________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
રાજકુમારના ભવિષ્ય ગણધર થવાના છે, તે સૂર્યકીર્તિ રાજાના એટલે કે સૂર્યકીર્તિ તીર્થંકરના દેવેન્દ્રકીર્તિ નામના રાજકુમાર થશે; આ લાભભાઈ આ રાજકુમારના ભવિષ્ય ગણધર થવાના છે, તે સૂર્યકીર્તિ રાજાના એટલે કે સૂર્યકીર્તિ તીર્થંકરના બીજા ચંદ્રકીર્તિ નામના રાજકુમાર થશે, એટલે કે સૂર્યકીર્તિ તીર્થંકરના દેવેન્દ્રકીર્તિ અને ચંદ્રકીર્તિ નામના પુત્રો થશે અને તેમના બંને ગણધર થશે. આ બધું શ્રી સીમંધર ભગવાન પાસેથી સાંભળ્યું છે તેમાંથી યાદ આવે છે; આ સ્મરણ સાવ સ્પષ્ટ છે.
ભાવિ તીર્થાધિનાથ ક્હાનગુરુદેવને ૫૨મ ભક્તિથી નમસ્કાર. જગત-ઉદ્ધારક પરમ કૃપાળુ શ્રી સદ્દગુરુદેવ (કાનજીમહારાજશ્રી ) તે પૂર્વભવના ફતેહમંદ રાજકુમાર ભવિષ્ય ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં તીર્થંકર થશે એમ શ્રી સીમંધર ભગવાને કહેલું છે.
બળદેવ-વાસુદેવના સ્વપ્નાની આપે અમને વાત કરી ત્યાર પછી તે વિચાર બહુ રહ્યા કરતા હતા તેથી આ સ્મરણ આવેલું છે. આ સ્મરણ વારંવાર સ્પષ્ટપણે આવ્યા કરે છે. દેવાભાઈ એટલે આ આત્મા, લાભભાઈ એટલે શાન્તાબેનનો આત્મા.
પરમ કૃપાળુ જ્ઞાનિધિ ગુરુદેવના પ૨મ ઉ૫કા૨ને વારંવા૨
નમસ્કાર
*
અજોડ રત્ન ૫૨મ કૃપાળુ ગુરુદેવનાં ચરણકમળમાં ૫૨મ ભક્તિથી વારંવાર નમસ્કાર ૨૦૦૪, ચૈત્ર સુદ પૂનમે લખાયેલ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk