________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
(તા ૮-૧૧-૬૫ ) અરે! એમનાં દર્શનથી તો ભવનાં પાપ કપાય એવો આ જીવ છે. બધા ભાઈઓ એમનાં તળિયાં ચાટે તો ઓછું છે એવું તો આ દ્રવ્ય છે!
**
( તા. ૨૧-૧૨-૬૫ ) ૨૮ વર્ષ થઈ ગયાં. જાતિસ્મરણ થયાંને, પણ બહાર પડવાની જરાય જેને (બહેનશ્રી ચંપાબેનને ) વૃત્તિ નથી ઊઠતી-પ્રતિબિંબ જેવાં ઠરી ગયાં છે. જેને પોતાને સાગરોપમ વર્ષોનું જ્ઞાન છે તો પણ ગુપ્ત! મને પણ નથી કહ્યું. મારી બધી વાત કહી જાય, પણ પોતાની નહિ... એમનો આત્મા કેટલો ગંભી૨ ! અલૌકિક! અચિંત્ય ! અદ્દભૂત !–શબ્દો ઓછા પડે છે. આ તો સાગર સમાન ગંભીર છે.
છે ?
૧૧૭
**
પૂજ્ય ગુરુદેવઃ- બેન! લૌકિક જ્ઞાનની (રાજુલના જાતિ સ્મરણજ્ઞાનની ) એટલી પ્રસિદ્ધિ, તો તમારો આત્મા તો મહાન છે, તમારી (તમારા જ્ઞાનની) પ્રસિદ્ધિ થવી જોઈએ.
પૂ. બહેનશ્રી:- સાહેબ! દુનિયામાં પ્રસિદ્ધિ કરીને શું કરવું
દુનિયાને એમની ( બહેનશ્રી ચંપાબેનની ) કિમત કયાંથી આવે ? કારણ−કંઈ બોલતાં નથી અને બહારમાં કંઈ કરીને દેખાડતાં નથી. દુનિયાને તો બહારના ચમત્કારની કિંમત છે ને! એમના અંતરને એ શું જાણે ?
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk