SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કરનાર છે. તે શુભને પ્રવર્તાવ છે. તાત્પર્ય કે તેમના નામસ્મરણથી સઘળાં દુઃખો દૂર થઈને સર્વ સુખનાં સાધનો આપોઆપ મળી આવે છે, તેટલું જ નહીં પણ જો શ્રી તીર્થંકરભગવંતના નામના એક જ પદને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તો આત્મા સ્વયં તીર્થકર થાય છે. નામસ્મરણથી સમ્યગ્દષ્ટિ આત્માની અસ્વસ્થતા દૂર થાય છે. કદાચ તીવ્ર નિકાચિત કર્મના ઉદયથી તે દૂર ન થાય તો પણ દુઃખમાં ધૃતિ-ધીરજ રાખવાની વૃત્તિ પ્રગટે છે અને પ્રજ્ઞાને પરમ પ્રકાશ સાંપડે છે. નામસ્મરણ આટલું ગુણસંપન્ન અને કલ્યાણકારી છે એટલે જ તેને ભક્તિનું એક પ્રધાન અંગ ગણેલ છે અને જણાવેલ છે કે “ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાઓનું બીજ છે.” નામસ્મરણ સઘળી શ્રેણિના સાધકો માટે પરમ ઉપયોગી તથા આત્મદર્શન કરાવનાર છે. લોગસ્સસૂત્ર દ્વારા નામસ્મરણની પ્રાથમિક અવસ્થામાં ગુરુની અનુજ્ઞાની અને બાહ્યતાના સાધનની આવશ્યક્તા રહે છે, પરંતુ એક વખત આરાધકના હૃદયમાં અરિહંત ભગવંતના નામ પ્રત્યે અનન્ય શ્રદ્ધા પ્રકટે, અન્તરંગ પ્રતીતિ જાગી ઊઠે, ત્યારે તેની બોધિની વિશુદ્ધિમાં તે નામસ્મરણ પરમ નિમિત્ત બને છે.' નામસ્મરણનો ઉપર્યુક્ત પ્રભાવ ત્યારે જ અનુભવાય છે કે જયારે નામસ્મરણ અર્થના ઉપયોગપૂર્વકનું અને ગુણાનુરાગવાળું હોય. ઉપયોગ અને ભાવનગરના નામસ્મરણને શાસ્ત્રોએ રાજાની વેઠની ઉપમા આપી છે. તેવું નામસ્મરણ સાધારણ ફળ જરૂર આપે છે પણ અભીષ્ઠ ફળ આપવા સમર્થ બની શકતું નથી. અહીં નીચે પ્રમાણે બે શંકા થવા સંભવ છે : ૧. ચોવીસ તીર્થંકરો કોઈ ક્ષેત્રમાં કોઈ કાલે એકઠા થયા નથી તો આરાધકના હૃદય ક્ષેત્રમાં એક જ સમયે નામગ્રહણથી તેમને એકત્ર કરવાથી ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? ૨. (૧) એક તીર્થકર ભગવાનમાં જે શ્રેષ્ઠ અને ઉત્તમોત્તમ ગુણોનો સમૂહ હોય તે ૧. નનન ! સુણવત્તા, તવ પુરસુત્તમ ! તાત્તિi I..........III અજિત-શાંતિ સ્તવ २. आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते નામપિ પતિ ભવતો ભવતો નન્તિ.................Iળા કલ્યાણ મંદિર સ્તોત્ર 3. एतेषामेकमप्यर्हन्नाम्नामुच्चारचन्नधैः । | મુખ્યત્વે કિં પુન: સર્વા-ળ્યજ્ઞg fનના તે I૬૪રા જિનસહસ્રનામ ४. सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । પ#િાવતી વીનં, પરમાનન્દસમામ્ IIQરા ધાત્રિશદ્ દ્વાત્રિશિકા (ચતુર્થ ધાત્રિશિકા) પત્ર ૨૫ અ ५. दंसणयार-विसोही चउवीसायथएण किच्चइ य । --કિત્તાત્કવે નિવરિદ્વા રા ચઉસરણ-પર્ણય ગાથા ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy