________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
તેવી જ રીતે નિઃશંકપણે યાદ આવે છે.
“રાજકુમાર ભવિષ્ય કાળક્રમે તીર્થંકર થવાના છે તે વાતને રાજકુમાર પોતે, તીર્થકર આદિની વાણીના જ્ઞાન સહિત, અંતરમાંથી જાણતા હતા. “હું તીર્થકર થવાનો છું” એમ એમનું હૃદય કહેતું હતું. આ સ્મરણ અહીંથી અટકી ગયું.
ત્યાર પછી સાડા આઠ થી સવા નવ સુધીમાં –
હું દેવલોકમાં દેવ હતો તેનું સ્મરણ આવ્યું ત્યાં દેવી હતી ને કેટલાક દેવો હતા; તે દેવલોક, ત્યાંના લુગડાં ને દાગીના વગેરે જુદી જાતનું લાગે છે. કઈ ભાષામાં લખવું ને બોલવું તે કાંઇ સ્પષ્ટ આવતું નથી, વેદનમાં ગંભીરતા બહુ ભાસે છે. દેવીના શરીર ઉપર ને દેવલોકમાં ને મારા દેવપણાના શરીર ઉપર જાદી જુદી જાતના ચળકાટ, જાદી જાદી જાતના રંગના ચળકાટવાળાં લુગડાં-તે લુગડાં મખમલ જેવાં હોય તેમ જણાતું હતું-ને દાગીના વગેરે તથા દેવલોક પણ જાદી જુદી જાતના રંગ સહિત ઝગઝગાટવાળું યાદ આવે છે. બધા દેવો ભેગા થઈને નાચ કરતા હતા. (હું તાળી પાડતો હતો.) ત્યાં નલિની નામનું કોક હતું, તે દેવીનું નામ હતું કે બીજા કોઈનું નામ હતું, તે યાદ આવતું નથી. હું જાણે દેવ છું ને બધા પરિચિત દેવો-અમે બધા ભેગા થઈને નાચ કરીએ છીએ એવું બધું જાણે દેવનો જ ભવ કેમ હોય એવું લાગે છે. શું નાચ હતો તે સ્પષ્ટ યાદ આવતું નથી. તે દેવના ભવ પહેલાં મહાવિદેહક્ષેત્રમાં બળદિયો હતો એમ સાવ સહજ યાદ આવે છે. તે બળદ લાલ વર્ણ હતો, શરીર પાતળું સુકાયેલ જેવું હતું. એ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk