SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણ ૨૯ ઉત્તi[૩ત્તમં Fઉત્તમ. આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ., દ. ભા., વં. વૃ. તથા ધ. સં. ૩ત્ત'નો અર્થ “સર્વોત્કૃષ્ટી કરે છે અને જણાવે છે કે–ઉપર્યુક્ત ‘ભાવસમાધિ” પણ ઓછાવત્તા અંશે અનેક પ્રકારની હોવાથી અહીં “સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ' ગ્રાહ્ય છે, માટે ઉત્તમ' પદ મૂકવામાં આવેલા છે.૧૧૨ ચે. વ. મ. ભા. જણાવે છે કે, તે બોધિલાભ'નું સર્વ પ્રધાનપણું સૂચવવા માટે ઉત્તમં પદ મૂલ છે. ૧૧૩ આ રીતે અહીં વપરાયેલ “ઉત્ત' પદ–“સર્વોત્કૃષ્ટ' યા તો “સર્વપ્રધાન–એ અર્થમાં સિદ્ધ થાય છે. હિંતુન રતુFઆપો. આ પ્રમાણે છેલ્લા બે પદનો અર્થ “આરોગ્ય એટલે જે સિદ્ધપણું તેને માટે બોધિલાભને . અને તે બોધિલાભ માટે ઉત્તમ ભાવસમાધિને, યા તો આરોગ્ય સાધક બોધિલાભ કે જે સમાધિના યોગે શ્રેષ્ઠ છે અને સર્વપ્રધાન છે તેને આપો.” એ પ્રમાણે થાય છે. આઠેય ગ્રંથકારો હિંદુનો અર્થ ‘આપ’ એમ કરવામાં એકમત છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્રી તીર્થંકરભગવંત પાસે આપણે યાચના કરીએ છીએ કે–“અમને ઉપર્યુક્ત વસ્તુઓ આપો.' તો શું તેઓમાં તે વસ્તુઓ આપવાનું સામર્થ્ય છે? આ પ્રશ્નના ઉત્તર જુદા જુદા ગ્રંથકારોએ જે આપ્યા છે તે પૈકી આ. હા. ટી. જણાવે છે કે, તેમનામાં તે વસ્તુઓ આપવાનું સામર્થ્ય નથી, પરઁતુ આ તો માત્ર ભક્તિથી જ કહેવામાં આવે છે અને આ “અસત્યામૃષા' નામનો ભાષાનો એક પ્રકાર છે. ખરી રીતે જોતાં તો તીર્થકરો પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ ઉપર્યુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. માટે જ કહેવાય છે કે “તમે આપો.૧૧૪ લ. વિ. જણાવે છે કે જો કે તે વીતરાગભગવંતો રાગાદિ રહિત હોવાથી આરોગ્ય આદિ આપતા નથી, તો પણ આવા પ્રકારના વાક્યના પ્રયોગથી પ્રવચનની આરાધના થવા દ્વારા સન્માર્ગમાં રહેલા મહાસત્ત્વશાળી આત્માને તેમની સત્તાના કારણે જ તેની પ્રાપ્તિ થાય છે. ૧૧૫ ચે. વ. મ. ભા. જણાવે છે કે આ “અસત્યામૃષા' નામની ભક્તિથી બોલાયેલી ભાષા છે. ૧૧૨મસાવા તાતગમેાધેવ મત આ ૩ત્ત-સર્વોત્કૃષ્ટમ્ | –આ. હા. ટી., પ. ૫૦૭ આ. ૧૧૩. તરસ વ સલ્વપદીનત્તસાર ૩ત્તમ મનિયમ્ –ચે. વ. મ. ભા., ગા. ૬૩૨, પૃ. ૧૧૪ ૧૧૪. આદ- તેષાં પ્રીનસામર્થ્યમતિ ? 1, મિથુમેવEfપધયત ત ?, ૩તે અત્યા, વક્ષ્યતિ ૨ ‘માસા, असच्चमोसा' इत्यादि, नवरं तद्भक्त्या स्वयमेव तत्प्राप्तिरुपजायत इति । –આ. હા. ટી., ૫. પ૦૦ આ. ११५. यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्ति, तथाप्येवंविधवाक्यप्रयोगतः प्रवचनाराधनया सन्मार्गवत्तिनो महासत्त्वस्य तत्सत्तानिबन्धनमेव तदुपजायते । –લ. વિ., પૃ. ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy