________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
આ બધું ભક્તિભાવથી જણાવવા ખાતર લખ્યું છે.
આ બંને કાગળમાં, જેટલું આવ્યું છે તેટલું લખ્યું છે. આથી વિશેષ યાદ આવ્યું નથી.
* * પરમકૃપાળુ સદ્ગુરુદેવને નમસ્કાર ૧૯૯૪, માગશર વદ દશમ, પરોઢિયે સવા પાંચ
ગઈ કાલે નોમની રાત્રે સાતથી સાડા સાત સુધીમાં એમ સ્મરણ આવ્યું કે શાન્તાબેનનો આત્મા ત્યાં પુરુષદેહપણે હતો તે અને હું કંઈક વાત કરતા હતા; શું વાત કરતા હતા તે યાદ આવતું નથી; તેમનું નામ લાભ... ભાઈ હતું; હું એમને લાભભાઈ કહીને બોલાવતો હતો; મારું નામ દેવાભાઈ હતું, તે મને દેવા... ભાઈ કહીને બોલાવતા હતા - આવી જાતના ભાવો યાદ આવે છે. (લાભ.. ભાઈ અને દેવા... ભાઈનું લાંબુ નામ યાદ આવતું નથી.) તે સ્મરણ ત્યાંથી તે વખતે અટકી ગયું.
ત્યાંથી ફતેહમંદકુમાર સહજ સ્મરણમાં આવ્યાં. સ્વયં ધર્મી બ્રહ્મચર્યરંગી એવા રાજકુમાર કહેતા હતા કે દેવાભાઈ ! રાધારાણી ધાર્મિક વૃત્તિમાં બહુ સજ્જડ છે. આવી જાતના ભાવો યાદ આવે છે. તેમની રાણી નિર્વિકલ્પ સમકિત પામેલ હતાં અને બહુ ગુણી હતાં એમ સહજ યાદ આવે છે. રાજકુમારને તે રાણીના ગુણોનું બહુમાન હતું. આ બધું બરાબર યાદ આવે છે.
આ ભવમાં કોઈની સાથે કરેલી વાતચીત યાદ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk