________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
સાતિશય જ્ઞાનધારી પરમ પ્રતાપી કહાન ગુરુદેવને
પરમ ભક્તિથી નમસ્કાર ૨૦૨૨, ફાગણ સુદ પાંચમથી આઠ-દસ દિવસ સુધી લગભગ, ગુરુદેવના વ્યાખ્યાનમાં ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય છે.
પૂર્વભવ વારંવાર યાદ આવ્યા કરે છે.
એ રત્નોમય અદ્ભુત દેવલોક, ગુરુદેવના પ્રતાપી ભવોની વારંવાર સ્પષ્ટતા, સમવસરણનું વારંવાર યાદ આવવું; એ તળાવ, રત્નમય રસ્તા, દરવાજા, મંદિરો, સમવસરણ વગેરે બહુ યાદ આવે છે. વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
ત્યાંનાં-મહાવિદેહક્ષેત્રનાં-દેવાભાઈનાં (અમારા) મોટા મહેલ જેવાં ઘરો યાદ આવે છે. ગાય ભેંસ વગેરે ઘેર હતાં. અમારું ત્યાં કુટુંબ હતું. માતા, પિતા, કાકા વગેરે કુટુંબ યાદ આવે છે. બાગબગીચાથી શોભાયમાન ઘર હતાં; (દેવાભાઈના ) અમારા ઘરની સમીપ રત્નસ્થંભથી શોભિત જિનમંદિર હતું, ત્યાં અમે પૂજા કરવા જતા હતા. અમારે ઘેર અનેક જાતનાં શુદ્ધ ભોજન થતાં હતાં, કોઈ કોઈ વાર મુનિરાજ પધારતા હતા. રાજભવનની નજીક અમારાં ઘર હતાં.
- ફતેહમંદ રાજકુમાર વારંવાર યાદ આવે છે. અમારા ઘરની સામે એક જૈનંદ અથવા જયંદ નામના ધાર્મિક ગુણોવાળા ભાઈ રહેતા હતા તે ભાઈ જેવા સંબંધવાળા હતા તે પણ યાદ આવે છે. રત્નનું જિનમંદિર, મુનિરાજ વગેરે યાદ આવતાં ચિત્તમાં ખેદ થાય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk