________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
અરેરે ! ક્યાં હતા ને કયાં આવ્યા!
જેમણે ભરતક્ષેત્રમાં અમૃતવર્ષા વરસાવી એવા ભાવી તીર્થાધિનાથ કહાનગુરુદેવનાં ચરણકમળોમાં વારંવાર
નમસ્કાર
**
૨૦૨૩, આસો માસઅપૂર્વ-જ્ઞાનધા૨ી ગુરુદેવનાં ચ૨ણકમળોમાં
૯૧
વારંવા૨ નમસ્કાર
પૂર્વભવ સહજપણે યાદ આવ્યા કરે છે. એ મહાવિદેહના નૌવલપુર નગરના રસ્તા, ચોક, વન, નદી, રત્ન, જેવા કિનારાઓથી શોભિત તળાવ વગેરે યાદ આવે છે. મહાવિદેહને
યોગ્ય એ પૂર્વભવનાં ( આ જીવનાં–દેવાભાઈનાં ) ઘર, ઘરના ચોક, ચોક ફરતાં મકાન, વાત્સલ્યયુક્ત માતાપિતા વગે૨ે યાદ આવે છે.
પુણ્યશાળી ફતેહમંદ રાજકુમાર, તેમના મોટા મહેલ વગેરે યાદ આવે છે. (વિશેષ વિસ્તાર જણાતો નથી.)
અનંત ગુણોના નિધાન ચૈતન્યદેવ એવા અનુપમ, દિવ્યમુદ્રાધારી, દિવ્યદેહધારી સીમંધર ભગવાન વારંવાર યાદ આવે છે. તેમનાં અપૂર્વ દર્શન થતાં ઉલ્લાસ બહુ આવે છે.
ભગવાનનો અહીં વિરહ હોવાથી ખેદ પણ થાય છે. સ્વરૂપપરિણતિ સહિત આ વાત વારંવા૨ સહજપણે યાદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk