________________
૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
નિર્વિકલ્પ આત્માનુભવ, સતત વર્તતી જ્ઞાતાધારા, સ્વરૂપસ્થિરતાની સહજ પરિણતિ વગેરેનો-અદ્દભુત મહિમા અંદરથી જરૂર આવશે.
આ અવતરણો ખરેખર અધ્યાત્મ-અમૃતસરિતા જ છે. આત્માર્થી જીવોએ તેનું વાંચન તથા તેના ઉપર ગહન વિચારમનન અવશ્ય કરવા યોગ્ય છે અને એમ કરવાથી જરૂર અપૂર્વ આત્મલાભ થશે.
અંતમાં-એ જ ભાવના કે ૫૨મોપકારી પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના અનુપમ ઉપકાર તળે જેમણે ભવાન્તકારી મંગળ અધ્યાત્મસાધના સાધી લીધી છે એવા સ્વાનુભવપરિણત વિશિષ્ટજ્ઞાનધારી પ્રશમમૂર્તિ ધર્મરત્ન પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના પવિત્ર જીવન સંબંધી આ સંકલન સંશોધક આત્માર્થી જીવોને તેના ઊંડા અવગાહન દ્વારા આત્મસાધનાની સમ્યક્ પ્રેરણા, દિશા અને પુરુષાર્થની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ હો.
*
વિ. સંવત ૨૦૫૧ શ્રાવણ વદ-૧૪
તારીખ ૨૫-૮-૧૯૯૫
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk