SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીસેય તીર્થકરોમાં હોય. (૨) યાકિનીમહત્તરાસૂનુ આચાર્યભગવંત શ્રીહરિભદ્રસૂરિએ જણાવ્યું છે કે એક તીર્થકર ભગવંતની પૂજા કરવાથી સર્વ તીર્થકર ભગવંતોની પૂજા થઈ જાય છે." (૩) વળી ‘સકલાઉત સ્તોત્ર'ના પ્રથમ શ્લોકમાં પણ અહીં આગળ દર્શાવ્યા પ્રમાણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચન્દ્રસૂરિ આઈજ્ય-ગુણના ધ્યાનમાં લીન થવાનું કહે છે. ઉપરના ત્રણ કારણોથી સ્પષ્ટ થાય છે કે એક તીર્થકર ભગવંતના નામગ્રહણથી જેટલો લાભ થાય છે તેટલો જ લાભ ચોવીસ તીર્થકરોના નામ ગ્રહણથી થાય છે, તો ચોવીસ જિનના નામોચ્ચારણપૂર્વકની સ્તવના શા માટે ? ઉપર્યુક્ત બંને શંકાઓનું નિરાકરણ એ છે કે પૃથફ પૃથફ ચોવીસેય તીર્થંકરભગવંતો ગુણોથી સમાન છે, સઘળા એકસરખા સ્તુતિને પાત્ર છે, છતાં પણ તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન છે, તેથી તે પ્રત્યેકના નામગ્રહણથી જે ઉલ્લાસ, જે ભાવના થાય છે અને તે દ્વારા ગાઢ કર્મોની જે નિર્જરા થાય છે તે અપૂર્વ હોય છે. આ વસ્તુ અનુભવ અને શાસ્ત્રોથી સિદ્ધ છે. નામનિક્ષેપની ધારણાથી જ આ પરિણામ શક્ય છે. જો એમ ન મનાય તો સાક્ષાત્ શ્રી ઋષભદેવ આદિ અરિહંતભગવંતને નમસ્કાર કરવાથી જે ફળ મળે તે ફળ ‘રૂસમ મન વ વં’ બોલવાથી મળે જ નહીં. એટલું જ નહીં પણ નામનો અને નામીનો સંબંધ ન માનવામાં આવે તો ‘સમનિમં ૨ વંટુ’ કહેવાથી કેવળ ભાષાના પુદ્ગલો કે જે અચેતન છે તેનો નિરર્થક પ્રયોગ જ થાય. સ્થાપના (આકૃતિ) નિક્ષેપ-કોઈ પણ નામ ગ્રહણ કરતાં તે નામથી વાચ્ય થતી વ્યક્તિ અથવા તેનું સ્વરૂપ પ્રતિમા- માનસપટ ઉપર અવશ્ય પ્રકટ થાય છે, તેથી નામ અને નામીના અભેદ સંબંધનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે. શ્રીજિનેશ્વરદેવનું નામ હૃદયમાં સ્થિર થતાં-વાણીની મધ્યમા અવસ્થામાં તે પ્રવેશતાં १. एगम्मि पूइयम्मि, सव्वे ते पूइया हुंति ॥' ૨. .......... વનિVI M firદ્રડિમાનો | ......... .//૪ો દેવવંદનભાષ્ય, પૃષ્ઠ ૩૭૫ ૩. “વૈખરી' વાણીનું ઉપાદાન સ્થૂલ પ્રાણવૃત્તિ છે, પણ મધ્યમાવાણીનું ઉપાદાન બુદ્ધિ છે. મધ્યમાં વાણીમાં ક્રમ હોય છે, કારણ કે તે પ્રાણમાં રહે છે. તાત્પર્ય કે મધ્યમાવાણીનો આધાર પ્રાણ છે, પણ ઉપાદાન બુદ્ધિ છે. એવું હોવા છતાં પણ મધ્યમાવાણીની ઉત્પત્તિમાં હેતુ ભલે સ્થૂલ પ્રાણવૃત્તિ નથી, ૫ પ્રાણવૃત્તિ તો છે જ. જેમ એ વાણી સૂક્ષ્મ પ્રાણવૃત્તિમાં રહે છે, તેમ મનમાં પણ રહે છે. વૈખરી અને પશ્યન્તીની મધ્યે એનું સ્થાન હોવાથી એ મધ્યમા કહેવાય છે.” ‘તાત્પર્ય કે મધ્યમા વાણી અંતઃસંકષ્પમાન, ક્રમવાળી અને જેના વર્ષોના રૂપની અભિવ્યક્તિ શ્રોત્રથી ગ્રાહ્ય નથી તેવી હોય છે.” વ્યક્તિરૂપ ભાવવાણી વૈકલ્પિક મતિરૂપ છે અને શ્રોત્રગ્રાહ્ય વાણીનું કારણ છે. તેને મધ્યમાં કહે છે.” “મધ્યમા વાણી શ્રુતજ્ઞાનોપયોગરૂપ છે.” સ્યાદ્વાદરત્નાકર, પરિચ્છેદ-૧, સૂત્ર ૭, પેજ ૮૯-૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy