________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જ કયાંથી ? ( આ બધું) કોતરવાનું છે. પથ્થરમાં આરસનાં પાટિયાંમાં )
**
આ (વચનામૃત ) ચોપડી એવી આવી છે કે ગમે તેટલાં શાસ્ત્ર હોય, આમાં એકેય વાત બાકી નથી. થોડા શબ્દોમાં દ્રવ્યગુણ-પર્યાય, વ્યવહાર-નિશ્ચય વગેરે બધું આવી ગયું છે. જગતનાં ભાગ્ય કે આવી સાદી ભાષામાં પુસ્તક બહાર આવી ગયું. વીતરાગતાના ભાવનું રટણ ને લઢણ છે. આખા હિન્દુસ્તાનમાં ઢંઢેરો પિટાશે. જ્યાં પુસ્તક હાથમાં આવ્યું ત્યાં કહ્યું કે એક લાખ પુસ્તક છપાવાં જોઈએ.
**
6
બેનને જાતિસ્મરણમાં આવ્યું છેઃ ભગવાન પાસે સાંભળ્યું છે કે એક એવું સમકિત હોય છે કે જે ક્ષાયકને જોડે છે, એવું જોડણી ક્ષાયક' હોય છે. એમને ગોઠતું નથી પણ હવે એ થોડું થોડું બહાર પાડીએ છીએ... બેનનું પુસ્તક બહુ સરસ છે. એકલું માખણ છે. ‘દ્રવ્યદષ્ટિપ્રકાશ' કરતાં પણ ચડી જાય એવું છે. સાદી, સરળ ભાષામાં ઊંચુ તત્ત્વ પીરસ્યું છે.
**
(તા. ૧૭–૯–૮૦) આ તો બહેનની ભાષા તદ્દન સાદી અને અંદરથી બોલેલી. આ તો જરીક બોલ્યાં અને લખાઈ ગયું, નહિતર તો બહાર આવે જ ક્યાંથી ? એકલાં રતન પડયાં છે! અન્યમતીનેય એમ થાય કે આવું ક્યાંય નથી.! હીરાનો ભંડાર છે !
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk