SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જાતિસ્મરણજ્ઞાન દરવાજામાં પ્રવેશ કરતાં આગળ જઈએ છીએ ત્યાં સીમંધર ભગવાન બિરાજી રહ્યા છે. તે પરમ મહિમાધારી ભગવાનનું શું વર્ણન થાય ! કેમ કરી બતાવી શકાય ! સમોસરણની વિભૂતિ અને સીમંધર ભગવાન અંતરમાં તરવરતાં હોવાથી “આ રહ્યા ભગવાન, આ રહ્યાં સમવસરણ એમ પ્રત્યક્ષની જેમ જણાતાં હોવાથી, મહિમા આવવાથી આ બધું લખાઈ જાય છે. વિશેષ વિસ્તાર જણાતો નથી. પંચમ કાળમાં જન્મ થયો તે ખેદ છે. ૫૨મ ઉપકારી, ભરતક્ષેત્રમાં અપૂર્વ શ્રુતધારા વરસાવનાર મંગળમૂર્તિ ગુરુદેવને ૫૨મ ભક્તિથી નમસ્કાર ** ૯૯ 7; અત્યારે ભરતક્ષેત્રમાં પણ પૂ. કહાનગુરુદેવની ચૈતન્યરસથી ભરપૂર, અપૂર્વ રહસ્યમય નિરંતર વાણી સુણવાનો યોગ અને ભાવીના તીર્થંકર ભગવાન એવા શ્રી કહાનગુરુદેવના પાવનકારી આહારદાનના પ્રસંગો તેમ જ પૂ. ગુરુદેવના તીર્થયાત્રાના અવસરો, શ્રી જિનેન્દ્ર પ્રતિમાઓના કલ્યાણક-અવસો વગેરે પુનિત પ્રસંગો તે બધા પુણ્યોદયે બને છે. તે પ્રસંગો યાદ કરતાં ઉલ્લાસ આવે છે. Please inform us of any errors on [email protected] પૂજ્ય ગુરુદેવના ભવો યાદ આવ્યા કરે છે અને પૂજ્ય કહાન ગુરુદેવ પ્રત્યે બહુ મહિમા આવે છે. ભાવી તીર્થંકર વર્તમાનના ધર્મધુરંધર ગુરુદેવને ૫૨મ ભક્તિથી નમસ્કાર **
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy