SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ માનસિક પીડાઓનું પરમ ઔષધ, સર્વ સંપત્તિઓનું અનુપહત-અવસ્થ્ય-બીજ, ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યના પરમાણુઓથી બનેલા, પૃથ્વી પર ભવ્યોને માટે નિર્વાણનું પરમ સાધન, અસાધારણ માહાત્મ્યવાળા, દેવો અને સિદ્ધયોગીઓ (વિદ્યામંત્રાદિ સિદ્ધો) ને પણ વંદનીય અને ‘વરેણ્ય’ શબ્દ વડે વાચ્ય એવા શ્રી જિનેન્દ્રરૂપનું ધ્યાન કરવું.' (એ સાલંબન યોગ છે.) જિનેશ્વરો નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવસ્વરૂપ હોવાથી તેમની સ્થાપના માનસ પ્રત્યક્ષ થવાથી કે તેનું દર્શન કરવાથી તેમની ભાવ દશાનું સ્મરણ થાય છે અને તે દ્વારા આત્માને તેમના ગુણોનું સ્મરણ થાય છે. ભગવંતના નામ, સ્થાપના તથા દ્રવ્ય-આ ત્રણેય નિક્ષેપા ભાવઅર્હત્ સાથે અભેદબુદ્ધિ કરવામાં કારણ છે અને આ પ્રકાર શુદ્ધહૃદયવાળા મહાત્માઓને શાસ્ત્રથી ઇષ્ટ છે અને અનુભવથી ષ્ટ છે. ઉપર પ્રમાણે શુદ્ધ પ્રણિધાન ધરીને અરિહંતોનું કીર્તન અને વંદન જે આરાધક કરે તે પરમ આનંદ પામે અને તેની સ્તવના સફળ થાય.૧ અર્થાધિકાર—લોગસ્સસૂત્રનો અર્થાધિકાર સદ્ભૂતગુણોત્કીર્તન છે. આ વિષયને જરા વિશદતાથી વિચારીએ. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં રહેલો જીવ પોતાની ભવિતવ્યતાનો પરિપાક થવાના યોગે સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે છે ત્યારે તેમાં કર્મનો ક્ષયોપશમ કે એવાં કોઈ કારણો કાંઈ ભાગ ભજવતા નથી, માત્ર ભવિતવ્યતા જ ભાગ ભજવે છે. ત્યાંથી બહાર નીકળ્યા પછી યથાપ્રવૃત્તિકરણના યોગે કર્મોનો જે ક્ષયોપશમ તે કરે છે તેના કરતાં ગુણપ્રાપ્તિ દ્વારાએ થતો કર્મોનો ક્ષયોપશમ અધિક અને વૈશિષ્ટયપૂર્ણ હોય છે. ગુણાનુરાગ વિના ગુણપ્રાપ્તિ સંભવતી નથી, એટલે ગુણપ્રાપ્તિનું મુખ્ય કારણ ગુણાનુરાગ છે. ગુણાનુરાગ એ આત્માની ઉન્નતિનું સોપાન છે. ગુણાનુરાગ હોય ત્યાં ગુણપ્રશંસા સ્વયમેવ આવે છે. આવી ગુણપ્રશંસાને-સદ્ભૂત ગુણોની પ્રશંસાને દર્શાવતું સૂત્ર તે ‘લોગસ્સસૂત્ર’ છે અને તેથી જ તેનો અર્થાધિકાર સદ્ભૂતગુણોત્કીર્તન છે. એમ જણાવાયું છે. જે કોઈ સર્વ ગુણોથી અધિક હોય તેનું જ ગુણોત્કીર્તન થાય અને તેવા કોઈ પણ આત્માઓ આ વિશ્વમાં હોય તો તે શ્રીતીર્થંકરભગવંતો જ છે. તેનાં કારણોનો નિર્દેશ કરતાં દર્શાવ્યું છે કે— ૧. પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી—અરિહંત ભગવંતો ર્મક્ષત્તુતાશન રૂપે ૧. શાંતિસ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે....શાંતિજિન (આનંદઘનજીકૃત સ્તવન) ૨. આવસ્સાસ ં મે અત્યાદિનારા મવંતિ । તું ના-સાવપ્ન-ગોળ-વિરૂં, લ્લિતળ મુળવો ઞ પવિત્તૌ ।—અણુઓગદાર સુત્ત (સૂત્ર ૫૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy