________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૫
नमः श्रीसद्गुरवे। ગુરુદેવના હૃદયોદ્ગાર
પૂજ્ય બહેનશ્રી ચંપાબેન સંબંધી
(પ્રવચન તત્ત્વચર્ચા ઇત્યાદી પ્રસંગે ) પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના મંગલ
ઉગારો
(રાજકોટ, સં. ૨૦૦૭) બેન (ચંપાબેન) તો બહુ જ ગંભીર-ગંભીર! એવો આત્મા અત્યારે હિન્દુસ્તાનમાં નથી. પવિત્રતા-પરિણતિ, અને શુદ્ધ પરિણતી સહિતનું જાતિસ્મરણજ્ઞાન છે. વૈરાગ્ય-વૈરાગ્ય! શાસ્ત્રમાં આવે છે; તીર્થકર દીક્ષા લે ત્યારે પહેલાં જાતિસ્મરણ થાય એવો નિયમ છે. જાતિસ્મરણ થાય ત્યારે ઉપયોગ મૂકવો પડે નહિ અને ફટ જ્ઞાન થાય, એકદમ વૈરાગ્ય થઈ જાય. એવું બેનને થઈ જાય છે. બેનને જાતિસ્મરણ થતાં વૈરાગ્ય ઘણો વધી ગયો છે; એમને બિલકુલ પરની કાંઈ પડી નથી.
* *
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk