SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક હોય એટલે કે પરાવર્તનાના અર્થઆદિમાં ઉપયોગ રહિત હોય તો પણ પૂર્વઅભ્યાસના યોગે મુખ વડે પરાવર્તન સંભવે છે; પણ સ્મરણ તો મનની અવહિતવૃત્તિમાં જ થઈ શકે. મંત્ર આરાધન વગેરેમાં પણ સ્મરણથી જ વિશેષ પ્રકારે સિદ્ધિ થાય છે. કહ્યું છે કે –“અવરજવરવાળા સ્થાન કરતાં એકાંતમાં જપ કરવો શ્રેષ્ઠ છે; શાબ્દિક જપ કરતાં મૌન જપ અને મૌન જપ કરતાં માનસ જય શ્રેષ્ઠ છે. આમ (ઉત્તરોત્તર) જપ વધારે વધારે પ્રશંસનીય છે.”૧ . (૭)–૯. પરિમાણ જયારે એક અથવા તેથી વધારે લોગસ્સસૂત્રનો કાયોત્સર્ગ કરવાનો પ્રસંગ આવે ત્યારે એક લોગસ્સ સૂત્રની બરાબર ચાર નવકાર (લોગસ્સ સૂત્ર ન આવડતું હોય તો) ગણવાની પદ્ધતિ વર્તમાન કાળમાં પ્રચલિત છે. શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ ચાલીસ લોગસ્સસૂત્ર (વંસુ નિષ્કર્તયા સુધી) અને તેના ઉપર એક નવકારનો કાયોત્સર્ગ કરતી વેળા, તે (લોગસ્સસૂત્ર) ન આવડતું હોય તેને એકસો સાઠ નવકાર ગણવાના હોય છે. એક લોગસ્સસૂત્ર (વંદે, નિમત્તયા) સુધી ગણવાથી પચીસ શ્વાસોધ્વાસ થાય છે, જ્યારે નવકારના આઠ શ્વાસોચ્છવાસ ગણતાં ચાર નવકાર ગણવાથી બત્રીસ શ્વાસોચ્છવાસ થાય છે. આ પ્રથા ચાલુ છે, તેની અહીં નોંધ છે. (૭)–૧૦. તુલનાત્મક વિચારણા (5) લોગસ્સસૂત્રમાં જે બોધિલાભ ( બોદિતાનં) અને શ્રેષ્ઠ ભાવસમાધિ (સમદિવરમુN) ની યાચના કરવામાં આવી છે તે જ વાત “શ્રી જયવીયરાયસૂત્ર'ની ૪થી ગાથામાં समाहिमरणं च बोहिलाभो अ । संपज्जउ मह एअं। तुह नाह पणामकरणेणं ॥४॥ એ શબ્દો દ્વારા જણાવીને યાચના કરવામાં આવી છે. શ્રી વંદિતુ સૂત્રની ૪૭મી ગાથામાં પણ 'दितु समाहिं च बोंहिं च' | એ ચોથા પાદથી એ જ યાચના કરવામાં આવી છે. १. कायोत्सर्गादावस्वाध्यायिकादौ च परावर्तनाया अयोगेऽनुप्रेक्षयैव श्रुतस्मृत्यादि स्यात्, परावर्तनातश्च स्मृते रधिकफलत्वं, मुखेन परावर्त्तना हि मनसः शून्यत्वेऽप्यभ्यासवशात्, स्मृतिस्तुतमनसोऽवहितवृत्तावेव, मन्त्राराधनादावपि स्मृत्यैव विशेषसिद्धिः, यदभ्यधायिसङ्कुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । મનગમનસ: શ્રેણ, નાપ: રત્નાશ્ચઃ : પર: 1 –આચારપ્રદીપ ૫. ૮૯ આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy