________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
આ તો બેનનાં અંદરનાં વચન છે ને! બેનની ભાષા સાદી, પણ અંતરની છે. અનુભવ વિદ્વત્તા માગતો નથી, અંતર અનુભૂતિ અને રુચિ માગે છે. આ બેનના શબ્દો છે તે ભગવાનના શબ્દો છે. ભાષા ય નવી ને ભાવો ય નવા! સાદી ભાષામાં અંદર રહસ્ય છે. લાખો પુસ્તકો છપાયાં, મેં કોઈ દિવસ કહ્યું ન હતું; જ્યાં આ (વચનામૃત ) હાથમાં આવ્યું, ( જોયુંવાંચ્યું) ને રામજીભાઈને કહ્યું: ભાઈ ! આ પુસ્તક લાખ છપાવો.
**
૧૨૪
( તા ૬–૯–૭૭ ) ( બહેનશ્રીનાં વચનામૃત પુસ્તક ટાઈમસર બહાર પડયું. બેનને કયાં બહાર પડવું જ છે, પણ પુસ્તકે બહાર પાડયાં ભાષા સરળ છે પણ ભાવ ઘણા ગંભીર છે, મેં આખું વાંચી લીધું છે. એક વાર નહિ પણ પચીસ વાર વાંચે તોય સંતોષ ન થાય એવું પુસ્તક છે. આ દસ હજાર પુસ્તક છપાવીને બધા હિન્દી-ગુજરાતી ‘આત્મધર્મ' ના ગ્રાહકોને ભેટ દેવાં એમ મને થયું.
**
( તા ૧૬–૯–૭૭) હું કહું છું કે (વચનામૃત પુસ્તક સર્વોત્કૃષ્ટ છે-આખા સમયસારનો સાર આવી ગયો છે એટલે સર્વોત્કૃષ્ટ છે. આ પુસ્તક બહાર માણસોના હાથમાં જશે તો હિન્દુસ્તાનમાં ડંકો વાગશે. આ પુસ્તક વાંચતાં તો વિરોધી પણ મધ્યસ્થ થઈ જશે-એવી વાત છે. જગતને લાભનું કારણ છે. માન મૂકીને એક વાર મુનિઓ (પણ) વાંચે તો એમના લાભનું કારણ છે.
...
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk