________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જાતિસ્મરણ છે–અનંત અનંત ગુણોનો નાથ તેનું જ્ઞાન અંદરમાં હોવું તે ( ૫૨માર્થ ) જાતિસ્મરણ છે.
**
૧૩૦
(તા. ૧૯–૮–૮૦) બેનને ખબર નહિ કે કોઈ લખી લેશે. એમને બહાર પડવાનો જરા પણ ભાવ નહિ. ધર્મરતન છે, ભગવતી છે, ભગવતીસ્વરૂપ માતા છે. (એમનાં આ વચનો ) આનંદમાંથી નીકળ્યાં છે. ભાષા મીઠી આવી ગઈ છે.
**
બેન અત્યાર સુધી ગુપ્ત હતા. હવે ઢાંકયું નહિ રહે–છાનું નહિ રહે. એમનાં વચનો તે ભગવાનની વાણી છે, તેમના ઘરનું કાંઈ નથી-દિવ્ય-ધ્વનિ છે. બેન તો મહાવિદેહથી આવ્યાં છે. આ વચનામૃત લોકો વાંચશે, વિચારશે, ત્યારે ખ્યાલ આવશે આ કેવું પુસ્તક છે! એકલું માખણ છે.
**
( તા ૧૯-૨-૭૮ ) ( બેનની ) આ વાણી તો આત્માના અનુભવમાં-આનંદમાં રહેતાં રહેતાં આવી ગઈ છે. અમે ભગવાન પાસે પૂર્વે હતા. બહુ ઊંચી વાત છે. અત્યારે આ વાત બીજે કયાંય નથી. બેન (ચંપાબેન ) તો સંસારથી મરી ગયાં છે. અપૂર્વ વાત છે બાપુ!
**
બેનનું પુસ્તક તો એવું બહાર પડયું છે કે મારા હિસાબે તો બધાને ભેટ દેવું જોઈએ. બહુ સાદી-બાળક જેવી ભાષા; સંસ્કૃત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk