SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ (તા. ર૬-૧૧-૬૫ ) વિ. સં. ૧૯૯૩, ચૈત્ર વદ આઠમના દિવસે બેનને (બહેનશ્રી ચંપાબેનને) આત્માના શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પ અનુભવ સાથે ઉપયોગમાં નિર્મળતા થતાં જાતિસ્મરણ થયું. * * * સમ્યગ્દર્શન ૮૯માં થયું હતું. * * * ધ્યાન કરતાં કરતાં એટલાં એકાગ્ર થઈ જાય છે કે પોતે ભારતમાં છે કે વિદેહમાં એ પણ ભુલાઈ જાય છે. * * * અમે સાથે જ મોક્ષ જવાના છીએ. આ વાત બધી પ્રત્યક્ષ થયેલ છે. * * * બેનનું (બહેનશ્રીનું) જ્ઞાન તો અગાધ અને ગંભીર છે. * * * આ ચંપાબેનનું જ્ઞાન તો રાજુલ કરતાં અનંત અનંત સામર્થ્યવાળું છે. એને તો લૌકિક, પણ આમને તો અલૌકિક જ્ઞાન છે. આત્મજ્ઞાન સહિતનું જાતિસ્મરણ છે. એમને ચાર ભવનું જ્ઞાન છે પણ ગંભીર એટલાં કે કોઈ દિવસ બહાર પાડતાં નથી. મને પણ... પોતાની વાત ન કરે, મારું બધું કહી જાય. બેન તો ભગવતીસ્વરૂપ છે, ભગવતીમૂર્તિ છે. બોલવું તો એમને હરામ છે. કયાં બોલે જ છે? માટે લોકોને મહિમા આવતો નથી. એમના જેવાં દુનિયામાં કોઈ સ્ત્રી નથી. સ્ત્રીઓનાં મહાભાગ્ય છે કે આવા કાળમાં-આવા મિથ્યાત્વના જોરના કાળમાં એમનો અહીં જન્મ! એ તો જે બહુમાન કરશે એમનાં મહાભાગ્ય છે. * * ( રાજકોટ તા ૩૧-૫-૬૭) સેંકડો વર્ષોમાં નથી એવો આ સ્ત્રી-દેહમાં આત્મા પાકયો છે. સમાજનાં એટલાં પુણ્ય છે કે આ વાત બહાર મુકાય? લોકોને જે બોલે છે એની કિંમત આવે Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy