________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
ખરેખર આ કાળે પરમાર્થને અનુકૂળ સર્વ યોગ આપણને સંપ્રાપ્ત થયા છે તે આપણું ૫૨મ ૫૨મ સદ્ભાગ્ય છે. આપણને બાહ્ય યોગ મળવામાં તો કાંઈ ન્યૂનતા રહી નથી; હવે પુરુષાર્થ તો આપણે જ કરવાનો રહે છે. સ્વાનુભૂતિયુગપ્રવર્તક પૂજ્ય ગુરુદેવનો, ચેતનને જગાડનારો સ્વાનુભૂતિભર્યો મધુર રણકા૨ વર્ષો સુધી આપણને સાંભળવા મળ્યો, તેમ જ આજે પણ પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીનાં સ્વાનુભૂતિરસતરબોળ સાહજિક વચનામૃતોનું મધુર શ્રવણ મળી રહ્યું છે, તેના જેવું ૫૨મ અહોભાગ્ય કયું ? હવે તો જે કાંઈ ખામી છે તે આપણા પુરુષાર્થની જ છે. જ્ઞાનીઓના પ્રતાપે આપણને સાચો પુરુષાર્થ આવડી જાય-એ જ અંતરની ભાવના છે.
સ્વાનુભૂતિપરિણત ૫૨મોપકારી પૂજ્ય ગુરુદેવનાં તેમ જ સ્વાનુભૂતિપરિણત ૫૨મોપકારી પૂજ્ય બહેનશ્રીનાં પવિત્ર ચરણકમળ સદાય હૃદયમાં સંસ્થાપિત રહો.
ॐ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
૨૩