________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
६४
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ દિવ્ય જ્ઞાનમૂર્તિ ભારતના ભગવાન પરમકૃપાળુ ગુરુદેવનાં ચરણકમળમાં
- પરમ ભક્તિથી નમસ્કાર ૨૦૧૦, જેઠ વદ પાંચમને દિવસે સ્મરણ આવ્યું છે કે દેવલોકમાં આયુસ્થિતિ પૂરી થતાં પરમ કૃપાળુ કહાન ગુરુદેવના આત્માનો આ જંબુદ્વીપમાં કોઈ પણ ક્ષેત્રમાં રાજકુમારપણે જન્મ થશે; તે ક્ષેત્રમાં કોઈ પણ તીર્થકર ભગવાનની હાજરી હશે, તેમને ઘેર પૂ. કહાન ગુરુદેવનો જન્મ થશે ત્યાં આપ મહાન થશો; ત્યાંથી આબેહૂબ મુનિપણું પાળીને ઊંચી જાતના દેવલોકમાં પૂ. ગુરુદેવ અહમિન્દ્ર થશે; કયા દેવલોકમાં અહમિન્દ્ર થશે તે સ્મરણમાં આવતું નથી, પણ અહમિન્દ્ર થશે તેમ સ્મરણમાં આવે છે. આ આત્મા પણ અને શાંતાબેનનો આત્મા પણ ત્યાં આપના કુટુંબી તરીકે બંને જણા જન્મશું, ત્યાંથી દેવલોકમાં પણ અમારા આત્માને આપનો સાથ રહેશે.
તીર્થંકર ભગવાનના સમીપતાવાળા (પુત્ર તરીકેના) મનુષ્યભવમાં આપને એટલે કે પૂ. ગુરુદેવને તીર્થકરગોત્ર બંધાશે, ત્યાંથી દેવનો ભવ કરીને આપ ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવાન જિનેન્દ્રદેવ થશો.
આ, ગુરુદેવના ભવોની વાત શ્રી સીમંધર ભગવાન પાસેથી પૂર્વભવે સાંભળી છે, તેમાંથી સ્મરણમાં આવી છે, આ વાત સાવ સ્પષ્ટ છે. દેવલોકથી સીધું તીર્થંકરપણું સ્મરણમાં આવતું નથી-તેમ ભવની સીધી સંધિ આવતી નથી પણ અહમિન્દ્રપણા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk