SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કે એ ભાષામાં ઉતારી શકાય છે, જ્યારે મતિજ્ઞાનમાં એવું પરિપક્વ નહિ હોવાથી એને ભાષામાં ઉતારાય તેમ નથી. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાન રૂપ દૂધની બનેલી ખીર છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી કેવળજ્ઞાન સિવાયનાં ચાર જ્ઞાન ઉદ્ભવે છે, જ્યારે આ કર્મના આત્મત્તિક ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટે છે. ૩. આવરસયના છ વિભાગો ઃ આવસય નામના મૂલસુત્ત (મૂલસૂત્રોના છ વિભાગો ગણાવાય છે. (૧) સામાડય (સામાયિક), (૨) ચઉવીસત્યય (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદણય (વંદનક), (૪) પડિક્કમણ (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) અને (૬) પચ્ચખાણ (પ્રત્યાખ્યાન). આ સમગ્ર નિરૂપણ નીચે મુજબ દર્શાવી શકાય – જ્ઞાન મતિ શ્રુત (સુય) અવધિ મન:પર્યવ કેવલ અંગપવિક્ર (અંગપ્રવિષ્ટ) અંગપવિટ્ટ અનંગપવિઠ્ઠ (અનંગપ્રવિષ્ટ) અનંગપવિટ્ટ આવસ્મય (આવશ્યક) આવસ્યયવઈરિત્ત (આવશ્યકવ્યતિરિક્ત) સામાડય ચઉવીસત્યય વંદણય પડિક્કમણ કાઉસ્સગ પચ્ચખાણ આ ઉપરથી જોઈ શકાશે કે “ચકવીસત્યય' એ અંગ બાહ્યના એક પ્રકારરૂપ અવસ્મયનો એક પ્રકાર છે. ૪. આવસય તરીકે એ છના સમુદાયનો નિર્દેશ: અહીં એ ઉમેરીશ કે આવસ્મયના છ વિભાગ તરીકે એ વિભાગોનાં પાઈય (પ્રાકૃત) નામો અણુઓગદાર (સુત્ત પ૯)માં જોવાય છે.' અહીં આ પ્રત્યેક વિભાગને “અઝયણ' (અધ્યયન) કહેલ છે. ૨ ૧. નંદી (સુર ૪૪)માં પણ આ હકીકત છે. ૨. બાવીરૂં છો, fઉલ્યો afો સમારેvi | एत्तो एक्केकं पुण अज्झयणं कित्तइस्सामि ॥" –સુત્ત ૫૯ ગત ગાથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy