SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણ જેના વડે યથાવસ્થિત રીતે વસ્તુ જણાય તે જ્ઞાન છે. તે જ્ઞાન એ જ “ભાવઉદ્યોત' છે." ચે. વ. મ. ભા. જણાવે છે કે કેવળજ્ઞાનથી ઉત્પન્ન થનારો ઉદ્યોત તે “ભાવઉદ્યોત' છે. ૭ 'उद्द्योतं कुर्वन्ति इत्येवं शीलं येषां ते उद्द्योतकराः' પ્રકાશ કરવો એવો છે સ્વભાવ જેમનો તે “ઉદ્યોતકર' કહેવાય. ઉદ્યોતના બે ભેદો (દ્રવ્યોદ્યોત અને ભાવોદ્યોત) પૈકી દ્રવ્યોદ્યોતથી જિનેશ્વરો લોકનો ઉદ્યોત કરનારા નથી હોતા પરંતુ તીર્થંકર નામકર્મના ઉદયથી અતુલ સત્ત્વાર્થપરોપકાર-કરવા દ્વારા ભાવોદ્યોત કરનારા હોય છે. ઉદ્યોતકર’ પણ બે પ્રકારે હોય છે. (૧) “સ્વઉદ્યોતકર' (૨) “પરઉદ્યોતકર.” શ્રીતીર્થકરભગવંતો બન્ને પ્રકારે ‘ઉદ્યોતકર છે. પોતાના આત્માને ઉદ્દદ્યોતિત કરવા દ્વારા તેઓ “સ્વઉદ્યોતકર છે અને લોકમાં પ્રકાશ ફ્લાવનાર વચનરૂપી દીપકની અપેક્ષાએ તેઓ બાકીના ભવ્ય વિશેષો માટે ઉદ્યોત કરનારા હોવાથી “પરઉદ્યોતકર' છે. ઉદ્દદ્યોતના પૂર્વોક્ત બે ભેદોમાં “ભાવોદ્યોત'નું સ્થાન અતિ મહત્ત્વનું છે, કારણ કે દ્રવ્યોદ્યોતનો ઉદ્યોત પુદ્ગલસ્વરૂપ હોવાથી તેમ જ તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી પરિમિત ક્ષેત્રમાં પ્રકાશ કરે છે, જયારે ભાવોદ્યોતનો ઉદ્યોત લોક અને અલોકને પ્રકાશિત કરે છે. ૧૦ આ વિષયમાં યો. શા. સ્વ. વિ.માં કહેવાયું છે કે – કેવલજ્ઞાનના પ્રકાશરૂપી દીપકથી શ્રીતીર્થંકરભગવંતો સર્વલોકમાં પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે માટે તે ઉદ્યોતકર છે. ૧૧ દે. ભા.૧૨ તેમજ વં. વૃ.૧૩ જણાવે છે કે કેવલજ્ઞાનના પ્રકાશથી અથવા તો તે પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી શ્રીજિનેશ્વરભગવંતો ઉદ્દદ્યોત કરવાના સ્વભાવવાળા છે. ડું ૬. જ્ઞાતેિને યથાવસ્થિત વસ્તુ તિ જ્ઞાન તન્નાને માવો : ! –આ. હા. ટી., પ. ૪૯૭ અ. ૭. વતનાબુદમો માવો ! –ચે. વ. મ. ભા., ગા. ૫૧૩, પૃ. ૯૩ लोकस्योद्योतकराः द्रव्योद्योतेन नैव जिना भवन्ति, तीर्थकरनामानुकर्मोदयतोऽतुलसत्त्वार्थकरणात् भावोद्योतकराः पुनर्भवन्ति । –આ. હા, ટી., પ. ૪૯૭ આ आत्मानमेवाधिकृत्य उद्द्योतकरास्तथा लोकप्रकाशकवचनप्रदीपापेक्षया च शेषभव्यविशेषानधिकृत्यैवेति । –આ. હ. ટી., ૫. ૪૯૭ આ. १०. द्रव्योद्योतोद्योतः पुद्गलात्मकत्वात्तथाविधपरिणामयुक्तत्वाच्च प्रकाशयति प्रभासते वा परिमिते क्षेत्रे, भावोद्योतोद्योतः लोकालोकं प्रकाशयति । –આ. હા. ટી., પ. ૪૯૭ આ. ૧૧. વનાજીપેન સર્વનોપ્રાશકરાશીતાન ! –યો. શા. સ્વ. વિ. ૫. ૨૨૪ આ. ૧૨. વાતો તનૂર્વજીવનવીપેન વા પ્રકાશનશીતાન ! –દે. ભા., પૃ. ૩૨૧ ૧૩. વનાનોતીના દ્યોતરીનું પ્રાશકરનું | –વં. વૃ., પૃ. ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy