Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* ભગવાન શ્રી કુંદકુંદ-કહાન જૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૧૮૮ *
शुद्धात्मने नमः।
લાખાડીની હારોહા
(પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું સ્વાનુભૂતિયુક્ત જાતિસ્મૃતિજ્ઞાન)
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર) પીન ૩૬૪ ૨૫૦
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર સં. ૨૫૨૧
પ્રથમ આવૃત્તિઃ પ્રત 3000 * વિ. સં. ૨૦૫૧ શ્રાવણ વદ ૧૪
તા. ૨૫-૮-૧૯૯૫
ટાઈપ સેટ ઈન્ફોસોફટ સર્વિસીઝ ૭૦૭, સ્ટાર ચેમ્બર્સ,
હરીહર ચોક, રાજકોટ ૩૬૦ ૦૦૧ ( ગુજરાતી હિન્દુસ્તાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Vinit Varia, USA who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of BahenshreeNo Gnaan Vaibhav is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
23 Oct 2003
First electronic version.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्रीसर्वज्ञवीतरागाय
* ઉપોદ્યાત * ભારતવર્ષના ધર્મજિજ્ઞાસુ જીવોના મહાન ભાગ્યોદયે આ પ્રવર્તમાન વીસ-એકવીસમી શતાબ્દીમાં અધ્યાત્મમૂર્તિ આત્મજ્ઞસંત સપુરુષ પરમોપકારી પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો, સ્વાનુભૂતિપ્રધાન સદ્ધર્મનો પુનઃ અભ્યદય કરવા, મહાન ઉદય થયો. પૂર્વના પ્રબળ સંસ્કાર, ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસારના ગહન અધ્યયન અને પોતાના જ્ઞાન, વૈરાગ્ય ને ઉપશમ રસભીના અંતર્મુખ સાતિશય પુરુષાર્થ વડે તેમણે સ્વાનુભવરસઝરતી આત્મસાધના સાધીને પોતાનાં વ્યાખ્યાનોમાં શ્રી વીર-કુંદઅમૃતપ્રરૂપિત અધ્યાત્મધર્મનો પરમ ઉધોત કર્યો, જેથી ઘણા જીવો તે સમજવા માટે તૈયાર થઈ ગયા. વીતરાગ મોક્ષમાર્ગને અત્યંત સ્પષ્ટપણે સમજાવનાર આવા સમર્થ ગુરુદેવ આ વિષમ કાળે મળ્યા તે મુમુક્ષુઓનાં મહાભાગ્ય છે. ખરેખર ગુરુદેવનો ઉપકાર અમાપ છે.
આગમ, યુક્તિ ને સ્વાનુભવના વજૂખડક ઉપર અડગપણે ઊભા રહીને શ્રી જિનંદ્રદેવનું તાત્ત્વિક હાઈ પ્રકાશિત કરનાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની પ્રબળ વાણીના પુનિત યોગે ૧૮ વર્ષની બાળવયમાં જેમણે અતીન્દ્રિયઆનંદઝરતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સ્વાત્માનુભૂતિ-સમન્વિત આત્મસાક્ષાત્કાર-નિર્વિકલ્પ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલ છે એવાં પ્રશમમૂર્તિ ધન્યાવતાર ધર્મરત્ન પૂજ્ય બહેનશ્રી ચંપાબેને પણ આવા પરમ- તારણહાર પૂજ્ય ગુરુદેવનો લોકોત્તર આધ્યાત્મિક મહિમા પ્રકાશીને ખરેખર મુમુક્ષુજગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. સ્વાનુભવમૂર્તિ પૂજ્ય બહેનશ્રી પણ, પૂજ્ય કહાનગુરુદેવના ઉપકારતળે, આત્માનુભૂતિનો સાચો માર્ગ બતાવનાર ખરેખર એક મહાન આત્મા છે. તેમનું પવિત્ર જીવન અને અધ્યાત્મસાધના આત્માર્થી જીવો માટે ખરેખર એક અનુપમ આદર્શ છે.
પૂજ્ય ગુરુદેવ દ્વારા પૂર્ણ પ્રમાણિત એવાં આ પવિત્રાત્મા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના સાધનામય લોકોત્તર જીવનમાંથી, આત્માર્થી જીવોને આત્મલાભ થાય એ હેતુએ, અત્રે આ પુસ્તકમાં (૧) સંક્ષિપ્ત જીવનપરિચય, (૨) જાતિસ્મરણજ્ઞાન, (૩) ગુરુદેવના હૃદયોગાર અને (૪) અધ્યાત્મ-અમૃતસરિતાએ ચારનું સંકલન કરવામાં આવ્યું છે.
સંક્ષિપ્ત જીવનપરિચય, અનુભવીની અમૃતવાણી, પત્રવ્યવહાર, ગુરુદેવના હૃદયોદ્ગાર, વીણેલી વિગત, મીઠાં સંભારણાં વગેરે, પૂજ્ય બહેનશ્રીના જીવનને લગતા, અનેક વિષયોનું તેમના “અમૃત-જન્મોત્સવ” અવસરે પ્રકાશિત થયેલ “બહેનશ્રી ચંપાબેન અભિનંદનગ્રંથ' માં સંકલન થયેલ છે. જેમને તે જાણવાની ભાવના હોય તેમને તે ગ્રંથ વાંચવાની ભલામણ છે.
(૧) સંક્ષિપ્ત જીવનપરિચયઃ સ્વાનુભવવિભૂષિત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપોદઘાત
સમ્યકત્વ-આરાધનાની મૂર્તિ, ધર્મની શોભા અને “આ કાળનું આશ્ચર્ય' એવાં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના, નિર્મળ સમ્યકત્વસાધના પહેલાંના અને પછીના, આદર્શ જીવનનો જે સંક્ષિપ્ત પરિચય, તેમના વડીલ બંધુ ઊંડા આદર્શ આત્માર્થી આદરણીય વિદ્વદ્રત્ન પં. શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે વિ. સં. ૨૦૪૦માં, બહેનશ્રીના જન્મધામ (વઢવાણ) ની યાત્રાના શુભાવસરે, આપેલ અને જે “બહેનશ્રી ચંપાબેન અભિનંદનગ્રંથ' માં મુદ્રિત થયેલ છે, તે અત્રે આપવામાં આવ્યો છે. આમાં વર્ણિત બહેનશ્રીની બાળાવસ્થાનાં-જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ અને તદર્થ સમ્યક પુરુષાર્થના સાતિશય પ્રેરક-મધુર સંસ્મરણો આત્માર્થી જીવોને આત્મહિતનું મહાન નિમિત્ત થાય એવાં છે.
(૨) જાતિસ્મરણજ્ઞાન: વિ. સં. ૧૯૯૩ના ચૈત્રવદ આઠમના દિને, મુમુક્ષુ જગતને અત્યંત ઉપકારી થાય એવી, એક અસાધારણ અદભુત ઘટના બની. પૂજ્ય બહેનશ્રી સુવર્ણપુરી મળે (લાઠીના ઉતારામાં) નિજ-નિવાસકક્ષ વિષે સ્વાત્મધ્યાનમાં બેઠાં હતાં ત્યારે, નિર્વિકલ્પ આત્માનુભૂતિમાંથી ઉપયોગ વિકલ્પમાં આવતાં, તેમને મતિજ્ઞાનની પરિણતિમાં સહજ નિર્મળતા થતાં ઉપયોગની સ્વચ્છતામાં પૂર્વભવનું આશ્ચર્યકારી સહજ સ્પષ્ટ જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. આ નિર્મળ પવિત્ર જ્ઞાનમાં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીને, ગત ભવમાં વિદેહક્ષેત્ર મધ્યે તેમણે સમવસરણમાં જેમની દિવ્ય વાણી સાક્ષાત્ સાંભળી હતી તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
વિદેહીનાથ સર્વજ્ઞવીતરાગ પરમાત્મા શ્રી સીમંધર ભગવાન, તેમનું દિવ્ય સમવસરણ, તેમની વાણીમાં સાંભળેલ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના ભૂત તેમ જ ભાવિ ભવ, સ્વર્ગ અને ત્યાંનાં રત્નનિર્મિત શાશ્વત જિનમંદિરો તથા રત્નમય શાશ્વત જિનપ્રતિમાઓ વગેરે અનેક વિષયો ક્રમે ક્રમે સ્પષ્ટપણે સ્મરણમાં આવ્યાં છે.
પૂજ્ય ગુરુદેવે, દીક્ષા લીધા પછી, અંદરથી સ્વયં સહજ એમ આવતું કે “અરે! હું તો તીર્થકરનો જીવ છું.” તદુપરાંત “હું રાજકુમાર છું” , એકવડિયો ઊંચો શરીરનો બાંધો, ગતભવનો પહેરવેશ, ૐકાર ધ્વનિનો નાદ વગેરે અંદરથી સહજ આવતું હતું, પણ આ વાત પૂજ્ય ગુરુદેવે કદી બહાર મૂકી નહોતી. પૂજ્ય બહેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનની વિગત જાણવામાં આવી ત્યારે પૂજ્ય ગુરુદેવને સ્પષ્ટ થયું કે- “દીક્ષા લીધા પછી જે મને કુદરતે અંતરમાં આવતું તે આ જ હતું.
આમ પૂજ્ય બહેનશ્રીના આ પવિત્ર જ્ઞાન દ્વારા પરમપૂજ્ય ગુરુદેવનો “ભાવી તીર્થંકરના દ્રવ્યરૂપ” લોકોત્તર મહિમા પ્રસિદ્ધ થવાથી મુમુક્ષુજગત ઉપર ખરેખર મહાન ઉપકાર થયો છે. પૂજ્ય બહેનશ્રીના સ્વાનુભવવિભૂષિત શુદ્ધાત્મસાધનામય આદર્શ જીવનની સાથે આ પવિત્ર જ્ઞાન પણ આત્માર્થી જીવોને પોતાના શ્રદ્ધાજીવનમાં તેમ જ ભક્તિજીવનમાં અતિશયતા લાવવા માટે મહાન લાભનું કારણ થયું છે.
૩) ગુરુદેવના હૃદયોદ્ગારઃ અધ્યાત્મમાર્ગપ્રકાશક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપોદ્યાત
કૃપાનિધાન પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો સમસ્ત મુમુક્ષુજગત ઉપર અકથ્ય અનંત ઉપકાર છે. તેઓશ્રીના અનેકવિધ ઉપકારોમાંનો એક મહાન ઉપકાર એ છે કે તેઓશ્રીએ મુમુક્ષજગતને પ્રશમમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની, સ્વાનુભવભીની શુદ્ધાત્મસાધનાથી અને ધર્મ સાથે સંબંધવાળા આશ્ચર્યકારી જાતિસ્મરણશાનથી વિભૂષિત, પવિત્ર અલૌકિક અંતરંગદશાની યથાતથ ઓળખાણ કરાવી છે. આત્માર્થી જીવોને આત્માર્થ સાધવામાં લાભનું કારણ થાય એ હેતુએ પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ, સુવર્ણપુરીમાં તેમ જ પ્રવાસ દરમ્યાન અનેક ગામોમાં પ્રવચનસભા ને તત્ત્વચર્ચા પ્રસંગે અતિ પ્રસન્નતાપૂર્વક ઉચ્ચારેલા-પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની અધ્યાત્મસાધના, જાતિસ્મરણજ્ઞાન અને “બહેનશ્રીનાં વચનામૃત” પુસ્તક સંબંધી-કેટલાક અહોભાવભીના “હૃદયોદ્ગારો ” અત્રે આપવામાં આવ્યા છે, કે જેનું ભક્તિભાવભીનું અધ્યયન સુપાત્ર જીવોને પોતાના જીવન ઘડતરમાં અવશ્ય લાભરૂપ થશે.
(૪) અધ્યાત્મ-અમૃતસરિતા: આ વિભાગમાં, વૈરાગ્યમૂર્તિ આત્મજ્ઞાની પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં નાની વયનાં સ્વાનુભવરસભીનાં કેટલાંક લખાણોમાંથી થોડાંક અવતરણો વીણીને આપવામાં આવ્યાં છે. આ અવતરણોનું ઊંડાણથી અવલોકન કરતાં આત્માર્થના અભ્યાસીને તેમની અંતરંગ પરિણતિનો-સહજ જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઉદાસીનતા,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #10
--------------------------------------------------------------------------
________________
૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
નિર્વિકલ્પ આત્માનુભવ, સતત વર્તતી જ્ઞાતાધારા, સ્વરૂપસ્થિરતાની સહજ પરિણતિ વગેરેનો-અદ્દભુત મહિમા અંદરથી જરૂર આવશે.
આ અવતરણો ખરેખર અધ્યાત્મ-અમૃતસરિતા જ છે. આત્માર્થી જીવોએ તેનું વાંચન તથા તેના ઉપર ગહન વિચારમનન અવશ્ય કરવા યોગ્ય છે અને એમ કરવાથી જરૂર અપૂર્વ આત્મલાભ થશે.
અંતમાં-એ જ ભાવના કે ૫૨મોપકારી પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના અનુપમ ઉપકાર તળે જેમણે ભવાન્તકારી મંગળ અધ્યાત્મસાધના સાધી લીધી છે એવા સ્વાનુભવપરિણત વિશિષ્ટજ્ઞાનધારી પ્રશમમૂર્તિ ધર્મરત્ન પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના પવિત્ર જીવન સંબંધી આ સંકલન સંશોધક આત્માર્થી જીવોને તેના ઊંડા અવગાહન દ્વારા આત્મસાધનાની સમ્યક્ પ્રેરણા, દિશા અને પુરુષાર્થની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ હો.
*
વિ. સંવત ૨૦૫૧ શ્રાવણ વદ-૧૪
તારીખ ૨૫-૮-૧૯૯૫
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિદેહીનાથ શ્રી સીમંધર ભગવાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જિનાલયોથી સુશોભિત અધ્યાત્મતીર્થ શ્રી સુવર્ણપુરી
સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણકીર્તન ગાતાં; સ્થળ-સ્થળમાં “ભગવાન આત્મ ’ના ભણકારા સંભળાતા; – કણ કણ
પુરુષાર્થ પ્રેરે, - ગુરુજી આતમ અજવાળે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
विवेहक्षेत्रस्य श्री सीमंधरस्वामी
દેવાધિદેવ જિનેન્દ્ર ભગવાનને ભાવભીના વંદન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગળ આશિષ આપતા પૂજ્ય ગુરુદેવ આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીનો અપાર ઉપકાર
(પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના હસ્તાક્ષરમાં)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો અપાર ઉપકાર
(પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના હસ્તાક્ષરમાં)
છે. પરમ કૃપાળું ગુરુદેવ, આપના અપાર સુખ ૨૩ વર્ણન 83 ૧પ અર્બન ઉઠરે રે વન 431 - આત્માના દડુ પયમાં આપને અસીમ ઉપપ્તા૨ છે. પે આ ભારતના જીવોને જwn ઠ છે. અંતરમાં આત્મા વડુ વાળવે છે.
છે સુર દેવા. પન્ન મા માં પ્રગટેલ0 છે પ્યોર્જન-વિરતિ દિન દયા આપ૧ અંત૨મ તૈમજ આપની મુદ્રામાં છવાઈ ગઈ હુની.
છે. ગુરુદેવ! આ પરમ્પ એન્ટર સ્પ૨ સાતિરાવ ચુનરીનની મëરી
ખ્યરૂ પીવા ઝગમગજ જન- વડ કરેલ રહા આપના પશિવે તજે દે અદ્ભુત ચમર્જર દેહનારા #ી.
. ફરવા આપ જેવ્ય મંગળસ્વરૂપ અને મંn yટાવ ની, અલોકિક રૂં, દિવ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
િશવા આપે છે. નિઝ્મ અને બલ્ડરપણે અંતરમં પુરુષાર્ટ ૧ મેગ્નને 22 કા ભારતના જીવોને તે સમ્પડ મારે નિ:સ્પૃપ અને નહ૫ણે આ૫ના ૫૨ ક્રમથી વળa, ઈ, ફરસેવં ને ભદોડ
દિ 83ય છે; ઉદાન- નિમિત્ત નિહ-વ્યવ૨, દબહેષ્ટિ, -, હતા, અને સ્વાનુભૂતિન નિડર દા વછેરે ચેન્યન સુન વાન દ્વારા પ્રાર, 40 લાખ જીવોને અસ૨દષ્ટિનો માર્ગ બતા , જે પ વાળઢ છે. ૫ ભા૨તા મન બનિ અને અજોડ રામ .
૨૩ દેશ અપ ઉપઠાણું 35 વર્ણન થાય છે જે હૃદયટમાં ઠેરાઈ ગયા છે. આ સના આમ્બા ઉપર આવે અનંત અનંત ઉષ્ઠ છે. અtપની સેવા-ભકિત અંતરમ વસા . બાપા ૧૨ કમળમાં આ દાસના ધા૨ ૫મભહનળ વંદન નમસ્કાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેન
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવનપરિચય
આ વિભાગમાં, વિ. સં. ૨૦૪)માં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ૭૧મી જન્મજયંતી પ્રસંગે રક્ષાબંધન પર્વદિને આયોજિત-ક્વાન-એક્સપ્રેસ” સ્પેશિયલ ટ્રેઇન દ્વારા પૂજ્ય ભગવતીમાતા બહેનશ્રી સાથે તેમના જન્મધામની યાત્રાના શુભાવસરે બહેનશ્રીના વડીલ બંધુ આદરણીય
વિદ્વદ્રત્ન પં. શ્રી હિંમતલાલ જે. શાહ દ્વારા પ્રસ્તુત સંક્ષિપ્ત જીવનપરિચય આપવામાં આવ્યો છે. આમાં વર્ણિત બહેનશ્રીની બાલ્યાવસ્થાના-સાધના-અવસ્થાના
મધુર સંસ્મરણોને, પોતાના જીવનમાં આત્મહિતનું નિમિત્ત થાય એ રીતે, ઉપયોગી બનાવવા મુમુક્ષુઓને
ભલામણ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्रीपंचपरमेष्ठिभ्यः । नमः श्रीसद्गुरुदेवाय।
પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનો
જે
સંક્ષિપ્ત જીવનપરિચય
(જન્મધામ વઢવાણમાં આદરણીય પં. શ્રી હિંમતલાલભાઈએ આપેલો )
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનો જન્મ વઢવાણ શહેરમાં, વિ. સં. ૧૯૭૦, શ્રાવણ વદ બીજ શુક્રવારના દિવસે, મહાલક્ષ્મીના મંદિર પાસે પીપળાવાળા ઘરે, થયો હતો.
પૂજ્ય બહેનશ્રીની ઉંમર સાડા ત્રણ વર્ષની હતી ત્યારે અમારાં માતુશ્રીનો સ્વર્ગવાસ થયો. મારી ઉંમર તે વખતે સાડા નવ વર્ષની. માતુશ્રીનો સ્વર્ગવાસ થવાથી પૂજ્ય બહેનશ્રી ચંપાબેન કરાંચીમાં મોટાં બેનને (સમરતબેનને ) ત્યાં રહ્યાં. પૂજ્ય બાપા, મોટાભાઈ શ્રી વજુભાઈ અને હુંઅમે ત્રણ વઢવાણ રહ્યા. પૂજ્ય બહેનશ્રી ચંપાબેન લગભગ દસ-અગિયાર વર્ષ કરાંચીમાં રહ્યાં. શાળાનો અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો. બુદ્ધિશાળી હોવાથી શાળાના અભ્યાસમાં તેઓ પ્રાયઃ પ્રથમ નંબર રાખતાં.
તેઓ પ્રથમથી જ પ્રકૃતિએ સૌમ્ય, નરમ, સૌજન્યપૂર્ણ, શરમાળ, વૈરાગી અને મિતભાષી તેમ જ મિષ્ટભાષી હતાં. બોલે બહુ થોડું. બોલાવે ત્યારે બહુ જ થોડું માંડ બોલે. મોટાં બેન પાડોશીને ત્યાં કોઈ વસ્તુ લેવા મોકલે કે ‘ચંપા! ચપ્પુ લઇ આવ', તો તે તેમને ત્યાં જઇને ધી૨ી મધુર વાણીથી કહે: ‘ચપ્પુ આપો ને!” પાડોશીને એ સાંભળવું એવું મીઠું લાગે કે ફરીને બોલાવવા માટે તે પૂછેઃ ‘ચંપા! શું લેવા આવી છું? સમજાણું નહિ.' ‘ચપ્પુ આપો ને !' એમ કહે ત્યારે તે ફરીથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
કહેઃ “હુજી કાંઇ સમજાણું નહિ.' ત્યારે બહેનશ્રી ફરીને કહે: “ચપ્પ આપો ને!'- એમ, તેમની મધુર ભાષા સાંભળવા માટે, ફરી ફરીને બોલાવતા.
તેઓ સ્વભાવે નરમ પણ એટલાં જ હતાં. માળામાં નીચે પાણીના સહિયારા નળ હતા. ત્યાં પાણી ભરવા જાય તો તેઓ એક બાજુ ઊભાં રહે. તમનો વારો આવે તો પણ પોત ભીડની અંદર જઇન ભરી શકે નહિ. પછી એવી છાપ પડી ગયેલી કે બીજાં બહેનો. જે ત્યાં હોય તે. હેઃ “ચંપાને પાણી ભરી લેવા દો! તે તો એક બાજુ ઊભી જ રહેશે, પાણી નહિ ભરી શકે.' બહેનશ્રી પહેલેથી આવાં નરમ સ્વભાવનાં હતાં. આવા ઘણા સદગુણો તેમનામાં હતા.
બહેનશ્રીને બાળપણથી જ સગુણી વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ હતો, તેમાંય સતીઓનું તો ખૂબ આકર્ષણ. “સતીમંડળ' નામનું પુસ્તક તેમને ઇનામમાં મળેલ હતું તેમાંથી સતીઓના ચરિત્રો તેઓ વાંચતાં તથા કેટલીક સતીઓનાં ચરિત્રો સંબંધી રાસ- ગરબા તેઓ માળાના ચોગાનમાં ગવરાવતાં અને અન્ય બાળાઓ ઝીલતી. બીજાં પણ નૈતિક પુસ્તકો, સદાચરણનાં પુસ્તકો તેઓ વાંચતાં. એવાં સારાં સારા પુસ્તકો વાંચવાનો તેમને પહેલેથી જ પ્રેમ હતો. તેમણે ધાર્મિક અભ્યાસ ઘરે બેઠાં બેઠાં વાંચીને, અથવા કોઇ બહેનની સાથે સામાયિક-પ્રતિક્રમણ વગેરે કરતાં તે દરમ્યાન કર્યો હતો. ધર્મસ્થાનક
ત્યાં હતું, પણ બહુ દૂર. ત્યાં બહારથી આવેલા કોઈ પંડિતો વ્યાખ્યાન વાંચતા, પણ તે ઉપદેશ સાંભળવા જવાનું તો કોઇક વાર બનતું. કોઈ વાર ઘરે બપોરે સામાયિક કરે ને રાત્રે પ્રતિક્રમણ કરે.
શાળાનો અભ્યાસ છોડ્યા પછી તો તેઓ બપોરે ઘરે સામાયિક ઘણીવાર કરતા; ત્યાગવૈરાગ્યની ક્રિયાઓ પણ કરતાં. સામાયિકનો પાઠ શીખેલાં ને પ્રતિક્રમણ પણ મુખપાઠ કરેલું. તદુપરાંત થોકડામાં નવ તત્ત્વ, છે કાયના બોલ, દંડક, ગતિ-આગતિ, ગુણસ્થાન-એ બધું, યથાશક્તિ વિચારપૂર્વક, મુખપાઠ કરેલું. પુચ્છિન્નુણે, ભક્તામર તથા કલ્યાણમંદિર વગેરે સ્તોત્ર કંઠસ્થ કર્યા હતાં. બીજાં ધાર્મિક વાંચન પણ કરતાં. બહેનશ્રી કહેતાઃ “ ત્યાં પંડિત “લાલન” નું એક પુસ્તક હતું. તેમાં એમ આવતું કે “આંખ બંધ કરો, કાન બંધ કરો, અંદર જે એક વિચારક તત્ત્વ છે તે આત્મા છે.' તે વાત મને ગમતી. તે વિચારક તત્ત્વ કોણ છે તે સમજવા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
હું પ્રયત્ન કરતી.” આ રીતે આત્મા સમજવાની ધાર્મિક લાગણી તેમને પહેલેથી જ હતી.
તેમનું ચિત્ત વૈરાગ્યથી ઘણું જ ભિંજાયેલું હતું. તેથી તેમને દીક્ષા લેવાની ભાવના નાનપણથી જ હતી. નાની વયથી જ તેમને અંતરમાં એમ થતું કે “આવો મનુષ્યભવ તો કોઇક વાર જ મળે છે, આ મોંઘા મનુષ્યભવનો ઉપયોગ તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ કરી લેવો જોઇએ. તે માટે મારે અવશ્ય દીક્ષા લેવી.' આમ તેમને દીક્ષાની પ્રબળ ભાવના વર્તતી હતી અને અંદરમાં દઢ નિર્ણય કરેલ કે “મારે દીક્ષા તો લેવી જ છે.' આ વાત તેમણે પોતાની એક બહેનપણીને કહી. બહેનપણી દ્વારા તે વાત બહાર પડી ગઈ અને ચંપાબેનને ઠપકો મળ્યો કે-આવા શા વિચારો કરે છે? તેથી, ભાવના તીવ્ર હોવા છતાં, દીક્ષા ન લઇ શકાઇશરમાળ ને નરમ પ્રકૃતિને લીધે, તથા કોની પાસે દીક્ષા લેવી તે નિર્ણય નહિ થઇ શકવાથી, દીક્ષાની ભાવના સાકાર ન થઇ શકી.
- ત્યાર પછી લગભગ ચૌદ કે પંદરમા વર્ષે તેમને વઢવાણ આવવાનું થયું. તે પહેલાં તેઓ દર બબ્બે કે ત્રણ-ત્રણ વર્ષે વઢવાણ આવતાં ને બેચાર મહિના રહેતાં, અને પછી કરાંચી જતાં. પણ પંદરમા વર્ષે વઢવાણ આવ્યા પછી તો ઘણો સમય ત્યાં જ પસાર કરવાનું થયું. કોઇ વાર મોટા ભાઈના ઘરે વાંકાનેર જાય; કરાંચી પણ વચ્ચે જઈ આવેલાં. તેમનું ચિત્ત વૈરાગ્યથી ભિંજાયેલું તો હતું જ, તેમાં તેમની ધર્મભાવનાને -દેશમાં રહેવા દરમિયાન-પોષણ તેમ જ દિશા મળે તેવું થયું. તેમને પૂજ્ય ગુરુદેવ પાસેથી વ્યાખ્યાન દ્વારા તત્ત્વની ઘણી વાતો સાંભળવા મળી. ગુરુદેવે મોક્ષમાર્ગનું જે યથાર્થ પ્રરૂપણ કર્યું હતું તે મેં સાંભળેલું, તત્ત્વજ્ઞાનની યથાર્થ ઝીણી વાતોસમ્યગ્દર્શનનું માહાભ્ય, આત્માનો સ્વભાવ, કર્મ અને આત્માનું સ્વતંત્ર પરિણમન વગેરે ઘણી ઘણી વાતો-સાંભળેલી. તે વિષે હું અને બહેનશ્રી ચર્ચા કરીએ. હું તેમને તત્ત્વની, વૈરાગ્યની કે સત્પરુષ પ્રત્યે ભક્તિની જે જે વાત કરું તે તેઓ ખૂબ રસપૂર્વક સાંભળે. તેમને તે વાતો ખૂબ ગમતી. પહેલાં તો તેમને આ વાતો અઘરી લાગતી ને મનમાં થતું કે આ બધું શું સમજાય? પણ પછી તો તેમણે તે બધું બહુ ઝડપથી પકડી લીધું અને ગુરુદેવનું તત્ત્વજ્ઞાન અંદરમાં પોતાના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
ભાવથી પોતે સમજી લીધું.
તેમનું જીવન પ્રથમથી જ સાધ્યલક્ષી હતું, અને તે સાધ્ય મોક્ષપ્રાપ્તિ હતું. તેથી તત્ત્વને સ્પષ્ટ કરે અને વૈરાગ્ય-ઉપશમ દઢ કરે એવાં ધાર્મિક પુસ્તકો વાંચવાં બહેનશ્રીને ગમતાં. તે સિવાય અન્ય વાંચનમાં સમય બિલકુલ ન બગાડતાં.
શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક એ રીતે હાથમાં આવ્યું કે વિ. સં. ૧૯૮૨ની સાલના વઢવાણના ચાતુર્માસ પછી ગુરુદેવ જ્યારે વિહાર કરવાના હતા ત્યારે વજુભાઈએ પૂછયું કે “મહારાજ સાહેબ ! આપ વિહાર કરો છો તો આપના સમાગમના વિયોગમાં હવે અમારે કયું પુસ્તક વાંચવું?' ત્યારે તેઓશ્રીએ કહ્યું: “શ્રીમદ્ રાજચંદ્ર” વાંચો. તેથી તે પુસ્તક વજાભાઈ પુસ્તકાલયમાંથી લાવેલા. મારા હાથમાં આવતાં તે પુસ્તક મને ખૂબ ગમ્યું. એટલે હું તે વાંચતો; બહેનશ્રી પણ વાંચતાં, હું અને બહેનશ્રી, સાથે બેસીને પણ, તે પુસ્તક વાંચતા; તેમાં પ્રરૂપેલા ધર્મબોધ વિષે ચર્ચા પણ કરતાં તેમાં જે વિચારો કહ્યા હોય તે વિચારતાં. બહેનશ્રી તેમાં ખૂબ રસ લેતાં.
તદુપરાંત “કર્મ ને આત્માનો સંયોગ' નામનું એક પુસ્તક હતું. તે પણ અમે વાંચતાં ને વિચારતાં. તે પુસ્તક વજુભાઈને ધાર્મિક અભ્યાસક્રમમાં પાઠયપુસ્તક તરીકે હતું. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ તરફથી સૌરાષ્ટ્રમાં જે પરીક્ષા લેવાતી હતી તેનું, તે પાઠયપુસ્તક હતું. તેથી તે પુસ્તક ઘરમાં હતું. તે મારા હાથમાં આવ્યું. તેની અંદર કહેલી વાતો મને ખૂબ ગમતી. પાછળથી ખબર પડી કે કર્મ ને આત્માનો સંયોગ' તે, કોઇ સ્વતંત્ર મૌલિક પુસ્તક નથી, પણ “મોક્ષમાર્ગપ્રકાશક' નામના દિગંબર જૈન ગ્રંથના બીજા અધિકારનું લગભગ ભાષાંતર જ તેમાં આપેલું છે. તેમાં બહુ તર્કસંગત ને સુંદર રીતે સિદ્ધાંતો સમજાવ્યા છે, જે સ્વાભાવિક રીતે જ આપણને ગમે. કર્મનું કાર્ય શું, આઠ કર્મનું પ્રયોજન શું, આત્મા અને કર્મ બંને સ્વતંત્ર છે, માત્ર તેમને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે–આવી ઘણી વાતો તેમાં પ્રતીતિકર ઢંગથી સમજાવી છે. તેમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે બંધના પ્રકારમાં જે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ છે તેમાં જે પ્રકૃતિબંધ ને પ્રદેશબંધ છે તે ગૌણ બંધ છે અને તેનું કારણ યોગ છે, તથા જે સ્થિતિબંધ ને અનુભાગબંધ છે તે મુખ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
બંધ છે અને તેનું કારણ કાય છે. આનો અર્થ એ થયો કે બંધ થવામાં કાયાદિની ચપળતા મહત્ત્વની નથી પણ કષાયપરિણામ મહત્ત્વના છે. આ વાત ખૂબ ન્યાયસંગત હોવાથી મને બહુ પ્રિય હતી; બહેનશ્રીને પણ તે ગમતી. આ રીતે તે પુસ્તક વિષેની ઘણી ઘણી વાતો અમે બંને ભાઈ-બહેન સાથે બેસીને વાંચતાં અને ચર્ચતાં. બહેનશ્રીને પણ તે વાતોમાં ખૂબ રસ પડતો. બીજાં પણ કોઇ કોઇ પુસ્તક અમે સાથે વાંચતાં ને વિચારતાં. તેમાંથી બહેનશ્રીને, પૂજ્ય ગુરુદેવ પાસે જે સાંભળેલું તેની સારી પકડ આવેલી.
૧૧
હું તો અનિર્ણય–દશામાં રહેતો, વિચારોમાં જ અટકી જતો; વિચારથી સામાન્યપણે બેસે, પરંતુ ‘આમ જ છે' એમ નક્કી ન થાય. બહેનશ્રીને તો તે અંતરમાં નક્કી જ થઇ જતું. તેઓ તરત જ નિર્ણય કરે અને કહે કે–‘મને તો આ જ વાત સાચી લાગે છે.' એક વાર તેમની સાથે કોઇ ચર્ચા થતી હતી ત્યારે મેં કહ્યું: ‘ક્રોધ આત્માનો સ્વભાવ નથી' એ કઇ રીતે નક્કી થાય? તેમણે તરત જ કહ્યું: ક્રોધ જો આત્માનો સ્વભાવ હોય તો તેનાથી જ્ઞાનને પુષ્ટિ મળવી જોઇએ; સ્વભાવ એકબીજાને હણે નહિ. પરંતુ ક્રોધ કરીએ ત્યારે જ્ઞાન કુંઠિત થાય છે; માટે તે, આત્માનો સ્વભાવ નથી. ક્ષમા જ્ઞાનને રોકતી નથી, માટે ક્ષમા જીવનો સ્વભાવ છે.
ત્યાર પછી-કઇ સાલમાં તે ખબર નથી, કદાચ મોડે હશે-તેમણે પરમાગમના એક અતિ-મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતમાં પોતાનો દૃઢ પ્રતીતિભાવ ભારપૂર્વક જાહેર કરેલો. મેં પૂછ્યું: જીવ જ્યારે અશુદ્ધિ કરે ત્યારે પણ તેને સામર્થ્ય-અપેક્ષાએ શુદ્ધિ રહે છે એ શાસ્ત્રસંમત હકીકત છે. જીવ રાગદ્વેષ કરે અને તે જ વખતે એક અપેક્ષાએ-સ્વભાવ –અપેક્ષાએ શુદ્ધ! એ કઇ રીતે હશે ? તેમણે દૃષ્ટાંત આપીને કહ્યું કે-સાકરનો ગાંગડો કાળીજીરીના ભૂકામાં મૂક્યો હોય તો શું સાકરનું ગળપણ જતું રહે છે? ઉ૫૨-ઉ૫૨ કડવાશ આવે પણ અંદર તો મીઠાશ છે. મેં કહ્યું: તે દષ્ટાંત બેસતું નથી; કારણ કે આત્મા તો એક અખંડ પદાર્થ છે અને સાકર તો અનંત પરમાણુઓનો પિંડ છે. વચ્ચેના ૫૨માણુઓને કાળીજીરી અડી પણ નથી, એટલે તે તો ગળી રહે, કડવી ક્યાંથી થાય? પણ આત્મા તો એક અખંડ પદાર્થ છે, તેમાં એક જ સમયે શુદ્ધ ને અશુદ્ધ-એ બે એકસાથે એક જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
વસ્તુમાં કઈ રીતે હોઈ શકે? તેમણે કહ્યુંઃ દષ્ટાંત બેસતું હોય કે ન બેસતું હોય પણ તત્ત્વ તો એમ જ છે અને મને એમ બેસે છે.–એમ તે કહેતાં. આમ તેમને ઘણાં આધ્યાત્મિક તથ્યો સહજપણે અંદર બેસી જતાં.
આ રીતે તેમણે ઘણા સિદ્ધાંતો થોડા જ કાળમાં પચાવ્યા. તે ખૂબ રસપૂર્વક ધાર્મિક વાતો સાંભળતાં અને વિચારતાં. આખો દિવસ, ઘરનાં કામકાજ વખતે પણ, તેમને તે જ વિચારો ચાલ્યા કરતા. આખો દિવસ ભાઈ મારી સાથે બેસી રહે અને મને સમજાવે તો સારું–એમ તેમને થયા કરતું. હું તેમને એમ કહેતોઃ આપણે સ્વતંત્રપણે ને નિષ્પક્ષપણે વિચારવું જોઈએ. જૈન' માં જન્મ્યા એટલે તે ધર્મ સાચો છે એમ માનીને ન ચાલવું, નિષ્પક્ષપણે વિચારવું. નિષ્પક્ષપણે વિચારીને પણ તેમને તો જૈન તત્ત્વજ્ઞાન જ બેસતું. તેઓ કહેતાં: હું મધ્યસ્થભાવે-નિષ્પક્ષપણે વિચારું છું તો પણ મને તો આમ જ એટલે કે જિનેન્દ્ર કહ્યા અનુસાર જ સત્ય લાગે છે.
હું તે વખતે અન્ય દર્શનનાં પુસ્તકો પણ શક્તિ પ્રમાણે, ટાઈમ પ્રમાણે વાંચતો. શ્રીમદ્દ રાજચંદ્રજીએ ‘યોગવાસિષ્ઠ' પુસ્તકની ભલામણ કરી છે એટલે ‘યોગવાસિષ્ઠ' નાં પણ કેટલાંક પ્રકરણો વાંચ્યાં હતાં. ગાંધીજીના વિચારો ખૂબ વાંચતો. ગીતા વાંચેલી. તે ઉપરાંત ‘રામકૃષ્ણ પરમહંસ, ' ‘ રામતીર્થ ’ ઇત્યાદિનાં જીવનચરિત્રો પણ વાંચવા લઈ આવતો. મને અંદર એમ રહ્યા કરતું કે આપણે ‘સત્ય શું છે’-એ ન્યાયપૂર્વક નક્કી કરવું જોઈએ; કેમ ગાંધીજી જેવા કેટલાય મોટા માણસો અન્ય ધર્મમાં છે, તો અન્ય ધર્મ ખોટો હોય એમ એકદમ કેમ કહેવાય ?-આવા વિચારોમાં હું અટવાયા કરતો, ત્યારે બહેનશ્રીને તો સહેજે જૈનધર્મમાં કહેલા સિદ્ધાંતો જ બેસી જતા. ‘મને તો આ ન્યાયો જ બેસે છે' એમ તે કહેતાં. અમે પેલી વાતની (જીવમાં અશુદ્ધિ વખતે પણ સામર્થ્ય-અપેક્ષાએ શુદ્ધિ કઈ રીતે રહે છે-એ વાતની ) ચર્ચા તો અનેક વાર કરતાં.
તત્ત્વસંબંધી વિચારો સ્પષ્ટ થાય તેમ જ તેનું ઘૂંટણ થાય તે હેતુથી અમે તાત્ત્વિક વિષયો ૫૨ નિબંધો-લેખો લખતાં; તેમાં પૂજ્ય બહેનશ્રીએ નીચેના વિષયો ૫૨ લેખો લખ્યા હતાઃ-(૧) જગત શું અને આ વિચિત્રતાનું કારણ શું? (૨) સુખનું સાચું સ્વરૂપ અને તેનો સાચો ઉપાય. (૩) કયા માર્ગે છું? (૪)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
૧૩
મોક્ષની આવશ્યકતા શી ? (૫) દેહ ને આત્મા જુદા શા ન્યાયે? (૬) કર્મ ગ્રહણ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. (૭) દયા પણ શુભ રાગ છે; આત્માનો સહજ સ્વભાવ નથી.
ત્યાર પછી હું સુરત ગયો ત્યારે મારા પર તેમના પત્રો આવતા. તેમાં તેઓ પોતાના ધાર્મિક વિચારો જણાવતા. “ઉદય અને ઉદીરણાનું સ્વરૂપ શું છે? બે વચ્ચે શો તફાવત છે? આજે હું આવવાનો હોઉં, પણ જો ન આવી શકું તો તે ઉદય કહેવાય કે ઉદીરણા? તેમાં મોહકર્મ શો ભાગ ભજવે છે? તેમાં શાતાવેદનીય કર્મ અથવા અશાતાવેદનીય કર્મ શો ભાગ ભજવે છે?' ઇત્યાદિ બાબત હું વિચારું અને લખું, બહેનશ્રી પણ વિચારે અને લખે કે મને આમ બેસે છે.-એમ તેમના મુખ્યત્વે ધાર્મિક પત્રો આવતા.
જો કે બહેનશ્રી આજન્મ-વૈરાગી હતાં, મારે આત્માનું કરી જ લેવું છે એવી ઉગ્ર ભાવના તેમને બાળપણથી જ વર્તતી હતી અને તેઓ અનેક સગુણોના ધારક હતાં, તો પણ તેમને મોક્ષમાર્ગના પુરુષાર્થની સાચી વિધિ હાથ આવી તે તો આખીયે, પરમોપકારી ગુરુદેવના પરમ પરમ પ્રતાપથી જ. બહેનશ્રીના હૃદયમાં તારણહાર ગુરુદેવ પ્રત્યે અસીમ પારાવાર ભક્તિ છે. ગુરુદેવના ઉપકારોનું વર્ણન કરતાં તેઓ ગદગદ થઈ જાય છે. “હું તો પામર છું, બધુંય ગુરુદેવે જ આપેલું છે, બધુંય ગુરુદેવનું જ છે' એમ તેમના આત્માનો પ્રદેશ પ્રદેશ પોકારે છે.
એવા પરમોપકારી ગુરુદેવનાં દર્શનનો અને તેમનાં વ્યાખ્યાનશ્રવણનો પ્રથમ પાવન યોગ બહેનશ્રીને વઢવાણમાં શ્રી નારણભાઈની દીક્ષા પ્રસંગે વિ. સં. ૧૯૮૫માં પ્રાપ્ત થયો હતો. તે પ્રસંગે થોડા દિવસ પૂજ્ય ગુરુદેવના તત્ત્વજ્ઞાનભરપૂર પુરુષાર્થપ્રેરક પ્રવચનો સાંભળી બહેનશ્રીને અત્યંત આનંદ થયો હતો.
પછી, બીજી વાર બહેનશ્રીને ભાવનગરમાં ઘણા વ્યાખ્યાનશ્રવણનો યોગ પ્રાપ્ત થયો હતો. ભાઈશ્રી વજુભાઈ ભાવનગરમાં ઈજનેર તરીકે નોકરી કરતા હતા ત્યારે બહેનશ્રી ત્યાં ગયાં હતાં અને ગુરુદેવની પણ તે વખતે ભાવનગરમાં સ્થિતિ હતી. બહેનશ્રી ખૂબ એકાગ્રતાથી ગુરુદેવનાં વ્યાખ્યાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સાંભળતાં અને ઘરે આવીને લખી લેતાં. તે લખાણ દાસભાઈના (પુરુષોત્તમદાસ કામદારના ) વાંચવામાં આવ્યું અને વાંચી બહુ જ ખુશી થયા. તેમણે ગુરુદેવને કહ્યું: ‘ સાહેબ ! વજુભાઈનાં એક બહેન છે, તે આપનું વ્યાખ્યાન ઘરે જઈને બધું લખી લે છે; એટલું સુંદર લખે છે કે ન્યાય કયાંય જરા પણ મરડાતો નથી કે કોઈ નાની હકીકત પણ છૂટી જતી નથી.' પછી એક વાર ગુરુદેવ વજીભાઈને ત્યાં આહાર વહોરવા પધાર્યા હતા ત્યારે આહાર વહોરાવતી વખતે બહેનશ્રીના શાન્ત, ધીરગંભીર યોગ વગેરે ઉપરથી ગુરુદેવને તેમની સંસ્કારિતા અને સુપાત્રતાનો ખ્યાલ આવી ગયો; અને ઉપાશ્રયે દાસભાઈને કહ્યું કે–મેં વજુભાઈનાં બહેનને જોયાં. બહેન સંસ્કારી છે.’
બહેનશ્રી ત્યાર પછી વીંછિયા ગયાં હતાં, પોરબંદર ગયાં હતાં, જામનગર ગયાં હતાં-એમ જુદે જુદે ગામ ગયાં હતાં. તેઓ ગુરુદેવનું સાંભળે તે ઉપલક સાંભળીને કાઢી ન નાખે, પરંતુ તેના ઉપર બરાબર વિચાર કરતાં. પોતાના જીવનમાં કેમ ઉતારવું-એ હેતુથી તે સાંભળતાં. ભલે માત્ર પાંચ-સાત દિવસ સાંભળી આવે, પણ અંતરમાં મંથન કરી તેનું રહસ્ય ગ્રહી લેતાં.
બહેનશ્રીને ગુરુદેવના પ્રવચનશ્રવણના પ્રતાપે અગાઉથી-સમતિ થયા પહેલાં વર્ષ-બે વર્ષ આગળથી-અંદરથી જોર આવવા માડયું કે ‘મારે સમકિત તો લેવું જ છે, આ ભવમાં સમતિ ન લઈએ તો આ મનુષ્યપણું શા કામનું? સમકિત થશે જ...સમકિત લેવું જ છે.' એક વાર મેં પૂછ્યું: ચંપા ! સમકિત કેટલું દૂર છે? તો કોણી સુધીનો હાથ બતાવીને કહેઃ ‘આટલું. ’ આમ વિશ્વાસથી કહ્યું. મને મનમાં થયું કે ‘બહેનને સમકિત શી ચીજ છે તેની પૂરી ખબર લાગતી નથી. સમકિત થતાં તો સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો અંશે અનુભવ થાય. પણ બહેન સમકિતને સામાન્ય ચીજ ગણીને કહેતી લાગે છે.' પછી હું બીજી વાર વેકેશનમાં સુરતથી પાછો વઢવાણ (કે વાંકાનેર) આવ્યો ત્યારે ફરીને મે પૂછ્યું: ચંપા! હવે સમકિત કેટલું દૂર છે?'−તો અર્ધો હાથ બતાવીને તે કહે કે ‘આટલું’-આમ તેમને અંદરથી એવું જોર આવતું' અને પોતાને પ્રગતિ થઈ રહી છે એમ પણ ભાસતું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
૧૫
વિ. સં. ૧૯૮૯ના કારતક માસમાં પૂજ્ય ગુરુદેવનાં દર્શન ને વાણીનો લાભ લેવા અને ભાઈ બહેન જામનગર ગયાં હતાં અને ત્યાં ત્રણ દિવસ રહ્યાં હતાં.
ત્યાં મેં ગુરુદેવને પૂછયું હતું કે “બે જીવોને આઠેય કર્મનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ ને ઉદય વગેરે બધું સરખું હોય તો તે બે જીવો તે સમયે સરખા ભાવ કરે કે જુદા ભાવ કરે? “ગુરુદેવે કહ્યું: જુદા ભાવ કરે.' મેં કહ્યું: “સ્વભાવ તો સરખા છે અને બંનેને કર્મના પ્રકારોમાં પણ બધું સરખું છે તો પછી શું કામ જુદા ભાવ કરે ?' તેનો જવાબ આપતાં ગુરુદેવે કહ્યું: “અકારણ પારિણામિક દ્રવ્ય છે;” અર્થાત્ જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે પરિણમતું દ્રવ્ય છે, તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે ? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે.
ઉપરની પ્રશ્નોતરી વખતે એક નિયતિવાદી શેઠ કે, જેઓ નિયતિ પર જોર આપીને પુરુષાર્થ ઉડાડતા, તે ત્યાં બેઠા હતા. ઉપાશ્રયની બહાર નીકળીને મેં તે શેઠને કહ્યું: શેઠ! પૂજ્ય મહારાજ સાહેબે જીવની સ્વાધીનતાનું કેવું સુંદર સ્પષ્ટીકરણ કર્યું? શેઠ કહે: “મારે મહારાજ સાથે આ જ વાંધો છે. કાનજીમહારાજ “પાંચ સમવાય ” માનતા નથી ને હું તો પાંચેય સમવાય માનું છું” મેં કહ્યું: “પાંચે સમવાય માને તો પણ સમાન–વજનપણે તો કોઈ ન માની શકે. તમે નિયતિની મુખ્યતા માનો છો ને તેઓ પુરુષાર્થની મુખ્યતા માને છે. તે બે વાતમાં કઈ વાત ન્યાયસંગત છે? “પોતાના ભાવ, પોતે કરે તે પ્રમાણે થાય” તે વાત બરાબર છે કે “નિયતિ' એ ઠોકી બેસાડયું હોય તે પ્રમાણે થાય-તે વાત બરાબર છે? તમારી માન્યતામાં પણ પાંચનું સમાન વજન તો રહેતું નથી; પાંચમાં તમે “નિયતિ' ને મુખ્ય માનો છો અને મહારાજ સાહેબ “પુરુષાર્થ ' ને મુખ્ય માને છે.” શેઠ પાસે કોઈ ઉત્તર નહોતો.
પૂજ્ય મહારાજ સાહેબ સમક્ષ જે ચર્ચા-વાતો થાય તે હું અમારા ઉતારે જઈને બહેનશ્રીને કહેતો. આ સ્વાધીનતા અને પુરુષાર્થની વાત પણ કરી. તે સાંભળી બહેનશ્રી પ્રમુદિત થયાં. બહેનશ્રીનો પણ, ગુરુદેવની જેમ, પુરુષાર્થ જ જીવનમંત્ર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
S
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જામનગર ત્રણ દિવસ રહીને ત્યાંથી પાછા ફરતાં બહેનશ્રી ખૂબ વૈરાગ્યમાં આવી ગયાં હતાં મને કહ્યું હતું પણ ખરું કે “સમય ચાલ્યો જાય છે; હવે તો સમકિત માટે ખૂબ પુરુષાર્થ કરવો છે.' એ વચનો પ્રમાણે ખરેખર તેમણે ઉગ્ર પુરુષાર્થ કરીને ચાર મહિનામાં ( વિ. સં. ૧૯૮૯ના ફાગણ વદ દશમના મંગળ દિન) નિર્વિકલ્પ સમકિત પ્રાપ્ત કર્યું, ભવભ્રમણનો ભય ભાંગ્યો, અંતરમાં અનંતકાળસ્થાયી શાશ્વતી નિરાંત થઈ ગઈ.
અમારા ઘરમાં પહેલેથી જ સદાચાર તેમ જ સંપ્રદાય પ્રમાણેનું ધાર્મિક વાતાવરણ તો હતું જ. પિતાશ્રી સરળ, શુદ્ધ નૈતિક જીવનવાળા અને અત્યંત પ્રમાણિક હતા તથા અનુકૂળતા પ્રમાણે સવારે વ્યાખ્યાન સાંભળવા તેમ જ સાંજે પ્રતિક્રમણ કરવા જતા. માતુશ્રી તેજસ્વી બુદ્ધિવાળાં, વિશેષ ધાર્મિક વૃત્તિવાળાં અને વીર્યવાળાં હતાં; ધાર્મિક ક્રિયાઓમાં સારો રસ લેતાં. માતાપિતાને ગુલાબચંદજી મહારાજ ઉપર ઘણી શ્રદ્ધા-ભક્તિ હતી. તે મહારાજ ઘણું કષ્ટ વેઠીને બહુ આકરા આચાર પાળતા. પૂજ્ય ગુરુદેવ પણ કહેતા કે ગુલાબચંદજી બહુ આકરી ક્રિયા પાળતા. તેમની અસરથી અમારા કુટુંબમાં ધાર્મિક સંસ્કારો સારા હતા. વજુભાઈ તો સાંજે સ્કૂલથી આવીને સ્કૂલની ચોપડીઓ ફેંકીને, તુરત ઉપાશ્રયે દોડી જાય. તેઓ ઉપાશ્રયે ઘણો ટાઈમ ગાળતા; સામાયિક કરે, કોઈ સાધુમહારાજ હોય તેમની પાસે જઈને નવ તત્ત્વ, ગતિ-આગતિના બોલ વગેરે થોકડા અને સૂત્રની ગાથાઓ વગેરે શીખે, સાંજે પ્રતિક્રમણ કરે ને કય રેક-સાધુની જેમ આચાર પાળવાનું ને વહોરીને આહાર કરવાનું સપ્રદાયમાં વ્રત કરે છે એવું-દશમું વ્રત કરે. અખિલ કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન કોન્ફરન્સની પરીક્ષા આપીને તેમાં તે બીજા નંબરે ઉત્તીર્ણ થયા હતા. આખું “દશવૈકાલિક સૂત્ર” નાની વયમાં મુખપાઠ કર્યું હતું.
આવા સદાચારી અને ધર્મપ્રેમી કુટુંબમાં જન્મેલાં બહેનશ્રીનાં સદાચાર અને ધર્મપરાયણતા તો કોઈ અનેરી ભાત પાડે એવાં પ્રથમથી જ હતાં. બાલ્યાવસ્થાથી જ તેમના દેહમાં ઉપશમરસના ઢાળા ઢળી ગયા હતા. આ મનુષ્યભવમાં જલદી મોક્ષ માટેનો પુરુષાર્થ પ્રગટ કરી ભવભ્રમણ ટાળવાની તેમને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
તીવ્ર ઝંખના રહેતી હતી. તદુપરાંત અનેક સદ્દગુણોના તેઓ નિકેતન હતાં. તેઓ પૂજ્ય ગુરુદેવે શીખવેલા તત્ત્વજ્ઞાન અનુસાર શાસ્ત્રવાંચન કરતાં, તદનુસા૨ વિચાર-મંથન કરતાં, નિર્ણયની દઢતા માટે ઉદ્યમ કરતાં તથા સ્વપરના ભેદજ્ઞાનનો તેમ જ ધ્યાનનો અભ્યાસ કરતાં.
૧૭
તેઓ વારંવાર મૌન ધારણ કરતાં. કુટુંબીજનો સાથે પણ બહુ જ ઓછું બોલતાં. બહુધા પોતાના આંતરિક આત્મકાર્યમાં જ રત રહેતાં.
તેઓ સ્વભાવથી જ બહુ એકાન્ત-પ્રિય હતાં. એકાંતમાં બેસીને વાંચન-મનન-ધ્યાન કરવાનું તેમને અતિ પ્રિય હતું [ સમ્યદર્શન પ્રાપ્તિ કર્યા પછી સં. ૧૯૯૦માં તેઓ સુરત આવ્યા હતાં ત્યારે પણ તેઓ બીજે માળે ઓરડામાં આખો દિવસ એકાંતમાં રહીને જ્ઞાન-ધ્યાન કર્યા કરતાં. ત્યાંના તેમના ચાર માસના વસવાટ દરમ્યાન તેઓ ભાગ્યે જ એક વાર પણ ઘ૨ બહાર નીકળ્યાં હોય. આખો દિવસ એકાંતમાં અધ્યાત્મરતપણે પોતાનું અંદરનું કામ કરતાં થાકતાં જ નહિ.)
તે ઉપરાંત તેઓ ઉપવાસ કરે, લૂખું ખાય, ભોજનમાં અલ્પ દ્રવ્યો જ વાપરે. કેટલીક વાર ઘણા દિવસો સુધી માત્ર છાશ-રોટલા સિવાય કાંઈ ન લે.-આવી આવી કાયકષ્ટની ક્રિયાઓ પણ કરે, અને કહે કે આમાં શી મોટી વાત છે ? નરક-તિર્યંચગતિમાં જીવે પરાધીનપણે કેટલું સહન કર્યું છે?
ઘરનું કામકાજ કરતાં પણ-૨સોય કરતાં, કપડાં ધોતાં કે પાણી ભરતાં પણ-તેમને સમ્યક્ત્વપ્રાપ્તિની અથવા નિજ જ્ઞાયકભગવાનનાં દર્શનની ઊંડી ખટક રહ્યા જ કરતી. સંસારથી તેઓ ઘણાં ઉદાસીન રહેતાં.
‘બહું પુણ્ય કેરા પુંજથી ' એ કાવ્ય બહેનશ્રી વારંવાર વૈરાગ્યભાવે ગાતાં અને તેમાંથી ‘હું કોણ છું, કયાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું' ઇત્યાદિ ભાગ પર બહુ ઊંડાણથી ચિંતન કરતાં. ‘દૂર કાં પ્રભુ દોડ તું, મારે ૨મત રમવી નથી'–એ પ્રભુમિલનની ઝૂરણાનું ગીત, અથવા ‘ કંચનવરણો નાહ રે મુને કોઈ મિલાવો' એ નિજ જ્ઞાયકભગવાનના વિરહદુ:ખનું ગીત અતિવેદનપૂર્ણ ભાવે ગાતાં મેં બહેનશ્રીને અનેક વાર સાંભળ્યાં છે. સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ' એ પદ તથા ‘કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે' એ પદ, સ્વરૂપમાં સમાઈ જવાની ભાવનામાં તરબોળ થઈને તેઓ અનેક વાર લલકારતાં. ‘મોહિં લાગી લગન ગુરુચરણનકી'–એ ભક્તિગીત ગુરુદેવના સત્સંગની ઉગ્ર ભાવનાથી ભિંજાઈને તેઓ ઘણી વાર ભાવિવભો૨૫ણે ગાતાં.
પૂજ્ય બહેનશ્રીને વારંવાર એવા ભાવ આવતા કે-કાલ ગઈ, આજ ગઈ, એમ કરતાં કરતાં પંદર-સત્તર વર્ષ ચાલ્યાં ગયાં; જિંદગી જતાં શી વાર લાગશે? માટે પ્રમાદ છોડી, તત્ત્વવિચારપૂર્વક પાકો નિર્ણય કરી, ત્વરાથી આત્મપ્રાપ્તિ કરી લેવા યોગ્ય છે, પ્રમાદ કરવા યોગ્ય નથી.
વળી તેમને એવું જોર પણ આવતું કે ‘આ ભવમાં જ પાકો નિર્ણય કરીને અવશ્ય સમકિત લેવું છે.’ ‘જરૂર સમકિત થશે જ' એમ તેમને અંદરથી વિશ્વાસ આવતો.
-આમ વિવિધ પ્રકારના ઉઘમ-પરિણામે પરિણમી, ગમે તેમ કરીને સમ્યક્ પુરુષાર્થને પહોંચી વળી, પૂજ્ય બહેનશ્રીએ આખરે વિ. સં. ૧૯૮૯ના ફાગણ વદ દશમના પવિત્ર દિને વાંકાનેરમાં નિજ જ્ઞાયકભગવાનનાં મંગલ દર્શન કર્યાં, અપૂર્વ સહજાનંદની પવિત્ર અનુભૂતિ કરી, સિદ્ધભગવાનના વચનાતીત સુખનો મધુર સ્વાદ ચાખ્યો અને મોક્ષમહેલનાં મંગળમય દ્વાર ખૂલી ગયાં.
સમતિ થયા પછી થોડા દિવસમાં પૂજ્ય બહેનશ્રીને પૂ. પિતાશ્રી પાસે વઢવાણ જવાનું થયું. ચૈત્ર માસમાં ત્યાંથી પિતાશ્રીનું એક કૌટુંબિક પ્રસંગ સંબંધી પોસ્ટ કાર્ડ મારા ૫૨ સુરત આવ્યું. તેમાં પાછળના ભાગમાં પૂ. બહેનશ્રીએ નીચે પ્રમાણે લખ્યું હતું:
“સંસાર દુ:ખમય છે. માટે આત્માને પુરુષાર્થ કરી તેમાંથી તારી લેવાની જરૂર છે. પ્રમાદ કરવો યોગ્ય નથી. જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે. તમે પણ પ્રમાદ છોડી, વૈરાગ્ય વધારી વિચારશો તો એમ જ જણાશે. પ્રમાદ કર્તવ્ય નથી.
,,
અમે તો બહુ તોળી–તોળીને શબ્દો બોલતાં; એટલે તેમણે જે આમ
લખ્યું કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
શુ
‘જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે.' તેમાંથી મને એમ થયું કે બહેનને સમ્યગ્દર્શન થયું હશે? નહિ તો ‘જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે' એવું, આટલા જોરપૂર્વક તે કેમ લખી શકે?” મેં પછી કાગળ લખ્યો:“ બહેન ચંપા ! તું લખે છે કે ‘જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે' તો શું તને સકિત થયું છે? કારણ કે સમકિત વિના આટલા જો૨પૂર્વક આવા શબ્દો નીકળે નહિ.” તેનો પત્ર આવ્યો કે-‘આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે.' તે પત્રમાં બીજું વિશેષ શું લખેલ તે અત્યારે ખ્યાલમાં નથી, કારણ કે તે પત્ર ખોવાઈ ગયો છે. “ સંસાર દુ:ખમય છે...જૈન દર્શન સત્ય છે...પ્રમાદ કર્તવ્ય નથી.”–એમ જેમાં લખ્યું હતું તે પોસ્ટ કાર્ડ તો હજી પડયું છે. પેલા બીજા પત્રમાંનું એક વાક્ય-‘આ આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે' એટલું મને યાદ રહી ગયું છે, આગળપાછળ નું લખાણ યાદ નથી. બહેનશ્રીએ ‘સમકિત થયું છે'-એમ ન લખ્યું; પોતે નમ્ર ને! તેથી નમ્રતાભાવથી ભરેલા માત્ર એટલા શબ્દો નીકળ્યા કે ‘આ આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે.’
૧૯
પછી હું સુરતથી વેકેશનમાં વઢવાણ જ્યારે આવ્યો ત્યારે મેં પૂજ્ય બહેનશ્રીને પૂછ્યું કે સતિ થતાં શું થાય? તો કહેઃ ‘શરીર તો આત્માથી સાવ ભિન્ન લાગે, ૫૨નો ને વિભાવનો કર્તાભાવ છૂટી જાય, સિદ્ધભગવાનના અતીન્દ્રિય સુખની વાનગી પ્રગટે ને અંતરમાં આનંદના સાગર ઊછળે.'એમ, કહેવા જેટલું કહ્યું.
સમ્યગ્દર્શન પ્રાપ્તિની આનંદકા૨ક વાત પરમોપકારી પૂજ્ય ગુરુદેવને જણાવવા માટે બહેનશ્રી ને હું થોડા દિવસ પછી રાજકોટ ગયાં; સાથે સુશીલા પણ હતી. બહેનશ્રીનો વિચાર તે વાત ગુરુદેવને એકાન્તમાં કહેવાનો હતો. તે વખતે એકાન્ત ન મળ્યું એટલે અમે પાછાં આવ્યાં. પછી, મારું વેકેશન પૂરું થઈ ગયું એટલે હું તો સુરત ગયો.
પૂજ્ય બહેનશ્રી વાંકાનેર હતાં. તે વખતે દાસભાઈ (પુરુષોત્તમદાસ કામદાર) વાંકાનેર આવ્યા. ‘અહીંથી હું ગુરુદેવના દર્શન કરવા રાજકોટ જાઉં છું' એમ તેમણે કહ્યું. બહેનશ્રીએ તે અવસર લઈ લીધો અને કહ્યું કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
મારે પણ દર્શન કરવા આવવું છે.' એમ કહીને બહેનશ્રી દાસભાઈ સાથે રાજકોટ ગયાં. ભાભી પણ સાથે ગયાં. બહેનશ્રીનો વિચાર ગુરુદેવને એકાંતમાં કહેવાનો હતો એટલે સદરના ઉપાશ્રયે અંદર જઈને પહેલાં દાસભાઈને કહ્યું: ‘તમે જરા આઘા ઊભા રહો.' દાસભાઈ, દૂરથી જોઈ શકે એ રીતે, આઘા ઊભા રહી ગયા. બહેનશ્રી ગુરુદેવ પાસે ગયાં, ને ભાવથી દર્શન કરીને વિનયપૂર્વક નમ્રતાથી બોલ્યા: “સાહેબ ! આપના પ્રતાપે મને આત્મસાક્ષાત્કાર થયો છે. ગુરુદેવ કહે: “દાસભાઈ ! અહીં ઓરા આવો;” કેમ કે બૈરાં સાથે એકલા ગુરુદેવ વાતો ન કરે ને! પછી ગુરુદેવે, જે પૂછવું હતું તે બહેનશ્રીને પૂછયું: “બહેન ! તમને આત્મસાક્ષાત્કાર થતાં શું થયું? બહેનશ્રીએ કહ્યું: “આત્મા અકર્તા થઈ ગયો; કર્તુત્વ છૂટી ગયું ને જ્ઞાતા થઈ ગયો.'ઇત્યાદિ કહ્યું. માત્ર સ્વલ્પ પ્રશ્નોના ઉત્તરોથી જ પૂરો સંતોષ થઈ જવાથી વિશેષ કાંઈ પૂછવાને બદલે ગુરુદેવ ઠરી ગયા, શાન્ત-શાન્ત થઈ ગયા અને થોડી ક્ષણ પછી ગંભીર થઈને સ્વગત ગણગણ્યાઃ “ઓહો ! આત્મા ક્યાં સ્ત્રી કે પુરુષ છે? આત્મા ક્યાં બાળક કે વૃદ્ધ છે?”
(બહેનશ્રીને તે વખતે માત્ર ઓગણીશમું વર્ષ ચાલતું હતું.)
પોતાને પરિભ્રમણનો કિનારો આવી ગયાની આનંદકારી વાત, ઉપર પ્રમાણે પરમોપકારી ગુરુદેવ સમક્ષ પ્રમોદપૂર્વક પ્રસ્તુત કરીને, પૂજ્ય બહેનશ્રી પાછાં વાંકાનેર (મોટા ભાઈ વજાભાઈ ને ત્યાં) પધાર્યા.
હવે પછી (સં ૧૯૮૯થી) દર વર્ષે પૂજ્ય ગુરુદેવ જે ગામમાં ચાતુર્માસ રહ્યા હોય તે ગામમાં તેઓશ્રીનાં કલ્યાણકારી વ્યાખ્યાનોનો લાભ લેવા અર્થે પૂજ્ય બહેનશ્રીએ ચાર મહિના રહેવાનું શરૂ કર્યું. બહેન શાન્તાબેન તો એ પ્રમાણે રહેતાં જ હતાં. પૂજ્ય ગુરુદેવે તેમને કહ્યું: “આ બહેન (ચંપાબેન) બહુ પાત્ર છે, ગંભીર છે, વિચારક છે, ઊંડપ છે, અને વૈરાગી છે, ઠરેલ છે; તમને લાભ થાય તેવાં છે. તમારે લાભ લેવા જેવો છે.”આમ પૂજ્ય ગુરુદેવે ભલામણ કરી. એ રીતે પૂજ્ય બહેનશ્રી (ચંપાબેન) અને બહેન શાન્તાબેનનો ચાતુર્માસમાં સાથે રહેવાનો યોગ શરૂ થયો.
પૂજ્ય ગુરુદેવે વિ. સં. ૧૯૯૧માં સોનગઢ મધ્યે પરિવર્તન કર્યું. ત્યારપછી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
સં. ૧૯૯૪માં વૈશાખ વદ આઠમના દિને સ્વાધ્યાયમંદિરના ઉદ્દઘાટન સમયે અમે બંને ભાઈઓ માટે એક યાદગાર પ્રસંગ બન્યો. પૂજ્ય ગુરુદેવ તે દિવસે પ્રવચનમાં દઢતાથી બોલ્યા કે–“કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહમાં ગયા હતા ને સમવસરણમાં શ્રી સીમંધરભગવાનની વાણી સાંભળવા માટે ત્યાં આઠ દિવસ રહ્યા હતા.-આ બધી નજરે જોયેલી વાત છે; કોઈ માને કે ન માને પણ આ વાત સત્ય છે.”–આવી મતલબનું લગભગ બોલ્યા. વજીભાઈ ને હું વિચાર કરીએ કે-ગુરુદેવ આજે પ્રવચનમાં, ‘આ વાત આમ જ છે' વગેરે આટલું બધું જોરપૂર્વક શું બોલ્યા ? ભાઈ કહે: આપણે ગુરુદેવને પૂછવા જઈએ. અમે બહેનશ્રીને કહ્યું કે-ગુરુદેવ આજે પ્રવચનમાં આવું કાંઈક જે બોલ્યા તે વિષે અમારે તેમને પૂછવા જવું છે. બહેનશ્રી કહે: ‘ જાવ.' બહેનશ્રીને મનમાં એમ કે ભાઈઓ કંઈક જાણે તો તેમને લાભનું કારણ થાય; મારે તો કહેવું જ નથી, મહારાજસાહેબને કહેવું હશે તો કહેશે; તેથી કહેઃ ‘ભલે જાવ. ’
૨૧
અમે પૂજ્ય ગુરુદેવ પાસે ગયા ને તેમને પૂછ્યું: ‘સાહેબ ! આજે પ્રવચનમાં આપે ‘આ નજરે જોયેલી વાત છે' વગેરે શું કહ્યું? પહેલાં તો ગુરુદેવે, ‘ એવું અંગત-વ્યક્તિગત કાંઈ પૂછવાનું ન હોય' એમ જરા જોરથી કહ્યું. સાંભળી અમે મૌન થઈ ગયા અને ગુરુદેવ સાથે સ્વાધ્યાયમંદિરની ઓસરીમાં આંટા મારવા લાગ્યા. પછી ગુરુદેવ પાટ ઉપર બેઠા, અમે તેમની પાસે નીચે બેસી ગયા. બેઠા પછી પૂજ્ય ગુરુદેવે થોડી ટૂંકી ટૂંકી વાતો કરી. ગુરુદેવ, ગંભીર થઈને, બોલ્યાઃ બહેનને (બહેનશ્રી ચંપાબેનને ) સં. ૧૯૯૩માં ચૈત્ર વદ આઠમના દિને, અનુભવમાંથી બહાર આવતાં, પૂર્વભવનું જાતિસ્મરણજ્ઞાન થયું છે. કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહમાં સીમંધરભગવાનના સમવસરણમાં પધાર્યા હતા. ત્યારે બહેન ને અમે ત્યાં હતાં. હું ત્યાં રાજકુમાર હતો. આમ બહેનને સ્મરણમાં આવ્યું છે. મને અંદરથી આવતું ‘હું રાજકુમાર છું, મખમલનાં જરીનાં વસ્ત્રો પહેર્યાં છે,-વગેરે.' પણ બહેને કહ્યું એટલે ઘણું સ્પષ્ટ થયું, પાકું થયું. બહેન શેઠના દિકરા હતા.-ઇત્યાદિ ટૂંકી ટૂંકી થોડી વાતો કરી. પણ સાથે એમ પણ કહ્યું કે–આ વાત કોઈને કહેવાની નથી...કોઈને નહિ.' વજીભાઈને તે વખતે બહેનશ્રી ઉ૫૨ એટલા બધા ભાવ આવી ગયા કે તેમણે હર્ષાશ્રુ સાથે ગદ્દગદ સ્વરે કહ્યું: ‘સાહેબ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
બહેનશ્રીને વંદણા કરવાની તો છૂટ આપો.' ગુરુદેવ કહે: ‘ના; તેમને પણ નહિ, કોઈને નહિ; કેમ કે લોકોમાં બહાર ખબર પડી જાય, શંકા થાય કે ભાઈઓ વંદણા કરે છે માટે કાંઈક લાગે છે!’
પછી બહેનશ્રી પાસે જતાં તેમણે અમને પૂછ્યું: ‘શું તમે ગુરુદેવ પાસે જઈ આવ્યા ? અમે હસતાં હસતાં કહ્યું: ‘ગુરુદેવે તમને પણ કહેવાની ના પાડી છે.' તોય અમે તો, બહેનશ્રીએ જ સ્વયં ગુરુદેવને કહેલી વાત તેમને પણ કહેવાની ગુરુદેવે ‘ ના ' કહી તેથી થયેલા આશ્ચર્ય સાથે, તેમને બધું કહી દીધું...
હવે ત્યાર પછીનું તો બધું જાણીતું છે. પહેલાંનું જેટલું યાદ આવ્યું તેટલું કહ્યું બાકી પ્રસંગો તો ઘણા બન્યા હોય, પણ યાદશક્તિ ઓછી અને તે પ્રસંગોને ઘણાં વર્ષો વીતી ગયાં તેથી ઘણા પ્રસંગો યાદ ન હોય.
(સભામાંથી પ્રશ્નઃ- ‘આ આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે’– એ લખાણવાળા પત્રનો તમે શો ઉત્તર લખ્યો તે યોગ્ય લાગે તો કહેવા વિનંતિ.)
પરિભ્રમણના કિનારાવાળો પત્ર મળ્યા પછી મેં તેમને આ પ્રમાણે લખ્યું હતું:
“ બહેન ચંપા,
કાગળ વાંચી ને હું તો દિંગ થઈ ગયો છું. કોઈ ને કોઈ જાગ્યા જ કરે છે એમ જાણીને હર્ષ થાય છે. પાંચમા આરાના અંત સુધી શાસન જીવતું છે. કહે છે કે આ કાળમાં સંત મળવા દુર્લભ છે. હું તો સંતને મળવાશોધવા-ન ગયો તો સંત મારે ત્યાં પધાર્યા હોય એમ લાગે છે! આટલી દુર્લભતાઓ મળી છતાં જો કાંઈ ન થાય તો કોનો વાંક?
મારી શંકાઓ શું શું છે, હું કયાં અટકું છું, મારો સ્વભાવ, મારી નિર્બળતાઓ-બધું તારી જાણ બહાર નથી. ‘નિશાની કહા બતાવું રે, તેરો અગમ અગોચર રૂપ ' એવા જવાબ કરતાં ઘણી વધારે આશા હું રાખું છું” આ પ્રમાણે, અપૂર્વ સાનંદાશ્ચર્યની ઊંડી લાગણી વ્યક્ત કરતા શબ્દો પત્રમાં લખાઈ ગયા હતા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
ખરેખર આ કાળે પરમાર્થને અનુકૂળ સર્વ યોગ આપણને સંપ્રાપ્ત થયા છે તે આપણું ૫૨મ ૫૨મ સદ્ભાગ્ય છે. આપણને બાહ્ય યોગ મળવામાં તો કાંઈ ન્યૂનતા રહી નથી; હવે પુરુષાર્થ તો આપણે જ કરવાનો રહે છે. સ્વાનુભૂતિયુગપ્રવર્તક પૂજ્ય ગુરુદેવનો, ચેતનને જગાડનારો સ્વાનુભૂતિભર્યો મધુર રણકા૨ વર્ષો સુધી આપણને સાંભળવા મળ્યો, તેમ જ આજે પણ પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીનાં સ્વાનુભૂતિરસતરબોળ સાહજિક વચનામૃતોનું મધુર શ્રવણ મળી રહ્યું છે, તેના જેવું ૫૨મ અહોભાગ્ય કયું ? હવે તો જે કાંઈ ખામી છે તે આપણા પુરુષાર્થની જ છે. જ્ઞાનીઓના પ્રતાપે આપણને સાચો પુરુષાર્થ આવડી જાય-એ જ અંતરની ભાવના છે.
સ્વાનુભૂતિપરિણત ૫૨મોપકારી પૂજ્ય ગુરુદેવનાં તેમ જ સ્વાનુભૂતિપરિણત ૫૨મોપકારી પૂજ્ય બહેનશ્રીનાં પવિત્ર ચરણકમળ સદાય હૃદયમાં સંસ્થાપિત રહો.
ॐ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
૨૩
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
X
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી; અમ આત્મ ઉજાળનહાર, ઘર્મપ્રકાશકરી.
સીમંધર-ગણઘર-સંતના, તમે સત્સંગી; અમ પામર તારણ કાજ પધાર્યા કરુણાંગી.
તુજ જ્ઞાન-ધ્યાનનો રંગ અમ આદર્શ રહો; હો શિવપદ તક તુજ સંગ, માતા ! હાથ ગ્રહો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માર્થીઓને ઉપકારી એવું પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું
જાતિસ્મરણ જ્ઞાન અધ્યાત્મયુગપ્રવર્તક પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના સજ્ઞાનવૈરાગ્યબોધક અધ્યાત્મોપદેશનો અનુપમ લાભ પામીને
જેમણે ૧૮ વર્ષની લઘુ વયમાં નિજાત્માનુભૂતિયુક્ત સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે અને પૂજ્ય ગુરુદેવની ઉપકાર-છાયામાં જેમને આત્મસાધનાની વિશુદ્ધિ
વૃદ્ધિગત થઈ રહી છે, એવા પ્રશમૂર્તિ ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનને વિ. સં. ૧૯૯૩ ચૈત્ર વદ આઠમના દિને
સ્વાત્મધ્યાનમાં બેઠાં હતાં ત્યારે પૂર્વભવનું સ્પષ્ટ જાતિસ્મરણ જ્ઞાન શરૂ થયું છે, જે અનુક્રમે વૃદ્ધિગત થતાં અનેક ભવો અને લોકોત્તર વિશેષતાઓના સત્ય તેમ જ અતિ સ્પષ્ટ નિર્મળ જ્ઞાનથી સમૃદ્ધ થતું ગયું છે.
પૂજ્ય ગુરુદેવને આની જાણ થતાં, તેઓશ્રીને વિશેષ જાણવાની ભાવનાને લીધે, પૂજ્ય બહેનશ્રી, અનુક્રમે જેમ જેમ, જે યથાતથ સ્પષ્ટ સ્મરણમાં
આવતું ગયું તે લખીને મોકલતાં, અને તેની પ્રતિલિપિ પોતાની પાસે રાખતાં. તે પ્રતિલિપિમાંથી અત્રે આ લખાણ આલેખિક કરવામાં આવ્યું છે.
આમાં જે તિથિઓ અંકિત થયેલ છે તે કોઈ તો સ્મરણ આવ્યાના દિવસની છે. અને કોઈ તો લખાણ કર્યાના દિવસની અથવા પૂજ્ય ગુરુદેવને વાંચવા મોકલ્યાના દિવસની છે. પૂજ્ય બહેનશ્રીનું આ દિવ્ય જ્ઞાન આત્માર્થી જીવોને, ભૂત તેમ જ ભાવી ભવોના અસ્તિત્વની સ્પષ્ટ પ્રતીતિ કરાવતું થયું, ધાર્મિક શ્રદ્ધાની દઢતાના વિશેષ લાભનું સાતિશય નિમિત્ત બનો – એ જ ભાવના.
* *
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
પૂજય બહેનશ્રી ચંપાબેનનું સ્વાનુભૂતિયુકત જાતિસ્મરણશાન [ પૂજય બહેનશ્રી ચંપાબેનના હસ્તાક્ષરમાં ]
પંપાબેન
આ સર કa@ાર જ મદા મા ઉપ૨ વર્ષ પુર્વ જન્મનું ન * સરવિ પ જ વળગેરે કોરે જણ ચ વદ આઠળ મis અમુક અમુક વાર આવ્યું એ ન મરે ને પશળ વાળ૨ મર્સિ
આ સર્વ વગy૪ 8 ની ગુડિયો પરમ પ્રપ છે.
C. 8િ અંદર બાળ છે)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
Raul
0 น . อ. 16 สี: นน ในเงวิตาเจ
เมy8 เอง
นะ - 3 & 2-3 ใน 48 2548 วาจน-2 - 3 344 41 2. ๕๖ ๑ 26% 2414 4 4 1 3
น. หgki *น 3.2.. 8 2 2-4ๆ รุ่นใ น
45,3,4 15 4 4. " 1, 41 4t; ge. 1 1 4 3 - เมียน : 12.. ผู้
งาน 43 : 3 4 5 1 4 ster 42-1 211 2543 ร ะ เ ใจก 24 42 สพ
ตา แa S. ๒๓! ง ง า เ เจน 47 : : : : วัน 1 เว14K 4
44 ได้ ต 44 ) หะ เ ท น view 3 334 2 ตา นง ราน 313 ) :
73 S13 14 14 33
Please inform us of any errors on rajesh.shah@totalise,co.uk
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જા ના ધ૨ ભુ વાર હak સૈમ ચ ઈ આ હ ત લ ઈ ડુ જેવું રિણમન થઈ રહ્યું હતું ના મંદર કા
મeળ અવાજ છૂટી હશે તે અવાજ એકતા હળR ઐડાર સમ) વ્હાય ન જ કંઈક અરી જડ રૂ જેમના અણી અને ૨૧૨ બધું જાણે આત્મા છુ ૩ ૧૨ ૧૨ નું આ વનમંધર ૭૧દાઈ ન
સાજ સારે 3 વૈદ છે.
1 અઠળ હું જ હસવાનું રૂ . જન્મ ૬૨ પડી રહે એમ આવે જ અમદર નો , નાણે ઘણું છે. હવે એમ દ આવે છે. પણ કેટલો છે એનું અવનું ધા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૨૯
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું સ્વાનુભૂતિયુક્ત જાતિસ્મરણ જ્ઞાન
(તેમની નોટબુકમાંથી)
શ્રી સર્વજ્ઞને નમસ્કાર શ્રી ગુરુદેવના મહાન ઉપકાર વડે પૂર્વ જન્મનું તથા શ્રી સદ્ગુરુદેવના પૂર્વ જન્મનું વગેરે વગેરે સહજ સ્મરણ ચૈત્ર વદ આઠમથી માંડી અમુક અમુક દિવસોમાં આવ્યું એવા શ્રી સદ્ગુરુદેવને પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર હો,
નમસ્કાર હો.
આ સર્વ સદ્ગુરુદેવનું જ છે.
શ્રી ગુરુદેવનો પરમ પ્રતાપ છે. (આ વિષે અંદર રહેવાની ભાવના છે. )
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3O
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
(ગુરુદેવને લખી મોકલ્યું)
૧૯૯૪, માગશર સુદ સાતમને શુક્રવાર શ્રી સોનગઢ શ્રી સદ્ગુરુદેવને તથા તેમના પરમ ઉપકારને નમસ્કાર.
પૂર્વજન્મનું આવેલું સ્મરણ ચૈત્ર વદ આઠમ ને સોમવાર, ૧૯૯૩, સવારના દસ લગભગ.
આત્મસ્થિરતા વધતા, શ્રી કુંદકુંદાચાર્ય અહીંથી મહાવિદેહક્ષેત્રમાં ગયા છે એમ સહજ જ્ઞાનની પર્યાય પરિણમતાં, તેની સાથે તે ક્ષેત્રમાં આ આત્મા પુરુષદેહપણે ત્યાં બેઠો છે; શ્રી સીમંધર પ્રભુ ત્યાં બિરાજી રહ્યા હતા. સામા શ્રી કુંદકુંદાચાર્ય ઊભા છે; શ્રી શ્રુતકેવળી વગેરેનાં ટોળા ત્યાં બિરાજી રહ્યા હતા; - એમ સ્મરણરૂપ વેદન સહજ આવ્યું.
શ્રી કુંદકુંદાચાર્ય તદ્દન વસ્ત્ર રહિત દિગંબરપણે હતા. મોટા યોગીશ્વર જેવો તેમના દેહનો દેખાવ હતો. એમના રૂંવાડે રૂંવાડ દેહાતીત દશા દેખાતી હતી. એમના દેહનું કદ ઊચું હતું. એમના શરીરનો વર્ણ બહુ ધોળો નહિ, બહુ રાતો નહિ એવી જાતનો હતો. પીંછી કે કમંડલ એમની પાસે નહોતા શરીર પાતળું નહોતું પણ ઠીક ઠીક ભરાવદાર હતું.
શ્રી તીર્થકર સીમંધર પ્રભુના શરીરમાં, હીરામાં જેમ ચમક થઈ રહી હોય એવી રીતે, કાંઈક ચમક જેવું પરિણમન થઈ રહ્યું
S૦ બાબુ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
હતું. શ્રી સીમંધર પ્રભુના ગળામાંથી અવાજ છૂટતો હતો. તે અવાજમાં એકાકારતા હતી. તે એકાકારતામાં સમજી શકાય એવી જાતના કાંઈક આકારો પડતા હતા. તેમની વાણી અને શરીર બધું જાણે આત્માથી છૂટું છૂટું તરતું તરતું જણાતું હતું.
આ શ્રી સીમંધર પ્રભુ ને આ શ્રી કુંદકુંદાચાર્ય એમ જ્ઞાનપર્યાયનું સહજ સ્મરણરૂપ વેદન પરિણમે છે.
પ્રભુ આગળ ત્યાં અધ્ધર બેસવાનું હતું. ત્યાં વાજાંના ધમકાર પડી રહ્યા હોય એમ સ્મરણ આવે છે. શ્રી સીમંધર પ્રભુનો દેહુ જાણે ઘણો મોટો હોય એમ યાદ આવે છે, પણ કેટલો મોટો એનું માપ આવતું નથી.
હું પુરુષપણે ત્યાં છું આ ભવ પહેલાનો તે પુરુષનો સીધો ભવ છે એમ જ્ઞાનમાં સ્મરણરૂપ વેદન પરિણમે છે. ત્યાંની દેહમુદ્રામાં વૈરાગ દેખાય છે, સ્થિરતા દેખાય છે, બ્રહ્મચર્ય દેખાય છે. સાદાં ખાદી જેવાં લુગડાં પહેર્યા હતાં. બાળબહ્મચારી હતો, પરણ્યો નહોતો, સ્ત્રી વગેરે કાંઈ ન હતું એમ સ્મરણરૂપ વેદન સહજ આવે છે. હું ઘણી ઘણી વાર પ્રભુ પાસે ઉપદેશ સાંભળવા આવતો હતો. ત્યાં હું નિર્વિકલ્પ સમકિત પામ્યો હતો, સ્વસમ્મુખ લક્ષને વાળ્યા કરતો હતો એમ યાદ આવે છે. શરીરનો વર્ણ પીળા વર્ણ જેવો સહેજ ઊજળો હતો.
હું નાનો બાળક હતો ત્યારે મારી માતાના ખોળામાં સૂતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
હતો, હાથપગ ઉલાળતો હતો તે યાદ આવે છે. મારે માબાપ હતાં, ઘરમાં બીજું કુટુંબ હતું. શું કુટુંબ હતું તે યાદ નથી આવતું. મારી માતાએ પીળા રંગ જેવો સાડલો પહેર્યો હતો તે યાદ આવે છે. અમારાં મકાન ચકચકતા પથ્થરનાં ઊંચી જાતનાં અને વિશાળ હોય તેમ દેખાય છે.
શ્રી તીર્થકર બિરાજતા હતા તે સમોસરણ નીચે લગભગ એટલામાં ગામના મોટા મોટા રસ્તા નીકળતા હતા. આજુબાજુ એટલામાં મકાન હતાં. તે મકાન કેવાં હતાં તે સ્પષ્ટ યાદ નથી. તેમાંથી નાનો રસ્તો થઈને ફરતો કયાંક જાય છે ત્યાં અમારાં ઘર હતાં.
ત્યાર પહેલાંના ભવમાં દેવલોકમાં દેવ હતો. તે દેવલોકમાં મોટા દરવાજા દરવાજા જેવું યાદ આવે છે. ત્રીજા દેવલોકનો હું દેવ છું એમ જ્ઞાનપર્યાય સહજ પરિણમીને સ્મરણ આવે છે.
ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં જન્મ થયો છે એમ યાદ આવે છે. તે મહાવિદેહક્ષેત્રમાં હું ઘણા ટાઈમથી હતો એમ યાદ આવે છે. દેવલોકનું એથી વિશેષ યાદ આવતું નથી.
ભરત, ઐરાવત, પર્વત આદિ લોકનું સ્વરૂપ મેં શ્રી તીર્થંકર આદિ પાસેથી સાંભળ્યું છે તેમ યાદ આવે છે. પુરુષદેહપણે સાંભળ્યું છે, આવી જાતનું સાંભળ્યું છે, પણ તે શું સ્વરૂપ સાંભળ્યું છે તે યાદ આવતું નથી.
અહીં બિરાજે છે તે પરમ કૃપાળુ ગુરુદેવ (કહાના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૩૩
ગુરુમહારાજ) ત્યાં મહાવિદેહક્ષેત્રમાં રાજકુમા૨૫ણે હતા. (એક વાર તે રાજકુમાર ફેંટો બાંધેલા આવે છે ને એક વા૨ ઉધાડે માથે આવે છે.) તે ક્ષેત્રમાં એક ડુંગર જેવું હતું, નીચે થોડાં પગથિયાં હતાં. તે પગથિયાં ચડતા રાજકુમારને મેં જોયા. તે વખતે જરીનાં લુગડાં પહેરેલા હતા ને માથા ઉપર તદ્ન ખૂલતા બદામી રંગ જેવો ફેંટો બાંધેલો હતો. તે વખતે તેમનું શરી૨ રાજને યોગ્ય પુણ્યવંત હતું. તેમના પગની નીચે પાનીનો ભાગ વિશેષ પુણ્યવંત દેખાતો હતો તેમ યાદ આવે છે. તે કુમાર રૂપે ગુણે શોભિત હતા.
તે રાજકુમારને પાછા બીજી વાર તીર્થંકર પ્રભુની સમીપમાં જોયા ત્યારે માથે કાંઈ બાંધેલું નહોતું, ઉઘાડું હતું; જરીનાં લુગડાં ત્યારે પહેર્યાં હતાં. તે વખતે શરીરનો બાંધો ઠીક હતો; તેના કરતાં પગથિયે ચડતા જોયા ત્યારે શરીર પાતળું હતું.
તે રાજકુમાર વારંવા૨ તીર્થંકરનો ઉપદેશ સાંભળવા આવતા હતા. રાજકુમા૨ને અધ્યાત્મતત્ત્વનો બહુ રંગ હ્તો. આ રાજકુમાર ભવિષ્ય એટલે કાળક્રમે તીર્થંકર થવાના છે તેવી વાણી ત્યાં મહાવિદેહક્ષેત્રમાં પુરુષદેહપણે મેં શ્રી તીર્થંકર અને શ્રી શ્રુતકેવળી બંને પાસેથી સાંભળી છે તેમ સહજ સ્મરણરૂપ વેદનની જ્ઞાનપર્યાય પરિણમે છે.
આ સીમંધર પ્રભુ છે તેવા આ રાજકુમાર થવાના છે એમ ત્યાં મહાવિદેહમાં મને થતું હતું, એને લઈને અને રાજકુમા૨ને અધ્યાત્મતત્ત્વનો હૃદયગત રંગ એટલે મને ત્યાં રાજકુમાર પ્રત્યે બહુ મહિમા હતી; તેમની સાથે હું પ્રશ્નચર્ચા કરતો હતો એમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સહજ સ્મરણ આવે છે. આ રાજકુમાર ભવિષ્યે કાળક્રમે તીર્થંકર થવાના છે એવી શ્રી તીર્થંકર તથા શ્રુતકેવળીની વાણી લોકસમુદાયમાં પ્રસરી રહી હતી. તેને લઈને ત્યાંના લોકસમુદાયમાં પણ ચારે તરફ રાજકુમાર રાજકુમાર એમ મહિમા થઈ રહી હતી.
તે રાજકુમારનો સીધો ભવ અત્યારે પૂજ્ય સદ્ગુરુ મહારાજ સાહેબ તરીકેનો જ (અત્યારે બિરાજતા જગત-ઉદ્ધારક શ્રી કહાનગુરુદેવ તરીકેનો જ) છે, તેમ સહજ સ્મરણ આવે છે. રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થશે તેવી શ્રી પ્રભુ આદિની નીકળેલી વાણીનો ભાવ મને બરાબર યાદ આવે છે.
હું મહાવિદેહક્ષેત્રમાં શેઠનો પુત્ર હતો. હું જ્યાં જતો ત્યાં ઉઘાડે માથે જતો, માથે સાદા વાળ હતા, મુદ્રા ગોળ હતી, આંખ મોટી હતી, શરીરનો બાંધો સારો હતો –મધ્યસ્થ હતો.
અહીંનો એક આત્મા (મારી સાથે શાન્તાબેન તરીકે છે તે) ત્યાં મહાવિદેહક્ષેત્રમાં પુરુષદેહપણે હતો, ત્યાં શેઠના પુત્રપણે હતો. એના મકાનમાં તે પુરુષ ઊભો હતો, ત્યાં મેં તેને જોયો; ઝીણાં મલમલ જેવાં લુગડાં પહેર્યાં હતાં, શરીર બહુ પાતળું હતું, ઊંચું કદ હતું, શરીરનો વર્ણ પીળે વર્ષે ઊજળો હતો, એમનાં મોટાં મોટાં મકાન હતાં, એમને સ્ત્રી વગેરે કુટુંબ હતું, એમની સ્ત્રીએ ગુલાબી રંગનાં લુગડાં પહેર્યાં હતાં; તે આત્માનો સીધો ભવ ત્યાં પુરુષદેહપણે હતો તેમ સહજ સ્મરણ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
આ સર્વ હકીકત જેમ સહજ સ્મરણ આવ્યું છે તેમ, જેટલું આવ્યું છે તેટલું, મધ્યસ્થ ભાવથી લખાયું છે. જે જે વાત બરાબર સ્મરણમાં નથી આવતી તે નથી લખી.
શ્રી વીતરાગ આદિ પરમપુરુષોને નમસ્કાર.
**
(સંક્ષેપ )
૧૯૯૩, ચૈત્ર વદ આઠમ ને સોમવાર, સવારના દસ લગભગ-શ્રી કુંદકુંદાચાર્યનું, પૂર્વભવના પુરુષપણાનું, શ્રી સીમંધર પ્રભુનું સામાન્ય સ્મરણ, બ્રહ્મચારીપણા વગેરેનું સહજ
સ્મરણ.
૩૫
૧૯૯૩, વૈશાખ સુદ ત્રીજ-લોક આદિનું સ્વરૂપ.
વૈશાખ સુદ ૬, સવારના નવ લગભગ-નાના બાળકનું
સ્મરણ.
વૈશાખ સુદ ૧૨, સવારના આઠથી સાડા આઠ લગભગપૂર્વનું સમ્યગ્દર્શનપણું, ઘણા ટાઈમથી મહાવિદેહક્ષેત્રમાં હતો તે સ્મરણ, રસ્તા વગેરેનું સામાન્ય સ્મરણ.
વૈશાખ સુદ તેરશ, સવા૨ના નવ લગભગ-ત્રીજા દેવલોકથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં પુરુષદેહપણે જન્મ તેમ
સ્મરણ.
જેઠ વદ તેરશ, સવારના છ થી સાડા છ -પૂજ્ય સાહેબનો પૂર્વભવ રાજકુમાર, ફેંટો બાંધેલા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
૧૯૯૪, કારતક વદ બારશ, બપોરના ત્રણથી સાડાત્રણ લગભગ-ઉઘાડે માથે રાજકુમાર, ભવિષ્ય તીર્થકર, તેમની સાથે ચર્ચા, શ્રી સીમંધર પ્રભુનું, વાણી આદિનું સામાન્ય સ્મરણ; શાન્તાબેનના પૂર્વભવનું, તેમના ઘરનું વગેરેનું સામાન્ય સ્મરણ.
* * ૧૯૯૪, માગશર વદ ૧
પરમ પુરુષોને નમસ્કાર શ્રી શ્રુતકેવળીના દેહના દેદારમાં ગંભીરતા અને જ્ઞાનનો દરિયો કેમ હોય !- એવી જાતનો એમના દેહના દેદારનો દેખાવ હતો; એમના શરીરનો વર્ણ ઊંચી જાતનો તેજસ્વી હતો; એમના શરીરની આકૃતિ મોટા જબરા આડાભીડ યોગી જેવી દેખાતી હતી;-તે પ્રકારે સામાન્ય સ્મરણ આવે છે. તેથી વિશેષ યાદ આવતું નથી.
રાજકુમારનું નામ અત્યાર સુધી સ્મરણમાં આવ્યું નહોતું આજે બપોરે પ્રશ્નો આવતાં, તે વિચારની ધૂન ચડતાં, અંતર સ્થિરતા વધતાં, નિર્વિકલ્પ સ્થિતિ થતાં તેમાંથી બહાર આવતાં જરા વાર પછી તે રાજકુમારનું નામ ફતેહગંદકુમાર એમ આવ્યું. તે વખતે તે કુમારને તેમના મહેલ તરફ જતા જોયા; તેમનો મહેલ નગરથી થોડો દૂર હતો ને ઊંચા ઊંચા માળ હતા, ઠેઠ ઉપર ગોળ ગોળ કાંઈક નવીન જાતનો આકાર હતો, ઠેઠ ઉપર વચ્ચે મહેલ જેવું હતું, આજાબાજા ને ઉપર નવીન જાતનાં ગોળ ગોળ છત્ર ને કોતરણી હતી તેમ સહજ યાદ આવ્યું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૩૭
પછી સાંજે ચાર વાગ્યે, ફતેહુકુમાર નામ સહિત શ્રી તીર્થંકર પ્રભુની સમીપમાં રાજકુમારનું સ્મરણ આવ્યું તેની સાથે બીજી વાર ફતેહ રાણાસાહેબ એવા નામ સહિત, રસ્તામાં ચાલ્યા જતા હતા તેવી રીતે, તે કુમારનું સ્મરણ આવ્યું.
આવી રીતે બે ત્રણ પ્રકારે નામ સાવ સહજ યાદ આવ્યું.
તે કુમારને માતાપિતા હતા એમ યાદ આવે છે. તે માતાપિતા કેવાં હતાં તેનું સ્વરૂપ યાદ આવતું નથી. રાજકુમારનું નામ ફીકુમાર ઉપરાંત બીજું પણ નામ હોય તેમ સહજ સ્મરણમાં આવે છે પણ તે નામ શું હતું તે યાદ આવતું નથી.
કુમારનું નામ આવ્યું તેની સાથે, સાંજે ચાર વાગ્યે, તેમના મહેલમાં ઠેઠ ઉપર એમને રાધા નામની રાણી છે. (રાધાની પછવાડે લક્ષ્મી જેવું, એવું કાંઈક લાંબુ નામ છે પણ બરાબર યાદ આવતું નથી, પણ રાધા નામ બરાબર યાદ આવે છે.) એમ સાવ સહજ યાદ આવ્યું. તે રાણીએ વાદળી રંગનું ઓઢેલું ને જરિયાનની કોર હતી, તેનું પુણ્ય ને ગુણ સારા દેખાય છે એમ ટૂંકી ભાષામાં લખ્યું છે.
તે રાજકુમારને રાણી હોવા છતાં બ્રહ્મચારી હતા એમ સહજ યાદ આવે છે. ગુણવાન રાજકુમાર બ્રહ્મચારી પહેલેથી જ હતા કે કયારથી હતા તે કાંઈ યાદ આવતું નથી. તે કુમારને આ એક હતી કે બીજી કોઈ વધારે રાણી હતી તે કાંઈ ખ્યાલમાં આવતું નથી. આ એક રાણી બરાબર યાદ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
આ બધું ભક્તિભાવથી જણાવવા ખાતર લખ્યું છે.
આ બંને કાગળમાં, જેટલું આવ્યું છે તેટલું લખ્યું છે. આથી વિશેષ યાદ આવ્યું નથી.
* * પરમકૃપાળુ સદ્ગુરુદેવને નમસ્કાર ૧૯૯૪, માગશર વદ દશમ, પરોઢિયે સવા પાંચ
ગઈ કાલે નોમની રાત્રે સાતથી સાડા સાત સુધીમાં એમ સ્મરણ આવ્યું કે શાન્તાબેનનો આત્મા ત્યાં પુરુષદેહપણે હતો તે અને હું કંઈક વાત કરતા હતા; શું વાત કરતા હતા તે યાદ આવતું નથી; તેમનું નામ લાભ... ભાઈ હતું; હું એમને લાભભાઈ કહીને બોલાવતો હતો; મારું નામ દેવાભાઈ હતું, તે મને દેવા... ભાઈ કહીને બોલાવતા હતા - આવી જાતના ભાવો યાદ આવે છે. (લાભ.. ભાઈ અને દેવા... ભાઈનું લાંબુ નામ યાદ આવતું નથી.) તે સ્મરણ ત્યાંથી તે વખતે અટકી ગયું.
ત્યાંથી ફતેહમંદકુમાર સહજ સ્મરણમાં આવ્યાં. સ્વયં ધર્મી બ્રહ્મચર્યરંગી એવા રાજકુમાર કહેતા હતા કે દેવાભાઈ ! રાધારાણી ધાર્મિક વૃત્તિમાં બહુ સજ્જડ છે. આવી જાતના ભાવો યાદ આવે છે. તેમની રાણી નિર્વિકલ્પ સમકિત પામેલ હતાં અને બહુ ગુણી હતાં એમ સહજ યાદ આવે છે. રાજકુમારને તે રાણીના ગુણોનું બહુમાન હતું. આ બધું બરાબર યાદ આવે છે.
આ ભવમાં કોઈની સાથે કરેલી વાતચીત યાદ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
તેવી જ રીતે નિઃશંકપણે યાદ આવે છે.
“રાજકુમાર ભવિષ્ય કાળક્રમે તીર્થંકર થવાના છે તે વાતને રાજકુમાર પોતે, તીર્થકર આદિની વાણીના જ્ઞાન સહિત, અંતરમાંથી જાણતા હતા. “હું તીર્થકર થવાનો છું” એમ એમનું હૃદય કહેતું હતું. આ સ્મરણ અહીંથી અટકી ગયું.
ત્યાર પછી સાડા આઠ થી સવા નવ સુધીમાં –
હું દેવલોકમાં દેવ હતો તેનું સ્મરણ આવ્યું ત્યાં દેવી હતી ને કેટલાક દેવો હતા; તે દેવલોક, ત્યાંના લુગડાં ને દાગીના વગેરે જુદી જાતનું લાગે છે. કઈ ભાષામાં લખવું ને બોલવું તે કાંઇ સ્પષ્ટ આવતું નથી, વેદનમાં ગંભીરતા બહુ ભાસે છે. દેવીના શરીર ઉપર ને દેવલોકમાં ને મારા દેવપણાના શરીર ઉપર જાદી જુદી જાતના ચળકાટ, જાદી જાદી જાતના રંગના ચળકાટવાળાં લુગડાં-તે લુગડાં મખમલ જેવાં હોય તેમ જણાતું હતું-ને દાગીના વગેરે તથા દેવલોક પણ જાદી જુદી જાતના રંગ સહિત ઝગઝગાટવાળું યાદ આવે છે. બધા દેવો ભેગા થઈને નાચ કરતા હતા. (હું તાળી પાડતો હતો.) ત્યાં નલિની નામનું કોક હતું, તે દેવીનું નામ હતું કે બીજા કોઈનું નામ હતું, તે યાદ આવતું નથી. હું જાણે દેવ છું ને બધા પરિચિત દેવો-અમે બધા ભેગા થઈને નાચ કરીએ છીએ એવું બધું જાણે દેવનો જ ભવ કેમ હોય એવું લાગે છે. શું નાચ હતો તે સ્પષ્ટ યાદ આવતું નથી. તે દેવના ભવ પહેલાં મહાવિદેહક્ષેત્રમાં બળદિયો હતો એમ સાવ સહજ યાદ આવે છે. તે બળદ લાલ વર્ણ હતો, શરીર પાતળું સુકાયેલ જેવું હતું. એ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
બળદનું એટલું યાદ આવે છે, એથી વિશેષ યાદ આવતું નથી. હું બળદ છું તે પ્રકારે સહજ યાદ આવે છે.
- ત્યાર પછી રાત્રે દશ સાડા દશે હું તથા (અત્યારે મારી સાથે શાન્તાબેન છે તે આત્મા) લાભ ભાઈ નાના હતા ત્યારે સાથે નિશાળે જતા હતા; બીજા ત્યાંના બે ત્રણ ભાઈબંધ નિશાળના અથવા ત્યાં આજુબાજુ રહેવાવાળા યાદ આવે છે. તેમાંથી એક ચંદ ભાઈ નામે હતા. લાભભાઈની બા અને મારી બાને મેળ અને સંબંધ હતો. નિશાળ કેવી હતી તે બરાબર યાદ આવતું નથી.
લાભ... ભાઈ ને ત્યાં છાશમાંથી માખણ નીકળતું હતું; દેવાભાઈ તથા લાભ.... ભાઈ અમે નાના હતા અને રમતા હતા
ત્યારે કોઈ પ્રસંગે નિશાળના ભણતરની અને માખણ છાશ વગેરે વસ્તુની વાત કરતા હતા. આવા ભાવો યાદ આવે છે. તે વિષે વિશેષ સ્પષ્ટ યાદ આવતું નથી. લાભ... ભાઈ પરણ્યા ત્યારે આછા ગુલાબી રંગનું, અંદર સોનેરી લીટી હતી એવી જાતનું, શરીર ઉપર રેશમી જેવું પહેર્યું હતું.
ત્યાર પછી તરત બીજાં સ્મરણમાં આવ્યું. શ્રી તીર્થંકર પ્રભુનું સમોસરણ થોડું થોડું સ્પષ્ટ ને અસ્પષ્ટ યાદ આવે છે. વચ્ચે બેસવાનું મોટું વિશાળ ક્ષેત્ર હતું. કેવડું મોટું હતું તે યાદ નથી આવતું. આજાબાજા રાતા રંગના ચળકાટ કરતા મોટા મોટા વાંકિયા જેવો આકાર હતો. તેના ચળકાટ ઉપરથી તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૪૧
રત્ન આદિના કેમ હોય-તેમ જણાતું હતું. તેની નીચે ને ઉપર વાંકિયા ઉપર કાંગરાની કોતરણી, તેના નીચે સીધો દેખાવ, તેના નીચે રત્નની સળીના થપ્પાના વાંકિયાનો મોટો મોટો આકાર કેમ હોય-તેમ જણાતું હતું, નીચે પીળા રંગનો સીધો દેખાવ હતો, દરવાજાની કમાનમાં રાતી રાતી લીટીઓ હતી, જાદી જાતના આકારવાળું કાંઈક હતું. એક ઠેકાણે દરવાજો જોવામાં આવ્યો હતો; ત્યાં અડખેપડખે ને ઉપર અડી અડીને ઉપરાઉપરી કમાન વાળેલો, કમાન ઉપર બીજો નવીન જાતનો દેખાવ હતો. ત્યાંથી પગથિયાં નીકળતાં હતાં. પગથિયાંનું સ્વરૂપ યાદ નથી. વાંકિયા આદિ તેને માટે ભાષા લખાય, બાકી તો કાંઈક જુદી જ જાતનો દેખાવ હતો. કોઈ દિવસ અહીંયાં દષ્ટિએ જોયો ન હોય એવી જાતનો આશ્ચર્યકારી દેખાવા લાગે છે. અંદર બહુ મહિમા આવ્યા કરે છે પણ ભાષામાં કહેવું કે લખવું, તેનું વર્ણન કરતાં થોડું થોડું સ્મરણ આવ્યું છે તેથી-આવડતું નથી. ત્યાં અધ્ધર શ્રી સીમંધર પ્રભુ બિરાજી રહ્યા હતા, પદ્માસન હતું, તેમનું શરીર બહુ જ મોટું હતું, તેમના શરીરમાં પ્રકાશની ચમત્કૃતિ થઈ રહી હતી, પ્રભુથી નીચે દેવો નાચ કરી રહ્યા હતા, શું નાચ કરી રહ્યા હતા તે યાદ આવતું નથી. શ્રી સીમંધર પ્રભુનું સ્મરણ આવતાં અત્યારે સાક્ષાત્ દર્શન પ્રભુનાં કેમ થતાં હોય-તેમ લાગી જાય છે, ને તેમને બહુમાનથી હૃદય નમી પડે છે. ત્યાં શ્રી શ્રુતકેવળી (ગણધર દેવનું નામ) શંભુ... હતું. (લાંબુ નામ પાછળ છે પણ સ્પષ્ટ બરાબર યાદ આવતું નથી.) શંભુ બરાબર યાદ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સમોસરણ, શ્રી સીમંધર પ્રભુ વગેરેનું સ્મરણ આવતાં આ જન્મને ક્ષણવાર ભૂલી જવાણું કેમ હોય ! ત્યાં વૃત્તિની તન્મયતા થઈ જાય છે ને હું સમોસરણમાં શ્રી પ્રભુની સમક્ષ જ કેમ બેઠો હોઉં! સાંભળવા આવ્યો હોઉં! એમ થઈ જાય છે. સમોસરણની અદભુતતા લાગે છે. મહાવિદેહક્ષેત્રમાં જ કેમ હોઉં! એમ લાગી જાય છે. ત્યાંના પરિચિત જીવો દેખાય છે અને બધું જાણે આવવું-જવું ત્યાંનું થઈ રહ્યું હોય એવું લાગે છે. (માગશર વદ બારશ, સવારના નવ પછી આવેલું )
(ચૌદશને સવારે લખાયેલું) સમોસરણમાં ઝાડ અને પાણીના નાના કુંડ જેવો દેખાવ હતો. ઝાડ કેવાં હતાં તે સ્પષ્ટ યાદ આવતું નથી. ત્યાં મોટા મોટા થંભ જેવું હતું. થંભનો રંગ પીળો અને ભૂરા જેવો હતો. થંભ ઉપર ધજા જેવો દેખાવ હતો, રાતા રંગની દેખાતી હતી, અંદર ધોળી ધોળી લીટી હતી. ત્યાં મોટાં મોટાં કમળ જેવો દેખાવ હતો, રમણીક છોડવા ઊગેલા હોય એવી જાતનો દેખાવ હતો. જ્યાં બેસવાનું હતું ત્યાં મખમલ જેવા દેખાવનું કાંઈક હતું. પ્રભુના શરીરમાંથી પ્રકાશની લાઈટ પડી રહી હતી. પ્રભુનું આસન હતું પણ વર્ણન થાય એવી રીતે સ્પષ્ટ યાદ આવ્યું નથી.
ત્યાં ઘણા માણસો હતા તેમાં ફતેહુકુમાર, ચંદ. ભાઈ, લાભ.... ભાઈ, લાભ ભાઈની સ્ત્રી વગેરે જોવામાં ઘણાં આવ્યાં હતાં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
શ્રી ગુરુદેવના પરમ કૃપામય ઉપકારને
અત્યંત ભક્તિથી નમસ્કાર
**
શ્રી સર્વજ્ઞને નમસ્કાર
સત્પુરુષોની કૃપાને નમસ્કાર
૧૯૯૪, પોષ સુદ ૧૪, પરોઢિયે લખાયેલ
૪૩
પોષ સુદ નોમ ને સવારે સાતથી સાડા સાત સુધીમાં સહજ સ્મરણ આવ્યું.
મહાવિદેહક્ષેત્રમાં જે ગામમાં હતા તે ગામનું નામ નૌવલપુર હતું. શ્રી શ્રુતકેવળી એવું કાંઈક બોલતા હતા કે આ નૌવલા નગરીમાં–એવું કાંઈક કહેતા હતા.
હું રાજકુમારને કહેતો હતો કે આપણા નૌવલપુરની અંદર... ( કોક માણસ હતો એના વિષે કાંઈક વાત કરતો હતો ), તથા હું રહું છું તે આ ગામનું નામ નૌવલપુર છે,-એમ સહજ સ્મરણ થાય છે.
પોષ સુદ ૧૧ ને બુધવાર, રાત્રે દશ પછી
તે નૌવલપુરના રાજાનું નામ દીપોહમંદ હતું. તે રાજા ફતેહમંદ કુમારના પિતા હતા. દીપોહમંદ રાજાનાં રાણી ફતેહકુમારનાં માતાનું નામ સુલેહા રાણી અથવા સુલેહણા રાણી એમ બે પ્રકારે સ્મરણ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ દીપોહમંદ રાજાનું મોટું જબરું શરીર, શરીરનો બાંધો ઘણો સારો, શરીરનો વર્ણ ઊંચી જાતનો પુણ્યવંત, તેમના ચહેરા ઉપરથી તે બુદ્ધિશાળી અને ઊંચા ગુણોવાળા દેખાય છે. વિશેષ સ્વરૂપ તેમનું યાદ આવતું નથી.
સુલેહારાણીએ ધોળું અને આછા પીળા રંગ જેવું અંદર કાંઈક લીટી હતી એવું, ઓઢેલું હતું. તેમના ગુણો રાજરાણીને યોગ્ય તેમના શરીર ઉપરથી દેખાય છે. તેમના વર્ણન વિષે એટલું યાદ આવે છે.
તે રાજાને બીજા કેટલાક કુંવર હોય તેમ સ્મરણ સહજ આવે છે, પણ કેટલા કુંવરો હતા તે યાદ આવતું નથી. તેમાંથી એક કુંવરનું નામ બાળ. કુમાર હતું; બીજા એક કુંવરનું નામ નંદ.. કુમાર હતું. આ બંને કુંવરો ફતેહુકુમારથી નાના હતા. બીજા કોઈ કુંવર હતા કે નહોતા તે યાદ આવતું નથી. બંને કુંવરનું વર્ણન થાય એવી રીતે શરીર આદિ કાંઈ યાદ આવતું નથી.
દીપોહ રાજાને બીજા કોઈ રાણી હતાં કે નહોતાં તે યાદ આવતું નથી.
નવલપુરમાં બે શેઠ હતાં, તેમાં એક શેઠનું નામ જીવા.... શેઠ અથવા જીવન.. શેઠ એમ બે પ્રકારે યાદ આવે છે. બીજા શેઠનું નામ પરમ... શેઠ હતું. તે બંને શેઠ હોવાથી રાજા સાથે કામપ્રસંગને લઈને સંબંધ હતો.
તે ગામમાં બીજા શેઠ હશે પણ મને યાદ આવતા નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
૪૫.
જીવા... શેઠ અને પરમ શેઠ નગરશેઠ જેવા હોય તેમ જણાતું હતું. તે પરમ શેઠ લાભભાઈના પિતા હતા અને જીવા. શેઠ મારા પિતા હતા.
પરમ... શેઠ એકદમ ખૂબ જ ઘેરા રંગની રાતા રંગની પાઘડી બાંધતા હતા; તે કોઈ કોઈ વાર કામપ્રસંગે રાજા પાસે જતા; તે શેઠનું સ્વરૂપ એટલું યાદ સહજ આવે છે. તેમની સ્ત્રીનું નામ ગણધારી અથવા ગણા અથવા ગણધારા એમ ત્રણ પ્રકારે યાદ આવે છે. તેમનો દેખાવ મોટાં જબરાં શેઠાણી જેવો હતો. તેમને ઘેર નોકર-ચાકરો હતા; મોટું વિશાળ તેમના ઘરનું કામકાજ નગરશેઠ જેવું હતું તેમને કેટલુંક દીકરા વગેરે કુટુંબ હતું, તેમાંથી લાભભાઈ અને બીજા એક ચખુભાઈ એ બેનાં નામ યાદ આવે છે, બીજા કોઈનાં નામ યાદ આવતાં નથી, બીજા દિકરા હતા કે નહોતા તે પણ યાદ આવતું નથી. ગણધારી તે લાભ... ભાઈની માતાનું નામ હતું. તે વિષે એટલું યાદ છે. કોઈના શરીર આદિના વર્ણન વિષે, વર્ણનમાં આવે એવી રીતે, યાદ આવતું નથી.
જીવા.... શેઠ અથવા જીવનશેઠ મારા પિતાનું નામ હતું. તે શેઠ સારા સ્વભાવના અને વૈભવવાળા હતા. મારી માતાનું નામ ભદ્રા અથવા ભદ્રવાહી હતું. શેઠાણીને યોગ્ય તેમના ગુણો હતા. મારા પિતા ધોળી પાધડી બાંધતા હતા.–તે વિષે વર્ણનમાં એટલું યાદ આવે છે. તે માતા-પિતા ધાર્મિક હતાં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
હું મારાં માબાપને એક જ હતો, બીજાં કોઈ ભાઈબહેન નહોતાં, ઘરમાં મારા કાકા વગેરે કુટુંબ હતું.
નૌવલપુર ગામથી થોડે દૂર બીજ વણવીંશ નામનું ગામ હતું. ત્યાંથી લાભ... ભાઈ કન્યા પરણીને લાવ્યા હતા. તે કન્યાનું નામ ગુણભદ્રા હતું. તે કન્યાના પિતાની માતા અથવા તે કન્યાની માતા ત્યાં હતાં તે યાદ આવે છે.
રથ જેવું કાંઈક હતું, તેમાં બેસીને લાભ. ભાઈ આવતા હતા. તે વિષે વિશેષ યાદ આવતું નથી.
ત્રણે એક જ ગામમાં હતા, એક જ ગામમાં રહેતા હતા, એમ સહજ યાદ આવે છે. આ બધું સહજ સ્મરણમાં બરાબર આવે છે તે પ્રકારે મધ્યસ્થતાથી લખાયું છે.
હું તથા રાજકુમાર કોઈ એક સ્થાને બેઠા હતા. ત્યાં ફતેહુકુમાર ધાર્મિક વાત કરતા હતા.
પોષ સુદ ૧૦ ને સવારે એમ સ્મરણ આવ્યું હતું કે
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં મહાવિદેહક્ષેત્રમાં આવ્યા ત્યારે શ્રી તીર્થંકરદેવનું નીકળેલું પદ સહજ સ્મરણમાં આવ્યું. શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં આવ્યા ત્યારે પ્રભુની વાણીમાંથી ક્ષાયિકનું સ્વરૂપ, યતિઓનું સ્વરૂપ, શ્રાવકનું સ્વરૂપ વગેરે વાણી છૂટી હતી. પ્રભુની વાણી તો અભુત, ઊંડી ને ગહન અને ઘણા પ્રકારની છૂટી હોય, પણ ત્યાં મારી શક્તિ પ્રમાણે પકડાયેલ; એમાંથી અમુક એટલું યાદ આવે છે. આ બધું સાવ સહજ યાદ આવે છે. તે વખતે મારી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
શક્તિ પ્રમાણે પકડાયેલું એક પદ યાદ આવે છે:
ક્ષપકત્વશ્રેણી ભૂદા ભૂત્વા. ...........!
પોષ સુદ ૧૧ને રાત્રે – હું તથા રાજકુમાર જ્યાં અમુક સ્થાને બેઠા હતા ત્યાં રાજકુમાર કાંઈક ધાર્મિક વાત કરીને આ ઉપલું પદ બોલ્યા, ત્યાર પછી તરત બીજાં પદ રાજકુમાર બોલ્યા
સિદ્ધિ-ગવેષાં. .. . . . . . . . . ...
આ બીજાં પદ શ્રી શ્રુતકેવળીનું હતું. તે રાજકુમાર બોલતા હતા ને હું સાંભળતો હતો. રાજકુમાર એમ કહેતા હતા કે શ્રુતકેવળી આમ કહે છે.
ઉપરના બંને પદમાં કાનોમાત્રાનો કે શબ્દ વગેરેનો ફેરફાર હોય તો ખ્યાલ નથી.
શ્રી શ્રુતકેવળી ત્રણ પ્રકારે ક્ષાયિકના નામવાળું સ્વરૂપ કહેતા હતા તે ત્રણ પ્રકાર સ્મરણમાં રહેલા તે યાદ આવ્યા. પોષ સુદ ૯ ને બપોરે સ્મરણમાં આવ્યા હતા.
પોષ સુદ ૧૧ ને રાત્રે
પાછા ફરીને રાજકુમાર સાથે વાત કરતા હતા ત્યારે રાજકુમારને પણ તે ત્રણ પ્રકારની ખબર હતી. રાજકુમાર કહે કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ શ્રુતકેવળી ક્ષાયિકનો એક ધારાપ્રવાહીનો પ્રકાર કહે છે.-એમ રાજકુમાર કહેતા હતા.
એક ધારાપ્રવાહી, બીજાં જોડણી અથવા જોડરૂપ ક્ષાયિક, ત્રીજ યુગલ ક્ષાયિક.
ધારાપ્રવાહી, શરૂઆતની ધારાનો પ્રવાહ ક્ષાયિકની યોગ્ય શ્રેણીનો તે ધારાપ્રવાહી-એવો તેનો ભાવ યાદ આવે છે.
બીજાં જોડણી અથવા જોડરૂપ ક્ષાયિક તે.
પૂર્વ કૃતકૃત્યતાના અદ્ભુત સુખ માંહેનું અંશ-કૃતકૃત્ય પણું પ્રગટ થઈને તે અંશ દ્વારા વિશેષ કૃતકૃત્યતાના અંશોનું જોડાવું, આવું ક્ષાયિક જે કહેવાય છે તેવા ક્ષાયિકને ત્યાં જોડણી અથવા જોડરૂપ એવા સ્વરૂપે કહેતા હોય એમ ભાવ ભાસે છે. એક અંશ દ્વારા વિશેષ અંશોનું પરસ્પર જોડાવું તેનું નામ જોડણીક્ષાયિક એમ ટૂંકાણમાં ભાવ યાદ આવે છે.
પૂર્ણ કેવળીના અથવા સિદ્ધના ક્ષાયિકને યુગલ ક્ષાયિક કહેતા હોય એમ યાદ આવે છે.
હું તથા રાજકુમાર બંને આ પ્રકારે જાણતા હતા. આથી વિશેષ યાદ આવતું નથી. આ બધું યાદ સહજ આવે છે.
ચંદ ભાઈ કોણ છે તે અહીંના કેટલાક જીવો પ્રત્યે મધ્યસ્થભાવથી દષ્ટિ મૂકતાં તે જીવોમાં ચંદ ભાઈ હોય તેમ મારા સ્મરણમાં જણાતું નથી. બીજા એક તેમની સાથે શિશુભાઈ નામે
તા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
તીર્થંકરપદ કેટલે ભવે એમ સ્મરણમાં સહજ આવતું નથી, પણ કાળક્રમે ટૂંકા કાળે તીર્થંકર થશે એમ સ્મરણ સહજ થાય છે. શ્રી તીર્થંકરદેવને નમસ્કાર.
ગુરુરાજના અદ્દભુત પ્રતાપને અહોનિશ ભક્તિથી વારંવાર
નમસ્કાર.
**
શ્રી વીતરાગ આદિ સત્પુરુષોને નમસ્કાર
૧૯૯૪, પોષ વદ ૭ (લખાયેલું ) પોષ વદ પાંચમને પરોઢિયે
૪૯
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં મહાવિદેહક્ષેત્રમાં લગભગ આઠેક દિવસ રહ્યા હોય તેમ સહજ સ્મરણ આવ્યું. મોટા અધિપતિ ચક્રેશ્વરી ત્યાં સમોસરણમાં હતા એવી રીતે સહજ સ્મરણ આવ્યું. તે ચક્રેશ્વરીનું-શરીર આદિનું-વર્ણન થાય એવી રીતે સ્પષ્ટ સ્મરણ આવતું નથી.
પોષ વદ છઠને સાંજે લગભગ ચાર વાગ્યા પછી
શ્રી કુંદકુંદાચાર્ય પધાર્યા તે ગામનું નામ કંડલ, કુંડીલા, કુંડલપુરી અથવા કુંડલી હતું. શ્રી કુંદકુંદાચાર્ય તે કુંડલપુરીમાં પધાર્યા હતા તેમ સહજ સ્મરણ આવે છે.
પોષ વદ છઠ ને રાત્રે દશ વાગ્યે લગભગ પાછું ફરી વારશ્રી કુંદકુંદાચાર્ય ત્યાં કુંડલપુરીમાં પધાર્યા હતા ને આઠેક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
દિવસ રોકાયા છે એમ સ્મરણ આવ્યું.
પોષ વદ ૭ ને લગભગ સાડા દશ, અગિયાર
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં કુંડલપુરમાં પધાર્યા હતા, આઠ દિવસ રહ્યા હતા એમ બરાબર સ્મરણ આવે છે.
આઠ દિવસ સુધી ત્યાં મોટા ઓચ્છવ જેવું થયું હતું. ત્યાંના ચક્રવર્તીએ તેમનો બહુ આદરસત્કાર કર્યો હતો ને મોટા ઓચ્છવ અથવા ઉજવણા જેવું ચક્રવર્તી તરફથી થયું હતું તે બરાબર યાદ આવે છે.
બધી જાતનો આઠે દિવસનો ઓચ્છવ ચક્રવર્તી તરફથી થયો હતો કે દેવો તરફથી થયો હતો તે યાદ આવતું નથી.
શ્રી કુંદકુંદાચાર્યને બહુ જ આદરસત્કારથી ચક્રવર્તી તરફથી, મોટા થાળ જેવું હતું તેમાં કાંઈક ફળો આદિ (બીજાં કાંઈક વનસ્પતિ જેવું) હતું, તે ફળાદિ કુંદકુંદાચાર્યને વહોરાવવામાં આવ્યાં હતાં.
ફળો આદિ વહોરાવ્યાં હતાં તે બરાબર યાદ આવે છે પણ ચક્રવર્તીએ વહોરાવ્યાં કે બીજા કોઈએ તે બરાબર યાદ આવતું નથી.
હું ત્યાં કુંડલપુરમાં હતો તે બરાબર યાદ આવે છે. પ્રભુનાં દર્શન માટે આવ્યો હોઉં અથવા બીજા કોઈ પ્રસંગે આવ્યો હોઉં, તે યાદ આવતું નથી.
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
આજે પોષ વદ આઠમ, સાડા દશથી અગિયારે આવેલું સ્મરણ
શ્રી કુંદકુંદાચાર્યના પગને, ફળાદિ વહોરાવ્યાં તે ટાઈમે, સુગંધી પાણી, પુષ્પ વગેરે ઊંચી ચીજો-કુંકુ જેવું કાંઈક હતું વગેરે ચીજો-થી પૂજવામાં આવ્યા હોય તેમ બરાબર સ્મરણ આવે છે. ફળાદિનો થાળ હતો તે રત્નજડિત જેવો હોય તેમ યાદ આવે છે.
આ બધું બરાબર સ્મરણ સહજ આવ્યું તેમ લખ્યું છે.
ભરતક્ષેત્રમાંથી મહાવિદેહક્ષેત્રમાં જઈને
શ્રી સીમંધર પ્રભુનાં દર્શન કરનાર ૫૨મ યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યને ૫૨મ ભક્તિથી નમસ્કાર, વાંરવાર નમસ્કાર.
**
૫૨મ-પુરુષોને નમસ્કાર ૧૯૯૪, પોષ વદી તેરશ
૫૧
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં કુંડલપુરમાં પધાર્યા ત્યારે ઓચ્છવને લઈને ભક્તિનો પ્રકાર બહુ જ દેખાય છે.
કુંડલપુરમાં શ્રી કુંદકુંદાચાર્ય પધાર્યા ત્યારે ફતેહમંદકુમાર પણ ત્યાં આવેલ હતા, બહુમાનથી ઉલ્લાસ-પૂર્વક શ્રી કુંદકુંદાચાર્ય પ્રત્યે હાથ જોડતા ઊભેલા જોયા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
રાજકુમાર એક વાર કહેતા હતાઃ આત્મા એક છે, તેનો ડંકો નૌવલપુરમાં વગાડવો છે. આ સ્મરણ છેલ્લું લખાણ આપ્યા પછી બીજે દિવસે આવ્યું.
પોષ વદી બારશને રાત્રે આઠ થી નવ લગભગ આવેલું સ્મરણ
રાજકુમારના નૌવલપુરની અંદર કોઈ એક બીજા ગામમાંથી એક બાઈ આવીને રહેલ હતી. તેનું નામ અજયા હતું. તેને એક (અજ) બાહુ નામનો દિકરો હતો. ‘બાહુ’ બરાબર યાદ આવે છે, પણ ‘અજ' હતું કે શું હતું તે બરાબર યાદ આવતું નથી. તેનો દીકરો પણ નૌવલપુરમાં આવ્યા પછીથી ધર્મપ્રેમી થઈ ગયેલ હોય તેમ જણાય છે. તે (અજ) બાહુ એક ડુંગર ઉપર દિગંબર મુનિની પ્રતિમાનાં દર્શન કરતી વખતે સહજ સ્મરણમાં આવ્યો. તે ધાર્મિક વૃત્તિનો થઈ ગયો હોય તેમ જણાય છે. આ સ્મરણ પહેલાં પણ આવેલું હતું, પાછું બીજી વાર આવ્યું. તે અજબાહુ ધર્મ તરફ વળેલ હોવાથી તથા જ્ઞાનમાં કાંઈક બળિયો હોવાથી રાજકુમારને તેના ઉપર પ્રેમ હતો. તે (ઃ ( અજ ) બાહુ કોઈ કોઈ વાર સમોસરણમાં પણ જોવામાં આવે છે.
પછીથી કોઈ કારણસર તે અજયાબાઈના દીકરાના અભિપ્રાયો વસ્તુસ્થિતિથી બદલાણા, ને તે પ્રમાણે તે રાજકુમાર પાસે સજ્જડતાથી આગ્રહપૂર્વક સ્થાપતા; રાજકુમારને, તેનું નિમિત્ત પણ પોતા વડે, તે અભિપ્રાયો બેસતા. તેમાંથી બધા યાદ આવતા નથી, કેટલાક યાદ સહજ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
રાજકુમાર પ્રત્યે લાભભાઈને તથા દેવાભાઈને મહિમા હોવાથી તે પણ ( અજ ) બાહુના અભિપ્રાયો કેટલીક વા૨ સાંભળવા જતા. તેમાંથી તેમને પણ પોતા વડે કેટલાક બેસતા. રાજકુમારને ( અજ ) બાહુના અભિપ્રાયો ઘણાખરા બેસતા.
આ નીચે મુજબ (અજ) બાહુ કહેતા હતાઆત્મા દેશપ્રત્યક્ષ છે, સર્વપ્રત્યક્ષ નથી; ગુણ પ્રત્યક્ષ છે, દ્રવ્ય પ્રત્યક્ષ નથી.
અમુક લુગડું હોય છતાં પણ મોક્ષ થાય છે.
સખતાઈ પણે કહું છું કે જ્ઞાનશક્તિ જ ખરી છે, બીજું સર્વ પાણીનું પૂર છે. –એવો એકાંત આગ્રહરૂપ, નિષેધરૂપ અભિપ્રાય.
૫૩
ત્યાં ભક્તિનો પ્રકાર બહુ દેખાવાથી તેના નિષેધરૂપ અભિપ્રાય.
-આવી જાંતના ભાવો યાદ આવે છે. આવા કેટલાક અભિપ્રાયો સહજ સ્મરણમાં આવ્યા છે તે જણાવ્યા છે.
( અજ ) બાહુએ કહેલા અભિપ્રાય વિષે રાજકુમાર દેવાભાઈને કહેતા, તે વિષે વાત કરતા.
સર્વના અભિપ્રાયો અમુક પ્રકારે આવી રીતે કેટલાક પરિણમતા હતા. મૂળ વિશેષ વિરાધના (અજ) બાહુથી થઈ છે, તેમ સહજ સ્મરણરૂપ વેદનમાં આવે છે તેમ જણાવ્યું છે.
જેમ અત્યારના થયેલા પરિણામો સ્મરણમાં આવે તેમ પૂર્વના થયેલા અમુક પરિણામો સહજ સ્મરણરૂપ વેદનમાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
આ તો બહારના નિમિત્તે થયેલ અમુક પ્રકાર યાદ આવે છે. અભિપ્રાયમાં વિશેષે શું થયું હોય તે યાદ આવતું નથી.
અમારાથી માયા શું થઈ છે તે યાદ આવતું નથી.
(અ) બાહુ તે નારણભાઈનો આત્મા છે, તેમ બે ત્રણ વાર ઊછળી ઊછળીને સહજ સ્મરણ આવે છે, પણ ત્યાંથી આ તેમનો સીધો ભવ હોય તેમ સહજ સ્મરણ આવતું નથી.
ખ્યાલમાં નહિ એવો આ વિરાધનાનો પ્રકાર સહજ સ્મરણમાં આવ્યો છે.
આવા ઊંધા અભિપ્રાયના બહારના પ્રકાર વખતે રાધારાણી નહોતાં. તેમનો આત્મા બીજી ગતિમાં ગયેલ હતો.
રાજકુમારને બીજાં બે રાણી હતાં, તેમાંથી એક સુભંગા અને બીજાં પટોધરા નામે હતાં. તે રાણીના વર્ણન વિષે વિશેષ યાદ આવતું નથી.
રાજકુમાર છેવટે વેદનાની સ્થિતિમાં સખત પુરુષાર્થપણે રહી શકયા નહોતા તેમ સહજ સ્મરણ આવે છે. રાજકુમારને હું
ત્યાં, તેમના શરીરને, જોવા ગયો હતો; પલંગ જેવું હતું, તેમાં રાજકુમાર સૂતા હતા તે વિષે વિશેષ યાદ આવતું નથી.
- રાજકુમાર ત્યાંથી અહીં આવ્યા તે પ્રકાર પણ યાદ આવે છે. નવલપુરના માણસોના હૃદયમાં ખેદ પ્રસરી રહ્યો હતો.-તે વિષે વિશેષ યાદ આવતું નથી.
ત્યાનું દેવાભાઈનું દેહપ્રમાણ અહીંના દેહ સાથે મેળ ન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
ખાય તેવડું સ્મરણમાં આવે છે.
૫૫
આ લખાણ, જેમ આવ્યું છે તેમ, મધ્યસ્થતાથી લખાયું છે.
શ્રી વીતરાગાય નમઃ
પરમ કૃપાળુ સદ્દગુરુદેવને નમસ્કાર
**
મહા સુદ બારશે આવેલું સ્મરણ
બળદના ભવ પહેલાંના ભવે હું ઘોડે સવાર થઈને કયાંક જતો હતો, રસ્તામાં-જંગલમાં-કોકે મને મારી નાખ્યો, ત્યાંથી મરીને બળદ થયો તેમ સહજ સ્મરણ આવે છે.
૧૯૯૪, ફાગણ વદ અમાસ
રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થશે તેવું સહજ સ્મરણ ફરી ફરી આવ્યા કરે છે અને પૂજ્ય કૃપાળુ સદ્દગુરુદેવ પ્રત્યે-જગતઉદ્ધારક પ્રત્યે-બહુ મહત્તા આવે છે.
ૐ નમઃ ૫૨મપુરુષોને નમસ્કાર
ચૈત્ર વદી સાતમ ને ગુરુવાર, ૧૯૯૪ લખાયેલું
શ્રી કુંદકુંદાચાર્ય મહાવિદેહક્ષેત્રમાં કુંડલપુરમાં પધાર્યા ત્યારે નૌવલપુરથી દીપોહમંદ રાજા–તેમની મોટી સેના સહિત-તેમનાં રાણી એટલે ફતેહકુમારની માતા, (કૃપાળુ ગુરુદેવનો આત્મા) ફતેહકુમાર, તેમની રાણીઓ વગેરે કુટુંબ, રથ, બીજી જાતનું કાંઈક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
વાહન હતું (તે નામ આવડતું નથી), હાથી, ઘોડા વગેરે સાથે હતું; ગામના ઘણા માણસો સાથે હતા; પરમ શેઠ, લાભભાઈ (શાન્તાબેનનો આત્મા) વગેરે, જીવન શેઠ, હું વગેરે ઘણા માણસો સાથે હતા ચંદ ભાઈ અને શિશુ પણ હતા.
ત્યાંના હિસાબે નૌવલપુરથી કુંડલપુર બહુ દૂર નહોતું, પણ નજીક હતું.
કેટલાક માણસો ચાલતા હતા, કેટલાક વાહનોમાં બેઠા હતા. રાજકુમાર થોડી વાર ચાલતા હતા, થોડી વાર કોઈ વાહન ઉપર બેસતા હોય તેમ જણાય છે.
રસ્તામાં રાજકુમાર સાથે પુણ્ય-પાપ વિષે વાત થઈ હતી. શું વાત થઈ હતી તે યાદ આવતું નથી. કુંડલપુરમાં ગયા ત્યારે સમવસરણનાં પગથિયાં હું તથા લાભભાઈ સાથે ચડતા હતા; રાજકુમાર, એમનું કટુંબ વગરે આગળ ચડતા હતા.
સમવસરણમાં (અજ) બાહુ જોવામાં આવ્યા હતા, પણ તે નવલપુરથી આવ્યા હતા કે બીજા કોઈ ગામથી–તે યાદ આવતું નથી.
(આ ઉપરનું સ્મરણ ચૈત્ર સુદ આઠમને દિવસે સામાન્યપણે આવ્યું હતું, પાછું ચૈત્ર વદ ચોથને સાંજ સ્પષ્ટ આવ્યું )
ત્યાં નૌવલપુરમાં આર્યભાષા હતી તેમ સહજ સ્મરણ આવે છે. લખાણમાં કેટલાક ત્યાંના ભાવો અને ભાષા અહીંની લખી છે ને કેટલીક ત્યાંની ભાષા પણ છે; જેમ કે દેશપ્રત્યક્ષ,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
સર્વપ્રત્યક્ષ, પાણીનું પુર વગેરે કેટલીક ત્યાંની ભાષા છે.
આ ભાષાનો પ્રકાર સાવ સહજ યાદ આવે છે. (આ વિષે સ્પષ્ટ સ્મરણ ચૈત્ર વદ છઠને સવારે સાડા દશે આવ્યું )
૫૭
નૌવલપુરમાં રાજકુમાર સાથે હું અને લાભભાઈ કોઈ કોઈ વાર ફરવા જતા. જે રસ્તેથી સેના કુંડલપુર તરફ ગઈ હતી તેનો આજુબાજુનો રસ્તો હોય તેમ જણાય છે.
વિરાધનાના પ્રકાર વખતે દેવાભાઈને એટલે મને જ્ઞાનના પ્રયત્નનો કિનારો નથી, સ્થિરતાના પ્રયત્નનો કિનારો છે-આવા ભાવો થઈને જ્ઞાન પ્રત્યે પાછળથી પરિણામમાં નિષેધ જેવો ભાવ આવી જતો.
ઉપરનો નિષેધના ભાવવાળો અભિપ્રાય લાભભાઈને પણ બેસતો લાભભાઈ કહેતાઃ દેવાભાઈ! તમારી વાત સાચી છે. વિરાધનાનો આ એક પ્રકાર લખ્યો, બાકી પરિણામમાં મંદતાતીવ્રતા સર્વના ભાવમાં રહી હોય તે જુદી વાત છે.
(અજ) બાહુ સાથે રાજકુમારને મેળ થયો તે મને તથા લાભભાઈને રુચ્યું નહિ. હું તથા લાભભાઈ તે વિષે ખાનગી વાત કરતા. શું વાત કરતા તે યાદ આવતું નથી. અમારા અભિપ્રાયો અમે રાજકુમારને તથા ( અજ) બાહુને જણાવતા નહોતા; તે વર્તનમાં અમારાથી માયા થઈ છે તેમ જણાય છે. આમ થવા છતાં અમને રાજકુમાર પ્રત્યે મહિમા હતી.
માયાના બીજા કોઈ વિશેષ પ્રકારો થાય છે કે કેમ તે યાદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આવતું નથી.
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
આ બધું સહજ યાદ આવ્યું તે જણાવ્યું છે.
નૌવલપુરમાં કોઈ એક સ્થાને હું, રાજકુમાર તથા લાભભાઈ ધાર્મિક વાત કરતા હતા.
હું દેવલોકમાં દેવ હતો ત્યારે, ભગવાનની ત્યાં દેવલોકમાં પ્રતિમા હતી તેનાં દર્શન કરવા જતો; દેવીઓ વગેરે તીર્થંકરનો ઓચ્છવ કરવા કયાંક જતાં હોય તેમ યાદ આવે છે.
હું જતો હતો કે નહિ તે યાદ આવતું નથી, તે વિષે વિશેષ યાદ આવતું નથી.
એક વાર દેવાભાઈ એટલે મેં, શ્રી શંભુ સિવાયના બીજા કોઈ ગણધર ત્યાં અઘ્ધરથી નીચે આવતા હતા, તેમને જોઈને કહ્યું:
પધારો જિનરાજ ! પધારો. આ પ્રમાણે સહજ યાદ આવે છે.
શ્રી સીમંધર ભગવાન કોઈ એક વૃક્ષ નીચે કેવળજ્ઞાન પામ્યા છે એમ શ્રી ગણધરદેવ કહેતા હતા.
પ્રભુની ધ્વનિનો અવાજ કયા દ્વા૨થી બહાર નીકળતો હતો તે યાદ આવતું નથી.
આ બધું ઉપરનું સ્મરણ ચૈત્ર વદી છઠને સવારે સાડાદશે લગભગ આવ્યું હતું.
આ બધું, સહજ સ્મરણ આવ્યું તે લખ્યું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
પ૯
પૂર્વના પરિચિત આત્માઓને ઓળખવા, તે આત્માઓના જન્મ ફરી જવા છતાં ઓળખવા, તેનું સ્મરણ થાય એવા સંસ્કાર અથવા ધારણા હોતી નથી છતાં પણ મતિની કોઈ એવી નિર્મળતારૂપ સ્થિરતાને કારણે સ્મરણ સાથેની નિર્મળતાને કારણે-( જોકે અરૂપી આતમા દેખાતો નથી તોપણ) વર્તમાન એની દેહપર્યાય ખ્યાલમાં હોય ને પૂર્વની દેહપર્યાય પણ જોયેલી હોય, પરિચયમાં હોય, તેથી પૂર્વે જે પુરુષ જોયો હતો તે જ આ પુરુષ છે તેમ જાણી શકાય છે, ઓળખી શકાય છે.
પૂર્વે જે આ પુરુષ જોયો હતો અથવા આ આત્માઓ પૂર્વે જે જોયા હતા તે “જ” આ આત્માઓ છે એમ મતિની નિર્મળતારૂપ સ્થિરતાને કારણે જ્ઞાનમાં સહજ સચોટપણે નિઃસંદેહપણે પકડાઈ જાય છે. તે આત્મા સીધો અહીં જન્મ પામેલ છે કે બીજે કયાંય વચ્ચે ગયેલ તે પણ જણાય છે; જો સીધો આવેલ હોય તો પૂર્વના પુરુષની ને અત્યારના પુરુષની સીધી સંધિ, જ્ઞાનમાં આવે છે; નહિ તો સીધી સંધિ આવતી નથી પણ વચ્ચે આડું કયાંય ગયેલ હોય તેમ જ્ઞાનમાં આવે છે.
પરમકૃપાળુ સદ્ગુરુદેવના કૃપામય ઉપકારને
અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર શ્રી પ્રભુ સીમંધર ભગવાનનો તો અત્યારે આ કાળે વિરહ પડયો, પણ પરમકૃપાળુ સદ્દગુરુદેવનો નજીકનો પરિચય ઈચ્છવા છતાં વર્તમાન તેમનાથી દૂર પડયા તે પૂર્વ પરિણતિનો દોષ છે.
તે અપરાધની ક્ષમા ઈચ્છીએ છીએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
ગયા વર્ષે સ્મરણની શરૂઆત થયા પહેલાં એક વાર સ્વપ્ન આવ્યું હતું કે લાભને ટાઈમે લાભ લીધો નથી, લાભના કાળે લાભ લીધો નથી, તેથી અકાળે અવતાર થયા છે.
આ સહેજ જણાવવા ખાતર લખ્યું છે. ૧૯૯૪આ સર્વ સ્મરણમાં કૃપાળુ ગુરુદેવનો પરમ કૃપામય ઉપકાર છે, પરમ કૃપામય પ્રતાપ છે.
શ્રી ગુરુદેવના ચરણકમળમાં ૫૨મ ભક્તિથી વારંવા૨ નમસ્કાર
પૂજ્ય ગુરુદેવના તીર્થંકરપણાનું વારંવાર સ્મરણ આવતું હતું તેની સાથે આ ગણધરપણાનું સ્મરણ આવ્યું હતું.
પરમકૃપાળુ શ્રી સદ્દગુરુદેવશ્રીને ૫૨મ ભક્તિથી વારંવાર
નમસ્કાર
૧૯૯૪માં આવેલ સ્મરણ
(૨૦૦૪, પોષ સુદ ચૌદશે લખાયેલું )
સહજપણે એમ સ્મરણ આવેલ છે કે આ દેવાભાઈનો આત્મા છે તે આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે તેના ભવિષ્ય ગણધર થવાના છે.-એમ સીમંધરભગવાને કહ્યું છે. આમ સ્પષ્ટપણે સ્મરણ આવેલ છે. જગતનાથ જગ-શ્રેષ્ઠ તીર્થંકરદેવને નમસ્કાર.
સં. ૨૦૦૪ પોષ સુદ ૧૩ના રોજ આવેલું સ્મરણગણધરપણાનું ફરી ફરી સ્મરણ આવે છે. મહાવિદેહક્ષેત્રમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
રાજકુમારના
શ્રી સીમંધરભગવાને મહિમાયુક્ત વિશ્વવંદ્ય તીર્થંકરપણા વિષે તથા આગલા અને પાછલા ભવાંતરો વિષે વાત કરી છે એમ બરાબર યાદ આવે છે; પણ તે કયા કયા ભવો અને શું શું વાત છે તે યાદ આવતું નથી. તે ભવોની વાત કરી તેમાં એમ કહ્યું હતું કે ‘આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે.' તેની સાથે સંબંધવાળી ગણધરપણાની વાત હોવાથી તે વાત આવી હતી તે બરાબર સ્પષ્ટપણે સહજ સ્મરણમાં આવે છે. તીર્થંકરદેવના ભવો વિષે શું શું વાત હતી તે સ્પષ્ટપણે સ્મરણમાં આવતું નથી.
(આ વાતને લગતા પ્રસંગને કારણે આ વાત લખાઈ જાય
છે. )
૧
શ્રી કૃપાળુ ગુરુદેવના કૃપામય ઉપકારને વારંવાર નમસ્કાર. અજોડ રત્ન કૃપાળુ ગુરુદેવનાં ચ૨ણકમળમાં
૫૨મ ભક્તિથી વારંવા૨ નમસ્કાર ૨૦૦૪, પોષ વદ બીજના રોજ આવેલું સ્મરણ
પૂર્વભવે શ્રી સીમંધર ભગવાન પાસેથી સાંભળ્યું છે તેમાંથી સ્મરણ આવે છે કે આ રાજકુમાર ભવિષ્ય ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં તીર્થંકર થશે, તેમનું નામ શ્રી સૂર્યકીર્તિસ્વામી તથા શ્રી સર્વાંગસ્વામી એમ બે પ્રકારે નામ યાદ આવે છે એટલે કે બે જાતના નામ હોય તેમ યાદ આવે છે. આ દેવાભાઈ આ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
રાજકુમારના ભવિષ્ય ગણધર થવાના છે, તે સૂર્યકીર્તિ રાજાના એટલે કે સૂર્યકીર્તિ તીર્થંકરના દેવેન્દ્રકીર્તિ નામના રાજકુમાર થશે; આ લાભભાઈ આ રાજકુમારના ભવિષ્ય ગણધર થવાના છે, તે સૂર્યકીર્તિ રાજાના એટલે કે સૂર્યકીર્તિ તીર્થંકરના બીજા ચંદ્રકીર્તિ નામના રાજકુમાર થશે, એટલે કે સૂર્યકીર્તિ તીર્થંકરના દેવેન્દ્રકીર્તિ અને ચંદ્રકીર્તિ નામના પુત્રો થશે અને તેમના બંને ગણધર થશે. આ બધું શ્રી સીમંધર ભગવાન પાસેથી સાંભળ્યું છે તેમાંથી યાદ આવે છે; આ સ્મરણ સાવ સ્પષ્ટ છે.
ભાવિ તીર્થાધિનાથ ક્હાનગુરુદેવને ૫૨મ ભક્તિથી નમસ્કાર. જગત-ઉદ્ધારક પરમ કૃપાળુ શ્રી સદ્દગુરુદેવ (કાનજીમહારાજશ્રી ) તે પૂર્વભવના ફતેહમંદ રાજકુમાર ભવિષ્ય ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં તીર્થંકર થશે એમ શ્રી સીમંધર ભગવાને કહેલું છે.
બળદેવ-વાસુદેવના સ્વપ્નાની આપે અમને વાત કરી ત્યાર પછી તે વિચાર બહુ રહ્યા કરતા હતા તેથી આ સ્મરણ આવેલું છે. આ સ્મરણ વારંવાર સ્પષ્ટપણે આવ્યા કરે છે. દેવાભાઈ એટલે આ આત્મા, લાભભાઈ એટલે શાન્તાબેનનો આત્મા.
પરમ કૃપાળુ જ્ઞાનિધિ ગુરુદેવના પ૨મ ઉ૫કા૨ને વારંવા૨
નમસ્કાર
*
અજોડ રત્ન ૫૨મ કૃપાળુ ગુરુદેવનાં ચરણકમળમાં ૫૨મ ભક્તિથી વારંવાર નમસ્કાર ૨૦૦૪, ચૈત્ર સુદ પૂનમે લખાયેલ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
૬૩
શ્રી સીમંધર ભગવાન દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ કહેતા હતા. તેમની વાણી અનંત અનંત રહસ્યોથી ભરેલી હતી, તેમ સ્મરણ આવ્યા કરે છે; તીર્થકર અને ગણધર પણાની વાતનું વારંવાર સ્મરણ આવ્યા કરે છે. આ રાજકુમાર ભવિષ્ય ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં શ્રી સૂર્યકીર્તિસ્વામી તથા શ્રી સર્વાંગસ્વામી નામના તીર્થકર થશે, આ દેવાભાઈ તેમના દેવેન્દ્રકીર્તિ નામે ગણધર તથા તેમના પુત્ર થવાના છે. (દેવેન્દ્રકીર્તિ કુમારનું આ નામ સહિત બીજું પણ નામ હોય તેમ ખ્યાલમાં આવે છે.) આ લાભભાઈ તેમના બીજા ચંદ્રકીર્તિ નામે ગણધર તથા પુત્ર થવાના છે, તે બધી વાતનું વારંવાર સ્પષ્ટપણે સ્મરણ આવ્યા કરે છે.
મહાવિદેહક્ષેત્રનાં જિનમંદિરો મોટાં મોટાં ભવ્ય હતાં તેમ સ્મરણ આવે છે. કોઈ જુદી જાતનાં રત્નો મંદિરની ભીંતોમાં હતાં, તે રત્નોનો પ્રકાશ એવો હતો કે આખું મંદિર પ્રકાશથી છવાઈ રહ્યું હતું. ભગવાનનાં પ્રતિમાજી રત્નોનાં, પ્રકાશવાન, અદ્દભુત હતાં. આપણે બધા જિનમંદિરે દર્શન કરવા જતા હતા એમ સ્મરણ આવે છે. ભગવાનના પ્રતિમાજી વિષે આટલું સ્મરણમાં આવે છે. આથી વિશેષ વર્ણન થાય એવી રીતે સ્મરણમાં આવતું નથી. (આ જીવે પૂર્વે દેવાભાઈના ભવમાં જોયેલું હોય તે યાદ આવે છે.)
જ્ઞાનસાગર ગુરુદેવની કૃપામય ઉપકારને વારંવાર પરમ ભક્તિથી
નમસ્કાર.
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
६४
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ દિવ્ય જ્ઞાનમૂર્તિ ભારતના ભગવાન પરમકૃપાળુ ગુરુદેવનાં ચરણકમળમાં
- પરમ ભક્તિથી નમસ્કાર ૨૦૧૦, જેઠ વદ પાંચમને દિવસે સ્મરણ આવ્યું છે કે દેવલોકમાં આયુસ્થિતિ પૂરી થતાં પરમ કૃપાળુ કહાન ગુરુદેવના આત્માનો આ જંબુદ્વીપમાં કોઈ પણ ક્ષેત્રમાં રાજકુમારપણે જન્મ થશે; તે ક્ષેત્રમાં કોઈ પણ તીર્થકર ભગવાનની હાજરી હશે, તેમને ઘેર પૂ. કહાન ગુરુદેવનો જન્મ થશે ત્યાં આપ મહાન થશો; ત્યાંથી આબેહૂબ મુનિપણું પાળીને ઊંચી જાતના દેવલોકમાં પૂ. ગુરુદેવ અહમિન્દ્ર થશે; કયા દેવલોકમાં અહમિન્દ્ર થશે તે સ્મરણમાં આવતું નથી, પણ અહમિન્દ્ર થશે તેમ સ્મરણમાં આવે છે. આ આત્મા પણ અને શાંતાબેનનો આત્મા પણ ત્યાં આપના કુટુંબી તરીકે બંને જણા જન્મશું, ત્યાંથી દેવલોકમાં પણ અમારા આત્માને આપનો સાથ રહેશે.
તીર્થંકર ભગવાનના સમીપતાવાળા (પુત્ર તરીકેના) મનુષ્યભવમાં આપને એટલે કે પૂ. ગુરુદેવને તીર્થકરગોત્ર બંધાશે, ત્યાંથી દેવનો ભવ કરીને આપ ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવાન જિનેન્દ્રદેવ થશો.
આ, ગુરુદેવના ભવોની વાત શ્રી સીમંધર ભગવાન પાસેથી પૂર્વભવે સાંભળી છે, તેમાંથી સ્મરણમાં આવી છે, આ વાત સાવ સ્પષ્ટ છે. દેવલોકથી સીધું તીર્થંકરપણું સ્મરણમાં આવતું નથી-તેમ ભવની સીધી સંધિ આવતી નથી પણ અહમિન્દ્રપણા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
૬૫
પછી તીર્થંકરપણું થશે તેમ ભવની સીધી સંધિ સાવ સ્પષ્ટપણે સ્મરણમાં આવે છે. સર્વ ઠેકાણે પૂજ્ય ગુરુદેવનો જ પરમ પ્રતાપ વર્તી રહ્યો છે. પરમપ્રતાપી પરમ ઉપકારી કૃપાળુ ગુરુદેવને
વારંવાર નમસ્કાર
૨૦૦૪, ચૈત્ર વદ છઠપૂજ્ય કહાન ગુરુદેવ જંબુદ્વીપના કોઈપણ ક્ષેત્રમાં તીર્થંકરદેવના ઘેર જન્મશે તેમ સ્મરણમાં આવ્યું હતું.
(આ વિષે અંદર રહેવાની ભાવના છે.)
અંતરમાં આ બધી વાતો ઘોળાતી હોય છે તેથી લખાઈ જાય છે.
*
*
ભાવી તીર્થંકર ભગવંતને પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર જીવન-આધાર દિવ્યજ્ઞાનધારી પરમ કૃપાળુ કહાનગુરુદેવને
આ પામર દાસના પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર ૨૦૧૪, પરમ કૃપાળુ કહાન ગુરુદેવ પૂર્વભવે મહાવિદેહક્ષેત્રમાં ફતેહમંદ નામના તેજસ્વી રાજકુમાર હતા. ત્યાં શ્રી સીમંધર ભગવાનની વાણીમાં એમ આવ્યું હતું કે આ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ રાજકુમાર (કહાનગુરુદેવ) ભવિષ્ય તીર્થકર થવાના છે-તે વાત બરાબર સ્પષ્ટપણે યાદ આવે છે અને તે કહાનગુરુદેવ પ્રત્યે બહુ મહિમા આવે છે. શ્રી સીમંધર ભગવાનની વાણીમાં ફતેહમંદ રાજકુમારના ભવાંતરની વાત આવી હતી તેને કારણે અને જ્ઞાનની કોઈ જાતની સ્પષ્ટતાને કારણે રાજકુમારના (કહાનગુરુદેવના) કોઈ કોઈ ભવ યાદ આવે છે, અને તે બધું સ્પષ્ટપણે યાદ આવે છે.
આ રાજકુમાર (એટલે કે કહાનગુરુદેવ) થોડા ભવો પહેલાં એક મનુષ્યના ભવપણે હતા, તે બરાબર સ્પષ્ટપણે યાદ આવે છે, ત્યાં મનુષ્યભવમાં તેમની શક્તિ દિવ્ય હતી, તેથી તે દિવ્યતાવાળા પુરુષ હતા. આ ભવમાં તેમને પુણ્યના ફળનો રસ ઘણો હતો. એક વાર કોઈ કારણસર દેવો તેમના ઉપર પ્રસન્ન થયા હતા; કયા કારણે પ્રસન્ન થયા હતા તે યાદ આવતું નથી, પરંતુ પ્રસન્ન થયા હતા તે વાત બરાબર યાદ આવે છે. દેવોએ પ્રસન્ન થઈને કોઈ પ્રકારની સહાયતા તેમને કરી હતી અને બહુ પ્રસન્ન થવાથી તે ફતેહમંદ રાજકુમારના આત્માને (એટલે કે કહાનગુરુદેવના આત્માને), તે દિવ્યતાવાળા ભવમાં, મેરુપર્વતનાં શાશ્વતાં જિનમંદિરો અને શાથતાં જિનપ્રતિમાઓનાં દર્શન કરવા તેડી ગયા હતા.
આ મનુષ્યભવમાં તેમને સારાં, સુગુણોવાળાં કુટુંબીજન હતાં એટલે કે તેમને સુશીલ સજ્જનતાવાળા ગૃહપરિવાર, માતાપિતા વગેરે કુટુંબ હતું; વૈભવશાળી તેમનાં ઘર હતાં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૬૭
– આ બધી વાત સાવ સ્પષ્ટપણે, પ્રત્યક્ષતાની માફક, યાદ આવે છે અને નિઃશંકતા બહુ આવે છે.
આ સ્મરણ આસો વદ એકમને દિવસે થોડું થોડું આવ્યું, ત્યાર પછી વધતાં વધતાં દિવાળીને દિવસે સ્પષ્ટતાપૂર્વક થયું.
(આસો વદ અમાસ, ૨૦૧૩) આ દિવસે આ સ્મરણ સ્પષ્ટપણે થયું.
આ ભવ પછી, ફતેહમંદ રાજકુમારનો (એટલે કે કહાન ગુરુદેવનો), આ (દિવ્ય ) મનુષ્યપણાના ભવ પછીનો બીજો ભવ પણ, મનુષ્યપણાનો થયો ત્યાં પણ તેઓ પુણ્યશાળી હતા, સર્વ કાર્યોમાં જીત મેળવે એવી અજબ તેમની શક્તિ હતી. કયાં કાર્યોમાં જીત મેળવી હતી તે સ્પષ્ટ યાદ આવતું નથી, પરંતુ જીત મેળવતા હતા તે વાત યાદ આવે છે; આ બધી વાત સ્પષ્ટપણે યાદ આવે છે.
તે ભવમાં તેમને કેટલોક ગૃહપરિવાર વગેરે હતું. એક વાર તેઓ કેવળી ભગવાનનો ઉપદેશ સાંભળવા ગયા હતા અને ઉપદેશ સાંભળ્યા પછી તેઓએ મુનિરાજનાં દર્શન કર્યા અને ભાવ આવતાં તેઓએ મુનિને પોતાના ભવોની વાત પૂછી. મુનિએ ભવોની વાત કરી. મુનિરાજે પૂર્વભવોની અને આવતા ભવોની શું વાત કરી તે યાદ આવતું નથી, પરંતુ મુનિરાજે કહ્યું કે તમે ભવાંતરે તીર્થકર થવાના છો, તે વાત બરાબર યાદ આવે છે. (તીર્થકર ભગવાનનું દ્રવ્ય અભુત હોવાથી મુનિરાજની વાણીમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ પણ તે વાત આવી હતી.)
આ બધી વાત પૂર્વભવે સીમંધર ભગવાન પાસેથી સાંભળી છે અને જ્ઞાનની કોઈ જાતની સ્પષ્ટતાને કારણે યાદ આવે છે, નિઃશંકપણે સ્પષ્ટપણે યાદ આવે છે.
આ બધું સ્મરણ આસો વદ એકમને દિવસે થોડું થોડું આવ્યું, ત્યાર પછી વધતાં વધતાં દિવાળીને દિવસે સ્પષ્ટતાપૂર્વક થયું. (આસો વદ અમાસ, ૨૦૧૩), આ દિવસે આ સ્મરણ સ્પષ્ટપણે થયું.
આ ભવ પછી (કહાન ગુરુદેવનો આત્મા) દેવભવમાં ગયા, ત્યાર પછી પુણ્યનો રસ મધ્યમ પ્રકારનો થતો ગયો એમ યાદ આવે છે અને અમુક થોડા સાધારણ ભવો કરીને દેવના ભવ પછી મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યા એમ યાદ આવે છે; પરંતુ કયા, કેટલા ભવો એમ સ્પષ્ટપણે યાદ આવતું નથી. આ સ્મરણ પણ ઉપલા સ્મરણની સાથે જ આવ્યું હતું.
૨૦૧૪, કારતક સુદ બારશને પરોઢિયે સ્વપ્ન આવ્યું હતું કે, પહેલા મનુષ્યના ભવમાં એટલે કે દેવી પુરુષના ભવમાં રથમાં બેસીને તે દૈવી પુરુષ તીર્થે તીર્થે યાત્રા કરવા નીકળ્યા હતા, સુગુણોવાળા કુટુંબીજનો અને નોકર-ચાકર સાથે હતા, વનજંગલમાં રથ ચાલ્યો જતો હતો, સ્થાને સ્થાને જિનપ્રતિમાનાં, જિનમંદિરોનાં દર્શન કરતાં કરતાં યાત્રા કરતા હતા. તેવું સ્વપ્ન આવ્યું હતું. આ સ્વપ્ન સાવ સ્પષ્ટ હતું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
જાતિસ્મરણ જ્ઞાન પરમ ઉપકારી અપૂર્વ મહિમાવંત ગુરુદેવના
ચરણોમાં વારંવાર નમસ્કાર
૨૦૧૪, કારતક વદ સાતમપૂર્વભવે આ જીવે દેવાભાઈના ભવમાં સીમંધર ભગવાનની વાણી સાંભળેલી, તેમાંથી જે શક્તિ પ્રમાણે ગ્રહણ થયેલું, તેમાંથી થોડું થોડું યાદ આવે છે. ભગવાન કરોડાકરોડ સાગરનું માપ બતાવતા હતા. શું માપ તે યાદ આવતું નથી. આ જીવ આવા પરિણામ કરે તો આવા સાગરનો બંધ થાય છે. તે સાગર કોને કહેવાય તે ભગવાન બતાવતા હતા.
ભગવાનની વાણી પ્રશમરસઝરતી એવી લાગતી કે જાણે પ્રશમરસનો સમુદ્ર ઝરતો હોય, સાંભળવામાં એવી મીઠાશ આવે કે જે વર્ણવી ન શકાય.
ભગવાનની પ્રશમરસઝરતી વાણી એવી રહસ્યભરી મીઠી કે સાંભળીને જડચૈતન્યના ભેદ પડી જાય.
એવી આશ્ચર્યભરી રહસ્યભરી વાણી સાંભળીને એમ થતું હતું કે ભગવાનથી કાંઈ છાનું નથી, ભગવાનની વાણીમાં બધુંય આવે છે, ચૌદ બહ્માંડનું આખુંય સ્વરૂપ ભગવાનની વાણીમાં આવે છે. એવી વાણી સાંભળીને ચિત્ત તો એકદમ ઠરી જાય ! અત્યારે સ્મરણ આવતાં પણ ચિત્તમાં એકદમ શાંતિ થઈ જાય છે અને બહુ આનંદ આવે છે.
ભગવાનની વાણીમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવનું સ્વરૂપ, સ્વદ્રવ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭)
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
પરદ્રવ્યની ભિન્નતાનું સ્વરૂપ, બંધન-મુક્તિનું સ્વરૂપ, નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ અદ્દભુત રહસ્યભરેલું, સૂક્ષ્મ, ગહનપ્રશમરસઝરતી વાણીમાં આવતું હતું. તે બધાંનો વિસ્તાર શું હતો તે યાદ આવતું નથી.
૨૦૧૪, કારતક વદ ૧૩
સીમંધર ભગવાનની વાણી જાણે સમુદ્ર ઊછળ્યો હોય તેવી ઘેર ગંભીર, ઉપમા આપી ન શકાય તેવી, ચારે બાજુથી અપેક્ષિત, અન્ના સૂક્ષ્મ અંશો પ્રકાશનારી, સ્વદ્રવ્ય-પદ્રવ્યની સ્વતંત્રતાની પ્રધાનતા બતાવનારી, ચારે બાજુથી સૂક્ષ્મ રહસ્ય સહિત પૂર્ણ સ્વરૂપ પ્રકાશનારી એવી અદ્ભુત યાદ આવે છે, મહિમા બહુ આવે છે. ભગવાનની અભેદ વાણીમાં અનંતા ભાવોનો પ્રકાશ થાય છે,-વગેરે યાદ આવતાં મહિમા બહુ આવે છે; એની વિશેષ સ્પષ્ટતા યાદ આવતી નથી.
૨૦૧૪ કારતક વદ સાતમ
આ જીવ આ ભવ પહેલાં મહાવિદેહક્ષેત્રમાં દેવા... ભાઈ નામે, એક શેઠને ત્યાં પુત્ર હતો, ત્યાર પહેલાં દેવભવમાં હતો. તે દેવલોકનું થોડું વર્ણન યાદ આવે છે. સ્પષ્ટતાને કારણે સાક્ષાત્ જેવું જણાતું હોય તેમ ભાસે છે.
દેવલોકનાં ભોંયતળિયાં રત્નનાં હતાં, લીલા, ગુલાબી આદિ રંગોનાં હતા; ભીંતો રત્નની હતી; કમાન વાળેલા દરવાજા હતા, તેમાં પચરંગી રત્નો હતાં; રત્નોના પ્રકાશથી સર્વ પ્રકાશમય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૭૧
હતું દેવલોકના બાગબગીચા, મહેલો સર્વ રત્નમય હતું. બાગબગીચા બધું રત્નોનું હોવા છતાં ફરતાં હતાં. દરેક મહેલોમાં જુદા જુદા રંગનાં અને જુદી ાદી જાતનાં રત્નો હતાં; દેવલોકમાં ફરવાનાં સ્થાન જુદાં રત્નમય હતાં; બેસવાનાં સ્થાન, આસનો બધાં જાદાં હતાં; જ્યાં દેવો નાટક દેખાડે તે સ્થાન દાં; દેવોને પહેરવાનાં, અનેક પ્રકારનાં રત્નોનાં વસ્ત્રાભરણના પટારા મહેલોમાં હતા.
શોભીતાં જિનાલયો હતાં; કમાન વાળેલા, સ્ફટિક જેવા સફેદ રત્નનાં મોટાં ઊંચાં દ્વારો જિનાલયોમાં હતાં. દેવલોકમાં જિનાલયમાં પૂજા વગેરે દેવો કરતા હતા, શાશ્વતાં પુસ્તકો રત્નમય હતાં; પૂઠાં રત્નનાં, અક્ષરો રત્નના હતા. દેવલોકની સર્વ ચીજ રત્નમય હતી. વ્યવહારે તે સ્વર્ગપુરી આશ્ચર્યકારી છે.
શોભીતાં જિનાલયો, તેમાં સમવસરણ હતાં; નદી, તળાવ, મોટાં મોટાં ચળકતાં રત્નના ગઢો, ભગવાનનું સિંહાસન, જિનાલયનાં શિખરો મોટાં મોટાં, અનેક કારીગરીથી ભરેલાં, રત્નોનાં, વર્ણવી ન શકાય એવાં હતાં- જાદુભરી સમવસરણરચના હતી. જે રચના હતી તેમાંથી બધું યાદ આવતું નથી, થોડું ઉ૫૨ પ્રમાણે યાદ આવે છે; તેની સાથે સ્પષ્ટતાને કારણે નિઃશંકતા બહુ આવે છે.
આ રહી રત્નમય દીવાલ, આ રહ્યાં રત્નમય જિનાલયો, આ રહ્યાં જુદાં જાદાં મહેલનાં સ્થાનો, આ રહ્યાં ફરવાનાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
બાગબગીચા વગેરેનાં-સ્થાનો, આ રહ્યા જુદા જુદા મહેલો, એમ સ્પષ્ટપણે સાક્ષાત્ જેવું જણાય છે; પરંતુ બધાં કેવાં રત્નનાં, કેવી કારીગરીવાળાં છે તેમ તેનો વિસ્તાર જણાતો નથી; બધું રત્નનું છે તેમ જણાય છે, પણ વિસ્તાર જણાતો નથી.
દેવલોક અદભુત પ્રકાશમય,-સફેદ રત્ન, લાલ રત્ન, ગુલાબી રત્ન-અનેક પ્રકારનાં રત્નોમય યાદ આવે છે.
દેવલોકમાંથી અમે બધા દેવો ભગવાનના જન્માભિષેક માટે મેરુપર્વત પર ગયા હોઈએ તે કારણથી અથવા કોઈ પણ કારણથી મેરુપર્વત થોડો થોડો યાદ આવે છે, વિશેષપણે યાદ આવતો નથી.
દ્વીપ-સમુદ્ર પણ થોડા થોડા યાદ આવે છે. તે સ્પષ્ટતાને કારણે સાક્ષાત્ કેમ જણાતું હોય તેમ ભાસે છે.
આ રહ્યો સમુદ્ર, આ રહ્યા પર્વતો, આ રહ્યો દ્વીપ, આ રહી ચક્રવર્તીની નગરી વગેરે નગરીઓ; છે તેમ જણાય છે, પણ તેનો વિસ્તાર જણાતો નથી કોઈ પર્વત રૂપાનો, કોઈ રત્નનો છે;–આ રહ્યો રૂપાનો, આ રહ્યો રત્નનો તેમ જણાય છે, પણ તેનો વિસ્તાર જણાતો નથી. આ રહ્યો સમુદ્ર વગેરે તેમ જણાય છે પણ વિસ્તાર જણાતો નથી.
ભગવાનની ધ્વનિમાં આ જીવે પૂર્વે દેવાભાઈના ભવમાં ભવ વગેરેનું વર્ણન સાંભળેલું હોય અથવા દેવલોકમાં, મેરુપર્વત જે જે જોયેલું હોય તે યાદ આવતું હોય અને સ્પષ્ટતાને કારણે યાદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૭૩
આવતું હોય એમ દરેક કારણ હોય, પણ જણાય છે તે યથાર્થ છે.
૨૦૧૪ કારતક વદ દશમમેરુનાં જિનાલયો, મેરુનાં વનો અદ્દભુત હતાં. મેરુ પર્વત ચળકતો, શોભીતો અને વિશાળ હતો. મેરુપર્વતનાં જિનાલયોમાં લાલ રત્નનાં શિખરો હતાં, ગુલાબી રત્નના શિખરો હતાં, જાંબુડા (રંગ જેવા) રત્નનાં શિખરો હતાં-વિવિધ રંગનાં શિખરો હતાં, શીખરોમાં અનેક પ્રકારની કારીગરી હતી. નવા નવા રંગનાં રત્નજડિત મંદિરો હતાં. સફેદ રત્નનાં પ્રતિમા, લાલ રત્નના પ્રતિમા, ગુલાબી રત્નનાં પ્રતિમા, લીલાં રત્નની પ્રતિમા, જાંબુડાં રત્નનાં પ્રતિમા હતાં. અનેક પ્રકારના રંગના પ્રતિમા ખ્યાલમાં આવે છે, તેની સાથે પ્રતિમાજીનાં દર્શન કેમ થતાં હોય તેમ લાગે છે. આ રહ્યાં પ્રતિમાજી, આ રહ્યાં જિનાલયો, તેમ જણાય છે. પરંતુ તેનું માપ કેવડું છે તે યાદ આવતું નથી, મોટાં છે તેટલું યાદ આવે છે. પરંતુ વિશેષ વિસ્તાર યાદ આવતો નથી. કોઈ પણ કારણે આ યાદ આવે છે તે યથાર્થ છે.
સ્પષ્ટતાને કારણે સીમંધર ભગવાનના સાક્ષાત્ જેવાં દર્શન કેમ થતાં હોય તેમ લાગે છે, આ રહ્યા સીમંધર ભગવાન તેમ લાગે છે; ભગવાનનો, ક્ષણભર વિરહ ભુલાઈ જતો હોય તેમ લાગે છે, દિલ ઊલસી જાય છે, મહિમા બહુ આવે છે; ભગવાનની મુદ્રાનું સ્પષ્ટીકરણ કરતાં આવડતું નથી, અભુતતા ભાસે છે.
૨૦૧૪, માગશર સુદ એકમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७४
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
મેરુનાં શાશ્વતાં પ્રતિમા પ્રકાશમય રત્નનાં હતાં. મેરુપર્વતના જિનાલયમાં બધું રત્નમય હોવા છતાં ઝાડ-પાન ફરકી રહ્યાં છે, સમોસરણમાં પણ વનસ્પતિ નહિ હોવા છતાં ઝાડ-પાન ફરકી રહ્યાં છે. શાશ્વતાં જિનાલયોનાં શિખરોની પંક્તિ અદ્દભુત હતી, રંગરંગના પ્રકાશવાળાં શિખરો અદ્દભુત હતાં.
એક ડુંગર ઉપર સીમંધર ભગવાનનું સમોસરણ હતું; સમોસરણમાં ભગવાન કમળ વગેરેમાં બિરાજમાન હતા. કમળ વગેરેમાં ભગવાન એવા સુંદર લાગતા હતા! વગેરે યાદ આવતાં દિલ ઊલસી જાય છે.
ભગવાનના, જિનાલયના, જિનપ્રતિમાના અમુક પ્રકારે સ્પષ્ટ દર્શન થતાં મહિમા બહુ આવે છે, અદભુતતા ભાસે છે. આ બધાંનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
૨૦૧૪, કારતક વદ ૧૧સીમંધર ભગવાન પાસેથી ભવિષ્યની કેટલીક વાત સાંભળેલી તેમાંથી કેટલીક વાત યાદ આવે છે, અને કેટલીક બીજા કોઈ કારણથી એટલે કે જ્ઞાનની સ્પષ્ટતાથી યાદ આવતી હોય, પણ યાદ આવે છે તે યથાર્થ છે.
પરમ કૃપાળુ પૂજ્ય મહાન ગુરુદેવ આ ભવમાં છે, ત્યાંથી દેવલોકે જશે; ત્યાંથી કોઈ ક્ષેત્રની જમીન સુંદર અને હરિયાળી હશે, ત્યાં કોઈ ધર્મધુરંધર એવા તીર્થકર રાજાને ઘેર તેમના પુત્રપણે પરમ કૃપાળુ કહાનગુરુદેવનો જન્મ થશે. એક સુંદર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૭૫
મહેલમાં માતા સૂતાં હશે, તેમને શુભ સ્વપ્નાં આવશે, ત્યાં કહાનગુરુદેવનો જન્મ થશે.
તે તીર્થકર ભગવાનનું નામ “સુજય ” અથવા “જય ' હશે; પાછળ લાબું નામ છે પરંતુ યાદ આવતું નથી. પૂજ્ય ગુરુદેવ તે ભવમાં આબેહૂબ મુનિપણું પાળીને દેવલોકમાં અહમિન્દ્ર થશે, અને અમારા બંનેના આત્માને મનુષ્યમાં અને દેવમાં પૂ. ગુરુદેવનો સાથ રહેશે; ત્યાંથી ધાતકીખંડદ્વીપમાં પરમ કૃપાળુ કહાન ગુરુદેવ તીર્થકરપણે જન્મશે, અને આ આત્મા એટલે કે દેવાભાઈનો આત્મા તેમના ગણધર તથા પુત્રપણે જન્મશે અને શાન્તાબેનનો આત્મા એટલે કે લાભભાઈનો આત્મા તેમના ગણધર તથા પુત્રપણે જન્મશે.
અહીંથી પૂ. કહાનગુરુદેવ દેવલોકે જશે, ત્યાંથી તીર્થંકર ભગવાનને ઘેર જન્મશે અને આ આત્મા એટલે કે દેવાભાઈનો આત્મા અને લાભભાઈનો આત્મા તેમના કુટુંબી તરીકે જન્મશું. પૂ. ગુરુદેવ ત્યાંથી મુનિપણું પાળીને ઊંચા દેવલોકમાં જશે, ત્યાંથી પરમકૃપાળુ કહાનગુરુદેવ ધાતકીખંડ દ્વીપમાં તીર્થંકરપણે જન્મશે એટલે કે સૂર્યકીર્તિસ્વામી નામે તીર્થકર ભગવાન થશે. આ વાત મહાવિદેહક્ષેત્રમાં, સમવસરણમાં સીમંધરભગવાન વગેરે પાસેથી સાંભળેલી છે એમ સ્પષ્ટપણે યાદ આવે છે, નિઃશંકતા બહુ આવે
છે.
આ બધો પ્રતાપ ગુરુદેવનો જ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
W
ભાવી તીર્થકર ભગવાન પર કૃપાળુ કહાન ગુરુદેવનાં ચરણકમળોમાં વારંવાર પરમભક્તિથી
નમસ્કાર હે ગુરુદેવ! આપનાં ચરણે હું શું ધરું? બધો પ્રતાપ આપનો જ છે, આ પામર સેવક ઉપર આપે અપાર ઉપકાર કર્યો
દિવ્ય જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યનો ચમત્કાર પ્રગટાવનાર અને પ્રકાશનાર, દિવ્ય અમૃત વરસાવનાર
ગુરુદેવનાં ચરણકમળમાં
વારંવાર નમસ્કાર (આ વિષે અંદર રહેવાની ભાવના છે.) પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનમાં ઉપયોગની સહજ એકાગ્રતા થતાં આ ધારાની શરૂઆત થઈ તે પરમ ઉપકારી
ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર નમસ્કાર. પરમ ઉપકારી શ્રુતસમુદ્ર ભારતના અજોડ રત્ન પરમ મહિમાવંત ગુરુદેવને પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર ૨૦૧૮, અષાડ સુદમાં લખાયેલ
૨૦૧૮, જેઠ સુદ તેરશથી માંડીને જેઠ વદ એકમ સુધીમાં પરમ કૃપાળુ ગુરુદેવના પરમ પ્રતાપથી કેટલીક વાત ઉપયોગની સહજ એકાગ્રતા થતાં જાણવામાં આવી, સ્મરણમાં આવી, જોવામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
આવી તે પરમ ઉપકારી (કહાન ) ગુરુદેવનાં ચરણોમાં વારંવાર
નમસ્કાર
૭૭
ઉલ્લાસ આવવાથી આ બધું લખાઈ જાય છે.
આ મધ્યલોકમાં દેવોનાં નગર છે, તે એવી રીતે જણાય છે કે આ રહ્યાં દેવોનાં નગ૨, આ રહ્યા પર્વતો, આ રહ્યાં વનો-તેમાં કોઈ ચાંદી જેવા ચળકતા, કોઈ લીલા રત્ન જેવા ચળકતા પહાડો નજરે પડે છે; એનો વિશેષ વિસ્તાર જણાતો નથી. દેવોના મહેલો દિવ્યતાવાળા છે; તે મહેલો વનમાં, પર્વત ઉપર, નદી પાસે-મધ્ય લોકમાં ઠેર ઠેર દેવોના મહેલો છે, અનેક જાતનાં રત્નોવાળા સુશોભિત છે, અનેક જાતના દિવ્ય પ્રકાશમય છે; રત્ન જડિત રસ્તાઓ છે, રત્નોથી સુશોભિત દેવોને ફરવાનાં સ્થાનો છે;દેવોનાં નગ૨ અદ્દભુત છે. આ રહ્યાં દેવોનાં નગર તેમ જણાય છે. લીલા, સફેદ, રાતા વગેરે રંગરંગના મોટા સુશોભિત મહેલો છે. દિવ્ય વૈભવવાળાં જિનમંદિરો જોવામાં આવે છે, તે દિવ્ય પ્રકાશમય રત્નોથી સુશોભિત છે. મહિમા બહુ આવે છે.
ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અસ્તિ જણાય છે. આ રહ્યાં ભિન્ન ભિન્ન ક્ષેત્રો, તેમ જણાય છે પરંતુ તેનો વિસ્તાર જણાતો નથી. રત્નજડિત મોટા મોટા દરવાજાઓ ખંડોમાં છે તેમ જણાય છે.
આ બધું–દેવોનાં નગરની અસ્તિ, જુદા જુદા ખંડોની અસ્તિ, રંગબેરંગી મહેલો, જિનમંદિરોની દિવ્યતા વગેરે-પ્રત્યક્ષની જેમ જણાય છે. તેનો આ વિસ્તાર પૂર્વે જોયેલું, સાંભળેલું હોય તેમાંથી યાદ આવે છે, અને જ્ઞાનની નિર્મળતાને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७८
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
કારણે પ્રત્યક્ષની જેમ જણાય છે. જે જણાય છે તે નિ:સંશય છે. ઉપયોગની એકાગ્રતા થતાં નરકની અસ્તિ, નરકની પૃથ્વી નજરે પડે છે. નરકની ભૂમિ જોવા ઉ૫૨ ઉપયોગ સહજ ચાલ્યો જાય છે.
નરકની ભૂમિ ઉ૫૨ અશુચિનો કાદવ છે, તે કાદવ દુર્ગંધથી ભરેલો છે; લોહી, માંસ, હાડકાં જેવાં પરિણમનથી પરિણમેલી ભૂમિમાં સડેલો દુર્ગંધમય કાદવ છે; તેવી દુર્ગંધમય ભૂમિમાં નારકી જીવો રહે છે, તેવા સડેલા કાદવમાં નારકી જીવો જીવનપર્યંત રહે છે; નરકમાં અગ્નિના મોટા મોટા ભડકાઓ છે, જેની ઉષ્ણતા કય ાંય સુધી ચાલી જાય છે. નરકની પૃથ્વી અતિ ઉગ્ર ઉષ્ણતારૂપે પરિણમેલી છે, મોટી અગ્નિની ભઠ્ઠીઓ બળે છે; લોહી વગેરે જેવા અશુચિના ભરેલા કુંડ છે, તે કુંડ ચમારના ઘર કરતાં વિશેષ દુર્ગંધમય છે.
ભાલાં, બરછી, ચાકાં, તરવાર આદિ શસ્ત્રોરૂપે પરિણમેલાં સ્થાનો છે. એવાં શસ્ત્રોથી ભરેલી ભૂમિ છે.
કયાંય સુધી જેની ઠંડી જાય એવા, દુર્ગંધયુક્ત, બરફ જેવા ઠંડા પહાડો છે, વિષ્ટા આદિનાં સ્થાનો કરતાં અધિક દુર્ગંધમય છે; તે પહાડો બરછી, ભાલાં વગેરે શસ્ત્રો જેવાં પરિણમનથી પરિણમેલા છે.
નરકની અશુચિમય કાદવ બીજા જીવોથી સહી ન શકાય તેવી અતિ ઉગ્ર દુર્ગંધમાં નારકી જીવો રહે છે; અતિશય પ્રતિકૂળતાના પ્રકારોમાં, અનેક શસ્ત્રોરૂપે પરિણમેલાં સ્થાનોમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૭૯
નારકી જીવો રહે છે; અતિશય દુ:ખમાં જીવન જીવે છે; નારકી જીવો અરસપરસ લડતા હોય છે, કયાંય તેમને શાંતિનું સ્થાન નથી. આવી અગ્નિ, દુર્ગંધ અને શસ્ત્રોથી ભરપુર સ્થાનોમાં નારકી જીવો નિરંતર દુઃખી હોય છે, વિલાપ કરે છે, રુદન કરે છે. સુખની ઈચ્છાએ તે જ્યાં જાય ત્યાં દુઃખી થાય છે.
આ વાત જોવામાં આવતાં, જાણવામાં આવતાં દયા આવે છે, કરુણા આવે છે, વૈરાગ્ય આવે છે; આ બધું પ્રત્યક્ષ નજરે જોતી હોઉં તેવી રીતે જણાય છે.
નરકની અશુચિમય પૃથ્વી કોઈ પ્રકારની જ્ઞાનની નિર્મળતાને કારણે પ્રત્યક્ષની જેમ જણાય છે.
આ વાત પૂર્વે દેવભવે જોયેલી હોય, તેમાંથી યાદ આવતી હોય. નરકની અશુચિમય પૃથ્વી, નરકની અતિશય પ્રતિકૂળતા તે પ્રત્યક્ષની જેમ જણાય છે; જે જણાય છે તે નિઃસંશય છે.
મેરુપર્વતમાં મોટાં સમવસરણ છે, મોટાં મોટાં ચળકતાં રત્નનાં પાંદડાની વનભૂમિ છે, મોટાં પ્રતિમાઓ છે, રંગરંગનાં, ઝગઝગાટ કરતાં હોય તેવાં જોવામાં આવે છે. ગુલાબી રત્નનાં, પીળાં રત્નનાં, જાંબલી રત્નનાં, સફેદ રત્નનાં-વિવિધ રત્નનાં, જિનેન્દ્ર ભગવાનનાં પ્રતિમાઓ છે તેમ જણાય છે, મોટાં મંદિરો છે, મંદિરોમાં અનેક જાતનાં શિખરોની પંક્તિ છે. વિવિધ રંગનાં રત્ન જડિત, સુવર્ણે જડિત શિખરો છે; રાતાં, ગુલાબી, સફેદ રત્ન જડિત અનેક જાતનાં શિખરો છે. વિવિધ રત્ન જડિત અનેક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८०
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જાતનાં શિખરો ઝગઝગાટ કરતાં નજરે પડે છે. તીર્થંકર ભગવાનનાં મંદિરો દેખી હૃદય નમી પડે છે, ઉલ્લાસ આવે છે, બહુમાન આવે છે.
મેરુપર્વત વગે૨ે વારંવાર લક્ષમાં નિઃશંકપણે આવ્યા કરે છે તેથી લખાઈ જાય છે.
વૈમાનિક દેવોનાં વિમાન ઉપ૨ છે તે બહુ દિવ્યતાવાળાં, મોટાં, વિશાળ અને જીવોને આશ્ચર્યકારી છે. અનેક રત્ન જડિત મોટા મોટા કમાનવાળેલા મહેલો છે, તેમાં રત્ન જડિત પ્રકાશમાન મોટા થંભ છે. વિવિધ રંગનાં રત્નોના મહેલો અદ્દભુત દિવ્યતાવાળા પ્રકાશમાન છે, ત્યાં ફળફૂલ રત્નોનાં છે. રત્નોનાં ફળોથી દેવો ભગવાનની પૂજા કરે છે. જ્યાં રત્નોનાં પાંદડાં અને રત્નોનાં ફળોથી ભરેલાં વનો છે, અદ્ભુત જિનમંદિરો છે, સ્ફટિક રત્નનાં અને વિવિધ રત્નોથી ભરપૂર જિનમંદિરો છે, આશ્ચર્યકારી જિનપ્રતિમાઓ છે, જેની શોભા અદ્દભુત છે.
આ બધું પ્રત્યક્ષની જેમ જણાય છે, વિશેષ ભાષામાં કહી શકાય તેવો વિસ્તાર જણાતો નથી. દેવોની વિભૂતિ આશ્ચર્યકારી અને દિવ્યતા ભરી વ્યવહારે છે.
આમાંથી આ વાત પૂર્વે દેવભવમાં જોયેલી હોય તેને કારણે યાદ આવે છે; અને જ્ઞાનની નિર્મળતાને કારણે પ્રત્યક્ષની જેમ જણાય છે. આ રહ્યા મેરુપર્વતનાં જિનમંદિરો, આ રહ્યા વૈમાનિક દેવોના મહેલો, આ રહી નરકની અશુચિમય પૃથ્વી, આ રહ્યાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
મધ્ય લોકના દેવોનાં નગર, એમ નિઃશંકપણે પ્રત્યક્ષની જેમ જણાય છે. દેવભવમાંથી કેટલીક વાત યાદ આવે છે તેની સાથે આ બધાં સ્થાનો પણ પ્રત્યક્ષની જેમ નજરે પડે છે; અને જિનમંદિરો દેખી બહુ મહિમા આવે છે અને ઉપયોગની એકાગ્રતા થતાં ઉપયોગ વારંવાર ત્યાં જાય છે. આ બધી વાતનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
આ સર્વ, ગુરુદેવનો પરમ પ્રતાપ છે.
૨૦૧૮, અષાડ સુદ બીજી પાંચમે આવેલું
ભગવાનનું સમોસરણ વારંવાર યાદ આવે છે. મોટાં મોટાં રત્નનાં પાંદડાંની વનભૂમિ, મોટો શ્રીમંડપ (જેનાં રત્નોની પ્રભા ચારે બાજુ પડી રહી છે એવો મંડપ), મોટા ગગને અડતા માનસ્તંભો યાદ આવે છે. વિવિધ વસ્તુઓથી અનોખો શણગારેલો માનસ્તંભ દિવ્ય અને આશ્ચર્યકારી છે. તેનો વિસ્તાર વિશેષ યાદ આવતો નથી. (અનેક પ્રકારની દેવતાઈ વસ્તુઓના પ્રદર્શનથી ભરપુર સમોસરણ હતું. વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.)
ભગવાનની વાણી જાણે સમુદ્ર ઊછળતો હોય તેવી પરમ અદ્દભુત લાગે છે. ભગવાનની વાણીમાં ભેદજ્ઞાનની વાત વારંવાર આવતી હતી તેમ યાદ આવે છે. જે સાંભળીને બીજા જીવો ભવપાર થઈ જાય એવી, પરમ રહસ્યથી ભરેલી ભગવાનની વાણી છે. વિશેષ સંધિપૂર્વક ભગવાનની વાણી યાદ આવતી નથી. ભગવાનની વાણી અનંત પડખાંઓથી ભરપૂર હોય છે; પરંતુ આ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જીવના પૂર્વભવમાં-દેવાભાઈના ભવમાં જે ગ્રહણ થયું હોય તે યાદ આવે છે. પૂર્વભવે એટલે કે આ ભવ પહેલાં (કહાન) ગુરુદેવનો આત્મા ફતેહમંદ રાજકુમાર-પણે હતા અને શાન્તાબેનનો આત્મા લાભભાઈ –પણે હતા અને હું એટલે કે આ આત્મા દેવાભાઈ–પણે હતો ત્યાં સીમંધર ભગવાનના સમોસરણમાં જવાથી તે વખતે ભગવાનની વાણીમાંથી જે ગ્રહણ થયું હોય તે યાદ આવે છે.
આત્મામાં અનંત ગુણપર્યાય ઊછળે છે; ચૈતન્ય ગુણરત્નાકર છે; આત્મામાં અનંત સૂક્ષ્મ ભાવાંશો છે અને સૂક્ષ્મ અનંત રસાંશો ઊપજે છે; વગેરે વાત અનંત ગહનતા ભરેલી આવતી હતી.
જ્ઞાનગુણની અનંત પર્યાયોની પ્રગટતા, જીવ અસ્તિ છે, પુદ્ગલ અતિ છે, આત્મા સુધાનો સાગર છે, સુધાનો પ્રવાહ વહે છે, વગેરે અનંત પડખાંઓથી ભરપૂર, ગહન રહસ્યથી ભરપૂર, જાણે સમુદ્ર ઊછળતો હોય તેવી રીતે ભગવાનની વાણી છૂટતી
હતી.
ભગવાનની વાણી શાંતરસથી ભરપૂર, મીઠીમધુરી, અમૃતરસ જેવી, મીઠો મેઘ ગાજતો હોય તેવી ગંભીર, થોડી વારમાં ચૌદ બ્રહ્માંડનું સ્વરૂપ કહેનારી અદ્ભુત છે. સૂક્ષ્મ રહસ્યથી ભરપૂર, ઊંડી ઊંડી વાત કહેનારી, ચારે તરફથી શીઘ્ર પહોંચી વળનારી, સમુદ્ર ગાજતો હોય અને સમુદ્રમાં તરંગો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
ઊછળતાં હોય તેવી અદભુત છે. સાંભળનારને જલદી ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય તેવી છે.
સીમંધર ભગવાનની વાણીની શું મહિમા થાય! આ તો ઉલ્લાસ આવતાં લખાઈ જાય છે. અગણિત અનંત સ્વભાવો અને અગણિત અનેક અનેરા વાચકોથી ભરપૂર, અનંત ગંભીરતાથી ભરેલી વાણીની શું વાત થાય ! ભગવાનની વાણી એકાક્ષરી હોવા છતાં અનંત પડખાંઓથી ભરપૂર હોય છે.
સમવસરણમાં સીમંધર ભગવાનનાં દર્શન થતાં બહુ ઉલ્લાસ આવે છે, વંદન થઈ જાય છે.
ગણધરદેવ અને મુનિરાજો યાદ આવે છે ને હૃદય નમી પડ
દેવલોકમાં રત્ન જડિત શાથતાં શાસ્ત્રો છે, જેમાં રત્ન જડિત અક્ષરો છે. મોટાં મોટાં રત્ન જડિત શાસ્ત્રો છે, તેમાં ચૌદે બહ્માંડના સ્વરૂપનું વર્ણન છે. જેમાં
સત સોહામણું અખંડ વિશ્વ, સ્વાધીન સુખકારી તત્ત્વ, સમ્યકરૂપે પરિણમેલી દષ્ટિ, દ્રવ્યનું સામર્થ્ય, ગુણસાગર ચૈતન્ય આત્મા, આનંદસ્વરૂપી આત્મા, ચૈતન્યસૂર્યનો પ્રકાશ, -વગેરે વાતોનું સ્વરૂપ રહસ્યથી ભરપૂર વિસ્તારથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
ભરેલું છે તેમ યાદ આવે છે.
ભગવાનની વાણીમાં ભવાંતરની વાત આવેલી. તેથી (કહાન) ગુરુદેવનો આત્મા પૂર્વભવે રાજકુમાર હતા વગેરે ગયાકાળના દિવ્યતાવાળા ભવો અને આવતા કાળના દિવ્ય ભવોની વાતો વારંવાર યાદ આવ્યા કરે છે; અને ભવિષ્ય તીર્થકર થવાના છે તે વાત વારંવાર યાદ આવે છે અને મહિમા બહુ આવે છે. મહાન આત્મા (કહાન) ગુરુદેવનાં ચરણોમાં
વારંવાર નમસ્કાર આ બધો ગુરુદેવનો પરમ પ્રતાપ છે; આ બધું આપનું છે. પરમ આશ્ચર્યકારી, શ્રુતસમુદ્ર, ભાવીના ભગવાન ગુરુદેવનાં ચરણકમળમાં પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર.
ગુરુદેવના વ્યાખ્યાનમાં ઉપયોગની એકાગ્રતા સહજ થતાં આ ધારાની શરૂઆત થઈ તે પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણોમાં વારંવાર નમસ્કાર.
આ બધો, પરમ પ્રતાપી એવા ગુરુદેવનો જ પ્રતાપ છે. અદ્દભુત આત્મા એવા કાન ગુરુદેવનાં ચરણકમળમાં
વારંવાર નમસ્કાર
* *
૨૦૧૯, માહ માસઆ જાતની ધૂન ઘણા મહિનાઓ સુધી રહ્યા કરતી હતી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
અને જિનમંદિરો વગેરેનાં દર્શનથી આશ્ચર્ય થતું હતું, અહા ! કુદરતનું આવું સ્વરૂપ છે! એમ વારંવાર આશ્ચર્ય થયા કરતું હતું.
અચિંત્ય આત્મા કહાન ગુરુદેવના મહિમાવંત ભવો વારંવાર યાદ આવ્યા કરે છે, ને પરમ મહિમાવંત કૃપાળુ ગુરુદેવનાં ચરણોમાં હૃદય ભક્તિથી નમી પડે છે.
શુદ્ધાત્મદ્રવ્યની તેમ જ શુદ્ધ પરિણતિની મુખ્યતા, મહિમા અને શ્રુતચિંતવનની મહિમા લાગવાથી શ્રુતચિંતવન તરફ ઉપયોગનું વલણ રહ્યા કરે અને શુદ્ધાત્મ દેવ મુખ્ય રહીને શુદ્ધ પરિણતિ તરફ પુરુષાર્થની ગતિ, પરિણમનની ગતિ સહજ રહ્યા કરે, તો પણ સહજપણે ઉપયોગની એકાગ્રતા થતાં ઉપયોગ ભવાંતર જોવા તરફ, જાણવા તરફ, મેરુપર્વત, દેવલોક વગેરે જોવા તરફ, જાણવા તરફ ચાલ્યો જાય છે અને શાશ્વતાં જિનાલયોનાં દર્શન થતાં મહિમા બહુ આવે છે.
આ બધો પ્રતાપ શ્રી કૃપાળુ ગુરુદેવનો જ છે.
અપૂર્વ ગુણધારી પૂ. ગુરુદેવનાં ચરણોમાં વારંવાર નમસ્કાર. પરમાગમશાસ્ત્રોના પ્રકાશનાર, અનુપમ શ્રતધારી, જેમની વાણી સુણતાં ચૈતન્યશ્રુત ખૂલે એવા ગુરુદેવની શું મહિમા થાય! જેમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર, અષ્ટપાહુડ વગેરે શાસ્ત્રો તથા ધવલ, જયધવલ મહાધવલ વગેરે શાસ્ત્રોની મહિમા પ્રકાશી, તે શાસ્ત્રોની સૂક્ષ્મતાને પ્રકાશનાર, કેવળજ્ઞાન સ્વભાવની સૂક્ષ્મતાનું જ્ઞાન કરાવનાર, જ્ઞાયક દ્રવ્યની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
મહિમા પ્રકાશનાર, તેનું ગહન સ્વરૂપ બતાવનાર, મુક્તિ માર્ગને બતાવનાર એવા કહાન ગુરુદેવના ગુણોનું શું વર્ણન થાય !
સમયસાર, પ્રવચનસાર વગેરે સર્વ શાસ્ત્રોનું ગહન રહસ્ય પ્રકાશક, ઊંડા અર્થો ઉકેલનાર, ચૈતન્યદ્રવ્યની અનુપમ મહિમાનું ભાન કરાવનાર, સમ્યક્ માર્ગે દોરનાર, જેમના મુખકમળથી અમૃતધારા વરસે છે, જેમના ચૈતન્યના પ્રદેશે પ્રદેશે શ્રુતજ્ઞાનના દીપક પ્રકાશી રહ્યા છે, શ્રુતની પર્યાયો પ્રગટી રહી છે, જેઓ શ્રુતરસમાં તરબોળ છે,-એવા જ્ઞાનાવતારી મહિમાવંત દિવ્યમૂર્તિ કહાનગુરુદેવ આ ભારતમાં અજોડ છે. તે દિવ્યમૂર્તિના દર્શનથી, જેમની શ્રુતધારાના દર્શનથી-શ્રવણથી ચૈતન્યમાં સુખાદિ નિધિ પ્રગટે એવા ગુરુદેવનાં ચરણકમળમાં હૃદય વારંવાર નમી પડે છે, અંતર ઊલસી પડે છે.
પરમ કૃપાળુ ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર પરમ ભક્તિથી વંદન હો.
૨૦૧૮, જેઠ સુદ સાતમે એમ સ્વપ્ન આવ્યું હતું કે
પૂ. ગુરુદેવની વાણીનો અનુપમેય સૌષ્ઠવ ઝરો અને ભાગ્યનો કાળ.
આ સ્વપ્ન સવારે સવા પાંચ વાગ્યે આવેલું.
**
૨૦૨૨, ફાગણમાં લખાયેલ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
સાતિશય જ્ઞાનધારી પરમ પ્રતાપી કહાન ગુરુદેવને
પરમ ભક્તિથી નમસ્કાર ૨૦૨૨, ફાગણ સુદ પાંચમથી આઠ-દસ દિવસ સુધી લગભગ, ગુરુદેવના વ્યાખ્યાનમાં ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય છે.
પૂર્વભવ વારંવાર યાદ આવ્યા કરે છે.
એ રત્નોમય અદ્ભુત દેવલોક, ગુરુદેવના પ્રતાપી ભવોની વારંવાર સ્પષ્ટતા, સમવસરણનું વારંવાર યાદ આવવું; એ તળાવ, રત્નમય રસ્તા, દરવાજા, મંદિરો, સમવસરણ વગેરે બહુ યાદ આવે છે. વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
ત્યાંનાં-મહાવિદેહક્ષેત્રનાં-દેવાભાઈનાં (અમારા) મોટા મહેલ જેવાં ઘરો યાદ આવે છે. ગાય ભેંસ વગેરે ઘેર હતાં. અમારું ત્યાં કુટુંબ હતું. માતા, પિતા, કાકા વગેરે કુટુંબ યાદ આવે છે. બાગબગીચાથી શોભાયમાન ઘર હતાં; (દેવાભાઈના ) અમારા ઘરની સમીપ રત્નસ્થંભથી શોભિત જિનમંદિર હતું, ત્યાં અમે પૂજા કરવા જતા હતા. અમારે ઘેર અનેક જાતનાં શુદ્ધ ભોજન થતાં હતાં, કોઈ કોઈ વાર મુનિરાજ પધારતા હતા. રાજભવનની નજીક અમારાં ઘર હતાં.
- ફતેહમંદ રાજકુમાર વારંવાર યાદ આવે છે. અમારા ઘરની સામે એક જૈનંદ અથવા જયંદ નામના ધાર્મિક ગુણોવાળા ભાઈ રહેતા હતા તે ભાઈ જેવા સંબંધવાળા હતા તે પણ યાદ આવે છે. રત્નનું જિનમંદિર, મુનિરાજ વગેરે યાદ આવતાં ચિત્તમાં ખેદ થાય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #101
--------------------------------------------------------------------------
________________
८८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
છે. વિશેષ વિસ્તાર જણાતો નથી.
આ બધી વાત વધારે સ્પષ્ટપણે યાદ આવતાં ચિત્તમાં દુઃખ થાય છે, કે ક્યાં એ ક્ષેત્ર! ક્યાં એ નગર! ક્યાં એ ભગવાનનાં દર્શન ! વાણી! વગેરે યાદ આવતાં ખેદ થાય છે. કેટલીક વાર એકાગ્રતા થતાં આ ક્ષેત્ર ભૂલી જવાય છે, ને ત્યાં જ હોઉં એમ થઈ આવે છે.
તે નગરના રસ્તા, મકાનો વગેરે યાદ આવે છે; સીમંધર ભગવાનનો સુયોગ વારંવાર યાદ આવે છે. અરેરે! જીવ પોતાના જ પરિણામથી ક્યાંથી ક્યાં આવે છે.
રત્નમય દેવલોક, જિનમંદિર, ભગવાનનું અદ્દભુત સમવસરણ, નરકનું દુઃખ વગેરે વારંવાર જણાતાં વૈરાગ્ય આવે
છે.
ભગવાનનાં દર્શન, મુનિરાજનાં દર્શન, ભગવાનની મધુરી અદ્ભુત વાણી-ચૈતન્યના અનંત ગુણોને કહેનારી-તે બધી વાતો વારંવાર યાદ આવતાં દુઃખ થાય છે.
સીમંધર ભગવાનની વાણી દ્રવ્યોના સામાન્ય અને વિશેષ સ્વભાવોને પ્રકાશનારી, અનંત રહસ્યોથી ભરપૂર હતી તેમ યાદ આવે છે, પરંતુ તેનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી. આ બધી વાતનો વિશેષ વિસ્તાર જણાતો નથી, અંતરમાં ભાવના ઘોળાતી હોવાથી લખાઈ જાય છે.
પરમકૃપાળુ કહાન ગુરુદેવનો આ પંચમ કાળમાં અદ્વિતીય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
૮૯
અવતાર છે, જેમનાં દર્શન અને અમૃતમય વાણી ભગવાનના વિરહને ભુલાવે એવી છે, જેમની વાણીની અનુપમ ધારા ચૈતન્યને પલટાવે એવી અદભુત છે. અહો! એવા પરમ ઉપકારી કહાનગુરુદેવનો શું મહિમા થાય! પરમ કૃપાળુ ગુરુદેવનાં ચરણોમાં પરમ ભક્તિથી નમસ્કાર.
* * ૨૦૨૩, આસો માસ શ્રુતસમુદ્ર પરમ ઉપકારી ગુરુદેવને નમસ્કાર મહાવિદેહક્ષેત્ર વારંવાર યાદ આવે છે. એ નવલપુર નગર અને શોભીતો બજારનો દેખાવ યાદ આવે છે. વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
અમારા ઘરની નજીક જિનમંદિર હતું. તે અનેક અનેક રત્નથંભોથી શોભિત જિનમંદિર હતું, તેમાં રત્નોના પ્રકાશમય ભગવાન બિરાજી રહ્યા હતા. હું (દેવાભાઈ ) અને મારી માતા સામગ્રી લઈને પૂજા કરવા જતાં હતાં.
કોઈ પ્રસંગોમાં રાજકુમાર અને નગરજનો સાથે પણ પૂજનનો પ્રસંગ બની આવતો હતો.
આ વાતનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
કોઈ ઉત્સવ પ્રસંગે માતાપિતા અને હું (દેવાભાઈ ) બીજા કોઈ નગરમાં જતા હતાં, ત્યાં ધાર્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યા હતા. એના વિશે વિશેષ યાદ આવતું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯O
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં પધાર્યા હતા, તે પ્રસંગ ઘણી વાર યાદ આવે છે.
મહા સમર્થ કુંદકુંદાચાર્ય દેવનાં ચરણોમાં નમસ્કાર હો, વંદન હો.
આ જીવે દેવાભાઈના ભવમાં જોયેલું છે તે યાદ આવે છે.
સમવસરણમાં સીમંધર ભગવાનની વાણીમાં આવ્યું હતું કે આ રાજકુમાર ભવિષ્ય તીર્થકર થવાના છે તે વાત પણ વારંવાર યાદ આવ્યા કરે છે અને કહાન ગુરુદેવ પ્રત્યે બહુ મહિમા આવે છે ને હૃદય નમી પડે છે.
આશ્ચર્યકારી અને દિવ્યમુદ્રાધારી સીમંધર ભગવાનની મુદ્રાનું શું વર્ણન થાય! ભગવાનની દિવ્ય વાણીના અવાજની મધુરતાનું શું વર્ણન થાય! ત્રિલોકીનાથ સીમંધર ભગવાનનાં ચરણોમાં હૃદય નમી પડે છે.
પરમ મહિમાના ભંડાર જિનેન્દ્ર ભગવાનની શું મહિમા થાય! ભગવાનનાં ચરણકમળોમાં આ દાસના વારંવાર નમસ્કાર.
સમવસરણને, વિદેહક્ષેત્રને ઉપમાયોગ્ય અહીં કોઈ વસ્તુ નથી. મહાવિદેહક્ષેત્રના મહેલો ને મકાનો પણ કેવી રીતે જણાવી શકાય! સમવસરણની વસ્તુને તો ક્યાંથી ઉપમા આપી શકાય! આ ભરતક્ષેત્રમાં કોઈ એવો પ્રકાર નથી કે મહાવિદેહક્ષેત્રની કોઈ પણ વસ્તુને આ ચર્મચક્ષુથી જોઈ શકાય અથવા તુલના કરીને વર્ણવી શકાય.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
અરેરે ! ક્યાં હતા ને કયાં આવ્યા!
જેમણે ભરતક્ષેત્રમાં અમૃતવર્ષા વરસાવી એવા ભાવી તીર્થાધિનાથ કહાનગુરુદેવનાં ચરણકમળોમાં વારંવાર
નમસ્કાર
**
૨૦૨૩, આસો માસઅપૂર્વ-જ્ઞાનધા૨ી ગુરુદેવનાં ચ૨ણકમળોમાં
૯૧
વારંવા૨ નમસ્કાર
પૂર્વભવ સહજપણે યાદ આવ્યા કરે છે. એ મહાવિદેહના નૌવલપુર નગરના રસ્તા, ચોક, વન, નદી, રત્ન, જેવા કિનારાઓથી શોભિત તળાવ વગેરે યાદ આવે છે. મહાવિદેહને
યોગ્ય એ પૂર્વભવનાં ( આ જીવનાં–દેવાભાઈનાં ) ઘર, ઘરના ચોક, ચોક ફરતાં મકાન, વાત્સલ્યયુક્ત માતાપિતા વગે૨ે યાદ આવે છે.
પુણ્યશાળી ફતેહમંદ રાજકુમાર, તેમના મોટા મહેલ વગેરે યાદ આવે છે. (વિશેષ વિસ્તાર જણાતો નથી.)
અનંત ગુણોના નિધાન ચૈતન્યદેવ એવા અનુપમ, દિવ્યમુદ્રાધારી, દિવ્યદેહધારી સીમંધર ભગવાન વારંવાર યાદ આવે છે. તેમનાં અપૂર્વ દર્શન થતાં ઉલ્લાસ બહુ આવે છે.
ભગવાનનો અહીં વિરહ હોવાથી ખેદ પણ થાય છે. સ્વરૂપપરિણતિ સહિત આ વાત વારંવા૨ સહજપણે યાદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
આવવાથી, મહિમા આવવાથી લખાઈ જાય છે.
આસો વદ અમાસથી કારતક વદ એકમ સુધી ભગવાન વારંવાર યાદ આવવાથી, અપૂર્વ દર્શન થવાથી ઉલ્લાસ આવતાં લખાય જાય છે.
એ ભગવાન જુદા, ભગવાનની વાણી જીદી; ભગવાનની વિભૂતિ, રત્નની અનેક વસ્તુઓથી ભરપૂર સમવસરણ બધું જુદું દિવ્ય આશ્ચર્યકારી અદ્દભુત છે. આ જીવે પૂર્વે દેવાભાઈના ભવમાં બધું જોયેલું છે તેથી યાદ આવ્યા કરે છે. વિશેષ વિસ્તાર જણાતો નથી.
૫૨મ ઉપકારી કહાનગુરુદેવને પરમ ભક્તિથી નમસ્કાર
શ્રી કહાનગુરુદેવનો પરમ પ્રતાપ છે. આ બધું આપના પ્રતાપે છે માટે આપનું છે. અંદરમાં આ બધી વાત ઘોળાતી હોવાથી જે આવ્યું તે લખાઈ ગયું છે. વિશેષ વિસ્તાર જણાતો નથી. આ વિષે અંદર રહેવાની ભાવના છે.
**
ભરતક્ષેત્રમાં અમૃત વર્ષા વ૨સાવનાર અપૂર્વ શ્રુતસમુદ્રધારી ગુરુદેવને નમસ્કા૨ ૨૦૨૭, આસો સુદ એકમની સાંજે આવેલું સ્મરણ આપનો ( ગુરુદેવનો ) પ્રશ્ન આવતાં આવેલું સ્મરણ ૨૦૨૩ની સાલમાં આ જાતનું સામાન્ય સ્મરણ આવ્યું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
હતું. પૂ. ગુરુદેવનો પ્રશ્ન આવતાં સ્પષ્ટપણે આવ્યું (આસો સુદ બીજને દિવસે પણ આ સ્મરણ સહજપણે આવ્યા કરતું હતું.)
શ્રી કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં પધાર્યા હતા તે પ્રસંગ સ્મરણમાં આવે છે. તે ટાઈમે સીમંધર ભગવાનના દર્શન કરવા જવાનો પ્રસંગ બન્યો હતો. ત્યારે મારે એટલે દેવાભાઈના જાણવામાં હતું અને લોકમાં પણ તે વાત પ્રસરેલી હતી તે યાદ આવે છે કે આ રાજકુમાર અહીંથી ભરતક્ષેત્રમાં જન્મશે, ત્યાં આ આચાર્યદિવના એટલે કે કુંદકુંદાચાર્યદવના માર્ગે ચાલીને પંચમકાળમાં ધર્મતીર્થનો પ્રકાશ કરશે.
ત્યાં તેમને બાળવયથી ધાર્મિક સંસ્કારો જાગવાથી ત્યાગીપણે રહીને આ રાજકુમાર આ આચાર્યદેવના-આ આચાર્યદેવના કહેલા-માર્ગે ચાલીને ભરતક્ષેત્રમાં પંચમ કાળમાં ધર્મતીર્થનો પ્રકાશ કરશે.
આવા ભાવો ભગવાનની વાણીમાં આવ્યા હતા કે મુનિરાજના કહેલા હતા તે સ્પષ્ટ યાદ આવતું નથી. પરંતુ તેમાંના કોઈ દ્વારા આ વાત પ્રગટ થયેલી હતી, લોકસમુદાયમાં પ્રસરેલી હતી, અને હું એટલે દેવાભાઈ પણ આ વાતને જાણતા હતા. આ વાત સાવ સ્પષ્ટ છે. મહાવિદેહક્ષેત્રમાંથી ભારતમાં આવ્યા તે વાત યાદ કરતાં ખેદ થાય છે, તેથી ઉપયોગ તે વાત ઉપર વિશેષ જતો નથી. જે યાદ આવ્યું તે લખ્યું છે.
ગયા ભવના રાજકુમાર, વર્તમાનના શ્રી કાનગુરુદેવનો આત્મા આ ભરતક્ષેત્રમાંથી દેવભવમાં જશે, ત્યાંથી જંબુદ્વીપમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
કોઈ પણ ક્ષેત્રમાં-જે જમીનમાં રસ વૃદ્ધિ પામ્યા હોય એવી હરિયાળી જમીનમાં કોઈ તીર્થકર રાજાને ઘેર તેમના પુત્રપણે જન્મશે; ત્યાં તે મનુષ્યભવમાં તેમને તીર્થકર ગોત્ર બંધાશે, ત્યાં આબેહૂબ મુનિપણું પાળીને અહમિન્દ્ર થશે ત્યાંથી શ્રી કહાનગુરુદેવનો આત્મા ધાતકીખંડદીપમાં, જ્યાં સદા ધર્મકાળ વર્તી રહ્યો છે એવા વિદેહક્ષેત્રમાં સૂર્યકીર્તિસ્વામી નામના તીર્થકર ભગવાન થશે.
આ જન્માન્તરોની વાત આ જીવે એટલે કે દેવાભાઈએ વિદેહક્ષેત્રમાં સાંભળી હતી તે યાદ આવે છે.
આ વાતનું વર્ણન પહેલાં આવી ગયું છે, તો પણ ફરીને થોડું લખ્યું છે.
સીમંધર ભગવાનનું સમોસરણ યાદ આવે છે. ભગવાનના દરબારમાં, સમવસરણમાં પ્રવેશ કરતાં અનેક અનેક જોવાની વસ્તુઓ આવે છે, સુગંધથી ભરપૂર ઘનતાવાળી રત્નની પુષ્પોની વાડી, ફળ ને ફૂલોવાળાં શોભીતાં ઝૂલતાં રત્નનાં વૃક્ષો, દેવોની વૈક્રિયક-શક્તિથી થયેલ બજાર જેવો દેખાવ, અનેક જાતની વસ્તુઓ, રત્નનાં વસ્ત્રાભૂષણ, શંખ, ચક્ર જેવી વસ્તુઓ-કોઈ દેવતાઈ વસ્તુઓ- અનેક જાતની વસ્તુઓનું જ્યાં પ્રદર્શન હતું; દેવોના મહેલો અને દેવોને ફરવાના સ્થાનો વગેરે હતું, તે ફરવાનાં સ્થાનોમાં રત્નના ઝૂલા જેવો દેખાવ હતો. તે બધું યાદ આવવાથી લખાઈ જાય છે. જે, સમોસરણમાં અનુપમ દિવ્યમૂર્તિ ભગવાન બિરાજી રહ્યા છે તે જગતથી જુદા જ હતા; હોઠ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
૯૫
ચાલતા નથી તો પણ મધુરી ધ્વનિ આવ્યા કરે છે, ચૌદ બ્રહ્માંડનું
સ્વરૂપ કહી રહ્યા છે. આ બધી વાતનું શું વર્ણન થાય! આશ્ચર્ય લાગવાથી લખાઈ જાય છે; વિશેષ વિસ્તાર જણાતો નથી.
પૂજ્ય ગુરુદેવની ભક્તિને કારણે આ બધી વાત લખાઈ જાય છે.
ભાવી તીર્થાધિનાથ કહાનગુરુદેવને
પરમ ભક્તિથી નમસ્કાર.
* *
૨૦૨૭, આસો વદ બારશ શ્રુતસમુદ્રમાં કેલી કરનાર અજોડ રત્ન ગુરુદેવને
પરમ ભક્તિથી નમસ્કાર. પૂર્વભવનું નૌવલપુર નગર યાદ આવે છે. તે નગરમાં જિનેન્દ્રમંદિરોનો કોઈ મહોત્સવ હતો તે સ્મરણમાં આવે છે. તે નગરના રાજા, ફતેહુકુમારના પિતાજી તરફથી તે ઓચ્છવ થતો હતો.
જિનમંદિરો શણગારવામાં આવેલ હતાં. તે મહોત્સવમાં રાજકુમારના પિતાજી દીપોહમંદ રાજા તથા રાજકુમાર બધા સામેલ હતા. જિનમંદિરમાં ભવ્ય દિગંબર રત્નમય પ્રતિમાજી બિરાજી રહ્યાં હતાં. એ રત્નમય જિનપ્રતિમાની શું મહિમા થાય! તેનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
પૂર્વભવે મહાવિદેહક્ષેત્રમાં બીજા કોઈ નગરમાં માતાપિતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સહિત આ આત્માને એટલે કે દેવાભાઈને જવાનું બન્યું હતું. ત્યાં તે નગરમાં પણ ધાર્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. ત્યાં દુધ વગેરે બીજી વસ્તુઓનું કોઈ મુનિરાજના હાથમાં આહારદાન દીધેલ હતું તે અવસર યાદ આવે છે.
પૂર્વે દેવાભાઈના ઘેર સારી જાતનાં અને શુદ્ધ ભોજન થતાં હતાં; અમારે ઘેર મુનિરાજ અને ત્યાગીઓ પધારતા હતા. ત્યાં રસોઈઘરની તદ્દન બાજુમાં કોઈ સફેદ ફળ વગેરે બીજી વસ્તુઓ સહિત મુનિરાજના હાથમાં આહારદાન દેવામાં આવેલ હતું તે પ્રસંગ પણ યાદ આવે છે. આનંદકારી પ્રસંગ હોવાથી જે યાદ આવ્યું તે લખાઈ જાય છે.
મહાવિદેહક્ષેત્રમાં કોઈ નગરોમાં તેમ જ ભગવાનના સમોસરણમાં આત્માની સાધના સાધના૨ દિગંબર મુનિરાજના અને ત્યાગીઓના સમૂહ (ટોળાં) નજરે પડે છે, યાદ આવે છે. ધન્ય તે ક્ષેત્ર ! ધન્ય તે કાળ!
તે ક્ષેત્રમાં રાજા, રાજકુમાર, નગરજનો અને લોકસમૂહને મુનિરાજનાં દર્શન અને આહારદાનના પ્રસંગો સુલભપણે બની જાય એવો ત્યાં ધર્મકાળ હતો.
નૌવલપુર નગ૨માં પણ મુનિરાજો અને ત્યાગીઓ
પધારતા હતા.
ધર્મક્ષેત્રમાંથી જીવના પરિણામને કારણે આ કાળમાં ભરતક્ષેત્રમાં આવવાનું થયું તે ખેદ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
આ સ્મરણ સાવ સ્પષ્ટ છે; વિશેષ વિસ્તાર જણાતો નથી; જે યાદ આવે છે, જણાય છે તે બધું મધ્યસ્થભાવથી લખાય છે. (આ પ્રકારનું થોડું સ્મરણ ૨૦૨૨ અને ૨૦૨૩ની સાલમાં આવ્યું હતું. )
ચૈતન્ય૨સની ધારા વરસાવનાર ૫૨મ ઉ૫કા૨ી શ્રી ગુરુદેવનાં ચ૨ણકમળોમાં
૫૨મ ભક્તિથી નમસ્કાર
૯૭
**
(૨૦૨૮, કારતક વદ આઠમે લખાયેલ )
ભગવાનના સમોસરણમાં, રત્નોના રંગોના પ્રકાશવાળી એવી વિશાળ ઊંચી મંગળમય પીઠિકાઓ ઉપર, રત્ન તથા હીરા જેવી વસ્તુઓ જડિત સિંહાસન તથા અનેક પાંખડીઓના દળવાળા રત્નમય સુંગંધી કમળનાં આસનોમાં અઘ્ધર, પ્રકાશના પુંજ એવા સીમંધર ભગવાન બિરાજી રહ્યા હતા, ચૌદ બહ્માંડના પદાર્થોનું અજાયબ સ્વરૂપ દિવ્ય ધ્વનિ દ્વારા કહી રહ્યા હતા.
ભગવાનની ઉ૫૨ રત્નોનાં શિખરોનો દેખાવ હતો. તે શિખરોની નીચે ચારે બાજી રત્નોનાં પુષ્પો અને રત્નોની વસ્તુઓના શણગારની શોભા અપાર હતી. આ બધી વસ્તુઓ દિવ્ય છે; એનું શું વર્ણન થાય !
વિશેષ વિસ્તાર જણાતો નથી.
પ્રકાશમય અને મંગળના પુંજસ્વરૂપ, મંગળકર્તા સીમંધર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #111
--------------------------------------------------------------------------
________________
८८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
ભગવાનની દિવ્યતાનું શું વર્ણન થાય!
ભગવાન વારંવાર યાદ આવે છે. હૃદયમાં તરવરે છે તેથી, મહિમા આવવાથી લખાઈ જાય છે.
ભગવાનનો દિવ્ય દેહ પ્રકાશમય હોવા છતાં સમોસરણમાં સ્પષ્ટપણે દર્શન થતાં હતાં.
ભગવાન મંગળના પુંજસ્વરૂપ હોવાથી તેમના પાસેની વસ્તુઓ બધી મંગળમય દેખાતી હતી; જ્યાં વાજિંત્રોના મંગળ સૂર વાગી રહ્યા હતા.
ભગવાનના દરબારમાં દેવોનાં નાટકની જાદુભરી રચના હતી. ઘડીમાં દશ્ય ઘડીમાં અદશ્યપણે દેવોનાં નાટક જુદા પ્રકારનાં હતાં. નાટક દ્વારા દેવો જિનેન્દ્ર ભગવાનના ગુણોની મહિમા પ્રકાશિત કરતા હતા.
શુદ્ધાત્માની શુદ્ધ પરિણતિ સિવાય કયાંય વિશ્રાન્તિ નથી, તો પણ આ બધું જાણવા તરફ ઉપયોગ સહેજે ચાલ્યો જાય છે.
પૂર્વે દેવાભાઈનાં ભવમાં આ જીવ મહાવિદેહક્ષેત્રમાં ઘણા ઘણા કાળથી હોવાથી અને ઉપયોગ સહજપણે તે તરફ જવાથી આ બધી વાત યાદ આવ્યા કરે છે.
66
“ધન્ય તે નગરી! ને ધન્ય તે વેળા !” જ્યાં ભગવાન બિરાજી રહ્યા છે; જ્યાં સમોસરણમાં ભગવાનનાં દર્શન કરવા જતા હતા, સમોસરણમાં બેસતા હતા, ધ્વનિ સુણતા હતા. સમવસરણમાં રત્નજડિત ઊંચા ગઢના રત્નોથી શોભીતા ઊંચા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
દરવાજામાં પ્રવેશ કરતાં આગળ જઈએ છીએ ત્યાં સીમંધર ભગવાન બિરાજી રહ્યા છે. તે પરમ મહિમાધારી ભગવાનનું શું વર્ણન થાય ! કેમ કરી બતાવી શકાય !
સમોસરણની વિભૂતિ અને સીમંધર ભગવાન અંતરમાં તરવરતાં હોવાથી “આ રહ્યા ભગવાન, આ રહ્યાં સમવસરણ એમ પ્રત્યક્ષની જેમ જણાતાં હોવાથી, મહિમા આવવાથી આ બધું લખાઈ જાય છે. વિશેષ વિસ્તાર જણાતો નથી.
પંચમ કાળમાં જન્મ થયો તે ખેદ છે.
૫૨મ ઉપકારી, ભરતક્ષેત્રમાં અપૂર્વ શ્રુતધારા વરસાવનાર મંગળમૂર્તિ ગુરુદેવને ૫૨મ ભક્તિથી નમસ્કાર
**
૯૯
7;
અત્યારે ભરતક્ષેત્રમાં પણ પૂ. કહાનગુરુદેવની ચૈતન્યરસથી ભરપૂર, અપૂર્વ રહસ્યમય નિરંતર વાણી સુણવાનો યોગ અને ભાવીના તીર્થંકર ભગવાન એવા શ્રી કહાનગુરુદેવના પાવનકારી આહારદાનના પ્રસંગો તેમ જ પૂ. ગુરુદેવના તીર્થયાત્રાના અવસરો, શ્રી જિનેન્દ્ર પ્રતિમાઓના કલ્યાણક-અવસો વગેરે પુનિત પ્રસંગો તે બધા પુણ્યોદયે બને છે. તે પ્રસંગો યાદ કરતાં ઉલ્લાસ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
પૂજ્ય ગુરુદેવના ભવો યાદ આવ્યા કરે છે અને પૂજ્ય કહાન ગુરુદેવ પ્રત્યે બહુ મહિમા આવે છે.
ભાવી તીર્થંકર વર્તમાનના ધર્મધુરંધર ગુરુદેવને ૫૨મ ભક્તિથી નમસ્કાર
**
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
૨૦૨૯, (કારતક વદ ત્રીજે લખાયેલ )
શ્રી ગુરુદેવના ૫૨મ પ્રતાપને નમસ્કાર શ્રી દેવ-ગુરુ-શાસ્ત્રનાં ચ૨ણોની સેવા હો તે સર્વને ૫૨મ ભક્તિથી નમસ્કાર. (આ સ્મરણ અમુક પ્રકારે ૨૦૧૮ અને ૨૦૨૩ની સાલમાં આવ્યું હતું )
૧૦૦
મહાવિદેહક્ષેત્રમાં સમોસરણમાં સીમંધર ભગવાન બિરાજી રહ્યા છે; ત્યાં જોવા માટે જ્ઞાનનો ઉપયોગ વારંવાર જાય છે, વારંવાર યાદ આવે છે.
પૂર્વે દેવાભાઈના ભવમાં આ જીવે ભગવાનની વાણીમાં જે ભાવો સાંભળ્યા હોય તે યાદ આવે છે.
ભગવાનની અભેદ વાણીમાં ચૈતન્યદેવના આશ્ચર્યકારી સૂક્ષ્મ સૂક્ષ્મ અનંતા અનંત ભાવો આવતા હતા.
જ્ઞાન-ઉપયોગ વગેરે સદ્રવ્યોના સ્વરૂપના સૂક્ષ્મ સૂક્ષ્મ ભાવો અનંતા આવતા હતા. અંગ-પૂર્વના, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ વગેરે પૂર્વના એટલે કે આખા વિશ્વના સૂક્ષ્મ સૂક્ષ્મ અનંતા ભાવો
આવતા હતા.
અંગ-પૂર્વના શબ્દો સીમાવાળા હોય છે, ભગવાનની વાણીમાં તો અસીમ અનંત ગંભીર રહસ્ય આવતું હતું. ચૌદ બહ્માંડનાં તત્ત્વોના અનંત રસાંશો, અનંત ભાવાંશો સહિત અનંતા અનંતા આશ્ચર્યકારી સૂક્ષ્મ સૂક્ષ્મ ભાવો આવતા હતા. શું આવતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
હતા તે યાદ આવતું નથી.
સીમંધર ભગવાનની દિવ્ય ધ્વનિમાં ચૈતન્યતત્ત્વનું, ત્રણ લોકનું, ચૌદ બહ્માંડનાં તત્ત્વોના સૂક્ષ્મ ભાવોનું ચમત્કારી ચિત્ર ખડું થતું હતું. સાંભળતાં એમ થતું હતું કે અહાહા ! તત્ત્વોનું આવું આશ્ચર્યકારી સ્વરૂપ છે!
વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
ફતેહમંદ રાજકુમાર અને અનેક સભાજનો ભગવાનની વાણી સાંભળીને આશ્ચર્ય પામતા હતા.
૧૦૧
અનેક પ્રકારના રત્નમય સમવસરણમાં સીમંધર ભગવાન બિરાજી રહ્યા છે, જ્યાં ગણધર, મુનિવરો અને દેવદેવેન્દ્રો વસી રહ્યા છે.
બાહ્ય અને અંતર રિદ્ધિસિદ્ધિથી ભરપૂર એવું મહાવિદેહક્ષેત્ર અને ત્યાંની નગરીઓ યાદ આવે છે.
અહો ! એ અનુપમ સીમંધર ભગવાન!
અહો ! એ મધુરી દિવ્ય વાણી !
અહો ! એ રત્નમય સમોસરણ !
અહો ! એ મહાવિદેહક્ષેત્ર ! ત્યાંની નગરીઓ! એ બધાંનું શું વર્ણન થાય! મહિમા આવવાથી લખાય જાય છે.
ચૈતન્યદ્રવ્યની શુદ્ધ પરિણતિ તરફ-શુદ્ધાત્મામાં ઉપયોગ સહજ જાય તો પણ સાધસ્થિતિ હોવાથી દેવ-ગુરુ-શાસ્ત્ર તરફ ઉપયોગ ગયા વગર રહે નહિ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
અહો ! એ સીમંધરભગવાનનાં ચરણકમળોમાં પરમ ભક્તિથી નમસ્કાર, વારંવાર નમસ્કાર અપૂર્વ શ્રતધારા વરસાવનાર ભાવી તીર્થાધિનાથ
કહાનગુરુદેવના ચરણકમળોમાં પરમ ભક્તિથી નમસ્કાર.
* * ૨૦૩૪, ભાદરવા સુદ છઠ-સાતમ
અપૂર્વ ઉપકારી ગુરુદેવને નમસ્કાર. અનંત કાળમાં પરિભ્રમણ કરતાં ચાર ગતિમાં જીવે ઘણાં દુઃખો સહ્યાં છે. તિર્યંચગતિમાં સહેલાં ભૂખ-પ્યાસ વગેરે પરાધીનતાનાં અનેક પ્રકારનાં દુઃખો માતાના ગર્ભોમાં સંજ્ઞી પંચેન્દ્રિયપણે સહેલાં બંદીખાનામાં અનેક પ્રકારનાં દુઃખો તે યાદ આવે છે, અને વૈરાગ્ય આવે છે. ( વિશેષ વિસ્તાર જણાતો નથી.)
નરકના જીવોનાં દુઃખો અને નરકભૂમિ તો પ્રત્યક્ષની જેમ નજર સમક્ષ તરે છે. જીવ ચારે ગતિમાં દુઃખો સહુતો આવ્યો છે.
કોઈ વાર આ જીવ દેવલોકની રત્નમય ભૂમિમાં વિહાર કરતો હતો, મનુષ્યભવમાં વિદેહક્ષેત્રમાં મોટા શરીરપણે મોટાં મહેલ જેવાં મકાનોમાં ફરતો હતો, માતપિતાના લાડમાં રહેતો હતો, સમવસરણમાં ભગવાનની વાણી સાંભળતો હતો, વગેરે યાદ આવે છે.
કેટલીક વાર માતપિતાની સાથે મોટા રથ સરીખું વાહન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૧૦૩
હતું તેમાં બેસીને ભગવાનના દર્શને જતો હતો.
ફતેકુમાર પણ ભગવાનના દર્શને આવતા હતા. આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે તેવી વાત સીમંધર ભગવાનની દિવ્ય ધ્વનિમાં સાંભળી હતી તે પ્રસંગ બહુ યાદ આવે છે, તે રાજકુમાર પ્રત્યે બહુમાન આવે છે.
મહા સમર્થ યોગીશ્વર જેવી જેની મુદ્રા હતી તેવા શ્રી કુંદકુંદાચાર્યદવ મહાવિદેહક્ષેત્રમાં પધાર્યા હતા, તે પ્રસંગનું પણ વારંવાર સ્મરણ થાય છે અને શ્રી કુંદકુંદાચાર્યદવ પ્રત્યે આ હૃદય નમી પડે છે.
વિદેહક્ષેત્ર બહુ યાદ આવે છે, જ્યાં દિગંબર મુનિવરોનાં ટોળાં વિચરી રહ્યાં છે. કોઈ કોઈ મુનિરાજને અંગ-પૂર્વનાં જ્ઞાન પ્રગટ થઈ રહ્યાં છે, અનેક ઋદ્ધિ અને શુકલધ્યાન વગેરે જ્યાં પ્રગટી રહ્યાં છે.
એ ધર્મક્ષેત્રની શી વાત!
ક્યાં ભરતક્ષેત્ર! ક્યાં વિદેહક્ષેત્ર !
આ અંતરભૂમિમાં સીમંધર ભગવાન વારંવાર યાદ આવે છે, તેથી કોઈ વાર હૃદય રડે છે.
આ બિરાજે સમવસરણમાં સીમંધર ભગવાન !” એમ પ્રત્યક્ષની જેમ તરવરે છે. મહાવિદેહક્ષેત્રમાં ભગવાનના દર્શને જવાનો અને તેમની દિવ્ય ધ્વનિ સાંભળવા જવાનો સુયોગ બહુ યાદ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
અહા ! એ સીમંધર ભગવાન!
અહા ! તે દિવ્ય ધ્વનિ !
અહા ! તે પુનિત પ્રસંગો ! ધન્ય તે ધડી ! ધન્ય તે પળ!
જીવ કોઈવાર કોઈ ગતિમાં, કોઈવાર કોઈ ગતિમાં હોય છે. આ જીવે કોઈવાર તિર્યંચગતિમાં દુઃખો સહ્યાં, કોઈ વાર માતાના ગર્ભોમાં બંદીખાનાનાં દુ:ખો સહ્યાં તે યાદ આવે છે. (ચારે ગતિનાં દુ:ખો આ જીવે દેવગતિમાંથી પણ કેટલાંક જોયાં છે.) ચારે ગતિમાં દુઃખો સહ્યાં છે.
આ જીવ કોઈવાર દેવલોકની રત્નમય ભૂમિમાં વિહરતો હતો; મનુષ્યભવમાં આ જીવ દેવાનંદભાઈ પણે વિદેહક્ષેત્રમાં ભગવાનના ધામમાં રહેતો હતો, ત્યાંના નગરનાં રત્ન જડિત શોભીતા ને વિશાળ જિનાલયોમાં તેમ જ રત્ન જેવા કિનારાથી શોભિત તળાવ વગેરે સ્થળોએ જતો હતો.
અત્યારે આ જીવ ભરતભૂમિમાં છે, ભારતરત્ન શ્રી કહાનગુરુદેવના સાન્નિધ્યમાં છે.
કોઈ વાર ક્યાં! કોઈ વાર ક્યાં!
કેવું સંસારનું પરિભ્રમણ !
કેવી સંસારની વિચિત્રતા !
ચૈતન્યદેવ સિવાય બહારમાં કયાંય સુખ નથી.
બધેથી વૈરાગ્ય પામી અદ્દભુતસ્વરૂપ શુદ્ધાત્મામાં સમાઈ જવું તે જ શ્રેયભૂત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
૧૦૫
૨૦૩૪, ભાદરવા વદ ૪
દેવલોકની ભૂમિ યાદ આવે છે. દેવભૂમિના શાથતાં જિનમંદિરો, મેરુપર્વતનાં શાશ્વતાં જિનમંદિરો અને રત્નમય જિનપ્રતિમાઓ તે બધું વારંવાર નજર સમક્ષ જણાય છે–તરવરે
અહા! એ રત્નમય જિનપ્રતિમાઓ! અને જિનમંદિરો! એ બધું આશ્ચર્યકારી છે.
દેવભવમાંથી આ જીવ ભગવાનના સમોસરણમાં ઘણી વાર ગયેલ છે તે યાદ આવે છે.
આ લોકનાં કેટલાંક સ્થાનો ઉપર કોઈ કારણસર આ જીવ ફરી આવ્યો છે તે યાદ આવે છે, પરંતુ તે ક્યાં સ્થાનો હતાં તે યાદ આવતું નથી.
ભગવાનનાં સમોસરણમાં દેવભવમાંથી ઘણી વાર ગયો છે પરંતુ તે કયા કયા સ્થળે ગયેલ છે તે યાદ આવતું નથી.
દેવભૂમિમાંથી વિધવિધ રત્ન રચિત દેવી સમવસરણ યાદ આવતાં એમ સ્મરણ થાય છે કે આ સમવસરણ તો જીવની જાણીતી ભૂમિ છે. અહીં તો આ જીવ ઘણી વાર આવ્યો છે.
દેવભૂમિનાં કેટલાંક સ્થાનો અને આ લોકનાં સ્થાનો યાદ આવતાં એમ થાય છે કે આ દેવભૂમિનાં કેટલાંક સ્થાનો અને આ લોકનાં કેટલાક સ્થાનો આ જીવના જાણીતાં છે; જીવ ઘણી વાર અહીં આવ્યો છે- એમ સહજ સ્મરણ થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
આ બધું સહુજ સ્મરણમાં આવેલ છે તે લખાઈ જાય છે.
આ જીવ અનંત કાળમાં પરિભ્રમણ કરતાં અત્યારે ભરતભૂમિમાં છે.
ભાવી તીર્થકર, ગયા ભવના રાજકુમાર, શ્રી કહાનગુરુદેવના સાન્નિધ્યમાં તેમનાં ચરણોમાં રહેવાનો સુયોગ આ ભરતભૂમિમાં સાંપડયો છે.
શ્રી ગુરુદેવના અંતરમાં પ્રગટેલા ઝળહળતા શ્રુતજ્ઞાનસૂર્ય દ્વારા અનુપમ રહસ્યો ઝરતી અમૃત-વાણી નિરંતર સુણવાનો અપૂર્વ યોગ પ્રાપ્ત થયો છે તે મહા ભાગ્ય છે.
ગુરુદેવની નિરંતર વાણી, તેમના આહારદાન વગેરેના પાવન પ્રસંગો જે પંચમ કાળે મળ્યા તે અહોભાગ્ય છે.
અનંત કાળના પરિભ્રમણનું દુઃખ અને વિભાવનું દુ:ખ સર્વ પરદ્રવ્ય, પરભાવો ને ભેદભાવોથી ન્યારા શુદ્ધાત્મતત્ત્વને બતાવનારી ગુરુદેવની વાણીથી સહજ ટળે છે.
પૂ. ગુરુદેવે શુદ્ધાત્મતત્ત્વને પ્રગટ કરવાનો માર્ગ બતાવી પંચમ કાળમાં અનેક જીવોના દુ:ખ ટાળ્યાં છે; સુખધામ, આનંદધામ આત્માને પ્રગટ કરવાનો માર્ગ સુગમ કર્યો છે.
પરમ પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણકમળોમાં
પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર.
આ બધો પ્રતાપ શ્રી ગુરુદેવનો જ છે. શ્રી કહાનગુરુદેવના ભૂતકાળના ભવો અને ભાવીકાળના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૧૦૭
ભવોનું વારંવાર સ્મરણ થાય છે; ગુરુદેવનું આત્મદ્રવ્ય મહિમાવંત
(૨૦૩૪, આ સ્મરણ ભાદરવા સુદ છઠ-સાતમે આવ્યું અને ભાદરવા સુદ આઠમ-નોમ વગેરે દિવસોમાં ચાલુ રહ્યું.) વિશેષ વિસ્તાર જણાતો નથી. શ્રી જિનેન્દ્રભક્તિ, શ્રી ગુરુભક્તિ, શ્રી શ્રુતભક્તિ
નિશદિન અંતરમાં
વસી રહો.
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
શ્રી જિનેન્દ્રાય નમ: ૨૦૦૪ અત્યારે વર્તમાન બિરાજતા પરમ કૃપાળુ, ભાવીના તીર્થંકરભગવાન, એવા શ્રી અદ્વિતીય સદ્ગુરુદેવનાં ચરણકમળમાં પરમ પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો.
શ્રી જિનેન્દ્રદેવની ભક્તિ- સેવા સિવાય બીજું શું કરીએ ! શું કરું અહો નાથ! શું કરું! અમારા જેવા પામર આપની શું સેવા ભક્તિ કરી શકે! અહો ! જિનેન્દ્રદેવનો મહિમા ત્રણ લોકમાં ગાજી રહ્યો છે !
અહો શ્રી સદગુરુદેવ! મારા જેવા પામર ઉપર આપે અપાર કરુણા વરસાવી છે; આપની શું સેવા ભક્તિ કરીએ ! જે કરીએ તે બધું ઓછું છે. મન-વચન-કાયાએ કરીને નિરંતર સમીપપણે આપની ચરણસેવા હોજો એ હૃદયની ઊંડી ભાવના છે. આ કાળે આ ભરતક્ષેત્રમાં આપે આપની જાતે, છૂપાયેલો મોક્ષમાર્ગ શોધીને બીજાને તે માર્ગ સમજાવી અપૂર્વ ઉપકાર કર્યો છે. અહો ! ગહન અને ઊંડું વસ્તુનું સ્વરૂપ સૂક્ષ્મ ને તીક્ષ્ણ શ્રુતશૈલીથી સમજાવી, જ્ઞાનનાં રહસ્યો ખોલીને અમારા જેવા પામર ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે. અહો! પ્રભુ! અમે આપની ભક્તિ સેવા સિવાય બીજું શું કરી શકીએ !
આપનાં ચરણકમળમાં પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર નમસ્કાર.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૧/૯
પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું આંતરિક ભાવ-અવલોકન
૨૦૨૭ ચૈતન્યતત્ત્વનો વૈભવ ચમત્કારિક ને આશ્ચર્યકારી છે. ચૈતન્યદ્રવ્ય લોકોત્તર એટલે અલૌકિક મહિમાવંત છે. એવા આત્મામાં જ આનંદ છે.
સર્વ પદ્રવ્યોથી, મન-વચન-કાયાથી, સર્વ શુભાશુભ પરભાવોથી, ભેદભાવોથી નિરાળા જ્ઞાયક આત્મામાં સુખ ને સમાધિ છે, બીજે કયાંય વિશ્રાંતિ નથી; જ્ઞાયકની પરિણતિ સિવાય બધું દુઃખમય ને ઉપાધિમય છે; ચૈતન્યની નિર્વિકલ્પ આનંદમય દશા સિવાય ક્યાંય વિશ્રાંતિ નથી.
શુદ્ધાત્મદ્રવ્યની મુખ્યતા અને શુદ્ધ પરિણતિ-નિર્વિકલ્પ આનંદમય સ્થિતિ ની મહિમા હોવાથી પુરુષાર્થની સહજ ગતિ તે તરફ હોવાથી, પરિણતિની તે તરફ સહજ દોડ હોવાથી તે તરફ પરિણતિ અને ઉપયોગ સહજ રહ્યા કરે. (તો પણ ઉપયોગ બહાર હોય ત્યારે-).
દેવ-ગુરુ-શાસ્ત્રની મહિમા હોવાથી ત્યાં, અને શ્રુતચિંતવનની મહિમા હોવાથી શ્રુતચિંતવનની સૂક્ષ્મતા તરફ પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
ઉપયોગ રહ્યા કરે તો પણ પૂર્વભવ, દેવલોક, નરક, વગેરે જોવાજાણવા તરફ ઉપયોગ સહજ ચાલ્યો જાય છે.
સર્વ પરિણતિમાં શ્રી ગુરુદેવનો પરમ પ્રતાપ છે. પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણકમળોમાં
વારંવાર નમસ્કાર. સાતિશય શ્રુતસાગર આદિ અનંત ગુણોથી ભરપૂર
પરમ કૃપાળુ ગુરુદેવનાં ચરણોમાં
પરમ ભક્તિથી નમસ્કાર.
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૧૧૧ અધ્યાત્મમૂર્તિ યુગપુરુષ પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ પૂ. બહેનશ્રી ચંપાબેનને પૂછેલા જાતિસ્મરણ સંબંધી પ્રશ્નો તથા પોતે (પરમપૂજ્ય ગુરુદેવશ્રીએ) કરેલી નોંધ
નવલપુરમાં શ્રી તીર્થંકર પ્રભુની સમીપે શ્રી કુંદકુંદઆચાર્યજી પધાર્યા હતા કે બીજે? ને ત્યાં કેટલો કાળ રહ્યા હતા? ચક્રવર્તીના સમીપમાં શ્રી કુંદકુંદઆચાર્ય પધાર્યા હતા એમ ઈતિહાસમાં આવે છે તે...
* *
શ્રી કુંદકુંદઆચાર્ય શ્રી તીર્થકરના સમીપે, ત્યાં ચક્રવર્તીનું મળવું અને અમુક દિવસનું રોકાવું, તથા તે જ ગામમાં પધાર્યા હતા કે બીજે? શું સ્મરણ થાય છે વગેરે નવું હોય તે લખવું.
* *
શ્રી તીર્થંકર પ્રભુના કે કોઈ શ્રુતકેવળી કે કોઈ મુનિના ઉપદેશ સંબંધી કોઈ એક વાક્ય; ગામમાં ત્રણે એક જ ગામમાં કે જાદા? તે ગામનું નામ; ચંદભાઈ તે કોણ? તે કંઈ સ્મરણમાં આવે છે? ભવિષ્ય તીર્થકર કેટલે ભવે? તે સંબંધી કંઈ વિશેષ સ્મરણ સહજ થાય છે?
*
*
શ્રુતકેવળીના શરીરનો દેખાવ? રાજકુંવરનું નામ શું?
* *
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
શ્રી તીર્થંકર દેવ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ક્ષપકત્વ શ્રેણી ભૂદા ઢે ભૂા.
સિદ્ધિ ગવેષાં.
||
1
**
શ્રી શ્રુતકેવળી ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ;
ક્ષાયકના ત્રણ પ્રકાર: એક ધારાપ્રવાહી, બીજું જોડણી અથવા જોડરૂપ ક્ષાયક, ત્રીજું યુગલ ક્ષાયક.
૧. ધારાપ્રવાહીઃ- શરૂઆતની ધારાનો પ્રવાહ, ક્ષાયકની યોગ્ય શ્રેણીનો, તે ધારાપ્રવાહી.
૨. જોડણી અથવા જોડરૂપ:- પૂર્ણ કૃતકૃત્યતાના અદ્ભુત સુખ માટેનું અંશ કૃતકૃત્યપણું પ્રગટ થઈને, તે અંશ દ્વારા વિશેષ કૃતકૃત્યતાના અંશોનું જોડાવું-આવું ક્ષાયક જે કહેવાય છે; ત્યાંના ટૂંકાણભાવમાં-એક અંશ દ્વારા વિશેષ અંશોનું પરસ્પર જોડાવું તેનું નામ જોડણી ક્ષાયક.
૩. યુગલ ક્ષાયક:- પૂર્ણ કેવળીનું અથવા સિદ્ધના ક્ષાયકને યુગલ ક્ષાયક કહેતા હોય.
ૐ ચિદાનંદ સહજ સ્વરૂપાય નમઃ
ચૈત્ર વદ ૮, સોમ, સવારના છ લગભગઃ કુંદકુંદાચાર્ય તથા શ્રી સીમંધર પ્રભુ વગેરે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૩
જાતિસ્મરણ જ્ઞાન * ?? ” ” સવારના દશ લગભગ: પૂર્વનું સ્પષ્ટ. વૈશાખ સુદ ૩: લોક આદિનું સ્વરૂપ. ” ” ૬, નવ લગભગ : નાના બાળક આદિ. ” ” ૧૨, ૮ થી ૮ાા લગભગ. ” ” ૧૩, ૯ વાગ્યેત્રીજા દેવલોકથી ચવીને વગેરે. જેઠ વદ ૧૩, ૬ થી ૬ાા : રાજકુમારનો ભવ.
૧૯૯૪, કારતક વદ ૧૦, બપોરના ૩ થી ૩ાા લગભગ રાજકુમાર ભવિષ્ય તીર્થકર તથા શાંતાબેનનું પૂર્વભવનું સ્મરણ.
માગસર વદ ૧, બપોરે ૪ વાગ્યેઃ રાજકુમારનું નામ વગેરે. માગસર વદ ૧૦, સવારે ૫. : વાગે લખ્યું. માગસર વદ ૯, ૭ થી ૭ : ચંપાબેનનું પૂર્વ નામ વગેરે. માગસર વદ ૧૨, ૯, વાગ્યેઃ સમોસરણ વગેરે. પોષ સુદ ૯, સવારના ૭ થી ૭ : ગામ વગેરે. પોષ સુદ ૧૦, : ગાથા. પોષ સુદ ૧૧, રાત્રે ૧૦ પછી: રાજા વગેરે. પોષ સુદ ૧૧, રાત્રે ક્ષાયકના ત્રણ પ્રકાર કુમારને યાદ. પોષ વદ ૫, પરોઢિયે આઠ દિવસનું તથા ચક્રવર્તી. પોષ વદ ૬, સાંજે ૪ વાગ્યેઃ કુંડલપુર. પોષ વદ ૮, ૧૦ થી ૧૧. પોષ વદ ૧૩: કુમારની ભક્તિનું સ્મરણ. પોષ વદ ૧૨ રાત્રે: વિરાધકનું સ્મરણ.
* *
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના હસ્તાક્ષર
श्रीनारॐ शांति, शांति शांति: है श्री हा लुत्पा
રાધા ગષ
लि
श्री श्रुत, ॐ मंत्र, 44ना ब्रस गर सोद्वारा प्रणाली, जालु लागी सदपर गिर इस
चानुयुग
स आय
धाराले
१ धारा, शान प्रपा, आदडनी योग्य श्रेणींना
त धावा असाही ભાળ આપવા મંડપ
माहेनु
पूर्व ही कृत्यताना सद्गुज आप राहतहत्या भगत धनसंशधारा विशेष कृत इत्यताना अंशानु y
2
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આવું વ+વિક છે. વાંના ભાવમાં ત્રિક અંશ દ્વારા વિશેષ બંને ૫૨૧ નવું તિનું નામ ને 33ગલ શાહ પ્રસ્થળનું અથવા સાધના લાયન લ કવિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ॐ(५+ 2 Apr १५३५1414: अन५. साम पर A uran/
-मरकर ", ।, incimmy२५. aunty AltIRY
Stuntilt-4441 " rndi mom
yamantri AnA ल4 VS.50 AMIR५. Iter A२१६११ पोरन 3.3 Ann.
RIrfarai
Niraj A६
नामाकोर पारAYam.ाम [५५२
m
yfanam " -
१५ समाससकारी पो५४ सा . कोर " " ॥रा .ul. Timi
. . " 11111111राना पापा ५ . (407 AMfr)
" wir IAR " RMUtt
राजविरा-524th
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परंम हयालु श्रन सहगुरुछेद (जानक महाराजश्रीला परम पवित्र हस्ताक्षरो
५. गुरुद स्मरा दिये १७-ना सासभा पूछस अनो
MANY FR Lean F Fiil feel fumm Ffil मुक्ती प्रदेश संबंधी वाम्या गाम मां भी सोनगाममा अनुहाते नाम नाम, महालक तुच्छ स्मरणमा आपछल दलपत संबंधी कई विषेश स्मरण सहन धाय छ
श्रुतपिफनाशनाध्याप सतसुंदरनुं नाम शु
परम हयालु श्री सद्गुरुदे (हालक महाराणाना) परम यदिन इस्ताक्षरो
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नोपपुर मां श्रीद भाप श्राउंड सायार्यपधाया जायका पाहता अकृतीनाम श्री६ आयात पद्याची इतसिय ईतिहासमा आपत
श्री मुंह मुंह आचार्यश्रीत समापित्यां महद्धतjhing या खगुड हीरापंसकुं राजा त्यात गाममा पधारताने जमरा यादों विमेन हाद
भ
परम याजु श्री सद्गुरछेद (डानक महाराक्प्रीला परम यदिम हस्ताक्षरो
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
ગુરુદેવના હૃદયોદ્ગાર આ વિભાગમાં, પૂજ્ય બહેનશ્રી ચંપાબેન તથા “બહેનશ્રીનાં વચનામૃત” પુસ્તક સંબંધી પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ પ્રસન્નતાપૂર્વક ઉચ્ચારેલા હૃદયોગારો
આપવામાં આવ્યો છે. પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની–તેમની જન્મજયંતીના માંગલિક પ્રસંગે તથા અન્ય દિવસોમાં (સોનગઢમાં તેમજ અન્યત્ર) પ્રવચન,
ચર્ચા ઇત્યાદિ સમયે અનેક વાર-નિર્મળ
સ્વાત્માનુભૂતિ, ધર્મોધોતકારી સાતિશય જાતિસ્મરણજ્ઞાન, રગે રગમાં વ્યાપી ગયેલી નિર્માનતા, સ્ફટિક સમી સ્વચ્છ સરળતા, પ્રશમરસનીતરતી ઉદાસીનતા અને સાગર સમાન ગંભીરતા ઇત્યાદિ તેમના ગુણો
સંબંધી પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી અત્યંત અહોભાવપૂર્વક નીકળતા સહજ ઉદ્ગારોથી સભાનું આખું વાતાવરણ અતિ
પ્રસન્ન થઈ જતું હતું. પરમપૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી નીકળેલા પૂર્વ સમયના તત્સંબંધી અનેક ઉદ્દગારોમાંથી કેટલાંક અહીં રજૂ કરવામાં આવ્યા છે, કે જેનાં વાંચન-મનનથી મુમુક્ષહૃદયો પોતાના જીવન ઘડતરના સમ્યક પુરુષાર્થની પ્રેરણા મેળવે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૫
नमः श्रीसद्गुरवे। ગુરુદેવના હૃદયોદ્ગાર
પૂજ્ય બહેનશ્રી ચંપાબેન સંબંધી
(પ્રવચન તત્ત્વચર્ચા ઇત્યાદી પ્રસંગે ) પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના મંગલ
ઉગારો
(રાજકોટ, સં. ૨૦૦૭) બેન (ચંપાબેન) તો બહુ જ ગંભીર-ગંભીર! એવો આત્મા અત્યારે હિન્દુસ્તાનમાં નથી. પવિત્રતા-પરિણતિ, અને શુદ્ધ પરિણતી સહિતનું જાતિસ્મરણજ્ઞાન છે. વૈરાગ્ય-વૈરાગ્ય! શાસ્ત્રમાં આવે છે; તીર્થકર દીક્ષા લે ત્યારે પહેલાં જાતિસ્મરણ થાય એવો નિયમ છે. જાતિસ્મરણ થાય ત્યારે ઉપયોગ મૂકવો પડે નહિ અને ફટ જ્ઞાન થાય, એકદમ વૈરાગ્ય થઈ જાય. એવું બેનને થઈ જાય છે. બેનને જાતિસ્મરણ થતાં વૈરાગ્ય ઘણો વધી ગયો છે; એમને બિલકુલ પરની કાંઈ પડી નથી.
* *
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
(રાજકોટ, સં. ૨૦૨૭)... બેન (ચંપાબેન) ને તો આમ પ્રત્યક્ષ દેખતાં અંદર એવું થઈ જાય છે, ખેદ આવી જાય છે: અરેરે ! કયાં હતાં ને કયાં આવી ગયાં! અરે, પ્રત્યક્ષ બધું દેખાય છે. અહા! આ સંસાર! આ પ્રાણી! આ દુઃખ !'... ઘણો રૂડો જીવ, બહુ રૂડો જીવ; સંસારને કાંઠે આવેલો, જુદી જ જાતનો. પોતે તો કહે જ નહિ. આ તો એમની ઉંમર થઈ ગઈ ૫૮, શ૨ી૨ સાધારણ, ખોરાક સાધારણ... આ તો કેમ નભે છે!... નામઠામ, ભવિષ્યનાં નામ, તીર્થંકરનું નામ-બધી સિદ્ધ થઈ ગયેલી વાત, (સીમંધર) ભગવાનના મુખે કહેલી. નાના મોઢે આવી વાત લોકોને આકરી લાગે. એક એક, અક્ષરે અક્ષર સિદ્ધ થયેલી. ભરતક્ષેત્ર જેવું ક્ષેત્ર! અત્યારે આવો કાળ! તેમાં આ વાત લોકોને આકરી લાગે.
૧૧૬
**
(શ્રાવણ વદ ૨, સં. ૨૦૨૦) અરે! આ જીવ (બહેનશ્રી ચંપાબેન ) તો કોઈ અલૌકિક છે! વધારે બોલતાં નથી એટલે કંઈ છે નહિ એમ નથી. આ તો ગંભીર દ્રવ્ય છે!
એમનો પુરુષાર્થ તો એવો ફાટફાટ ઊપડેલો છે કે જો એ પુરુષ હોત તો કયારના મુનિદીક્ષા લઈ વનજંગલમાં ચાલ્યા જાત, અહીંયાં દેખાત પણ નહિ; શું કરે, સ્ત્રીનો દેહ છે!
જેમ માળામાં મણકાનો મે૨ હોય છે તેમ આ તો આખા મંડળના-મણકાના મેર છે. એમનાથી જ મંડળ શોભે છે. એમનાથી તો બધાં હેઠે, હેઠે ને હેઠે છે.
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
(તા ૮-૧૧-૬૫ ) અરે! એમનાં દર્શનથી તો ભવનાં પાપ કપાય એવો આ જીવ છે. બધા ભાઈઓ એમનાં તળિયાં ચાટે તો ઓછું છે એવું તો આ દ્રવ્ય છે!
**
( તા. ૨૧-૧૨-૬૫ ) ૨૮ વર્ષ થઈ ગયાં. જાતિસ્મરણ થયાંને, પણ બહાર પડવાની જરાય જેને (બહેનશ્રી ચંપાબેનને ) વૃત્તિ નથી ઊઠતી-પ્રતિબિંબ જેવાં ઠરી ગયાં છે. જેને પોતાને સાગરોપમ વર્ષોનું જ્ઞાન છે તો પણ ગુપ્ત! મને પણ નથી કહ્યું. મારી બધી વાત કહી જાય, પણ પોતાની નહિ... એમનો આત્મા કેટલો ગંભી૨ ! અલૌકિક! અચિંત્ય ! અદ્દભૂત !–શબ્દો ઓછા પડે છે. આ તો સાગર સમાન ગંભીર છે.
છે ?
૧૧૭
**
પૂજ્ય ગુરુદેવઃ- બેન! લૌકિક જ્ઞાનની (રાજુલના જાતિ સ્મરણજ્ઞાનની ) એટલી પ્રસિદ્ધિ, તો તમારો આત્મા તો મહાન છે, તમારી (તમારા જ્ઞાનની) પ્રસિદ્ધિ થવી જોઈએ.
પૂ. બહેનશ્રી:- સાહેબ! દુનિયામાં પ્રસિદ્ધિ કરીને શું કરવું
દુનિયાને એમની ( બહેનશ્રી ચંપાબેનની ) કિમત કયાંથી આવે ? કારણ−કંઈ બોલતાં નથી અને બહારમાં કંઈ કરીને દેખાડતાં નથી. દુનિયાને તો બહારના ચમત્કારની કિંમત છે ને! એમના અંતરને એ શું જાણે ?
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
(તા. ર૬-૧૧-૬૫ ) વિ. સં. ૧૯૯૩, ચૈત્ર વદ આઠમના દિવસે બેનને (બહેનશ્રી ચંપાબેનને) આત્માના શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પ અનુભવ સાથે ઉપયોગમાં નિર્મળતા થતાં જાતિસ્મરણ થયું. * * * સમ્યગ્દર્શન ૮૯માં થયું હતું. * * * ધ્યાન કરતાં કરતાં એટલાં એકાગ્ર થઈ જાય છે કે પોતે ભારતમાં છે કે વિદેહમાં એ પણ ભુલાઈ જાય છે. * * * અમે સાથે જ મોક્ષ જવાના છીએ. આ વાત બધી પ્રત્યક્ષ થયેલ છે. * * * બેનનું (બહેનશ્રીનું) જ્ઞાન તો અગાધ અને ગંભીર છે. * * * આ ચંપાબેનનું જ્ઞાન તો રાજુલ કરતાં અનંત અનંત સામર્થ્યવાળું છે. એને તો લૌકિક, પણ આમને તો અલૌકિક જ્ઞાન છે. આત્મજ્ઞાન સહિતનું જાતિસ્મરણ છે. એમને ચાર ભવનું જ્ઞાન છે પણ ગંભીર એટલાં કે કોઈ દિવસ બહાર પાડતાં નથી. મને પણ... પોતાની વાત ન કરે, મારું બધું કહી જાય. બેન તો ભગવતીસ્વરૂપ છે, ભગવતીમૂર્તિ છે. બોલવું તો એમને હરામ છે. કયાં બોલે જ છે? માટે લોકોને મહિમા આવતો નથી. એમના જેવાં દુનિયામાં કોઈ સ્ત્રી નથી. સ્ત્રીઓનાં મહાભાગ્ય છે કે આવા કાળમાં-આવા મિથ્યાત્વના જોરના કાળમાં એમનો અહીં જન્મ! એ તો જે બહુમાન કરશે એમનાં મહાભાગ્ય છે.
* *
( રાજકોટ તા ૩૧-૫-૬૭) સેંકડો વર્ષોમાં નથી એવો આ સ્ત્રી-દેહમાં આત્મા પાકયો છે. સમાજનાં એટલાં પુણ્ય છે કે આ વાત બહાર મુકાય? લોકોને જે બોલે છે એની કિંમત આવે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
છે, આ નથી બોલતાં માટે એમની કિંમત આવતી નથી. ઓછું બોલે એટલે જાણે કાંઈ આવડતું જ ન હોય એમ લોકો માને.
**
(ફતેપુર તા. ૩–૧૨–૭૦) બેનને (ચંપાબેનને ) તો ચાર ભવનું જ્ઞાન (જાતિસ્મરણ ) છે. અસંખ્ય અબજો વર્ષનું જ્ઞાન છે એમને ! આ તો કોઈ અલૌકિક આત્મા છે. ચંપાબેનની શક્તિ તો ગજબ છે. નરમ નરમ છે. સ્ત્રી-દેહ છે પણ કંઈ સ્ત્રીદેહ થોડો નડે છે? ૩૪ વર્ષ થયાં એમને જ્ઞાન પ્રગટયાને. સ્ત્રીઓમાં ધર્મરતન છે.
૧૧૯
**
( ત તા. ૧૯-૬-૭૧ ) બેન ( ( બહેનશ્રી ચંપાબેન ) તો આરાધનાની દેવી છે. પવિત્રતામાં આખા ભારતમાં અજોડ છે. એમની છત્રછાયા આખા સોનગઢમાં છે. ઓહો ! બેન તો ભગવતીસ્વરૂપ છે. તારે બીજે કયાં ગોતવા જાવું છે? એમનાં દર્શન કર ને! એક વાર ભાવથી જે એમનાં દર્શન કરશે એનાં અનંત કર્મબંધન ઢીલાં થઈ જશે. એમનાં ચરણોમાં જે વિંટાઈને રહેશે એને ભલે સમ્યગ્દર્શન ન થાય, તત્ત્વનો અભ્યાસ ન હોય, તોય એનો બેડો પાર છે.
**
સુવર્ણપુરીની આ રચના (સીમંધરભગવાન, કુંદકુંદાચાર્ય દેવ ઇત્યાદિની પ્રતિષ્ઠા) એમના વિદેહના જાતિસ્મરણનો ચિતાર છે.
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
બેન તો અણમોલ રતન છે; જો પુરુષ હોત તો એક સેકંડ પણ જુદાં ન પડત.
૧૨૦
**
એમના ફોટામાં કેટલા ઊંડા ભાવ આવી ગયા છે! ફોટામાં આવા, તો અંદરમાં તો હજી કેટલા ઊંડા હશે ?!
**
બેનશ્રીને દીકરી કહ્યું, બેન કહું, ધર્મમાતા કહું કે સાધર્મી કહું, જે કંઈ કહું-બધું છે.
**
ચંપાબેન તો આ કાળનું આશ્ચર્ય છે.
**
સ્ત્રીઓમાં તો કોઈ નહિ, પણ વર્તમાન બધા... કરતાં એમની દશા વધારે છે.
**
નહિ–જેવા માયાના પરિણામમાં અહીં આ અવતાર! નહિ તો એ અહીંયાં હોય જ શેના? પૂર્વના અખંડ બાળબહ્મચારી! એમનો અવતાર જ અહીંયાં કયાંથી?
**
( તા. ૮-૭-૭૧ ) આજ બેનનો જન્મ દિન છે ને!... બધાંને કેટલો ઉલ્લાસ દેખાય છે; એમને કાંઈ છે? અધ્યાત્મમાં એમની સ્થિતિ ઉદાસ, ઉદાસ ને ઠરેલી છે.
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્દગાર
૧૨૧
(તા. ૧૨-૯-૭૧) બેન (ચંપાબેન ) ની નિર્મળતા ઘણી ઘણી ! નિર્મળતા-નિર્મળતા ! અપૂર્વ અપૂર્વ સ્મરણ! શાંત ને ગંભીર ! બેન તો ધર્મરતન છે. મહાવિદેહમાં ઘણી નિર્મળતા હતી; ત્યાંની નિર્મળતા લઈને અહીંયાં આવ્યાં છે. એકાંતપ્રિય, શાંતિથી એકલાં બેસી પુરુષાર્થ કર્યા કરે છે. એમને કયાં કોઈની પડી જ છે! કુટુંબનીયે નથી પડી. અંતર સ્વરૂપપરિણતિમાં રહે છે.
**
( તા. ૧૯-૯-૭૧) ઓહો! બેનના જ્ઞાનની નિર્મળતાની શી વાત કરવી! ઘણું સ્પષ્ટ જ્ઞાન!... બેન તો જબરી આરાધના કરે છે. એકલાં બેઠાં પોતાનું કામ કર્યા જ કરે છે. હવે તો એમને બહાર પાડવાં જ છે. એમનો જયજયકાર થશે, એમની ઘણી જાહોજલાલી થશે, જે જીવશે તે જોશે. અલૌકિક દ્રવ્ય છે, એમની લાઈન જ જુદી છે.
...
**
(ભા. સુ. ૧૧, સં. ૨૦૨૬)... બેન બોલે છે તો ઘણું થોડું. દીકરીઓનાં ઘણાં ભાગ્ય છે. જો મૌન રહે તો પણ એનાં દર્શનથી તો લાભ જ છે. અમને ઘણા વખતથી ખ્યાલમાં હતું: બેનની
ઘણી શક્તિ છે.
**
(કા. વ. ૧૨ સં. ૨૦૨૨) રાજુલને પૂર્વભવનું ગીતાનું યાદ આવ્યું તે તો સામાન્ય વાત; બેનને (બહેનશ્રીને ) તો દ્રવ્ય ને ભાવે બંને પ્રકારે સ્મરણ છે. શુદ્ધ આત્માના જ્ઞાન સહિતનું ઘણું જ્ઞાન
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
છે. ભાવસ્મરણ એટલે નિજ શુદ્ધ આત્માનું, અને દ્રવ્યસ્મરણ એટલે આ જીવ પોતે પૂર્વે કયાં હતો તે, તે બંનેનું જ્ઞાન છે. એ તો ભગવતીસ્વરૂપ છે, ભગવતી બેન છે.
૧૨૨
**
શ્રી કુંદકુંદ-આચાર્યદેવ વિદેહમાં ગયા હતા તેના કોણ સાક્ષી છે? સાક્ષી આ ચંપાબેન બેઠાં છે તે છે.
**
બેનની ગંભીરતા તો જુઓ! બેનના બોલ (વચનામૃત ) બહુ ગંભીર છે. બેનને તો કયાં બહાર પડવું છે? માંડ બેનનું પુસ્તક બહાર આવ્યું. બેનનું પુસ્તક તો બહુ સરસ ! બહુ સરસ ! અધ્યાત્મની રુચિ હોય તેને માટે તો બહુ સરસ. આવું કયારે બહાર આવે! બેનને તો વિચાર નહોતો ને બહાર આવી ગયું. જગતનાં ભાગ્ય છે!
**
(તા. ૨૬-૮-૭૨ ) બેનનો આત્મા તો મંગળમય છે, ધર્મરતન છે. હિંદુસ્તાનમાં બેન જેવાં અજોડ સ્ત્રીઓમાં કોઈ છે નહિ, અજોડ રત્ન છે. બાઈઓનાં તો મહાભાગ્ય છે કે આવું રત્ન મળ્યું છે.
**
(તા. ૧૭–૩–૭૩) આ બેનની તો લાઈન જ જુદી છે. એમનો વૈરાગ્ય, જાતિસ્મરણજ્ઞાન, એમની દશા-બધું જુદું જ છે. એમને કયાં કોઈની પડી છે! કોઈ વંદન કરે કે ન કરે, એ કયાં કોઈને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
૧૨૩
જુએ જ છે!
**
( તા. ૫-૮-૭૪ )... બેન તો ચૈતન્ય- હીરલો છે, તેને હીરેથી શું વધાવવાં! તે તો પોતે જ હીરો છે. હું આહાર કરવા તેમના ઘરે ગયો ને મેં કહ્યું કે બેન! લોકોને ઘણો ઉત્સાહ છે. વજુભાઈ–હિંમતભાઈ ત્યાં બેઠા હતા. બેન કહે: ‘હું તો આત્માની સાધના કરવા અહીં આવી છું, આ તો બોજો લાગે છે.' એમને બહારની કાંઈ પડી નથી, જેટલું કરો તેટલું ઓછું છે.
**
(બેનશ્રીને આવતાં દેખીને કહ્યું-) બેન માટે જગ્યા કરો, ‘ધર્મની શોભા’ ચાલી આવે છે. બેન નથી સ્ત્રી, નથી પુરુષ, તે તો સ્વરૂપમાં છે. ભગવતીસ્વરૂપ એક ચંપાબેન જ છે, તેમની દશા અલૌકિક છે. એ તો અતીન્દ્રિય આનંદમાં લહેર કરે છે.
**
બેનનું પુસ્તક (વચનામૃત) આવ્યું ઘણું ઊંચું સાદી ભાષા, મર્મ ઘણો. અતીન્દ્રિય આનંદમાંથી આવેલી વાત છે. એકલું માખણ ભર્યું છે-એકલો માલ ભર્યો છે. ઘણું ગંભી૨! થોડા શબ્દોમાં ઘણું ગંભીર ! આ તો અમૃતધારાનો વરસાદ છે. વચનામૃત તો બાર અંગનું માખણ છે, સા૨માં સાર આવી ગયું છે. ‘દ્રવ્યદૃષ્ટિપ્રકાશ’ કરતાં આ પુસ્તક અલૌકિક છે. જગતનાં ભાગ્ય-આવી ચીજ બહાર આવી! આવાં વચનામૃત કોને ન ગોઠે ? સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથે જોયા તે આ ભાવ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
આ તો બેનનાં અંદરનાં વચન છે ને! બેનની ભાષા સાદી, પણ અંતરની છે. અનુભવ વિદ્વત્તા માગતો નથી, અંતર અનુભૂતિ અને રુચિ માગે છે. આ બેનના શબ્દો છે તે ભગવાનના શબ્દો છે. ભાષા ય નવી ને ભાવો ય નવા! સાદી ભાષામાં અંદર રહસ્ય છે. લાખો પુસ્તકો છપાયાં, મેં કોઈ દિવસ કહ્યું ન હતું; જ્યાં આ (વચનામૃત ) હાથમાં આવ્યું, ( જોયુંવાંચ્યું) ને રામજીભાઈને કહ્યું: ભાઈ ! આ પુસ્તક લાખ છપાવો.
**
૧૨૪
( તા ૬–૯–૭૭ ) ( બહેનશ્રીનાં વચનામૃત પુસ્તક ટાઈમસર બહાર પડયું. બેનને કયાં બહાર પડવું જ છે, પણ પુસ્તકે બહાર પાડયાં ભાષા સરળ છે પણ ભાવ ઘણા ગંભીર છે, મેં આખું વાંચી લીધું છે. એક વાર નહિ પણ પચીસ વાર વાંચે તોય સંતોષ ન થાય એવું પુસ્તક છે. આ દસ હજાર પુસ્તક છપાવીને બધા હિન્દી-ગુજરાતી ‘આત્મધર્મ' ના ગ્રાહકોને ભેટ દેવાં એમ મને થયું.
**
( તા ૧૬–૯–૭૭) હું કહું છું કે (વચનામૃત પુસ્તક સર્વોત્કૃષ્ટ છે-આખા સમયસારનો સાર આવી ગયો છે એટલે સર્વોત્કૃષ્ટ છે. આ પુસ્તક બહાર માણસોના હાથમાં જશે તો હિન્દુસ્તાનમાં ડંકો વાગશે. આ પુસ્તક વાંચતાં તો વિરોધી પણ મધ્યસ્થ થઈ જશે-એવી વાત છે. જગતને લાભનું કારણ છે. માન મૂકીને એક વાર મુનિઓ (પણ) વાંચે તો એમના લાભનું કારણ છે.
...
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
૧૨૫ (તા. ૧-૧૦-૭૭) પરિણમનમાંથી નીકળેલા શબ્દો છે. બેનને તો નિવૃત્તિ ઘણી. નિવૃત્તિમાંથી આવેલ શબ્દો છે. પુસ્તકમાં તો સમયસારનો સાર આવી ગયો છે-અનુભવનો સાર છે; પરમ સત્ય છે. “વચનામૃત' એ ચીજ તો એવી બહાર આવી ગઈ છે કે હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ બહાર પાડવું જોઈએ.
* * આ બેનનાં વચનો છે તે અનંત જ્ઞાનીનાં વચનો છે. ઈન્દ્રોની સમક્ષ અત્યારે શ્રી સીમંધરદેવ જે ફરમાવે છે તે આ વાણી છે. આ ચોપડી સાધારણ નથી, આમાં તો બહુ ભર્યું છે. ભાષા મીઠી છે, સાદી છે; ભાવો ઊંડા ને ગંભીર છે. દિવ્યધ્વનિનો આ અવાજ છે. અરે ! એક વાર મધ્યસ્થપણે આ વાંચે તો ખરો ! ભગવાને કહેલી જે ૐકાર ધ્વનિ છે એમાંથી નીકળેલો આ સાર બેને કહેલ છે.
* * (સં. ૧૯૯૭) આ કાળનો જોગ અનુકૂળ છે; બેન જેવાંનો આ કાળે અવતાર છે. એ ધર્માત્મા ગૃહસ્થના ભેટા થવા પણ અનંત કાળે મોંઘા છે. ભાઈઓને આ કાળે ધર્માત્મા પુરુષ મળી આવે, પણ આ કાળે બહેનોનાં પણ સભાગ્ય છે.
(તા. ૧૭-૯-૮૦) બેનથી બોલાઈ ગયું અંતરમાંથી. ત્યાંથી (વિદેહક્ષેત્રથી) આવેલી વાત છે. બેન ત્યાંથી આવ્યા છે. . બેન (દીકરિયું પાસે) બોલેલાં ને લખાઈ ગયું, નહિતર તો બહાર આવે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જ કયાંથી ? ( આ બધું) કોતરવાનું છે. પથ્થરમાં આરસનાં પાટિયાંમાં )
**
આ (વચનામૃત ) ચોપડી એવી આવી છે કે ગમે તેટલાં શાસ્ત્ર હોય, આમાં એકેય વાત બાકી નથી. થોડા શબ્દોમાં દ્રવ્યગુણ-પર્યાય, વ્યવહાર-નિશ્ચય વગેરે બધું આવી ગયું છે. જગતનાં ભાગ્ય કે આવી સાદી ભાષામાં પુસ્તક બહાર આવી ગયું. વીતરાગતાના ભાવનું રટણ ને લઢણ છે. આખા હિન્દુસ્તાનમાં ઢંઢેરો પિટાશે. જ્યાં પુસ્તક હાથમાં આવ્યું ત્યાં કહ્યું કે એક લાખ પુસ્તક છપાવાં જોઈએ.
**
6
બેનને જાતિસ્મરણમાં આવ્યું છેઃ ભગવાન પાસે સાંભળ્યું છે કે એક એવું સમકિત હોય છે કે જે ક્ષાયકને જોડે છે, એવું જોડણી ક્ષાયક' હોય છે. એમને ગોઠતું નથી પણ હવે એ થોડું થોડું બહાર પાડીએ છીએ... બેનનું પુસ્તક બહુ સરસ છે. એકલું માખણ છે. ‘દ્રવ્યદષ્ટિપ્રકાશ' કરતાં પણ ચડી જાય એવું છે. સાદી, સરળ ભાષામાં ઊંચુ તત્ત્વ પીરસ્યું છે.
**
(તા. ૧૭–૯–૮૦) આ તો બહેનની ભાષા તદ્દન સાદી અને અંદરથી બોલેલી. આ તો જરીક બોલ્યાં અને લખાઈ ગયું, નહિતર તો બહાર આવે જ ક્યાંથી ? એકલાં રતન પડયાં છે! અન્યમતીનેય એમ થાય કે આવું ક્યાંય નથી.! હીરાનો ભંડાર છે !
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોગાર
એ
(તા. ૧૯-૯-૮૦) અહાહાહા! બેનની લાયકાત! (બેનની આ વાણી) તો કોતરાવાની છે પથ્થરમાં અઢી લાખ રૂપિયા તે દી (શ્રાવણ વદ બીજે) થઈ ગયા. (વચનામૃતનું )
મકાન બનાવવામાં આવશે.
૧૨૭
**
(રાજકોટ ઈ. સ. ૧૯૮૦) આ બેનનાં વચનો છે. અંતર આનંદના અનુભવમાંથી આવેલી વાત છે. ઘણું જોર અંદરનું, અપ્રતિહત ભાવના. આત્માનું સમ્યગ્દર્શન અને અતિન્દ્રિય આનંદની અનુભૂતિ–એમાંથી આ વાત આવી છે. આનંદના સ્વાદમાં મડદાની જેમ હાલે. અહાહા! સચ્ચિદાનંદ પ્રભુ છે બેન! અંતરની મહત્તા આડે બહારનું કાંઈ લક્ષ જ નથી. અનુભવી, સમકિતી, આત્મજ્ઞાની છે. આત્માનો અનુભવ તો છે પણ સાથે અસંખ્ય અબજ વર્ષોનું જાતિસ્મરણજ્ઞાન છે. પણ લોકોને બેસવું કઠણ પડે.
**
બેન (ચંપાબેન ) તો જૈનનાં મીરાંબાઈ છે. ભાનસહિતની ભક્તિ છે, આંધળી દોડ નથી.
**
બેનને તો એક આનંદ આનંદ આનંદ! તે આખો દી સહજ નિવૃત્તિ; બસ, બાકી કાંઈ કરતાં કાંઈ નિહ. કોઈ વંદન કરે કે નહિ એની સામે પણ જુએ નહિ. કોઈ સાથે લવથવ નહિ.
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
(તા. ર૯-૧-૭૮) જેને આનંદમાં જમવટ જામી છે, જેને અતીન્દ્રિય આનંદના કોળીયા લેવાય છે અને જે અતીન્દ્રિય આનંદને ગટક ગટક પીએ છે એવા ધર્મીનું (–સાધકનું) આ સ્વરૂપ બેનના મુખેથી (વચનામૃતમાં) આવ્યું છે. તદ્દન સાદી ભાષા. પ્રભુના સમોસરણમાં આમ વાત ચાલતી, ભાઈ ! .. અરે ! આ વાત બેસે તે તો ન્યાલ થઈ જાય તેવું છે. જિનેશ્વરદેવનું જે ફરમાન છે તે આ બેન કહી રહ્યાં છે.
*
*
(તા. ૨૯-૧-૭૮) વચનામૃતના એક એક ફકરામાં, એક એક શબ્દમાં, નિધાન ભર્યા છે. જેને તળિયાં પકડતાં આવડે તેને અગાધતા લાગે સ્વભાવની. પર્યાયે પ્રભુને સંઘર્યો, આખો જ્ઞાનમાં લઈ લીધો. આ તો સિદ્ધાન્તનું દોહન છે. જગતનાં ભાગ્ય કે આ (બેનનું પુસ્તક) ટાણે બહાર આવી ગયું. થોડા શબ્દોમાં, સાદી ભાષામાં, મૂળ તત્વને પ્રગટ કર્યું.
* *
(શ્રાવણ વદ ૨) ચંપાબેન ખરેખર અજોડ રતન છે; તે તો અંદરથી સાવ ઉદાસ છે; તેમને બહારનું આ બધું કાંઈ ગમતું નથી; પણ લોકોને તો ભક્તિપ્રેમથી બહુમાન કરવાના ભાવ આવે ને!
*
*
(તા. ૭-૧૨-૭૭) બેનના પુસ્તક સિવાય આપણે કોઈમાં પડ્યા નથી. બેનનું પુસ્તક બહુ સારું આવ્યું.... બેનના બોલમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
૧૨૯ આવે છે ને ‘બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે!' ઘણું સરસ !
* *
બેન તો મહાવિદેથી આવ્યાં છે. એમના અનુભવની આ (વચનામૃત) વાણી છે. હીરાથી વધાવ્યાં તો ય તેમને કાંઈ નહિ. બેન તો (થોડા ભવમાં) કેવળજ્ઞાની થશે.
(તા. ૨૨-૧-૭૮) અમે (સીમંધર) ભગવાન પાસેથી સીધા જ આવ્યા છીએ. આ વચનામૃતમાં ભગવાનની ધ્વનિનાં મંત્રો ભરાઈ ગયા છે. બેનની (ચંપાબેનની) શી વાત કરવી! તે તો ધ્યાનમાં ધ્યાનમાં બસ ધ્યાનમાં રહે છે. આનંદ આનંદ આનંદમાં છે. તેમનો દેહ સ્ત્રીનો છે તેથી ખ્યાલ ન આવે.
* * (તા. ૧૯-૯-૮૦) વચનામૃતના એક-એક શબ્દમાં સારો (–પુરો) સાર ભર્યો છે. વિચારને દીર્ઘપણે લંબાવીને અંતરમાં જા. અહાહા! બેનની (ચંપાબેનની) કેવી સ્થિતિ છે! કહે છેઆત્મા” બોલતાં શીખ્યા તો અહીંથી (ગુરુદેવ પાસેથી) ! ગજબ છે એમનો વિનય અને નમ્રતા !
* * બેન વિદેથી આવ્યાં છે. એમને તો અસંખ્ય અબજ વર્ષનું જાતિસ્મરણજ્ઞાન છે. અસંખ્ય અબજ વર્ષની વાત, કાલની આજ દેખાય તેમ દેખાય છે. .. આત્મજાતિનું જ્ઞાન થવું તે યથાર્થ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જાતિસ્મરણ છે–અનંત અનંત ગુણોનો નાથ તેનું જ્ઞાન અંદરમાં હોવું તે ( ૫૨માર્થ ) જાતિસ્મરણ છે.
**
૧૩૦
(તા. ૧૯–૮–૮૦) બેનને ખબર નહિ કે કોઈ લખી લેશે. એમને બહાર પડવાનો જરા પણ ભાવ નહિ. ધર્મરતન છે, ભગવતી છે, ભગવતીસ્વરૂપ માતા છે. (એમનાં આ વચનો ) આનંદમાંથી નીકળ્યાં છે. ભાષા મીઠી આવી ગઈ છે.
**
બેન અત્યાર સુધી ગુપ્ત હતા. હવે ઢાંકયું નહિ રહે–છાનું નહિ રહે. એમનાં વચનો તે ભગવાનની વાણી છે, તેમના ઘરનું કાંઈ નથી-દિવ્ય-ધ્વનિ છે. બેન તો મહાવિદેહથી આવ્યાં છે. આ વચનામૃત લોકો વાંચશે, વિચારશે, ત્યારે ખ્યાલ આવશે આ કેવું પુસ્તક છે! એકલું માખણ છે.
**
( તા ૧૯-૨-૭૮ ) ( બેનની ) આ વાણી તો આત્માના અનુભવમાં-આનંદમાં રહેતાં રહેતાં આવી ગઈ છે. અમે ભગવાન પાસે પૂર્વે હતા. બહુ ઊંચી વાત છે. અત્યારે આ વાત બીજે કયાંય નથી. બેન (ચંપાબેન ) તો સંસારથી મરી ગયાં છે. અપૂર્વ વાત છે બાપુ!
**
બેનનું પુસ્તક તો એવું બહાર પડયું છે કે મારા હિસાબે તો બધાને ભેટ દેવું જોઈએ. બહુ સાદી-બાળક જેવી ભાષા; સંસ્કૃત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
ગુરુદેવના હૃદયોદ્ગાર ભાષા નહિ. બહુ જોરદાર ગંભીર વાતો એમાં છે.
* * અહાહા! આ આવી ચીજ લોકોનાં ભાગ્યે બહાર આવી ગઈ. પોકાર કર્યો છે એમાં આત્માનો. બેનનો ફોટો છે ઉપર-ઘણો સારો; શાન્ત-શાન્ત !!
* * બેન તો બેન જ છે. એના જેવું બીજું કોઈ નથી. અહીં કયાં અમારે કાંઈ છાનું રાખવું છે! બેન તો અજોડ છે, અકેલા હી હૈ. અમારે ખાનગી-ગુપત છે નહિ.
* *
બેનના પુસ્તકમાં બહુ ટૂંકું ને માલ-માલ છે. અન્યદર્શનીઓને પણ ગમે તેવું છે. . અરે! એમાં તો તારી મહિમા ને મોટપની વાતો છે. મુનિઓની વાત કેવી લીધી છે!મુનિઓને બહાર આવવું એ બોજો લાગે છે. આ પુસ્તક બહાર આવ્યું એ ઘણું જ સરસ ! અંદર થોડામાં ઘણી વાતો છે.
* * બેન તો એક અદ્ભુત રતન પાકયાં છે. શક્તિ અદ્ભુત છે. અતીન્દ્રિય આનંદના વેદનમાં એને કાંઈ પડી નથી. હિન્દુસ્તાનમાં એમના જેવો કોઈ આત્મા નથી. આ પુસ્તક બહાર પડયું એટલે કાંઈક ખબર પડે.
* * ચંપાબેન એટલે કોણ? ! એમનો અનુભવ, એમનું જ્ઞાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સમતા અલૌકિક છે. .. સ્ત્રીનો દેહ આવી ગયો છે. પણ અંતરમાં અતીન્દ્રિય આનંદની લહેરમાં પડયાં છે; એમાંથી વાણી નીકળી છે.-આ, એમની વાણીનું પ્રમાણપણું છે.
બેન અલૌકિક ચીજ છે; દેહથી ભિન્ન અને રાગથી ભિન્ન આત્માને અનુભવે છે. એને (બારમાં) મજા પડતી નથી. એ તો અતીન્દ્રિય આનંદમાં લહેર કરે છે.
* *
(સં. ૨૦૩૦) ( શ્રાવણ વદ ૧૪ના દિને પંડિત શ્રી હિંમતભાઈના ઘરે આહાર કરવા પધાર્યા ત્યારે- )
પૂજ્ય ગુરુદેવઃ- “ હિંમતભાઈ ! જાઓને, લોકોને કેટલા ભાવ છે બેન ઉપર ! બીજના ટાણે કેટલું બધું માણસ આવ્યું ' તું!
પૂ. બહેનશ્રી (અતિ નરમાશથી) :- સાહેબ! મારે તો આત્માનું કરવું છે. એ તો બધી ઉપાધિ લાગે છે.
પૂજ્ય ગુરુદેવઃ- બેનબા! તમારે શું છે? તમારે તો બધું જોયા કરવું. મારા હિસાબે તો હજી ઓછું થાય છે. તમારા માટે તો લોકો જેટલું કરે તેટલું થોડું છે.
* * (સં. ૨૦૩૩) એક સ્ત્રીનો દેહ આવી ગયો. નહિતર (બેન) દૂર એક ક્ષણ ન રહે. . કેટલીક શબ્દની શૈલી તો એમના ઘરની,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
૧૩૩ નિવૃત્તિની છે. સાદી ભાષા બહુ, ચાર ચોપડી ભણેલાને બેસી જાય એવી છે.
*
*
(તા. ર૯-૧૧-૭૭) બેનનાં વચનામૃત એ કેવળજ્ઞાનનો કક્કો છે. બે-ચાર વાર નહિ પણ દસ વાર વાંચશે ત્યારે સમજાશે.
* * ઓહો ! સાદી ભાષા, મંત્રો છે મંત્રો. આ તો લાખો શાસ્ત્રોનો નિચોડ છે. લાખો શું? કરોડ, અનંત શાસ્ત્રોનો આશય આલંબન કરાવવું તે છે. લોકો વાંચશે તો અહાહા ! ... બાહુબલીમાં ભટ્ટારક જોયું તો કહે કે “મને આપો; ઓહો ! આવું પુસ્તક !'
બેનની (ચંપાબેનની) તો શી વાત કરું! તેમની નિર્મળ દષ્ટિ અને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ આ કાળે અજોડ છે. એ તો અંદરથી જ ઉદાસ ઉદાસ છે. તેમને વિષે વિશેષ શું કહ્યું? અમારે મન તો તે ભારતનું ધર્મરતન, જગદમ્બા, ચૈતન્યરત્ન ધર્મમૂર્તિ છે, હિન્દુસ્તાનનો ચળકતો તારો છે.
* *
(જામનગર, એપ્રિલ-૭૯) બેનને અસંખ્ય અબજો વર્ષનું જ્ઞાન છે-૯ ભવનું જ્ઞાન છે (-ભૂતના ૪ ભવિષ્યના). બેન તો ભગવાન પાસેથી આવ્યાં છે. અનુભવમાંથી આ વાત આવી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
ઉદયભાવથી તો મરી ગયાં છે, આનંદથી જીવે છે. પરમાત્મા પાસેથી આવ્યાં છે. સાક્ષાત્ પરમાત્મા ત્રણ લોકના નાથ બિરાજે છે સીમંધરભગવાન, ત્યાં અમે સાથે હતા. શું કહીએ પ્રભુ! સીમંધર પરમાત્મા પાસે ઘણી વાર જતા હતા. તે ભગવાનની આ વાણી છે. બેન તો આનંદસાગરમાં...
* *
આ કથા-વાર્તા નથી, ભાગવત કથા છે. પરમાત્માની વાણીના ઈશારા છે. તેનો અનુભવ કરે તેને ખબર પડે... બેન તો ભગવતી માતા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુજ્ય ભગવતી બહેનશ્રી ચંપાબેનની નિજાનંદવેદન સંબંધી નોંઘ (પોતાના હસ્તાક્ષરમાં)
_ - ૧૯ - વાંકાનેર, આદત બ્રિમ
30 વદ દ . શરમ ૨. બ. સાષ્ઠમ તીજ 35 અrઉં. અનંતકાળ * * * วงวาน 43 સજજ આનંદ સાગર ઉભા રહ્યા હતા. તે સ્વરૂપ આહારી અને અને પરમ ઉપ૨૧ ૫૨મ પ્રતાપ સ૩૩ દેવને બનવું રે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ફાગણ વદ દશમના માંગલિક દિવસે થયેલી
સ્વાનુભૂતિ સંબંધી નોંધ (પોતાના હસ્તાક્ષ૨માં )
૬૭ને,૧૯૪૯
મનો
30 सঈमासे લખમ’ક
'R
આ સ્વરૂપનું બહુ આવતા વૃક્ષ ૯૯ ૬૫મને સોમવારે બપોરે તે સ્વરૂપસ્વ દાન થતાં તેમાં એડ્ડા નાં સ્વરૂપ તે ઉપયોલાવ માં રસ તતાએ આવેલ લકૃષ્ણ છૂટા પડી પોતાના સ્વ સ્થરૂપમાં સ્તર થઈ ચનન્ય ભગવાન તે રૂમ ને અનુભવતા હતા. પોતાના નિબિ એ સહુજ સ્વરૂપમાં ખેત રહ્યા હતા, રખી રહ્યા હ્તા. અનુપમને અદ્ભુત यदा सात्मद्रव्दना महीमा होई समा ૨. ચૈતન્યદેવ આનંદ અને ડોલાપ
અહેસ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અહું!! અનેઠળ છૂપાએલા આમ ભગવાન 2 તેનો छ्यासेसो सेदो अनुपम अमृत સ્વાદ લાયો, અનુભવાયો. ગુરુદેવ આપનોજ
મૈં હૂં. પ્રતા૫ છે.
અનુ આત્મસ્વરૂપ પ્રગટ્યું તે પરમ કૃપાળુ સદ્ગુરુદેવનો જ પ્રભા રહે.
(ભરતખંડમાં અપૂર્વ યુતિમા ાભાર પરમ ઉપારી ગુરુદેવને ન સર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ-અમૃતસરિતા
આ વિભાગમાં, વૈરાગ્યમૂર્તિ આત્મજ્ઞાની પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં નાની વયનાં સ્વાનુભવ૨સભીનાં કેટલાંક લખાણોમાંથી થોડાંક અવતરણો વીણીને આપવામાં આવ્યાં છે. આ અવતરણોનું ઊંડાણથી અવલોકન કરતાં આત્માર્થના અભ્યાસીને તેમની અંતરંગ પરિણતિનો -સહજ જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઉદાસીનતા, નિર્વિકલ્પ આત્માનુભવ, સતત વર્તતી જ્ઞાતાધારા, સ્વરૂપસ્થિરતાની પરિણતિ વગેરેનો અદ્ભુત મહિમા અંદરથી જરૂર આવશે. આ અવતરણો ખરેખર અધ્યાત્મ-અમૃતસરિતા જ
સહજ
છે. આત્માર્થી જીવોએ તેનું વાંચન તથા તેના ઉપર ગહન વિચાર
મનન
અવશ્ય કરવા
યોગ્ય છે અને એમ
કરવાથી જરૂર અપૂર્વ આત્મલાભ થશે.
૧૩૫
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
અધ્યાત્મ- અમૃત- સરિતા
પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના હૃદયમાંથી પ્રવહેલી
હે શ્રી વીતરાગ! હવે તો તમારાં ચરણકમળ સેવવાની બહુ ભાવના થઈ જાય છે.
સ્વરૂપ સિવાય કાર્યણ કોથળીના નિમિત્તે પ્રગટ થતો સમસ્ત શુભાશુભ પરભાવ તે બોજારૂપ ને ઉપાધિરૂપ છે. તેના પ્રત્યે કેટલીક વાર સહજપણે વિશેષ ઉદાસીનતા આવી જાય છે; ને તે પ્રત્યે થાક લાગી-તે પ્રવૃત્તિથી અને તે પરિણતિથી થાક લાગી-ચૈતન્યપ્રભુ તેનાથી વિશેષ ઉદાસીન થઈ સ્વ સ્વરૂપમાં સહજપણે વિશેષ સ્થિત થાય છે.
અંતરંગ સ્થિતિ આવી હોવાના કારણે કેટલીક વાર બાહ્ય સંગપ્રસંગ પ્રત્યે પણ ઉદાસીનતા આવી જાય છે, ને તે બાહ્ય સંગપ્રસંગ ઉપાધિરૂપ ને બોજારૂપ લાગે છે. તેમાં પણ અપ્રશસ્ત પરિચય વિશેષે કરી અરુચિકર લાગે છે; કારણ કે તેને પોતાની આત્મસ્થિતિ સાથે મેળ નથી.
પ્રશસ્ત પરિચયમાં કેટલાક સંગપ્રસંગો પ્રવૃત્તિરૂપ લાગવાથી તે પણ ઉપાધિરૂપ ને બોજારૂપ લાગે છે. અધૂરાશને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭
અધ્યાત્મ-અમૃતસરિતા લઈને તે પ્રસંગોમાં ઊભું રહેવાય છે, પરંતુ ઉપયોગ ત્યાંથી પાછો વળે છે.
જે કાળે અસંગદશાએ એકાંતવાસમાં મુનિવરો વિચરતા હશે તે કાળને ધન્ય છે.
આ કાળે, આ ક્ષેત્રે આપણા જન્મ તે કેટલાંક સાધનોની દુર્લભતા બતાવે છે; તો પણ અસીમ ઉપકારી, અપૂર્વવાણીપ્રકાશક, અપૂર્વ એવા કહાનગુરુદેવ આ કાળે મળ્યા છે તે મહાભાગ્ય છે. તેમને કારણે આત્મસાધનાની સુલભતા છે.
જયારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સ્વરૂપસાધક આત્માઓનો સમાગમ થવારૂપ પરિણમશે ત્યારે તે પ્રાપ્તિ થવારૂપ યોગ બનશે.
જ્યાં પૂર્ણતા નથી ત્યાં દેવ, ગુરુ અને તેમની વાણી તરફનો પ્રશસ્તભાવ આવ્યા વગર રહે નહિ.
-૧૯૯૧ ... જે સર્વ સંયોગોનો સાક્ષી છે તેને આવા સાધારણ પ્રસંગ શા હિસાબમાં છે? તો પણ સાક્ષીપણાની પૂર્ણતા નહિ હોવાથી અપૂર્ણતા હોવાથી કોઈ કોઈ વાર વિભાવરૂપ રાગદ્વેષની પરિણતિમાં ઉપાધિનો બોજો લાગી આવે છે.
-સર્વથા સર્વ પ્રકારે તીવ્રતાએ નિવૃત્ત સ્વરૂપને ઈચ્છનાર (સર્વથા સર્વ પ્રકારે તીવ્રતાએ સમાધિસ્વરૂપને ઈચ્છનાર)
–૧૯૯૨
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
વાંચન, વિચાર તથા સ્વરૂપસ્થિતિ અંતરંગ આત્મવીર્ય ઊપડે છે તે પ્રકારે થયા કરે છે.
સાધકોની દશા જગતથી નિરાળી હોય છે. કોઈ કોઈ વાર સ્વરૂપમાં સહજપણે-નિર્વિકલ્પપણે ઠરી જાય છે; અને વળી બહાર આવે છે ત્યારે પણ ભેદજ્ઞાનની-જ્ઞાતાધારાની-સહજ સમાધિ પરિણમતી હોય છે. સ્વરૂપમાં લીન થાય છે ત્યારે આત્માના અચિંત્ય અનંત ગુણપરિણમનના તરંગોને વેદે છે. એમ થતાં થતાં, સાધકધારા વધતાં વધતાં મુનિપણાની દશા પ્રગટતાં, મુનિપણું આવે છે, અને ક્રમે કરી શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે, સ્વપ૨પ્રકાશક-સ્વભાવવાળું જ્ઞાન પૂર્ણપણે પરિણમે છે, આનંદ આદિ અનંત ગુણ પૂર્ણપણે પરિણમે છે. તે દશાને ધન્ય છે. વારંવાર ધન્ય છે.
સુખ ને આનંદ સ્વરૂપમાં છે, વિભાવ બધો દુઃખરૂપ ને ઉપાધિ રૂપ છે.
-૧૯૯૩
સૂક્ષ્મ ને તીક્ષ્ણ શ્રુતશૈલીથી, ચારે પડખેથી દિવ્ય અમૃતધોધ વરસાવનાર અદ્દભુત ગુરુદેવનાં ચરણકમળમાં નમસ્કાર હો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ-અમૃતસરિતા
૧૩૯
પૂજ્ય ગુરુદેવે સમયસાર અદ્દભુત ને અપૂર્વ રીતે સમજાવ્યું છે. એમ થઈ જાય છે કે-વાહ! ગુરુદેવ વાહ! મન-વચન-કાયા આપની ચરણસેવામાં અર્પણ કરીએ તો પણ ઓછું છે એમ આજે ભાવના થઈ જતી હતી. અહા ! સમયસારમાં કોઈ અદભુત રહસ્ય ભર્યું છે. પણ જ્ઞાન કમપૂર્વક ને અધૂરું હોવાથી એક સાથે પૂરા ને પ્રગટ ઉપયોગાત્મકપણે બધાં રહસ્યો જાણી શકાતા નથી. તેથી એવી ભાવના થઈ જાય છે કે હે પ્રભુ! કોઈ એવી શક્તિ કે પરિણમન પ્રગટો કે જેથી સર્વીશે જ્ઞાનસ્વરૂપ પોતે જ, સહજ જ્ઞાનરૂપે, પ્રગટ ઉપયોગાત્મક રૂપે, પૂર્ણાશે પરિણમી જાય.
દ્રવ્યદષ્ટિથી દ્રવ્ય પરિપૂર્ણ છે; પર્યાયમાં અધૂરાશ છે.
પુરુષાર્થ દ્વારા ચૈતન્યનો જે વીર્ય ગુણ છે તે દ્વારાસાધકપણાની શ્રેણી વધે છે ને સાધ્ય પુરું થાય છે. પર્યાયની પૂર્ણ નિર્મળતા થાય છે-તે ભેદ-અપેક્ષાની વાત છે. અભેદદષ્ટિએ અખંડ ગુણના પિંડસ્વરૂપ પોતે જ પરિણમીને પુરું થાય છે. ભેદઅભેદ વસ્તુસ્વભાવ અદ્ભુત છે!
પૂર્ણ સહજ સ્થિતિ જ જોઈએ છે. -૧૯૯૩
વિભાવપરિણતિના પ્રશસ્ત તરફના પ્રવૃત્તિયોગમાં વાંચન, વિચાર વગેરેનું પ્રવર્તન છે; અભ્યતરમાં-નિવૃત્તિયોગમાં-સર્વ વિભાવથી જુદા એવા નિવૃત્ત સ્વરૂપમાં સહજસ્વરૂપે પરિણતિનું પ્રવર્તન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
બાહ્ય સંયોગોની, અસ્થિર પરિણતિમાં અસર અમુક અંશે સ્થિતિ પ્રમાણે થાય છે; જ્ઞાયકની પ્રતીતિરૂપ જુદી જ્ઞાયકપરિણતિમાં અસર નથી. લેવાયોગ્ય નથી. સ્થિરપરિણતિમાં અમુક અંશે સ્વરૂપસમાધિ હોવાયોગ્ય છે, ને તેમ જ છે.
–૧૯૯૩ અનુભવપ્રકાશના આખા પુસ્તકમાં “અનુભવ જ ' હોવાયોગ્ય છે. “અનુભવ” વાંચતાં, સાંભળતાં પ્રશસ્ત ઉલ્લાસ આવી જવા યોગ્ય છે ને આત્મપરિણતિને લાભ થવા યોગ્ય છે. તે શ્રી ગુર્દેવનો પરમ પ્રતાપ છે. ગુરુદેવની વાણી અભુત, સૂક્ષ્મ ને ઊંડાં રહસ્યોથી ભરેલી છે. ગુરુદેવ આ ભરતખંડમાં અદ્વિતીય રત્ન જાગ્યા છે-જેમના દિવ્ય ચૈતન્ય વડે અને જેમની દિવ્ય વાણી વડ આ ભરતક્ષેત્રમાં ઘણા ઘણા જીવોનો ઉદ્ધાર થયો છે. જેમણે, પોતે ઉગ્ર પુરુષાર્થ વડે અપૂર્વ તત્ત્વને સ્વયં જાતે પ્રગટ કરી, હિન્દુસ્તાનના ઊંઘતા જીવોને જાગ્રત કર્યા છે, હિન્દુસ્તાનમાં છુપાયેલા આત્મતત્વને પોતે પ્રગટ કરી, અગણિત જીવોનો ઉદ્ધાર કર્યો છે એવા ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર પરમ ભક્તિથી નમસ્કાર, નમસ્કાર.
આંગણે બિરાજતા આવા ગુરુદેવની સમીપપણે મનવચન-કાયાએ કરી ચરણસેવા નિરંતર હો, નિરંતર હો.
મહાભાગ્યે આવા ગુણસમૂહ જ્ઞાનમૂર્તિ શાન્તિદાતા ગુરુદેવ સાંપડયા છે. ધન્ય છે આ ક્ષેત્રને, ધન્ય છે આ દેશને !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ-અમૃતસરિતા
૧૪૧ પ્રશસ્ત કે અપ્રશસ્ત સર્વ પરિણતિ ઉપાધિસ્વરૂપ છે. સર્વના સાક્ષીરૂપ વેદનપરિણતિ તે સમાધિરૂપ છે તથા સ્વરૂપસ્થિરતા તે સમાધિરૂપ છે.
પ્રતીતિરૂપ એવી જ્ઞાતાની જ્ઞાતારૂપ વેદનપરિણતિમાં સ્થિરતાને વધારતો વધારતો સાધક સાધ્યરૂપે પૂરો થાય છે, પર્યાયની પૂર્ણ નિર્મળતા થાય છે. દ્રવ્ય તો અનાદિ-અનંત પરિપૂર્ણ શુદ્ધતાથી ભરપૂર છે. શુદ્ધાત્મામાં સ્વરૂપ રમણતા વધતાં વધતાં આત્મ-ઉપયોગ પરલક્ષથી સર્વથા છૂટીને પોતાના કૃતકૃત્ય સ્વરૂપને વ્યક્ત કરે છે, સ્વરૂપમાં આવીને, તેની સાથે એકમેક થઈને, સર્વાશે જોડાઈ જાય છે.
આવા અદ્દભુત સ્વરૂપને પ્રાપ્ત એવા શ્રી વીતરાગદેવને ને તે વીતરાગ સ્વરૂપને વારંવાર નમસ્કાર છે. - ૧૯૯૪
સ્વરૂપપરિણતિમાં યથાશક્તિ સ્વરૂપસ્થિતિ થયા કરે છે. પ્રશસ્ત યોગમાં વાંચન-વિચાર યથાશક્તિ, જે પ્રકારે વીર્યપરિણતિ ઊપડે છે તે પ્રકારે, થયા કરે છે.
જ્ઞાનપર્યાય સંપૂર્ણ પ્રગટ થઈને, પુરુષાર્થ દ્વારા એકલી સ્વ-આશ્રયરૂપે ને સાવ સહજ પરિણમશે ત્યારે ધન્ય થશે.
જ્ઞાયકની જ્ઞાતારૂપે “અડોલ' પરિણતિ વધતાં વધતાં સર્વાંશે અડોલતા પ્રાપ્ત થશે તે દિવસ ધન્ય થશે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #166
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 142 બહેનશ્રીનો જ્ઞાનવૈભવ અહા! ધન્ય છે તે સંપૂર્ણ અડોલ પરિણતિને કે જ્યાં પરની અસર, સૂક્ષ્મ પણ, સર્વ પ્રકારે સહજ છૂટી, એકલો સાક્ષીસ્વભાવ, વીતરાગસ્વભાવ, અચિંત્ય ને અદ્દભુત એવું આત્મદ્રવ્ય પોતાના સ્વભાવોને–તરંગોને વેદી રહ્યું છે, તેમાં પરિણમી રહ્યું છે, કોઈ અદ્ભુતતામાં ખેલી રહ્યું છે! -1993 હવે તો વિભાવના બધા વિકલ્પથી છૂટીને વીતરાગપર્યાયે પરિણમશું ત્યારે ધન્ય થશે! હજારો મુનિઓનાં ટોળાં જે કાળે વિચરતાં હશે તે પ્રસંગને ધન્ય છે! તેવા કાળે મુનિપણું લઈ ઘડીમાં અપ્રમત્ત, ઘડીમાં પ્રમત્ત એવી દશાને સાધી વીતરાગપર્યાયે પરિણમશું ત્યારે ધન્ય થશે! અત્યારે પણ જેમ બને તેમ પુરુષાર્થ વધારી નિર્મળ પર્યાયને વિશેષ વિશેષ પ્રગટ કરવી તે જ શ્રેયરૂપ છે. -2003 Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk