________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
૧૨૫ (તા. ૧-૧૦-૭૭) પરિણમનમાંથી નીકળેલા શબ્દો છે. બેનને તો નિવૃત્તિ ઘણી. નિવૃત્તિમાંથી આવેલ શબ્દો છે. પુસ્તકમાં તો સમયસારનો સાર આવી ગયો છે-અનુભવનો સાર છે; પરમ સત્ય છે. “વચનામૃત' એ ચીજ તો એવી બહાર આવી ગઈ છે કે હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ બહાર પાડવું જોઈએ.
* * આ બેનનાં વચનો છે તે અનંત જ્ઞાનીનાં વચનો છે. ઈન્દ્રોની સમક્ષ અત્યારે શ્રી સીમંધરદેવ જે ફરમાવે છે તે આ વાણી છે. આ ચોપડી સાધારણ નથી, આમાં તો બહુ ભર્યું છે. ભાષા મીઠી છે, સાદી છે; ભાવો ઊંડા ને ગંભીર છે. દિવ્યધ્વનિનો આ અવાજ છે. અરે ! એક વાર મધ્યસ્થપણે આ વાંચે તો ખરો ! ભગવાને કહેલી જે ૐકાર ધ્વનિ છે એમાંથી નીકળેલો આ સાર બેને કહેલ છે.
* * (સં. ૧૯૯૭) આ કાળનો જોગ અનુકૂળ છે; બેન જેવાંનો આ કાળે અવતાર છે. એ ધર્માત્મા ગૃહસ્થના ભેટા થવા પણ અનંત કાળે મોંઘા છે. ભાઈઓને આ કાળે ધર્માત્મા પુરુષ મળી આવે, પણ આ કાળે બહેનોનાં પણ સભાગ્ય છે.
(તા. ૧૭-૯-૮૦) બેનથી બોલાઈ ગયું અંતરમાંથી. ત્યાંથી (વિદેહક્ષેત્રથી) આવેલી વાત છે. બેન ત્યાંથી આવ્યા છે. . બેન (દીકરિયું પાસે) બોલેલાં ને લખાઈ ગયું, નહિતર તો બહાર આવે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk