________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
(તા. ર૯-૧-૭૮) જેને આનંદમાં જમવટ જામી છે, જેને અતીન્દ્રિય આનંદના કોળીયા લેવાય છે અને જે અતીન્દ્રિય આનંદને ગટક ગટક પીએ છે એવા ધર્મીનું (–સાધકનું) આ સ્વરૂપ બેનના મુખેથી (વચનામૃતમાં) આવ્યું છે. તદ્દન સાદી ભાષા. પ્રભુના સમોસરણમાં આમ વાત ચાલતી, ભાઈ ! .. અરે ! આ વાત બેસે તે તો ન્યાલ થઈ જાય તેવું છે. જિનેશ્વરદેવનું જે ફરમાન છે તે આ બેન કહી રહ્યાં છે.
*
*
(તા. ૨૯-૧-૭૮) વચનામૃતના એક એક ફકરામાં, એક એક શબ્દમાં, નિધાન ભર્યા છે. જેને તળિયાં પકડતાં આવડે તેને અગાધતા લાગે સ્વભાવની. પર્યાયે પ્રભુને સંઘર્યો, આખો જ્ઞાનમાં લઈ લીધો. આ તો સિદ્ધાન્તનું દોહન છે. જગતનાં ભાગ્ય કે આ (બેનનું પુસ્તક) ટાણે બહાર આવી ગયું. થોડા શબ્દોમાં, સાદી ભાષામાં, મૂળ તત્વને પ્રગટ કર્યું.
* *
(શ્રાવણ વદ ૨) ચંપાબેન ખરેખર અજોડ રતન છે; તે તો અંદરથી સાવ ઉદાસ છે; તેમને બહારનું આ બધું કાંઈ ગમતું નથી; પણ લોકોને તો ભક્તિપ્રેમથી બહુમાન કરવાના ભાવ આવે ને!
*
*
(તા. ૭-૧૨-૭૭) બેનના પુસ્તક સિવાય આપણે કોઈમાં પડ્યા નથી. બેનનું પુસ્તક બહુ સારું આવ્યું.... બેનના બોલમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk