SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં પરમાત્માને વ્રતસેવનાદિ અનુષ્ઠાનથી થતી મુક્તિના ઉપચારથી કર્તા કહ્યા છે. તે આ રીતે :~ ૬૦ આ રીતે અપેક્ષાએ ઈશ્વકતૃત્વવાદ પણ સતર્કથી ઘટે છે, એમ શુદ્ધબુદ્ધિવાળા ૫રમાર્થિઓએ કહ્યું છે. તે આ રીતે ઃ— અનંતજ્ઞાનદર્શનસંપત્તિથી યુક્ત શ્રીવીતરાગપરમાત્મા જ ઈશ્વર છે, કારણ કે તેમણે કહેલ વ્રતોનું પાલન કરવાથી મુક્તિ થાય છે, તેથી તે વીતરાગપરમાત્મા ગુણભાવે મુક્તિના કર્તા છે.’’ ,,૧ ‘ગુણભાવથી કર્તા છે,’ એ વિષયને સમજાવતાં ‘સ્યાદ્વાદકલ્પલતા’ ટીકામાં કહ્યું છે કે— રાજા વગેરેની જેમ શ્રીપરમાત્માનો પ્રસાદ અપ્રસાદથી નિયત નથી, તો પણ તેઓ અચિત્ત્વ ચિંતામણિની જેમ વસ્તુસ્વભાવસામર્થ્યથી ‘ફલદોપાસનાકત્વ' સંબંધ વડે ઉપચારથી કર્તા છે. ૧૧ આ. હા. ટી. (પૃ. ૫૦૭ આ)માં જે કહ્યું છે કે ‘‘તપૂવિવામિત્તષિતતાવાતિવિતિ'' । તેનો સારાંશ એ છે કે અભિલષિત ફળની પ્રાપ્તિ શ્રીતીર્થંકરભગવંતના કારણે જ છે. એ ક્રિયામાં બીજું બધું હોય પણ સ્તવના આલંબન તરીકે કેવળ શ્રીતીર્થંકર ન હોય તો અભિલષિત ફળની પ્રાપ્તિ કદાપિ થઈ શકે નહીં. પૂ. ઉપા. શ્રી યશોવિજયજીમહારાજ શ્રીચિંતામણિપાર્શ્વનાથ ભગવાન સ્તવનમાં ફરમાવે છે કે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, એ સઘળા તુજ દાસો રે ! મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજ સબળ વિશ્વાસો રે. સ્તુતિ-આદિ અપેક્ષાએ નમસ્કારરૂપ છે. નૈગમ અને વ્યવહારનયથી નમસ્કાર (સ્તુતિ १०. ततश्चेश्वरकर्तृत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायाविरोधेन यथाहुः शुद्धबुद्धयः || १०|| ईश्वरः परमात्मैव तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ||११|| —શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તબક-૩, શ્લો. ૧૦-૧૧. ૫. ૧૦૨ આ. ૧૧. તદુવ્રતસેવનાત્-પરમાતપ્રળીતાામવિહિતસંયમપાલનાત્; યતો મુર્તિ:ર્મક્ષયરૂપા, મતિ, તતસ્તસ્યા ગુળभावतः—राजादिवदप्रसादनियतप्रसादाभावेऽप्यचिन्त्यचिन्तामणिवद् वस्तुस्वभावबलात् फलदोपासनाकत्वेनोपचारात् कर्ता स्यात्, अत एव भगवन्तमुद्दिश्याऽऽरोग्यादिप्रार्थना । —શાસ્રવાર્તાસમુચ્ચય, સ્યાદ્વાદકલ્પલતા ટીકા, શ્લો. ૧૧ની ટીકા. ૫. ૧૦૩ અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy