SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ટિપ્પણ ધર્મતીર્થકરોના પગના અંગૂઠાના ટેરવાનો અગ્ર ભાગ કે જે અનેક ગુણોના સમૂહથી અલંકૃત છે તેના અનંતમા ભાગનું સુરેન્દ્રો અથવા ભક્તિના જ અત્યંત રસિક સર્વ પુરુષો અનેક જન્માન્તરોમાં સંચિત અનિષ્ટ દુષ્ટ કર્મરાશિજન્ય દુર્ગતિ દૌર્મનસ્ય આદિ સકલ દુઃખ દારિદ્રય, ક્લેશ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, સંતાપ, ઉદ્વેગ, વ્યાધિ, વેદના આદિના ક્ષયને માટે વર્ણન કરવા માંડે ત્યારે સૂર્યના કિરણોના સમૂહની જેમ ભગવાનના અનેકગુણોનો સમૂહ એક સાથે તેમના જિલ્લાગે સ્કુરાયમાન થાય છે તેને ઇન્દ્ર સહિત દેવગણો એકી સાથે બોલવા માંડે તો પણ જ્યાં વર્ણવવા સમર્થ નથી ત્યાં ચર્મચક્ષુધારી અકેવલીઓ શું કહી શકે? તેથી હે ગૌતમ ! આ પરમાર્થ છે કે – તીર્થકરોના ગુણોના સમૂહોને માત્ર તીર્થકરો જ વર્ણવવા સમર્થ છે, બીજા નહીં, કારણ કે તીર્થકરોની જ તેવી અતિશયવાળી વાણી હોય છે, અથવા હે ગૌતમ ! અહીં ઘણું કહેવાથી શું? સારભૂત જ અર્થ કહું છું. સકલ આઠ કર્મો તે રૂપ મલના કલંકથી મુક્ત થયેલા, દેવતાઓના ઇન્દ્રોએ જેમના ચરણોની પૂજા કરી છે તે જિનેશ્વરદેવોના નામનું સ્મરણ ત્રણ કરણથી ઉપયુક્ત બની, ક્ષણે ક્ષણે શીલ અને સંયમમાં ઉદ્યમશીલ બની વ્રત અને નિયમોને વિરાધ્યા વિના જે આત્મા કરે છે તે શીધ્ર સિદ્ધિપદને પામે છે. વળી જે આત્મા દુઃખથી ઉગ પામેલ છે, ભ્રમર જેમ કમલના વનમાં તૃષ્ણાવાળો હોય તેમ જે સુખની તૃષ્ણાવાળો છે તે પણ જો જિનેશ્વરોની ભક્તિમાં અત્યંત ગરકાવ બની, સ્તવ, સ્તુતિ અને મંગલકારી જય શબ્દના વ્યાપારમાં લીન બની જિનવરેન્દ્રોના પાદારવિંદની સમક્ષ, ભૂમિ પર મસ્તકને સ્થાપન કરી, અંજલિપુટ જોડી, શંકાદિ દોષો રહિત સમ્યક્તથી હૃદયને વાસિત કરી અખંડિત વ્રત નિયમને ધારણ કરી તે ભગવંતોના એક પણ ગુણને હૃદયમાં ધારણ કરે તો તીર્થકર બનીને સિદ્ધ થાય છે. હે ગૌતમ ! સુગૃહીત નામધેય શ્રી તીર્થકરોનો જગતમાં પ્રકટ, મહાન આશ્ચર્યભૂત ત્રણે ભુવનમાં પ્રખ્યાત આ મહાન અતિશયનો વિસ્તાર છે કે–જેમણે કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા ચરમ શરીર પ્રાપ્ત નથી કર્યું એવા જીવો પણ અરહંતોના અતિશયોને જોઈને, જેમના આઠેય કર્મો ક્ષીણપ્રાય થઈ ગયાં છે તેવા અને બહુ દુ:ખદાયક ગર્ભાવાસથી મુક્ત, મહાયોગી, વિવિધ દુઃખમય ભવસાગરથી ઉદ્વિગ્ન બની ક્ષણમાં સંસારથી પાર પામી જાય છે. અથવા બીજું વર્ણન બાજુ પર રાખીએ તો પણ હે ગૌતમ ! શ્રેષ્ઠ અક્ષરોને વહન કરતું ધર્મતીર્થકર' એવું નામ તે સુગૃહીત નામધેય, ત્રણે ભુવનના એક માત્ર બંધુ, જિનવરોમાં ઇન્દ્ર સમાન, અહંત ભગવંત શ્રીધર્મતીર્થકરોને જ છાજે છે બીજાને નહિ, કારણ કે અનેક જન્માંતરોથી પુષ્ટ થયેલ તથા મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા તથા આસ્તિકાના પ્રકટપણાથી લક્ષિત થતા પ્રવર સમ્યગ્દર્શન વડે તથા ઉલ્લાસ પામતા વીર્યને ન છૂપાવી, સહન કરેલ ઉગ્રકષ્ટો અને આચરેલા ઘોર દુષ્કર તપો વડે નિરંતર ઉપાર્જિત કરેલા મહાન પુણ્યોના સ્કંધોનો જે મહાન રાશિ તેના વડે બાંધેલું તીર્થકરનામકર્મ ગોત્ર-કે જે ઉત્તમ છે. પ્રવર છે, પવિત્ર છે, વિશ્વના એક બંધુ સમાન છે, વિશ્વના નાથ સમાન છે, વિશ્વના સ્વામી સમું છે, વિશ્વમાં સારભૂત છે, અનંતકાળથી ચાલી આવતી ભવોની વાસના તથા પાપના બંધનો તેને છેદી નાખનાર છે, જે જગતમાં એક અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy