________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
છે, આ નથી બોલતાં માટે એમની કિંમત આવતી નથી. ઓછું બોલે એટલે જાણે કાંઈ આવડતું જ ન હોય એમ લોકો માને.
**
(ફતેપુર તા. ૩–૧૨–૭૦) બેનને (ચંપાબેનને ) તો ચાર ભવનું જ્ઞાન (જાતિસ્મરણ ) છે. અસંખ્ય અબજો વર્ષનું જ્ઞાન છે એમને ! આ તો કોઈ અલૌકિક આત્મા છે. ચંપાબેનની શક્તિ તો ગજબ છે. નરમ નરમ છે. સ્ત્રી-દેહ છે પણ કંઈ સ્ત્રીદેહ થોડો નડે છે? ૩૪ વર્ષ થયાં એમને જ્ઞાન પ્રગટયાને. સ્ત્રીઓમાં ધર્મરતન છે.
૧૧૯
**
( ત તા. ૧૯-૬-૭૧ ) બેન ( ( બહેનશ્રી ચંપાબેન ) તો આરાધનાની દેવી છે. પવિત્રતામાં આખા ભારતમાં અજોડ છે. એમની છત્રછાયા આખા સોનગઢમાં છે. ઓહો ! બેન તો ભગવતીસ્વરૂપ છે. તારે બીજે કયાં ગોતવા જાવું છે? એમનાં દર્શન કર ને! એક વાર ભાવથી જે એમનાં દર્શન કરશે એનાં અનંત કર્મબંધન ઢીલાં થઈ જશે. એમનાં ચરણોમાં જે વિંટાઈને રહેશે એને ભલે સમ્યગ્દર્શન ન થાય, તત્ત્વનો અભ્યાસ ન હોય, તોય એનો બેડો પાર છે.
**
સુવર્ણપુરીની આ રચના (સીમંધરભગવાન, કુંદકુંદાચાર્ય દેવ ઇત્યાદિની પ્રતિષ્ઠા) એમના વિદેહના જાતિસ્મરણનો ચિતાર છે.
**
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk