૃ. ૯૩ लोकस्योद्योतकराः द्रव्योद्योतेन नैव जिना भवन्ति, तीर्थकरनामानुकर्मोदयतोऽतुलसत्त्वार्थकरणात् भावोद्योतकराः पुनर्भवन्ति । –આ. હા, ટી., પ. ૪૯૭ આ आत्मानमेवाधिकृत्य उद्द्योतकरास्तथा लोकप्रकाशकवचनप्रदीपापेक्षया च शेषभव्यविशेषानधिकृत्यैवेति । –આ. હ. ટી., ૫. ૪૯૭ આ. १०. द्रव्योद्योतोद्योतः पुद्गलात्मकत्वात्तथाविधपरिणामयुक्तत्वाच्च प्रकाशयति प्रभासते वा परिमिते क्षेत्रे, भावोद्योतोद्योतः लोकालोकं प्रकाशयति । –આ. હા. ટી., પ. ૪૯૭ આ. ૧૧. વનાજીપેન સર્વનોપ્રાશકરાશીતાન ! –યો. શા. સ્વ. વિ. ૫. ૨૨૪ આ. ૧૨. વાતો તનૂર્વજીવનવીપેન વા પ્રકાશનશીતાન ! –દે. ભા., પૃ. ૩૨૧ ૧૩. વનાનોતીના દ્યોતરીનું પ્રાશકરનું | –વં. વૃ., પૃ. ૪૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આ. દિ. માં કહેવાયું છે કે શ્રીતીર્થંકરભગવંતો પરમજ્ઞાનનો ઉપદેશ, સંશયોનું છેદન અને સર્વપદાર્થોનું પ્રકટ કરવાપણું કરનારા હોવાથી “ઉદ્યોતકર છે.૧૪ આ પ્રમાણે ‘નોનાસ જ્ઞો એ બે પદો-પંચાસ્તિકાયરૂપી લોકનો કેવલજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ ભાવોદ્યોત (ભાવદીપક) વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા એ અર્થમાં સિદ્ધ થાય છે. આ પદો વડે શ્રીતીર્થંકરભગવંતનો વચનાતિશય કહેવામાં આવ્યો છે.૧૫ ઇતિસ્થર થર્મતીર્થરાન] ધર્મરૂપી તીર્થના કરનારાઓને. ધર્મની વ્યાખ્યા લ. વિ. માં નીચે પ્રમાણે ટાંકવામાં આવી છે – दुर्गतिप्रसृताञ्जीवान्, यस्माद्धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥१॥ અર્થ - દુર્ગતિમાં પડતા જીવોને રોકીને એમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે તે ધર્મ કહેવાય છે. ધર્મ બે પ્રકારનો છે. (૧) “દ્રવ્યધર્મ અને (૨) “ભાવધર્મ.” અહીં “ભાવધર્મ પ્રસ્તુત છે. આ. નિ. તથા દે. ભા. માં કહેવામાં આવ્યું છે કે “ભાવધર્મ” શ્રુતરૂપ અને ચારિત્રરૂપ છે. તિર્થી - [તીર્થ] - તીર્થ. તીર્થ' શબ્દની વ્યુત્પત્તિ “તીર્થતંગનેન રૂતિ તીર્થમ્'- જેના વડે તરાય, તે “તીર્થ. એ પ્રમાણે કરવામાં આવે છે. આ. નિ. માં કહેવાયું છે કે “તીર્થના અનેક પ્રકારો છે, “નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ, ભાવતીર્થ વગેરે. અહીં આ ચાર પ્રકારના તીર્થો પૈકી કયું તીર્થ લેવું એવી સહેજે શંકા થાય પણ “ધર્મતીર્થ' શબ્દ હોવાથી માત્ર “ભાવતીર્થ જ' સ્વીકાર્ય બને છે. ૧૭ ‘દ્રવ્યતીર્થ’ અને ‘ભાવતીર્થની વ્યાખ્યા દે. ભા. માં નીચે મુજબ આપવામાં આવી છે. કુપ્રવચનો (ઇતરદર્શનો) તથા નદી આદિ તરવા માટેનાં સ્થાનો આ બધાં દ્રવ્યતીર્થ છે, કારણ કે ત્યાં પણ લોકો ડૂબે છે અને તેને એકવાર તર્યા પછી ફરી પણ કરવાનું બાકી રહે છે. જ્યારે સંઘ આદિ ભાવતીર્થ છે, કારણ કે તેનો આશ્રય કરનારા ભવો ભવસાગરને નિયમા તરી જાય છે અને ભવસાગર ફરી કરવાનો બાકી રહેતો નથી.૧૮ ૧૪. પરમજ્ઞાનોપદ્દેશ-સંશયછેદ્ર-સર્વપતાર્થપ્રટનરિત્વાન્ ૩દ્યોતિરસ્તાનું –આ. દિ. ૫. ૨૬૭ અ. ૧૫. અને વનતિશય ૩: | –દે. ભા., પૃ. ૩૨૧ ૧૬. નામું વતિ€ ધ્વતિ€ ૨ ભાવતિલ્થ ચ | –આ. નિ., ગા. ૧૦૬૫ ૧૭. ધપ્રદ દ્રવ્યતીર્થસ્થ નવે....... પરિહાર: || ચો. શા. સ્વ. વિ. પ. ૨૨૪ આ. ૧૮. નાદ – कुप्पावयणाइ नइआइ, तरणसमभूमि दव्वओ तित्थं । बुड्डुति तत्थ वि जओ, संभवइ य पुणवि उत्तरणं ॥१॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ય-[ R]- કરનારા, કરવાનો સ્વભાવ છે જેમનો એવા– मेरो धर्म एव तीर्थं धर्मप्रधानं वा तीर्थं धर्मतीर्थं तत्करणशीलान् धर्मतीर्थकरान् ।१९ અર્થ - ધર્મ એ જ “તીર્થ” કે ધર્મપ્રધાન એવું તીર્થ” તે “ધર્મતીર્થ.” તેને કરવાનો સ્વભાવ છે જેમનો તે “ધર્મતીર્થકર.” તેવા ધર્મતીર્થકરોને. આ પદનો વિશિષ્ટ અર્થ યો. શા. સ્વ. વિ. માં જણાવાયો છે કે-દેવો, મનુષ્યો અને અસુરો સહિતની પર્ષદામાં સર્વ જીવોની પોતપોતાની ભાષામાં પરિણામ પામનારી વાણી દ્વારા “ધર્મતીર્થ'નું પ્રવર્તન કરનારાઓને.૨૦ આ પ્રમાણે “થતિસ્થયે' એ પદ દુર્ગતિમાં પડતા પ્રાણીઓને રોકી રાખી સન્માર્ગે સ્થાપનાર અને સંસાર-સાગરથી તારનાર એવા ધર્મરૂપ ભાવતીર્થનું સર્વ ભાષાઓમાં પરિણામ પામનારી સાતિશય વાણી દ્વારા પ્રવર્તન કરવાના સ્વભાવવાળા-એ અર્થમાં સિદ્ધ થાય છે. યો. શા. સ્વ. વિ. માં જણાવ્યું છે કે આ પદ દ્વારા શ્રી તીર્થંકરભગવંતનો પૂજાતિશય તથા વચનાતિશય દર્શાવવામાં આવ્યો છે જયારે દ. ભા. માં જણાવાયું છે કે આ પદ દ્વારા પૂજાતિશય દર્શાવાયો છે. ૨૨ નિn - [fનના] - જિનોને. આ. નિ.માં “જિન” શબ્દનો અર્થ જેમણે ક્રોધ, માન, માયા અને લોભ જીત્યા છે તે – એવો કરવામાં આવ્યો છે. ૨૩ આ હા. ટી. માં રાગ, દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો પરીષહો, ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જિતનારા તે “જિન” એમ કહેવાયું છે.* લ. વિ., દે, ભા. તેમ જ વે. વૃ. માં રાગ આદિને જીતનારા તે “જિન” એમ દર્શાવાયું છે. ૨૫ ચે. વ. મ. ભા. માં જેમણે રાગ, દ્વેષ અને મોહને જીત્યા છે તેઓ “જિન” એમ संघाइ भावतित्थं, जं तत्थठिया भवण्णवं नियमा । भविया तरंति न य पुणवि, भवजलो होइ तरियव्वो ॥२॥ –દે. ભા., પૃ. ૩૨૧ ૧૯. ધર્વ વ ધર્મપ્રધાનં વા તીર્થ ધર્મતીર્થ તરળતા ધર્મતીર્થરતાના –આ. હા. ટી., પ. ૪૯૪ અ—લ. વિ., પૃ. ૪૨ ૨૦. સવમેનુનામુજયાં પરિ સર્વપSTUરિમિચા વાવ ધર્મતીર્થપ્રવર્તવાનિત્યર્થ. I –ચો. શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. ૨૧. મને પૂગતિશયો વાતિશયો | –યો. શા. સ્વ. વિ. ૫. ૨૨૪ આ. ૨૨. તેને પૂગતિશયો: | –દે, ભા., પૃ. ૩૨૧ ૨૩. ઉનયોદમાગમાયા, નિયત્નોદ્દા તે તે ઉનના સુંતિ | –આ. નિ., ગા. ૧૦૭૬ ૨૪. રાષષાદ્રિ પરીષહોપષ્ટપ્રાર્થનેતૃત્વાગ્નિના: | –આ. હા. ટી., પ. ૪૯૪ અ. ૨૫. અદ્રિતારો ઉનના તાત્ | –લ. વિ., પૃ. ૪૨ जिनान् रागादिजेतॄन् । –દે. ભા., પૃ. ૩૨૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ કહેવાયું છે. ૨૬ યો. શા. સ્વો. વિ. તેમ જ ધ. સં. માં રાગ દ્વેષ આદિને જીતનારાઓને ‘જિન' તરીકે ઓળખાવાય છે.૨૭ આ રીતે ‘નિને’ પદ-રાગ દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો, પરીષહો, ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જીતનાર–એ અર્થમાં સિદ્ધ થાય છે. આ પદ દ્વારા અપાયાપગમાતિશય દર્શાવાયો છે.૨૮ અરિહંત-[ અર્હત: ]- અર્હતોને. આનિ., માં ‘અરિહંત' શબ્દનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે ઃ ઇન્દ્રિયો, વિષયો, કષાયો, પરીષહો, વેદના અને ઉપસર્ગો આ અરિઓને-શત્રુઓનેહણનારા હોવાથી તેઓ ‘અરિહંત' કહેવાય છે, ઉપરાંત આઠ પ્રકારનું કર્મ સર્વજીવો માટે અરિભૂત છે, તે કર્મરૂપી અરિને હણનાર હોવાથી તેઓ ‘અરિહંત' કહેવાય છે. વંદન અને નમસ્કારને જેઓ યોગ્ય છે, પૂજા, સત્કારને જેઓ યોગ્ય છે અને સિદ્ધિગમનને જેઓ યોગ્ય છે તેઓ ‘અરિહંત' કહેવાય છે.૨૯ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આ. હા. ટી. લ. વિ. તથા દે. ભા.માં જણાવ્યું છે કે - અશોક આદિ આઠ પ્રાતિહાર્ય આદિ સ્વરૂપ પૂજાને જેઓ યોગ્ય છે તેઓ ‘અર્હત્' કહેવાય છે.૩૦ ચે. વં. મ. ભા. માં કહેવાયું છે કે આઠ પ્રકારના પ્રાતિહાર્યને જે કારણથી યોગ્ય છે તેથી તેઓ અરિહંત કહેવાય છે.૧ जिनान् रागादि जेतृन् । जयन्ति रागादीन् इति जिनास्तान् । ૨૬. નિતિ સત્યો નિયાોસમોઢે ! ૨૭. બિનાન્ દ્વેષાદ્રિનેતૃન્ 1 जिनान् रागद्वेषादिजेतॄन् । ૨૮. વાયાપામાતિશયમાદ-નિનાન્। ૨૯. યિવિસયસાઇ, પરીસદે વેયા ૩વસ્સો । एए अरिणो हंता, अरिहंता तेण वुच्चति ॥९१९ ॥ अट्ठविहं पिय कम्मं, अरिभूअं होइ सव्वजीवाणं । तं कम्ममरिं हंता अरिहंता तेण वुच्चन्ति ॥ ९२०॥ अरिहंत वंदण नमसणाई, अरिहंति पूअसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरिहंता तेण वुच्चति ॥ ९२२ ॥ 30. अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरुपां पूजामर्हन्तीत्यर्हन्तस्तानर्हतः । ૩૧. અધુનિનું પાડિફેર, નમ્હા અહતિ તેન અરિહંતા —. વૃ., પૃ. ૪૦ ~~~આ. દિ., ૫. ૨૬૭ અ. —ચે. વં. મ. ભા., ગા. ૫૨૬, પૃ. ૯૫ યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪ આ. —ધ. સં., પ. ૧૫૫ અ ઝ્યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪ આ. આ. નિ. ગા. ૯૧૯-૨૦-૨૧ લ. વિ., પૃ. ૪૨ -ચે. વં. મ. ભા., ગા. ૫૧૧, પૃ. ૯૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ વિવરણ યો. શા. સ્વો. વિ. માં ‘અરિહંત’ શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે - કર્મરૂપી અરિને હણનારાઓને. અને તે કહ્યા પછી, આ. નિ. નો ‘અરિહંત' વિષયક ઉપર નિર્દિષ્ટ અર્થ જણાવતો પાઠ ટાંકવામાં આવેલ છે. વં. વૃ. તથા આ. દિ. ‘અરિહંત’ શબ્દનો કશો જ વિશિષ્ટ અર્થ ન દર્શાવતાં ‘અર્હતોને’ એટલો જ માત્ર નિર્દેશ કરે છે. આ. હા. ટી., લ. વિ., ચે. વં. મ. ભા., યો. શા. સ્વો. વિ., વં. વૃ., આ. દિ અને ધ. સં. આટલા ગ્રન્થો અહીં વપરાયેલ ‘અરિહંતે’ પદને વિશેષ્ય માને છે, જ્યારે દે. ભા. ‘અરિહંતે’ પદને વિશેષણ માને છે.૩૩ અહીં એક વાત ટાંકવી જરૂરની છે કે-ધ. સં. ગ્રંથ ‘અરિહંત' પાઠને બદલે ‘દંતે' પાઠ જણાવે છે, જ્યારે બાકીના ગ્રંથકારો ‘અરિહંતે’ પાઠને માન્ય રાખે છે. ૩૪ ૯ આ રીતે ‘અરિહંત' પદ—વંદન-નમસ્કારને, પૂજા-સત્કા૨ને તથા સિદ્ધિગમનને જેઓ યોગ્ય છે તેવા, તેમ જ આઠેય કર્મો, ઇન્દ્રિયો, વિષયો, કષાયો આદિ અરિઓને હણનારા-એ અર્થમાં સિદ્ધ થાય છે. વિત્તફi[ જીજ્ઞયિષ્ય ]-કીર્તન કરીશ, નામોચ્ચારણપૂર્વક સ્તવીશ. અહીં જે કીર્તન કરવાનું છે તે નામથી અને ગુણોથી કીર્તન કરવાનું છે. કીર્તન કરવાનું કારણ દેવતા, મનુષ્યો અને અસુરો સહિત સમગ્ર લોક માટે કીર્તનીય એવા તે ભગવંતોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપરૂપ વિનય દર્શાવ્યો તે છે. તેમના આ ગુણોને ખ્યાલમાં રાખીને અહીં તેમનું કીર્તન કરવામાં આવેલ છે.૩૫ ૩૨. માંહિતૃ: । ૩૩. અહંતામેવ વિશેષ્યત્વાત્ર રોષઃ । अर्हतामेव विशेष्यत्वान्न दोषः अट्ठविहं पाडिहेरं, जम्हा अरहंति तेण अरिहंता । लोगस्सुज्जोयगरा, एयं तु विसेसणं तेसिं । अरिहंते इति विशेष्यपदम् । अरिहंते इति विशेष्यपदम् । अर्हतः कीर्त्तयिष्ये, कथंभूतानर्हतः अरहंते इति विशेष्यपदम् । अर्हतः अष्टमहाप्रातिहार्यादिपूजाहांन् विशेषणपदमेतत् । ૩૪. અત્યંત રૂતિ વિશેષ્યવમ્ । ૩૫. વિત્તેમિ ત્તેિળિો, રેવમળુબાપુરમ્ભ લોગસ્સે । હંસ-નાળ-ચરિત્તે, તવિાઓ હંસો તેહિં ૬૦૭૭ાા ઝ્યો. શા. સ્વો. વિ., ૫. ૨૧૭ અ –આ. હા. ટી., પત્ર ૫૦૧ અ ૯. વિ. રૃ. ૪૪ ચે. વં. મ. ભા., —યો. શા. સ્વો. ગા, ૫૧૧, પૃ. ૯૨ વિ., ૫. ૨૨૪ આ. —. વૃ., પૃ. ૪૦ —આ. દિ., ૫. ૨૬૭ ૨. —. સં., ૫. ૧૫૫ અ. —દે. ભા., પૃ. ૩૨૧ -ધ. સં., ૫. ૧૫૧ અ. —આ. નિ., ગા. ૧૦૭૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ‘ત્તિફસ્સું’ રૂપ જીત્ ધાતુનું ભવિષ્યકાળના પ્રથમ પુરુષ એકવચનનું છે. ‘વિત્તŔ' પદનો સામાન્ય અર્થ ‘હું કીર્તન કરીશ' એટલો જ થાય છે. પરંતુ તેનો વિશિષ્ટ અર્થ ‘પોત પોતાના નામથી, યા તો નામોના ઉચ્ચારણપૂર્વક હું સ્તવના કરીશ' થાય છે. એમ આ. હા. ટી. આદિ સમસ્ત ગ્રંથકારો જણાવે છે. માત્ર આ. દિ.‘વિત્તÉ' નો અર્થ થાયછે—કહીશ. એ પ્રમાણે કરે છે. 39 ૩. ‘જિત્તસ્થં’ રૂપ અંગે વિચારણા કરીએ તો, સંસ્કૃત ભાષાના ‘છીયિષ્ય' રૂપને પ્રાકૃતમાં ઢાળવામાં આવતાં ‘છીયિ' એટલા અંશનું પ્રાકૃત-વ્યાકરણના વર્ણવિકારોના નિયમ પ્રમાણે ‘ત્તિરૂ' થાય. બાદ ‘ધ્યે’ પ્રથમ પુરુષના એકવચનનો સૂચક છે. તેને સ્થાને પ્રાકૃતમાં ‘મિ’ આવે અને એ ‘મિ' ના સ્થાને વિકલ્પે ‘સ્પં’ આદેશ થાય, આ રીતે પ્રાકૃત વ્યાકરણના નિયમાનુસાર જ ‘ત્તિસ્થં’ રૂપ સાધી શકાય છે અને વિકલ્પ પક્ષે ‘ત્તિવૃત્તિમિ’ પ્રયોગ થાય છે. ઉપર્યુક્ત બન્ને પ્રયોગ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરે પ્રાકૃત-વ્યાકરણના ‘‘મે: સ્તં'' દારૂ/૬૬/ સૂત્રમાં નોંધેલ છે. લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આ. હા. ટી, લ. વિ., દે. ભા.—આ ગ્રંથો ‘તિરૂં’ નું સંસ્કૃતરૂપ ‘જીતયિષ્યામિ' કરે છે, જ્યારે યો. શા. સ્વો. વિ., વં. વૃ. ધ. સં. તથા આ. દિ.‘જીતયિષ્ય' કરે છે. આ રીતે ‘વિત્તi' પદ-નામોચ્ચારણપૂર્વક સ્તવીશ-એ અર્થમાં સિદ્ધ થાય છે. ચડવીń[ ચતુર્વિજ્ઞતિમ્ –ચોવીસને. ચોવીસને એટલે કે ચોવીસ અર્હતોને. આટલું કહ્યા પછી મનમાં સહેજે થાય કે અહીં કયા ચોવીસ અર્હત્ લેવા ? કારણ કે ગત ચોવીસીમાં પણ ચોવીસ અર્હત્ થયા છે અને ભવિષ્યમાં પણ થવાના છે, તથા ક્ષેત્રાન્તરોની અપેક્ષાએ તે તે ક્ષેત્રોમાં પણ જુદા જુદા ચોવીસ અર્હત્ થયા છે. આનું સમાધાન આપતાં આ. નિ. જણાવે છે કે-‘ચોવીસ' એ સંખ્યા ઋષભ આદિ હવે પછી કહેવાનારા માટે છે એટલે કે આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં થયેલા શ્રી ઋષભથી આરંભી શ્રીવર્ધમાન પર્યંતના અર્હતો માટે ‘વડવીર્સ' શબ્દ વપરાયેલો છે. ચે. વં. મ. ભા. પણ ઉપર્યુક્ત હકીકતનું સમર્થન કરતાં જણાવે છે કે ‘પડવીસ' એ સંખ્યા ભારતવર્ષમાં થયેલા અર્હતો માટે છે.૯ દે. ભા. પણ જણાવે છે કે ‘ચોવીસ'થી ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા અર્હતો લેવા.૪૦ ૩૬. જીતયિષ્યાનીતિ સ્વનામ: સ્તોળ્યે ત્યર્થ: । ૩૭. જયિષ્યે-થયિષ્યે ३८. चउवीसं ति य संखा उसभाईआउ भण्णमाणाउ । ૩૯. ષવીસ તિ ય સંવા ભારહવાસુબ્મવાળ બરહાળું । ४०. चतुर्विंशतिं भरत क्षेत्रोद्भवान् । —આ. હા. ટી., ૫. ૪૯૪ અ —આ. દિ., ૫. ૨૬૭ અ આ. નિ., ગા. ૧૦૭૮ ચે. વં. મ. ભા., ગા. ૧૨૬, પૃ. ૯૫. —દે. ભા., પૃ. ૩૨૧. Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવરણ, ૧૧ આ પ્રમાણે વરવી' પદ-ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા વર્તમાન ચોવીસીના અહિતોને-એ અર્થમાં સિદ્ધ થાય છે. પિન પ ]-અને, વળી. (અર્થાત્ બીજાઓને પણ) અહીં વપરાયેલ “fi' પદ કે જે “મપિ' અવ્યય છે તેના અનેક અર્થો છે. તે પૈકી અહીં સમુચ્ચય' અર્થ ઘટિત થાય છે. એટલે “વડવીd f' નો અર્થ “ચોવીસને અને એ પ્રમાણે થાય. અને' કહ્યા બાદ વાક્ય અધૂરું રહે છે. શ્રોતાના મનમાં જિજ્ઞાસા પણ પ્રવર્તે છે કે “અને પદથી આગળ શું સમજવું ? તે માટે આ. નિ.માં સૂચવવામાં આવ્યું છે કે-“પ' શબ્દના ગ્રહણથી, ઐરાવતક્ષેત્ર તથા મહાવિદેહક્ષેત્રમાં જે છે તેમનું ગ્રહણ સમજવું. ૨ એટલે નિષુત્તિકારને “ઘ' શબ્દથી બીજા બે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ અહંતો અભિપ્રેત છે. આ. હા. ટી.માં તથા લ. વિ.માં જણાવાયું છે કે “' શબ્દ તેમનાથી અન્યના સમુચ્ચય માટે છે. એટલે કે વર્તમાન ચોવીસીના ઋષભાદિ ચોવીસ જિનોથી અન્ય એવા તીર્થકરો માટે છે. નિર્યુક્તિકાર ઐરાવત તથા મહાવિદેહ કહે છે તેમાં અને આ. હા. ટી. તથા લ. વિ. ના વિધાનમાં ઐક્ય જ દેખાય છે. કારણ કે, નિર્યુક્તિકારે પણ ઐરાવત અને મહાવિદેહ માત્ર જેબૂદ્વીપના જ લેવા અને બાકીના ચાર ન લેવા તેવું વિધાન ક્યાંય કર્યું નથી. ચે. વં. મ. ભા. “મ' શબ્દથી “મહાવિદેહ આદિમાં થયેલા એમ જણાવે છે." યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. “મપિ' શબ્દથી “બીજાઓને પણ’ એમ જણાવે છે. ૪૫ પણ બીજામાં ક્યા ક્યા લેવા, તેનું વિધાન કરતા નથી. દે, ભા. તથા વં. . ‘પ' શબ્દથી “બાકીના ક્ષેત્રોમાં થયેલા” એમ જણાવે છે.* આ રીતે ‘fપ' શબ્દ-ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીસીના ચોવીસ અહિંતોથી અન્ય એવા, ઐરાવત તથા મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં થયેલા અહંતોને એ અર્થમાં સિદ્ધ થાય છે. લેવની વનિનઃ]-કેવલજ્ઞાનીઓને. “રેવતી’ શબ્દની વ્યુત્પત્તિ-વત્ત જેવાં વિદ્યતે તિ વનિનઃ' એટલે કેવલ (કેવલજ્ઞાન) ૪૧. ઉપ સમાવના પ્રશન, શÇા સમુન્વયે | तथा युक्त पदार्थेषु, कामचार क्रियासु च ॥ ૪૨. વસાહUT પુખ વય મહાવિશું ! ४३. अपि शब्दो भावतस्तदन्यसमुच्चयार्थः । ४४. अविसद्दाओ वंदे महाविदेहाइपभवेऽवि । ૪૫. પશબ્દચાપ | ૪૬. પશબ્દાત ભાવતઃ શેષક્ષેત્રનંબવાંa | अपिशब्दात् शेषक्षेत्रसंभवांश्च । –આ. ડી., વો. ૧, પૃ. ૧૫૫ –આ. નિ., ગા. ૧૦૭૮ –આ. હા. ટી., પૃ. ૪૧૪ અ. –ચે. વં. મ. ભા., ગા. પ૨૯, પૃ. ૯૫. –વો. શા. સ્વ. વિ., પત્ર ૨૨૪ આ. –દે. ભા., પૃ. ૩૨૧. –વં. . પૃ. ૪૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લોગરસસૂત્ર સ્વાધ્યાય જેમને છે તે. એ પ્રમાણે થાય છે. વતી' પદની વ્યાખ્યા આ. નિ.માં નીચે મુજબ આપવામાં આવી છે – સંપૂર્ણ (પંચાસ્તિકાયાત્મક) લોકને જાણે છે તથા જુએ છે અને જે કેવલચારિત્રી તથા કેવલજ્ઞાની છે તે કારણથી તે “કેવલી' કહેવાય છે. અહીં “જાણવું' એટલે વિશેષરૂપે જાણવું (કેવલજ્ઞાન) અને “જોવું એટલે સામાન્યરૂપે જાણવું (કેવલદર્શન) એમ સમજવાનું છે. ચે. વ. મ. ભા.માં “કેવલી’ની વ્યાખ્યા માટે આ. નિ.નો પાઠ જ ટાંકવામાં આવ્યો છે. આ. હા, ટી., લ. વિ. તથા આ. દિ.માં “કેવલીની વ્યાખ્યા કેવલજ્ઞાન જેમને છે તે એટલી જ આપવામાં આવી છે. ૪૯ યો. શા. સ્વ. વિ. દે. ભા, તથા ધ. સં.માં કેવલી’નો અર્થ “ઉત્પન્ન થયેલું છે કેવલજ્ઞાન જેમને એવા ભાવ અતિ’ એ પ્રમાણે કરવામાં આવ્યો છે.૫૦ વ. વૃ. માં “કેવલી’નો અર્થ “ભાવ અહતો’ એ પ્રમાણે કરાયો છે. ૨૧ આ રીતે “વની' પદ-જેમને કેવલજ્ઞાન (અને કેવલદર્શન) ઉત્પન્ન થયું છે અને તે દ્વારા જેઓ સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે એવા, સંપૂર્ણ ચારિત્ર અને જ્ઞાનવાળા, ભાવ અહિતોને–એ અર્થમાં સિદ્ધ થાય છે. વતી’ પદ અહીં શા માટે મૂકવામાં આવ્યું તે અંગે ગ્રંથકારોમાં કેટલાક મતાન્તર પ્રવર્તે છે. આ. હા. ટી. તથા લ. વિ.માં કહ્યું છે કે “વત્ની' એ વિશેષણ એટલા માટે છે કે જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા આત્માઓ જ લોકોદ્યોતકર, ધર્મતીર્થકર, જિન એવા અહેતું હોય છે, બીજા નહીં. એવો નિયમ કરવા દ્વારા સ્વરૂપ સમજાવવા પૂરતો જ આ પ્રયોગ છે.પર –આ. નિ., ગા. ૧૦૭૯. ४७. कसिणं केवलकप्पं लोगं जाणंति तह य पासंति । केवल चरित्तनाणी तम्हा ते केवली हुंति ॥ ४८. निर्विशेषं विशेषाणां, ग्रहो दर्शनमुच्यते । विशिष्टग्रहणं ज्ञान-मेवं सर्वत्रगं द्वयम् ॥१॥ ૪૯. વતજ્ઞાનમેષાં વિદ્યત ત તન તાત્ | केवलिनः । ૫૦. ૩ત્પન્નવસ્ત્રજ્ઞાનનું ભવાઈત ત્વર્થઃ | उत्पन्नकेवलज्ञानान् भावार्हत इत्यर्थः । उत्पन्नकेवलज्ञानान् भावार्हत इत्यर्थः । ૫૧. વતિનો પવાર્દત ત્વર્થઃ | ૫૨. વતન ઇવ યોજીસ્વરૃપ ઈન્તો નાન્ય તિ નિયમનાથત્વેન स्वरूपज्ञानार्थमेवेदं विशेषणमित्यनवद्यम् । –આ. હા. ટી., ૫. પ૦૦ આ. –આ. હા. ટી., ૫. ૪૯૪ આ. –લ. વિ, પૃ. ૪૩. –યો. શા. સ્વ. વિ., પ. ૨૨૪ આ. –દે. ભા., પૃ. ૩૨૧. –ધ. સં. ૫. ૧૫૫ અ. –વં. વૃ, પૃ. ૪૧ –આ. હા. ટી. ૫. ૫૦૧ આ. –લ. વિ. પૃ. ૪૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ FACKIKASE उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमहं च पठमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥ २ ॥ फ्र 5000001 NOKTORY Page #69 -------------------------------------------------------------------------- ________________ Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ૧૩ મ. ભા. જણાવે છે કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા જિનોનો અહીં સમાવેશ ન થાય તે માટે ‘વતી' પદ મૂકવામાં આવ્યું છે.૫ તેમ જ નામ આદિ ભેદ (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ)થી ભિન્ન પણ જિનવરો અર્હત્ તરીકે સંભવી શકે છે તેથી ભાવ- અર્હત્તા સ્વીકાર માટે અહીં ‘વી' પદ મૂક્યું છે.૫૪ ચે. વં. યો. શા. સ્વો. વિ., દે. ભા., વં. વૃ. તેમ જ ધ. સં. પણ એ જ વાત જણાવે છે કે- અહીં ‘વી’ પદથી માત્ર ભાવ અર્હત્ જ ગ્રહણ કરવા. એટલે કે જ્યારે તે અર્હત્ થઈને વિચરતા હોય તે સ્થિતિમાં રહેલા અર્હત્ જ ગ્રહણ કરવા. પરંતુ રાજ્ય અવસ્થામાં અથવા તો મુનિ અવસ્થામાં વિચરતા અર્હતો ન લેવા કારણ કે તે અવસ્થામાં તે ‘ભાવ અર્હત્’ નથી પણ ‘દ્રવ્ય અર્હત્’ છે. જ્યારે આ સૂત્ર માત્ર ભાવ અર્હતોની સ્તુતિ માટે છે અને તેથી ‘પિ' શબ્દની વ્યાખ્યા કરતાં, ‘અત્તિ' શબ્દથી અન્યને ગ્રહણ કરવા'' એમ જ્યાં કહેવાયું છે ત્યાં, ‘અન્ય’ શબ્દથી ઐરવતાદિ ક્ષેત્રમાં રહેલા વર્તમાન ચોવીસીના તથા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલ વિહરમાન ભાવ જિનોને જ ગ્રહણ કરવાના છે એ વાત સ્વયંસિદ્ધ બને છે. उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइंच । પઙમળઢું સુપાસું, નિળ ૪ ચંપ્પરૢ વંડે सुविहिं च पुप्फदंतं, सीअल सिज्जंस वासुपुज्जं च । विमलमणतं च जिणं, धम्मं संतिं च वंदामि ॥३॥ कुंथुं अरं च मल्लि वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमिं पासं तह वद्धमाणं च ॥४॥ આ ત્રણ ગાથાઓમાં દર્શાવાયેલ ચોવીસ તીર્થંકરભગવંતોના નામોના સામાન્ય તેમ જ વિશિષ્ટ અર્થો છે. સામાન્ય અર્થ દરેક તીર્થંકરભગવંતના નામમાં ઘટી શકે છે, જ્યારે વિશિષ્ટ અર્થ, તે તે તીર્થંકરભગવંતના નામમાં ઘટી શકે છે. દરેક તીર્થંકરભગવંતના નામોના સામાન્ય તેમ જ વિશેષ અર્થો પ્રસ્તુત ગ્રંથમાં ટિપ્પણ વિભાગમાં આપવામાં આવ્યા છે, તેથી અહીં તેની ચર્ચા કરી નથી. શ્રીઋષભદેવ ભગવાનના નામ માટે બે ખાસ મહત્ત્વની વિગતો ચર્ચવી અહીં જરૂરી છે. દરેક તીર્થંકરભગવંતોના માત્ર એક જ સાથળમાં લાંછન એટલે કે એક વિશિષ્ટ ચિહ્ન હોય છે. એ જૈનશાસ્ત્રોએ માન્ય કરેલ ક્રમ છે. જયારે અપવાદરૂપે શ્રીઋષભદેવ ભગવાનના બન્ને સાથળોમાં તપાવેલ સુવર્ણ જેવા ઉજ્જ્વળ અને એક બીજાની તરફ મુખ કરીને રહેલ વૃષભો (ઋષભો)નું યુગલ, લાંછનસ્વરૂપે હતું એટલે કે દરેક સાથળમાં એક એક વૃષભનું લાંછન હતું. ૫૩. તે ૩૫ અનુમનિાવિ, હુંતિ તો વતી મળિયા । ——ચે. વં. મ. ભા., ગા. ૫૩૨, પૃ. ૯૬. ૫૪. નામાજ્ઞેયમિત્રા વિ, નિળવા સંભવંતિ અહંતા । भावारिहंतपडिवत्तिकारयं केवलीवयणं ॥ ચે. વં. મ. ભા., ગા. ૫૩૪, પૃ. ૯૭. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૪. લોગરસસૂત્ર સ્વાધ્યાય બીજી વિશિષ્ટતા એ હતી કે દરેક તીર્થંકરની માતા શ્રી તીર્થંકરભગવંત માતાના ગર્ભમાં આવતાં જ ચૌદ સ્વપ્નોને જુએ છે, જે પૈકી પ્રથમ હાથીને જુએ છે. જયારે શ્રી ઋષભદેવ ભગવંતની માતાએ ઋષભદેવ ભગવંત ગર્ભમાં આવતાં પ્રથમ સ્વપ્નનમાં વૃષભને (ઋષભ) જોયો હતો. આ બન્ને વિશિષ્ટતાના કારણે તુષ્ટ બનેલ દેવોના ઇન્દ્ર તેમનું “ઋષભ” એ નામ સ્થાપ્યું હતું. આ વિગત આ નિ.૫૫ તથા આ. હા. ટી.માં સામાન્ય રીતે ટાંકવામાં આવી છે. જ્યારે ચે. વ. મ. ભા.માં વિશિષ્ટ રીતે ટાંકવામાં આવી છે. પ૭ ૨-[ ૨ અને, અથવા.૫૮ ગાથા-૨, ૩ તથા ૪માં “ઘ' શબ્દનો પ્રયોગ અગિયાર વખત કરવામાં આવ્યો છે, જેમાં દશ “ઘ' નો અર્થ “અને છે, જ્યારે એક “ઘ' નો અર્થ “અથવા' છે. “સુવિદિં ૨ પુન્દ્રત' પદમાં વપરાયેલ “૨' નો અર્થ “અથવા છે, જ્યારે બાકીના ‘ નો અર્થ “અને છે. ઉપર્યુક્ત ત્રણ ગાથામાં “ઘ'ની ગોઠવણ નીચે પ્રમાણે છે. પ્રથમ બે જિન उसभमजिअं च પછી બે જિન संभवमभिणंदणं च પછી એક જિન सुमई च પછી બે જિન पउम्मप्पहं सुपासं जिणं च પછી બે જિન चंदप्पहं वंदे सुविहिं च પછી ત્રણ દિન (पुष्पदंतं) सीअल सिज्जंस वासुपुज्जं च પછી બે જિન विमलमणंतं च પછી બે જિન धम्मं संतिं च ૫૫. ૩; ૩Hબનંછા ૩૬ મિifમ તેન ૩સનો | –આ. નિ., ગા. ૧૦૮૦ ५६. जेण भगवओ दोसु वि उरूसु उसभा उप्पराहुत्ता जेणं च मरुदेवाए भगवईए चोद्दसण्हं महासुमिणाणं पढमो उसमो सुमिणे दिट्टो त्ति, तेण तस्स उसभो त्ति णामं कयं सेसतित्थगराणं मायरो पढमं गयं तओ वसहं एवं વોટ્સ | –આ. હા, ટી., ૫. ૫૦૨ અ ૫૭. યક્ષ કર ગુયને, સ્તવયસુવલ્સનનતં ધવનં ૬૪રા. अन्नोन्नाभिमुहं किर, वसहजुगं लंछणं रुइरमासि । सुमिणम्मि पढममुसभो, चोद्दससुमिणाण मज्झम्मि ॥५४३।। दिट्ठो मरुदेवीए, तेण कयं उसहनाममेयस्स । તકે ISમરવા ......................I૫૪૪ll –ચે. વ. મ.ભા., ગા. ૫૪૨-૪૩-૪૪, પૃ. ૯૮-૯૯. ૫૮. સમુક્ય વન્યોછું, મવારે વ્યવસ્થિતૌ I औपम्येऽतिशये हेतौ, चकारोऽन्वाचयादिषु ।। –શબ્દરત્નપ્રદીપ, મુક્તક-૨, શ્લોક-૨, પૃ. ૩૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ MANNA og er en gorporation properties 10 KOK CRAKAR ΚΑΛΕΙΔΑΝΙΗΙΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΥΣ ΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑ antahimirman RANAS सुविहिं च पुप्फदंत, सीअल-सिज्जंस-वासुपुज्जं च - विमलमणंतंच जिणं,धम्म संतिंच वंदामि ॥३ Page #73 -------------------------------------------------------------------------- ________________ Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ૧૫ પછી બે જિન कुंथु अरं च પછી ત્રણ જિન मल्लिं वंदे मुणिसुव्वयं नमिजिणं च પછી ત્રણ જિન रिट्ठनेमिं पासं तह वद्धमाणं च આ ગોઠવણ પાછળ શ્રી સૂત્રકારભગવંતના મનમાં ક્યો ગૂઢ આશય હશે તે જાણી શકાયું નથી. વંરે-વને વંદન કરું છું. ઉપર્યુક્ત ત્રણ ગાથામાં ત્રણ વખત ‘વ’ અને બે વખત ‘વંશ' પદનો પ્રયોગ નીચે જણાવેલ ક્રમથી કરવામાં આવ્યો છે. પ્રથમ બે જિન પછી “વંè' ત્યાર બાદ છ જિન પછી “વંટે” અને આઠ જિન પછી “વંમિ' સૂત્રકાર ભગવંતની આ ગોઠવણ પાછળ પણ કયો ગૂઢાર્થ હશે તે સમજાયું નથી. ઉપરાંત આ રીતે વારંવાર “વં” તથા “વંHિ' પદનો પ્રયોગ કરી, વારંવાર વંદન શા માટે કરવામાં આવ્યું છે તેનું સ્પષ્ટીકરણ ફક્ત ચે. વ. મ. ભાગમાં જ કરવામાં આવ્યું છે. ત્યાં જણાવ્યું છે કે–અહીં સૂત્રમાં વારંવાર જે વંદનાર્થક ક્રિયાપદનો પ્રયોગ કરાયો છે તે આદર દર્શાવવા માટે છે અને તેથી તે પુનરુક્તિ, દોષકારક નથી ૫૯ બિvi-[ નિબં]-જિનને. ઉપર્યુક્ત ત્રણ ગાથામાં ત્રણ વખત “ગિન' પદ વપરાયેલ છે અને સંપૂર્ણ “લોગસ્સ સૂત્રમાં પાંચ વખત “ગિન' શબ્દ વપરાયો છે. સંપૂર્ણ સૂત્રમાં સૌથી વધુ વપરાયેલ કોઈ પણ શબ્દ હોય તો તે આ ‘ગિન' શબ્દ છે. ‘’ પદ સાત સાત જિનના અંતરે એટલે કે સાતમા જિન પછી, ચૌદમાં જિન પછી અને એકવીસમા જિન પછી ગોઠવાયેલ છે. આ ગોઠવણ સહેતુક હોય તેમ લાગે છે. सुविहिं च पुष्फदंतं[सुविधिं च पुष्पदन्तम् - જેમનું બીજું નામ “પુષ્પદંત' છે એવા સુવિધિનાથને. દરેક તીર્થંકરભગવંતોનું માત્ર એકેક જ નામ આપવામાં આવ્યું છે. જ્યારે નવમા તીર્થકરના “સુવિધિ' અને “પુષ્પદંત’ એવાં બે નામ આપવામાં આવ્યા છે. આનું શું કારણ હશે તે સમજાયું નથી. કારણ કે ગ્રંથકારો તે અંગે કશું જ સ્પષ્ટીકરણ કરતાં નથી. તેવીશ તીર્થકરો પૈકી દરેકના માત્ર એકેક જ નામ હશે, જયારે શ્રી સુવિધિનાથ ભગવાનના જ બે નામ હશે. એ કલ્પના પણ ટકી શકે તેમ નથી. કારણ કે કલિકાલસર્વજ્ઞ પ૯. પુખ વંરૂ િિરયા ના કુત્તે પુળો પુણોથ | માયરસના પુનરુત્ત ઢોસT Iબરૂદા –ચે. વ. મ. ભા., ગા. પ૩૮, પૃ. ૯૬. Page #75 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આચાર્યભગવંત શ્રીહેમચંદ્રાચાર્યે ‘અભિધાનચિન્તામણિ'માં શ્રીવર્ધમાનસ્વામીના છ નામ ગણાવ્યાં છે. તે ગણાવેલ છ નામો પૈકી બીજાં બીજાં નામોને જતાં કરીએ તો પણ શ્રીવર્ધમાન સ્વામીનું ‘મહાવીર’ નામ તો પ્રસિદ્ધ હોવા સાથે આગમોમાં પણ ઉલ્લિખિત છે, તેથી આની પાછળ શું કારણ હશે, તે સમજાયું નથી. ૧૬ આ. નિ., આ. હા. ટી., વં. વૃ તથા દે. ભા. આ ચાર ગ્રંથો તો ‘પુષ્પદંત’ નામ મૂળ ગાથામાં હોવા છતાં પણ તેનું વિવેચન કે તેનો નામોલ્લેખ સુદ્ધાં કરતાં નથી. જ્યારે ચે. વં.મ.ભા., યો. શા. સ્વો. વિ., આ. દિ. તથા ધ. સં. તેનું વિવેચન કરે છે પણ તેમાંય વિશિષ્ટ વિવેચન તો માત્ર ચે. વં. મ. ભા. જ કરે છે. યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. ‘સુવિધિનાથ’નું ‘પુષ્પદંત’ એ બીજું નામ છે એમ જણાવે છે. ચે. વં. મ. ભા. પણ ‘સુવિધિ' એ નામ છે અને ‘પુષ્પદન્ત’ એ વિશેષણ છે એમ જણાવવા પૂર્વક, કેટલાક ‘પુષ્પદન્ત'ને નામ તરીકે માન્ય રાખી ‘સુવિધિ'ને વિશેષણ તરીકે માને છે, તે મતાંતરનો ઉલ્લેખ કરે છે.૧ F ૧ આ. દિ. ‘સુવિધિ' એ નામ છે અને પુષ્પદન્ત' એ વિશેષણ છે એમ જણાવે છે. તહ-[ તથા ]-અને ‘પાસું તદ વદ્ધમાİ ૬' એ પદમાં ‘તદ્દ' શબ્દનો પ્રયોગ કરાયો છે. આ ‘તદ' નો અર્થ ‘તથા’ કરવામાં આવેલ છે. વં[ વં–એ પ્રકારે. આ. હા. ટી, ‘વં' પદનો અર્થ ‘અનન્તરોક્ત પ્રકાર વડે' એમ કરે છે. શા. સ્વો. વિ. તથા ધ સં. ‘છ્યું' પદનો અર્થ ‘અનન્તરોદિત વિધિ વડે' એમ કરે છે.૪ લ. વિ., યો. ६०. पुष्पकलिकामनोहरदन्तत्वात् पुष्पदन्त इति । द्वितीयं नाम । द्वितीयं नाम । ૬૧. સુવિદ્દી નામં વિસેસળ વીર્ય । अत्रे एयं नामं सुविहिं च विसेसणं देंति ૬૨. સુવિધિસ્તં યંત પુષ્પવન્ત પુષ્પવદ્યન્તા: યસ્યાસૌ પુષ્પવન્તસ્તં अनन्तरोक्तेन प्रकारेण ૬૩. મ્ ૬૪. વક્ अनन्तरोदितेन विधिना एवम् अनन्तरोदितेन विधिना एवम् अनन्तरोदितेन विधिना - - યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૫ આ. —ધ. સં., પૃ. ૧૫૬ —ચે. વં. મ. ભા., ગા. ૫૭૧, પૃ. ૧૦૩. —ચે. વં. મ. ભા., ગા. ૫૭૩, પૃ. ૧૦૪. —આ. દિ., પત્ર ૨૬૭ આ. –આ. હા. ટી. ૫. ૫૦૭ અ લ. વિ., પૃ. ૪૫. —યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭. અ ધ. સં., પૃ. ૧૭૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ STORE N ॥8॥p IIEInHE BA LIDO apofanike kBILE DE lash MAYAK HAAMALILAAAAAAAAAAAAY, MADAAAAAAMKARMADAARADARAMATADAARAADE LIKKICKAKKaka ΙΩΙΩΙΩΩΝ MEDIODCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCOOLOD.COCOCOL COOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD IMIM Page #77 -------------------------------------------------------------------------- ________________ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વિવરણ ચે. વ. મ. ભા. “પર્વ' નો અર્થ “કહેલી વિધિ વડે એમ જણાવે છે. દ. ભા. તથા વં. . પd નો અર્થ “પૂર્વોક્ત પ્રકારે” એમ કરે છે."* આ પ્રમાણે કેટલાક ગ્રંથકારો કહેલી વિધિ મુજબ' એવો અર્થ કરે છે અને બાકીના કેટલાક કહેવા પ્રકાર મુજબ' એવો અર્થ કરે છે. મિથુનું મિશ્રુતા -સ્તવાયેલા. આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. “મથુન' પદનો અર્થ “અભિમુખપણા વડે તવાયેલા એટલે કે પોતાના નામથી કીર્તન કરાયેલા’ એ પ્રમાણે કરે છે." ચે. વ. મ. ભા. ‘પશુના' નો અર્થ “અભિમુખ ભાવથી સ્તવાયેલા એટલે કે અપ્રમત્ત બનીને સ્તવાયેલા' એવો કરે છે. ૧૮ દે. ભા. “મથુન' પદનો અર્થ “આદરપૂર્વક સ્તરાયેલા” એવો કરે છે. વ. વૃ. “નામ આદિથી કીર્તન કરાયેલા” એમ જણાવે છે.% આ પ્રમાણે મિથુમ' પદ–પોતાના નામથી કીર્તન કરાયેલા યા તો અપ્રમત્ત બનીને આદરપૂર્વક તવાયેલાએ અર્થમાં સિદ્ધ થાય છે. વિદુરથમના વિધૂતજ્ઞોના -દૂર કર્યા છે રજ અને મલ જેમણે. વિધૂતરનો તા:' પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે થાય છે – रजश्च मलश्च रजोमलौ, विधूतौ रजोमलौ यैस्ते विधूतरजोमलाः । રજ અને મલની વ્યાખ્યા આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ., દ. ભા., વિ. પૃ. તથા ધ. સં.માં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે – બંધાતું કર્મ તે રજ અને પૂર્વે બંધાયેલ કર્મ તે મલ અથવા તો બંધાયેલ કર્મ તે રજ અને નિકાચિત કરેલ કર્મ તે મલ. અથવા તો ઇર્યાપથિક કર્મ તે રજ અને સામ્પરાયિક કર્મ તે મલ.૭૧ ૬૫. વં તિ નિવિદા | –ચે. વ. મ. ભા., ગા. ૬૨૧, પૃ. ૧૧૧. ૬૬. પર્વ પૂર્વોwoોરેન –દે, ભા, પૃ. ૩૨૫. एवं पूर्वोक्तप्रकारेण –વં. પૃ., પૃ. ૪૨. ૬૭. ગમમુરત સ્તુતી fપણુતા તિ સ્વનામ: કીર્તિતા રૂત્યર્થ.. –આ. હા. ટી., પ. ૫૦૭ અ –લ. વિ., પૃ. ૪૫ ૬૮. ઉપમુદમાવેજ થયા અથવા તો મન ! –. . મ. ભા, ગા. ૬૨૧, પૃ. ૧૧૧. ૬૯. પશુતા ગામમુક્યત: સુતા: સાવરક્ તિ ભાવ: –દે. ભા., પૃ. ૩૨૫. ૭૦. મદુતા રામમિ : શોતિતા ત્યર્થ: I –વં. વૃ, પૃ. ૪૨ ७१. तत्र बध्यमानं कर्म रजो भण्यते पूर्वबद्धं तु मल इति अथवा बद्धं रजो निकाचितं मलः अथवा इर्यापथं रजः साम्परायिकं मल इति । –આ. હા. ટી., પ. ૫૦૭ અ. Page #79 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ચે. વં. મ. ભા. ર૪ અને મલની પૂર્વોક્ત ગ્રંથકર્તા જે રીતે ત્રણ વ્યાખ્યાઓ આપે છે તે રીતે ત્રણ વ્યાખ્યાઓ ન આપતાં માત્ર એક જ વ્યાખ્યા આપે છે કે બંધાતું કર્મ તે રજ છે અને બંધાયેલું કર્મ તે મલ છે. ૧૮ આ રીતે ‘વિધ્રુવયમન્ના' પદ-જેમણે સર્વ પ્રકારના કર્મોને (વિશિષ્ટ પરાક્રમ પૂર્વક) દૂર કરી નાખ્યાં છે તેવા–એ અર્થમાં સિદ્ધ થાય છે. પદ્દીનનરમરળા[ પ્રક્ષીનરામરળા: ]−પ્રકૃષ્ટ રીતે (સંપૂર્ણ રીતે) નષ્ટ થયા છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેમના એવા. ‘પ્રક્ષીળનરામરળા:' પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે થાય છે जरा च मरणं च जरामरणे, प्रक्षीणे जरामरणे येषां ते प्रक्षीणजरामरणाः । ૭૩ આ. હા. ટી. વગેરે લગભગ બધા ગ્રંથો ‘વહીળનરમરા’ પદની છાયા ‘પ્રક્ષીળનરામર:' કરે છે. ઉપરાંત ‘વિહુયરયમના’ અને ‘પહોળમરા' એ બે પદો વચ્ચે કાર્યકરણ સંબંધ યોજે છે. એટલે કે શ્રી તીર્થંકર ભગવંતો ‘વિધૂતરજોમલ' છે માટે ‘પ્રક્ષીણજરામરણ' છે એમ જણાવે છે.જ -: આ પ્રમાણે ‘પદ્મીનનરમર' પદ—જેમની વૃદ્ધાવસ્થા અને મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલા છે તેવા—એ અર્થમાં સિદ્ધ થાય છે. ઘડવીસ પિ[ ચતુર્વિજ્ઞતિપિ]-ચોવીસ અને બીજા. અહીં વપરાયેલ ‘પિ' શબ્દનો ભાવાર્થ ‘અને બીજા' એ પ્રમાણે થાય છે. પ્રથમ પદ્યમાં ‘વડવીસંપિ’ પદ દ્વિતીયાના બહુવચન અર્થમાં વપરાયેલ છે, જ્યારે અહીં ‘વવીસું પિ' પદ પ્રથમાના બહુવચન અર્થમાં વપરાયેલ છે. એટલે ‘ચોવીસ અને બીજા' એ પ્રમાણે અર્થ સમજવો. નિળવા-[ નિનવા: ]-જિનવરો. જિનોમાં વ૨ એટલે શ્રેષ્ઠ તે ‘જિનવર.’ ‘જિન’ કોને કહેવાય ? તે અંગે આ. હા. ટી.માં જણાવાયું છે કે શ્રી જિનપ્રવચનમાં સામાન્ય રીતે વિશિષ્ટ શ્રુતધરો આદિ પણ ‘જિન’ જ કહેવાય છે અને તે આ રીતે — - શ્રુતજિનો, અવધિજિનો, મન:પર્યાયજ્ઞાનજિનો તથા છદ્મસ્થ વીતરાગ ભગવંતો. ૭૫ આ. હા. ટી. તથા લ. વિ.માં ‘નિળવા’ પદની વ્યાખ્યા ‘શ્રુતાદિ જિનોથી પ્રધાન એટલે ૭૨. મં ય ત્તિ મુખ્વક્ વર્ષાંતે, વન્દ્વયં મતં દોરૂ ! ७३. प्रक्षीणे जरामरणे येषां ते । ચે. વં. મ. ભા., ગા. ૬૨૨, પૃ. ૧૧૨. —આ. હા. ટી. ૫. ૫૦૭ અ આ. હા. ટી. ૫. ૫૦૭ અ ७४. यतश्चैवंभूता अत एव प्रक्षीणजरामरणाः कारणाभावात् । ७५. इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते । तद्यथा श्रुतजिना अवधिजिना मन: पर्याय ज्ञानजिना: छद्मस्थवीतरागाश्च । —આ. હા. ટી. ૫. ૫૦૧ અ Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવરણ સામાન્ય કેવલી' અર્થાત કેવલજ્ઞાનીઓ' એ પ્રમાણે કરવામાં આવી છે. અન્ય ગ્રંથકારો પણ ‘નિવર' પદની ઉપરોક્ત વ્યાખ્યા જ કરે છે, પરંતુ “પ્રધાન ને સ્થાને “પ્રકૃષ્ટ' શબ્દ વાપરે છે. આ રીતે સર્વ ગ્રંથકારોને “વિરા’ પદથી કેવલજ્ઞાનીઓ અભિપ્રેત છે. આ રીતે નિપાવરા' પદ-ધ્રુતાદિ જિનોથી પ્રધાન એવા કેવલજ્ઞાનીઓ એ અર્થમાં સિદ્ધ થાય છે. તિસ્થયરી-તીર્થRI: ]-તીર્થકરો. તિસ્થયરા' પદની વ્યાખ્યા પ્રથમ પદના ધમ્મતિવૈયરે' પદની વ્યાખ્યામાં આવી ગયેલ ‘નિવર' પદથી સર્વ કેવલજ્ઞાનીઓ આવી જાય છે, પણ અહીં તો શ્રીતીર્થકર ભગવંતોને જ ગ્રહણ કરવા છે માટે ‘ઉનાવરા' પદ પછી “તિસ્થયરા' પદ મૂકેલ છે. પરીયંત-[ પ્રતીત્]-પ્રસાદવાળા થાવ. પીચંતું' પદનો અર્થ આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ.૮ આદિ સર્વ ગ્રંથકારો “પ્રસાદ કરવામાં તત્પર થાવ.” એમ કરે છે. માત્ર ચે. વ. મ.ભા. એ પદનો અર્થ “સદા તોષવાળા થાવ' એમ કરે છે.૭૯ અહીં એક પ્રશ્ન ઊઠે છે કે, જેમના રાગદ્વેષ આદિ સર્વ દોષો ક્ષીણ થઈ ગયા છે તે શ્રી વીતરાગભગવંતો પ્રસાદ કેવી રીતે કરી શકે ? પરંતુ તેના સમાધાનો જુદા જુદા ગ્રંથકારો જુદી જુદી દલીલો દ્વારા આપણને સચોટ રીતે સમજાવે છે. આ. હ. ટી. આ વિષયમાં જણાવે છે ૭૬, નિનવર: કૃતનિનyધાના:, તે સામાવતિનોfપ ભવન્તિ....... –આ. હા. ટી. ૫. ૫૦૭ અ. ૭૭, બિનવ: શ્રુતાવિનિને: પ્રકૃણા: | –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ અ. ૭૮. “પ્રસૌતુ' પ્રસાવપરા ભવતું ! –આ. હા. ટી. ૫. ૫૦૦ અ ૭૯. .......... પલીયંત ઉત્ત, તોસવંતો તથા હોંતુ liદ્રકા –ચે. વ. મ. ભા., ગા. ૬૨૫, પૃ. ૧૧૨. ૮૦. ...... .................પૂગ્યા: વર્તશક્ષથવ liા. यो वा स्तुतः प्रसीदति, रोषमवश्यं स याति निन्दायाम् । सर्वत्रासमचित्तश्च, सर्वहितदः कथं स भवेत् ॥२॥ तीर्थकरास्त्विह यस्मा-द्रागद्वेषक्षयात् त्रिलोकविदः । સ્વાભપરતુન્યવત્તા, શાત: સદ્ધ: સદ્દા પૂગ્યા: રૂપા शीतादितेषु च यथा-द्वेष, वह्निर्न याति रागं वा । नाह्वयति वा तथापि च, तमाश्रिताः स्वेष्टमश्नुवन्ते ॥४॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૦ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય કે, તે ભગવંતો ક્લેશોનો ક્ષય થવાથી જ પૂજય છે. જે સ્તુતિ કરવાથી પ્રસન્ન થાય, તે નિંદા થાય ત્યારે અવશ્ય રોષ કરે; અને આ રીતે સર્વત્ર જેનું ચિત્ત સમાન નથી તે સર્વનું હિત કરનાર કેવી રીતે બને? શ્રી તીર્થંકરભગવંતો રાગ અને દ્વેષનો ક્ષય થવાથી ત્રણે લોકને જાણનારા છે, પોતાના આત્મામાં અને પારકામાં તુલ્ય ચિત્તવાળા છે અને તેથી સજ્જનો દ્વારા સદા પૂજા કરવા યોગ્ય છે. જે રીતે ઠંડીથી પીડાતા પ્રાણીઓ ઉપર અગ્નિ રાગ કે દ્વેષ કંઈ કરતો નથી, તેમ તેમને બોલાવતો પણ નથી, તો પણ જે તેનો આશ્રય અંગીકાર કરે છે તે પોતાના ઇષ્ટને મેળવે છે. તેવી રીતે ત્રણે ભુવનના ભાવોને પ્રકાશિત કરનારા શ્રીતીર્થંકરભગવંતોનો જે લોકો ભક્તિથી સારી રીતે આશ્રય સ્વીકારે છે, તેઓ સંસારરૂપી ઠંડીને દૂર કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. સારાંશ કે—જો કે તેઓ રાગાદિ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી; તો પણ અચિન્ય ચિંતામણિ સમાન તેમને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિ અને ભક્તિપૂર્વક કરેલી સ્તુતિના પ્રભાવે સ્તુતિકારોને જે અભિલાષિત ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત તો તેઓ જ છે. પપીચંતું' પદનું વિવેચન કરતાં લ. વિ. જણાવે છે કે આ “પીવંતુ પદ પ્રાર્થના છે કે નહીં ? જો પ્રાર્થના હોય તો આ ઠીક નથી, આશંસા સ્વરૂપ હોવાથી. હવે જો એમ કહો કે આ પ્રાર્થના નથી તો આનો ઉપન્યાસ નિષ્ઠયોજન છે કે સપ્રયોજન ? જો નિષ્ઠયોજન કહેવામાં આવે તો વંદનસૂત્ર (લોગસ્સ-સૂત્ર) અચારુ ઠરે; કારણ કે તેમાં નિરર્થક પદનો ઉપન્યાસ થયેલો ગણાય અને જો સપ્રયોજન કહેવામાં આવે તો અયથાર્થ હોવાથી પ્રયોજનની સિદ્ધિ કેમ થાય ? આનું સમાધાન કરતાં શ્રી ગ્રંથકાર મહર્ષિ કહે છે કે–આ પ્રાર્થના નથી. કારણ કે અહીં પ્રાર્થનાનું લક્ષણ ઘટતું નથી. પ્રસાદની પ્રાર્થના તો પ્રાર્થનીય પુરુષમાં અપ્રસાદની સૂચક છે; કારણ કે સંસારમાં એવું જોવાય છે કે જે અપ્રસન્ન હોય તેના પ્રતિ પ્રસન્નતાની પ્રાર્થના કરવામાં આવે. જે અપ્રસન્ન જ ન હોય તેની પ્રસન્નતા માટે પ્રાર્થના કેવી ? અથવા “ભવિષ્યમાં અપ્રસન્ન ન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે.” એમ કહેવામાં આવે તો પણ તેમાં પૂર્વોક્ત કારણથી જ બાધ આવે અને આમ બન્ને રીતે તેમાં અવીતરાગતા જ સાબિત થાય. અને તેમ થવાથી સ્તુતિધર્મનો વ્યતિક્રમ થાય. વગર વિચાર્યું બોલવાથી ભગવાનમાં અવીતરાગતા દોષનું આક્રમણ અર્થાપત્તિ-ન્યાયથી સુલભ બને. (અર્થાપત્તિનો અર્થ છે કે જાડો • દેવદત્ત દિવસે નથી ખાતો અર્થાત્ રાત્રે ખાય છે. એ પ્રમાણે ભગવાન પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે એનો અર્થ એ થયો કે તેઓ ક્યારેક અપ્રસન્ન પણ થાય છે.) સજ્જનોની એવા પ્રકારની વચન પદ્ધતિ નથી હોતી કે જેથી મૂળ તત્ત્વમાં જ બાધ આવે; કારણ કે શ્રી જિનમાર્ગવચનની કુશળતા યુક્ત પુરુષોથી જ સમજાય તેવો છે. तद्वत्तीर्थकरान् ये, त्रिभुवनभावप्रभावकान् भक्त्या । समुपाश्रिता जनास्ते, भवशीतमपास्य यान्ति शिवम् ॥५॥ एतदक्तं भवति-यद्यपि ते रागादिरहितत्वान्न प्रसीदन्ति तथापि तानुद्दिश्याचिन्त्यचिन्तामणिकल्पानन्त:करणशुद्ध्याऽभिष्टवकर्तृणां तत्पूर्विकैवाभिलषितफलावाप्तिर्भवति । . –આ. હા. ટી., પ. ૫૦૭ અ. Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ૨૧ ‘સીયંસુ' આ વચનનો ઉપન્યાસ નિપ્રયોજન છે કે સપ્રયોજન? તેનો જો વિચાર કરીએ તો તે ઉપન્યાસ યુક્તિયુક્ત જ છે, ભગવાનની સ્તુતિ સ્વરૂપ હોવાથી. કહ્યું છે કે-આ ભગવંતોના રાગાદિ લેશો ક્ષીણ થઈ ગયેલા છે તેથી તેઓ પ્રસન્ન થતા નથી અને તેમની કરાયેલી સ્તુતિ પણ નકામી થતી નથી, કારણ કે, તેઓની સ્તુતિ કરવાથી ભાવોની વિશુદ્ધિ થાય છે અને પરિણામે કર્મોનો નાશ થાય છે. ૧ ચે. વ. મ. ભા. જણાવે છે કે–જે સ્તુતિ કરવાથી તુષ્ટ-પ્રસન્ન થાય તે નિંદા કરવાથી અવશ્ય પુષ્ટ બને. તેઓ વીતરાગશબ્દને કેવી રીતે ધારણ કરી શકે ? અને તેઓની સ્તુતિ પણ કેમ કરાય ? હવે જો વીતરાગ ભગવંતો પ્રસન્ન નથી થતા તો “પપીચંતુ એવું બોલવાનું શું પ્રયોજન ? આ રીતનો પ્રશ્ન ઉઠાવી ત્યાં સમાધાન કરતાં કહ્યું છે કે સાચી વાત છે કે રાગદ્વેષ વિનાના તે ભગવંતો તુષ્ટ થતા નથી, તો પણ ભક્તિપૂર્વકના આ વચન વડે કર્મોનો ક્ષયોપશમ થવાથી ભવ્ય આત્માઓનું સુંદર કલ્યાણ થાય છે. ૨૨ યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે – જો કે તે ભગવંતો વીતરાગ હોવાથી સ્તુતિ કરવામાં આવે તો તોષને ધારણ કરતા નથી અને નિંદા કરવામાં આવે તો કેષવાળા બનતા નથી. તો પણ જેમ ચિંતામણિ, મંત્ર આદિના આરાધક તેનું ફળ મેળવે છે તેમ જે એમની સ્તુતિ કરે છે તે સ્તુતિનું ફળ અને નિંદક નિંદાનું ફળ મેળવે જ છે. આ જ વાત શ્રીગ્રંથકારમહર્ષિએ વીતરાગસ્તોત્રમાં જણાવી છે કે-“જે અપ્રસન્ન હોય ८१. आह-किमेषा प्रार्थना अथ नेति, यदि प्रार्थना न सुन्दरैषा आशंसारूपत्वात् । अथ न, उपन्यासोऽस्या अप्रयोजन इतरो वा । अप्रयोजनश्चेदचारु, वन्दनसूत्रं निरर्थकोपन्यासयुक्तत्वात्, अथ सप्रयोजनः, कथमयथार्थतया तत्सिद्धिरिति, अत्रोच्यते, न प्रार्थनैषा तल्लक्षणानुपपत्तेः तदप्रसादाक्षेपिकैषा, तथा लोकप्रसिद्धत्वात्, अप्रसन्नं प्रति प्रसाददर्शनात, अन्यथा तदयोगात् भाव्यप्रसादविनिवृत्त्यर्थं च, उक्तादेव हेतोरिति, उभयथाऽपि तदवीतरागता, अत एव स्तवधर्मव्यतिक्रमः, अर्थापत्त्याऽऽक्रोशात्, अनिरूपिताभिधानद्वारेण, न खल्वयं वचनविधिरार्याणां तत्तत्त्वबाधनात् वचनकौशलोपेतगम्योऽयं मार्गः, अप्रयोजनसप्रयोजनचिन्तायां तु न्याय्य उपन्यासः, भगवत्स्तवरूपत्वात् । उक्तं च क्षीणक्लेशा एते, न हि प्रसीदन्ति न स्तवोऽपि वृथा । तत्स्वभाव(स्तवभाव)विशुद्धः, प्रयोजनं कर्मविगम इति ॥१॥ ---લ. વિ., પૃ. ૪૫-૪૬ ૮૨, તૂતિ સંથથા ને, નિયમ હરિ લિંકિયા તે ૩ | कह वीयरागसई, वहति ? ते कह व थोयव्वा ? ॥६२६।। अह ते न पसीयंति हु, कज्जं भणिएण ता किमेएण । सच्चं ते भगवंतो विरागदोसा न तूसंति ॥६२७॥ भत्तिभणिएण इमिणा, कम्मक्खउवसमभावओ तहवि । भवियाण सुकल्लाणं, कसायफलभूयमल्लियइ ॥६२८॥ –ચે. વ. મ. ભા., ગા. ૬૨૬-૨૭-૨૮, પૃ. ૧૧૩. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૨ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય તેનાથી ફળ કેમ પ્રાપ્ત થાય ? આ પ્રશ્ન સંગત નથી, કારણ કે શું અચેતન એવા પણ ચિંતામણિ વગેરે ફળ નથી આપતા ?' આમ કહી ફરી પ્રશ્ન ઉઠાવ્યો છે કે-“જો તે ભગવંતો પ્રસન્ન નથી થતા, તો શા માટે “પ્રસન્ન થાવ એવો વ્યર્થ પ્રલાપ કરવો ?” તેનું સમાધાન આપતાં જણાવ્યું છે કે- (વસ્તુત:) એમ નથી. ભક્તિના અતિરેકથી એમ બોલવામાં પણ દોષ નથી અર્થાત્ એમ બોલવાથી અતિશય ભક્તિ પ્રકટ કરાય છે.૬૩ દે. ભા. તથા નં. વૃ. જણાવે છે કે-જો કે શ્રીતીર્થંકરભગવંતો વીતરાગ આદિપણાથી પ્રસન્ન થતા નથી; તો પણ અચિંત્યપ્રભાવશાળી ચિંતામણિ રત્ન આદિની માફક મનની શુદ્ધિપૂર્વક તેમની આરાધના કરનાર ઇચ્છિત ફળને મેળવે છે. ૨૪ સારાંશ એ છે કે–ીતીર્થંકરભગવંતો રાગ-દ્વેષથી રહિત હોવાથી તેમની સ્તુતિ કરનાર કે નિંદા કરનાર ઉપર રાજા વગેરેની જેમ પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી. તો પણ જેમ ચિંતામણિ રત્નથી ફળની પ્રાપ્તિ થાય છે તેમાં વસ્તુસ્વભાવ કારણ છે, તેમ શ્રીતીર્થંકરભગવંતની સ્તુતિ આદિ દ્વારા જે ઇષ્ટ ફળની પ્રાપ્તિ આરાધકને થાય છે, તેમાં તે ભગવંતનું સ્વાભાવિક સામર્થ્ય કારણ છે. વળી, સ્તુતિ આદિમાં પ્રધાન આલંબન શ્રીતીર્થકરભગવંત હોવાથી આરાધકને થતી ઇષ્ટપ્રાપ્તિ સ્તોતવ્યનિમિત્તક કહેવાય છે, એટલે કે શ્રીતીર્થકરભગવંતને ઉદ્દેશીને અંતઃકરણના ભાવપૂર્વક કરાયેલી સ્તુતિ આદિથી આરાધકને જે અભિલષિન ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત શ્રીતીર્થંકરભગવંત છે, એથી એ ફળપ્રાપ્તિને એમની જ પ્રસન્નતા તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત આરાધકને પ્રાપ્ત થતા ઇષ્ટફળના કર્તા અને સ્વામી પણ નૈગમાદિ નયો શ્રીતીર્થંકરભગવંતને જ માને છે. આ પ્રમાણે “પક્ષીયંત પદ–(વાસ્તવિક રીતે જોતાં શ્રી તીર્થંકરભગવંતો પ્રસન્ન બનતા ન હેવા છતાં, તેમની સ્તુતિ આદિ દ્વારા પ્રાપ્ત થતી અભીષ્ટ ફળપ્રાપ્તિને તેમની જ પ્રસન્નતા. માની) “પ્રસન્ન થાવ'—એ અર્થમાં સિદ્ધ થાય છે. ક્ષિત્તિ-વંવિય-મનિ વક્રીતિ-વનિત-મતા: ]- કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજા કરાયેલા. ८3. ते च वीतरागत्वाद्यद्यपि स्तुताः तोषं निन्दिताश्च द्वेषं न यान्ति, तथापि स्तोता स्तुतिफलं निन्दकश्च निन्दाफल माप्नोत्येव यथा चिन्तामणिमन्त्राधाराधकः, यदवोचाम वीतरागस्तवे । अप्रसन्नात् कथं प्राप्यं फलमेतदसङ्गतम् । વિન્નામગ્યા: f , નત્યપિ વિવેતન: III इत्युक्तमेव, अथ यदि न प्रसीदन्ति, तत्कि प्रसीदन्त्विति वृथाप्रलापेन ? नैवं भक्त्यतिशयत एवमभिधानेऽपि न તોષઃ | –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. –ધ. સં. ૫. ૧૫૭ આ. ८४. यद्यप्येते वीतरागादित्वान्न प्रसीदन्ति तथापि तानचिन्त्यमाहात्म्योपेतान् चिन्तामण्यादीनिव मन:शुद्ध्याऽऽराधयन्नभीष्टफलमवाप्नोति । –દેભા., પૃ. ૩૨૫ –વં પૃ., પૃ. ૪૩. Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ૨૩ આ. હા. ટી. આ પદની વ્યાખ્યા કરતાં જણાવે છે કે—‘ઝીર્તિત’ એટલે પોતાના નામોથી કહેવાયેલા,’‘વન્દિત' એટલે ત્રિવિધ યોગ વડે (મન, વચન, કાયાના યોગ વડે) સારી રીતે સ્તુતિ કરાયેલા અને ‘મહિઞા' નું સંસ્કૃતમાં ‘મા' કરી, તેનો અર્થ ‘મારા વડે’ અથવા તો, ‘મહિયા' એ પાઠાંતર છે એટલે તેનું સંસ્કૃતમાં ‘મહિતા:' કરી તેનો અર્થ ‘પુષ્પ આદિથી પૂજાયેલા.' ૮૫ લ. વિ.‘નૈર્તિત’ અને ‘વન્દ્રિત’ ની વ્યાખ્યા આ. હા. ટી. પ્રમાણે જ કરે છે, પરંતુ ‘મહિમા’ પાઠને સ્થાને ‘મહિયા’ પાઠને માન્ય કરી, તેનો અર્થ પુષ્પઆદિથી પૂજાયેલા' એ પ્રમાણે કરે છે.. ચે. વં. મ. ભા. જણાવે છે કે ‘કીર્તિત’ એટલે નામોથી ઉચ્ચાર કરાયેલા,’ ‘વંતિ’ એટલે ‘મસ્તક નમાવવા વડે વંદાયેલા’ અને ‘મહિત’ એટલે ‘પુષ્પ આદિથી પૂજાયેલા અથવા તો ‘મારા વડે.’૮૭ યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. ‘તિ' અને ‘વન્દ્રિત' નો અર્થ, આ. હા. ટી. કરે છે તે પ્રમાણે જ કરે છે, પરંતુ ‘મહિયા’ ના અર્થમાં તે જુદા પડે છે. આ. હા. ટી. ‘મયિા’ ને સ્થાને ‘મહિઞા' પાઠને માન્ય રાખી તેનો અર્થ ‘મારા વડે' એમ કરીને ‘મહિત-પૂજિત' અર્થને ગૌણ બનાવે છે, જ્યારે યો. શા. સ્વો. વિ. તથા ધ. સં ‘મહિમા’ પાઠને માન્ય કરવા છતાં પણ ‘મહિત' એટલે ‘પુષ્પાદિથી પૂજિત' એ અર્થને મુખ્ય માની ‘મારા વડે’ એ અર્થને ગૌણ ગણે છે. દે. ભા. ‘શ્રીતિત’ પદનો અર્થ આ. હા. ટી. પ્રમાણે જ કરે છે; પરંતુ ‘વન્દ્રિત’ નો અર્થ, વાણી અને મન વડે સ્તવાયેલા અને ‘મતિ' નો અર્થ પુષ્પ આદિથી પૂજાયેલા કરીને જણાવે છે કે ‘મળ્યા’ એવો પણ પાઠ છે, ત્યાં ‘મારા વડે' એવો અર્થ કરવો.૯ ‘મા’ એવો પાઠ માત્ર દે. ભા. જ ટાંકે છે, જે નોંધપાત્ર છે. વં. વૃ. પણ ‘ીર્તિત’ નો અર્થ આ. હા. ટી. ‘કાયા, વાણી અને મન વડે સ્તવાયેલા' કરે છે અને ૮૫. નીતિતા:-સ્વનામિ: પ્રોત્ઝા:, વન્દ્રિતા:-ત્રિવિધયોમેન પાવાન્તરમિટું ૬, મહિતા: પુષ્પાિિમ: પૂનિતા: । ૮૬. મહિતા; પુષ્પાદિમિ: પૂનિતા: । ૮૭. નામેહિ સમુધ્વરિયા, વિત્તિયા વંદ્રિયા સિરોનમા पुप्फाइएहि महिया, मय त्ति वा वायणा सुगमा ||६२९|| પ્રમાણે જ કરે છે, પણ ‘તિ’ નો અર્થ ‘મહિયા' પાઠને માન્ય કરી ‘મતિ' એટલે સમ્યક્ત્તુતા:, मयेत्यात्मनिर्देशे, —આ. હા, ટી. ८८. महिताः पुष्पादिभिः पूजिताः । मइआ इति पाठान्तरम्, तत्र मयका मया । —ચે. વં. મ. ભા., ગા. ૬૨૯, પૃ. ૧૧૩ महिता इति वा ૫, ૫૦૭ આ. ૯. વિ., પૃ. ૪૬ યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ. ૮૯. વન્દિતા વામનોમિ: સ્તુતા:, મહિતા; પુષ્પાિિમ: પૂનિતા, મદ્ય ત્તિ વા પા:, અત્ર મયા-મયા । દે. ભા., પૃ. ૩૨૫. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય પુષ્પ આદિથી પૂજાયેલા’ કરીને કોઈ જ પાઠાંતરનો ઉલ્લેખ કરતા નથી. ૦ આ. દિ. “કીતિ' એટલે સ્તવાયેલા, “ન્દ્રિત' એટલે નમસ્કાર કરાયેલા અને “દિત' એટલે પૂજાયેલા એ પ્રમાણે જણાવે છે.૯૧ આ પ્રમાણે ‘ક્ષિત્તિ-વત્રિય-દિ' એ પદ-પોતપોતાના નામથી ખવાયેલા, મન, વચન, કાયા વડે નમસ્કાર કરાયેલા અને પુષ્પો આદિથી પૂજાયેલાએ અર્થમાં સિદ્ધ થાય છે. ને પ=ને ઘ રે ]- જે આ. ‘વિત્તિયન્દ્રિયન્નિા ' પદ મૂક્યા પછી સહેજે શંકા થાય છે કે આ કોને અંગે કહેવાય છે? તેથી તેના સમાધાનમાં સૂત્રકારે “ને ઈ’ પદ મૂકીને જણાવ્યું છે કે, જે આ નીચે લખેલા ૯૦. વન્દિતા: વાયવનિમિઃ સ્તુત:, હિતા: પુષ્પતિfમ: નિતી: | ૯૧. વર્તતા: સ્તુતા, વન્દિતા: નમતી, હિતા: પૂનિતાઃ | –વં. વૃ, પૃ. ૪૨. –આ. દિ., ૫. ર૬ અ પાદ નોંધ ‘વિત્તિયરિયમદિના' માં આવતા “લા' પદ અંગે ચાર પાઠો પ્રાપ્ત થાય છે. (૨) “દિમા' (૨) દિયા (૩) મસા. (૪) મફવા. તે પૈકી પ્રથમ પાઠ 'હિના' આ. હા. ટી. યો. શા. સ્વ. વિ., ધ. સં. તથા આ. દિ.માં મળે છે. બીજો પાઠ “મરિયા' લ. વિ., ચે. વ. મ.ભા., વં. વૃ. તથા દ. ભા. માં મળે છે. ત્રીજા અને ચોથો પાઠ “મા” અને “મા' પાઠાંતર તરીકે જ ટાંકવામાં આવેલ છે. પાઠાંતરો પણ નીચે મુજબ પ્રાપ્ત થાય છે : આ. હા. ટી.માં ‘દિયા' પાઠાંતર છે. યો. શા. સ્વ. વિ.માં ‘મા ’ પાઠાંતર છે. દે. ભા. માં “મા' પાઠાંતર છે. અન્ય ગ્રંથકારો પાઠાંતર ટાંકતા નથી. એટલે આઠ ગ્રંથકારો પૈકી દરેકને માન્ય પાઠ તથા પાઠાંતરોનું કોઇક આ સાથે દર્શાવ્યા અનુસાર છે. ગ્રન્થો માન્યપાઠ પાઠાન્તર આ. હા. ટી. महिआ महिया લ. વિ. महिया પાઠાંતરનો ઉલ્લેખ નથી. ચે. વ. મ. ભા. महिया પાઠાંતરનો ઉલ્લેખ નથી. મહિયા નો અર્થ “મારા વડે એમ પણ કરવામાં આવ્યો છે. યો. શા. સ્વ. વિ. महिआ मइआ દે. ભા. महिया मइया વ. વૃ. महिया પાઠાંતરનો ઉલ્લેખ નથી. ધ. સં. महिआ मइआ આ દિ. महिआ પાઠાંતરનો ઉલ્લેખ નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવરણ વિશેષણોથી વિશિષ્ટ છે તે. ચે. વ. મ. ભા. “ને ૪' પદનો વિશિષ્ટ અર્થ કરે છે કે- જે આ પ્રત્યક્ષ છે તે.૯૨ " આ પ્રમાણે “ને ' પદ–જે આ નીચે દર્શાવેલા વિશેષણોથી વિશિષ્ટ છે તે–એ અર્થમાં સિદ્ધ થાય છે. નાસ[ત્નો ચલોકના આ. હા. ટી. તથા લ. વિ. અહીં વપરાયેલ “નોક' શબ્દનો અર્થ “પ્રાણલોક' કરે છે. ૩ ચે. વ. મ. ભા. “સુર, અસુર આદિરૂપ લોક' એ પ્રમાણે કરે છે. ૯૪ યો. શા. સ્વ. વિ., દ. ભા., વં. વ. અને ધ. સં. “તો' શબ્દનો અર્થ “પ્રાણીવર્ગ (પ્રાણીસમૂહ) એ પ્રમાણે કરે છે.૯૫ આ. દિ. કશું જ વિવેચન ન કરતાં માત્ર “લોક' શબ્દ જ વાપરે છે. આ રીતે “નોનાક્ષ' પદ–પ્રાણીસમૂહ, પ્રાણીલોક યા તો સુર, અસુર આદિરૂપ લોક-એ અર્થમાં સિદ્ધ થાય છે. ૩૪માનામ: ]-ઉત્તમ. ‘ઉત્તમ' નો અર્થ આ. નિ., “ત્રણ પ્રકારના તમસથી ઉન્મુક્ત થયેલા.” એમ કરી, ત્રણ પ્રકારના તમસ ક્યાં? તેનું વિવેચન કરતાં, મિથ્યાત્વમોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય ગણાવે છે. આ. હા. ટી. તથા લ. વિ. ‘ઉત્તમ' વો એક અર્થ “પ્રધાને એ પ્રમાણે કરે છે અને શા માટે પ્રધાન ? તેનું કારણ જણાવતાં ‘મિથ્યાત્વ આદિ કર્મ અને “મલ તે રૂપ કલંકનો અભાવ હોવાથી પ્રધાન–ઉત્તમ' એમ દર્શાવે છે અને બીજો અર્થ “તમસથી ઉપર ચાલ્યા ગયેલા એ પ્રમાણે કરી, સંસ્કૃતમાં ‘ઉત્તમ:' ઉપરથી પ્રાકૃતમાં ‘ઉત્તમ' ને સિદ્ધ થયેલ માને છે. ૭ ચે. વ. મ. ભા. ‘ઉત્તમ' નો અર્થ “જેમનું તમસુ ઉચ્છિન્ન થયું છે એટલે કે નાશ પામ્યું છે તેઓ “ઉત્તમ,” એ પ્રમાણે જણાવે છે.૮ ૯૨. ને પqવવા પણ તોગસ યુસુફવા I. –ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩. ૯૩. સ્ત્ર પ્રfનોW I –આ. હા. ટી., પ. ૫૦૭ આ. ૯૪. તો ૪ સુરાસુરીવસ 1 –ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩. ૯૫. નીચે પ્રવિણા • –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ૯૬. fમછત્તનોfણના, નાનાવરણા વરિતોરામ | तिविहतमा उम्मुक्का, तम्हा ते उत्तमा हुंति ॥ –આ. નિ. ગા. ૧૦૯૩. ८७. मिथ्यात्वादिकर्ममलकलङ्काभावेन उत्तमाः प्रधानाः, ऊर्ध्वं वा तमसः इत्युत्तमसः 'उत्प्राबल्योर्ध्वगमनोच्छेदनेषु' इतिवचनात् प्राकृतशैल्या पुनरुत्तमा उच्यन्ते । –આ. હા, ટી., પ. ૫૦૭ આ. ૯૮, ૩છન્નતમત્તા ઉત્તમ 7િ | –ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૬ યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. ‘ઉત્તમા’નો અર્થ ‘પ્રકૃષ્ટ' કરે છે.૯૯ દે. ભા. ‘ઉત્તમ'નો અર્થ ‘પ્રકૃષ્ટ’ યા તો ‘જેમનું તમસ્ નાશ પામ્યું છે એવા' એ પ્રમાણે રે છે. ૧૦ વં. વૃ. તથા આ. દિ. આ અંગે કંઈ જ વિવેચન ન કરતાં માત્ર ‘ઉત્તમા:' એટલું જ જણાવે છે. આ રીતે ‘ઉત્તમા' પદ——‘પ્રધાન' યા તો ‘પ્રકૃષ્ટ’ અથવા ‘ત્રિવિધ તમસથી ઉન્મુક્ત બનેલા.' એ અર્થમાં સિદ્ધ થાય છે. ‘ને ૬ લોગસ્સ ઉત્તમા' આ પદનો અર્થ ચે. વં. મ, ભા. ‘ને પ્’ ની સાથે ‘તોTH’ પદનો સંબંધ જોડીને અને ‘સત્તમા’ પદને એકલું રાખીને કરે છે. (એટલે ‘જે આ સુર અસુર આદિરૂપ લોકને પ્રત્યક્ષ છે અને ઉત્તમ છે તે.' એમ અર્થ કરે છે.) ત્યારે અન્ય સર્વ ગ્રંથકારો ‘ને પ્’ પદને અલગ રાખી ‘તસ્સ' પદની સાથે ‘ઉત્તમા' પદનો સંબંધ જોડીને કરે છે. એટલે, જે આ (ભગવંતો) લોકમાં ઉત્તમ છે તે.' એમ અર્થ કરે છે. સિદ્ધા-[ સિદ્ધા: ]–સિદ્ધ થયેલા. આ. હા. ટી., લ. વિ., શા. યો. સ્વો. વિ. તથા ધ. સં. ‘સિદ્ધા’નો અર્થ ‘કૃતકૃત્ય’ કરે છે. ૧૦૧ ચે. વં. મ. ભા. ‘સિદ્ધા' નો અર્થ ‘જેમણે શિવને પ્રાપ્ત કર્યું છે એવા’ એ પ્રમાણે કરે છે.૧૦૨ અહીં ‘શિવ શબ્દથી મોક્ષ અથવા કલ્યાણ અર્થ થઈ શકે. લોગસ્સસૂત્ર સ્વાધ્યાય દે. ભા. તથા વં. વૃ. ‘સિદ્ધા' પદનો અર્થ જેમના પ્રયોજનો સંપૂર્ણ થયા છે તે' એ પ્રમાણે કરે છે.૧૦૩ થાય છે. આ, દિ. માં આ અંગે વિવેચન નથી. આ રીતે ‘સિદ્ધા’ પદ—‘કૃતકૃત્ય થયેલા’ (યા તો ‘શિવને પામેલા’)–એ અર્થમાં સિદ્ધ ‘આપવોહિતામં[ આરો યવોધિનામમ્]-આરોગ્ય માટે બોધિલાભને. ૯૯. ઉત્તમા: પ્રĐl: । ૧૦૦. ઉત્તમા; પ્રવૃષ્ટી ૩ચ્છિન્નતમસો વા | ૧૦૧. સિદ્ધા: તત્યાં ત્યર્થ: । ૧૦૨. સિદ્ધા વિં પત્તા 1/૬૩૦|| ૧૦૩, સિદ્ધા: નિશ્ચિતાર્થી: 1 મો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ. —દે. ભા., પૃ. ૩૨૫. –આ. હા. ટી., ૫. ૫૦૭ આ. ચે. વં. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩. —દે. ભા., પૃ. ૩૨૫. Page #88 -------------------------------------------------------------------------- ________________ વિવરણ આ પદનો અન્વય સર્વ ગ્રંથકારો નીચે મુજબ કરે છે – 'अरोगस्य भावः आरोग्य, आरोग्याय बोधिलाभः आरोग्यबोधिलाभः तम् आरोग्यबोधिलाभम्' । અર્થ—અરોગપણું તે આરોગ્ય. આરોગ્ય માટે બોધિલાભ તે આરોગ્યબોધિલાભ, તેને. આ. હા. ટી. “ વોહિતા' પદનો અર્થ “આરોગ્ય” એટલે “સિદ્ધપણું તેને માટે બોધિલાભ.” “પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ તે “બોધિલાભ” કહેવાય છે તેને.” એ પ્રમાણે જણાવે છે. ૧૦૪ લ. વિ. ‘આરોગ્ય” એટલે “સિદ્ધપણું' તેને માટે ‘બોધિલાભ” એટલે “જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ.” એમ જણાવે છે. ૧૦૫ ચે. વ. મ. ભા. જણાવે છે કે રોગનો અભાવ તે “આરોગ્ય કહેવાય છે, તેનો સાધક જે ભવાંતરગત બોધિલાભ એટલે કે ભવાંતરમાં જિનધર્મરૂપ સંપત્તિ.૧૦ યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે “આરોગ્ય' એટલે “સિદ્ધપણું તેને માટે બોધિલાભ' એટલે અહંત-પ્રણીત ધર્મની પ્રાપ્તિ તે “આરોગ્ય બોધિલાભ.' તે નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે. ૧૦૭ દે. ભા. તથા વં. વૃ., યો. શા. સ્વો. વિ.માં જણાવેલ વિગતનું જ સમર્થન કરે છે. માત્ર આ. દિ. જણાવે છે કે, આરોગ્યને તથા બોધિલાભને.૧૦% આ પ્રમાણે (આ. દિ. ના અપવાદ સિવાય અન્ય સર્વ ગ્રંથોના મતે) માવોદિના' પદ–આરોગ્ય એટલે સિદ્ધત્વ અને તે માટે (ભવાંતરમાં) શ્રીજિનપ્રણીત ધર્મની પ્રાપ્તિને એ અર્થમાં સિદ્ધ થાય છે. અહીં ‘આરોગ્ય’ શબ્દથી “ભાવ આરોગ્ય જ ગ્રહણ કરવું જોઈએ, કારણ કે, “આરોગ્ય શબ્દનો સંબંધ “બોધિલાભ' સાથે છે. જો ‘દ્રવ્ય આરોગ્ય' એટલે કે શારીરિક સ્વાચ્ય ગ્રાહ્ય હોત તો “આરોગ્ય માટે શ્રીજિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ એમ ન કહેતાં “આરોગ્ય' પદને અલગ જ રખાયું હોત, પણ તેમ ન કરતાં બન્ને પદનો સમાસ કરી એક પદ બનાવવાથી અને પાછળ શ્રી જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ વાચક “બોધિલાભ' શબ્દ આવવાથી અહીં “ભાવ-આરોગ્ય' જે સંભવે છે. ૧૦૪, આરોગ્યે સિદ્ધર્વ તર્થ વધતામ: p– ગિનધર્મપ્રસિધતાબોડપધી તે તમ્ –આ. હા. ટી., પ. ૫૦૦ આ. १०५. आरोग्यं सिद्धत्वं तदर्थं बोधिलाभ: आरोग्यबोधिलाभः जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते तम् । –લ. વિ., પૃ. ૪૬ . ૧૦૬, શેખાવું આ THદ, તક્ષદ(ઈrો ગો જેવા . વોહીતાબો નિબંધH-સંપથી તું મરું લિંત //દ્રૂશા —ચે. મ. ભા., ગા. ૬૩૧, પૃ. ૧૧૩. १०७. अरोगस्य भावः आरोग्यं सिद्धत्वं, तदर्थं बोधिलाभः अर्हत्प्रणीतधर्मप्राप्तिरारोग्यबोधिलाभः स ह्यनिदानो मोक्षायैव भवति तम् । —યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ૧૦૮. ગોષે વધતામન્ ! –આ. દિ., ૫. ૨૬૮ અ. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૮ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય સમદિવરન્સ માધવર-શ્રેષ્ઠ સમાધિને. અહીં વપરાયેલ “સમાધિ' શબ્દ પર વિવેચન કરતાં આ. હ. ટી. તથા લ. વિ. જણાવે છે કે - “સમાધાનં-સમધ' (અર્થ – સમાધાન તે સમાધિ.) તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. દ્રવ્યસમાધિ' તે છે કે જેના ઉપયોગથી સ્વસ્થપણું થાય યા તો જે વસ્તુઓને પરસ્પર વિરોધ ન હોય તે. “ભાવસમાધિ તો જ્ઞાન આદિના સમાધાનને (એટલે કે તે જ્ઞાનાદિ ગુણોની આત્મામાં સારી રીતે સત્તા હોવી તેને) જ કહેવાય છે, કારણ કે તેની સત્તા હોય તો જ પરમ સ્વાથ્યનો યોગ થાય છે. આ રીતે “સમાધિ બે પ્રકારની છે તેથી ‘દ્રવ્યસમાધિનો વ્યવચ્છેદ કરવા માટે અહીં “સમાધિ' શબ્દની આગળ “વર' શબ્દ મૂલ છે. વર એટલે “પ્રધાન’-એટલે કે “પ્રધાનસમાધિ અર્થાત “ભાવસમાધિ.૧૦૯ આ ‘સમદિવ' પદનો પૂર્વોક્ત ‘મારુ વહિતા' પદ સાથે સંબંધ છે એટલે કે, “આરોગ્ય માટે બોધિલાભને અને તે બોધિલાભ નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે તેથી કરીને તેને માટે ‘ભાવસમાધિને.' એ પ્રમાણે અર્થ કરવામાં આવે છે. ચે. . મ. ભા. જણાવે છે કે–મનની. નિવૃત્તિ તે “સમાધિ છે તેના દ્વારા શ્રેષ્ઠ એવા બોધિલાભ.' આ રીતે “શ્રેષ્ઠ ભાવસમાધિ' એમ અર્થ ન કરતાં “સમાધિ વડે શ્રેષ્ઠ એવો બોધિલાભ' એવો અર્થ તેઓ કરે છે અને આ પ્રમાણે કરી “સમરિવર' શબ્દનો ‘મારુવિદિતા' પદમાં આવેલ “વોદિનામ' શબ્દ સાથે સંબંધ જોડે છે.૧૧૦ યો. શા. સ્વ. વિ., દ. ભા., વ. વૃ. તથા ધ. સં. જણાવે છે કે બોધિલાભ' માટે “સમાધિવર'ને એટલે કે “વરસમાધિને. કે જે પરમ-સ્વાથ્યરૂપ ‘ભાવસમાધિ છે તેને.૧૧૧ આ. દિ. ગ્રંથમાં આ અંગે કંઈ જ વિવેચન નથી. આ રીતે “સમદિવરમ' પદ–“શ્રેષ્ઠ એવી સમાધિને એટલે કે ભાવસમાધિને અને પૂર્વના માહિત્ન' પદ સાથે “સમાવિનો સંબંધ જોડતાં બોધિલાભ માટે શ્રેષ્ઠ એવી ભાવ સમાધિને એ અર્થમાં સિદ્ધ થાય છે. १०८. स च (बोधिलाभः) अनिंदानो मोक्षायैव प्रशस्यते इति, तदर्थमेव च तावत्किम् ? तत आह-समाधान समाधिः स च द्रव्यभावभेदाद् द्विविधः, तत्र द्रव्यसमाधिर्यदुपयोगात् स्वास्थ्यं भवति येषां वाऽविरोध इति, भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्ययोगादिति, यतश्चायमित्थं द्विधाऽतो द्रव्यસમfધવ્યવછાર્થમાદ-વરં–પ્રધાને માવસમાધિસત્યર્થ. –આ. હા. ટી., પ. ૫૦૭ આ. ૧૧૦. મનિવ્રૂં સમારી, તેમાં વર્ષ રેતુ વોદિના છે ! –ચે. વ. મ. ભા., ગા. ૬૩૧, પૃ. ૧૧૩ ૧૧૧. વર્થ સમાધવરે વરHTધ પરમક્વાશ્ચ ૫ માસમાધિમત્વ: | –-ચો. શા. સ્વ. વિ. ૫. ૨૨૭ આ. Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ૨૯ ઉત્તi[૩ત્તમં Fઉત્તમ. આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ., દ. ભા., વં. વૃ. તથા ધ. સં. ૩ત્ત'નો અર્થ “સર્વોત્કૃષ્ટી કરે છે અને જણાવે છે કે–ઉપર્યુક્ત ‘ભાવસમાધિ” પણ ઓછાવત્તા અંશે અનેક પ્રકારની હોવાથી અહીં “સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ' ગ્રાહ્ય છે, માટે ઉત્તમ' પદ મૂકવામાં આવેલા છે.૧૧૨ ચે. વ. મ. ભા. જણાવે છે કે, તે બોધિલાભ'નું સર્વ પ્રધાનપણું સૂચવવા માટે ઉત્તમં પદ મૂલ છે. ૧૧૩ આ રીતે અહીં વપરાયેલ “ઉત્ત' પદ–“સર્વોત્કૃષ્ટ' યા તો “સર્વપ્રધાન–એ અર્થમાં સિદ્ધ થાય છે. હિંતુન રતુFઆપો. આ પ્રમાણે છેલ્લા બે પદનો અર્થ “આરોગ્ય એટલે જે સિદ્ધપણું તેને માટે બોધિલાભને . અને તે બોધિલાભ માટે ઉત્તમ ભાવસમાધિને, યા તો આરોગ્ય સાધક બોધિલાભ કે જે સમાધિના યોગે શ્રેષ્ઠ છે અને સર્વપ્રધાન છે તેને આપો.” એ પ્રમાણે થાય છે. આઠેય ગ્રંથકારો હિંદુનો અર્થ ‘આપ’ એમ કરવામાં એકમત છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્રી તીર્થંકરભગવંત પાસે આપણે યાચના કરીએ છીએ કે–“અમને ઉપર્યુક્ત વસ્તુઓ આપો.' તો શું તેઓમાં તે વસ્તુઓ આપવાનું સામર્થ્ય છે? આ પ્રશ્નના ઉત્તર જુદા જુદા ગ્રંથકારોએ જે આપ્યા છે તે પૈકી આ. હા. ટી. જણાવે છે કે, તેમનામાં તે વસ્તુઓ આપવાનું સામર્થ્ય નથી, પરઁતુ આ તો માત્ર ભક્તિથી જ કહેવામાં આવે છે અને આ “અસત્યામૃષા' નામનો ભાષાનો એક પ્રકાર છે. ખરી રીતે જોતાં તો તીર્થકરો પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ ઉપર્યુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. માટે જ કહેવાય છે કે “તમે આપો.૧૧૪ લ. વિ. જણાવે છે કે જો કે તે વીતરાગભગવંતો રાગાદિ રહિત હોવાથી આરોગ્ય આદિ આપતા નથી, તો પણ આવા પ્રકારના વાક્યના પ્રયોગથી પ્રવચનની આરાધના થવા દ્વારા સન્માર્ગમાં રહેલા મહાસત્ત્વશાળી આત્માને તેમની સત્તાના કારણે જ તેની પ્રાપ્તિ થાય છે. ૧૧૫ ચે. વ. મ. ભા. જણાવે છે કે આ “અસત્યામૃષા' નામની ભક્તિથી બોલાયેલી ભાષા છે. ૧૧૨મસાવા તાતગમેાધેવ મત આ ૩ત્ત-સર્વોત્કૃષ્ટમ્ | –આ. હા. ટી., પ. ૫૦૭ આ. ૧૧૩. તરસ વ સલ્વપદીનત્તસાર ૩ત્તમ મનિયમ્ –ચે. વ. મ. ભા., ગા. ૬૩૨, પૃ. ૧૧૪ ૧૧૪. આદ- તેષાં પ્રીનસામર્થ્યમતિ ? 1, મિથુમેવEfપધયત ત ?, ૩તે અત્યા, વક્ષ્યતિ ૨ ‘માસા, असच्चमोसा' इत्यादि, नवरं तद्भक्त्या स्वयमेव तत्प्राप्तिरुपजायत इति । –આ. હા. ટી., ૫. પ૦૦ આ. ११५. यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्ति, तथाप्येवंविधवाक्यप्रयोगतः प्रवचनाराधनया सन्मार्गवत्तिनो महासत्त्वस्य तत्सत्तानिबन्धनमेव तदुपजायते । –લ. વિ., પૃ. ૪૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય બાકી જેમના “રાગ’ અને ‘દ્વષ' ચાલ્યા ગયા છે એવા જિનવરો “સમાધિ” અને “બોધિને આપતા નથી, પરંતુ રાગ-દ્વેષ રહિત જિનવરોની પરમ ભક્તિથી જીવો આરોગ્ય બોધિલાભ અને સમાધિ મરણને પ્રાપ્ત કરે છે. ૧૧ ઉપર્યુક્ત અર્થ “આવયનિષુત્તિમાં નિદાનની ચર્ચાના પ્રસંગમાં દર્શાવેલ છે, તદ્વિષયક ગાથાઓ ચે. વ. મ. ભા.ના કર્તાએ અહીં ઉઘુત કરી છે. “સમાધિ'નો અર્થ નિષુત્તિકારે “સમાધિમરણ કર્યો છે, જે નોંધપાત્ર છે. યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે “આપો' એવું ભક્તિથી કહેવાય છે. કહ્યું છે કે–“અસત્યામૃષા' નામની કેવળ ભક્તિથી બોલાયેલી આ ભાષા છે. અન્યથા, જેમના રાગાદિ દોષો ક્ષીણ થઈ ગયા છે તેઓ “સમાધિ” અને “બોધિને આપતા નથી.૧૭ આ વિષય પર અચાન્ય ગ્રંથકારોએ પણ વિશદતાથી વિવેચન કર્યું છે. જે પૈકી ધર્મસંગ્રહણી'ના કર્તાએ જે વિગત ટાંકી છે તે વિશિષ્ટ કોટિની હોવાથી પાદનોંધમાં આપેલ છે. સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આ રીતે યાચના કરવી એ શું નિદાન (કે જેને નિયાણું કહેવામાં આવે છે તે) નથી ? તેનો જવાબ “આવસ્મયનિજુત્તિએ પોતે જ આ પ્રશ્ન ઉપસ્થિત કરીને નીચે પ્રમાણે આપ્યો છે. જો એમ કહેવામાં આવે કે–આરોગ્ય આદિ આપો તો શું આ નિદાન છે ? (તેના જવાબમાં “ નિસ્તુત્તિ જણાવે છે કે, અહીં વિભાષા એટલે કે વિષયવિભાગની વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી.૧૧૮ ૧૧૬. માસી સંન્યૂમોસા, નવરું પત્તીણ માસથી પસા | न ह खीणपेज्जदोसा दिति समाहिं च बोहिं च ॥६३४।। भत्तीए जिणवराणं परमाए खीणपेज्जदोसाणं । મારો વોદિતાએ સમા&િમરમાં ૩ પાવૅતિ ||૬ રૂ. –ચે. વ. મ. ભા., ગા. ૬૩૪-૬૩૫, પૃ. ૧૧૪ ૧૧૭. ઉતર્વ પોતે, વત્ ૩#મ भासा असच्चमोसा नवरं भत्तीइ भासिआ एसा । નહુ વીfપmોસા, દ્વિતિ સમfહં વોર્દિ તિ શા –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ૧૧૮, આવોદિતાએ સમદરત્તાં ને કિંતુ. * ટુ નિશાળનેત્રં તિ ?, વિમાસા રૂલ્ય + 1ળ્યા છે. –આ. નિ., ગા. ૧૦૯૪. પાદ નોંધ ધર્મસંગ્રહણીવૃત્તિમાં કહ્યું છે કે—'માહિત્ના' એ વાક્ય નિષ્ફળ નથી. “આરોગ્ય' આદિ વસ્તુઓ તત્ત્વથી તો શ્રીતીર્થંકરભગવંત વડે જ અપાય છે, કારણ કે તેઓ જ તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયના હેતુ છે. नैवेतदारोग्यादिवाक्यं स्वतो निष्फलं, आरोग्यादेस्तत्त्वतो भगवद्भिरेव दीयमानत्वात् अवन्ध्यतथाविधविशुद्धाध्यवसायहेतुत्वात् । –ધર્મસંગ્રહણીવૃત્તિ, પૃ. ૩૧૬. Page #92 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ૩૧ વિભાષા અહીં શી લેવી ? તેનું સ્પષ્ટીકરણ કરતાં આ. હા. ટી. જણાવે છે કે–૧૯ ‘આરોગ્ય આદિ આપો તે શું નિદાન છે ? જો નિદાન હોય તો તેનાથી સર્યું, કારણ કે સૂત્રમાં તેનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. જો નિદાન ન હોય તો તેનું (‘હિંદુ' પદનું) ઉચ્ચારણ જ વ્યર્થ છે. તેના પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે કે–અહીં વિષયવિભાગની વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી. એટલે કે આ નિદાન નથી; કારણ કે તે કર્મબંધમાં હેતુ નથી. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયો અને યોગો (મન-વચન-કાયાના) એ બન્ધના હેતુ છે. જ્યારે મુક્તિની પ્રાર્થનામાં આ ઉપર ગણાવ્યા તે પૈકી એકનો પણ સંભવ નથી અને તેનું ઉચ્ચારણ (આરોગ્યાદિ આપો) પણ વ્યર્થ નથી કારણ કે તેનાથી (ત ઉચ્ચારણથી) અન્તઃકરણની શુદ્ધિ થાય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે – આ પ્રકારે આ નિદાન નથી તે બરાબર છે તો પણ (આ યાચના) તે દુષ્ટ જ છે; કારણ કે સ્તુતિ દ્વારા ભગવંતો આરોગ્યાદિ આપનારા થાય છે કે નહિ ? જો “થાય છે' એમ કહો તો તેમનામાં રાગાદિની સત્તાનો પ્રસંગ આવશે; જો ‘નથી થતા' એમ કહો તો તેઓ આરોગ્ય આદિના પ્રદાનથી રહિત છે એ જાણવા છતાં ય પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ આવશે. તેના પ્રત્યુત્તરમાં ગુરુ જણાવે છે કે આ રીતે પ્રાર્થનામાં મૃષાવાદનો સંભવ નથી; કારણ કે આ અસત્યામૃષા નામની ભાષા છે અને તે (ભાષા) આમત્રણ આદિ ભેદથી અનેક પ્રકારની છે. કહ્યું છે કે–આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમા, અનભિગૃહીતા, અભિગ્રહવિષયા, સંશયકરણી, વ્યાકૃતા તથા અવ્યાતા આ બધી અસત્યામૃષા ભાષા છે. તે પૈકી અહીં યાચનીનો અધિકાર છે. એટલે કે અહીં “યાચની' ભાષા છે; કારણ કે ‘આરોગ્યબોધિલાભ અને ભાવસમાધિને આપો’ તે પદ યાચનાના અર્થમાં છે. ૧૧૯. કુમારોભ્યાદ્રિ તુ, દ્રિ નિદ્રાનમન્નમન, કૂવે પ્રતિધિત્વ, 1 વેદ્ વ્યર્થવોલ્વીરમિતિ, ગુરુરીહં 'विभासा एत्थ कायव्व'त्ति विविधा भाषा विभाषा-विषयविभागव्यवस्थापनेन व्याख्येत्यर्थः, अत्र कर्तव्या, इयमिह भावना - नेदं निदानं, कर्मबन्धहेतुत्वाभावात्, तथाहि - मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः न च मुक्तिप्रार्थनायाममीषामन्यतरस्यापि सम्भव इति, न च व्यर्थमेव तदुच्चारणमिति, ततोऽन्तःकरणशुद्धेरिति गाथार्थः ॥१०९४॥ आह-न नामेदमित्थं निदानं, तथापि तु दुष्टमेव, कथं ? इह स्तुत्या आरोग्यादिप्रदातार: स्युर्न वा ? यद्याद्यः पक्षस्तेषां रागादिमत्त्वप्रसङ्गः, अथ चरमस्तत आरोग्यादिप्रदानविकला इति जानानस्यापि प्रार्थनायां मृषावाददोषप्रसङ्ग इति, न, इत्थं प्रार्थनायां मृषावादायोगात्, तथा चाह-भाषा असत्यामृषेयं वर्तते सा चामन्त्रण्यादिभेदादनेकविधा, तथा चोक्तम्"आमंतणि आणवणी जायणि तह पुच्छणी य पन्नवणी । पच्चक्खाणी भासा भासा इच्छाणुलोमा य ॥१॥ अणभिग्गहिया भासा भासा य अभिग्गहमि बोधव्वा । संसयकरणी भासा, वोयड अव्वोयडा चेव ॥२॥" इत्यादि, तत्रेह याचन्याऽधिकार इति, यतो याञ्चायां वर्तते, यदुत-'आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु' ત્તિ ! –આ. હા, ટી., ૫, ૫૦૮ આ. Page #93 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય 'दिन्तु' यह अंगे विवेयना उरतां स वि. ४आवे छे १२० (शिष्य पूछे छे 3) 'दिन्तु' भेटले 'खारोग्यजोधिसाल भने उत्तमभाव समाधि खायो' खेम के उहीखे છીએ તે નિદાન છે કે નહિ ? જો નિદાન હોય તો તેની જરૂર નથી, કારણ કે આગમમાં નિદાન (નિયાણું) કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે અને જો એમ કહેવામાં આવે કે, ‘આ નિદાન નથી,' તો આ ‘વિન્તુ' પદ સાર્થક છે કે નિરર્થક ? હવે જો પ્રથમ પક્ષને લઈને આને સાર્થક માનવામાં આવે તો ભગવંતો પ્રાર્થના કરવામાં કુશળ પ્રાણીઓને તેનું દાન કરનારા હોવાથી रागाद्दिवाजा छे रोम मानवुं पडशे में अन्य पक्ष संगीार अरवामां आवे, अर्थात् 'दिन्तु' पहने નિરર્થક માનવામાં આવે, તો શ્રીતીર્થંકરભગવંતો આરોગ્યાદિ પ્રદાન કરતા નથી એવું જાણવા છતાં પણ પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ લાગશે. ૩૨ અહીં કહે છે કે- આ ‘આપો એમ કહેવું તે નિદાન નથી; કારણ કે, નિદાનનાં (નિયાણાનાં) લક્ષણો એમાં ઘટિત થતાં નથી. નિયાણું દ્વેષવશ, અત્યન્ત રાગવશ કે મોહ અજ્ઞાનના કારણે થાય છે. શાસ્ત્રોમાં પણ તે જ પ્રમાણે વર્ણન પ્રાપ્ત થાય છે. ધર્મને માટે હીનકુલ વગેરેની પ્રાર્થના કરવી તે મોહ-અજ્ઞાન છે; કારણ કે, ધર્મ હીનકુલનું કારણ નથી. ઋદ્ધિ-વૈભવની ગાઢ અભિલાષાથી ધર્મની પ્રાર્થના કરવી એ પણ મોહ છે; કારણ १२०. आह- किमिदं निदानमुत नेति, यदि निदानमलमनेन सूत्रप्रतिषिद्धत्वात् न चेत् सार्थकमनर्थकं वा ? यद्याद्यः पक्षस्तेषां रागादिमत्त्वप्रसङ्गः, प्रार्थनाप्रवीणे प्राणिनि तथादानात् अथ चरमः तत आरोग्यादिदानविकला एते इति जानानस्यापि प्रार्थनायां मृषावादप्रसङ्ग इति, अत्रोच्यते, न निदानमेतत्, तल्लक्षणायोगात्, द्वेषाभिष्वङ्गमोहगर्भं हि तत्, तथा तन्त्रप्रसिद्धत्वात् धर्माय हीनकुलादिप्रार्थनं मोहः अतद्धेतुकत्वात्, ऋद्धयभिष्वङ्गतो धर्मप्रार्थनाऽपि मोह:, अतद्धेतुकत्वादेव तीर्थकरत्वेऽप्येतदेवमेव प्रतिषिद्धमिति, अतएवेष्टभावबाधकृदेतत् तथेच्छाया एव तद्विघ्नभूतत्वात् तत्प्रधानतयेतरत्रोपसर्जनबुद्धिभावात्, अतत्त्वदर्शनमेतत्, महदपायसाधनं, अविशेषज्ञता हि गर्हिता, पृथग्जनानामपि सिद्धमेतत्, योगिबुद्धिगम्योऽयं व्यवहारः, सार्थकानर्थकचिन्तायां भाज्यमेतत्, चतुर्थभाषारूपत्वात्, तदुक्तं— " भासा असच्चमोसा, णवरं भत्तीए भासिया एसा । नहु खीणपेज्जदोसा देंति समाहिं च बोहिं च ॥१॥ तप्पत्थणाए तहवि य, ण मुसावाओ वि एत्थ विण्णेओ । तप्पणिहाणाओ च्चिय, तग्गुणओ हंदिफलभावा ॥२॥ चिन्तामणिरयणादीहि, जहा उ भव्वा समीहियं वत्युं । पावंति तह जिणेहिं, तेसिं रागादभावेऽवि || ३ || वत्थुसहावो एसो, अउव्वचिन्तामणी महाभागो । थोऊणं तित्थयरे, पाविज्जइ बोहिलाभो त्ति ||४|| भत्तीए जिणवराणं, खिज्जन्ती पुव्वसंचिया कम्मा । गुणपरिसबहुमाणो उण, कम्मवणदवानलो जेण ॥५॥ एतदुक्तं भवति —- यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्ति, तथाप्येवंविधवाक्यप्रयोगतः प्रवचनाराधनया सन्मार्गवर्तिनो महासत्त्वस्य तत्सत्तानिबन्धनमेव तदुपजायत इति गाथार्थः ||६|| a. वि., पृ. ४७. Page #94 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ૩૩ કે, ધર્મ તેનું પણ કારણ નથી. શ્રીતીર્થકરપણાની ઇચ્છામાં-(કે તીર્થકરો અષ્ટમહાપ્રતિહાર્યસમવસરણ આદિ વિભૂતિને યોગ્ય બની દેવોથી પૂજાય છે, મને પણ તપથી આવું તીર્થકરપણું પ્રાપ્ત થાઓ એવી ઇચ્છામાં) પણ દોષ છે. પ્રથમની માફક તેનો પણ શાસ્ત્રમાં પ્રતિષેધ કરાયેલો છે. તે ઇષ્ટભાવ (શુભ પરિણામ)ને બાધા કરનાર છે. નિદાનની ઇચ્છા જ ધર્મમાં વિદ્ગભૂત છે, કારણ કે તેમાં ઋદ્ધિ આદિના પ્રધાનપણાની અને ધર્મમાં ગૌણપણાની બુદ્ધિ આવે છે. આ વાતને વધારે સ્પષ્ટતાથી વિચારીએ તો કહી શકાય કે–પૌગલિક આશંસાત્મક નિદાન તત્ત્વદર્શનના અભાવવાળું છે અને મહા અપાયનું કારણ છે; કારણ કે, આની પાછળ અવિશેષજ્ઞતા જ કાર્ય કરે છે. અવિશેષજ્ઞતા–સારાસારઅજ્ઞાનતા ખરેખર નિંદનીય છે એ વાત સામાન્ય માણસોને પણ પ્રતીત છે. બાકી તો) આ બધી વસ્તુ (સંસારથી ઉદ્વિગ્ન) યોગી પુરુષોની બુદ્ધિથી જ ગમ્ય છે. હવે “વિતું પદ સાર્થક છે કે નિરર્થક ? એનો વિચાર કરીએ તો એમાં ભજના છે. શાસ્ત્રમાં એને અસત્યામૃષા (વ્યવહાર ભાષા) નામની ચતુર્થ ભાષા કહી છે અને તેથી તે સાર્થક છે તેમ જ નિરર્થક પણ છે. (આશંસારૂપ આ ચતુર્થભાષા કંઈ સાધવાને કે નિષેધવાને સમર્થ નથી માટે તે નિરર્થક છે અને પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય આનું ફળ હોવાથી સાર્થક પણ છે) કહ્યું છે કેભક્તિપૂર્વક બોલાયેલી આ “અસત્યામૃષા' નામની ભાષા છે, પરંતુ જેમના રાગદ્વેષ ક્ષીણ થઈ ગયા છે એવા વીતરાગજિનેશ્વરી સમાધિ કે બોધિ આપતા નથી. એમની પ્રાર્થના કરવાથી મૃષાવાદ લાગે છે એમ પણ ન સમજવું; કારણ કે તેમનું પ્રણિધાન કરવાથી જ તેના ગુણથી (પ્રણિધાનના ગુણથી) ફળની પ્રાપ્તિ જરૂર થાય છે. જેમ ચિંતામણિ રત્નો આદિથી પ્રાણીઓ ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે છે, તેમ જિનેશ્વરોમાં રાગાદિ ન હોવા છતાં પણ તેમનાથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ વસ્તુસ્વભાવ છે કે–અપૂર્વચિંતામણિ મહાભાગ શ્રી તીર્થકરોને સ્તવવાથી બોધિલાભની પ્રાપ્ત થાય છે. શ્રીતીર્થંકરભગવંતોની ભક્તિ કરવાથી પૂર્વસંચિત કર્મો નાશ પામે છે, કારણ કે ગુણોના પ્રકર્ષનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનલ સમાન છે. સારાંશ એ છે કે, જો કે તે ભગવંતો વીતરાગપણાને લીધે આરોગ્યાદિ નથી આપતા તો પણ આવા પ્રકારની વાણીના (સ્તુતિની ભાષાના) પ્રયોગથી પ્રવચનની આરાધના થાય છે અને તે આરાધના દ્વારા સન્માર્ગવર્તી મહાસત્ત્વશાળી જીવને શ્રી તીર્થંકરભગવંતની સત્તાના બળે જ (વસ્તુસ્વભાવસામર્થ્યથી) ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે શ્રી તીર્થંકરભગવંતો પાસે “આરોગ્ય માટે બોધિલાભ તથા ઉત્તમભાવ સમાધિની યાચના કરવાથી તેઓ તે આપતા નથી; કારણ કે તેઓ વીતરાગ છે, છતાંય તેમની સ્તુતિનભક્તિ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લોગસૂત્ર સ્વાધ્યાય કરવાથી તે સ્તુતિ-ભક્તિના યોગે સ્વયમેવ તે પ્રાપ્ત થાય છે અને તેથી તે તેમણે જ આપ્યું ગણાય. આ રીતે અહીં વપરાયેલ ‘હિંદુ' પદ, ભક્તિના યોગે તેમ જ આરોગ્યાદિ આપવામાં તેમની સ્તવના નિમિત્ત હોવાથી તે સ્વયં આપનારા જ ગણાય એ અપેક્ષાએ “આપો” એ અર્થમાં સિદ્ધ થાય છે. હેમુ નિર્મનાર -[વો નિર્મનંતરા: -ચંદ્રોથી વધુ નિર્મલ. ચંદ્રોથી વધુ નિર્મલ કહેવાનું કારણ આ. નિ. જણાવે છે કે–ચંદ્રો, સૂર્યો અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ત્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ લોક અને અલોકને પ્રકાશિત કરે છે.૧૨૧ આ. હા. ટી. તથા લ. વિ. જણાવે છે કે–અહીં “પંચમીના સ્થાને “સપ્તમી’નો પ્રયોગ પ્રાકૃત શૈલીથી તથા પાર્ષના યોગે થયેલ છે. કયાંક “વંર્દિ નિમ્પયર' એવો પણ પાઠ પ્રાપ્ત થાય છે. ચંદ્રો કરતાં વધુ નિર્મલ કહેવાનું કારણ સકલ કર્મરૂપી મલ ચાલ્યો ગયો તે છે.૨૨ નિર્યુક્તિકારે જે જણાવ્યું છે કે –“ચંદ્રો આદિની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ત્યાં “ક્ષેત્રશબ્દથી ક્ષેત્રમાં રહેલી વસ્તુઓ સમજવી. કારણ કે, “ક્ષેત્ર' અમૂર્ત છે તેને મૂર્ત એવી પ્રભા પ્રકાશિત કરી શકે નહિ. ચે. વ. મ. ભા. જણાવે છે કે–અહીં સપ્તમીનું બહુવચન પંચમીના અર્થમાં છે, તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મલ’ એમ સમજવું.૧૨૩ યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે અહીં ‘પગ્રસ્તૃતીયા ૨' એ સૂત્રથી પંચમીના અર્થમાં સપ્તમી થયેલ છે. તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મળ છે. કારણ કે તેમના સમગ્ર કર્મરૂપી મળનો નાશ થયેલો છે. વં૬િ નિમ્પતયરા એવો પાઠાંતર પણ છે. ૨૪ દે. ભા. તથા વં. વૃ. જણાવે છે કે–‘વંદેતુ' પદમાં પંચમીના અર્થમાં સપ્તમી વિભક્તિ આવેલ છે. તેઓ (શ્રીઅરિહંતભગવંતો) ચંદ્રોથી વધુ નિર્મળ છે, કારણ કે તેમનું કર્મમલરૂપી કલંક ચાલ્યું ગયેલ છે. ૧૨૫ ૧૨૧. ચંદ્રાન્નાહા પા પાસેરૂ પffમ વિત્ત ! केवलिअनाणलंभो लोगालोगं पगासेइ ।। –આ. નિ., ગા. ૧૧૦૨ १२२. इह प्राकृतशैल्या आर्षत्वाच्च पञ्चम्यर्थे सप्तमी द्रष्टव्येति, चन्द्रेभ्यो निर्मलतराः, पाठान्तरं वा 'चंदेहि નિમતાર'ત્તિ તત્ર સ ર્ષમતાપમદ્રેગ્યો નિર્ધનતરી તિ, –આ. હા. ટી., પ. ૫૧૦ આ. ૧૨.૩, સત્તમા વદવ નેવું દ પડ્ઝમીણ અસ્થમ્ | હિંતો વિ તમો, નાયબ્બી નિમર્તતા તે II૬રૂદ્દા –ચે. વ. મ. ભા., ગા. ૬૩૬, પૃ. ૧૧૫ ૧૨૪. “પશાસ્તૃતીયા વ' ૮ારાફરૂદ્દા રૂતિ પમ્પ સની, અતિશયોfપ નિર્મનંતરાઃ સત્તત્તાપાત, पाठान्तरं वा चंदेहिं निम्मलयरा, –યો. શા. સ્વ. વિ., પ. ૨૨૮ અ. ૧૨૫. પશ્ચચર્થે સમી, વત્ વન્દ્રો નિર્મતતા: કર્મમર્તતાપમ, –દ. ભા., પૃ. ૩૨૭. Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ૩૫ આ. દિ. જણાવે છે કે—“સમી નિર્ધાર' એ પ્રાકૃત સૂત્રથી પંચમીના સ્થાને સપ્તમી આવેલ છે. કેટલાક સપ્તમીની જ વ્યાખ્યા કરે છે, એમ કહી ‘વંસુ' નો અર્થ “ચંદ્રોથી પણ વધુ નિર્મળ’ એમ કરવામાં આવેલ છે.૧૨૬ આ રીતે ચે. વ. મ. ભા., યો. શા. સ્વ. વિ. તથા આ. દિ. ‘fપ' શબ્દનો ઉપયોગ (અર્થ કરતાં) કરે છે કે જે મૂળમાં વપરાયેલ નથી. આ રીતે ‘વંદે નિમ્પત્નયા' એ પદ, “ચંદ્રોથી પણ વધારે નિર્મળ એ અર્થમાં સિદ્ધ થાય $ગ્યેષુ મહિયં પથાયરાનું વિત્યેગ્યોધવં પ્રશા : ] સૂર્યોથી અધિક પ્રકાશ કરનારા. આ. હા. ટી. “યાયા'નું સંસ્કૃત ‘ઘુમાસા :” અથવા “પ્રારા:' એમ કરી સમગ્ર પદનો અર્થ કરે છે કે—કેવલજ્ઞાનના ઉદ્યોતથી વિશ્વને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી અધિક પ્રભાસ કરનારા યા તો પ્રકાશ કરનારા.૧૨૭ લ. વિ. ‘વાયરા' નું સંસ્કૃત “પ્રારા:' એ પ્રમાણે કરે છે. બાકી આ. હા. ટી. સમગ્ર પદનો જે અર્થ કરે છે તેમાં અને લ. વિ. જે અર્થ કરે છે તેમાં કશો જ ફરક નથી. ચે. વ. મ. ભા. જણાવે છે કે “લોક અને અલોકનો ઉદ્યોત કરનાર કેવલજ્ઞાનના પ્રકાશ વડે આદિત્યો એટલે સૂર્યો તેમનાથી પણ અધિક, પ્રકાશ કરનારા.'૧૨૮ યો. શા. સ્વ. વિ., દે, ભા., વં. વૃ. તથા ધ. સં. જણાવે છે કે “કેવલજ્ઞાનના ઉદ્યોત વડે લોકાલોકના પ્રકાશક હોવાથી સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા.'૧૨૯ અને તે જણાવ્યા બાદ નિજુત્તિની “વંતા હળ' એ ગાથા ‘રું ઘ' કહીને ટાંકે છે. આ રીતે ‘મારૂક્વેસુ કરિયે પાયા' એ પદ, “કેવલજ્ઞાનના ઉદ્યોત વડે લોક તથા અલોકને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા' એ અર્થમાં સિદ્ધ થાય છે. ૧૨૬. સની નિર્ધારને તિ પ્રતિકૂળ પટ્ટમી સ્થાને સમી | केचित् सप्तमीमेव व्याख्यान्ति –આ. દિ., ૫. ૨૬૮ અ. વગોડપિ નિર્મતતા:....... –આ. દિ., ૫. ૨૬૮ અ. ૧૨૭. વિત્યેગોડધિકમાસા: પ્રારા વી, વનોદ્યોતેર વિશ્વાસનતિ | –આ. હા. ટી., પ. ૫૧૦ આ. ૧૨૮. બાફળ્યા વિવાર, હં તો વિ દિયું પથાર | लोआलोउज्जोअग केवलनाणप्पगासेण ॥६३७|| –ચે. વં. મ. ભા., ગા. ૬૩૭, પૃ. ૧૧૫ ૧૨૯. માહિત્યોંધવં પ્રારા:, વોન નોનોપ્રાણજીવાત્ | –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૮ અ. Page #97 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય સારવાર મીરાનું સારવાર મારા ] સાગરવરથી પણ ગંભીર. આ. હા. ટી. “સરવર મીરા' પદની સંસ્કૃત છાયા સારવરપિ મીરતા: એ પ્રમાણે કરે છે. એટલે કે “મીરા' પદને સ્થાને તે “પીરતરાઃ' એવો પ્રયોગ કરે છે. તે જણાવે છે કે સાગરવર' એટલે સ્વયંભૂરમણ સમુદ્ર. પરીષણો અને ઉપસર્ગો આદિથી ક્ષોભ ન પામતા હોવાથી તેઓ સ્વયંભૂરમણથી પણ વધારે ગંભીર છે. ૧૩૦ લ. વિ. ઉપર્યુક્ત અર્થને માન્ય રાખે છે પણ તે “મીરા' પદનો અર્થ “અભીરતા:' ન કરતાં “શ્મીર1:' એટલે કે “ગંભીર' એ પ્રમાણે જ કરે છે. ૩૧ ચે. વ. મ. ભા., યો. શા. સ્વ. વિ., તથા ધ. સં. લ. વિ.એ જણાવેલ અર્થ જ માન્ય રાખે છે.૩૨ દે. ભા. તથા નં. 9. “સારવાર મીરા' પદનો અર્થ “સ્વયંભૂરમણ સમુદ્રથી પણ ગંભીર' એમ ન કરતાં “સ્વયંભૂરમણસમુદ્રની જેવા ગંભીર' એમ કરે છે અને તેથી “સારવાંમીરા' પદનો “સારવા અપીલઃ' એવો સમાસ ન કરતાં “સારવર: તદન્ત મીરા: તિ સારવરHીર:' એ પ્રમાણે કરે છે. ૩૩ આ રીતે “સાગરવરગંભીરા એ પદ, “સ્વયજૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર' યા તો સ્વયમ્ભરમણ સમુદ્ર જેવા ગંભીર' એ અર્થમાં સિદ્ધ થાય છે. સિદ્ધ સિદ્ધિ મમ વિસંતુ-[ સિદ્ધા: દ્ધિ મમ વિશ7-કૃતકૃત્ય બનેલા તેઓ મને સિદ્ધિ આપો. સિદ્ધા' પદનો અર્થ આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. “કર્મો ચાલ્યા જવાથી કૃતકૃત્ય થયેલા એ પ્રમાણે કરે છે અને બાકીના પદોનો અર્થ-(તેઓ) “મને “સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિને આપો' એ પ્રમાણે કરે છે. ૧૩૪ ચે. વ. મ. ભા. ઉપર્યુક્ત અર્થને જ માન્ય રાખે છે અને “સિદ્ધ:' ની વ્યાખ્યા ‘નિકિતાથ' (જેમનાં પ્રયોજનો પૂર્ણ થયાં છે તે) એ પ્રમાણે કરે છે.૧૩૫ દે. ભા. તથા નં. 9. “સિદ્ધાં' પદનો અર્થ, “જેમનાં સમગ્ર કર્મો ક્ષીણ થયાં છે તે એ પ્રમાણે કરે છે.13 १30. तथा सागरवरादपि गम्भीरतराः, तत्र सागरवरः स्वयम्भूरमणोऽभिधीयते । परिषहोपसर्गाद्यक्षोभ्यत्वात् तस्मादपि गम्भीरतरा इति भावना । –આ. હા. ટી., ૫. ૫૧૦ આ. ૧૩૧. તÍપ 15મીરા રુતિ ભાવના | –લ. વિ., પૃ. ૪૮. ૧૩૨. સારવો સમુદો, સચંપુરમળો તોવિ અશ્મીરા ! –ચે. વ. મ. ભા., ગા. ૬૩૬, પૃ. ૧૧૫ ૧૩૩. સTIRવર: સ્વયપૂરHTTPufધત જા ! –દે. ભા., પૃ. ૩૨૭. ૧૩૪. વિમાત્ તત્યા રૂલ્યર્થ, સિદ્ધ પરમપurf “મમ વિસંતુ' મમ પ્રયજીતુ તિ સૂત્રથાર્થ ....................................! –આ. હા. ટી., ૫. ૫૧૦ આ. ૧૩૫. ‘સિદ્ધ' ઉત્ત નિક્રિયા,....................liદ્રતા –ચે. વ. મ. ભા., ગા. ૬૩૮, પૃ. ૧૧૫ ૧૩૬. સિદ્ધા: ક્ષણશેષમઃ | –દે. ભા., પૃ. ૩૨૭. Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવરણ આ. દિ. જણાવે છે કે અહીં ‘સિદ્ધા' પદથી મોક્ષમાં રહેલા શ્રીજિનેશ્વરભગવંતો લેવા.૧૩૭ આ રીતે ‘સિદ્ધા સિદ્ધિ મમ સિંતુ' એ પદ, ‘ઉપર જે વિશેષણો જણાવ્યા તે વિશેષણોથી વિશિષ્ટ શ્રીતીર્થંકરભગવંતો કે જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે તેઓ મને સિદ્ધિપદને આપો.' એ અર્થમાં સિદ્ધ થાય છે. ૧૩૭. સિદ્ધા કૃત્તિ વિનાનાં મુત્તિસ્થાનામેવ નામળીર્તનમ્ । ૩૭ આ. દિ., પ. ૨૬૮ અ. Page #99 -------------------------------------------------------------------------- ________________ [૪]. પ્રશ્નોત્તર ૧. પ્રશ્ન-લોગસ્સ’ સૂત્રની પ્રથમ ગાથામાં ‘નોનસ્સ ૩ોગમ' પદ મૂકવાનું પ્રયોજન શું છે ? ઉત્તર–ઉદ્યોત્ય એવો જે લોક અને ઉદ્યોતકર એવા જે તીર્થકરો એ બેની વચ્ચે ભિન્નતા દર્શાવવા માટે તે પદ મૂકવામાં આવ્યું છે અને એ રીતે વિજ્ઞાનવાદી (બૌદ્ધો)ના મતનો નિરાસ થાય છે.' ૨. પ્રશ્ન–શ્રીતીર્થંકરભગવંતો ‘લોક'ના ઉદ્યોતકર છે તો તે ભાવોદ્યોતથી “લોક'નો ઉદ્યત કરે છે કે દ્રવ્યોદ્યોતથી ‘લોક'નો ઉદ્યોત કરે છે ? ઉત્તર–શ્રીતીર્થંકરભગવંતો પંચાસ્તિકાયાત્મક ‘લોક'નો પ્રકાશ ભાવોદ્યોત વડે કરે છે, તેમ પોતાની આગળ ચાલતા ધર્મચક્ર દ્વારા દ્રવ્યોદ્યોત વડે (બાહ્યઉદ્યોત) પણ કરે છે. આ અપેક્ષાએ તેઓ ભાવોદ્યોત તેમ દ્રવ્યોદ્યોત બંને વડે ‘લોક'નો ઉદ્યોત કરનારા છે. ૩. પ્રશ્ન–શ્રીતીર્થંકરભગવંતની આગળ ચાલતા “ધર્મચક્ર'ની વિશેષતા શી છે ? ઉત્તર–શ્રીતીર્થંકરભગવંત જ્યારે આ ભૂતળ ઉપર વિચરે છે, ત્યારે તેમની આગળ એક “ધર્મચક્ર' ચાલે છે. આ ધર્મચક્ર' દેવકૃત અતિશયસ્વરૂપ હોય છે અને તે આકાશ તથા પૃથ્વીને પ્રકાશિત કરે છે. અરિહાણાઈ થુત્ત'ના કર્તા જણાવે છે કે “સૂર્યબિબની જેમ દેદીપ્યમાન પ્રભાવાળું, તેજથી જાજ્વલ્યમાન એવું “ધર્મચક્ર' જિનેન્દ્રની આગળ ચાલે છે અને આકાશ, પાતાલ તથા સમગ્ર પૃથ્વીમંડલને પ્રકાશિત કરતું તે १. ननु केवलिन इत्यनेनैव गतार्थमेतत्, लोकोद्योतकरणशीला एव हि केवलिनः, सत्यं, विज्ञानाद्वैतनिरासेनोद्योतकरादुद्द्योत्यस्य भेददर्शनार्थम् । –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પ્રશ્નોત્તર ચક્ર ત્રણે ય લોકના મિથ્યાત્વ મોહસ્વરૂપ અંધકારને દૂર કરે છે.” તદુપરાંત કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે– મિથ્યાષ્ટિઓ માટે પ્રલયકાલના સૂર્યસમાન, સમ્યગુદૃષ્ટિ આત્માઓ માટે અમૃતના અંજન જેવું અને તીર્થંકરલક્ષ્મીના ભાલDલમાં તિલક જેવું ધર્મચક્ર' હે સ્વામી ! આપની આગળ ચાલે છે.” તેમ જ શ્રી આશાધરકૃત “જિનસહસ્રનામ'ની શ્રુતસાગરી ટીકામાં ‘૩% ૨ ધર્મન્નક્ષ સેવનન્દિના' કહીને “ધર્મચક્ર'ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપેલ છે – સ્કુરાયમાણ હજારો આરાઓથી મનોહર, નિર્મળ મહારત્નોના કિરણોના સમૂહથી વ્યાપ્ત, સૂર્યની કાન્તિના સમૂહનો તિરસ્કાર કરનારું અને શ્રીતીર્થંકરભગવંતની આગળ ચાલનારું “ધર્મચક્ર' હોય છે.જ ૪. પ્રશ્ન–શ્રીઅરિહંતદેવોને લોક અથવા સમસ્ત વિશ્વના પ્રકાશક કહ્યા પછી ધર્મતીર્થકર' કહેવાની શી જરૂર છે ? ઉત્તર–‘લોક” શબ્દથી ‘લોકનો એક ભાગ એવો અર્થ પણ થાય અને તેવા લોકના (લોકના એક ભાગના) પ્રકાશક તો અવધિજ્ઞાની આદિ તેમ જ સૂર્ય ચન્દ્ર પણ હોઈ શકે છે. તેવા પ્રકાશક પ્રસ્તુતમાં ન લેવા તે માટે “ધર્મતીર્થકર—ધર્મતીર્થના કરનાર—એ વિશેષણ મૂકવામાં આવ્યું છે.' ૫. પ્રશ્ન–‘ધર્મતીર્થ' એટલા વિશેષણથી જ કાર્ય ચાલી શકે છે તો પછી ‘લોકોદ્યોતકર' એ વિશેષણની શી જરૂર છે? કારણ કે, જે ધર્મતીર્થ સ્થાપે તે લોકનો ઉદ્યોત કરે જ છે. ૨. નવરધમવ, ચિરવિવું ૩ માસુરી | तेएण पज्जलंतं गच्छइ पुरओ जिणिदस्स ॥१९॥ आयासं पायालं सयलं महिमंडलं पयासंतं । मिच्छत्तमोहतिमिरं हरेइ तिण्हं पि लोयाणं ॥२०॥ । -અરિહાણાઇ થુત્ત, નમસ્કારસ્વાધ્યાય (પ્રા. વિ.) પૃ. ૨૦૭ मिथ्यादृशां युगान्तार्कः सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकल्लक्ष्भ्याः पुरश्चक्रं तवैधते ।।१।। –વીતરાગસ્તોત્ર, ચતુર્થપ્રકાશ, શ્લોક ૧, પૃ. ૨૯ ૪. स्फुरदरसहस्ररुचिरं, विमलमहारत्नकिरणनिकरपरीतम् ।। प्रहसितसहस्रकिरणद्युतिमण्डल-मग्रगामि धर्मसुचक्रम् ॥ -જિનસહસ્રનામ, અધ્યાય ૨, શ્લો. ૨૭ની ટીકા, પૃ. ૧૫૧ ५. इह लोकैकदेशेऽपि ग्रामैकदेशे ग्रामवत् लोकशब्दप्रवृत्तेः मा भूत् तदुद्द्योतकरेष्ववधिविभङ्गज्ञानिष्वर्कचन्द्रादिषु वा सम्प्रत्यय इत्यतस्तद्व्यवच्छेदार्थधर्मतीर्थकरानिति । –લ. વિ., પૃ. ૪૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૦ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ઉત્તર–લોકમાં નદી વગેરે વિષમ સ્થાનોમાં ઉતરવા માટે કેટલાક ભદ્રિક જીવો ધર્મના હેતુથી ઓવારા વગેરે બનાવે છે અને તેને તીર્થ કહેવામાં આવે છે. “તીચંતે નેન તિ તીર્થ- જેના દ્વારા તેરાય તે તીર્થ.” તો આવા જીવોને પણ ધર્મતીર્થકર' કહેવાય, માટે લોકોદ્યોતકર' એ વિશેષણ મૂકવું જરૂરી છે અને તે મૂક્વાથી કેવલ શ્રીઅરિહંતભગવંતોનું જ ગ્રહણ થાય છે." . ૬. પ્રશ્ન- લોકોદ્યોતકર' અને ધર્મતીર્થકર' વિશેષણનો ઉપયોગ કર્યા પછી “જિન વિશેષણ શા માટે ? ઉત્તર–જૈનેતર દર્શનો પોતે માનેલ પરમાત્માને “લોકોદ્યોતકર તેમ જ “ધર્મતીર્થકર” માને છે, પરંતુ સાથે સાથે એમ પણ માને છે કે પોતે સ્થાપેલ તીર્થને જ્યારે હાનિ પહોંચે છે ત્યારે તે પરમાત્મા પુનઃઅવતાર ધારણ કરી સંસારમાં પાછા આવે છે.” તેથી “જિન”-રાગાદિ શત્રુઓને જીતે તે જિન-એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. જે તીર્થના રાગથી સંસારમાં પાછા આવે કે અવતાર ધારણ કરે તે “જિન” ન ગણાય. આ દૃષ્ટિએ જિન” વિશેષણ આવશ્યક છે. ૭. પ્રશ્ન—“જિન” વિશેષણ મૂક્યા પછી લોકોદ્યોતકર' તેમ જ “ધર્મતીર્થકર” વિશેષણની આવશ્યકતા કેવી રીતે ? ઉત્તર–શાસ્ત્રોમાં અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, કેવલજ્ઞાની તેમ જ ચૌદ પૂર્વધરો વગેરેને પણ “જિન” કહેવામાં આવ્યા છે, હવે જો માત્ર “જિન” વિશેષણ જ રાખવામાં આવે તો ઉપર્યુક્ત સર્વનો આમાં સમાવેશ થઈ જાય. તેમ ન થાય તે માટે “લોકોદ્યોતકર' તેમ જ ધર્મતીર્થકર' વિશેષણો આવશ્યક છે. ૮. પ્રશ્ન—રિત’ વિશેષણ શા માટે છે ? ઉત્તર–રિહંત' એ પદ વિશેષણ તરીકે નહીં, પરંતુ વિશેષ્ય તરીકે મૂકવામાં આવેલ ૭. इह लोके येऽपि नद्यादिविषमस्थानेषु मुधिकया धर्मार्थमवतरणतीर्थकरणशीलास्तेऽपि धर्मतीर्थकरा एवोच्यन्ते, तन्मा भूदतिमुग्धबुद्धीनां तेषु सम्प्रत्यय इति तदपनोदाय लोकस्योद्योतकानप्याहेति । –લ. વિ., પૃ. ૪૩ माभूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु सम्प्रत्यय इत्यतस्तदपोहायजिनान् इति, श्रूयते च कुनय ને – "ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥१।" इत्यादि तन्नूनं ते न रागदिजेतारः इति, अन्यथा कुतो निकारतः पुनरिह भवाङ्कुरप्रभवो ? बीजाभावात् । इह प्रवचने सामान्यतो विशिष्ट श्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते, तद्यथा-श्रुतजिनाः अवधिजिनाः मन:पर्यायजिनाः छद्मस्थवीतरागाश्च, तन्माभूतेष्वेव सम्प्रत्य इति तद्व्युदासार्थं लोकस्योद्योतकरानित्याद्यप्यदुष्टमिति । –લ. વિ., પૃ. ૪૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર ૪૧ છે. (દ. ભા. માં. ‘રિહંતે' પદને વિશેષણ અને વસ્તી' પદને વિશેષ્ય કહેલ છે, જયારે અન્ય સર્વ ગ્રંથકારો ‘રિહંત' પદને વિશેષ્ય તરીકે સ્વીકારે છે.) ૯. પ્રશ્ન–‘રિહંતે' એ વિશેષ્ય પદને જ માત્ર રાખવામાં આવે અને વિશેષણો ન લેવામાં આવે તો શો વાંધો? ઉત્તર–અર્થવ્યવસ્થા (નિક્ષેપ)ની દૃષ્ટિએ અરિહંતના ચાર પ્રકાર છે. (૧) નામઅરિહંત. (૨) સ્થાપના-અરિહંત. (૩) દ્રવ્ય-અરિહંત. (૪) ભાવ-અરિહંત. તે પૈકી માત્ર ભાવ અરિહંત જ અહીં ગ્રાહ્ય છે. જો ‘રિહંતે’ એ વિશેષ્ય પદને જ માત્ર રાખવામાં આવે તો નામઅરિહંત આદિ કોઈ પણ પ્રકારના અરિહંતનું ગ્રહણ થઈ જાય. જયારે ઉપર્યુક્ત વિશેષણો મૂક્યા બાદ માત્ર ભાવ-અરિહંતનું જ ગ્રહણ થાય છે, અન્યનું નહિ.૦ ૧૦. પ્રશ્ન–‘વતી' પદને જ કાયમ રાખી બાકીના સર્વ પદોને દૂર કરવામાં આવે તો કાંઈ બાધ આવે ખરો ? ઉત્તર–હા, બાધ આવે; ‘વતી’ પદથી શ્રુતકેવલી આદિ પણ આવી જાય, માટે બાકીના વિશેષણો મૂકવામાં આવ્યા છે. આવા વિશેષણોથી વિશિષ્ટ પરમાત્મા તે શ્રીઅરિહંતભગવંત જ છે.૧૧ ૧૧. પ્રશ્ન-‘સુવિહિં ૨ પુષ્પદંત' પદમાં ‘સુવિદિં વ' કહ્યા પછી “પુષ્પદંત' કહેવાનું પ્રયોજન શું ? - ઉત્તર–“પુષ્પદન્ત' એ સુવિધિનાથનું બીજું નામ છે. શ્રી “ઠાણાંગ” સૂત્રમાં બે તીર્થકરોને ચન્દ્ર જેવા ગૌર ગણાવતાં ચન્દ્રપ્રભ અને પુષ્પદન્ત એમ બે નામ બતાવ્યાં છે, ત્યાં “સુવિધિ નામનો ઉલ્લેખ નથી,૧૨ એટલે “સુવિધિ’ એ વિશેષણ હોવાનું પ્રતીત થાય છે. તે સિવાય “આવસ્મયનિર્જુત્તિમાં પણ કેવલ “પુષ્પદન્ત’ નામ જ લેવામાં આવેલ છે. જયારે બીજી તરફ ચે. વં. મ. ભા. માં “સુવિધિ’ એ નામ છે અને “પુષ્પદંત' એ વિશેષણ છે એમ કહેલ છે અને ४. अर्हतामेव विशेष्यत्वान्न दोष इति –લ. વિ., પૃ. ૪૩ ૧૦. માદ-યવં દત્ત તહંત સ્વૈતાદ્વાડુ તોચોદ્યોતકનિત્યઃિ પુનરાર્થä, 1, તસ્ય નાનીદનેકપેલ્વી भावार्हत्सङ्ग्रहार्थत्वादिति, –લ. વિ., પૃ. ૪૪ ११. इह श्रुतकेवलिप्रभृतयो अन्येऽपि विद्यन्त एव केवलिनः तन्माभूत्तेष्वेव सम्प्रत्यय इति तत्प्रतिक्षेपार्थं लोकस्योद्योतकरानित्याद्यपि वाच्यमिति । –લ. વિ., પૃ. ૪૪ ૧૨. સો ઉતસ્થાના વંરા વોનું પત્તા, તંદા રંગબે વેવ પુતે વેવ | –ઠાણાંગ સૂત્ર, ઠાણ ૨, ઉદ્દેશ ૪, સૂત્ર ૧૦૮, ૫, ૯૮ આ. ૧૩. સતિ પુષ્પદંત સીગન –આ. નિ., ગા. ૩૭૦. ससि पुष्फदंत ससिगोरा –આ. નિ., ગા. ૩૭૬, ૧૪. સુવિદ ના વિરેસનું વીર્ય –ચે. વ. મ. ભા., ગા. પ૭૧, પૃ. ૧૦૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૨ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય મતાન્તર તરીકે “કેટલાક પુષ્પદંતને વિશેષ્ય માને છે અને સુવિધિને વિશેષણ માને છે” એ વાત ટાંકવામાં આવી છે. ૧૫ ગમે તે એકને વિશેષણ બનાવી બીજાને વિશેષ તરીકે લેવાય તેમાં વાંધો નથી. જે રીતે “લોગસ્સસૂત્ર'માં શ્રીસુવિધિનાથભગવંત માટે બે નામનો એક સાથે પ્રયોગ કરવામાં આવ્યો છે, તેવી જ રીતે શ્રી “સમવાયાંગ' સૂત્રમાં પણ તેવો જ પ્રયોગ કરવામાં આવેલ છે. ૧ ૧૨. પ્રશ્ન—‘લોગસ્સસૂત્ર'માં જે ચોવીસ અરિહંતભગવંતોને નામ-નિર્દેશપૂર્વક નમસ્કાર કરવામાં આવેલ છે, તે ચોવીસ જિનેન્દ્રોના નમસ્કારને સંક્ષિપ્ત તેમ જ વિસ્તૃત રીતે મંત્ર તરીકે પણ પૂર્વાચાર્યોએ નિર્દેશેલ છે તે વાત સત્ય છે ? અને તેનો ઉલ્લેખ ક્યાં પ્રાપ્ત થાય છે? ઉત્તર–હા, તે વાત સત્ય છે. આચાર્ય શ્રી શાંતિસૂરિકૃત “બૃહત્સાત્તિમાં શ્રીઅરિહંત ભગવંતોની પુણ્યાહું વાચના માટે. 'ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोकनाथास्त्रिलोकહતાંત્રિતોQત્રિનોવેશ્વરાત્રિતોડ્યોદ્યોતકરા:' આ વિશેષણોથી પીઠિકા બાંધીને “૩ ઋષમ નત સંભવ.....વર્ધમાનાન્તા: નિનાદ શાન્તા-શાન્તિ: ભવન્તુ સ્વાહા'' ને શાંતિપાઠ તરીકે આપવામાં આવ્યો છે, તેથી એ મંત્ર-પાઠ છે. - આ પાઠ સર્વ તીર્થકરોના નામગ્રહણપૂર્વક હોવાથી લોગસ્સસૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથાની જેમ વિસ્તારપૂર્વક નામનિર્દેશ કરે છે, તે મંત્રાત્મક છે. તદુપરાંત : કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના શ્લો. ૭૨ના વિવરણમાં આ વાત જણાવતાં લખ્યું છે કે –“શ્રીમકૃપમાદ્રિવર્ધમાનાર્નેગો નમો નમ:' આ મંત્રનું કર્મોના સમૂહની શાંતિ માટે ચિંતન કરવું. આ મંત્રમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના નામકરણથી ‘મદ્યન્તયોર્જને Tધ્યસ્થાપિ પ્રમ્' એ ન્યાયે ચોવીસે ય તીર્થકરોનો નિર્દેશ થઈ જાય છે. ૧૩. પ્રશ્ન—દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો જ હોય છે આનો હેતુ શો ? ઉત્તર—દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં શ્રીજિનેશ્વરભગવંત જેવા ત્રણ લોકના નાથને જન્મવા લાયકનો સાત ગ્રહ ઊંચાવાળો સમય ચોવીસ જ વખત આવે છે, તેથી જ દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવીસ ચોવીસ જ તીર્થંકરો થાય છે. સિદ્ધચક્ર પાક્ષિક, વર્ષ-૧, અંક ૯, પૃ. ૨૧૦. ૧૫. અત્રે આવું નામ, સુવિદિ ૨ વિશ્લેસાં રેંતિ | ૧૬. સુવિદિસ્ત vi પુષ્મવંતા મરદો છત્નસીરૂ TVTI –ચે. વ. મ. ભા., ગા. ૫૭૩, પૃ. ૧૦૪ -સમવાયાંગસૂત્ર, સૂત્ર ૮૬, ૫. ૯૨ આ. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર માટે ? ૪૩ ૧૪. પ્રશ્ન—‘ચતુર્વિશતિસ્તવ' અધ્યયનમાં શ્રીતીર્થંકરભગવંતોનું જ ગુણોત્કીર્તન શા ઉત્તર—શ્રીતીર્થંકરભગવંતો (૧) પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી, (૨) પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી, (૩) ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી અને (૪) સાવઘયોગોની વિરતિના ઉપદેશકપણાને લીધે ઉપકારી હોવાથી. શ્રી ‘ચતુર્વિંશતિસ્તવ’માં તે ભગવંતોના ગુણોનું ઉત્કીર્તન કરાયું છે.૧૭ ૧૫. પ્રશ્ન—ચતુર્વિશતિસ્તવનું ફલ શું ? ઉત્તર—શ્રી ‘ઉત્તરજઝયણસુત્ત’માં ‘ચતુર્વિંશતિ સ્તવનું ફલ શું ?” એવા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકારે જણાવ્યું છે કે-ચતુર્વિશતિસ્તવથી જીવ સમ્યક્ત્વની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. ૧૮ તદુપરાંત શ્રી ‘ચઉસરણપઇન્નય'માં પણ જણાવ્યું છે કે ‘શ્રી જિનવરેન્દ્રોના અતિ અદ્ભુત ગુણકીર્તનસ્વરૂપ ચતુર્વિંશતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.'૧૯ १७. उक्कित्तण त्ति-द्वितीये चतुर्विंशतिस्तवाध्ययने प्रधानकर्मक्षयकारणत्वाल्लब्धबोधिविशुद्धिहेतुत्वात्, पुनर्बोधिलाभफलत्वात् सावद्ययोगविरत्युपदेशकत्वेनोपकारित्वाच्च तीर्थंकराणां गुणोत्कीर्तनार्थाधिकारः । —અણુઓગદ્દારસુત્ત, મલધારી હેમચંદ્રસૂરિષ્કૃતવૃત્તિ, ૫. ૪૩ આ. ૧૮. ચડવીત્યાં મંતે ? નીવે િનળયરૂ ? વડવી સ્થળ હંસવિસોહિં નળયક્ ||| | —ઉત્તરજઝયણસુત્ત, અધ્યયન ૨૮, સૂત્ર-૧૧ —ચઉસરણપઇણય, ગા. ૩ ૧૯. હંસળયાવિસોહી, ઘડવીસાયથા વ્વિર્ ય । अच्चब्भु अगुणकित्तण-रूवेण जिणवरिंदाणं ||३|| Page #105 -------------------------------------------------------------------------- ________________ चउवीसत्थय-सुत्तं [चतुर्विंशति-जिनस्तवः] 'लोगस्स'-सूत्र [सिलोगो] लोगस्स उज्जोअगरे, धम्मतिथयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥१॥ [गाहा] उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहिं च पुष्फदंतं, सीअल-सिज्जंस-वासुपुज्जं च । विमलमणंतं च जिणं, धम्म संति च वंदामि ॥३॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्टनेमि, पासं तह वद्धमाणं च ॥४॥ एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीण-जर-मरणा । चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ कित्तिय-वंदिय-महिया, जेए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग-बोहि-लाभं, समाहिवरमुत्तमं दितु ॥६॥ चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धि मम दिसंतु ॥७॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ [૫] અર્થસંકલના પંચાસ્તિકાયનો કેવલજ્ઞાનરૂપી દીપકથી પ્રકાશ કરવાના સ્વભાવવાળા; સર્વ જીવોની પોતપોતાની ભાષામાં પરિણામ પામનારી અનુપમવાણીદ્વા૨ા ધર્મતીર્થનું સ્થાપન કરવાનાં સ્વભાવવાળા, રાગ, દ્વેષ આદિ આંતર શત્રુઓને જીતનારા અને જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા ચોવીસેય તેમ જ બીજા પણ (અન્યક્ષેત્રમાં થયેલા) અર્હતોને હું નામોચ્ચારણપૂર્વક સ્તવીશ. ૧ ઋષભદેવને અને અજિતનાથને હું વંદું છું. સંભવનાથને, અભિનંદન સ્વામીને અને સુમતિનાથને અને પદ્મપ્રભ સ્વામીને, સુપાર્શ્વજિનને અને ચન્દ્રપ્રભ સ્વામીને હું વંદું છું. ૨ સુવિધિનાથ કે જેમનું બીજું નામ ‘પુષ્પદંત’ છે તેમને, શીતલનાથને, શ્રેયાંસનાથને અને વાસુપૂજ્ય સ્વામીને, વિમલનાથને અને અનન્તજિનને, ધર્મનાથને અને શાંતિનાથને હું વંદન કરું છું. ૩ કુંથુનાથને, અરનાથને અને મલ્લિનાથને હું વંદું છું. મુનિસુવ્રત સ્વામીને અને નમિજિનને હું વંદુ છું. અરિષ્ટનેમિને, પાર્શ્વનાથને અને વર્ધમાન સ્વામીને હું વંદન કરું છું. ૪ ઉપર્યુક્ત વિધિથી મારા વડે નામથી કીર્તન કરાયેલા, જેમણે વર્તમાનમાં બંધાતાં અને ભૂતકાળમાં બંધાયેલાં કર્મો દૂર કર્યાં છે અને જેમનાં જરામરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલાં છે એવા ચોવીસેય તેમ જ અન્ય પણ કેવળજ્ઞાની શ્રીતીર્થંકરભગવંતો મારા પર પ્રસન્ન થાઓ. ૫ પોતપોતાના નામથી સ્તવાયેલા, મન-વચન-કાયા વડે વંદાયેલા અને પુષ્પો આદિથી પૂજાયેલા, જે સુર અસુર આદિ રૂપ લોકને પ્રત્યક્ષ છે, લોકમાં ઉત્તમ છે અને કૃતકૃત્ય થયેલા છે તેઓ (શ્રી તીર્થંકર ભગવંતો) મને આરોગ્ય (સિદ્ધપણું) પ્રાપ્ત કરવા માટે બોધિલાભ અને શ્રેષ્ઠ ભાવસમાધિ આપો. ૬ ચંદ્રો કરતાં પણ વધારે નિર્મળ, સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ કરનારા, સ્વયમ્ભરમણ સમુદ્ર કરતાં પણ ગંભીર અને કૃતકૃત્ય થયેલા તેઓ (શ્રીતીર્થંકરભગવંતો) મને સિદ્ધિ-મોક્ષ-આપો. ૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ [૬] ટિપ્પણ लोगस्स उज्जोअगरे ‘લોક' શબ્દથી અહીં “પંચાસ્તિકાયાત્મક લોક' સમજવાનો છે.” “પંચાસ્તિકાય' એટલે (૧) ધર્મ' (ધર્માસ્તિકાય), (૨) “અધર્મ' (અધર્માસ્તિકાય) (૩) “આકાશ' (આકાશાસ્તિકાય) (૪) પુદ્ગલ' (પુદ્ગલાસ્તિકાય) અને (૫) “આત્મા” (જીવાસ્તિકાય)– (૧) ધર્મ (ધર્માસ્તિકાય) એટલે ગતિશીલ પુદ્ગલો અને જીવોને ગતિમાં નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય. પાણીમાં તરી રહેલી માછલીનું ઉદાહરણ વિચારવાથી તે વાત સ્પષ્ટ રીતે સમજાય છે. માછલીમાં તરવાની શક્તિ રહેલી છે અને પાણી તેને સહાયક બને છે, તે જ રીતે પુગલો અને જીવો ગતિ કરવામાં સમર્થ છે, તેઓને ધર્મરૂપી દ્રવ્ય ગતિમાં નિમિત્ત બને છે. (૨) “અધર્મ' (અધર્માસ્તિકાય) એટલે પુદ્ગલો અને જીવોને સ્થિર રહેવામાં (સ્થિતિમાં) નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય. સ્થિર રહેવાની ઇચ્છાવાળા મનુષ્યને સ્થિર રહેવામાં જે રીતે શવ્યા તથા આસન સહાયભૂત થાય છે, તે રીતે આ દ્રવ્ય પુગલો તથા જીવોને સ્થિર રહેવામાં નિમિત્તભૂત થાય છે. (૩) “આકાશ' (આકાશાસ્તિકાય)નું લક્ષણ અવગાહપ્રદાન મનાયું છે. બીજા દ્રવ્યોને પોતામાં સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. આકાશદ્રવ્ય સ્વરૂપથી એક અને અખંડ છે, છતાં વ્યવહારથી તેના બે ભેદો ગણાય છે. (૧) “લોકાકાશ' અને (૨) “અલોકાકાશ.” જેટલા ભાગમાં ધર્મ (ધર્માસ્તિકાય) અને “અધર્મ' (અધર્માસ્તિકાય) છે અને તેને લીધે જયાં સુધી પુદ્ગલો અને જીવો ગતિ અને સ્થિતિ કરી શકે છે, તેટલા ભાગને લોક સંબંધી આકાશ અર્થાત્ “લોકાકાશ કહેવાય છે અને જેટલા ભાગમાં માત્ર આકાશ સિવાય બીજું એક પણ દ્રવ્ય નથી, તે અલોકાકાશ' કહેવાય છે. “આકાશ' અનંત છે. ૧, મયં વેદ તીવ્રતુ પતિયાત્મ Juતે | –આ. હા. ટી., ૫. ૪૯૪. આ Page #108 -------------------------------------------------------------------------- ________________ vernacE_e_16. નગરપાર ધન છે. 414--200 UTS) C વ *** h wart #yqhPage #109 -------------------------------------------------------------------------- ________________ Page #110 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ (૪) “પુદ્ગલ' (પુદ્ગલાસ્તિકાય) એટલે પૂરણ અને ગલનસ્વભાવવાળું, અણુ અને સ્કંધરૂપ તેમ જ વર્ણાદિગુણવાળું દ્રવ્ય. પૂરણ એટલે ભેગા થવું અથવા એકબીજા સાથે જોડાવું અને ગલન એટલે છૂટા પડવું. “વર્ણાદિ-ગુણ'માં “વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દનો સમાવેશ થાય છે. (૫) “જીવ (જીવાસ્તિકાય) એટલે શરીરથી ભિન્ન, ચૈતન્યગુણવાળો આત્મા. જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તે “જીવ' કહેવાય છે. જીવતો હતો, જીવે છે અને જીવશે તે “જીવ.” “ઉપયોગ, અનાદિનિધનતા, શરીર-પૃથક્વ, કર્મ-કર્તૃત્વ, કર્મ-ભોકતૃત્વ, અરૂપીપણું આદિ” અનેક લક્ષણોથી તે યુક્ત છે. આ જીવનની ક્રિયા જેના વડે શક્ય બને છે, તેવા જીવંતશરીરને પણ ઉપચારથી “જીવ' કહેવામાં આવે છે. આ પાંચ દ્રવ્યો “અસ્તિકાય' કહેવાય છે. આ દ્રવ્યો જેટલા ભાગમાં સાથે રહેલાં છે તેટલો ભાગ ‘લોક' કહેવાય છે. પાંચે “અસ્તિકાયો લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે, તેથી “લોક' પંચાસ્તિકાયાત્મક કહેવાય છે : તે “લોક'નો સામાન્ય પરિચય ત્રણ વિભાગથી અને વિશેષ પરિચય ચૌદ વિભાગથી થાય છે. ત્રણ વિભાગ તે ‘ઊર્ધ્વલોક, તિર્ય લોક અને અધોલોક.” ચૌદ વિભાગ તે ચૌદ “રાજલોક' છે. તે ચૌદ રાજલોક”નો પરિચય નીચે મુજબ છે : ચૌદ “રાજલોક'નો આકાર કેડે બન્ને હાથ રાખીને બે પગ પહોળા કરી ટટ્ટાર ઉભેલા પુરુષ જેવો છે. તેમાં પગથી કેડ સુધીનો ભાગ તે “અધોલોક' છે. નાભિ પ્રદેશ તે તિર્યલોક' છે અને ઉપરનો ભાગ તે “ઊર્ધ્વલોક' છે. તે તમામ ઊંચાઈના ચૌદ સરખા ભાગ કલ્પવા તે ચૌદ રાજ' અથવા ચૌદ રજુ કહેવાય છે અને તેવા ચૌદ રાજપ્રમાણ જે લોક તે ચૌદ રાજલોક' કહેવાય છે. એક રાજનું માપ ઘણું મોટું હોવાથી તે યોજનોની સંખ્યા વડે દર્શાવી શકાય તેવું નથી, એટલે તેને ઉપમા વડે દર્શાવવામાં આવ્યું છે, જેમ કે નિમિષ માત્રમાં લાખ યોજન જનારો દેવ છ માસમાં જેટલું અંતર વટાવે, તે “ રજુ.” અથવા ૩, ૮૧, ૨૭,૯૭૦ મણનો એક ભાર એવા એક હજાર ભારવાળા તપેલા ગોળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતો કરતો છ માસમાં જેટલું અંતર કાપે તે “ રજુ.” આ માપ પણ બાલજીવોને સમજવા પૂરતું છે, કેમ કે આ રીતે પણ સંખ્યાતા યોજન જ થાય, જ્યારે એક “ રજુ' અસંખ્યાતા યોજનાનો છે. અવકાશમાં રહેલા પદાર્થોની ગણતરીમાં હાલના વૈજ્ઞાનિકો પણ આવા ઉપમાનોથી જ તેમની ગણતરી રજૂ કરે છે. સાત રાજથી કંઈક વધારે ભાગમાં “અધોલોક છે અને સાત રાજથી કંઈક ઓછા ભાગમાં ઊર્ધ્વલોક” છે. વચ્ચેના નવસો યોજનનો ભાગ-જે નીચેથી રાજનો ક્રમ ગણતાં આઠમા રાજમાં આવે છે, તે “તિર્યલોક' કહેવાય છે. ચૌદ રાજલોકમાં સૌથી ઉપર “સિદ્ધશિલા છે, તેની નીચે પાંચ “અનુત્તર વિમાનો' તેની નીચે નવ “કૈવેયક', તેની નીચે બાર “દેવલોકો”, તેની નીચે “જયોતિષ-ચક્ર' (ચન્દ્ર-સૂર્યાદિ) અને તેની નીચે “મનુષ્યલોક' છે. આટલાં સ્થાનો સાત રાજલોકમાં સમાયેલાં છે. તેની નીચે અનુક્રમે વ્યંતર,” “વાણ વ્યંતર’ અને ‘ભવનપતિ' દેવોનાં સ્થાનો અને “ઘર્મા' પૃથ્વીનાં પ્રતરો એકબીજાને આંતરે છે અને તેની નીચે ‘વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી' નામના વિભાગો છે. જેમાં અનુક્રમે સાત નરકો સમાયેલાં છે. “ઘર્મા'માં પહેલું નરક છે યાવત્ “માઘવતી'માં સાતમું Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૮ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય નરક છે. આ રીતે “લોક' શબ્દ પદ્રવ્યનો પ્રદર્શક હોવા સાથે “પંચાસ્તિકાય કે ચૌદ રાજલોક'નો પણ પ્રદર્શક છે. धम्मतित्थयरे :શ્રી “મહાનિસીપ' સૂત્રમાં “ધર્મતીર્થકર” અંગે નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. હે ગૌતમ ! પૂર્વે જેનો શબ્દાર્થ વર્ણવવામાં આવ્યો છે એવા જે કોઈ ધર્મતીર્થકર શ્રી અતિ ભગવંતો હોય છે તેઓ પરમપૂજ્યોના પણ પૂજયતર હોય છે; કારણ કે, તે સઘળાય નીચે જણાવેલા લક્ષણોથી લક્ષિત હોય છે. અચિન્ત, માપી ન શકાય, જેને કોઈની સાથે સરખાવી પણ ન શકાય, જેના સમાન બીજા કોઈ નથી એવા શ્રેષ્ઠતર ગુણોના સમૂહોથી યુક્ત તે ભગવંતો હોવાથી ત્રણે લોકના જીવોને મહાન કરતાંય મહાન-અતિમહાન-આનંદને તેઓ ઉત્પન્ન કરનારા હોય છે તેમ જ જન્માન્તરમાં એકઠો કરેલ જે વિશાલ પુણ્યનો સમૂહ તેનાથી ઉપાર્જિત કરેલ શ્રી તીર્થકર નામકર્મના ઉદયથી, જેવી રીતે દીર્ઘ ગ્રીષ્મઋતુના તાપથી અતિશય ખિન્ન બની ગયેલા મયૂરોના સમૂહો ને પ્રથમ મેઘ પોતાની શીતલ જલધારાથી શાંત કરે છે, તેવી રીતે ભવ્ય જીવોને પરમહિતોપદેશ આપવા વડે ગાઢ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રસાદ, દુષ્ટ અને ક્લિષ્ટ અધ્યવસાયો આદિથી પેદા કરેલ તેમના અશુભ એવા જે ઘોર પાપકર્મો તે રૂપી તાપ અને સંતાપને શાંત કરે છે. તેઓ સકલ પદાર્થોના જ્ઞાતા હોય છે. અનેક જન્મોમાં એકઠો કરેલ જે મહાન પુણ્યનો સમૂહ તેનાથી ઉપાર્જિત કરેલ અતુલ બલ, અતુલ વીર્ય, અતુલ ઐશ્વર્ય, અતુલ સત્ત્વ અને અતુલ પરાક્રમથી તેમનો દેહ અધિતિ હોય છે. तेणं कालेणं तेणं समएणं गोयमा ! जे केइ पुव्ववावनियसद्दत्थे अरहंते भगवंते धम्मतित्थगरे भवेज्जा से णं परमपुज्जाणं पि पुज्जयरे भवेज्जा, जओ णं ते सव्वे वि एयलक्खणसमनिए भवेज्जा, तं जहा अचिंतअप्पमेयनिरुवमाणण्णसरिसपवरवरुत्तमगुणोहाहिट्ठियत्तेणं तिण्हं पि लोगाणं संजणियगुरुयमहतमाणसाणंदे, तहा य जम्मंतरसंचियगुरुपुण्णपब्भारसंविढत्ततित्थयरनामकम्मोदएणं दीहरगिम्हायवसंतावकिलंतसिहिउलाणं व पढमपाउसधाराभरवरिसंतघणसंधायमिव परमहिओवएसपयाणाइणा घणरागदोसमोहमिच्छत्ताविरइपमायदुट्ठकिलिट्ठज्झवसायाइसमज्जियासुहघोरपावकम्मायवसंतावस्स णिण्णासगे भव्वसत्ताणं सव्वन्नू अणेगजम्मंतरसंविदत्तगुरुयपुन्नपब्भाराइसयबलेणं समिज्जियाउलबलवीरिएसरियसत्तपस्कमाहिट्ठियतणू सुकंतदित्तचारुपायंगलग्गरूवाइसएणं सयलगहनखत्तचंदपंतीणं सूरिए इव पायंडप्पयावदसदिसिपयासविप्फुरंतकिरणपब्भारेणं णियतेयसा विच्छायगे सयलाण वि विज्जाहरामरीणं सदेवदाणविंदाणं सुरलोगाणं सोहग्गकतिदित्तिलावन्नरूवसमुदयसिरीए-साहावियकम्मक्खयजणियदिव्वकयपवरनिरुवमाणन्नसरिसविसेसाइसयाइसयलक्खणकलावविच्छड़परिदंसणेणं भवणवइवाणमंतरजोइसवेमाणियाहमिदसइंदच्छराकिन्नरणविज्जाहरस्स ससुरासुरस्सावि णं जगस्स 'अहो अहो अहो अज्ज अदिट्ठपुव्वं दिट्ठमम्हेहिं' इणमो सविसेसाउलमहंताचिंतपरमच्छेरयसंदोहं समगालमेवेगट्ठसमुइयं दिलृ ति तक्खणउप्पन्नघणनिरंतरबहलप्पमोया चिंतयंतो सहरिसपीयाणुरायवसपवियंभंताणुसमयअहिणवाहिणवपरिणामविसेसत्तेण महमहंतिपिरपरोप्पराणं विसायमुवगयहहहधीधित्थुअधन्नाऽपुन्ना वय मिइ Page #112 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ णिदिरअत्ताण गमणंतरसं खुहियहिययमुच्छिरसुद्धचे यणसुपुण्णसिढिलियसगत्तआउंचणं पसण्णो उम्मेसनिमेसाइसारीरियवावारमुक्ककेवलं अणोवलक्खक्खलंतमंदमंददीहहुं हुंकारविमिस्समुक्कदीहउण्हबहलीनीसासगत्तेणं अइअभिनिविट्ठबुद्धी सुणिच्छियमणस्स णं जगस्स, 'किं पुण तं तवमणुचिट्ठेमो जेणेरिसं पवरिद्धि लभिज्ज त्ति, ' तग्गयमणस्स णं दंसणा चेव णियणियवच्छत्थलनिहिज्जंतंतकरयलुप्पाइयमहंतमाणसचमक्कारे । ता गोयमा ! णं एवमाइ अनंतगुणगणाहिट्ठियसरीराणं तेसिं सुगहियनामधेज्जाणं अरहंताणं भगवंताणं धम्मतित्थगराणं संतिए गुणगणोहरयणसंघाए अहन्निसाणुसमयं जीहासहस्सेणं पि वागरंतो सुरवई वि अन्नयरे वा ई चउनाणी महाइसई य छउमत्थे सयंभुरमणोयहिस्स इव वासकोडीहिं पि णो पारं गच्छेज्जा, जओ णं अपरिमयगुणरयणे गोयमा ! अरहंते भगवंते धम्मतित्थगरे भवंति, ता किमेत्थ भन्नउ ?, जत्थ य णं तिलोगनाहाणं जगगुरूणं भुवणेक्कबंधूणं तेलोक्कतग्गुणखंभपवरधम्मतित्थंकराणं केई सुरिंदाईपायंगुटुग्गदेसाउ गुणगणालंकारयाउ भत्तिभरनिब्भरिक्करसियाणं सव्वेसि पि वा पुरीसाणं अणेगभवंतसंचियअणिट्ठदुट्टकम्मरासिजणियदोगच्चदोमणस्सादिसयलदुक्खदारिद्दकिले सजम्मजरामरणरोगसंतावुव्वे यवाहिवे यणाईण खयट्ठाए एगगुणस्साणंत भागमेगं भणमाणाणं जमगसमगमेव दिणयरकरे इव अणेगगुणगणोहे जीहग्गे विप्फुरंति ताइं च न सक्का सिंदा वि देवगणा समकालं भणिऊणं, किं पुण अकेवली मंसचक्खुणो ? ता गोयमा ! णं एस इत्थं परमत्थे वियाणेयव्वो, जहा णं जइ तित्थगराणं संतिए गुणगणोहे तित्थयरे चेव वायरंति, ण उण अन्ने, जओ णं सातिसया तेसिं भारती । अहवा गोयमा ? किमित्थ पभूयवागरणेणं ?, सारत्थं भन्नए । तं जहा— णामं पसलकम्मट्ठमलकलंकेहिं विप्पमुक्काणं । तियसिंदच्चियचलणाण जिणवरिंदाण जो सरइ ॥ तिविहकरणोवउत्तो खणे खणे सीलसंजमुज्जुत्तो । अविराहियवयनियमो सोऽवि हु अइरेण सिज्झेज्जा | जो पुण दुहउव्विग्गो सुहतण्हालू अलि व्व कमलवणे । थयथुइमंगलजयसद्दवावडो रुणरुणे किंचि ॥ भत्तिभरनिब्भरो जिणवरिंदपायारविंदजुगपुरओ । भूभीनिट्ठवियसिरो कयंजलीवावडो चरितबूढो || एकं पि गुणं हि धरेज्ज संकाइसुद्धसम्मत्तो । अक्खंडियवयनियमो तित्थयरत्ताए सो सिझे || जेसिं च णं सुगहियनामग्गहणाणं तित्थयराणं गोयमा ! एस जगपायडे महच्छेरयभूए भुवणस्स वियडपायडे महंताइसए पवियंभे, तं जहा— खीणठ्ठपायकम्मा मुक्का बहुदुक्खगब्भवसहीणं । पुणरवि अपत्तकेवलमणपज्जवणाणचरिमतणू ॥ महजोइणो विविहदुक्खमयरभवसागरस्स उव्विगा । दट्ठूणऽरहाइसए भवहुत्तमणा खणं जंति ॥ अहवा चिट्ठ ताव सेसवागरणं गोयमा ! एवं चेव धम्मतित्थगरेति नाम सन्निहियं पवरक्खरुव्वहणं तेसिमेव सुगहियनामधेज्जाणं भुवणेक्कबंधूणं अरहंताणं भगवंताणं जिणवरिंदाणं धम्मतित्थंकराणं छज्जे, ण अन्नेसिं, जओ य गजम्मंतरपुट्टमोहोवसमसंवेगनिव्वेयाणुकंपा अत्थितामिवती सलकखणपवरसम्मद्दंसणुल्लसंतविरियाणिगूहियउग्गकट्टघोरदुक्करतवनिरंतरज्जियउत्तुंगपुन्नखंधसमुदयमहपब्भारसंविढत्तउत्तमपवरपवित्तविस्सकसिणबंधुणाहसामिसाल अनंतकाल ૪૯ वत्तभवभावर्णाच्छन्नपावबंधणेक्क अबिइज्जतित्थयरनामकम्मगोयणिसियसुकंतादित्तचारुरूवदसदिसिपयासनिरुवमट्ठ लक्खणसहस्समंडियजगुत्तमुत्तमसिरीनिवासवासवावी इव देवमणुयदिट्ठमेत्ततक्खणंतकरणलाइयचमक्कनयणमाण साउलमहंतविम्हयपमोयकारया असेसकसिणपावकम्ममलकलंकविप्पमुक्कसमचउरंसपवरपढमवज्जरिसहनारायसंघयणाहिट्ठियपरमपवित्तुत्तममुत्तिधरे, ते चेव भगवंते महायसे महासत्ते महाणुभागे परमेट्ठी सद्धम्मतित्थंकरे भवंति । अण्णं च सयलनरामरतियसिंदसुन्दरीरूवकंतिलावण्णं । सव्वं पि होज्ज जइ एगरासिण संपिंडियं कहवि ॥ तं च जिणचलणंगुट्ठग्गकोडिदेसेगलक्खभागस्स । संनिज्झम्मि न सोहइ जह सारउडं कंचणगिरिस्स ॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫૦. લોગસ્સસૂત્ર સ્વાધ્યાય તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગૂઠાના અગ્રભાગનું પણ રૂપ એટલું બધું હોય છે કે સૂર્ય જેમ દશે દિશામાં પ્રકાશથી ફુરાયમાન પ્રકટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વગ્રહ નક્ષત્ર અને ચન્દ્રની પંક્તિને નિસ્તેજ બનાવી દે છે તેમ તેઓ પોતાના તેજથી સર્વ વિદ્યાધરો, દેવીઓ, દેવેન્દ્ર તથા દાનવેન્દ્ર સહિત દેવગણોના સૌભાગ્ય, કાન્તિ, દીપ્તિ, લાવણ્ય અને રૂપની શોભાને ઢાંકી દે છે (નિસ્તેજ બનાવી દે છે). સ્વાભાવિક (૪) કર્મક્ષયજનિત (૧૧) તથા દેવકૃત (૧૯) એવા ચોત્રીશ અતિશયોના તે ધારક હોય છે અને તે ચોત્રીશ અતિશયો એવા શ્રેષ્ઠ નિરૂપમ અને અનન્યસદેશ હોય છે કે તેનાં દર્શન કરવાથી ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક, વૈમાનિક, અહમિન્દ્ર, ઇન્દ્ર, અપ્સરા, કિન્નર, નર, વિદ્યાધર અને સુર તથા અસુર સહિત જગતના જીવોને એટલું બધું આશ્ચર્ય થાય છે કે અહો અહો અહો આપણે કોઈ દિવસ નહીં જોયેલું આજે જોયું.” એક જ વ્યક્તિમાં એક સાથે એકત્રિત થયેલો અતુલ, મહાન, અચિન્ત પરમ આશ્ચર્યોનો સમૂહ આજે આપણે જોયો એવા વિચારથી આનંદિત થયેલા હર્ષ અને અનુરાગથી સ્કુરાયમાન થતા નવા નવા પરિણામોથી પરસ્પર અત્યંત હર્ષના ઉદ્દગારો કાઢે છે અને વિહાર કરીને ભગવાન આગળ ચાલ્યા ગયા પછી પોતાના આત્માની નિંદા કરે છે કે “અમને ધિક્કાર છે, અમે અધન્ય છીએ, અમે પુણ્યહીન છીએ.” ભગવાન ચાલ્યા ગયા પછી તેમના હૃદયને ખૂબ ક્ષોભ થવાથી તેઓ મૂચ્છિત થઈ જાય છે અને મહામુશીબતે તેમનામાં ચૈતન્ય આવે છે. તેમનાં ગાત્ર અત્યંત શિથિલ થઈ જાય છે. આકુંચન, પ્રસારણ, ઉન્મેષ, નિમેષ આદિ શારીરિક વ્યાપારો બંધ પડી જાય છે. નહીં ઓળખાતા અને સ્કૂલના પામતા મંદ મંદ દીર્ઘ હુંકારોથી મિશ્રિત દીર્ઘ, ઉષ્ણ, બહુ નિસાસાથી જ માત્ર બુદ્ધિશાળીઓ સમજી શકે છે કે તેમનામાં મન (ચૈતન્ય) છે. જગતના જીવો ભગવાનની ઋદ્ધિ જોઈને એક માત્ર વિચાર કરે છે કે–આપણે એવું ક્યું તપ કરીએ કે જેથી આપણને પણ આવી પ્રવર ઋદ્ધિ પ્રાપ્ત થાય. ભગવાનને જોતાં જ તેઓ પોતાના વક્ષસ્થળ પર હાથ મૂકે છે અને તેમના મનમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. આથી હે ગૌતમ ! અનંતગુણોના સમૂહોથી અધિષ્ઠિત છે શરીર જેમનું એવા, સુગૃહીત નામધેય, ધર્મતીર્થકર એવા તે અરિહંતભગવંતોના વિદ્યમાન એવા ગુણસમૂહરૂપી રત્નોના સમુદાયને દિવસ ને રાત, સમયે સમયે હજાર જીભથી બોલતો સુરેન્દ્ર પણ અથવા તો કોઈ ચાર જ્ઞાનવાળા મહાત્મા અગર તો અતિશય સંપન્ન છદ્મસ્થ જેમ સ્વયંભૂરમણસમુદ્રનો ક્રોડો વર્ષે પણ પાર ન પામે તેમ તેમના ગુણોનો પાર પામી શકતો નથી. કારણ કે—ધર્મતીર્થકર શ્રી અહંતુ ભગવંતોના ગુણરૂપી રત્નો અપરિમિત હોય છે. અહીં વિશેષ શું કહેવું? જયાં ત્રણ લોકના નાથ, જગતના ગુરુ, ત્રણ ભુવનના એકમાત્રબંધુ, ત્રણ લોકના તે તે ગુણના સ્તંભરૂપ-આધારરૂપ-શ્રેષ્ઠ अहवा नाऊण गुणंतराइं अन्नेसिं ऊण सव्वत्थ । तित्थयरगुणाणमणंतभागमलब्भंतमन्नत्थ ।। जं तिहुयणं पि सयलं, एगीहोऊणमुब्भमेगदिसि । भागे गुणाहिओऽम्हं तित्थयरे परमपूज्जे ति ॥ ते च्चिय अच्चे वंदे पूए अरिहे गइमइसमन्ने जम्हा । तम्हा ते चेव भावओ णमह धम्मतित्थयरे ॥ મહાનિસીહસૂત્ર (નમસ્કારસ્વાધ્યાય, (પ્રા. વિ.) પૃ. ૪૫થી ૫૦) Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ટિપ્પણ ધર્મતીર્થકરોના પગના અંગૂઠાના ટેરવાનો અગ્ર ભાગ કે જે અનેક ગુણોના સમૂહથી અલંકૃત છે તેના અનંતમા ભાગનું સુરેન્દ્રો અથવા ભક્તિના જ અત્યંત રસિક સર્વ પુરુષો અનેક જન્માન્તરોમાં સંચિત અનિષ્ટ દુષ્ટ કર્મરાશિજન્ય દુર્ગતિ દૌર્મનસ્ય આદિ સકલ દુઃખ દારિદ્રય, ક્લેશ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, સંતાપ, ઉદ્વેગ, વ્યાધિ, વેદના આદિના ક્ષયને માટે વર્ણન કરવા માંડે ત્યારે સૂર્યના કિરણોના સમૂહની જેમ ભગવાનના અનેકગુણોનો સમૂહ એક સાથે તેમના જિલ્લાગે સ્કુરાયમાન થાય છે તેને ઇન્દ્ર સહિત દેવગણો એકી સાથે બોલવા માંડે તો પણ જ્યાં વર્ણવવા સમર્થ નથી ત્યાં ચર્મચક્ષુધારી અકેવલીઓ શું કહી શકે? તેથી હે ગૌતમ ! આ પરમાર્થ છે કે – તીર્થકરોના ગુણોના સમૂહોને માત્ર તીર્થકરો જ વર્ણવવા સમર્થ છે, બીજા નહીં, કારણ કે તીર્થકરોની જ તેવી અતિશયવાળી વાણી હોય છે, અથવા હે ગૌતમ ! અહીં ઘણું કહેવાથી શું? સારભૂત જ અર્થ કહું છું. સકલ આઠ કર્મો તે રૂપ મલના કલંકથી મુક્ત થયેલા, દેવતાઓના ઇન્દ્રોએ જેમના ચરણોની પૂજા કરી છે તે જિનેશ્વરદેવોના નામનું સ્મરણ ત્રણ કરણથી ઉપયુક્ત બની, ક્ષણે ક્ષણે શીલ અને સંયમમાં ઉદ્યમશીલ બની વ્રત અને નિયમોને વિરાધ્યા વિના જે આત્મા કરે છે તે શીધ્ર સિદ્ધિપદને પામે છે. વળી જે આત્મા દુઃખથી ઉગ પામેલ છે, ભ્રમર જેમ કમલના વનમાં તૃષ્ણાવાળો હોય તેમ જે સુખની તૃષ્ણાવાળો છે તે પણ જો જિનેશ્વરોની ભક્તિમાં અત્યંત ગરકાવ બની, સ્તવ, સ્તુતિ અને મંગલકારી જય શબ્દના વ્યાપારમાં લીન બની જિનવરેન્દ્રોના પાદારવિંદની સમક્ષ, ભૂમિ પર મસ્તકને સ્થાપન કરી, અંજલિપુટ જોડી, શંકાદિ દોષો રહિત સમ્યક્તથી હૃદયને વાસિત કરી અખંડિત વ્રત નિયમને ધારણ કરી તે ભગવંતોના એક પણ ગુણને હૃદયમાં ધારણ કરે તો તીર્થકર બનીને સિદ્ધ થાય છે. હે ગૌતમ ! સુગૃહીત નામધેય શ્રી તીર્થકરોનો જગતમાં પ્રકટ, મહાન આશ્ચર્યભૂત ત્રણે ભુવનમાં પ્રખ્યાત આ મહાન અતિશયનો વિસ્તાર છે કે–જેમણે કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા ચરમ શરીર પ્રાપ્ત નથી કર્યું એવા જીવો પણ અરહંતોના અતિશયોને જોઈને, જેમના આઠેય કર્મો ક્ષીણપ્રાય થઈ ગયાં છે તેવા અને બહુ દુ:ખદાયક ગર્ભાવાસથી મુક્ત, મહાયોગી, વિવિધ દુઃખમય ભવસાગરથી ઉદ્વિગ્ન બની ક્ષણમાં સંસારથી પાર પામી જાય છે. અથવા બીજું વર્ણન બાજુ પર રાખીએ તો પણ હે ગૌતમ ! શ્રેષ્ઠ અક્ષરોને વહન કરતું ધર્મતીર્થકર' એવું નામ તે સુગૃહીત નામધેય, ત્રણે ભુવનના એક માત્ર બંધુ, જિનવરોમાં ઇન્દ્ર સમાન, અહંત ભગવંત શ્રીધર્મતીર્થકરોને જ છાજે છે બીજાને નહિ, કારણ કે અનેક જન્માંતરોથી પુષ્ટ થયેલ તથા મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા તથા આસ્તિકાના પ્રકટપણાથી લક્ષિત થતા પ્રવર સમ્યગ્દર્શન વડે તથા ઉલ્લાસ પામતા વીર્યને ન છૂપાવી, સહન કરેલ ઉગ્રકષ્ટો અને આચરેલા ઘોર દુષ્કર તપો વડે નિરંતર ઉપાર્જિત કરેલા મહાન પુણ્યોના સ્કંધોનો જે મહાન રાશિ તેના વડે બાંધેલું તીર્થકરનામકર્મ ગોત્ર-કે જે ઉત્તમ છે. પ્રવર છે, પવિત્ર છે, વિશ્વના એક બંધુ સમાન છે, વિશ્વના નાથ સમાન છે, વિશ્વના સ્વામી સમું છે, વિશ્વમાં સારભૂત છે, અનંતકાળથી ચાલી આવતી ભવોની વાસના તથા પાપના બંધનો તેને છેદી નાખનાર છે, જે જગતમાં એક અને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૨ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય અદ્વિતીય છે તેને આધીન (તે તીર્થંકરનામકર્મગોત્રને આધીન) જે સુંદર, દીપ્ત, મનોહરરૂપ અને દશે દિશાઓમાં પ્રકાશમાન નિરુપમ એક હજાર અને આઠ લક્ષણો તેનાથી તે ભગવંતો મંડિત હોવાથી જગતમાં ઉત્તમોત્તમ જે લક્ષ્મી તેના નિવાસ માટે વાસવાપિકા જેવા છે. ઉપરાંત દેવતા અને મનુષ્યો તેમને જોવામાત્રથી તે જ ક્ષણે અન્તઃકરણમાં ચમત્કાર પામે છે અને તેમના નેત્રો તથા મનમાં અતુલ વિસ્મય અને અપાર પ્રમોદ ઉત્પન્ન થાય છે, કારણ કે સંપૂર્ણ પાપકર્મો રૂપી મલના કલંકથી તેઓ રહિત હોય છે. સમચતુરગ્ન સંસ્થાન તથા શ્રેષ્ઠ એવું જે વજઋષભનારાચસંઘયણ તેનાથી અધિષ્ઠિત હોવાથી પરમ પવિત્ર ઉત્તમ આકારને તેઓ ધારણ કરનારા હોય છે. મહાયશસ્વી, મહાસત્ત્વશાલી, મહાન આશયવાળા, પરમપદમાં રહેનારા, તે જ ભગવંતો સદ્ધર્મ તીર્થંકરો હોય છે. વળી કહ્યું છે કે—સમગ્ર મનુષ્યો, દેવો, ઇન્દ્રો અને સુંદરીઓનાં રૂપ, કાન્તિ તેમ જ લાવણ્ય—આ બધાંને એકઠાં કરીને કોઈ પણ રીતે તેનો એક પિંડ બનાવવામાં આવે અને તેને જિનેશ્વર સામે તુલના માટે મૂકવામાં આવે તો તે પિંડ જિનેશ્વરના ચરણના અંગૂઠાના અગ્ર ભાગનો એક પ્રદેશ તેના લાખમા ભાગે પણ તે શોભતો નથી પણ સુવર્ણગિરિ મેરુ પર્વતની સામે રાખનો ઢગલો જેવો લાગે તેવો લાગે છે. અથવા તો સર્વ સ્થાને જુદી જુદી વ્યક્તિઓમાં રહેલા જુદા જુદા ગુણોને જાણીને અને તે તે ગુણો શ્રીતીર્થંકરભગવંતના ગુણોના અનંતમાં ભગે પણ ન આવતા હોઈને શ્રીતીર્થંકરભગવંતના ગુણોની તુલના કરવા માટે કદાચ ત્રણે ય ભુવનોને એક કરવામાં આવે અને તેને એક દિશામાં ઊભું રાખી એક તરફ તેમના સર્વ ગુણો મૂકી બીજી તરફ શ્રીતીર્થંકરભગવંતના ગુણોને મૂકવામાં આવે તો પણ પરમપૂજ્ય શ્રીતીર્થંકરભગવાનના ગુણો આ સર્વ ગુણોથી અધિક હોય છે અને તેથી જ શ્રીતીર્થંકરભગવંતો જ અર્ચના કરવા યોગ્ય છે, વંદનીય છે, પૂજનીય છે, અર્હત્ છે, ગતિ છે, મતિથી સમન્વિત છે. તેથી તે શ્રીધર્મતીર્થંકરભગવંતોને ભાવથી નમસ્કાર કરો. अरिहंते — શ્રી ‘મહાનિસીહ' સૂત્રમાં ‘અરિહંત' વિષે નીચે પ્રમાણે ઉલ્લેખ છે :~~~~ ‘મનુષ્ય, દેવતા અને દાનવોવાળા આ સમગ્ર જગતમાં આઠ મહાપ્રાતિહાર્ય વગેરેના પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસદેશ, અચિંત્ય માહાત્મ્યવાળી, કેવલાધિષ્ઠિત, પ્રવર ઉત્તમતાને જેઓ યોગ્ય છે તે ‘અ ંત’ છે. સમગ્ર કર્મોના ક્ષય થવાથી, સંસારના અંકુરા બળી જવાથી ફરીવાર અહીં આવતા નથી, જન્મ લેતા નથી, ઉત્પન્ન થતા નથી, તે કારણે એ ‘અનંત' પણ કહેવાય છે. વળી, તેમણે સુદુર્જય સમગ્ર આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને મથી નાખ્યા છે, હણી નાખ્યા છે, દળી નાખ્યા છે, પીલી નાખ્યા છે, નસાડી મૂકયા છે અથવા પરાજિત કર્યા છે, તેથી 3. सनरामरासुरस्य णं सव्वस्सेव जगस्स अट्ठमहापाडिहेराइपूयाइसओवलक्खियं अणण्णसरिसमचितमाहप्पं केवलाहिट्ठियं पवरुत्तमत्तं अरहंति ति अरहंता । असेसकम्मक्खएणं निदड्डूभवंकुरत्ताओ न पुणेह भवंति जम्मंति उववज्जंति वा अरुहंता वा णिम्महियनिहयनिद्दलियविलीयनिट्ठवियअभिभूयसुदुज्जयासेसअट्ठपयारकम्मरिउत्ताओ वा अरिहंतेति वा, एवमेते अणेगहा पन्नविज्जंति परूविज्जंति आघविज्जंति पट्ठविज्जति दंसिज्जति उवदंसिज्जति । ~~~મહાનિસીહસૂત્ર (નમસ્કારસ્વાધ્યાય, (પ્રા. વિ.,) પૃ. ૪૨) Page #116 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ ૫૩ તે ‘અરિહંત' પણ કહેવાય છે. આ રીતે તેઓ અનેક પ્રકારે કહેવાય છે, નિરુપણ કરાય છે, ઉપદેશ કરાય છે, સ્થાપન કરાય છે, દર્શાવાય છે અને બધી રીતે બતાવાય છે. શ્રીઅરિહંતભગવંતોનું પ્રથમ વિશેષણ ‘લોકના સ્વરૂપનો પ્રકાશ કરનારા' એ મૂકવામાં આવેલ છે ત્યારે સહેજે એ અંગે જાણવાનું મન થાય છે કે તેઓ લોકના સ્વરૂપનો પ્રકાશ શી રીતે કરે છે ? તેના સમાધાનમાં શાસ્ત્રકાર મહર્ષિઓ જણાવે છે કે શ્રીઅરિહંતદેવો લોકના સ્વરૂપનો પ્રકાશ-‘૩પ્પન્નેરૂ વા’, ‘વિમેઽ વા', ‘વેડ્ વા' (એટલે ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે અને સ્થિર પણ રહે છે.) એ ત્રિપદી વડે કરે છે. એનો અર્થ એ છે કે લોક અને અલોકરૂપી આ વિશ્વ કેટલાક માને છે તેમ માત્ર કલ્પના નથી પણ ‘સત્' છે અને તે ઉત્પન્ન થવાના, નાશ પામવાના અને કાયમ રહેવાના સ્વભાવથી યુક્ત છે. બીજી રીતે કહેતાં આ વિશ્વ દ્રવ્યરૂપે અનાદિ, અનન્ત, અચલ છે અને પર્યાયરૂપથી ઉત્પત્તિ અને વિનાશરૂપ પરિવર્તનોવાળું છે. उसभमजिअं च वंदे : ચોવીસ તીર્થંકર ભગવંતના અભિધાનોના સામાન્ય તથા વિશેષ અર્થો નીચે દર્શાવ્યા અનુસાર છે. પ્રત્યેક ભગવંતના નામનો સામાન્ય અર્થ ચોવીસે તીર્થંકર દેવમાં ઘટિત થઈ શકે છે; અર્થાત્ એક તીર્થંકર ભગવંતના નામનો સામાન્ય અર્થ સર્વ તીર્થંકર ભગવંતોને લાગુ પડે છે; જ્યારે પ્રત્યેક તીર્થંકર ભગવંતના નામનો વિશેષ અર્થ વિશિષ્ટ કારણને લઈને તેઓશ્રીના પૂરતો જ મર્યાદિત હોય છે; અર્થાત્ માત્ર તેમને જ લાગુ પડે છે. ઋષભ— સામાન્ય અર્થ : જે પરમપદ પ્રત્યે ગમન કરે, તે ‘ઋષભ.’ એનો વિકલ્પ ‘વૃષભ’ છે. ‘વૃષભ’ એટલે દુઃખથી દાઝેલી દુનિયા ઉપર દેશના જલનું વર્ષણ કરનાર કે સિંચન કરનાર.૪ વિશેષ અર્થ : જેમની બંને સાથળોમાં ‘વૃષભ'નું ચિહ્ન છે તે વૃષભ. અજિત— સામાન્ય અર્થ : પરીષહો અને ઉપસર્ગોથી ન જિતાયેલા તે અજિત. વિશેષ અર્થ : ગર્ભમાં આવ્યા બાદ જેમનાં જનનીને ધૂતક્રીડામાં પિતા જીતી શક્યા નહીં માટે અજિત. સંભવ— સામાન્ય અર્થ : જેમનામાં ચોત્રીસ અતિશયો પ્રગટ થાય તે સંભવ. વિશેષ અર્થ : જે ભગવંત ગર્ભમાં આવ્યા બાદ દેશમાં અધિકાધિક ધાન્યની નિષ્પત્તિ થઈ માટે સંભવ. ૪. ऋषति गच्छति परमपदमिति ऋषभ : वृषभ इत्यपि वर्षति सिञ्चति देशनाजलेन दुःखाग्निना दग्धं जगदिति अस्यान्वर्थः । —ધ. સં., ૫. ૧૫૫ આ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અભિનંદન સામાન્ય અર્થ : દેવેન્દ્રો આદિથી અભિનંદન કરાય તે અભિનંદન. વિશેષ અર્થ : આ ભગવંત ગર્ભમાં આવ્યા બાદ શક્રેન્દ્રે વારંવાર આવીને તેમનું અભિનંદન કર્યું માટે અભિનંદન. સુમતિ— સામાન્ય અર્થ : જેમની મતિ સુંદર છે તે સુમતિ. વિશેષ અર્થ : આ ભગવાન ગર્ભમાં આવ્યા બાદ જેમના માતા સર્વ અર્થોના નિશ્ચય કરવામાં મતિ સંપન્ન થયા અને બે શોક્યો વચ્ચેના ઝઘડાનું સમાધાન કર્યું માટે સુમતિ. પદ્મપ્રભ— લોગસ્સસૂત્ર સ્વાધ્યાય સામાન્ય અર્થ : નિષ્પકતા ગુણને આશ્રયીને પદ્મ (કમલ) જેવી જેમની પ્રભા છે તે વિશેષ અર્થ : આ ભગવંત ગર્ભમાં આવ્યા બાદ માતાને કમલની શય્યામાં સૂવાનો દોહદ થયો (જે દેવતાએ પૂર્ણ કર્યો.) અને ભગવાન પણ પદ્મ જેવા વર્ણવાળા હતા માટે પ્રદ્મપ્રભ. સુપાર્શ્વ— પદ્મપ્રભ. સામાન્ય અર્થ : જેમનો પાશ્ર્વભાગ (પડખાં) સુંદર છે તે ચંદ્રપ્રભ. વિશેષ અર્થ : જે ભગવંત ગર્ભમાં આવ્યા બાદ માતાનો પાર્શ્વભાગ (પડખાં) ગર્ભના પ્રભાવથી સુંદર થયો માટે સુપાર્શ્વ. ચન્દ્રપ્રભ સામાન્ય અર્થ : ચન્દ્ર જેવી સૌમ્યકાન્તિ જેમની હોય તે. વિશેષ અર્થ : જે ભગવાનની માતાને ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે ચંદ્ર પાનનો દોહદ થયો અને ભગવાન પણ ચંદ્ર સમાન વર્ણવાળા હતા માટે ચંદ્રપ્રભ. સુવિધિ— સામાન્ય અર્થ : સુંદર છે વિધિ એટલે સર્વ કાર્યોમાં કૌશલ્ય જેમનું તે સુવિધિ. વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ (ભગવાનના માતા) સર્વ વિધિમાં વિશેષ પ્રકારે કુશલ બન્યા માટે સુવિધિ. શીતલ— સામાન્ય અર્થ : કોઈ પણ પ્રાણીને સંતાપ નહીં કરનારા હોવાથી અને સૌને આહ્લાદ પેદા કરનાર હોવાથી શીતલ. Page #118 -------------------------------------------------------------------------- ________________ तित्थयरावली. वंदे उसभं अनि,संभवमभिणंदणं सुमति सुषमसुपास पसि एप्फदंत सीयल, जिंस वासुपुजं च ॥१८॥ मलमणतइ धम्म, से कुंथु अरं च मलि च। मुसुघ्पय णमिणेमी, पानह वद्धमाणं च ॥१९॥ नंदिसतं-३ Page #119 -------------------------------------------------------------------------- ________________ Page #120 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ ૫૫ વિશેષ અર્થ : ભગવંતના પિતાને ઉત્પન્ન થયેલો પિત્તદાહ કે જે અનેક ઔષધોથી પણ શાંત નહોતો થતો, તે ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવાનના માતાએ, ભગવાનના પિતાને સ્પર્શ કરવા માત્રથી શાંત થયો માટે શીતલ. શ્રેયાંસ સામાન્ય અર્થ : સમસ્ત ભુવનનું શ્રેયસ એટલે કલ્યાણ કરનારા તે શ્રેયાંસ. વિશેષ અર્થ : ભગવાનના કુલમાં પરંપરાગત એક શય્યા હતી. જે દેવતાથી અધિષ્ઠિત હતી અને તેની હંમેશાં પૂજા થતી હતી. જે તેના પર ચઢે તેને દેવતા ઉપસર્ગ કરતો હતો. ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવંતના માતાને શય્યા પર સૂવાનો દોહદ થયો અને તેના પર માતા ચઢ્યા. દેવ ચીસ મારીને ભાગ્યો. આ રીતે શ્રીતીર્થકર નિમિત્તે દેવની પરીક્ષા કરવામાં આવી અને આ ગર્ભના પ્રભાવથી આ રીતે શ્રેય થયું માટે શ્રેયાંસ. વાસુપૂજ્ય સામાન્ય અર્થ : વસુ એટલે દેવોને પૂજય તે વાસુપૂજય. વિશેષ અર્થ : ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે વાસવે (ઇન્દ્ર) વારંવાર માતાની પૂજા કરી માટે વાસુપૂજય અથવા વસુ એટલે રત્નો. ભગવાન ગર્ભમાં આવ્યા બાદ વૈશ્રમણે વારંવાર રત્નોથી તે રાજકુલને પૂછયું, એટલે કે પૂર્ણ કર્યું માટે પણ વાસુપૂજય. વિમલ– સામાન્ય અર્થ : જેમના મલ ચાલ્યા ગયા છે તે વિમલ અથવા જેમના જ્ઞાન આદિ નિર્મલ છે તે વિમલ. વિશેષ અર્થ ઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ ભગવાનની માતાનું શરીર અને બુદ્ધિ અત્યંત નિર્મલ થયાં માટે વિમલ. અનન્ત– સામાન્ય અર્થ : અનન્ત કર્મોના અંશોને જિતે તે અનંત અથવા અનંત જ્ઞાન આદિ જેમનામાં છે તે અનન્ત. વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવાનની માતાએ સ્વપ્નમાં રત્નમય, અનંત (અતિશય મહાન) માલા જોઈ માટે અનંત. ધર્મ– સામાન્ય અર્થ : દુર્ગતિમાં પડતા પ્રાણીઓના સમૂહને ધારણ કરે તે ધર્મ. વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ તેમની માતા વિશેષ પ્રકારે દાન, દયા, - આદિ ધર્મવાળા બન્યા માટે ધર્મ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૬ લોગસ્સસુત્ર સ્વાધ્યાય શાંતિ– સામાન્ય અર્થ: શાંતિનો યોગ કરાવનારા, શાંતિને કરનારા યા તો શાંતિસ્વરૂપ હોવાથી શાંતિ. વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા તે પૂર્વે દેશમાં મહાન મરકીનો ઉપદ્રવ ચાલુ હતો, જે ભગવાન ગર્ભમાં આવતાં શાંત થયો માટે શાંતિ. કુન્દુ સામાન્ય અર્થ : કુ એટલે પૃથ્વી, તેમાં રહેલ તે “કુન્થ”. વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ માતાએ સ્વપ્નમાં મનોહર ઊંચા મહાપ્રદેશમાં રહેલ રત્નમય સ્થભ જોયો માટે કુછ્યું. અર– સામાન્ય અર્થ ઃ સર્વોત્તમ મહા સત્ત્વશાળી કુળમાં જે પેદા થાય અને તેની અભિવૃદ્ધિ માટે થાય તે અર. વિશેષ અર્થ: ભગવાન ગર્ભમાં આવ્યા બાદ માતાએ સ્વપ્નમાં સર્વ રત્નમય અતિ સુંદર અને મહાપ્રમાણવાળો ચક્રનો આરો જોયો તેથી અર. મલ્લિ – સામાન્ય અર્થ : પરીષહ આદિ મલ્લોને જીતે તે મલ્લિ. વિશેષ અર્થ: ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવાનની માતાને સર્વ ઋતુના શ્રેષ્ઠ સુગંધી પુષ્પોની માલાની શય્યામાં સૂવાનો દોહદ થયો અને તે દેવતાએ પૂર્ણ કર્યો માટે મલ્લિ. મુનિસુવ્રત સામાન્ય અર્થ : જગતની ત્રણે કાલની અવસ્થાને જાણે (અવસ્થાનું મનન કરે) તે મુનિ અને સુંદર વ્રતોને ધારણ કરે તે સુવ્રત. મુનિ હોવા સાથે સુવ્રત તે મુનિસુવ્રત. વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવાનની માતા અત્યંત સુવ્રત (સુંદર વ્રતસંપન્ન) બન્યાં માટે મુનિસુવ્રત. નમિ– સામાન્ય અર્થ : પરીષહ-ઉપસર્ગ આદિને નમાવે તે નમિ. વિશેષ અર્થ : દુર્દાન્ત એવા સીમાડાના રાજાઓએ ભગવાનના પિતાના નગરને ઘેરો ઘાલ્યો હતો. ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે ગર્ભના પુણ્યની શક્તિથી પ્રેરિત ભગવંતના માતાને અટ્ટાલિકા પર ચઢવાની ઇચ્છા થઈ અને તેઓ ચઢ્યા. દુશ્મન રાજાઓ તેમને જોતાંની સાથે Page #122 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ. ૫૭ ગર્ભના પ્રભાવથી નમી પડ્યા માટે નમિ. નેમિ– સામાન્ય અર્થ : ધર્મરૂપી ચક્રમાં નેમિ-ચક્રના ઘેરાવા જેવા-તે નેમિ. વિશેષ અર્થ ઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ, માતાએ રિષ્ટ રત્નમય અતિશય મહાન ચક્રનો નેમિ ઊડતો સ્વપ્નમાં જોયો માટે શિષ્ટ-નેમિ. અકાર અપમંગલના પરિહાર માટે હોવાથી અરિષ્ટનેમિ. પાર્શ્વ– સામાન્ય અર્થ : સર્વભાવોને જુએ તે પાર્થ. વિશેષ અર્થ : ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ, સાત ફણાવાળો નાગ ભગવાનની માતાએ સ્વપ્નમાં જોયો હતો અને શયામાં રહેલ માતાએ સામેથી આવતા સર્પને અંધકારમાં પણ ગર્ભના પ્રભાવથી જોયો, શવ્યાની બહાર રહેલ રાજાનો હાથ ખેંચી લીધો અને કહ્યું કે “આ સાપ જાય છે.” રાજાએ પૂછ્યું કે, ““તેં કેવી રીતે જાણ્યું ?” માતાએ કહ્યું કે, “હું જોઈ શકું છું.” દીપક લાવીને જોયું તો સાપને જોયો. રાજાને થયું કે, ગર્ભનો આ અતિશયવંતો પ્રભાવ છે કે જેથી આટલા ગાઢ અંધકારમાં પણ જોઈ શકે છે માટે “પાર્થ” નામ કર્યું. વર્ધમાન– સામાન્ય અર્થ : જન્મથી આરંભીને જ્ઞાન-આદિથી વધે તે વર્ધમાન. વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ સમગ્ર જ્ઞાતકુળ ધનાદિથી વિશેષ પ્રકારે વધવા લાગ્યું માટે વર્ધમાન*. एवं मए अभिथुआ : આ પદોનો અર્થ “મેં આપને મારી સન્મુખ સાક્ષાત્ રહેલા કલ્પીને નામ ગ્રહણપૂર્વક સ્તવ્યા” એમ પણ થઈ શકે. ધ્યેય વસ્તુનું ધ્યાન તે જ શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે જેમાં ધ્યેય ધ્યાતા સમક્ષ માનસ કલ્પનાદ્વારા જાણે સાક્ષાત્ સમુપસ્થિત થયું હોય તેમ ભાસે. આ રીતે સામે સાક્ષાત્ કલ્પવાથી ધ્યાનાશ તેમ જ ભાવાવેશથી સિદ્ધિ શીધ્ર થાય છે. ધ્યાનોવેશ દ્વારા તન્મયભાવને પામતું ધ્યાન જ સર્વશ્રેષ્ઠ ગણાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે – ધ્યાન જયારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે ધ્યેય નજીક ન હેવા છતાં પણ જાણે (સામે) આલેખિત હોય એવું અત્યન્ત સ્પષ્ટ ભાસે છે.'' ૫. ધ્યાને વિશ્વતિથૈય, ધ્યેયરૂપ પરિટમ્ | ત્તેિવિતપિવામાતિ પ્રેયણાંડસન્નિધવપિ || ન્તજ્વાનુશાસન, અધ્યાય ૪, શ્લો. નં. ૪૪, પૃ. ૩૫ *પાદ નોંધ :–આજ પ્રમાણે એક જ શ્લોકમાં શ્રી તીર્થંકરભગવંતોના નામો ગોઠવી, તે શ્લોકના Page #123 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પરમાત્માનું નામ હૃદયમાં સ્થિર થતાં જ જાણે પરમાત્મા સામે સાક્ષાત્ દેખાતા હોય તેવું લાગે છે, જાણે હૃદયમાં પ્રવેશતા હોય તેવું લાગે છે, જાણે મધુર આલાપ કરતા હોય તેવું લાગે છે, જાણે સર્વ અંગોમાં અનુભવાતા હોય તેવું લાગે છે અને તન્મયભાવને પામતા હોય તેવું લાગે છે. આવી જાતના અનુભવોથી સર્વ કલ્યાણોની સિદ્ધિ થાય છે. पसीयंतु આ પદ પરમાત્માના અનુગ્રહને સૂચવે છે. અનુગ્રહનો વિષય ‘યોગબિંદુ’માં નીચે મુજબ સ્પષ્ટ કરવામાં આવ્યો છે ‘‘હવે કોઈક અપેક્ષાએ પરમતનો સ્વીકાર કરતાં કહે છે :~~~~ અર્થપત્તિથી જો ઈશ્વરનો (તીર્થંકરનો) અનુગ્રહ સ્વીકારીએ તો એમાં સ્વમતપરિહારરૂપ દોષ-અપરાધ નથી, એટલું જ નહીં પણ યુક્તિયુક્ત અર્થ સ્વીકારવામાં તો ગુણ જ છે. પ્રસ્તુત વિષય તો જ સમજાય કે જો આ ઈશ્વરાનુગ્રહ વિશે મધ્યસ્થભાવપૂર્વક વિચારવામાં આવે. હવે અર્થપત્તિ (આર્થવ્યાપાર) સમજાવે છે. લોગસ્સસૂત્ર સ્વાધ્યાય નામગ્રહણપૂર્વક સ્તવનાના વિષયમાં નામ આદિનું માહાત્મ્ય શાસ્ત્રોમાં આ રીતે કહેવાયું બધા જ મુમુક્ષુઓ ગુણપ્રકર્ષરૂપ કોઈક વિશિષ્ટ દેવતાને વંદનીય તથા સ્તવ વગેરેનું ફળ આપનાર માને છે. (એ માન્યતામાં અપેક્ષાએ યુક્તિ-યુક્તતા હોય અને ગુણ હોય, તો તેને આપણે પણ અપેક્ષાએ સ્વીકારવી જોઈએ.) જુદા જુદા ચોવીસ અર્થે કરી, એક નામનો વિશેષ અર્થ અને અન્ય નામોનો સામાન્ય અર્થ કરવા દ્વારા ક્રમવાર ચોવીસેય તીર્થંકર દેવોને સ્તવવાનો પ્રયાસ દિગંબર કવિવર પંડિત શ્રીજગન્નાથ દ્વારા કરવામાં આવેલ છે અને તે કાવ્યનું નામ ચતુર્વિશતિસંધાન આપવામાં આવ્યું છે જે સ્વોપજ્ઞ ટીકા સહિત છે. ૬. ૭. જે શ્લોકના ચોવીસ અર્થે કરવામાં આવ્યા છે તે બ્લોક નીચે મુજબ છે :— श्रेयान् श्री वासुपूज्यो वृषभजिनपतिः श्रीमाङ्कोऽथ धर्मो, हर्य्यङ्कः पुष्पदन्तो मुनिसुव्रतजिनो ऽनन्तवाक् श्रीसुपार्श्वः । शान्तिः पद्मप्रभोऽरो विमलविभुरसौ वर्धमानोऽप्यजाङ्को, मल्लिनेमिर्नमिर्मा सुमतिरवतु स च्छ्रीजगन्नाथधीरम् ||१|| चतुर्विंशतिसन्धा नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति हृदयमिवानुप्रविशति, मधुरालापमिवाऽनुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते, तेन च सर्वकल्याणसिद्धि: । —પ્રતિમાશતક, શ્લો. નં. રની ટીકા, પૃ. ૪ अथ कथञ्चित्परमतमप्यनुमन्यमान आह आर्थ्यं व्यापारमाश्रित्य न च दोषोऽपि विद्यते । अत्रमाध्यस्थ्यमालम्ब्य यदि सम्यग्निरूप्यते ॥ २९७॥ आर्थ्यं सामर्थ्यप्राप्तम्, व्यापारमीश्वराद्यनुग्रहरूपम्, आश्रित्यापेक्ष्य, न च नैव दोषोऽप्यपराधः Page #124 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ ૫૯ એ રીતે જિનેશ્વર ભગવંત સ્તવન, પૂજન, નમન, અનુધ્યાન વગેરે રૂપ ક્રિયાનું ફળ, જે સ્વર્ગ અને અપવર્ગ, તેને આપનારા ગણાય છે. અહીં જો કે પોતે કરેલ સ્તવાદિ ક્રિયા ફળ આપે છે, તો પણ સ્તવનીય-અવલંબનત્વ—સંબંધથી તે ક્રિયાના સ્વામી શ્રીજિનેશ્વરભગવંત છે તેથી સ્તોતવ્ય એવા શ્રીજિનેશ્વરભગવંતના નિમિત્તે જ સ્તવનાદિ કરનારને ફળનો લાભ થાય છે. અર્થપત્તિ પણ એક પ્રબળ પ્રમાણ છે, તેથી સ્તુતિક્રિયાનું જે ફળ મળે છે, તેમાં ફળ આપનાર સ્તોતવ્ય શ્રી જિનાદિ છે એમ માનવું, એ પણ પ્રમાણસિદ્ધ છે. - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ભગવંતે ‘દ્વાઝિશદ્ધાત્રિશિકા'માં સોલમી ‘ઈશાનુગ્રહવિચાર કાત્રિશિકા'ની ટીકામાં પ્રસ્તુત વિષયને સંક્ષિપ્ત રીતે સમજાવેલ છે. (એનો ભાવાર્થ ઉપર મુજબ છે) (અવતરણ નીચે આપેલ છે.) ઈશાનુગ્રહવિચારદ્વાáિશિકા'ના અંતિમ શ્લોકમાં તેઓ કહે છે કે તેથી અનુગ્રહને માનતા સાધકોએ સ્વામી (શ્રીતીર્થંકર)ના ગુણો ઉપરના અનુરાગપૂર્વક પરમાનંદ વડે અનુષ્ઠાન કરવું જોઈએ.” स्वमतपरिहाररूपः । विद्यते समस्ति युक्तियुक्तार्थाभ्युपगमे । पुनुर्गुण एवेत्यपिशब्दार्थः । कथमित्याह "अत्र" શ્વરનપ્રદાઢી “મધ્યસ્થ' મધ્યસ્થભાવં “માનવ્ય' “દ્રિ' વેત “સણન'' યથાવત્ “નિ '' વિન્યતે || अथार्थ्यमेव व्यापारमाचष्टे । गुणप्रकर्षरूपो यत्सर्वैर्वन्ध्यस्तथेष्यते । देवतातिशयः कश्चित्स्तवादेः फलदस्तथा ॥२९८।। गुणप्रकर्षरूपो ज्ञानादिप्रकृष्टगुणस्वभावः । यद्यस्मात् । सर्वैर्मुमुक्षुभिः । वन्द्यो वन्दनीयः । तथा तत्प्रकारः । इष्यते मन्यते । देवतातिशयो विशिष्टदेवताख्यः । कश्चिज्जिनादिः । स्तवादेः स्तवनपूजननमनानुध्यानादेः । कियायाः फलदः स्वर्गापवर्गादिफलदायी । "तथा" इति समच्चये । अत्र यद्यपि स्वकर्तका स्तर प्रयच्छति, तथापि स्तवनीयालम्बनत्वेन तस्यास्तत्स्वामिकत्वमिति स्तोतव्यनिमित्त एव स्तोतुः फललाभ इति ॥ –યોગબિંદુ સટીક, પૃ. ૧૨૨-૧૨૩ आर्थव्यापारमाश्रित्य तदाज्ञापालनात्मकम् । युज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः ॥७॥ –ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા. શ્લો. ૭,૫.૯૭ આ. देवतातिशयस्य च विशिष्टदेवताख्यस्य च सेवा स्तवनध्यानपूजनादिरूपा । सर्वैर्बुधैरिष्टा तन्निमित्तकफलार्थत्वेनाऽभिमता । स्ववनादिक्रियायाः स्वकर्तृकायाः फलदानसमर्थत्वेऽपि स्तवनीयाद्यालम्बत्वेन तस्याः स्तोत्रादेः फललाभस्य स्तोतव्यादिनिमित्तकव्यवहारात् । –ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા, શ્લો, ૧૬ની ટીકા. ૫. ૯૯ અ. अनुष्ठानं ततः स्वामिगुणरागपुरस्सरम् । परमानन्दतः कार्य, मन्यमानैरनुग्रहम् ॥३२॥ –ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા, ગ્લો. ૩૨, પૃ. ૧૦૧ આ. ૮. Page #125 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં પરમાત્માને વ્રતસેવનાદિ અનુષ્ઠાનથી થતી મુક્તિના ઉપચારથી કર્તા કહ્યા છે. તે આ રીતે :~ ૬૦ આ રીતે અપેક્ષાએ ઈશ્વકતૃત્વવાદ પણ સતર્કથી ઘટે છે, એમ શુદ્ધબુદ્ધિવાળા ૫રમાર્થિઓએ કહ્યું છે. તે આ રીતે ઃ— અનંતજ્ઞાનદર્શનસંપત્તિથી યુક્ત શ્રીવીતરાગપરમાત્મા જ ઈશ્વર છે, કારણ કે તેમણે કહેલ વ્રતોનું પાલન કરવાથી મુક્તિ થાય છે, તેથી તે વીતરાગપરમાત્મા ગુણભાવે મુક્તિના કર્તા છે.’’ ,,૧ ‘ગુણભાવથી કર્તા છે,’ એ વિષયને સમજાવતાં ‘સ્યાદ્વાદકલ્પલતા’ ટીકામાં કહ્યું છે કે— રાજા વગેરેની જેમ શ્રીપરમાત્માનો પ્રસાદ અપ્રસાદથી નિયત નથી, તો પણ તેઓ અચિત્ત્વ ચિંતામણિની જેમ વસ્તુસ્વભાવસામર્થ્યથી ‘ફલદોપાસનાકત્વ' સંબંધ વડે ઉપચારથી કર્તા છે. ૧૧ આ. હા. ટી. (પૃ. ૫૦૭ આ)માં જે કહ્યું છે કે ‘‘તપૂવિવામિત્તષિતતાવાતિવિતિ'' । તેનો સારાંશ એ છે કે અભિલષિત ફળની પ્રાપ્તિ શ્રીતીર્થંકરભગવંતના કારણે જ છે. એ ક્રિયામાં બીજું બધું હોય પણ સ્તવના આલંબન તરીકે કેવળ શ્રીતીર્થંકર ન હોય તો અભિલષિત ફળની પ્રાપ્તિ કદાપિ થઈ શકે નહીં. પૂ. ઉપા. શ્રી યશોવિજયજીમહારાજ શ્રીચિંતામણિપાર્શ્વનાથ ભગવાન સ્તવનમાં ફરમાવે છે કે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, એ સઘળા તુજ દાસો રે ! મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજ સબળ વિશ્વાસો રે. સ્તુતિ-આદિ અપેક્ષાએ નમસ્કારરૂપ છે. નૈગમ અને વ્યવહારનયથી નમસ્કાર (સ્તુતિ १०. ततश्चेश्वरकर्तृत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायाविरोधेन यथाहुः शुद्धबुद्धयः || १०|| ईश्वरः परमात्मैव तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ||११|| —શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તબક-૩, શ્લો. ૧૦-૧૧. ૫. ૧૦૨ આ. ૧૧. તદુવ્રતસેવનાત્-પરમાતપ્રળીતાામવિહિતસંયમપાલનાત્; યતો મુર્તિ:ર્મક્ષયરૂપા, મતિ, તતસ્તસ્યા ગુળभावतः—राजादिवदप्रसादनियतप्रसादाभावेऽप्यचिन्त्यचिन्तामणिवद् वस्तुस्वभावबलात् फलदोपासनाकत्वेनोपचारात् कर्ता स्यात्, अत एव भगवन्तमुद्दिश्याऽऽरोग्यादिप्रार्थना । —શાસ્રવાર્તાસમુચ્ચય, સ્યાદ્વાદકલ્પલતા ટીકા, શ્લો. ૧૧ની ટીકા. ૫. ૧૦૩ અ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ ૬૧ આદિ)ના સ્વામિત્વવિષે ‘વિશેષાવશ્યક' આદિ ગ્રંથોમાં વિસ્તારથી વર્ણન છે, તેનો સારાંશ ‘નમસ્કાર મહામંત્ર’ ગ્રંથમાં નીચે મુજબ આપેલ છે : ‘નૈગમનય તથા વ્યવહારનયના અભિપ્રાય નમસ્કારનો સ્વામી ‘નમસ્કાર્ય’ આત્મા છે, કિંતુ નમસ્કાર કરનાર જીવ તેનો સ્વામી નથી; કારણ કે—દાન કરાયા પછી વસ્તુ દાતારની કહેવાતી નથી કિંતુ ગ્રાહકની કહેવાય છે, તેમ નમસ્કારનું પણ પૂજ્ય એવા નમસ્કાર્યને દાન કરવામાં આવે છે. તેથી તે પૂજયનો જ ગણાય છે અથવા ‘નમસ્કા૨’ એ પૂજ્યની પ્રતીતિ કરાવનાર હોવાથી પૂજ્યનો ધર્મ છે. જે જેની પ્રતીતિ કરાવે, તે તેનો ધર્મ છે. ઘટનું રૂપ ઘટની પ્રતીતિ કરાવે છે, માટે તેને ઘટનો ધર્મ કહેવામાં આવે છે, તેની જેમ ‘નમસ્કાર' પણ ‘નમસ્કાર્ય’ની પ્રતીતિ કરાવનાર હોવાથી, ‘નમસ્કાર્ય’નો ધર્મ છે, નહિ કે નમસ્કાર કરનારનો. અથવા ‘નમસ્કાર’નો પરિણામ ‘નમસ્કાર્ય’નું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે. ઘટના નિમિત્તે ઉત્પન્ન થતું ઘટ-જ્ઞાન અને ઘટ-અભિધાન એ જેમ ઘટનું કહેવાય છે, તેમ ‘નમસ્કાર્ય' ના નિમિત્તે ઉત્પન્ન થનાર ‘નમસ્કારનો’ પરિણામ પણ ‘નમસ્કાર્ય’નો જ પર્યાય માનવો વાજબી છે. અથવા નમસ્કાર કરનાર નમસ્કાર્યનું દાસત્વ પામે છે, તેથી તે નમસ્કાર ઉપર નમસ્કાર કરનારનો અધિકાર નથી. ‘મારા દાસે ખર ખરીદ્યો,' એ વચનના અર્થમાં દાસ અને ખર ઉભય જેમ તેના સ્વામીના છે, તેમ ‘ખર'ના સ્થાને ‘નમસ્કાર' અને ‘દાસ’ના સ્થાને તેનો ‘કરનાર’ ઉભય ‘નમસ્કાર્ય’ એવા પૂજ્ય અર્હદાદિકના જ છે. એ કારણે પણ નમસ્કાર, નમસ્કાર કરનારનો નથી, કિંતુ નમસ્કાર્યનો જ છે. પૂજ્ય વસ્તુ બે પ્રકારની છે : એક જીવરૂપ અને બીજી અજીવરૂપ. જીવરૂપ પૂજ્ય વસ્તુ શ્રીજીનેશ્વરાદિ અને મુનિવરાદિ છે. અજીવરૂપ પૂજ્ય વસ્તુ શ્રીજિનપ્રતિમાદિ અને ચિત્રપટાદિ છે.” चंदेसु निम्मलयरा :— ‘ચંદ્ર કરતાં વધારે નિર્મળ' એમ ન કહેતાં ‘ચંદ્રો કરતાં વધારે નિર્મળ' એમ કહેવાનું કારણ એ છે કે આ વિશ્વમાં એક ચંદ્ર કે એક સૂર્ય નથી, પરંતુ અસંખ્યાત ચન્દ્રો તથા અસંખ્યાત સૂર્યો છે. જંબુદ્વીપમાં બે સૂર્ય તથા બે ચંદ્ર છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે, ધાતકીખંડમાં આઠ ચંદ્ર અને આઠ સૂર્ય છે. કાલોદસમુદ્રમાં સોળ ચંદ્ર અને સોળ સૂર્ય છે. અર્ધપુષ્કરવર દ્વીપમાં સોળ ચંદ્ર અને સોળ સૂર્ય છે અને ત્યાર બાદ મનુષ્યલોકની બહાર દરેક દ્વીપ અને સમુદ્રમાં એક એક કરતાં બમણા ચંદ્ર અને સૂર્ય છે. જે સર્વનો સરવાળો કરતાં અસંખ્યાત ચંદ્રો અને અસંખ્યાત સૂર્યો થાય છે. આ સર્વ ચંદ્રો કરતાં ય શ્રી જિનેશ્વર દેવો વધુ નિર્મળ છે અને આ સર્વ સૂર્યો કરતાં ય વધારે તેજસ્વી છે. સ્વયંભૂરમણસમુદ્ર એ લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો બાદ સૌથી છેલ્લે આવેલો અસંખ્યાત યોજન પ્રમાણનો મહાસમુદ્ર છે કે જે મહાગંભીર છે, જેનો પાર પણ પામી ન શકાય તેવો છે. શ્રીજિનેશ્વરદેવ તે સર્વ સમુદ્રોથી વિશાલ અને ગંભીર હોવાથી અહીં તેની ઉપમા આપવામાં આવી છે. * પૂ. પં. શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યકૃત ‘નમસ્કારમહામંત્ર' પૃ. ૧૫૧-૧૫૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ નામ ૧. ચવીસત્થય ૨. ચવી સત્યય (દંડ) ચવીસત્યવ ૩. ૪. ચઉવીસઈન્થય ૫. ૬. ઉજ્જોઅ ૭. ઉજ્જૈઅગર ૮. ઉજ્જોયગ૨ ૯. નામથય ૧૦. નામજિણત્થય ચવીસજિણત્થય [૭] પ્રકીર્ણક (૭)—૧. લોગસ્સસૂત્રનાં પર્યાયવાચક નામો (પ્રાકૃતનામો) આધાર સ્થાન સિરિ મહાનિસીહસુત્ત ઉત્તરજઝયણસુત્ત પત્ર ૫૦૮ અ અણુઓગદ્દારસુત્ત, સૂત્ર ૫૯, પત્ર ૪૪ અ ચેઈયવંદણમહાભાસ, ગાથા ૫૩૭. પૃ. ૯૮ પાક્ષિકસૂત્રવૃત્તિ, પત્ર ૭૨ આ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, પત્ર ૨૪૮ અ નંદિસુત્ત, સૂત્ર ૪૪, ૫ત્ર ૨૦૨ અ આવસયનિજ્જુત્તિ, ગાથા ૧૦૫૬, પત્ર ૪૯૧ અ ચેઈયવંદણમહાભાસ, ગાથા ૩૮૯, પૃ. ૭૦ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, પત્ર ૨૪૮ આ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, પત્ર ૨૪૮ આ પાક્ષિકસૂત્રવૃત્તિ, પત્ર ૭૨ અ દેવવંદનભાષ્ય, પૃષ્ઠ ૩૨૦ ધર્મસંગ્રહ, પત્ર ૧૫૮ અ Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક ૧૧. ચતુર્વિશતિસ્તવ ૧૨. ચતુર્વિંશતિ જિનસ્તવ ૧૩. નામસ્તવ શ્રમણ—ક્રિયા ૧. ૨. પ્રતિક્રમણ ૩. ચૈત્યવંદન-દેવવંદન ૪. કર્મક્ષયાદિનિમિત્તક કાયોત્સર્ગ ૫. ઈર્ષાપથિકી તથા પ્રતિલેખના આદિ ૬. વિશિષ્ટ તપશ્ચર્યા ૭. યોગોહન આદિ વિશિષ્ટ ક્રિયા ૮. અભિભવ કાયોત્સર્ગ ૯. પદસ્થોને દ્વાદશાવર્ત વંદન કરતાં ૧૦. પ્રાતઃકાલીન પૌરુષી (સંસ્કૃત નામો) આયારંગસુત્ત ટીકા, પત્ર ૭૫ આ ઉત્તરયણસુત્ત ટીકા પત્ર ૫૦૪ આ અણુઓગદ્દાર વૃત્તિ પત્ર ૪૪ આ લલિતવિસ્તરા, પૃષ્ઠ ૪૨ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, પત્ર ૨૨૪ આ વન્દારુવૃત્તિ, પૃષ્ઠ ૪૦ આ (૭)—૨. શ્રમણ* તથા શ્રમણોપાસકની આવશ્યક આદિ ક્રિયામાં લોગસ્સસૂત્રનું સ્મરણ ક્યારે ક્યારે થાય છે ? દેવવંદન ભાષ્ય પૃષ્ઠ ૩૨૦ ધર્મસંગ્રહ, પત્ર ૧૫૮ એ દેવવંદનભાષ્ય, પૃષ્ઠ ૩૨૭ દેવવંદનભાષ્ય પૃષ્ઠ ૩૨૧ શ્રમણોપાસક—ક્રિયા ૧. સામાયિક પ્રતિક્રમણ ૨.. ૩. ચૈત્યવંદન-દેવવંદન ૪. કર્મક્ષયાદિનિમિત્તક કાયોત્સર્ગ ૫. પૌષધ (દૈવસિક, રાત્રિક, અહોરાત્રિક) ૬. વિશિષ્ટ તપશ્ચર્યા ૭. ઉપધાન તપ ૬૩ ૮. અભિભવ કાયોત્સર્ગ ૯. રાઈમુહપતિ પડિલેહતાં (રાત્રિક મુખપોતિકા) ૧૦. પ્રાતઃકાલીન પૌરુષી (પૌષધમાં હોય તો) * આથી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના શ્રમણો અભિપ્રેત છે. ૧. સો ડગલાથી બહાર ગયા બાદ, સ્થંડિલ (મલ) આદિ પરઠવવાની (પારિષ્ઠાપનિકા) ક્રિયા કર્યા બાદ, તથા ભિક્ષાચર્યાએથી આવ્યા બાદ વગેરે પ્રસંગોએ કરવામાં આવે છે તે. ૨. પંચમી, એકાદશી, વીસસ્થાનક આદિ તપની આરાધનામાં કરવામાં આવે છે તે. ૩. કાયોત્સર્ગના ચેષ્ટાકાયોત્સર્ગ અને અભિભવકાયોત્સર્ગ એમ જે બે પ્રકારો છે તે પૈકી આ એક છે. તિતિક્ષા શક્તિ કેળવવા માટે એ કરાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૧૧, સંથારા (સંસ્તારક) પૌરુષી ૧૨. સ્થંડિલ પડિલેહના (પ્રતિલેખના) ૧ ૨. ૩ આવશ્યક ક્રિયા સામાયિક લીધા પછી અને મંગલ નિમિત્તે દેવવંદન કર્યા પછી જ વસ્તુતઃ શરૂ થાય છે. એ ક્રિયા છ આવશ્યક પૂરા થતાં સમાપ્ત થાય છે. આ વસ્તુને અનુલક્ષીને તે તે પ્રતિક્રમણમાં લોગસ્સ સૂત્રનું સ્મરણ તથા પ્રકટ ઉચ્ચારણનું નિયતપણું નીચે દર્શાવવામાં આવે છે : ૪ ૫ પ્રતિક્રમણના પ્રકાર દૈવસિક (દિવસના અંતે) (૭)—૩ આવશ્યક ક્રિયામાં લોગસ્સ સૂત્રના સ્મરણ તથા પ્રકટ ઉચ્ચારણનું નિયતપણું દર્શાવતું કોષ્ટક રાત્રિક (રાત્રિના અંતે) પાક્ષિક (પક્ષના અંતે) લો.મૂ.નું સ્મરણ કેટલી વાર ? ચાતુર્માસિક (ચાર મહિનાના અંતે) સાંવત્સરિક (સંવત્સરના અંતે) ૩ ૪ ૪ ૧૧. સંથારા (સંસ્તારક) પૌરુષી (રાત્રિ પૌષધ હોય તો) ૪ ૧૨. સ્થંડિલ પડિલેહના (પ્રતિલેખના) (રાત્રિ પૌષધ હોય તો) લો.ફૂ.ના પાઠનું પ્રકટ પણે ઉચ્ચારણ કેટલી વાર ? ૨ ૧ ૨ ૨ ઉચ્છ્વાસ કેટલા ? ૧૦૦ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ૫૦ ૪૭૦ ૬૦૦ ૧૧૦૦ સમગ્ર ક્રિયામાં એકંદર કેટલા લો. સૂ. નું સ્મરણ ? ૪ ૨ ૧૬ ૨૪ ઉપર્યુક્ત કોઇક માત્ર છ આવશ્યકમાં આવતા કાયોત્સર્ગ સંબંધી છે, પરંતુ વર્તમાનમાં ચાલુ પ્રણાલિકા મુજબ થતી આવશ્યક ક્રિયામાં મંગલ-નિમિત્તે થતી પ્રથમ દેવવંદનની ક્રિયા તથા છ આવશ્યકની સમાપ્તિ બાદ દૈવસિક પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ તથા દુ:ખક્ષય કર્મક્ષયનિમિત્તક કાયોત્સર્ગ આદિનો પણ સમાવેશ કરવામાં આવે છે. તે વસ્તુને અનુલક્ષીને કાયોત્સર્ગની તથા પ્રકટ લોગસ્સના ઉચ્ચારણની સંખ્યા વિશેષ થાય છે. જેનું કોષ્ઠક આ પ્રમાણે છે :— ૪૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક પ્રતિક્રમણના પ્રકાર લો.સૂનું | લો.સુ.ના | ઉચ્છવાસ | સ્મરણ કેટલી| પાઠનું પ્રકટ | કેટલા ? વાર ? પણ ઉચ્ચારણ કેટલી વાર ? સમગ્ર ક્રિયામાં એકંદર કેટલા લો. સુ.નું સ્મરણ ? ૩૧૨ ૧૫O* દૈવસિક રાત્રિક પાક્ષિક ચાતુર્માસિક સાંવત્સરિક ૬૦૮ ८०८ ૧૩૦૮ (૭)–૪. ચૈત્યવંદનમાં તેમ જ દેવવંદનના અધિકારોમાં લોગસ્સ સૂત્રની વ્યવસ્થા ચૈિત્યવંદનની વિધિ સૌ પ્રથમ આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથોમાં મળે છે, એમ આગમોદ્ધારક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીનું મન્તવ્ય છે. લલિતવિસ્તરામાં લોગસ્સ સૂત્રનો એ વિધિના એક ભાગ તરીકે ઉલ્લેખ છે. દેવવંદનમાં બાર અધિકારો છે. તેમાં ચોથો અધિકાર લોગસ્સ સૂત્રનો છે. તેમાં નામજિનને વંદના છે. - (૭)–૫. પાંચ દંડક સૂત્રોમાં લોગસ સૂત્રનું સ્થાન નિમ્નોક્ત પાંચ દંડકસૂત્રો પૈકી લોગસ્સ સૂત્ર એ તૃતીય દંડક છે. ૧. શક્રસ્તવ (નમો ન્યૂ ર્ણ સૂત્ર) ૨. ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણં સૂત્ર) ૩. નામસ્તવ (લોગસ્સ સૂત્ર) ૪. શ્રુતસ્તવ (પુષ્પરવરદીવઢે સૂત્ર) ૫. સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર) * કામ-ભોગાદિ દુઃસ્વપ્ન આવેલા હોય તો ૧૫૮ ઉચ્છવાસ પ્રમાણ સમજવું, કારણ કે તેવી સ્થિતિમાં કાયોત્સર્ગ સારવાર મીરા સુધી કરવાનો હોય છે. ૧. (૨) નમો યુ | (૨) ને મ કા સિદ્ધા (૩) અરિહંતાણં (૪) નોક્સ ૩નોમી (૫) सव्वलोए अरिहंत (६) पुक्खरवरदी (७) तमतिमिरपडल (८) सिद्धाणं बुद्धाणं (९) जो देवाण वि देवो (१०) उज्जितसेलसिहरे (११) चत्तारि अट्ठ दस दोय (१२) वेयावच्चगराणं Page #131 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય (૭)–૬. લોગસ્સ સૂત્રનાં પદો, સંપદા તથા અક્ષરો લોગસ્સ સૂત્ર ૧ શ્લોક તથા ૬ ગાથાના માનવાળું છે. તેમાં ૨૮ પદોમાં, ૨૮ સંપદા છે? અને અક્ષરો ૨૫૬ છે. તે નીચે મુજબ છે :– પ્રથમ શ્લોકમાં બીજી ગાથામાં ત્રીજી ગાથામાં ચોથી ગાથામાં પાંચમી ગાથામાં છઠ્ઠી ગાથામાં સાત્મી ગાથામાં ૪૧ ૩૭ ૨૫૬ એક મત એવો છે કે જે લોગસ્સ સૂત્રના ૨૬૦ અક્ષરો છે એમ જણાવે છે. પરંતુ તે મત દેવવંદનની વિધિમાં પ્રથમ સ્તુતિ બાદ લોગસ્સ સૂત્ર બોલાયા પછી બોલાતા “સબૂલોએ અરિહંતઈયાણ' સૂત્રના “સબૂલોએ એ ચાર અક્ષરોની ગણતરી લોગસ્સ સૂત્ર ભેગી કરે છે? અને તેથી તે ગણતરી મુજબ ૨૬૦ અક્ષરો વાજબી ઠરે છે. જિનસ્તવ-ભાવમંગલ - “હે ભગવન્! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ ક્યા લાભને પ્રાપ્ત કરે છે ?" એવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જણાવે છે કે – હે ગૌતમ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ મંગલથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિના લાભને પ્રાપ્ત કરે છે અને તે રીતે જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિનો લાભ થતાં તે જીવ કલ્પવિમાનમાં ઉત્પન્ન થવા પૂર્વક મોક્ષમાં જાય છે. (૭)–૮. કાયોત્સર્ગ આદિના સમયમાં (લોગસ્સસૂત્રનું) સ્મરણ કાયોત્સર્ગ આદિના અને અસ્વાધ્યાયાદિના સમયમાં જયારે વાચિક પરાવર્તન ન થઈ શકે ત્યારે અનુપ્રેક્ષાથી જ શ્રુતની સ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તનાથી સ્મૃતિનું વધારે ફળ છે. મન શૂન્ય ૨. નામથયારૂનું સંય, સમ.......... –દે. ભા. પૃ. ૩૨૦ 3. तत्र द्वे शते षष्ठ्यधिके नामस्तवदण्डके –દે. ભા. પૃ. ૩૨૦ सव्वलोए इत्यक्षरचतुष्कप्रक्षेपात् –દે. ભા. પૃ. ૩૨૦ थयथुइमंगलेणं भंते ! जीवे किं जणेइ ?, नाणदंसणचरित्तबोहिलाभं संजणइ, नाणदंसणचरित्तबोहिलाभसंपन्नेणं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ ॥१४॥ –ઉત્તરાયણસૂત્રબૃહવૃત્તિ, ૨૯મું અધ્યયન, ૫. ૫૭૪ આ. For Private & Personal Use'Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક હોય એટલે કે પરાવર્તનાના અર્થઆદિમાં ઉપયોગ રહિત હોય તો પણ પૂર્વઅભ્યાસના યોગે મુખ વડે પરાવર્તન સંભવે છે; પણ સ્મરણ તો મનની અવહિતવૃત્તિમાં જ થઈ શકે. મંત્ર આરાધન વગેરેમાં પણ સ્મરણથી જ વિશેષ પ્રકારે સિદ્ધિ થાય છે. કહ્યું છે કે –“અવરજવરવાળા સ્થાન કરતાં એકાંતમાં જપ કરવો શ્રેષ્ઠ છે; શાબ્દિક જપ કરતાં મૌન જપ અને મૌન જપ કરતાં માનસ જય શ્રેષ્ઠ છે. આમ (ઉત્તરોત્તર) જપ વધારે વધારે પ્રશંસનીય છે.”૧ . (૭)–૯. પરિમાણ જયારે એક અથવા તેથી વધારે લોગસ્સસૂત્રનો કાયોત્સર્ગ કરવાનો પ્રસંગ આવે ત્યારે એક લોગસ્સ સૂત્રની બરાબર ચાર નવકાર (લોગસ્સ સૂત્ર ન આવડતું હોય તો) ગણવાની પદ્ધતિ વર્તમાન કાળમાં પ્રચલિત છે. શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ ચાલીસ લોગસ્સસૂત્ર (વંસુ નિષ્કર્તયા સુધી) અને તેના ઉપર એક નવકારનો કાયોત્સર્ગ કરતી વેળા, તે (લોગસ્સસૂત્ર) ન આવડતું હોય તેને એકસો સાઠ નવકાર ગણવાના હોય છે. એક લોગસ્સસૂત્ર (વંદે, નિમત્તયા) સુધી ગણવાથી પચીસ શ્વાસોધ્વાસ થાય છે, જ્યારે નવકારના આઠ શ્વાસોચ્છવાસ ગણતાં ચાર નવકાર ગણવાથી બત્રીસ શ્વાસોચ્છવાસ થાય છે. આ પ્રથા ચાલુ છે, તેની અહીં નોંધ છે. (૭)–૧૦. તુલનાત્મક વિચારણા (5) લોગસ્સસૂત્રમાં જે બોધિલાભ ( બોદિતાનં) અને શ્રેષ્ઠ ભાવસમાધિ (સમદિવરમુN) ની યાચના કરવામાં આવી છે તે જ વાત “શ્રી જયવીયરાયસૂત્ર'ની ૪થી ગાથામાં समाहिमरणं च बोहिलाभो अ । संपज्जउ मह एअं। तुह नाह पणामकरणेणं ॥४॥ એ શબ્દો દ્વારા જણાવીને યાચના કરવામાં આવી છે. શ્રી વંદિતુ સૂત્રની ૪૭મી ગાથામાં પણ 'दितु समाहिं च बोंहिं च' | એ ચોથા પાદથી એ જ યાચના કરવામાં આવી છે. १. कायोत्सर्गादावस्वाध्यायिकादौ च परावर्तनाया अयोगेऽनुप्रेक्षयैव श्रुतस्मृत्यादि स्यात्, परावर्तनातश्च स्मृते रधिकफलत्वं, मुखेन परावर्त्तना हि मनसः शून्यत्वेऽप्यभ्यासवशात्, स्मृतिस्तुतमनसोऽवहितवृत्तावेव, मन्त्राराधनादावपि स्मृत्यैव विशेषसिद्धिः, यदभ्यधायिसङ्कुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । મનગમનસ: શ્રેણ, નાપ: રત્નાશ્ચઃ : પર: 1 –આચારપ્રદીપ ૫. ૮૯ આ. Page #133 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય શ્રીઅજિતશાંતિસ્તવ'ની આઠમી ગાથાના ચોથા ચરણમાં– 'संतिमुणी मम संतिसमाहिवरं दिसउ ।' થી પણ એ જ યાચના છે. (૩) દિગંબર જૈન સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન શ્રીકુંદકુંદાચાર્યે જે “ભક્તિ' નામની કૃતિઓ રચ્યાનું મનાય છે તે પૈકી “તિસ્થરમત્તિ’ માં શ્રીલોગસ્સસૂત્રની આદ્ય ગાથા સિવાયની ગાથાઓનો ભાવ સમાવિષ્ટ થયેલો જણાય છે. (૭)–૧૧. અનુવાદ લોગસ્સસૂત્રનો અનુવાદ ગુજરાતી, મરાઠી તેમ જ હિંદી ભાષામાં થયેલો જાણવામાં આવ્યો છે. તે ઉપરાંત જર્મન અને અંગ્રેજી ભાષામાં પણ તેનો અનુવાદ થયેલ છે. (૭)–૧૨. લોગસ્સસૂત્ર અંગે સાહિત્ય લોગસ્સસૂત્ર અંગે ઉલ્લેખો તથા વિવેચન નીચે દર્શાવેલા પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે – ગ્રંથનું નામ ગ્રંથકાર ૧. મહાનિસીહસુત્ત શ્રી સુધર્માસ્વામીગણધર ૨. ઉત્તરજઝયણસુત્ત શ્રી સુધર્માસ્વામીગણધર ૩. ચઉસરણપઈન્વય શ્રુતસ્થવિર ૪. આવસ્મયનિજુત્તિ શ્રી ભદ્રબાહુસ્વામી ૫. નંદિસુત્ત શ્રી દેવવાચક ૬. અણુઓગદ્દાર શ્રુતસ્થવિર ૭. આવસ્મયચષ્ણિ શ્રીજિનદાસગણિમહત્તર ૮. આવસ્મયભાસ શ્રીચિરંતનાચાર્ય ૯. આવયની હારિભદ્રીય ટીકા શ્રીહરિભદ્રસૂરિ ૧૦. લલિતવિસ્તરા શ્રીહરિભદ્રસૂરિ ૧૧. ચેઈયવંદણમહાભાસ શ્રી શાંતિસૂરિ ૧૨. યોગશાસ્ત્રવિવરણ શ્રી હેમચંદ્રસૂરિ ૧૩. દેવવંદનભાષ્ય શ્રીદેવેન્દ્રસૂરિ ૧૪. વદારવૃત્તિ શ્રીદેવેન્દ્રસૂરિ ૧૫. આચારદિનકર શ્રીવર્ધમાનસૂરિ ૧૬. ધર્મસંગ્રહ શ્રીમાનવિજયઉપાધ્યાય Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક (૭)–૧૩. પ્રતિક્રમણની પીઠ અને તેનું દઢીકરણ પ્રતિક્રમણના છ આવશ્યક અંગે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાયભગવંત શ્રીમદ્ યશોવિજયજી મહારાજ નીચે મુજબ જણાવે છે – પડિક્કમણાનાં છ આવશ્યક કર્મનાં નામ લિખીઈ છઈ. ૧. દોષસંગ્રહ, ૨. આલોચના, ૩. પ્રતિક્રમણ, ૪. ક્ષામણવિધિ, ૫. વ્રણચિકિત્સા, ૬. ગુણધારણા. तेन प्रथमकर्मणि आत्मसाक्षिकदोषालोचनया दोषङ्ग्रहः कार्यः । यतीनां 'सयणासण'થયા લોપ ર્ય: ! .........શ્રાવિન તુ કષ્ટ થયા છે તેન – પ્રતિમUપä શતમ્ | पीठदाढार्थचतुर्विंशतिस्तवः पठनीयः ॥१॥' અર્થ :– તેથી પ્રથમ આવશ્યકકર્મમાં આત્મસાક્ષીએ દોષોની આલોચના કરવા પૂર્વક દોષસંગ્રહ કરવો જોઈએ. સાધુઓએ “સયાસા' એ ગાથા વડે દોષસંગ્રહ કરવો જોઈએ. જ્યારે શ્રાવકે તો (‘નાઇifમ હંમifમ અ' વગેરે) આઠ ગાથા વડે. આ રીતે પ્રતિક્રમણનું પીઠ બતાવ્યું. પીઠની દઢતા માટે ચતુર્વિશતિસ્તવ બોલવો જોઈએ. ગૂર્જરસાહિત્યસંગ્રહ, ભાગ ૨ જો. પૃ. ૧૧૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ [૮] તપ ઉપધાન શ્રીલોગસ્સસૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા માટે વિનયોપધાનની વિધિ હે ગૌતમ ! એકાન્તિક, આત્યન્તિક, પરમશાશ્વત, ધ્રુવ, નિરંતર એવા સર્વોત્તમ સુખના આકાંક્ષીએ સૌથી પ્રથમ આદરપૂર્વક સામાયિકથી માંડીને લોકબિન્દુ (ચૌદમું પૂર્વ) સુધીના બાર અંગ પ્રમાણના શ્રુતજ્ઞાનનું કાલ લક્ષ્યમાં રાખીને તથા આયંબિલ વગેરે વિધિપૂર્વક ઉપધાનથી હિંસા વગેરેનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરીને સ્વર-વ્યંજન-માત્રા-બિંદુ-પદ તથા અક્ષર જરા પણ, ન્યૂન ન આવે એવી રીતે, પદચ્છેદ, ઘોષબદ્ધતા, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી તથા અનાનુપૂર્વીથી ખૂબ વિશુદ્ધ રીતે તેમ જ ભૂલ્યા વિના એકાગ્રતાપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ.” ઉપરનાં વાક્યો દ્વારા ચરમતીર્થપતિ શ્રીમહાવીરભગવંત શ્રીમહાનિસીહસુત્તમાં શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધ સૂત્ર અંગે જે નિર્દેશ કરે છે તે લોગસ્સસૂત્રના વિનય-ઉપધાનને પણ તેટલો જ લાગુ પડે છે. તેની વિધિ દર્શાવતાં તે પરમોપકારી પરમેશ્વર જણાવે છે કે : ‘સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચન્દ્રબલ હોય ત્યારે, * કોઈ પણ સૂત્રનું અધ્યયન કરતાં પૂર્વે તે સૂત્રનું અધ્યયન કરવાની ગુરુમહારાજ પાસેથી અનુજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. તે સિવાય તે સૂત્રનું અધ્યયન કરવાનો જૈનશાસ્ત્રોમાં નિષેધ છે. તે અનુજ્ઞા મેળવવા માટે અમુક અમુક પ્રકારનાં તપ તથા અમુક અમુક પ્રકારની ક્રિયાઓ નિર્મીત સમયપર્યત કરવાની હોય છે અને એ રીતે તે તે સૂત્રો માટે નિર્ણત કરેલ સમયપર્યન્ત કરાતી ક્રિયા તપ વગેરેને ઉપધાન કહેવામાં આવે છે. લોગસ્સસૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા મેળવવા માટે પણ આ રીતના ઉપધાન કરવાં જરૂરી ગણાયાં છે અને તેની વિધિ ઉપર મુજબ શાસ્ત્રકારોએ દર્શાવી છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ તપ ઉપધાન જાતિ વગેરે આઠ મદ તથા આશંકાઓથી રહિત બનીને, ભક્તિ અને બહુમાન પૂર્વક, નિયાણા` વિના ત્રણ ઉપવાસ પ્રમાણ તપ કરીને, જિન ચૈત્યમાં, જંતુરહિત પ્રદેશમાં, ભક્તિથી સભર બનીને, નતમસ્તકે, પ્રફુલ્લિત રોમરાજિ, વિકસિત વદનકમળ, પ્રશાંત, સૌમ્ય અને સ્થિરદૃષ્ટિ, નવાનવા સંવેગથી ઉછળતા, અત્યંત, નિરંતર અને અચિત્ત્વ એવા શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત આત્મવીર્ય અને પ્રતિસમય વૃદ્ધિ પામતા પ્રમોદથી વિશુદ્ધ, નિર્મળ, સ્થિર અંતઃકરણવાળા બનીને સહિત, ૭૧ જમીન ઉપર બે ઢીંચણ, બે કરકમલ તથા મસ્તક સ્થાપીને અંજલિપુટ રચીને ધર્મતીર્થંકરોના બિંબ પર દૃષ્ટિ તથા મનને સ્થિર કરીને દૃઢ ચારિત્ર્ય વગેરે ગુણ સંપદાથી અબાધિત ગુરુના મુખમાંથી નીકળેલ તેમના સંતોષ તથા કૃપાથી મળેલ. સંસારસમુદ્રની અંદર નૌકા સમાન, મિથ્યાત્વના દોષથી નહીં હણાયેલ વિશિષ્ટ બુદ્ધિવાળા ગણધરભગવંતોએ રચેલ, સાત ગાથા પરિમાણવાળા શ્રીલોગસ્સસૂત્રની ચાર પદ અને બત્રીસ અક્ષર પ્રમાણવાળી પ્રથમ ગાથાનું અધ્યયન ત્રણ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ. એટલે કે મોટા વિસ્તારથી અત્યંત સ્ફુટ, નિપુણ અને શંકારહિતપણે સૂત્ર તેમ જ અર્થોને અનેક પ્રકારે સાંભળીને અવધા૨ણ ક૨વા જોઈએ. ત્યાર બાદ બીજી, ત્રીજી અને ચોથી ગાથાનું અધ્યયન છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ. તે જ પ્રમાણે પાંચમી, છઠ્ઠી તથા સાતમી ગાથાનું અધ્યયન સાડા છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ. આ રીતે વિધિપૂર્વક લોગસ્સસૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત કરવાનો નિર્દેશ કરતો પાઠ ‘સિરિમહાનિસીહસુત્ત' માં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે — चवीसत्थयं एगेणं छट्टेणं, एगेणं चउत्थेणं पणवीसाए आयंबिलेहिं । — सिरिमहानिसीहसुत्त જે કોઈ આ રીતે અન્ય સર્વ કહેલી વિધિઓનું અતિક્રમણ કર્યા વિના ઉપધાન તપને કરે ૧. આલોક અને પરલોકના સુખોની માગણી તે નિયાણું. પાદનોંધ— જગદ્ગુરુ આચાર્ય શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજીમહારાજ દરરોજ લોગસ્સસૂત્રની નવકારવાળી ગણતા હતા. એવો ઉલ્લેખ ‘હીરવિજયસૂરિરાસ'માં ઉપલબ્ધ થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૨ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય છે તે પ્રિયધર્મી, દઢધર્મી, એકાંત ભક્તિયુક્ત, સૂત્ર અને અર્થની અંદર અનુરાગી મનવાળો, શ્રદ્ધા તથા સંવેગથી યુક્ત બનેલો, ભવરૂપી કારાવાસમાં ગર્ભવાસની અનેકવિધ પીડાઓને વારંવાર પામતો નથી.” જપમાલિકા : લોગસ-સૂત્રના ઉપધાન દરમ્યાન દરરોજ સંપૂર્ણ લોગસ્સસૂત્રનો જપ, માળાના ત્રણ આવર્તન દ્વારા કરવાનો હોય છે. તેથી દરરોજ ૩૨૪ વાર લોગસ્સ સૂત્રનું સ્મરણ થાય છે અને ઉપધાનના ૨૮ દિવસોમાં એકંદર ૯૦૭૨ વાર સ્મરણ થાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ [૯] લોગસ્સસૂત્રની દેહરચના ૧. ભાષા–લોગસ્સસૂત્ર એ આવશ્યકસૂત્રોનો એક અંશ હોવાથી એની ભાષા અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત છે. દિગંબરો પણ આ સૂત્રને ભાષાના ભેદ સિવાય તે જ સ્વરૂપમાં સ્વીકારે છે અને તેનો પાઠ આ ગ્રંથના “પરિશિષ્ટવિભાગમાં આપવામાં આવ્યો છે. ૨. છંદ–લોગસ્સસૂત્રની ગાથાઓનો છંદની દષ્ટિએ વિચાર કરીએ તો પ્રથમ પદ્ય ‘સિલોગ” છંદમાં છે અને બાકીનાં છ પદ્યો “ગાહા' છંદમાં છે. ૩. પદ્યાત્મક રચના–લોગસ્સસૂત્ર સર્વાશે પદ્યાત્મક રચના છે. તેમાં એકંદર સાત પઘો છે. આ પઘોને સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિએ આવસ્મયનિષુત્તિ ઉપરની પોતાની વૃત્તિમાં ‘સૂત્રગાથા' રૂપે દર્શાવ્યા છે. ૪. પારિભાષિક શબ્દો–છંદોની વિચારણા કરવામાં કેટલાક પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો અર્થ નીચે મુજબ સમજવો ઘટે છે – માત્રા–છંદોને માપવાનો એક પ્રકાર-ઘટક. હૃસ્વની માત્રા એક ગણાય છે અને દીર્ઘની માત્રા બે ગણાય છે. ગણ—અક્ષર કે માત્રાના સમુદાયને ગણ કહે છે. આવા ગણો બે પ્રકારના છે– અક્ષરગણ અને માત્રાગણ. ચતુષ્કલ–ચાર માત્રાનો ગણ. પાદ–ચરણ, શ્લોકનો ચોથો ભાગ. પૂર્વાદ્ધ–શ્લોકનો ઉપરનો અર્ધો ભાગ એટલે કે પ્રથમના બે પાદો. ઉત્તરાદ્ધ–શ્લોકનો નીચેનો અર્ધો ભાગ એટલે કે નીચેના બે પાદો. ઉત્થાપનિકા–છંદ જાણવા માટે અક્ષર-ગણ કે માત્રા-ગણનો મેળ કેવી રીતે બેસે છે તે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭૪ દર્શાવનારી ીતિ. (૫) સિલોગ—સિલોગ એ પ્રાકૃત ભાષાનો અતિપ્રાચીન છંદ છે, કારણ કે જૈનાગમોમાં તે ઘણે સ્થળે વપરાયેલો છે. પ્રથમ તેનાં ત્રણ ચરણો આઠ અક્ષરનાં અને ચોથું ચરણ આઠ કે નવ અક્ષરનું રહેતું. લોગસ્સસૂત્ર સ્વાધ્યાય શ્રીઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર વગેરેમાં નવ અક્ષરવાળા ઘણા શ્લોકો નજરે પડે છે. નમસ્કાર-મહામંત્રની ચૂલિકામાં પણ ચોથું ચરણ નવ અક્ષરનું છે. પછીના કાલમાં તેનાં ચારે ચરણો આઠ અક્ષરનાં જ હોવાં જોઈએ તેવો ક્રમ સ્થિર થયેલો જણાય છે. ત્યાર પછી તેમાંનો પાંચમો અક્ષર લઘુ તથા છઠ્ઠો ગુરુ હોવો જોઈએ, તેવું ધોરણ સ્થાપિત થયેલું જણાય છે. ચવીસત્થય અથવા લોગસ્સસૂત્રની પહેલી ગાથાનાં ચારે ચરણો આઠ અક્ષરોવાળાં છે, પણ તેમાં પાંચમો લઘુ નથી અને છઠ્ઠો ગુરુ નથી. એટલે આ સુધારો પાછળથી થયો છે તેમ માનવાને કારણ મળે છે. પરંતુ આ ધોરણમાં પણ કાલક્રમે સુધારો થયો છે અને તેના બીજા તથા ચોથા પાદનો સાતમો અક્ષર લઘુ રાખવો તેવું ધોરણ સ્વીકારાયેલું છે. ભેદ-વિશેષથી અનુષ્ટુપ્ છંદોનો સમુદાય અસંખ્ય છે. તેમાં લક્ષ્ય અનુસાર શ્રવ્યતાની પ્રધાનતા જાણવી. તાત્પર્ય કે સાંભળવામાં મધુર લાગે તે પ્રમાણે અક્ષ૨-યોજના કરવી. સિલોગ અથવા શ્લોકનું સ્વરૂપ કાલક્રમે પરિવર્તન પામ્યું છે. પરંતુ જેમાં ચાર ચરણ આઠ અક્ષરનાં હોય તે અહીં છે અને તે પહેલી ગાથાને લાગુ પડે છે. સંસ્કૃત સાહિત્યમાં અષ્ટાક્ષરી વૃત્તને અનુષ્ટુપ્ની ાજિત ગણવામાં આવે છે અને તેના ૨૫૬ ભેદો મનાય છે. અહીં સિલોગ કયા ભેદનો નિર્દેશ કરે છે, તે દર્શાવવું બહુ કઠિન છે. સિલોગ છંદના ભેદો અનેક હોવાથી તેના બોલવા અંગે છંદવદો કંઈ જણાવતા નથી, પરંતુ સાંભળવામાં મધુર લાગે તે પ્રમાણે બોલી શકાય છે. (૬) ગાહા——ગાહા એ પણ પ્રાકૃત ભાષાનો અતિપ્રાચીન છંદ છે અને તે જૈન આગમોમાં તથા અન્ય સૂત્રાદિમાં મહર્ષિઓ દ્વારા વિપુલ પ્રમાણમાં વપરાયેલો હોવાથી પવિત્ર મનાય છે સંસ્કૃતસાહિત્યમાં તેને આર્યા-છંદ કહે છે. સર્વ ગાહા-ગાથાઓનાં સોળ અંશ (ભાગ) અવશ્ય કરવા. તેમાં તેર અંશ ચતુર્માત્રાવાળા, બે અંશ બે માત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળો કરવો. સાત શરો (ચતુર્માત્રાવાળા અંશો કે ગણો) કમલાંત એટલે દીર્ઘાન્ત ક૨વા. છઠ્ઠો શ૨ નભ ગણ એટલે જગણ (। ડ ।) અથવા સર્વ લઘુ અક્ષરવાળો કરવો અને વિષમ એટલે પહેલો, ત્રીજો, પાંચમો અને સાતમો ગણ જગણ રહિત કરવો. ગાહાના બીજા અર્ધમાં છઠ્ઠો અંશ લધુ હોવો જોઈએ. Page #140 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્રની દેહરચના ૭૫ ગાહાના આ લક્ષણને ધ્યાનમાં લેતાં તેમાં પૂર્વાર્ધ્વ અને ઉત્તરાદ્ધ એવા બે વિભાગો જણાય છે, પરન્તુ પાછળના છંદશાસ્ત્રીઓએ તેનાં ચાર ચરણો કલ્પીને તેનું લક્ષણ સ્થાપ્યું છે. પહેલા ચરણમાં બાર માત્રા, બીજા ચરણમાં અઢાર માત્રા, ત્રીજા ચરણમાં પહેલાનાં જેટલી જ એટલે બાર માત્રા અને ચોથા ચરણમાં પંદર માત્રા. એ ગાહાનું લક્ષણ છે. ગાહા બોલવા અંગે છંદશાસ્ત્રીઓનું સૂચન એવું છે કે—પહેલું પાદ હંસની પેઠે ધીમેથી બોલવું, બીજું પાદ સિંહની ગર્જનાની પેઠે ઊંચેથી બોલવું, ત્રીજું પાદ ગજગતની જેમ લલિતપણે ઉચ્ચારવું અને ચોથું પાદ સર્પની ગતિની જેમ ડોલતાં ગાવું. ૧ સિલોગના તથા ગાહાના ઉપર્યુક્ત લક્ષણો લોગસ્સસૂત્રની સાત ગાથાઓને કેવી રીતે લાગુ પડે છે તે જોઈએ. ૧. પહેલું પાદ માત્રા ગણ વર્ણ સંખ્યા બીજું પાદ માત્રા ગણ વર્ણ સંખ્યા ત્રીજું પાદ માત્રા ગણ વર્ણ સંખ્યા ૭—પહેલી ગાથાની ઉત્થાપનિકા છંદ-સિલોગ लोग स्स उ ज्जो अ ग रे ૐ ન » ૩। । જી ૪ । ૐ ૪ ન È | | ન | જી જે છું ! ।TM | રä 1 = E । ગા ગા લ ગા ગા લ લ ગા ૬ ૭ ૮ धम्मति त्थय रें जिणे ગા લ ગા લ લ ' 4 ૨ ૩ ૪ ૫ માત્રા ગણ વર્ણ સંખ્યા ૧ ૨ ૩ ૪ ૫ ચોથું પાદ ૨ ૩ ૪ ૫ J & च उ वी ગાલ ગા हं ते कि त इ स्सं લ લ ગા ગા ગા લ ગા ગા ૬ ૭ ૮ જે જ ૬ ૭ ૮ લ લ ગા ગા લ ગાલ ગા ૧ ૩ ૪ ૫ ૬ ૭ ૮ વિશ્વ વસ્તી || पढमं वी (मि) हंसपअं, बीए सिंहस्स विक्कमं जाओ । તૌ (ત) છુ ાઅવર-તુ(ત)તિયં, અદ્દિવરસ્તુતિએ વત્થ હીં || પ્રાકૃતપિંગલ, સૂત્ર ૫૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આ ગાથાના ચારે ચરણો આઠ આઠ અક્ષરોનાં છે. સિલોગ છંદ એ અનુરુપ છંદનો એક ભેદ છે. તેમાં પહેલા તથા ત્રીજા પાદનો પાંચમો અક્ષર ગુરુ તથા છઠ્ઠો અક્ષર લઘુ છે અને બીજા તથા ચોથા પાદનો પાંચમો અક્ષર લઘુ તથા છઠ્ઠો અક્ષર ગુરુ છે તથા તેમાં પહેલા બીજા તથા ચોથા પાદનો સાતમો અક્ષર લઘુ છે અને ત્રીજા પાદનો સાતમો અક્ષર ગુરુ છે. ભેદ વિશેષથી અનુછુપ છંદોનો સમુદાય અસંખ્ય છે. તેમાં લક્ષ્ય અનુસાર શ્રવ્યતાની પ્રધાનતા જાણવી. તાત્પર્ય કે સાંભળવામાં મધુર લાગે તે પ્રમાણે અક્ષર યોજના હોય છે. આ અનુપુનો કયો ભેદ છે, તે નિર્ણયાત્મક રીતે દર્શાવી શકાતું નથી. ૮–બીજી ગાથાની ઉત્થાનિકા છંદ-હંસી નામની ગાહા પહેલું પાદ જ | માત્રા ગણ ૩ સ મ મ ન ૩ – – – – – – – – – લ લ લ સ લ ગા લ ગા ગા – – – – – – ચતુ + ચતુ + ચ ૧ ૨ ૩ = ૧૨ માત્રા ગણની જાત ગણની સંખ્યા બીજું પાદ નં ૫ - fમ ાં ૨ – – – – – – – – – ગા લ લ વ લ ગા લ ગા લ મ હું – – – લ લ ગા માત્રા ગણ ગા ગણની જાત ચતુ + ચતુ + ચતુ + ચતુ + ગુરુ = ૧૮ માત્રા ૪ ૫ ૬ ૭ ગણની સંખ્યા (ચાલુ) ૧ 5 ત્રીજું પાદ प उ म- – – – લ લ ગા ૧૦ प्प हं सु- पा – – – – લ ગા લ ગા सं – ગા માત્રા ગણ ગણની જાત ચતુ + ચતુ – ૯ + ચતુ = ૧૨ માત્રા – ૧૦ ગણની સંખ્યા (ચાલુ) ૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્રની દેહરચના ૭૭ ચોથું પાદ ૧૨ ઉન ૧૩ ૧૪ ૧૫ ૧૬ ચં ૨ v રું વં રે /રા | | માત્રા ગણ લ ગા લ ગા ગા લ ગા ગા ગા ગણની જાત ચતુ + ચતુ+લઘુ + ચતુ+ ગુરુ= ૧૫ માત્રા ગણની સંખ્યા ૧૧ ૧૨ ૧ ૧૩ ૨ (ચાલુ) લોગસ્સસૂત્રની આ બીજી ગાથા છે. તેના સોળ અંશો કરવામાં આવ્યા છે. નિર્દિષ્ટ ગણાંક ઉપરથી તેમાં તેર ચતુષ્કલો, બે ગુરુ અને એક લઘુ છે. તેમાં સાત ચતુષ્કલો અને બે અંશો એટલે કે નવ અંશો દીર્ધાન્ત છે. ગાથાના પૂર્વાર્ધનો છઠ્ઠો અંશ જગણ છે અને ઉત્તરાર્ધનો છઠ્ઠો અંશ એટલે કે માત્રાનો ચૌદમો અંશ લઘુ છે. આ ગાથામાં બાર અનુસ્વાર હોવાથી મનોહરા કહેવાય છે અને ૨૧ લઘુ અને ૧૮ ગુરુ છે એટલે તે “હંસી' નામની ગાહા છે. ૯–સ્ત્રીજી ગાથાની ઉત્થાપનિકા છંદ-લક્ષ્મી નામની ગાહા ૧ ૨ - ૩ પહેલું પાદ સુ વિ થિં ચ " $ હું તે – – – – – – – – માત્રા ગણ લ લ ગા લ ગા લ ગા ગા ગણની જાત ચતુ + ચતુ + ચતુ = ૧૨ માત્રા ગણની સંખ્યા બીજું પાદ ની 5 ન - સિ નં -- ૪ વા - - - - - - - - ગા લ લ ગા ગા લ ગા લ - ૫ નં - - - ગા ગા ગા માત્રા ગણ ગણની જાત ચતુ + ચતુ + ચતુ + ચતુ+ ગુરુ=૧૮ માત્રા ગણની સંખ્યા ૪ (ચાલુ) Page #143 -------------------------------------------------------------------------- ________________ ७८ લોગસ્સસુત્ર સ્વાધ્યાય ત્રીજું પાદ વિ મ ન ૫ - – – લ લ ૧૦ તે – ગા – ગા નિ – – લ લ ૧૧ vi – ગા માત્રા ગણ ગણની જીત ચતુ + ચતુ + ચતુ = ૧૨ માત્રા ગણની સંખ્યા (ચાલુ) ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ઘ + + તિં ા f Iરૂા ચોથું પાદ | માત્રા ગણ ગા ગા ગા ગા લ 9 ગા ગા ગા ગણની જાત ચતુ + ચતુ + લઘુ + ચતુ + ગુરુ = ૧૫ માત્રા -- -- - - - ગણની સંખ્યા ૧૧ ૧૨ ૧ ૧૩ ૨ (ચાલુ) લોગસ્સસૂત્રની આ ત્રીજી ગાથા છે. તેના સોળ અંશો કરવામાં આવ્યા છે, નિર્દિષ્ટ ગણાંક ઉપરથી તેમાં તેર ચતુષ્કલો, બે ગુરુ અને એક લઘુ છે. તેમાં નવ ચતુષ્કલો અને બે અંશો એટલે કે ૧૧ અંશો દીર્ધાત છે. ગાથાના પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જગણ છે અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ એટલે કે માત્રાનો ચૌદમો અંશ લઘુ છે. આ ગાળામાં બાર અનુસ્વાર હોવાથી મનોહરા કહેવાય છે અને ૧૫ લઘુ તથા ૨૧ ગુરુ છે, એટલે તે લક્ષ્મી નામની ગાહા છે. ૧-ચોથી ગાથાની ઉત્થાપનિકા - છંદમાધવી નામની ગાહા પહેલું પાદ શું શું મ – – – ગા ગા હું – લ ૪ ૫ – – ગા લ &િ – ગા માત્રા ગણ ગા ગણની જાત ચતુ + ચતુ + ચતુ = ૧૨ માત્રા ગણની સંખ્યા ૧ ૨ ૩ Page #144 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્રની દેહરચના બીજું પાદ માત્રા ગણ માત્રા ગણ ગણની જાત ગણની સંખ્યા (ચાલુ) ચોથું પાદ માત્રા ગણ ૪ वं । ગણુની જાત ચતુ + ગણની સંખ્યા (ચાલુ) ત્રીજું પાદ o ગા ગા ૪ । æ ૭ હૈં । ર ગા ગા ८ ચતુ ગણની જાત ગણની સંખ્યા ૧૧ (ચાલુ) ૧૦ वं दा मिरिट्ठ ૧૨ पा सं ૫ मु णि सु લ લ ગા ચતુ + ચતુ લ ગા લ + ચતુ પ ગા ગા લ લ ગા ચતુ ૧૨ + ૧૩ ૧૪ त ह व द्ध ૐ । ગા ગા દ ૭ व्व यं न मि जिणं ૧૧ नेमिं ૪ । ૐ ૧૦ ૧ લ ગા લ ચતુ ૬ + ચતુ = ૧૨ માત્રા । ગા ગા ગા | જી ૧૫ ૧૬ મા ાં ત્રાકા ૧૩ ૨ લ લ ગા ગા ་FI + ચતુ + ગુરુ=૧૮ માત્રા ૭ + લઘુ + ચતુ + ગુરુ = ૧૫ માત્રા ૧ ८ | | ૭૯ લોગસ્સસૂત્રની આ ચોથી ગાથા છે, તેના ૧૬ અંશો કરવામાં આવ્યા છે. નિર્દિષ્ટ ગણાંક ઉપરથી તેમાં તેર ચતુષ્કલો, બે ગુરુ અને એક લઘુ છે તેમાં ૧૦ ચતુષ્કલો અને બે અંશો એટલે કે બાર અંશો દીર્ઘાત છે. ગાથાના પૂર્વાર્ધનો છઠ્ઠો અંશ જગણ છે અને ઉત્તરાર્ધનો છઠ્ઠો અંશ એટલે કે માત્રાનો ચૌદમો અંશ લઘુ છે. આ ગાથામાં અગિયાર અનુસ્વાર હોવાથી મનોહરા કહેવાય છે અને ૧૩ લઘુ તથા ૨૨ ગુરુ છે, એટલે તે ‘માધવી' નામની ગાહા છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ८० પહેલું પાદ માત્રા ગણ ગણની જાત ગાની સંખ્યા બીજું પાદ માત્રા ગણ ગુણની જાત ગણની સંખ્યા (ચાલુ) ત્રીજું પાદ માત્રા ગણ ગણની જાત ગણની સંખ્યા (ચાલુ) æ ! 4 ° ૧૧—પાંચમી ગાથાની ઉત્થાપનિકા છંદ—જાહ્નવી નામની ગાહા ए वं ગા ગા ચતુ ૧ ચતુ મ विहु यर મ લ લ લ લ છુ ” | ૨ म ए अ લ ગા લ + ચતુ ચતુ च उ वी । ૐ । + ૨ + × → F | | यम ला ચતુ + ૩ भि थु आ + ૧ ૯ ગા લ લ ગા ગા લ લ ચતુ ૧ લ ગા | ૭ ચતુ = ૧૨ માત્રા ૩ ૬ ૭ प ही ण ज र म र લ ગા લ ૧૦ सं पिजि ण व रा + ચતુ 5 । ૧૧ | | લલ ગા 1 8 । ă લોગસ્સસૂત્ર સ્વાધ્યાય + ચતુ = ૧૨ માત્રા 1 ૧ ૧ ૧ ૧ ગા ૭ + ચતુ+ ગુરુ=૧૮ માત્રા ET ૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્રની દેહરચના ચોથું પાદ ૧૨ તિ સ્થ ય – – – ગા ગા લ ૧૩ ર છે – – લ ગા ૧૪ ૧૫ ૧૬ ઇ સી યં તુ Inઝા – – – – લ ગા ગા ગા માત્રા ગણ ગણની જાત ચતુ + ચતુ + લઘુ + ચતુ + ગુરુ = ૧૫ માત્રા ગણની સંખ્યા ૧૧ ૧૨ ૧ ૧૩ ૨ (ચાલુ) લોગસ્સસૂત્રની આ પાંચમી ગાથા છે. તેના સોળ અંશો કરવામાં આવ્યા છે, નિર્દિષ્ટ ગણાંક ઉપરથી તેમાં તેર ચતુષ્કલો બે ગુરુ અને એક લઘુ છે. તેમાં છ ચતુષ્કલો અને બે અંશો એટલે કે આઠ અંશો દીર્ધાત છે. ગાથાના પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જગણ છે અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ એટલે કે માત્રાનો ચૌદમો અંશ લઘુ છે. આ ગાથામાં અગિયાર અનુસ્વાર હોવાથી મનોહરા કહેવાય છે અને ૨૫ લઘુ અને ૧૬ ગુર છે એટલે તે “જાહ્નવી’ નામની ગાહા છે. ૧૨–છઠ્ઠી ગાથાની ઉત્થાપનિકા છંદ-લક્ષ્મી નામની ગાહા પહેલું પાદ શિ ત્તિ ૨ - વે દિ ય - ૫ દિ થી – – – – – – – – – ગા લ લ ગા લ લ લ ગા માત્રા ગણ ગણની જાત ચતુ + ચતુ + ચતુ = ૧૨ માત્રા ગણની સંખ્યા ૧ » બીજું પાદ जे ए – – ગા ગા लोग स्स उ त्त मा सि – – – –– - - ગા ગા લ ગા લ ગા ગા द्धा - ગા માત્રા ગણ ગણની જાત ચતુ + ચતુ + ચતુ + ચતુ + ગુરુ = ૧૮ માત્રા ગણની સંખ્યા ૪ (ચાલુ) Page #147 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ત્રીજું પાદ ૯ આ – – ગા ગા ૧૦ જ વો દિ – – – લ ગા લ ૧૧ ના મં – – ગા ગા માત્રા ગણ ગણની જાત ચતુ + ચતુ + ચતુ = ૧૨ માત્રા ૮ ૯ ૧૦ ગણની સંખ્યા (ચાલુ) ચોથું પાદ ૧૨ સ મ હિ – – – લ ગા લ ૧૩ વ ર – – – લ લ ગા ૧૪ ૧૫ ૧૬ 7 F fહં તુ ભદ્દા. – – – – લ ગા ગા ગા માત્રા ગણ ગણની જાત ચતુ + ચતુ + લઘુ + ચતુ + ગુરુ = ૧૫ માત્રા ગણની સંખ્યા ૧૧ (ચાલુ) લોગસ્સસૂત્રની આ છઠ્ઠી ગાથા છે. તેના સોળ અંશો કરવામાં આવ્યા છે. નિર્દિષ્ટ ગણાંક ઉપરથી તેમાં તેર ચતુષ્કલો, બે ગુરુ અને એક લઘુ છે. તેમાં સાત ચતુષ્કલો અને બે અંશો એટલે કે નવ અંશો દીર્ધાત છે. ગાથાના પૂર્વાર્ધનો છઠ્ઠો અંશ જગણ છે અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ એટલે કે માત્રાનો ચૌદમો અંશ લઘુ છે. આ ગાથામાં ચાર અનુસ્વાર હોવાથી મનોહરા કહેવાય છે અને પંદર લઘુ અને એકવીસ ગુરુ છે, એટલે તે “લક્ષ્મી નામની ગાહા છે. ૧૩–સાતમી ગાથાની ઉત્થાપનિકા છંદ–વિદ્યુત નામની ગાહા ૧ ૨ પહેલું પાદ ચં રે સુ નિ જ ન જ રા – – – – – – – – માત્રા ગણ ગા ગા લ ગા લ લ લ ગા ગણની જાત ચતુ + ચતુ + ચતુ = ૧૨ માત્રા ગણની સંખ્યા ૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્રની દેહરચના ૮૩ प या માત્રા ગણ ગા ગા ગા લ લ લ ગા લ ગા લ લ ગા ગણની જાત ચતુ + ચતુ + ચતુ + ચતુ + ગુરુ = ૧૮ માત્રા ગણની સંખ્યા ૪ ૫ ૬ ૭ ૧ (ચાલુ) ત્રીજું પાદ ૯ સ મ ર – – – ગા લ લ ૧૦ ર જ – – – બ લ ગા ૧૧ ભી રા – – ગા ગા માત્રા ગણ ગણની જાત ચતુ + ચતુ + ચતુ = ૧૨ માત્રા ગણની સંખ્યા (ચાલુ) ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ સિ પદ્ધિ સિદ્ધિ મ મ ર સ તુ Iછા ચોથું પાદ માત્રા ગણ ગા ગા ગા ગા લ લ લ ગા ગા ગણની જાત ચતુ + ચતુ + લઘુ + ચતુ + ગુરુ = ૧૫ માત્રા ગણની સંખ્યા ૧૧ ૧૨ ૧ ૧ ૩ ૨ (ચાલુ) લોગસ્સસૂત્રની આ સાતમી ગાથા છે. તેના સોળ અંશો કરવામાં આવ્યા છે. નિર્દિષ્ટ ગણાંક ઉપરથી તેમાં તેર ચતુષ્કલો, બે ગુરુ અને એક લઘુ છે. તેમાં સાત ચતુષ્કલો અને બે અંશો એટલે કે દશ અંશો દીર્ધાત છે. ગાથાના પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જગણ છે અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ એટલે કે માત્રાનો ચૌદમો અંશ લઘુ છે. આ ગાળામાં પાંચ અનુસ્વાર હોવાથી મનોહરા છે અને ૧૭ લઘુ અને ૨૦ ગુરુ છે, એટલે તે ‘વિદ્યુત' નામની ગાહા છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૮૪ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય “સિરિમહાનિસીહસુત્ત'માં સૂત્રકાર ભગવતે જણાવ્યું છે કે – સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ તથા અક્ષર જરા પણ ન્યૂન ન આવે એવી રીતે પદચ્છેદ, ઘોષબદ્ધતા, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી તથા અનાનુપૂર્વીથી ખૂબ વિશુદ્ધ રીતે તેમ જ ભૂલ્યા વિના એકાગ્રતાપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ.' | ‘અણુઓગદારસુત્તમાં દ્રવ્યાવશ્યક કોને કહેવાય ? એ વસ્તુના પ્રસંગમાં “સૂત્ર કેવી રીતે ઉચ્ચારવું જોઈએ તે દર્શાવતાં સૂત્રકારે જણાવ્યું છે કે – ગુરુએ ઉદાત્ત વગેરે ઘોષો જેવી રીતે કહ્યા હોય તેવી જ રીતે શિષ્ય બોલવા જોઈએ. તે “ઘોષસમ' કહેવાય છે અને તે પછી જ્યારે તેનું પરાવર્તન કરવામાં આવે ત્યારે પણ તે ઉદાત્તાદિ ઘોષોથી અવિક રીતે પરાવર્તન કરવું જોઈએ. તે “પ્રતિપૂર્ણઘોષ' કહેવાય છે.” લોગસ્સસૂત્રના એક શ્લોકમાં અક્ષર મેળની તથા છ ગાથામાં માત્રા મેળની રચના કેવી સુંદર રીતે કરવામાં આવી છે તે આ પ્રકારે પિંગળની દૃષ્ટિએ ઉત્થાપનિકા પૂર્વક અભ્યાસ કરવાથી સમજાય તે હેતુથી તે રજૂ કરવામાં આવી છે. સૂત્રના ઉચ્ચારણ માટે જે અપેક્ષા રાખવામાં આવે છે તે આનાથી સુગમ થશે તેવી આશા છે. १. सर-वंजण-मत्ता-बिन्दु-पयक्खराणूणगं पयच्छेदघोसबद्धयाणुपुट्वि पुव्वाणुपव्वि(पच्छाणुपुव्वि) अणाणुपुव्वीए સુવિશુદ્ધ સોવિUT Uત્તે વિન્નેય ! –-સિરિમહાનિસીહસુત્ત (નમસ્કારસ્વાધ્યાય, પ્રા.વિ.) પૃ. ૩૭. घोषा उदात्तादयः तैर्वाचनाचार्याभिहित-घोषैः समं घोषसमं, यथा गुरुणा अभिहिता घोषास्तथा शिष्योऽपि यत्र શિક્તિ તત પોષસમfમતિ ભાવ: .... ........ ૩ાાઃિ ધોવૈરવિ « પ્રતિપૂfધોષમ્ ... घोषसममिति शिक्षाकालमधिकृत्योक्तं प्रतिपूर्णघोषं तु परावर्तनादिकालमधिकृत्येति विशेष: અણુઓગદારસુત્ત ૫. ૧૫ આ. Page #150 -------------------------------------------------------------------------- ________________ [૧૦] પંચષઠિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો પંચષદ્ધિયંત્રોની રચના : લોગસ્સસૂત્રમાં જે રીતે ચોવીસ તીર્થંકરભગવંતોની નામનિર્દેશપૂર્વક સ્તવના કરવામાં આવેલ છે તેવી જ રીતે ચોવીસ તીર્થંકરભગવંતો તેમ જ પચીસમા તીર્થકર તરીકે શ્રીસંઘને ગણી તેમની સ્તવના કરતાં સ્તોત્રો પ્રાચીન મહામુનિવરોએ નિર્મિત કરેલાં છે. તદુપરાંત તે સ્તોત્રો ઉપરથી યંત્રોની રચના પણ કરવામાં આવેલ છે. જેનાં નામ મહાસર્વતોભદ્ર, સર્વતોભદ્ર, અતિભવ્ય, ભવ્ય” વગેરે છે. જે યંત્રના અંકોનો વિભિન્ન વિભિન્ન રીતે સરવાળો કરતાં બોતેર પ્રકારે પાંસઠનો સરવાળો આવે તે “મહાસર્વતોભદ્ર યંત્ર કહેવાય છે. બોતેર પ્રકારે પાંસઠનો સરવાળો ન આવતાં જેમ જેમ, ઓછા ઓછા પ્રકારે પાંસઠનો સરવાળો આવે તેમ તેમ તેને માટે “સર્વતોભદ્ર, અતિભવ્ય, ભવ્ય' વગેરે નામકરણ કરવામાં આવે છે. લોગસ્સસૂત્રની માફક તે સ્તોત્રો તથા યંત્રો શ્રી ચોવીસ તીર્થંકરભગવંતોના નામો સાથે સંબંધ રાખતા હોવાથી અહીં તે આપવામાં આવ્યા છે. પંચષઠિયંત્રોનો પ્રભાવ : પંચષઠિયંત્રના “મહાસર્વતોભદ્ર' આદિ પ્રકારની રચના શ્રીજિનેશ્વરભગવંતોના નામરૂપ ચોવીસ અંકોમાં પચીસમો અંક ઉમેરવાથી થાય છે. આ પચીસમા અંકને તીર્થસ્વરૂપ-સંઘસ્વરૂપ સમજીને અથવા તેને શ્રીમલ્લિનાથભગવંતના દેહના પ્રમાણસૂચક અંક સમજીને ઉપર્યુક્ત ચોવીસ અંકમાં ઉમેરવામાં આવે છે. " ૧. કોઈ કોઈ સ્તોત્રકારોએ પચીસના અંકને શ્રીમલ્લિનાથભગવંતની કાયાના માપ તરીકે ગ્રહણ કરેલ છે. જયારે બીજાઓએ પચીસમા તીર્થંકર શ્રીસંઘને માટે પચીસનો અંક ઉપયોગમાં લીધેલ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આ યંત્રો મહા પ્રાભાવિક છે, તેમ જ પંચષછિયંત્રગભિત સ્તવો પણ શ્રેષ્ઠ મંત્રસમાન, મહામાભાવિક-મહાચમત્કારિક છે. પંચષઝિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રોમાં યંત્ર-પૂજનની વિધિ તથા ફલાદેશ આ રીતે આપવામાં આવેલ છે : શુભ દિને પવિત્ર બની, શુભદ્રવ્યોથી, જાઈની કલમ વડે ચઢતા આંક લખવાપૂર્વક, તામ્રપત્ર ઉપર પંચષષ્ઠિતંત્રનું વિધિપૂર્વક આલેખન કરીને તે વિધિના જ્ઞાતા ગુરુ પાસે યંત્રની પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. ત્યાર બાદ તે યંત્રની ઘરમાં પ્રતિદિન પૂજા કરવાથી અથવા તો પૂર્વોક્ત રીતિથી શ્રેષ્ઠ ભૂપત્ર ઉપર યા યંત્રને આલેખીને માદળિયામાં મઢાવી પુરુષે પોતાની જમણી ભુજાએ અને સ્ત્રીએ પોતાની ડાબી ભુજાએ બાંધવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ઉપદ્રવો દૂર થાય છે, તેમ જ તેનાથી કોર્ટકચેરીના ઝઘડા, વાદ-વિવાદ વગેરેમાં જય થાય છે તથા સૌભાગ્યા અને સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. પ્રયાણ, સ્થિરવાસ, યુદ્ધ, વાદવિવાદ, રાજા આદિનું દર્શન, વશીકરણ, પુત્રપ્રાપ્તિ, ધનાભિલાષા, વિષમમાર્ગભય, અગ્નિનો ઉપદ્રવ, માનસિક ચિંતાઓ વગેરે સર્વ ઉપદ્રવો વખતે તે રક્ષા કરનાર બને છે. એટલું જ નહિ પરંતુ આ યંત્ર સકલ ગુણોનું નિધાન છે, કારણ કે તેમાં શ્રી ચોવીસેય તીર્થંકરભગવંતો પ્રતિષ્ઠત થયેલા છે. આ યંત્રને હૃદયરૂપી કમલમાં જે કોઈ બુદ્ધિમાન ધ્યેયરૂપ ધારણ કરે છે તે મોક્ષલક્ષ્મીને પણ પ્રાપ્ત કરી શકે છે. શ્રી પંચષષ્ઠિયંત્રો આવાં પ્રભાવશાળી છે. ૧. પંચષછિયંત્ર (મહાસર્વતોભદ્રપ્રકાર) રર | ૩ | 3 | | ૨૬ | ૨૪ | ૨૦ | ર? | ૨ | ૮ ૧૮ | | ૨૦ | ર૪ ૨૧ | ૬ | ૨૨ | ૨૭ | રર | ૪ ઉપર દર્શાવેલ પંચષષ્ઠિયંત્રનો નિર્દેશ કરતાં ત્રણ સ્તોત્રો સ્તોત્ર સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે, જે પૈકી બે સંસ્કૃતમાં છે અને એક ગુજરાતી ભાષામાં છે. સંસ્કૃતના બે સ્તોત્રો પૈકીનું પ્રથમ સ્તોત્ર શ્રીજયતિલકસૂરિના શિષ્ય બનાવેલ છે. તે પ્રમાણે તે સ્તોત્રના પ્રાંત ભાગે કરાયેલા નિર્દેશથી જાણવા મળે છે. તે ઘણાં પુસ્તકોમાં મુદ્રિત થયેલ છે. બીજું સ્તોત્ર આચાર્ય લક્ષ્મસૂરિકૃત છે અને તે કોઇક ચિંતામણિ ગ્રંથના પાછળના ક્ષેપક વિભાગમાંથી પ્રાપ્ત થયેલ છે. તે ત્રુટિત છે અને અદ્યાવધિ અમુદ્રિત છે. ૧. આ યંત્રને કોઇક ચિંતામણિપકવિભાગમાં શૂદ્ર વર્ણોત્તમ કહેવામાં આવેલ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ २२ १४ २० પંચષદ્ધિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો ८७ ત્રીજું સ્તોત્ર (ગુજરાતી ભાષામાં) સ્થાનકવાસી મુનિ ધર્મસિંહે બનાવ્યાનું કહેવાય છે. પંચગૃહ યંત્રનાં ત્રણે સ્તોત્રો અહીં ક્રમસર આપવામાં આવ્યાં છે. પંચષષ્ઠિ યંત્રનો આ મહાસર્વતોભદ્ર પ્રકાર છે. प्रथम स्तोत्र : पञ्चषष्ठियन्त्रगर्भितं श्रीचतुर्विंशतिजिनस्तोत्रम् आदौ नेमिजिनं नौमि, सम्भवं सुविधि तथा । धर्मनाथं महादेवं, शान्ति शान्तिकरं सदा ॥१॥ अनन्तं सुव्रतं भक्त्या, नमिनाथं जिनोत्तमम् । अजितं जितकन्दर्प, चन्द्रं चन्द्रसमप्रभम् ॥२॥ आदिनाथं तथा देवं, सुपार्श्व विमलं जिनम् । मल्लिनाथं गुणोपेतं, धनुषां पञ्चविंशतिम् ॥३॥ अरनाथं महावीरं, सुमतिं च जगद्गुरुम् । श्रीपद्मप्रभनामानं, वासुपूज्यं सुरैर्नतम् ॥४॥ शीतलं शीतलं लोके, श्रेयांसं श्रेयसे सदा । कुन्थुनाथं च वामेयं, श्रीअभिनन्दनं जिनम् ॥५॥ जिनानां नामभिर्बद्धः, पञ्चषष्ठिसमुद्भक । यन्त्रोऽयं राजते यत्र, तत्र सौख्यं निरन्तरम् ॥६॥ यस्मिनगृहे महाभक्त्या, यन्त्रोऽयं पूज्यते बुधैः । भूतप्रेतपिशाचादि-भयं तत्र न विद्यते ॥७॥ सकलगुणनिधानं, यन्त्रमेनं विशुद्धं, हृदयकमलकोषे, धीमतां ध्येयरूपम् । जयतिलकगुरुश्री-सूरिराजस्य शिष्यो । वदति सुखनिदानं मोक्षलक्ष्मीनिवासम् ॥८॥ जीटुं स्तोत्र : आदौ नेमिजिनं च संभवजिनं श्रीपुष्पदन्तप्रभुम् । धर्मं शान्तिमनन्तसुव्रतजिनौ .... .... ..... २२ १६ १४ २० ૧. આ સ્તોત્ર પ્રો. શ્રી હીરાલાલ ૨૮ કાપડિયા દ્વારા અમને પ્રાપ્ત થયેલ છે. * ઉપર્યુક્ત સ્તોત્ર એ વિજયલક્ષ્મીસૂરિકૃત “ચતુર્યzગર્ભિતપંચષખ્રિસ્તોત્ર' કે જે ૧૧ ગાથા પ્રમાણ છે. તેનો ગાથા ૭થી ૧૧ સુધીનો એક વિભાગ છે. આ સ્તોત્રની ૭મી તથા ૮મી ગાથા ખંડિત છે. मओ - ओयिन्तामसि ५.८४. स. स्तसिमित प्रतनी शेटो ओपी Page #153 -------------------------------------------------------------------------- ________________ ८८ भक्त्या सुपार्श्वभुम् १३ सर्वं श्री विमलं च मल्लिममलं संघ ततोऽरंप्रभुम् ॥७॥ २४ ५ ६ १२ श्रीवीरं सुमतिं च षष्ठमजिनं श्रीवासुपूज्यं प्रभुं, **** श्रीमत्पार्श्वजिनाभिनन्दनजिनौतीर्थंकराख्यावली बद्धं स्तोत्रमिदं सदा जयकरं श्रीपञ्चषष्ठीयकम् ॥८॥ १८ २३ क्षत्रियब्राह्मणवैश्यशूद्रकचतुर्वर्णैश्चतुर्धार्च्यते, यत्रोऽयं विधिना प्रतिष्ठितवरो यस्मिन्गृहे नित्यशः । तस्मिन्प्रेतपिशाचभूतरिपुर-क्षोडाकिनीशाकिनी वैतालादिभयं भवेन्न हि पुनः सौभाग्यसौख्यावलिः ॥ ९ ॥ पूतात्मेन सुजातिलेखिनिकयैकाङ्कादिसङ्ख्याष्टकग्रन्थालेखितकांस्यभाजनगतं यन्त्रं स्ववर्णाश्रितम् । यद्वा पूजितयन्त्रकं च पयसा प्रक्षाल्य भक्त्या भवेत् शीघ्रं तस्य जलस्य पानकरणाद् भूतादिदोषक्षयः ॥ १० ॥ प्राग्रीत्या वरभूर्यपत्रलिखितं बध्नाति यन्त्रं यदा, भक्त्या स्वीयभुजे तदा खलु भवेत् भूतादिदोषक्षयः । राज्यादौ च जयः प्रभातसमये, स्तोत्रं पठेद् यः पुनः । ध्येयं बुद्धिमत्तां च तस्य विलसत्सौभाग्यलक्ष्मीर्भवेत् ॥११॥ त्रीभुं स्तोत्र : e 3 ૧૫ ૨૨ ૧૬ શ્રીનેમીશ્વર સંભવ શામ, સુવિધિ ધર્મ શાન્તિ અભિરામ; ૧૪ અનન્ત સુવ્રત નમિનાથ સુજાણ, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ ॥૧॥ અજિતનાથ ચંદ્રપ્રભ ધીર, આદીશ્વર સુપાર્શ્વ ગંભીર; ૧૩ વિમલનાથ વિમલ જગજાણ, શ્રી જિનવર મુજ કો કલ્યાણ ॥૨॥ ૨૫ ૧૯ મલ્લિનાથ જિન મંગળરૂપ, પચવીસ ધનુષ્ય સુંદર સ્વરૂપ; શ્રી અરનાથ નમું વર્ધમાન, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ II|| સુમતિ પદ્મપ્રભ અવતંસ, વાસુપૂજ્ય શીતળ શ્રેયાંસ; કુંથુ પાર્થ અભિનંદન ભાણ, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ ।।૪। એણી પેરે જિનવરજી સંભારીયે, દુઃખ દારિદ્રય વિઘ્ન નિવારીએ; પચીસે પાંસઠ પરમાણ, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ ॥૫॥ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય Page #154 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પંચષઝિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો એમ ભણતાં દુઃખ નાવે કદા, નિજ પાસે જો રાખો સદા; ધરીયે પંચ તણું, મન ધ્યાન, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ lll. શ્રીજિનવર નામે વંછિત મળે, મનવંછિત સહુ આશા ફળે; ધર્મસિંહમુનિ નામ નિધાન, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ III ૨. પંચષઝિયંત્ર (મહાસર્વતોભદ્રપ્રકાર) ૮ । १४ । ७ । ५ । २३ ૨ | ૨૦ | શરૂ | ૬ | ૨૧ | ૨૧ | ૨૨ | ૨૦ ઉપર દર્શાવેલ પંચષઠિયંત્રનો નિર્દેશ કરતું એક સંપૂર્ણ સ્તોત્ર તથા બીજા સ્તોત્રનો એક અંશ ઉપલબ્ધ થાય છે. તે બન્ને ય સંસ્કૃતમાં છે. પ્રથમ સ્તોત્ર મુનિ *નેત્રસિંહ કવિની રચેના છે, એમ સ્તોત્રના પ્રાન્ત ભાગે થયેલા ઉલ્લેખ દ્વારા સમજાય છે. બીજું સ્તોત્ર વિજયલક્ષ્મીસૂરિકૃત ૧૧ ગાથા પ્રમાણ પંચષયિંત્ર સ્તોત્રનો ગાથા ૩ તથા ૪ પૂરતો અંશ છે. પ્રથમ સ્તોત્ર અનેક સ્થાને મુદ્રિત થયેલ છે. બીજો સ્તોત્રાંશ કોષ્ટકચિંતામણિ નામના હસ્તલિખિત ગ્રંથના ક્ષેપક વિભાગમાંથી પ્રાપ્ત થયેલ છે. આ પ્રમાણે એક સ્તોત્ર તથા બીજા સ્તોત્રનો જરૂરી અંશ અહીં ક્રમવાર આપવામાં આવ્યા છે. વિજયલક્ષ્મસૂરિકૃત ૧૧ ગાથા પ્રમાણ સ્તોત્રના અહીં આલેખેલ અંશની નીચે “વિપ્ર વર્ષોત્તમ” એવો ઉલ્લેખ હસ્તલિખિત પ્રતિમાં છે. ઉપર્યુક્ત યંત્ર પંચષઝિયંત્રનો મહાસર્વતોભદ્ર પ્રકાર છે. * એક વિદ્વાન જણાવે છે કે નેત્રસિંહને બદલે કદાચ ત્રસિંહ નામ હોય. Page #155 -------------------------------------------------------------------------- ________________ ८० प्रथम स्तोत्र : पञ्चषष्ठियन्त्रगर्भितं श्रीचतुर्विंशतिजिनस्तोत्रम् १५ वन्दे धर्मजिनं सदा सुखकरं, चन्द्रप्रभं नाभिजं, श्रीमद्वीरें जिनेश्वरं जयकरं कुन्थुं च शान्ति जिनम् । मुक्तिश्रीफलदाय्यनन्तर्मुनिपं, वन्दे सुपार्श्वं विभुं, श्रीमन्मेघनृपात्मजं च सुखदं, पार्वं मनोऽभीष्टदम् ॥१॥ २२ २० १३ श्रीनेमीश्वर सुव्रतौ च विमलं, पद्मप्रभं सांवरं, सेवे सम्भवशङ्करं नमिजिनं, मल्लि जयानन्दनम् । वन्दे श्रीजिनशीतलं च सुविधिं, सेवेऽजितं मुक्तिदं, श्रीसङ्कं बत पञ्चविंशतितमं साक्षादरं वैष्णवम् ॥२॥ गाथा छे. 1 स्तोत्रं सर्वजिनेश्वरैरभिगतं मन्त्रेषु मन्त्रं वरं, एतत्सङ्गतयन्त्र एव विजयो, द्रव्यैर्लिखित्वा शुभैः । पार्श्वे सन्ध्रियमाण एव सुखदो माङ्गल्यमालाप्रदोवामाङ्गे वनिता नरास्तदितरे, कुर्वन्ति मे भावतः ||३|| प्रस्थाने स्थितियुद्धवादकरणे, राजादिसन्दर्शने, वश्यार्थे सुतहेतवे धनकृते, रक्षन्तु पार्श्वे सदा । मार्गे संविषमे दवाग्निज्वलिते, चिन्तादिनिर्नाशने, यत्रोऽयं मुनिनेत्रसिंहकविना, संग्रन्थितः सौख्यदः ||४|| जीभुं स्तोत्र : १५ आदौ धर्मजिनं ततोऽष्टमजिनं नाभेय वीरेश्वरौ, कुन्थुं शान्तिमनन्तसार्वममलं वंदे सुपार्श्वं प्रभुम् । भक्त्या श्रीसुमतिं च पार्श्वजिनकं नेमिप्रभुं सुव्रतमर्हन्तं विमलं सदा सुखकरं पद्मप्रभाख्यं प्रभुम् ॥३॥ ४ ३ २१ भक्त्या नौमि जिनाभिनन्दनजिनं श्रीसंभवं श्रीनमिं, श्रीमल्लि जिनवासुपूज्यजिनकं श्रीशीतलाख्यप्रभुम् । अर्हन्तं सुविधिं ततोऽजितजिनं सङ्घ ततः श्रीअरं, श्री श्रेयांसमसौ जिनावलिगतः श्रीपञ्चषष्ठिस्तवः ॥४॥ ૧. આ નેત્રસિંહમુનિ ક્યારે થયા તે જાણવા મળેલ નથી. * આ સ્તોત્ર પ્રથમ જણાવેલ વિજયલક્ષ્મીસૂરિ કૃત ૧૧ ગાથા પ્રમાણ સ્તોત્રની ત્રીજી અને ચોથી જુઓ કોઇકચિંતામણિ, પત્ર ૯૩ ફોટો કોપી લોગસ્સસૂત્ર સ્વાધ્યાય Page #156 -------------------------------------------------------------------------- ________________ ८१ પંચષદ્ધિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો ૩. પંચષયિંત્ર (महासर्वतोभद्रभार) १० । ११ । १७ । २३ । १२ १३ । १९ २५ | २० | २१ । २ १७ २३४ ઉપર આલેખેલ પંચષષ્ઠિ યંત્રનો નિર્દેશ કરતું એક સ્તોત્ર ઉપલબ્ધ થયેલ છે. જે સંસ્કૃતમાં છે અને તે અદ્યાવધિ અમુદ્રિત છે. કોઇકચિંતામણિ નામના (હસ્તલિખિત) ગ્રંથમાં શ્રીશીલસિંહ વાચનાચાર્યે તેનો ઉલ્લેખ કર્યો છે. તે સ્તોત્ર અહીં આપવામાં આવે છે – श्रियेऽस्तु शीतलः श्रेयान् कुन्थुः पार्थाभिनन्दनः । अरो वीरेंः समुत्याह्वः, पद्मप्रभो जिनेश्वरः ॥१॥ वासुपूज्यश्च नाभेयः, सुपार्यो विमलो जिनः । मल्लिस्तीर्थप्रभुश्चापि, पात्वनन्तश्च सुव्रतः ॥२॥ नमिः श्रीअजितश्चन्द्र-प्रभो नेमिश्च संभवः । सुविधि धर्मेशान्ती च, जीयासुः श्रीजिनास्त्वमी ॥३॥ ૪. પંચષઝિયંત્ર (सर्वतोभद्रप्रसार) २ ८ । Gow १३ १२ १८ १७ २३ । ४ । २० ★ 16यितामा पत्र-११. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯૨ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ઉપર બતાવેલ પંચષષ્ઠિમંત્રનો નિર્દેશ કરતું એક સ્તોત્ર સંસ્કૃતમાં પ્રાપ્ત થાય છે. જે અદ્યાવધિ અમુદ્રિત છે. આ સ્તોત્ર શ્રીશીલસિંહ વાચનાચાર્યકૃત કોઇકચિંતામણિ નામના (હસ્તલિખિત) ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. એ તેમની પોતાની રચના હોવાનો સંભવ છે. તે સ્તોત્ર અહીં આપવામાં આવે છે – सुविधिं धर्मशान्ती च, श्रीनेमि संभवं नर्मि । अजितं चन्द्रप्रभाख्यमनन्तं मुनिसुव्रतम् ॥१॥ विमलं मल्लिनाथं च, तीर्थेशं च जिनर्षभम् । सुपार्वं सुमतिं पद्म-प्रभं श्रीवासुपूज्यकम् ॥२॥ अरं वीरप्रभुं कुन्थु, श्रीपार्श्वमभिनन्दनम् । शीतलं श्रेयांसं जिनं, नौम्येनं महिमास्पदम् ॥३॥ ૫. પંચષઝિયંત્ર (सर्वतोभद्र २) २२ १४ । १६ । ८ । १५ । २ | २५ । १९ । १८ | १२ । ६ ११ । १० । ४ । २३ । १७ ઉપર આલેખેલ પંચષષ્ઠિ યંત્રનો નિર્દેશ કરતું એક સ્તોત્ર પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે, જે અદ્યાવધિ અમુદ્રિત છે. તે કોઇકચિંતામણિ નામના (હસ્તલિખિત) ગ્રંથમાં જોવા મળે છે. આ પણ શ્રી શીલસિંહ વાચનાચાર્યની રચના હોય એવો સંભવ છે. તે સ્તોત્ર અહીં આપવામાં આવે છે – वन्दे संभवनेमिसतिभगवं धम्मं च पुष्कं मुणि, ।। गुंतं चंद जियं णमि पणफणं आइं च तित्थप्पहुं ॥ मल्लीसं विमलं च वीर रवई पुज्जं च पम्मप्पहं, देवं सुम्मइ सिज्ज सीअलमभिं पासं च कुंथु जिणं । સૂચના : યંત્ર નં. ૪ અને યંત્ર નં. ૫માં માત્ર એટલો જ તફાવત છે કે યંત્ર નં. ૪ની તિર્યફ પંક્તિમાં મુકેલા અંકોને યંત્ર નં. પની તિર્યકુ પંક્તિઓમાં ઉત્ક્રમે (ઊલટી રીતે) મૂકવામાં આવ્યા છે, તે સિવાય બીજો કોઈ તફાવત નથી. ★ ओयिंतामणि ५-११. Page #158 -------------------------------------------------------------------------- ________________ પંચષઝિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિન સ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો ८ ६. पंछियंत्र ८ । २ । २१ । २० । १४ २५ । १९ । १३ । ७ १२ । ६ । ५ । २४ । १८ । । ४ । २३ । १७ । ११ । १० ઉપર આલેખેલ પંચષષ્ઠિતંત્રનો નિર્દેશ કરતો એક સ્તોત્રાંશ સંસ્કૃત ભાષામાં છે. જે અદ્યાવધિ मभुद्रित छे. તે કોઇકચિંતામણિ નામના (હસ્તલિખિત) ગ્રંથના પ્રક્ષિપ્ત અંશમાંથી પ્રાપ્ત થયેલ છે અને તેના કર્તા શ્રી વિજયલક્ષ્મીસૂરિ છે. ૧૧ ગાથા પ્રમાણ વિજયલક્ષ્મીસૂરિ કૃત સ્તોત્રનો આ ગાથા ૧ તથા ૨ પૂરતો અંશ છે. આ સ્તોત્રાશના અંતે “ક્ષત્રિય વર્ષોત્તમ' એવો નિર્દેશ પ્રાપ્ત થાય છે. ઉપર્યુક્ત સ્તોત્રાંશ અહીં આપવામાં આવે છે - शान्ति धर्मजिनं ततश्च सुविधि श्रीसंभवं नेमिकं, श्रीचन्द्रप्रभ नामधेयमजितं वंदे नमि सुव्रतं । आप्तानन्त सुसंघ मल्लि विमलान् भक्त्या सुपाश्र्वं प्रभुं, श्रीनाभ्यात्मज वासुपूज्य जिनकौ पद्मप्रभाख्यं प्रभुम् ॥१॥ वन्देऽहं परमेश्वराप्तसुमतिं वीरप्रभु श्रीअरम्, सार्वं श्रीअभिनन्दनं च परमं, पार्वं च कुन्थु प्रभुम् । श्रीश्रेयांसजिनं च शीतलजिनं, तीर्थंकराख्यावली-, बद्धं स्तोत्रमिदं सदा जयकर, श्रीपञ्चषष्ठीयकम् ॥२॥ ७. पंयषडयंत्र* १५ | २१ । ११ । १८ । १६ २३ | १९ । १२ । २४ । २२ * મહાસર્વતોભદ્ર આદિ પ્રકારો પૈકી આ કયા પ્રકારનો મંત્ર છે તે સ્તોત્રકાર જણાવતા નથી. તેથી તેનો પ્રકાર અહીં લખ્યો નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ઉપર આલેખેલ યંત્રનો નિર્દેશ કરતો એક સ્તોત્રાંશ સંસ્કૃત ભાષામાં મળે છે. જે અદ્યાવિધ અમુદ્રિત છે. ૯૪ કોઇકચિંતામણિ (હસ્તલિખિત પ્રત)ના પ્રક્ષિપ્ત અંશમાં તે પ્રાપ્ત થાય છે અને તેના કર્તા શ્રી વિજયલક્ષ્મીસૂરિ છે. વિજયલક્ષ્મીસૂરિ કૃત ૧૧ ગાથા પ્રમાણ સ્તોત્રનો આ ગાથા ૫ તથા ૬ પ્રમાણનો અંશ છે. તે સ્તોત્રના અંતે ‘વૈશ્ય વર્ણોત્તમ' એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સ્તોત્રાંશ અહીં આપવામાં આવે છે : २५ आदौ सुव्रतकाभिनन्दनृजिनौ संघं जिनानन्तकं, २१ वन्दे श्रीअजितं ततोऽष्टमजिनं भक्त्या सुपार्श्व नमम् । श्री श्रेयांस मरं च शीतलजिनं कुन्युं च तीर्थेश्वरं, सार्वं श्रीविमलेश्वरं च सुविधि शान्ति प्रभुं संभवम् ॥५॥ १९ २४ श्रीधर्मं सुमति च मल्लिजिनकं पार्श्वं च वीरं प्रभुं, नेमिं नाभिजे वासुपूज्यजिनको पद्मप्रभाख्यं प्रभुम् । भक्त्या नौमि सदार्तिहारकमिदं श्रीपञ्चषष्ठीयकम्, स्तोत्रं सर्वजिनेश्वरैरभिगतं प्रेतादिविध्वंसकम् ॥६॥ પંચયિંત્રની સમજૂતિ : મહાસર્વતોભદ્ર યંત્રના બોતેર પ્રકારોથી થતા પાંસઠના સરવાળાની સમજૂતી આ પ્રમાણે છે :— – એકથી આરંભી પચીસ સુધીના અંક પાંચ પંચક ચોરસ કોષ્ટકોમાં યથાવિધિ ગોઠવવાથી જે યંત્ર તૈયાર થાય તેને પંચયિંત્ર કહેવામાં આવે છે. તેનું બીજું નામ પંચગૃહયંત્ર પણ છે. જુદી જુદી અનેક રીતે, પાંસઠનો સરવાળો આવે તે માટે આ યંત્રની રચના વિભિન્ન રીતે કરવામાં આવે છે. આવા પંચગૃહયંત્રો ૨૪૦૦ પ્રકારે બને છે. તે મંત્રોનાં નામો મહાસર્વતોભદ્ર, સર્વતોભદ્ર, અતિભવ્ય અને ભવ્ય છે. આમાંથી મહાસર્વતોભદ્ર યંત્ર સર્વશ્રેષ્ઠ મનાય છે. તેનો સરવાળો બોતેર પ્રકારે કેવી રીતે થાય છે તેની સંપૂર્ણ સમજ માટે તે બોતેર પ્રકારો અહીં આલેખીને રજૂ કરવામાં આવ્યા છે. १. येषु यन्त्रेषु पञ्चपञ्चकोष्ठकाङ्कमेलने द्वासप्ततिप्रकारैः पञ्चषष्टिः समेति ते महासर्वतोभद्राः । —કોઇકચિન્તામણિ હ. લિ. ૫. ૩૬-૭૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ પંચષઠિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો ૯૫ १४ | २० | २१ २ | १४ | २० | २१ | २ | ८ | १३ | १९ । २५ । १ | ७ | १३ | १९ / २५] | १२ | १८ | २४ | ५६ | २४ | ५ | ६ | १२ २४ ५ ६१ । २ ८ । २ १२ | به هام २१ १। ७१३ | ७ | १३ | १९ | २५ १। ७।१३। | १२ Page #161 -------------------------------------------------------------------------- ________________ ८E લોગસ્સસૂત્ર સ્વાધ્યાય १३ १७ २१ १६ -७ | १३ | १९ / २५ १३ १२ १८२४ १२ २४ / ५६ | ११ | १७ | २३ | १७ १४ १८ २२ २२ | ३ | ९ | १५ | १६ | २० | २१ २ १८ २४ | ५ ६ | १२ १० | ११ | १७ |२३ ०।११ | १७२३ २० २१ | २ | २० | २१ | २ | ५ P ५। ६ | १२ १८ २४ । ५ । ६ १६ २४ | १८ २४ ५ ६ | १२ | १८ | २४ ५ ६ | १२ |१८ | २४ / ५ ६ | १२ Page #162 -------------------------------------------------------------------------- ________________ પંચષઠિયંત્રગર્ભિત ચતુર્વિશતિ નિસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો २५ २२ २२ | ३ | ९ | १५ | १६ १६ १४२० ७ | १३ | १९ / २५ १८ | २४ १८।२४ । ५ ११ | ११ | १७ | २३ २२ २२ १६ १४२० २१ । २ । १४ | २० २० | २१ | २ ७ | १३ | १९ २४ | ५ | ६ | १२ १८ | २४ १७ | ४ | १० | ११ | १७/२३ २७ २० २१ २८ |२४ २२ | १४ | २० | २१ १४ | १४ | २० | २१ | १ | ७ | १३ | १९ | २५ | १ ७१३ १८ २४ । ५६ Page #163 -------------------------------------------------------------------------- ________________ ८८ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ४५ २२ २२ | ३ | ९१५ | १६ |२२| ३ | १४ | २० | २१ | २ | १४ | २० | २१ ३ | ९ | १५ | १६ २० | २१ / २८ १ । ७ |१३१९ | २५ १८ | २४ - ५ | ११ | १७ | २३ | ११ | १७ १ ४२ ४६ ३ १४२० २२ |२२| ३ / ९१५ | २२ | ३ | ९ | ८ १४ | २० | २१ / २ ८ १४ २० | २१ | ७ | १३ |१९ | २५| | १ | ७ | १३ | १९ / २५ |१८|२४ | ५ | ६ | १२| | १८ | २४ / ५ |१०/११ | १७ | २३ | ४ | १० | ११ | १७ | २३ | ४ १८२४ १० ३९ ४३ ४७ २२ १४ | २० | २१ | २ १४ २० | २१ २ . |१४ /२० | २१ | २ | ८ | २५ ८ १ । ७ १८२४ । ५ ६१२ २४ ५ ६ १२ २३ ११ १७२३ ४४ ४८ २२ ३ ९/१५ १४ १४ । २० २१ | २ १३ १९ । | १८ | २४ ५ ६ | १२ १८.२४ ।१२ | १० | ११ | १७ | २३ | ४| |१० | ११ | १७ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૯૯ પંચષઠિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિન સ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો ४९ ५७ १४ १४ | २० २० २१ | २ | ७ | १३ | १९ १२ | २४ | १७ |२३ ५० २२ २ १४२० | २० | २१ १३१९ १९ १८२४ १७ / २३ २३ १ ११ | १७ | २३ २२ । ३ २२ २० २१ २ १४ | २० २० | २१ | २ 29 |१३|१९ । १८ २४ १२ ११ | १७ |२३ ६० | २२ १४२० २१ २ | २० | २१ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ६१ २२ ३ ९ १५ १४ २० १६ २१ २ ८ १ ७ १३ १९ २५ १८ २४ ६ १२ १० ११ १७ २३ ४ ६२ २२ ३ ९ १५ १४ २० २१ २ १ | ७ | १३ | १९ १८ २४ १५ ६ १० ११ १७ २३ ६३ x Lov २२ १४ १ १८ २४ १० ११ ३ ७ ५ ९ १५ १६ २० २१ २ ८ १३ १९ ६ १७ २३ ६४ १६ ८ २५ १२ ४ २५ १२ oc २२ ३ ९ १५ १४ २० २१ २ α १ १८ २४ १० ११ ७ १३ १९ ५ ६ १७ २३ ६६ २२ ३ १४ २० ६५ २२ ३ ९ १५ १६ २२ १४ २० २१ २ ८ १४ २० १ ७ १३ १९ २५ १८ २४ ५ ६ १२ १० ११ १७ २३ ४ mr x ९ १५ २ २१ १ ७ १३ १९ २५ १८ २४ १२ - १० ११ १७ २३ ४ ६७ ५ o w १६ ६ ८ २५ १२ ४ १६ २२ ३ ९ १५ १६ १४ २० २१ २ ८ १ ७ १३ १९ २५ १८ २४ ५ ६ १२ १० ११ १७ २३ ६८ ८ oc ९ १५ १६ २१ २ ८ १ ७ १३ १९ २५ १८ २४ ५ १२ १० ११ १७ २३ ४ २२ १४ २२ ३ १४ २० १ १८ १० ११ 1 0 1 १ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ६९ ९ १५ २१ २ ७ १३ १९ २४ ५ ६ १७ | २३ ३ २० ७ ७० १८ २४ १० ११ १७ २३ ७१ m ५ m १६ ९ १५ १६ २१ २ ८ १३ १९ २५ १२ ४ ८ २५ १२ ४ २२ ९ १५ १४ २० २१ २ १ ७ १३ १९ २५ १८ २४ ५ ६ १२ १० ११ १७ २३ ७२ १६ ८ oc २२ ९ १५ १६ ३ १४ २० २१ २ ८ १ ७ १३ १९ २५ १८ २४ २४ ५ ६ १२ १० ११ १७ २३ ४ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પંચષઝિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો કોઇકચિંતામણિ'નો પરિચય – કોઇકચિંતામણિ' નામનો પદ્યાત્મક ગ્રંથ દોઢસો ગાથા પ્રમાણ પ્રાકૃત ભાષામાં છે. પાછળ આપેલ મહાસર્વતોભદ્રનાં ૭૨ પ્રકારનાં ચોકઠાં તેમાંથી લેવામાં આવ્યાં છે, તે ઉપર અંકયર્નાનિધાના' નામની સ્વોપજ્ઞ ટીકા સંસ્કૃત ભાષામાં છે. પ્રસ્તુત ગ્રંથના કર્તા વાચનાચાર્ય શ્રી શીલસિહ છે એ ગ્રંથના પ્રાંતે રહેલી પ્રશસ્તિના નિમ્ન શબ્દોથી જાણવા મળે છે – "......वाचनाचार्यशीलसिंहनिर्मितायामङ्कयन्त्रनिधानायां स्वोपज्ञश्रीकोष्ठकचिन्तामणिग्रन्थवृत्तौ" શ્રીશીલસિંહમુનિ આગમિક ગચ્છની પરંપરામાં થયા છે. આગમિક ગચ્છમાં શ્રીશીલગુણસૂરિની પાટે શ્રીજયાનંદસૂરિ થયા. તેમનો સત્તાકાળ વિક્રમની પંદરમી શતાબ્દીના મધ્યકાળથી આરંભી સોળમી શતાબ્દીના મધ્યકાળ પૂર્વેનો હતો. તેમના શિષ્ય શ્રીશીલસિંહ વાચનાચાર્ય થયા. એટલે અનુમાન થાય છે કે કોઇકચિંતામણિનો રચનાકાળ સોળમી શતાબ્દીનો છે. વાચનાચાર્ય શ્રીશીલસિંહ ગણિતશાસ્ત્ર જેવા કૂટ વિષયને મંત્રયોગની અર્થક્રિયાકારી દષ્ટિએ તપાસ્યો છે. તેમણે તેને અંકયંત્રવિધાનાત્મક વિજ્ઞાનમાં કુશળ રીતે ઢાળ્યો છે, આ કુશાગ્રબુદ્ધિનું કાર્ય છે. આ ગ્રંથ અદ્યાવધિ અમુદ્રિત છે. તેની એક ફોટોસ્ટેટિક કોપી શ્રી જૈનસાહિત્ય વિકાસ મંડળના પુસ્તકાલયમાં છે. તે ઉપરથી લોગસ્સસૂત્રના સંદર્ભ પૂરતો વિષય અહીં રજૂ કરવામાં આવ્યો છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ક્રમ તીર્થંકરનું નામ ૧.| શ્રી ઋષભદેવ ૨.| શ્રી અજિતનાથ ૩.| શ્રી સંભવનાથ ૪.| શ્રી અભિનંદનસ્વામી ૫. | શ્રી સુમતિનાથ ૬.| શ્રી પદ્મપ્રભ ૭. શ્રી સુપાર્શ્વનાથ ૮.| શ્રી ચંદ્રપ્રભ ૯.| શ્રી સુવિધિનાથ ૧૦.| શ્રી શીતલનાથ ૧૧.| શ્રી શ્રેયાંસનાથ ૧૨.| શ્રી વાસુપૂજય ૧૩.| શ્રી વિમલનાથ ૧૪.| શ્રી અનંતનાથ ૧૫. શ્રી ધર્મનાથ ૧૬.| શ્રી શાંતિનાથ ૧૭. શ્રી કુંથુનાથ ૧૮.| શ્રી અરનાથ ૧૯.| શ્રી મલ્લિનાથ ૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી ૨૧.| શ્રી નમિનાથ ૨૨.| શ્રી નેમિનાથ ૨૩.| શ્રી પાર્શ્વનાથ ૨૪. શ્રી વર્ધમાનસ્વામી (૧૧) પરિશિષ્ટ (૧૧)-૧ ચોવીસ તીર્થંકરોનાં નામ તથા માતા-પિતાદિનો કોઠો પિતાનું નામ નાભિ જિતશત્રુ જિતારિ સંવર મેઘરથ શ્રીધર સુપ્રતિષ્ઠ મહાસેન સુગ્રીવ દૃઢથ વિષ્ણુરાજ વસુપૂજ્ય કૃતવર્મા સિંહસેન ભાનુ વિશ્વસેન સૂર સુદર્શન કુંભ સુમિત્ર વિજય સમુદ્રવિજય અશ્વસેન સિદ્ધાર્થ માતાનું નામ મરુદેવી વિજયા સેના સિદ્ધાર્થા સુમંગલા સુસીમા પૃથ્વી લક્ષ્મણા રામા નંદા વિષ્ણુ જયા શ્યામા સુયશા સુવ્રતા ચિરા દેવી પ્રભાવતી પદ્મા વમા શિવા વામા ત્રિશલા જન્મસ્થાન અયોધ્યા અયોધ્યા શ્રાવસ્તી અયોધ્યા અયોધ્યા કૌશાંબી કાશી ચંદ્રપુરી કાકંદી દ્દિલપુર સિંહપુર ચંપા કાંપિલ્યપુર અયોધ્યા રત્નપુર હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર મિથિલા રાજગૃહ મિથિલા શૌરિપુર કાશી ક્ષત્રિયકુંડ લાંછન વૃષભ હસ્તી અશ્વ વાનર ક્રૌંચ પદ્મ સ્વસ્તિક ચંદ્ર મગર શ્રીવત્સ ગેંડો પાડો વરાહ સિંચાણો વજ મૃગ બકરો નંદ્યાવર્ત કુંભ કાચબો નીલકમલ શંખ સર્પ સિંહ શરીર પ્રમાણ ૫૦૦ ધનુષ્ય ૪૫૦ ધનુષ્ય ૪૦૦ ધનુષ્ય ૩૫૦ ધનુષ્ય ૩૦૦ ધનુષ્ય ૨૫૦ ધનુષ્ય ૨૦૦ ધનુષ્ય વર્ણ સુવર્ણ સુવર્ણ સુવર્ણ ૪૦ ધનુષ્ય ૩૫ ધનુષ્ય ૩૦ ધનુષ્ય ૨૫ ધનુષ્ય | સુવર્ણ | સુવર્ણ રક્ત સુવર્ણ શ્વેત ૧૫૦ ધનુષ્ય ૧૦૦ ધનુષ્ય શ્વેત ૯૦ ધનુષ્ય | સુવર્ણ ૮૦ ધનુષ્ય | સુવર્ણ ૭૦ ધનુષ્ય રક્ત ૬૦ ધનુષ્ય | સુવર્ણ ૫૦ ધનુષ્ય સુવર્ણ ૪૫ ધનુષ્ય સુવર્ણ સુવર્ણ સુવર્ણ સુવર્ણ નીલ શ્યામ ૨૦ ધનુષ્ય ૧૫ ધનુષ્ય | સુવર્ણ ૧૦ ધનુષ્ય શ્યામ ૮ હાથ નીલ ૭ હાથ સુવર્ણ આયુષ્ય ૮૪ લાખ પૂર્વ ૭૨ લાખ પૂર્વ ૬૦ લાખ પૂર્વ ૫૦ લાખ પૂર્વ ૪૦ લાખ પૂર્વ ૩૦ લાખ પૂર્વ ૨૦ લાખ પૂર્વ ૧૦ લાખ પૂર્વ ૨ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૮૪ લાખ વર્ષ ૭૨ લાખ વર્ષ ૬૦ લાખ વર્ષ ૩૦ લાખ વર્ષ ૧૦ લાખ વર્ષ ૧ લાખ વર્ષ ૯૫ હજાર વર્ષ ૮૪ હજા૨ વર્ષ ૫૫ હજાર વર્ષ ૩૦ હજાર વર્ષ ૧૦ હજાર વર્ષ ૧ હજાર વર્ષ ૧૦૦ વર્ષ ૭૨ વર્ષ ૧૦૨ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય Page #168 -------------------------------------------------------------------------- ________________ Page #169 -------------------------------------------------------------------------- ________________ Page #170 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૦૩ (૧૧)-૨ દિગંબરાદિ સંપ્રદાયાનુસાર લોગસ્સસૂત્રનો મૂળપાઠ ॐ नमः परमात्मने, नमोऽनेकान्ताय शान्ताय । जिणवरे तित्थयरे, केवली अणंत जिणो णरपवरलोयमहिए विहुयरयमले महप्पण्णे ॥१॥ लोयस्सुज्जोययरे, धम्मं तित्थंकरे जिणे वंदे । अरहंते कित्तिस्से, चउवीसं चेव केवलिणो ॥२॥ उसहमजियं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥३॥ सुविहिं च पुष्फयंतं, सीयल सेयंस वासुपूज्जं च । विमलमणंतं भयवं, धम्मं संति च वंदामि ॥४॥ कुंथं च जिणवरिंदै, अरं च मल्लिं च सुव्वयं च णमि । वंदामि अरिट्ठणेमि, तह पासं वड्डमाणं च ॥५॥ एवमए अभित्थुया, विहुयरयमला पहीणजरमरणा । चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥६॥ कित्तिय-वंदिय-महिया, एदे लोगोत्तमा जिणा सिद्धा । आरोग्गणाणलाहं, दितु समाहिं च मे बोहिं ।।७।। चंदेहिं णिम्मलयरा, आईच्योहिं अहिय पहाता । सायरमिव गंभीरा, सिद्धा सिद्धि मम दिसंतु ॥८॥ બૃહત્ સામાયિક પાઠ ઔર બૃહસ્પ્રતિક્રમણ, પૃષ્ઠ ૧૮-૨૦ . हर छैन पुस्तालय, सुरत. લોગસ્સસૂત્ર અંગે દિગંબર સંપ્રદાયના મૂલાચાર' નામના ગ્રંથના પડાવશ્યક વિભાગમાં નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે – लोगुज्जोए धम्मतित्थयरे, जिणवरे य अरहंते । कित्तण केवलिमेव य, उत्तमबोर्हि मम दिसंतु ॥ अर्थ-सोनो द्योत ७२न।२।, धर्मतीर्थ ४२ना२१, नव२, सी, मईत् ४ કીર્તનીય છે તેઓ મને ઉત્તમ બોધિને આપો. આટલું જણાવી ત્યાં “લોક” શબ્દનો અર્થ નીચે प्रमाणे ४२वाभा माव्यो छ : लोयदि आलोयदि, पल्लोयदि सल्लोयदिति एगत्थो । जम्हा जिणेहिं कसिणं, तेणेसो वुच्चदे लोओ ॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ' છદ્મસ્થાવસ્થામાં મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનથી જોવાય છે તેથી તે “લોક' કહેવાય છે. પુગલ મર્યાદારૂપ અવધિજ્ઞાનથી ચારે તરફથી જોવાય છે તેથી પણ ‘લોક' કહેવાય છે. મન:પર્યવજ્ઞાનથી વિશેષરૂપે-પ્રકૃષ્ટરૂપે દેખાય છે તેથી પણ ‘લોક' કહેવાય છે. કેવળજ્ઞાન દ્વારા શ્રીજિનવરો વડે સંપૂર્ણપણે જોવાય છે, એટલે કે સર્વ દ્રવ્યો અને પર્યાયોથી સારી રીતે જ્ઞાત કરાય છે તેથી પણ લોક' કહેવાય છે. ચતુર્વિશતિ સ્તવના ઉચ્ચારણનો વિધિ ચતુર્વિશતિ સ્તવના ઉચ્ચારણ વેળા સ્થાન આદિની વિધિ દર્શાવતાં તે ગ્રંથમાં જણાવાયું છે કે – चउरंगुलंतरपादो, पडिलेहिय अंजलीकय पसत्थो । अव्वाखित्तो वुत्तो, कुणदिय चउवीसत्थयं भिक्खू ॥ અર્થ–બે પગની વચમાં ચાર આંગળનું અંતર રાખી, શરીરના અવયવોનું હલનચલન બંધ કરી; શરીર, ભૂમિ અને ચિત્તનું પ્રમાર્જન કરી; અંજલિ જોડી; સૌમ્યભાવવાળા બની તથા ચિત્તની વ્યાક્ષિપ્તતા દૂર કરી; અર્થાત્ સર્વ વ્યાપારથી રહિત બની ભિક્ષુ ચતુર્વિશતિ સ્તવનેચોવીશ ભગવંતોની સ્તવનાને કરે. સ્થાનકવાસી સંપ્રદાયાનુસાર લોગસ્સસૂત્ર સ્થાનકવાસી સંપ્રદાય લોગસ્સસૂત્રને જે રીતે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય માને છે તે જ રીતે માને છે. સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રાથી પ્રકાશિત “સામાયિકસૂત્ર' પુસ્તક તપાસતાં તેમાં અને છે. મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાનુસારના લોગસ્સસૂત્રમાં કાંઈ પણ ફરક ન હોવાથી અહીં તે પાઠ છાપવામાં આવેલ નથી. તેરાપંથી સંપ્રદાયાનુસાર લોગસ્સસૂત્ર આદર્શ સાહિત્ય સંઘ, સરદાર શહેરથી પ્રકાશિત “શ્રાવક પ્રતિક્રમણસૂત્ર' પુસ્તક (કે જેની હિંદી ટીકા મુનિશ્રી નથમલજીએ લખેલ છે) તપાસતાં, તેમાં અને . મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાનુસારના લોગસ્સસૂત્રમાં કાંઈ પણ વિભિન્નતા નહીં હોવાથી તે પણ પાઠ અત્રે જુદો છાપવામાં આવેલ નથી. (૧૧)-૩ લોગસ્સ-કલ્પ લોગસસૂત્રની ગાથાઓ તથા પદો મન્ત્રાત્મક હોવાથી તે તે ગાથાઓનો જુદા જુદા મન્નબીજોના સંયોગપૂર્વક જો વિધિપૂર્વક જાપ કરવામાં આવે તો તે વિભિન્ન વિભિન્ન કાર્યને સાધનાર બને છે. ઉપર્યુક્ત વિગતને જણાવતો “લોગસ્સ-કલ્પ' પ્રાચીન હસ્તલિખિત અનેક પ્રતિઓમાં પ્રાપ્ત થાય છે. તેવી જ એક હસ્તલિખિત પ્રાચીન પ્રતિમાંથી “લોગસ્સ-કલ્પ' જેવો પ્રાપ્ત થયો તેવો જ Page #172 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૦૫ અત્રે ટાંકવામાં આવેલ છે. ॐ ह्रीं श्रीं ऐं लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली मम मनोऽभीष्टं कुरु कुरु स्वाहा । આ મંત્ર પૂર્વ (દિશા) સામે ઊભા રહી, વાર ૧૦૮, કાયોત્સર્ગ કરી જપીશું, દિન ૧૪ બ્રહ્મચર્ય પાલીજે. માન, મહત્વ, યશ, પ્રતિષ્ઠા વધે. રાજભય, ચોરભય ન હોય; રાજ ઋદ્ધિ, સંપદા, મહત્ત્વવૃદ્ધિ, સુખસંપત્તિ વધે, ધર્મ દીપાવે, વીતરાગ ધર્મ ઉપર આસ્થા રાખીશું. ઇતિ પ્રથમ મંડલ ll૧. ____ॐ क्रीं क्री ही ही उसभमजिअं च वंदे संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे स्वाहा । આ મંત્ર ૨૦૧૬ વાર જપીઈ, પદ્માસને બેસીને, ઉત્તર સન્મુખ બેસીને સોમવારથી દિન ૭ જાપ કીજે. સર્વવશ્ય થાય, દુર્જન કંપે, દુષ્ટભંતરાદિક વશ્ય થાય, સર્વત્ર યશ પામે, એકાસન કરે, અસત્યને બોલે. ઇતિ દ્વિતીય મંડલ રા ॐ ऐं हसौं झाँ झीँ सुविहिं च पुप्फदंतं सीयलसिज्जंसवासुपुज्जं च विमलमणंतं च जिणं धम्मं संतिं च वंदामि, कुंथु अरं च मल्लिं वंदे मुणिसुव्वयं स्वाहा । આ મંત્ર વાર ૧૦૮ રક્તવસ્ત્ર પહેરી લાલ માલાએ જપીશું. સર્વ શત્રુ ક્ષય થાયે, રાજકારે મહાલાભ, વચનસિદ્ધિ હોયે, જે વચન કહે તે સર્વ ફળે, સર્વ કાર્ય સિદ્ધિ. અતિ તૃતીય મંડલ llll. ॐ ह्रीं नमः नमिजिणं च वंदामि रिटुनेमि पासं तह वद्धमाणं च मनोवांछितं पूरय पूरय ही स्वाहा । આ મંત્ર ૧૨000 જાપ, પીળી માળા, પીળા વસ્ત્ર પહેરી ઉત્તર (દિશા) સામા બેસી જપીઈ. કુટુંબમાં શોભા વધે, કાનમાં ફૂક દીજે, ડાકિની શાકિની જાય, એ ચિઠ્ઠી લખી ગળે બાંધીઈ. સર્વ જવર જાય. ઇતિ ચતુર્થક મંડલ ll ॐ ऐं ह्रीं ह्रीं एवं मए अभिथुआ विहुयरयमला पहीणजरमरणा चउवीसं पि जिणवरा तित्थयरा मे पसीयंतु स्वाहा । આ મંત્ર ઊર્ધ્વ દિશે પૂર્વ સામા હાથ જોડી ઊભા રહીને પ000 મંત્ર જપીજે. તીન વાર નમીઈ. સર્વ દેવતા સંતુષ્ટ હોવે, સર્વ સુખ પામે. ઇતિ પંચમ મંડલ //પી ॐ उ झुंबराय (?) कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु स्वाहा ।। આ મંત્ર ૧૫૦૦૦ જાપ કીજે, સમાધિ મરણ હોય. ઇતિ ષષ્ઠ મંડલ //૬ ॐ ह्रीं ऐं आँ जाँ जी चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा सागरवरगंभीरा Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય सिद्धा सिद्धि मम दिसंतु मम मनोवांछितं पूरय पूरय स्वाहा । આ મંત્ર ૧૦૦૪ વાર બીલીપત્ર ૧૦ હજાર વૃતસું હોમ કીજે. સકલ મનોવાંછિત સિદ્ધિ (દ્ધ) હોય, સર્વ લોકમાં યશ, પ્રતિષ્ઠા, કીર્તિ વધે. ઇતિ સપ્તમ મંડલ IIકા इति तीर्थंकरस्तवनमन्त्राक्षरफलम् । (૧૧)-૪ ફલાફલવિષયકપ્રશ્નપત્ર શ્રીમાનું જિનવિજયજી સંપાદિત “જૈન સાહિત્ય સંશોધક' નામના સૈમાસિક (ખંડ ૩જો અંક રજો પૃ. ૧૬૨થી ૧૬૫)માં આ “ફલાફલવિષયકપ્રશ્નપત્ર' નામની કૃતિ વિ. સં. ૧૯૮૩માં છપાયેલ છે. તે સિવાય આ કૃતિ પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં પણ જોવા મળે છે. જૈન સાહિત્ય સંશોધકના સંપાદકને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી વાચકની સ્વહસ્તલિખિત પ્રતિ પ્રાપ્ત થયેલી હોવાથી તેનો ફોટો ઉપર્યુક્ત અંકમાં મુદ્રિત કરેલ છે, તેથી તેની મહત્તા અનેકગણી વધી ગઈ છે. આની રચના છ ગૃહવાળાં ચક્રો દ્વારા કરવામાં આવી છે. દરેક ચક્રના ગર્ભમાં ‘ૐ શ્રી શ્રી મર્દ નમ:' એ મંત્ર આલેખવામાં આવ્યો છે અને ગૃહોમાં છ તીર્થકર ભગવંતોનાં નામ આલેખવામાં આવ્યાં છે. દરેક ચક્રમાં છ તીર્થકર ભગવંતનાં નામો આલેખવાથી એકંદર ચાર ચક્રોમાં ચોવીસે ય તીર્થકર ભગવાનોનાં નામો સમાવિષ્ટ થાય છે. - દરેક તીર્થંકરભગવંતના નામવાળા ગૃહમાં એક એક પૃચ્છા આલેખવામાં આવી છે, તેથી એકંદર ચોવીસ પૃચ્છા એટલે પ્રશ્નો આલેખાયા છે. ફલાફલવિષયક વિભાગમાં દરેક ભગવંતના નામ પર છ છ ફલાફલવિષયક ઉત્તરો રજૂ કરાયા છે, તેથી ચોવીશ પ્રશ્નના એકસો ચુંવાલીસ ફલાફલવિષયક ઉત્તરો પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે આ ફલાફલવિષયક પ્રશ્નપત્રની રચના છે. પ્રસ્તુત કૃતિ ચતુર્વિશતિ જિનના નામપૂર્વક હોવાથી આ ગ્રંથમાં તે સમાવિષ્ટ કરાઈ છે. આ ચક્રો દ્વારા પ્રશ્નોના ફલાફલવિષયક ઉત્તરો કેવી રીતે પ્રાપ્ત કરવા તે જાણવા માટે શ્રીઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં જ અવતરણ આપવું યોગ્ય થશે – 'ॐ ह्रीँ श्री अहँ नमः' एणिं मंत्रइं वार २१ स्थापना खडी अथवा पूगीफल अभिमंत्री मूकावीइ । जेह बोलनी पृच्छा करई तेह थुक जिहां थापना मूकइ तेहना तीर्थंकरनी फाटिं मूंकड़ । तेहनी ते ओली गणवी । पंडित श्रीनयविजयगणिशिष्य गणिजसविजय लिखितं ॥६॥ સમજૂતી– ૬ શ્રી મર્દ નમ: એ મંત્રથી ખડી (ચાક) અથવા પૂગીફળ (સોપારી) વાર ૨૧ મંત્રિત કરવી અને પછી ઉપર્યુક્ત ચાર ચક્ર પૈકી જે ચક્રમાં આપણી પૃચ્છા એટલે પ્રશ્ન લખેલ હોય તે ચક્રના કોઈ પણ ગૃહમાં તે પૂગીફળને સહજ ભાવે મૂકવું. આપણી પૃચ્છા જે ગૃહમાં લખેલ હોય તે ગૃહની સંખ્યા પહેલી સમજીને પૂગીફળ જયાં મૂકેલ હોય તે ત્યાંથી Page #174 -------------------------------------------------------------------------- ________________ महोपाध्याय श्री यशोविजयगणि लिखित २४ तीर्थंकरोना नामथी अंकित फलाफल विषयक प्रश्नपत्र श्रीमपभ श्री सुपार्श्वनाथ कायसिद्धि व्यापार पृच्छा पृच्छा Bापमप्रभ व्यवहार 8)ोवासुपूज्य २० जित Pubble का श्रीचद्रप्रभ प्रच्छा 1e24 व्याजदान Jesh श्री अह श्री अहे नमः नमः 6826 पूछा हासारख्य पृच्छा पच्छा भय सेवा श्रीसुमतिनाथ श्रीसभव ३ बियांशनाथ ११ विधिनाथ CONDI चतुम्पद LL!!€185 3)भासातलनाथ W) श्रीविमलनाथ श्रीमल्लिनाथ । धारणागति श्रीअरनाथ पृच्छा जयाऽजय त्रिविधौषधी (पृच्छा श्रीअनवनाथ श्रीमहावार २० बाधाषा Cah गतवस्तु पच्छा प्रच्छा राज्यप्राप्त निसुव्रत २० श्री अहैं 220 श्री अॅहै नमः नमः JPh 1826. वर परराध 1920 प्रह आगतुक Jee पृच्छा कन्यादान पृच्छा जाश्री कुन्युनाथ धर्मनाथ १५ वाज श्रीपाश्वनाथ मनामनाथ २१ मा श्रीशतिनाथ मीनेमिनाथ २२ (क Page #175 -------------------------------------------------------------------------- ________________ Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૦૭ કેટલામું ગૃહ છે તે યાદ રાખવું અને પૂગીફળવાળા ગૃહમાં ફલાફલવિષયક પ્રશ્નપત્રમાં જે ભગવાનનું નામ હોય તે ભગવાનનો વર્ગ (ફાંટિ) શોધી તેમાં યાદ રાખેલી સંખ્યાની પંક્તિમાં (ઓલીમાં) જે ઉત્તર દર્શાવ્યો હોય તે જ પૃચ્છાનો ઉત્તર સમજવો. વિશેષ સમજૂતિ માટે એક દૃષ્ટાંત લઈએ – એક વ્યક્તિને મેઘવૃષ્ટિ અંગે પૃચ્છા કરવી છે. તો સર્વ પ્રથમ એ વિચારવું જોઈએ કે તે પૃચ્છા ચાર ચક્રો પૈકી ક્યા ચક્રમાં છે ? ઉપર્યુક્ત પૃચ્છા પ્રથમ ચક્રમાં છે, એટલે પૃચ્છકે ... 7 શ્રી મદ્ નમ: એ મંત્રથી ૨૧ વાર પૂગીફળ મંત્રિત કરી પ્રથમ ચક્રના કોઈ પણ ગૃહમાં સહજ ભાવે તે મૂકવું. હવે જો પાંચમા ગૃહમાં કે જ્યાં સુમતિનાથ લખેલ છે ત્યાં તે મૂક્યું હોય તો પવૃષ્ટિ પૃછા જેમાં લખેલ છે તે ગૃહથી પુગીફળવાળું ગૃહ ચોથું થાય છે તો ફલાફલવિષયક વિભાગમાં સુમતિનાથના વર્ગમાં ચોથી પંક્તિ (ઓલી) તપાસવી, તેમાં પ્રવુરાં રેલવૃષ્ટિવિષ્યતિ લખ્યું છે એટલે પુષ્કળ વરસાદ થશે તેવો પ્રશ્નનો ઉત્તર મળ્યો તેમ સમજવું. આ પ્રમાણે ચોવીસેય પ્રશ્નો વિષે ઉત્તરો સમજી લેવા. ફાર્ટિ = વર્ગ. ઓલી = પંક્તિ. ફલાફલવિષયક ઉત્તરો | શ્રી નવનાથ .. १ शीघ्रं सफला कार्यसिद्धिर्भविष्यति । २ अस्मिन् व्यवहारे मध्यमं फलं दृश्यते । ३ ग्रामान्तरे फलं नास्ति कष्टमस्ति । ४ भव्यं स्थानसौख्यं भविष्यति । ५ मध्यमं देशसौख्यं भविष्यति । ६ अल्पा मेघवृष्टिः संभाव्यते । | શ્રી નિતનાથ મારા १ प्रचुरा मेघवृष्टिर्भविष्यति । २ मध्यमफला कार्यसिद्धिर्भविष्यति । ३ अस्मिन् व्यवहारे लाभो नास्ति । ४ सकुशलं सलाभं ग्रामान्तरं भविष्यति । ५ स्थानसौख्यं भविष्यति । ६ महद्देशसौख्यं भविष्यति । શ્રી સંભવનાથ રૂા. १ भव्यं देशसौख्यं भविष्यति । २ मध्यमा मेघवृष्टिर्भविष्यति । Page #177 -------------------------------------------------------------------------- ________________ १०८ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ३ कार्यसिद्धिरस्ति फलं नास्ति । ४ सलाभो व्यवहारो भविष्यति । ५ ग्रामान्तरे मध्यमं फलं भविष्यति । ६ महत् स्थानसौख्यं भविष्यति । ॥ श्री अभिनन्दन ॥४॥ १ भव्यं स्थानसौख्यं भविष्यति । २ देशसौख्यं मध्यमं भविष्यति । ३ प्रजाभाग्येन मेघवृष्टिर्भविष्यति । ४ सुन्दरा कार्यसिद्धिर्भविष्यति । ५ मध्यमं फलं व्यवहारे भविष्यति । ६ ग्रामान्तरे कष्टं न च फलम् । ॥ श्री सुमतिनाथ ॥५॥ १ सकुशलं सफलं ग्रामान्तरं भविष्यति । २ स्थानसौख्यं मध्यमं भविष्यति । ३ देशसौख्यं न दृश्यते । ४ प्रचुरा मेघवृष्टिर्भविष्यति । ५ कार्यसिद्धिरस्ति फलं च नास्ति । ६ व्यवहारो निष्फलो हानिकरः । ॥ श्री पद्मप्रभस्वामि ॥६॥ १ व्यवहारः सलाभो भविष्यति । २ मध्यमं ग्रामान्तरं भविष्यति । ३ स्थानसौख्यं सर्वथा नास्ति । ४ भव्यं देशसौख्यं भविष्यति । ५ मध्यमा मेघवृष्टिर्भविष्यति । ६ न च कार्यसिद्धि न च फलम् । ॥ श्री सुपार्श्वनाथ ॥७॥ १ व्यापारो महालाभप्रदः । २ सेवकः सुन्दरो भविष्यति । ३ सेवाफलं सर्वथा नास्ति । ४ चतुष्पदानां महान[ ती] वृद्धिर्भविष्यति । ५ भयं यास्यति परं द्रव्यहानिः । ६ व्याजे दत्तं पुनरपि हस्ते न चटिष्यति । Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ॥ श्री चन्द्रप्रभस्वामि ॥८॥ १ दत्तं सविशेषलाभं भावि । २ व्यापारे लाभो न च हानिः । ३ सेवकोऽयमर्थाय भविष्यति । ४ सेवा कृता महालाभकारी भविष्यति । ५ चतुष्पदलाभो मध्यमो भविष्यति । ६ भयं विधेयं धर्मः कार्यः । ॥ श्री सुविधिनाथ ॥९॥ १ भयं सर्वथा न कार्यम् । २ दत्तं लाभनाशाय भविष्यति । ३ व्यापारः क्लेशफलो भविष्यति । ४ सेवको भव्यो भविष्यति । ५ सेवा मध्यमफला भविष्यति । ६ चतुष्पदानां हानिर्भविष्यति । ॥ श्री शीतलनाथ ॥१०॥ १ चतुष्पदाल्लाभो दृश्यते । २ भयं भविष्यति परमलीकम् । ३ दत्तं सर्वथा यास्यत्येव । ४ व्यापारो मध्यो भावी । ५ सेवकोऽयं मध्यमगुणः । ६ सेवा कष्टफललाभा भाविनी । ॥ श्री श्रेयांसनाथ ॥११॥ १ सेवा सफला भविष्यति । २ चतुष्पदहानिः लाभश्च स्यात् । ३ भयं भवत्येवात्मचिन्ता कार्या । ४ दत्तं सलाभं सपरोपकारं भविष्यति । ५ व्यापारान्न च लाभो हानिः । ६ सेवक उद्वेगकरो भविष्यति । ॥ श्री वासुपूज्य ॥१२॥ १ सेवको भव्योपकारी भविष्यति । २ सेवा मध्यमफला न दृश्यते । ३ चतुष्पदान्न च लाभो हानिः । ૧૦૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ४ भयं शमिष्यति चिन्ता न कार्या । ५ दत्तं चटिष्यति परं बहुकाले । ६ व्यापारो महाकष्टफलः । || श्री विमलनाथ ॥ १३ ॥ १ धारणागतिर्भव्या भवेत् । २ जयः पराजयोऽपि भविष्यति । ३ वरो निःपुण्यो दरिद्रश्च स्यात् । ४ पुण्यवती कन्येयं प्रत्यक्षश्रीः । ५ किञ्चिद्दण्डेन पुररोध उपशमिष्यति । ६ बद्धो बहुदण्डेनापि भाग्येन छुटिष्यति । ॥ श्री अनन्तनाथ ॥ १४ ॥ १ बद्धो मुधैव शीघ्रं छुटियति । २ धारणागतिर्मध्यमा भवेत् । ३ जयो नास्ति हानिर्भविष्यति । ४ वरोऽयं पुण्यवान् दीर्घायुश्च । ५ कन्या मध्यमा भविष्यति । ६ पुररोधो महाभाग्येन छुटिष्यति । ॥ श्री धर्मनाथ ॥१५॥ १ पुररोध उपशमिष्यति । २ बद्धः छुटिष्यति द्रव्यव्ययेन । ३ धारणागतिर्नोद्वेगो भविष्यति । ४ जयो भविष्यति पराजयश्च । ५ वरो भव्योऽतिअल्पायुः । ६ कन्या कुलकलङ्किनी । ॥ श्री शान्तिनाथ ॥ १६ ॥ १ कन्या सुशीला सदाचारा । २ पुररोधः कष्टेन । ३ बद्धो महाभाग्येन छुटिष्यति । ४ धारणागतिर्भव्या विद्यते । ५ पराजयो जयो भवेत् । ६ वरोऽयं न भव्यो व्यसनी । લોગસ્સસૂત્ર સ્વાધ્યાય Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૧૧ ॥ श्री कुन्थुनाथ ॥१७॥ १ वरः पुण्योऽस्ति सुखी च । २ कन्या भव्यास्ति परं कलहकृत् । ३ पुररोधः पुण्येन छुटिष्यति । ४ बद्धो मुधैव शीघ्रं छुटिष्यति । ५ धारणागतिर्मध्यमा भवेत् । ६ जये। यो )न सर्वार्थचिन्ता कार्या । ॥ श्री अरनाथ ॥१८॥ १ जयो भविष्यति यशोऽपि भविष्यति । २ वरो मध्यगुणो भविष्यति । ३ कन्याऽसावुद्वेगकरी भवेत् । ४ पुररोधः स्तोकदिनैर्यास्यति । ५ बद्धो महाकष्टेन छुटिष्यति । ६ धारणागतिः सुन्दरा उद्वेगश्च । ॥ श्री मल्लिनाथ ॥१९॥ १ मन्त्रौषधिभ्यो महागुणो भावी । २ गतं वस्तु सविलंम्बं स्तोकं चटिष्यति । ३ आगन्तुकः कष्टे पतितः सविलम्बमागमिष्यति । ४ सन्ताने पुत्रो भावी ।। ५ अर्थचिन्ता, सहजैवार्थप्राप्तिः ।। ६ राज्यं क्वापि नास्ति, प्राणा रक्षणीयाः । ॥ श्री मुनिसुव्रतस्वामि ॥२०॥ १ राज्यं भव्यं परं जनभक्तिः न । २ मन्त्रविद्यौषधिभ्यो मध्यमो गुणो भविष्यति । ३ गतं गतमेव शेषं रक्षणीयम् । ४ आगन्तुकः शीघ्रं सलाभोऽस्ति । ५ संताने पुत्रो भवेन्न सुन्दरः । ६ अर्थचिन्ताऽस्ति परं न दृश्यते । ॥ श्री नमिनाथ ॥२१॥ १ अर्थलाभो भविष्यति चिंता न [कार्या] । २ राज्यं सविलम्बं सोपक्रमं भावि । ३ मन्त्रौषधिभ्योऽनर्थो भावी । Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ લોગસ્સસુત્ર સ્વાધ્યાય ४ गतं शीघ्रं चटिष्यति । ५ आगन्तुको मार्गाद् विलम्बितः । ६ संताने पुत्रो भविष्यति धनागमः । ॥ श्री नेमिनाथ ॥२२॥ १ संताने पुत्रो भव्यो भविष्यति । २ अर्थचिन्ताऽस्ति परं मध्यम पुण्यम् । ३ राज्यं नास्ति प्रयासो न कार्यः । ४ मन्त्रौषधिभ्यो गुणो भावी । ५ गतं वस्तु अर्धप्रायं चटिष्यति । ६ आगन्तुकागमनं सम्प्रति दृश्यते । ॥ श्री पार्श्वनाथ ॥२३॥ १ आगन्तुका आगता एव, वर्धाप्यसे । २ सन्ताने पुत्राः पुत्रिकाश्च सन्ति । ३ अर्थचिन्ता विद्यते परं दुर्लभा । ४ राज्यं भविष्यति प्रयासो न कार्यः । ५ मन्त्रविद्यौषधिभ्यो न गुणः । ६ गतं वस्तु प्रायश्चटिष्यति । ॥ श्री महावीरस्वामी ॥२४॥ १ गतं यथा तथा हस्ते चटति । २ आगन्तुकः सम्प्रति सविलम्बो दृश्यते । ३ सन्तात्सुखं न विलोक्यम् । ४ अर्थचिन्ता न कार्या ।। ५ राज्यं सकष्टं सविलम्बं भावि । ६ मन्त्रविद्यौषधिभ्यो न गुणः । નોંધ :- જૈન સાહિત્ય સંશોધકમાં છપાયેલ પ્રશ્નપત્ર અશુદ્ધ હોવાથી તેને અહીં સુધારીને મૂકવામાં આવેલ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________