SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ચે. વં. મ. ભા. ર૪ અને મલની પૂર્વોક્ત ગ્રંથકર્તા જે રીતે ત્રણ વ્યાખ્યાઓ આપે છે તે રીતે ત્રણ વ્યાખ્યાઓ ન આપતાં માત્ર એક જ વ્યાખ્યા આપે છે કે બંધાતું કર્મ તે રજ છે અને બંધાયેલું કર્મ તે મલ છે. ૧૮ આ રીતે ‘વિધ્રુવયમન્ના' પદ-જેમણે સર્વ પ્રકારના કર્મોને (વિશિષ્ટ પરાક્રમ પૂર્વક) દૂર કરી નાખ્યાં છે તેવા–એ અર્થમાં સિદ્ધ થાય છે. પદ્દીનનરમરળા[ પ્રક્ષીનરામરળા: ]−પ્રકૃષ્ટ રીતે (સંપૂર્ણ રીતે) નષ્ટ થયા છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેમના એવા. ‘પ્રક્ષીળનરામરળા:' પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે થાય છે जरा च मरणं च जरामरणे, प्रक्षीणे जरामरणे येषां ते प्रक्षीणजरामरणाः । ૭૩ આ. હા. ટી. વગેરે લગભગ બધા ગ્રંથો ‘વહીળનરમરા’ પદની છાયા ‘પ્રક્ષીળનરામર:' કરે છે. ઉપરાંત ‘વિહુયરયમના’ અને ‘પહોળમરા' એ બે પદો વચ્ચે કાર્યકરણ સંબંધ યોજે છે. એટલે કે શ્રી તીર્થંકર ભગવંતો ‘વિધૂતરજોમલ' છે માટે ‘પ્રક્ષીણજરામરણ' છે એમ જણાવે છે.જ -: આ પ્રમાણે ‘પદ્મીનનરમર' પદ—જેમની વૃદ્ધાવસ્થા અને મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલા છે તેવા—એ અર્થમાં સિદ્ધ થાય છે. ઘડવીસ પિ[ ચતુર્વિજ્ઞતિપિ]-ચોવીસ અને બીજા. અહીં વપરાયેલ ‘પિ' શબ્દનો ભાવાર્થ ‘અને બીજા' એ પ્રમાણે થાય છે. પ્રથમ પદ્યમાં ‘વડવીસંપિ’ પદ દ્વિતીયાના બહુવચન અર્થમાં વપરાયેલ છે, જ્યારે અહીં ‘વવીસું પિ' પદ પ્રથમાના બહુવચન અર્થમાં વપરાયેલ છે. એટલે ‘ચોવીસ અને બીજા' એ પ્રમાણે અર્થ સમજવો. નિળવા-[ નિનવા: ]-જિનવરો. જિનોમાં વ૨ એટલે શ્રેષ્ઠ તે ‘જિનવર.’ ‘જિન’ કોને કહેવાય ? તે અંગે આ. હા. ટી.માં જણાવાયું છે કે શ્રી જિનપ્રવચનમાં સામાન્ય રીતે વિશિષ્ટ શ્રુતધરો આદિ પણ ‘જિન’ જ કહેવાય છે અને તે આ રીતે — - શ્રુતજિનો, અવધિજિનો, મન:પર્યાયજ્ઞાનજિનો તથા છદ્મસ્થ વીતરાગ ભગવંતો. ૭૫ આ. હા. ટી. તથા લ. વિ.માં ‘નિળવા’ પદની વ્યાખ્યા ‘શ્રુતાદિ જિનોથી પ્રધાન એટલે ૭૨. મં ય ત્તિ મુખ્વક્ વર્ષાંતે, વન્દ્વયં મતં દોરૂ ! ७३. प्रक्षीणे जरामरणे येषां ते । ચે. વં. મ. ભા., ગા. ૬૨૨, પૃ. ૧૧૨. —આ. હા. ટી. ૫. ૫૦૭ અ આ. હા. ટી. ૫. ૫૦૭ અ ७४. यतश्चैवंभूता अत एव प्रक्षीणजरामरणाः कारणाभावात् । ७५. इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते । तद्यथा श्रुतजिना अवधिजिना मन: पर्याय ज्ञानजिना: छद्मस्थवीतरागाश्च । —આ. હા. ટી. ૫. ૫૦૧ અ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy