________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
રાજકુમારના
શ્રી સીમંધરભગવાને મહિમાયુક્ત વિશ્વવંદ્ય તીર્થંકરપણા વિષે તથા આગલા અને પાછલા ભવાંતરો વિષે વાત કરી છે એમ બરાબર યાદ આવે છે; પણ તે કયા કયા ભવો અને શું શું વાત છે તે યાદ આવતું નથી. તે ભવોની વાત કરી તેમાં એમ કહ્યું હતું કે ‘આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે.' તેની સાથે સંબંધવાળી ગણધરપણાની વાત હોવાથી તે વાત આવી હતી તે બરાબર સ્પષ્ટપણે સહજ સ્મરણમાં આવે છે. તીર્થંકરદેવના ભવો વિષે શું શું વાત હતી તે સ્પષ્ટપણે સ્મરણમાં આવતું નથી.
(આ વાતને લગતા પ્રસંગને કારણે આ વાત લખાઈ જાય
છે. )
૧
શ્રી કૃપાળુ ગુરુદેવના કૃપામય ઉપકારને વારંવાર નમસ્કાર. અજોડ રત્ન કૃપાળુ ગુરુદેવનાં ચ૨ણકમળમાં
૫૨મ ભક્તિથી વારંવા૨ નમસ્કાર ૨૦૦૪, પોષ વદ બીજના રોજ આવેલું સ્મરણ
પૂર્વભવે શ્રી સીમંધર ભગવાન પાસેથી સાંભળ્યું છે તેમાંથી સ્મરણ આવે છે કે આ રાજકુમાર ભવિષ્ય ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં તીર્થંકર થશે, તેમનું નામ શ્રી સૂર્યકીર્તિસ્વામી તથા શ્રી સર્વાંગસ્વામી એમ બે પ્રકારે નામ યાદ આવે છે એટલે કે બે જાતના નામ હોય તેમ યાદ આવે છે. આ દેવાભાઈ આ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk