SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય બાકી જેમના “રાગ’ અને ‘દ્વષ' ચાલ્યા ગયા છે એવા જિનવરો “સમાધિ” અને “બોધિને આપતા નથી, પરંતુ રાગ-દ્વેષ રહિત જિનવરોની પરમ ભક્તિથી જીવો આરોગ્ય બોધિલાભ અને સમાધિ મરણને પ્રાપ્ત કરે છે. ૧૧ ઉપર્યુક્ત અર્થ “આવયનિષુત્તિમાં નિદાનની ચર્ચાના પ્રસંગમાં દર્શાવેલ છે, તદ્વિષયક ગાથાઓ ચે. વ. મ. ભા.ના કર્તાએ અહીં ઉઘુત કરી છે. “સમાધિ'નો અર્થ નિષુત્તિકારે “સમાધિમરણ કર્યો છે, જે નોંધપાત્ર છે. યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે “આપો' એવું ભક્તિથી કહેવાય છે. કહ્યું છે કે–“અસત્યામૃષા' નામની કેવળ ભક્તિથી બોલાયેલી આ ભાષા છે. અન્યથા, જેમના રાગાદિ દોષો ક્ષીણ થઈ ગયા છે તેઓ “સમાધિ” અને “બોધિને આપતા નથી.૧૭ આ વિષય પર અચાન્ય ગ્રંથકારોએ પણ વિશદતાથી વિવેચન કર્યું છે. જે પૈકી ધર્મસંગ્રહણી'ના કર્તાએ જે વિગત ટાંકી છે તે વિશિષ્ટ કોટિની હોવાથી પાદનોંધમાં આપેલ છે. સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આ રીતે યાચના કરવી એ શું નિદાન (કે જેને નિયાણું કહેવામાં આવે છે તે) નથી ? તેનો જવાબ “આવસ્મયનિજુત્તિએ પોતે જ આ પ્રશ્ન ઉપસ્થિત કરીને નીચે પ્રમાણે આપ્યો છે. જો એમ કહેવામાં આવે કે–આરોગ્ય આદિ આપો તો શું આ નિદાન છે ? (તેના જવાબમાં “ નિસ્તુત્તિ જણાવે છે કે, અહીં વિભાષા એટલે કે વિષયવિભાગની વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી.૧૧૮ ૧૧૬. માસી સંન્યૂમોસા, નવરું પત્તીણ માસથી પસા | न ह खीणपेज्जदोसा दिति समाहिं च बोहिं च ॥६३४।। भत्तीए जिणवराणं परमाए खीणपेज्जदोसाणं । મારો વોદિતાએ સમા&િમરમાં ૩ પાવૅતિ ||૬ રૂ. –ચે. વ. મ. ભા., ગા. ૬૩૪-૬૩૫, પૃ. ૧૧૪ ૧૧૭. ઉતર્વ પોતે, વત્ ૩#મ भासा असच्चमोसा नवरं भत्तीइ भासिआ एसा । નહુ વીfપmોસા, દ્વિતિ સમfહં વોર્દિ તિ શા –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ૧૧૮, આવોદિતાએ સમદરત્તાં ને કિંતુ. * ટુ નિશાળનેત્રં તિ ?, વિમાસા રૂલ્ય + 1ળ્યા છે. –આ. નિ., ગા. ૧૦૯૪. પાદ નોંધ ધર્મસંગ્રહણીવૃત્તિમાં કહ્યું છે કે—'માહિત્ના' એ વાક્ય નિષ્ફળ નથી. “આરોગ્ય' આદિ વસ્તુઓ તત્ત્વથી તો શ્રીતીર્થંકરભગવંત વડે જ અપાય છે, કારણ કે તેઓ જ તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયના હેતુ છે. नैवेतदारोग्यादिवाक्यं स्वतो निष्फलं, आरोग्यादेस्तत्त्वतो भगवद्भिरेव दीयमानत्वात् अवन्ध्यतथाविधविशुद्धाध्यवसायहेतुत्वात् । –ધર્મસંગ્રહણીવૃત્તિ, પૃ. ૩૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy