________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ-અમૃતસરિતા
આ વિભાગમાં, વૈરાગ્યમૂર્તિ આત્મજ્ઞાની પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં નાની વયનાં સ્વાનુભવ૨સભીનાં કેટલાંક લખાણોમાંથી થોડાંક અવતરણો વીણીને આપવામાં આવ્યાં છે. આ અવતરણોનું ઊંડાણથી અવલોકન કરતાં આત્માર્થના અભ્યાસીને તેમની અંતરંગ પરિણતિનો -સહજ જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઉદાસીનતા, નિર્વિકલ્પ આત્માનુભવ, સતત વર્તતી જ્ઞાતાધારા, સ્વરૂપસ્થિરતાની પરિણતિ વગેરેનો અદ્ભુત મહિમા અંદરથી જરૂર આવશે. આ અવતરણો ખરેખર અધ્યાત્મ-અમૃતસરિતા જ
સહજ
છે. આત્માર્થી જીવોએ તેનું વાંચન તથા તેના ઉપર ગહન વિચાર
મનન
અવશ્ય કરવા
યોગ્ય છે અને એમ
કરવાથી જરૂર અપૂર્વ આત્મલાભ થશે.
૧૩૫
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk