SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ગુણો છે અને ચાર મૂલાતિશયોરૂપ છે. આઠ પ્રાતિહાર્યદ્વારા થતી ભગવાનની પૂજા તે ભગવાનના ગુણ અથવા લક્ષણરૂપ નથી. લક્ષણ બે પ્રકારના હોય છે. એક આત્મભૂત લક્ષણ અને બીજું - અનાત્મભૂત લક્ષણ. આઠ પ્રતિહાર્યોને ભગવાનના આત્મા સાથે કશો સંબંધ નથી. (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) વચનાતિશય અને (૪) પૂજાતિશય. એ ચાર અતિશયોથી જ તીર્થંકર દેવો મહાન છે. તે આત્મલક્ષણરૂપે અનુક્રમે નીચે પ્રમાણે પણ દર્શાવાય છે. (૧) મોહનો સર્વથા નાશ (નિને શબ્દથી નિર્દિષ્ટ છે) (૨) કેવળજ્ઞાન ઉત્પન્ન થવું. (વતી શબ્દથી નિર્દિષ્ટ છે). (૩) સર્વ ભાષામાં પરિણામ પામનારી એવી વાણી હોવી. (ધÍતિસ્થય પદથી નિર્દિષ્ટ છે) (૪) બહુધા સમવસરણમાં બિરાજમાન થઈને દેશના આપવી. (તસ્સ સજ્જો રે પદથી નિર્દિષ્ટ છે.) આ ચાર અતિશયો બીજા કોઈમાં પણ સંભવી શકતા નથી, ભાવઅરિહંતપણાનું કારણ પણ આ ચાર અતિશયો જ છે. ગુણાનુરાગ–જેમાં સ્વત્વ અને સ્વસંબંધિત્વનો પ્રવેશ ન હોય, તેવી રીતે ગુણોની જે પ્રશંસા અને તેવા ગુણો ઉપર જે રાગ તે જ ખરેખર ગુણપ્રશંસા અને ગુણાનુરાગ હોઈ રાગ સ્વરૂપ છતાં ભક્તિરાગ જ ગણાય છે, તે સ્નેહરાગ કહેવાતો નથી, તેથી તેનો સંબંધ નિર્જરા સાથે છે.. નિક્ષેપ–શબ્દની અર્થવ્યવસ્થા અથવા નિક્ષેપ ચાર પ્રકારે થઈ શકે છે. તે નામનિક્ષેપ, સ્થાપના અથવા આકૃતિનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ છે. “અરિહંત' શબ્દના નિક્ષેપની આ ચાર પ્રકારે વિચારણા કરીશું. નામનિક્ષેપ-અતીત, અનાગત કે વર્તમાનની, પાંચ ભરત અને પાંચ ઐરાવતની ત્રીસ ચોવીસીમાં કે મહાવિદેહના અતીત, અનાગત કે વર્તમાન જિનોમાં કોઈ પણ “અરિહંત' નામના તીર્થંકર થયા નથી કે જેઓશ્રીને ઉદ્દેશીને અરિહંત-નામની આરાધના થાય. વસ્તુતઃ તે અરિહંત પદની આરાધના છે અને તે કોઈ પણ વ્યક્તિને અંગે નહીં પણ સમગ્ર ક્ષેત્ર અને સમગ્ર કાલના સમગ્ર તીર્થકરોના અહંતપણાના ગુણને અનુસરીને આરાધ્યતા ગણવામાં આવી છે, તેથી જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી ચોવીસતીર્થકરોની સ્તુતિ કરતાં પહેલાં સકલ અરિહંતોની પ્રતિષ્ઠાના આધારભૂત, મોક્ષલક્ષ્મીના અધિષ્ઠાનસ્વરૂપ અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાલ લોકમાં અદ્વિતીય સામર્થ્યવાળું અહતપણું ગણીને તેના જ ધ્યાનમાં લીન થવાનું કહે છે અને સાથે તે જ અહંતોના નામ, (ઋષભ, અજિત વગેરે) આકૃતિ, દ્રવ્ય તથા ભાવે કરીને ત્રણે જગતના જીવોને પાવન કરનાર અહંતપદને ધારણ કરનાર સર્વ ક્ષેત્ર અને સર્વકાલના તીર્થકરોની સેવનાને કર્તવ્ય તરીકે ગણાવતાં પોતે સેવા કરે છે - કરવાનું કહે છે. આ પ્રકારની અરિહંતપદની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy