SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આ. દિ. માં કહેવાયું છે કે શ્રીતીર્થંકરભગવંતો પરમજ્ઞાનનો ઉપદેશ, સંશયોનું છેદન અને સર્વપદાર્થોનું પ્રકટ કરવાપણું કરનારા હોવાથી “ઉદ્યોતકર છે.૧૪ આ પ્રમાણે ‘નોનાસ જ્ઞો એ બે પદો-પંચાસ્તિકાયરૂપી લોકનો કેવલજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ ભાવોદ્યોત (ભાવદીપક) વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા એ અર્થમાં સિદ્ધ થાય છે. આ પદો વડે શ્રીતીર્થંકરભગવંતનો વચનાતિશય કહેવામાં આવ્યો છે.૧૫ ઇતિસ્થર થર્મતીર્થરાન] ધર્મરૂપી તીર્થના કરનારાઓને. ધર્મની વ્યાખ્યા લ. વિ. માં નીચે પ્રમાણે ટાંકવામાં આવી છે – दुर्गतिप्रसृताञ्जीवान्, यस्माद्धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥१॥ અર્થ - દુર્ગતિમાં પડતા જીવોને રોકીને એમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે તે ધર્મ કહેવાય છે. ધર્મ બે પ્રકારનો છે. (૧) “દ્રવ્યધર્મ અને (૨) “ભાવધર્મ.” અહીં “ભાવધર્મ પ્રસ્તુત છે. આ. નિ. તથા દે. ભા. માં કહેવામાં આવ્યું છે કે “ભાવધર્મ” શ્રુતરૂપ અને ચારિત્રરૂપ છે. તિર્થી - [તીર્થ] - તીર્થ. તીર્થ' શબ્દની વ્યુત્પત્તિ “તીર્થતંગનેન રૂતિ તીર્થમ્'- જેના વડે તરાય, તે “તીર્થ. એ પ્રમાણે કરવામાં આવે છે. આ. નિ. માં કહેવાયું છે કે “તીર્થના અનેક પ્રકારો છે, “નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ, ભાવતીર્થ વગેરે. અહીં આ ચાર પ્રકારના તીર્થો પૈકી કયું તીર્થ લેવું એવી સહેજે શંકા થાય પણ “ધર્મતીર્થ' શબ્દ હોવાથી માત્ર “ભાવતીર્થ જ' સ્વીકાર્ય બને છે. ૧૭ ‘દ્રવ્યતીર્થ’ અને ‘ભાવતીર્થની વ્યાખ્યા દે. ભા. માં નીચે મુજબ આપવામાં આવી છે. કુપ્રવચનો (ઇતરદર્શનો) તથા નદી આદિ તરવા માટેનાં સ્થાનો આ બધાં દ્રવ્યતીર્થ છે, કારણ કે ત્યાં પણ લોકો ડૂબે છે અને તેને એકવાર તર્યા પછી ફરી પણ કરવાનું બાકી રહે છે. જ્યારે સંઘ આદિ ભાવતીર્થ છે, કારણ કે તેનો આશ્રય કરનારા ભવો ભવસાગરને નિયમા તરી જાય છે અને ભવસાગર ફરી કરવાનો બાકી રહેતો નથી.૧૮ ૧૪. પરમજ્ઞાનોપદ્દેશ-સંશયછેદ્ર-સર્વપતાર્થપ્રટનરિત્વાન્ ૩દ્યોતિરસ્તાનું –આ. દિ. ૫. ૨૬૭ અ. ૧૫. અને વનતિશય ૩: | –દે. ભા., પૃ. ૩૨૧ ૧૬. નામું વતિ€ ધ્વતિ€ ૨ ભાવતિલ્થ ચ | –આ. નિ., ગા. ૧૦૬૫ ૧૭. ધપ્રદ દ્રવ્યતીર્થસ્થ નવે....... પરિહાર: || ચો. શા. સ્વ. વિ. પ. ૨૨૪ આ. ૧૮. નાદ – कुप्पावयणाइ नइआइ, तरणसमभूमि दव्वओ तित्थं । बुड्डुति तत्थ वि जओ, संभवइ य पुणवि उत्तरणं ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy