________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૭૩
આવતું હોય એમ દરેક કારણ હોય, પણ જણાય છે તે યથાર્થ છે.
૨૦૧૪ કારતક વદ દશમમેરુનાં જિનાલયો, મેરુનાં વનો અદ્દભુત હતાં. મેરુ પર્વત ચળકતો, શોભીતો અને વિશાળ હતો. મેરુપર્વતનાં જિનાલયોમાં લાલ રત્નનાં શિખરો હતાં, ગુલાબી રત્નના શિખરો હતાં, જાંબુડા (રંગ જેવા) રત્નનાં શિખરો હતાં-વિવિધ રંગનાં શિખરો હતાં, શીખરોમાં અનેક પ્રકારની કારીગરી હતી. નવા નવા રંગનાં રત્નજડિત મંદિરો હતાં. સફેદ રત્નનાં પ્રતિમા, લાલ રત્નના પ્રતિમા, ગુલાબી રત્નનાં પ્રતિમા, લીલાં રત્નની પ્રતિમા, જાંબુડાં રત્નનાં પ્રતિમા હતાં. અનેક પ્રકારના રંગના પ્રતિમા ખ્યાલમાં આવે છે, તેની સાથે પ્રતિમાજીનાં દર્શન કેમ થતાં હોય તેમ લાગે છે. આ રહ્યાં પ્રતિમાજી, આ રહ્યાં જિનાલયો, તેમ જણાય છે. પરંતુ તેનું માપ કેવડું છે તે યાદ આવતું નથી, મોટાં છે તેટલું યાદ આવે છે. પરંતુ વિશેષ વિસ્તાર યાદ આવતો નથી. કોઈ પણ કારણે આ યાદ આવે છે તે યથાર્થ છે.
સ્પષ્ટતાને કારણે સીમંધર ભગવાનના સાક્ષાત્ જેવાં દર્શન કેમ થતાં હોય તેમ લાગે છે, આ રહ્યા સીમંધર ભગવાન તેમ લાગે છે; ભગવાનનો, ક્ષણભર વિરહ ભુલાઈ જતો હોય તેમ લાગે છે, દિલ ઊલસી જાય છે, મહિમા બહુ આવે છે; ભગવાનની મુદ્રાનું સ્પષ્ટીકરણ કરતાં આવડતું નથી, અભુતતા ભાસે છે.
૨૦૧૪, માગશર સુદ એકમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk